Author: garvigujrat

છેલ્લા ૨૪ કલાકથી રાજ્યમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી અતિ ભારે વરસાદની સ્થિતિ અંગે પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ આફતની સ્થિતિમાં જનતાની સાથે છે અને સમગ્ર વહીવટી તંત્ર નાગરિકોની સલામતી માટે ખડેપગે છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી પરિસ્થિતિની ઝીણવટભરી વિગતો મેળવી છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે. આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ પણ સતત મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના તંત્ર સાથે સંપર્કમાં રહીને મોનિટરિંગ કરી રહ્યા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે એક વિડિયો મારફતે દિલ્હીમાં ચાલી રહેલા વિદ્યાર્થી-યુવા આંદોલન અંગે પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા વિદ્યાર્થી-યુવા આંદોલનમાં જોડાયેલા યુવાનો પર ભાજપ સરકાર દ્વારા બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ પર થઈ રહેલા લાઠીચાર્જ અને દમનના વિરોધમાં તેમજ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કાલે કોકરોચ જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં “નેશન વાઇડ પ્રોટેસ્ટ”નું આહ્વાન કર્યું છે. વધુમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, કોકરોચ જનતા પાર્ટીએ નેશન વાઇડ પ્રોટેસ્ટનું આહ્વાન કર્યું છે, તેથી આમ આદમી પાર્ટી…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અમદાવાદમાં સવારથી વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે રસ્તાઓ તળાવ જેવા બની ગયા છે. કરોડોના વિકાસના દવા કરવામાં આવે છે પરંતુ વરસાદ પડવાની સાથે જ વિકાસની પોલ ખુલી જાય છે. સામાન્ય લોકો પરસેવો પાડીને ટેક્સ આપે છે કારણ કે એ લોકો ઈચ્છે છે કે એમને સારા રોડ રસ્તા સહિત સામાન્ય મૂળભૂત સુવિધાઓ મળે. આજે વાલીઓએ જે હાલાકી ભોગવી છે એ મેં આજ સુધી જોઈ નથી, વાલીઓએ પોતાના બાળકોને લેવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડ્યો, અડધો…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ચૈતરભાઈ વસાવા અને તેમના પરિવાર પર ખોટા કેસો કરીને ભાજપે જે રીતે તેમને તુરંત સજા અપાવવાના પ્રયાસો કર્યા હતા, તેમાં આજે સત્યનો વિજય થયો છે. સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નહીં. આજે માનનીય હાઈકોર્ટ દ્વારા ચૈતરભાઈના પત્ની શંકુતલાબેન અને અન્ય મળીને કુલ પાંચ લોકોના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં ચૈતરભાઈ સહિત બાકીના લોકોના પણ જામીન મંજૂર થઈ જશે. આ સમગ્ર કેસ તદ્દન ફર્જી બનાવવામાં આવ્યો હતો, જેથી ચૈતરભાઈ ડરી જાય, તેઓ આદિવાસી સમાજનો અવાજ ન બને, આદિવાસી સમાજને જાગૃત ન કરે…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, દેશમાં વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓ સામે જનતામાં ભારે રોષ છે. મારી અપીલ બાદ હજારો વિદ્યાર્થીઓ કાળી પટ્ટી ધારણ કરીને કે કાળા કપડાં પહેરીને કોલેજ ગયા હતા, જ્યારે AAP ની વિદ્યાર્થી પાંખ ‘ASAP’ દ્વારા પણ ઠેર-ઠેર વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આગામી 25 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થઈને આ આંદોલનનો ભાગ બનશે. આજે સ્થિતિ એ છે કે ભાજપના પોતાના નેતાઓ કે કાર્યકર્તાઓના બાળકો પણ આ પેપર લીકનો ભોગ બન્યા છે, પરંતુ પદ અને કોન્ટ્રાક્ટ ગુમાવવાના ડરથી તેઓ પોતાની જ પાર્ટી વિરુદ્ધ બોલી શકતા નથી. બીજી તરફ, ભાજપના…

Read More

ઘરમાં જ રહો અને લોકેશન મોકલો વિદ્યાર્થી આંદોલન કચડવા મુંબઈ પોલીસની નવી ચાલ નીટ પેપર લીક મામલે દેશભરમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે મુંબઈ પોલીસે કડક વલણ અપનાવ્યું છે નીટ પેપર લીક મામલે દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે મુંબઈ પોલીસે એક નવો કડક અભિગમ અપનાવ્યો છે. મુંબઈના શિવાજી પાર્ક, ચેમ્બૂર અને આઝાદ મેદાન જેવા વિસ્તારોમાં પ્રદર્શનો રોકવા માટે પોલીસે ડિજિટલ ટ્રેકિંગ અને ઘરે-ઘરે જઈને તપાસ કરવાની કામગીરી શરૂ કરી છે. જે પ્રદર્શનકારીઓ સામે પહેલાથી FIR નોંધાયેલી છે, તેમનો પોલીસ સીધો સંપર્ક કરી રહી છે. તેઓ પોતાના ઘરે જ હાજર છે તેની ખાતરી કરવા માટે પોલીસે તેમને વોટ્સએપ પર સતત લાઈવ લોકેશન…

Read More

CJP એ ફૂંક્યું આંદોલનનું રણશિંગુ જંતર-મંતર બાદ હવે દેશભરમાં પ્રદર્શન કરવા CJP ની જાહેરાત પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે, આ પ્રદર્શન દેશના તમામ રાજ્યો અને તેમના જિલ્લાઓમાં થશે અભિજીત દીપકેની કોકરોચ જનતા પાર્ટી (CJP)એ ગુરુવારે જંતર-મંતર પર થઈ રહેલા વિદ્યાર્થી આંદોલનને એક ડગલું આગળ વધારવાની જાહેરાત કરી છે. CJP એ શુક્રવારે દેશભરના તમામ જિલ્લાઓમાં આંદોલન કરવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરી છે. કોકરોચ જનતા પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X‘ પર શેર કરવામાં આવેલા પોસ્ટરમાં દેશભરમાં ૨૪ જુલાઈએ વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા માટે કહેવામાં આવ્યું છે. ગયા મહિનાથી દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ માટે CJP એ પાંચ…

Read More

સરકારની ઓફર પર કોકરોચ જનતા પાર્ટીનો જવાબ વાત કરવી હોય તો જંતર-મંતર આવો CJP ના નેતા આશુતોષ રાંકાએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાના ઘર કે મંત્રાલયમાં કોઈ બેઠક નહીં થાય NEET પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીતને લઈને મડાગાંઠ યથાવત છે. એક તરફ સરકાર આ વિવાદનો ઉકેલ લાવવા ચર્ચા માટે અપીલ કરી રહી છે, તો બીજી તરફ CJP એ પોતાની શરતો મૂકીને શુક્રવારે દેશવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરી છે. CJP ના નેતા આશુતોષ રાંકાએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાના ઘર કે મંત્રાલયમાં કોઈ બેઠક…

Read More

સીસીટીવી કેમેરામાં આરોપીઓ કેદ થયા હતા સિંગાપોરમાં ફિલ્મી ઢબે દોઢ કરોડના હીરાની ચોરી કરનાર ભારતીયને જેલની સજા સુરતથી ખાસ ‘નકલી’ હીરો તૈયાર કરાવીને બંને આરોપી સિંગાપોરની જ્વેલરી શોપમાં પહોંચ્યા હતા સિંગાપોરમાં ફિલ્મી ઢબે આયોજન કરીને અંદાજે દોઢ કરોડ રૂપિયા (૧.૫૪ લાખ યુએસ ડોલર) કિંમતનો ૪.૯૫ કેરેટનો કિંમતી હીરો ચોરવાના મામલામાં અદાલતે એક ભારતીય નાગરિકને ૨ વર્ષ, ૨ મહિના અને ૨ અઠવાડિયાની જેલની સજા ફટકારી છે. આ ચોંકાવનારી ઘટનામાં બે ભારતીય નાગરિકો સંડોવાયેલા હતા, જેમણે પોતાની ચતુરાઈથી ચોરીને અંજામ તો આપી દીધો હતો, પરંતુ આધુનિક ટેકનોલોજી અને સીસીટીવી કેમેરાએ તેમના તમામ મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર, આ કેસમાં…

Read More

તબીબોના મતે દોઢ કરોડ પ્રસવમાં એક કેસ બની શકે ઓસ્ટ્રેલિયન મહિલાએ એકસાથે ચાર ‘હમશકલ’ બાળકીઓને જન્મ આપ્યો પહેલેથી ચાર બાળકો ધરાવતા પરિવાર પર હવે પરવરિશનો બોજ, સહાયતા અભિયાનમાં લાખો ડોલરનો ફાળો મળ્યો ઓસ્ટ્રેલિયાની ૩૪ વર્ષીય જેનીટાર નાઆમોઆનાએ એક જ અંડમાંથી વિકસીત થયેલી ચાર એકસરખી બાળકીઓને જન્મ આપીને ચિકિત્સા વિશ્વને આશ્ચર્યચકિત કર્યું છે. ૧૪ જુલાઈએ સાત મહિના ચાર દિવસની ગર્ભાવસ્થા પછી સિઝેરિયન ઓપરેશન દ્વારા આ બાળકીઓનો સુરક્ષિત જન્મ થયો. ચિકિત્સા વિજ્ઞાાનમાં એને મોનોઝાઈગોટિક ક્વોડ્રુપ્લેટ્સ કહેવાય છે, જે લગભગ દોઢ કરોડ ગર્ભધારણમાં માત્ર એકવાર જાેવા મળે છે.તબીબી નિષ્ણાતોના મતે આ દુર્લભ ગર્ભાવસ્થામાં એક જ ફળદ્રુપ ઈંડુ ચાર ભાગમાં વિભાજિત થયું, જેમાંથી ચાર…

Read More