- Ярд Казино – виды бонусов и программа лояльности для игроков
- હર્ષ સંઘવીનો મોટો ઈશારો: આ વર્ષે પણ નવરાત્રીમાં આખી રાત ગરબા રમવાની છૂટ મળશે?
- BRICSમાં પાકિસ્તાનની એન્ટ્રી પર ભારતનો બ્રેક! વીટો પાવરથી વર્ષોથી અટવાઈ પાકિસ્તાનની અરજી
- BRICS મંચ પર મોદી-પુતિન-શી જિનપિંગની પાવરફુલ તસવીર, દુનિયાભરમાં ચર્ચા અને કૂટનીતિક હલચલ
- વિજય માલ્યાએ ₹14,131 કરોડ ચૂકવ્યા છતાં મની લોન્ડરિંગ કેસ ચાલુ રહેશે: EDની હાઈકોર્ટમાં રજૂઆત
- એન્થ્રોપિકનો મોટો દાવો: AI ક્લોડનો જૈવિક હથિયારોથી જાસૂસી સુધી દુરુપયોગ, શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ
- ગુરુદત્તના જીવન પર બનશે વેબ સિરીઝ, ‘બિછડે સભી બારી બારી’ના હક્કો પ્રોડક્શન હાઉસે મેળવ્યા
- Гама казино онлайн – Gama Casino Online – обзор
Author: garvigujrat
રાંચીમાં વિદ્યાર્થી આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું.રાંચીમાં સ્થિતિ કાબૂ બહાર: વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, લાઠીચાર્જ બાદ હિંસક ઘર્ષણ.પોલીસે લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો, છતાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રગાન ગાવા લાગ્યા : વિદ્યાર્થીઓએ ૬ બેરિકેડ તોડી નાખ્યા છે, તેમની CBI તપાસની માંગ.ઝારખંડના પાટનગર રાંચીમાં JPSC પરીક્ષા ગેરરીતિ અને પેપર લીકની CBI તપાસની માંગ સાથે શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન સોમવારે ચરમસીમાએ પહોંચી ગયું હતું. ‘વિધાનસભા ઘેરાવ‘ માર્ચ દરમિયાન તમામ સુરક્ષા બેરિકેડ્સ તોડીને સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઝારખંડ વિધાનસભા પરિસરમાં ઘૂસી ગયા હતા અને ગેટ નંબર ૧ પર જમાવડો કર્યો હતો. પોલીસે માર્ચને રોકવા માટે રસ્તાઓ પર કાંટાળા તાર અને ભારે બેરિકેડ્સ ગોઠવ્યા હતા. પરંતુ…
પ્રયાગરાજમાં ‘છાત્રોની ગૂંજ’ કાર્યક્રમમાં મોદી સરકાર પર આકરા પ્રહાર સોશિયલ મીડિયા – રીલ્સમાં ફસાવીને યુવાનોને મજૂર બનાવાય છે જે સંપત્તિ યુવાનોની હોવી જાેઈએ, તે કેન્દ્રની ખોટી નીતિઓને કારણે તેમના સુધી પહોંચતી નથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજમાં ‘છાત્રોની ગૂંજ’ કાર્યક્રમમાં કેન્દ્રની નીતિઓ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ૧,૦૦૦ યુવાનોમાંથી માત્ર ૧૨ યુવાનોને જ કાયમી નોકરી મળે છે. તેમણે સોશિયલ મીડિયાની રીલ્સને એક નશો ગણાવી તેનાથી યુવાનોને મજૂરો બનાવવામાં આવતા હોવાનો પણ દાવો કર્યાે હતો. કોંગ્રેસના નેતાએ યુવાનોની સમસ્યાઓ, શિક્ષણ વ્યવસ્થા, બેરોજગારી અને ડેટાની તાકાત અંગે ખુલ્લા મને સંવાદ કર્યાે હતો.લોકસભામાં વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યાે હતો કે, હાલની કેન્દ્ર સરકાર…
અમેરિકાના સાંસદનો ટ્રમ્પ સામે આરોપ ઈરાન યુદ્ધના બહાને માર્કેટ મેનિપ્યુલેશન કરે છે મોંઘું સબસ્ક્રિપ્શન લેનારા લોકોને ટ્રમ્પના વિદેશ નીતિ સંબંધિત ર્નિણયોની જાણકારી અન્ય લોકો કરતાં પહેલાં મળી જાય છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાન યુદ્ધને લઈને દેશની જનતાને મહિનાઓથી ગેરમાર્ગે દોરવાનો અને માર્કેટને પ્રભાવિત કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. ડેમોક્રેટિક સીનેટર ક્રિસ મર્ફીએ સેનેટમાં આકરા પ્રહારો કરતા દાવો કર્યાે છે કે, ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ કરાર થવાના ખોટા સંકેતો આપીને પોતાના મિત્રો અને પરિજનોને નાણાકીય ફાયદો કરાવી રહ્યા છે.મર્ફીના જણાવ્યા મુજબ, ઈરાન સાથે ચાલતી જંગને હવે ૬ મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે અને આ દરમિયાન એક સ્પષ્ટ…
(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. હૈદરાબાદની નેશનલ એકેડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (NALSAR) યુનિવર્સિટીના ૨૦૨૬ ના દીક્ષાંત સમારોહમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે એનો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે. વિદ્યાર્થીઓએ નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અન્ડરગ્રેજ્યુએટ (NEET -UG) વિવાદ અને કોકરોચ જનતા પાર્ટીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન તાજેતરની ઘટનાઓના સંદર્ભમાં આ વાંધો ઉઠાવ્યો હતો. વિદ્યાર્થીઓએ પત્રમાં લખ્યું છે કે યુવાનોને કોક્રોચ કહેવાથી લઈને પોલીસ દ્વારા બર્બરતા દાખવતા વિડિયો જોવાનો સમય નથી એવા અસંવેદનશીલ વિધાનો કરનારા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ અમારા પ્રત્યે ઉદાસીનતા દાખવી છે. એવામાં તેમને આ…
(નીડર,નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત ભારત યુવાનોનો દેશ છે જો આ યુવાનોને સતત એવો અનુભવ થશે કે સરકાર તેમની (વિદ્યાર્થીઓની) વાત સાંભળતી નથી. તો લોકશાહી પ્રત્યેનો તેમનો વિશ્વાસ નબળો પડશે. અને એ કોઈ પણ રાષ્ટ્ર માટે સારા સંકેત નથી. આ બાબતે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લોકશાહીમાં વિરોધ કરનાર લોકો સાથે સંવાદ કરવો સરકારની ફરજ છે. અને આ એક બંધારણીય મૂલ્ય છે ઉપકાર નહીં. પ્રશ્ન એ છે કે શું સરકારો આ સંદેશ સમજવા તૈયાર છે? આજની સૌથી મોટી સમસ્યા વિરોધ નથી સૌથી મોટી સમસ્યા છે સંવાદનો અભાવ. આજે સરકારો જાણે એવી માનસિકતા તરફ આગળ વધી રહી છે કે બહુમતી મળી…
ભાજપ સાંસદ જનાર્દન મિશ્રાનું વિવાદિત નિવેદન ‘શુદ્ધ પેટ્રોલ શું તમારા બાપના ઘરેથી આવશે?’ જનાર્દન મિશ્રા અગાઉ પણ અનેક વખત પોતાના અજીબોગરીબ અને અસંસ્કારી નિવેદનોને કારણે રાષ્ટ્રીય સ્તરે વિવાદ સર્જી ચૂક્યા છે મધ્ય પ્રદેશની રીવા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના સાંસદ જનાર્દન મિશ્રા ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. રીવા એરપોર્ટ પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ઈથેનોલ મિશ્રણ અને શુદ્ધ પેટ્રોલની માંગ કરનારાઓ પર તેમણે જાહેર મંચ પરથી અત્યંત મર્યાદાહીન ટિપ્પણી કરી હતી. તેમનો આ વિવાદિત નિવેદન આપતો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.વાસ્તવમાં, રીવા એરપોર્ટ પર કોલકાતા-રીવા-ભોપાલ હવાઈ સેવાનો પ્રારંભ કરાવવા માટે એક ભવ્ય…
જાપાની ફિલ્મ રાશોમોન ૫૦ના દાયકામાં બની હતી તરૂણ તેજપાલ કેસ પરથી વિશાલ ભારદ્વાજ ફિલ્મ બનાવશે બે ચૂકાદાઓ વચ્ચેનો વિરોધાભાસ રાશોમોન સ્ટાઇલ નેરેટિવ માટે પરફેક્ટ બની રહેશે ભારતના ફિલ્મ દિગ્દર્શક સત્યજિત રાયના સમકાલીન જાપાનના વિખ્યાત ફિલ્મ સર્જક અકીરા કુરોસાવાની ૫૦ના દાયકામાં આવેલી ફિલ્મ રાશોમોનમાં એક જ ઘટનાને અલગ અલગ પાત્રની નજરે રજૂ કરવામાં આવી હતી. જે બાદમાં રાશોમોન સ્ટાઇલ તરીકે વિખ્યાત બની હતી. શેક્સપિયરના નાટકો હિન્દી ફિલ્મોમાં રજૂ કરનારા વિશાલ ભારદ્વાજે પત્રકાર તરૂણ તેજપાલના કેસ પરથી કુરોસાવાની આ રાશોમોન સ્ટાઇલમાં ફિલ્મ બનાવવાની જાહેરાત શુક્રવારે કરી હતી. વિશાલ ભારદ્વાજે જણાવ્યું હતું કે આ કેસના પરસ્પર વિરોધાભાસી ચૂકાદાઓ અને કેસની ઓછી જાણીતી વિગતો…
કીર્તિ સુરેશ આઇટમ નંબર માટે ટ્રોલ થઈ ‘રોલ નથી મળતા એટલે ડાન્સ નંબર કરી રહી છે’ ઘણી વખત રિલીઝ ડેટ બદલાયા બાદ હવે ‘ધ પેરાડાઇઝ’ ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે સાઉથ અને બોલિવૂડની એક્ટ્રેસ કીર્તિ સુરેશ તાજેતરમાં સાઉથના સુપરસ્ટાર નાનીની આગામી તેલુગુ ફિલ્મ ‘ધ પેરાડાઇઝ’માં ખાસ ડાન્સ નંબર કરતી હોવાની અટકળોને કારણે ચર્ચામાં છે. જાેકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક યુઝરે એવો દાવો કર્યાે કે કીર્તિને હવે મજબુત રોલ મળતા નથી, તેથી તે ડાન્સ નંબર કરવા તૈયાર થઈ છે. કીર્તિએ આ કમેન્ટનો પોતાના અંદાજમાં જવાબ આપ્યો…
ફિલ્મ ‘દાર્જિલિંગ’નું શૂટિંગ પૂરું કર્યું હવે દરરોજ સવારે ઊઠીને મને ગમતું કામ કરવાની તક મળે છે : બાબિલ બીજી તરફ બાબિલ હવે પોતાની આગામી ઓટીટી સિરીઝમાં એક અલગ જ પ્રકારના પાત્રમાં જાેવા મળશે ઇરફાન ખાનનો દિકરો અને એક્ટર બાબિલ ખાન હાલ પોતાની કારકિર્દીના સૌથી વ્યસ્ત અને મહત્વના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં તેણે ફિલ્મ ‘દાર્જિલિંગ’નું શૂટિંગ પૂરું કર્યું છે. હાલમાં તે એક નવી ઓટીટી સિરીઝના શૂટિંગમાં વ્યસ્ત છે અને સાથે જ પોતાની દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ડેબ્યૂ કરવાની તૈયારી પણ કરી રહ્યો છે.પોતાની અલગ પ્રકારની અને અભિનયપ્રધાન ભૂમિકાઓ માટે જાણીતા બાબિલ ખાને અત્યાર સુધી વાર્તાને કેન્દ્રમાં રાખતી ફિલ્મો પસંદ કરી…
આ કથાઓ આપણા લોહીમાં છે “વિશ્વ સમક્ષ ભારતની ઓળખ રજૂ કરવા માટે આ શ્રેષ્ઠ કથા છે” : કાજલ તાજેતરમાં મને હિન્દી ફિલ્મોમાં ઘણી નવી તકો મળી રહી છે અને તેના માટે હું ખુબ જ આભારી છું ડિરેક્ટર નિતેશ તિવારીની મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ: પાર્ટ ૧’ના ટ્રેલરે દર્શકોમાં ભારે ચર્ચા જગાવી છે. અંદાજે ૪,૦૦૦ કરોડના બજેટમાં બની રહેલી આ ફિલ્મને નિર્માતાઓ માત્ર ભારત પૂરતી નહીં પરંતુ વૈશ્વિક સ્તરે રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે ફિલ્મમાં મંદોદરીની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી કાજલ અગ્રવાલ માને છે કે ‘રામાયણ’ જેવી કથા સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવાનો આ યોગ્ય સમય છે.ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


