- રાહુલ ગાંધીએ Gen-Z સ્ટાઈલમાં ફ્રેન્ડશિપ ડેની શુભેચ્છા પાઠવી, કહ્યું- હું હજુ પણ દરરોજ શીખું છું
- બુમરાહ ઈજાના કારણે શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાંથી બહાર, આકિબ નબી અને યશ ઠાકુર રેસમાં આગળ
- રાજ ઠાકરેનો સવાલ: મોદી દેશનો વિકાસ કરી રહ્યા હોય તો વિવેક ઓબેરોય અને આર. માધવન દુબઈમાં કેમ રહે છે?
- ભારતની શ્રીલંકાને સહાય 7.5 બિલિયન ડોલર વટાવી, 25 પ્રાંતોમાં વિકાસ યોજનાઓને મળશે ગતિ
- 2027ની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ફ્રન્ટલ સંગઠનોને બૂથ સ્તર સુધી મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો
- ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે તિરુમલા મંદિરે પહોંચ્યા હાર્દિક પંડ્યા, વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યા
- નશા મુક્ત યુવા-વિકસિત ભારત અભિયાનનો પ્રારંભ: વડાપ્રધાન મોદીએ 1 કરોડથી વધુ યુવાઓને સંકલ્પ લેવડાવ્યો
- શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધા: વડનગરના સાંસ્કૃતિક વૈભવને વૈશ્વિક ઓળખ અપાવવાની અનોખી તક
Author: garvigujrat
ખચ્ચર ચાલકો તેમજ કુલીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી કેદારનાથમાં ખચ્ચર ચાલકોના શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન બાદ વહીવટીતંત્ર એક્શનમાં ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. તેવા સમયે ઉત્તરાખંડના કેદારનાથમાં શ્રદ્ધાળુઓ સાથે ઘોડા અને ખચ્ચર ચાલકોના ગેરવર્તન બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ ઉત્તરાખંડમાં યાત્રાળુઓ સાથે દુર્વ્યવહારની અનેક ઘટનાઓના અહેવાલો આવ્યા હતા. તેની બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રાએ જણાવ્યું હતું કે કેદારનાથ યાત્રા દરમિયાન યાત્રાળુઓ સાથે દુર્વ્યવહાર કરનારા ઘોડા અને ખચ્ચર ચાલકો તેમજ કુલીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટે તમામ…
બ્રિટનમાં હિન્દુઓને મોટો ઝટકો ચર્ચ-મસ્જિદને જમીન ફાળવાઈ પણ મંદિરને કંઈ ના મળ્યું હિન્દુ સમાજ નોર્થસ્ટોના પ્રમુખે આ ર્નિણય સામે ભારે નિરાશા વ્યક્ત કરી છે અને સમગ્ર પસંદગી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઉઠાવ્યા છે બ્રિટનના કેમ્બ્રિજશાયરમાં વસતા હિન્દુ સમુદાયને મોટો આંચકો લાગ્યો છે, કારણ કે આ વિસ્તારમાં પ્રથમ હિન્દુ મંદિર બનાવવાનું તેમનું વર્ષાે જૂનું સપનું હાલ પૂરતું અધૂરું રહી ગયું છે. સ્થાનિક કાઉન્સિલે ધાર્મિક પ્રવૃત્તિઓ માટે અનામત રાખેલી જમીન હિન્દુ સંગઠનને આપવાને બદલે એક ચર્ચ નેટવર્કને ૯૯૯ વર્ષની લાંબી લીઝ પર સોંપવાનો ર્નિણય કર્યાે છે. આ પ્રોજેક્ટમાં એક મુસ્લિમ સંગઠન પણ ભાગીદાર બનશે, જેને નમાજ પઢવા તેમજ ધાર્મિક શિક્ષણ આપવા માટે…
વિદેશ મંત્રાલયના વાંધાથી મંજૂરી અટકી સલમાનની માતૃભૂમિ સેન્સરમાં અટવાઈ, ચીનમાં પણ વિરોધવંટોળ ફિલ્મ હવે આગામી ઓગસ્ટની રીલિઝ ડેડલાઈન પણ સાચવી શકશે કે કેમ તે અંગે અટકળો સલમાનખાનની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ‘ સેન્સર બોર્ડમાં અટવાઇ હોવાથી તેની રીલિઝ સતત પાછળ ઠેલાઈ રહી છે. હવે આ ફિલ્મ આગામી ઓગસ્ટમાં પણ રીલિઝ થઈ શકશે કે કેમ તે અંગે શંકા સેવાય છે. અગાઉ ‘બેટલ ઓફ ગલવાન’ નામ ધરાવતી ફિલ્મમાં ચીન અંગેના ઉલ્લેખોથી ભારત અને ચીન વચ્ચેના સંબંધો પર અસર પડશે તેમ જણાવી ફિલ્મનું ટાઈટલ તથા અનેક સંવાદો અને દ્રશ્યો બદલવાની ફરજ બદલવાની ફરજ પાડવામાં આવી હોવાનું કહેવાય છે. હવે ફિલ્મનું નામ બદલીને ‘માતૃભૂમિ‘ કરવામાં આવ્યું…
હવે શૂટિંગ શરુ કરવાની તૈયારીઓ મીના કુમારીની બાયોપિકની પટકથા ચાર વર્ષ બાદ આખરે તૈયાર બાદમાં કોઇ કાનુની દાવપેચનો સામનો ન કરવો પડે તે માટે નિર્માતાએ ટ્રેડમાર્કની નોટિસ આપી મીના કુમારીની બાયોપિકની પટકથા તૈયાર થઈ ગઈ છે અને હવે શૂટિંગ માટે તૈયારીઓ શરુ કરાઈ છે. તે પહેલાં નિર્માતાએ મીનાકુમારીના નામ તથા સિનેમેટિક તથા ઓડિયોવિઝ્યુલ ટ્રેડમાર્ક પર પોતાના હક્કો અબાધિત હોવાની નોટિસ પણ આપી છે.નિર્માતાએ જણાવ્યું છે કે મીનાકુમારીના નામ સહિતના ઓડિયોવિઝ્યુલ ઉપયોગ માટે ખાસ ટ્રેડમાર્ક અધિકારો અમારી પાસે છે અને તેંમની પરવાનગી વિના તેનો કોઇ રીતે ઉપયોગ કરવામાં આવશે તો તે ગેરકાયદે ગણાશે અને તેની સામે કાનુની પગલાં ભરવામાં આવી શકે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અમેરિકા-ઇઝરાયેલે ઈરાન સાથે કરેલા યુદ્ધને કારણે છેલ્લા ઘણા સમયથી આપણા દેશની અર્થવ્યવસ્થા સુસ્ત થઈ ગઈ છે. અને એમાં વધુ મંદ પડી ગઈ છે ત્યારે તાકીદે આનો ઈલાજ કરવામાં નહીં આવે તો હાલ જે રીતે મોંઘવારીએ તો ફાટીને ધુમાડે ગઈ જ છે પરંતુ બીજી પણ અનેક સમસ્યાઓ સર્જાશે. બીજું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને લગતી અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર ફરીથી ગતિ પકડે તેવી હાલ કોઈ તાત્કાલિક શક્યતા દેખાતી નથી. મુખ્ય ઉદ્યોગોના વિકાસ દરમાં ઘટાડો અને આવશ્યક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થવા સાથે દેશમાં ઉત્પાદન પ્રવૃત્તિની ગતિ પણ ધીમી પડી છે. વધુમાં નવા બિઝનેસ ઓર્ડર અને આંતરરાષ્ટ્રીય વેચાણમાં…
(છનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજના હડહડતા કળીયુગમાં જ્યાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ભારતના જ એક રાજ્યમાં આજે પણ "રામરાજ્ય" જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તર પૂર્વ ભારતના અતિ સુંદર રાજ્ય નાગાલેન્ડમાં લોકો એટલી હદ સુધી પ્રામાણિક છે કે ત્યાંની સ્થાનિક દુકાનોમાં કોઈ ચોકીદાર કે દુકાનદારની જરૂર પડતી નથી. ગ્રાહકો પોતે દુકાનમાં આવે છે અને પોતાની જરૂરિયાતનો સામાન ખરીદે છે અને પ્રામાણિકતાથી એના પૈસા કેશ બોક્સમાં અથવા ઓનલાઇન સ્કેનર દ્વારા ચૂકવીને ચાલ્યા જાય છે. નાગાલેન્ડમાં નાના ગામડાઓ અને કેટલાક શહેરોમાં આ વ્યવસ્થા ખૂબ જ સામાન્ય છે. અહીં દિવસભર દુકાનો ખુલ્લી રહે છે અને એના…
આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ આવતીકાલે આયોજિત સામૂહિક ઉપવાસના કાર્યક્રમ મુદ્દે પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં નાંખવામાં આવતા થાંભલાના મુદ્દે સહિત અનેક સમસ્યાઓ મુદ્દે ગુજરાતના ખેડૂતો ઘણા લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોને આંશિક રાહત થાય એ રીતની ગઈકાલે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી. પરંતુ ખેડૂતોની જે માંગણીઓ છે અને જમીનના ભાવ ઘટી જવાના પ્રશ્નો છે અને વીજપોલ આવવાથી જે અન્ય પ્રશ્નો ઉભા થશે એના માટે ખેડૂતોની લડત હજુ ચાલુ છે. વધુમાં ધારાસભ્ય હેમંત ખોવાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની આ લડતને અનુલક્ષીને 5 જુલાઈ 2026 અને રવિવારના રોજ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે…
આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન રમેશ મેરે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, આજે ખેડૂતોની લડત રંગ લાવી, ખેડૂત એકતા ઝિંદાબાદ! આજે સરકારે કંઈક ને કંઈક વિચારવું પડ્યું, સરકાર વિચારવા માટે મજબૂર બની ગઈ. એટલા માટે મજબૂર બની, દર વર્ષે થાંભલાના ખાડા ખોદાતા હતા, પણ ખેડૂતોમાં એકતા ન હતી, ખેડૂત આંદોલન નહોતું. એટલે સરકાર, કંપનીઓ અને સરકારમાં બેઠેલા લોકો કંપનીઓ સાથે વાટાઘાટો કરી ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા. પરંતુ આજે જ્યારે ખેડૂતો એક થયા, ખેડૂત નીડર અને લીડર બન્યા, ત્યારે આજે ખેડૂતોના નામે સરકારને જાહેરાત કરવી પડી છે. તેમણે આગળ જણાવ્યું કે, મારે મન તો આ જાહેરાત માત્ર એક…
સભ્યતા માટે મળ્યું આમંત્રણ ઓસ્કાર મતદાન પેનલમાં ફરાહ ખાનનો સમાવેશ ત્રણ દાયકાથી વધુ સમયથી ફરાહ ખાન હિન્દી ફિલ્મ ઉદ્યોગની અગ્રણી કોરિયોગ્રાફર તરીકે કાર્યરત છે બોલિવૂડની જાણીતી ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાને પોતાની કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. એકેડેમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ દ્વારા તેને પ્રતિષ્ઠિત સભ્યપદ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે હવે ફરાહ ખાનને વિશ્વપ્રસિદ્ધ ઓસ્કાર એવોર્ડ્સમાં મતદાન કરવાનો અધિકાર મળશે.આ માહિતી કોરિયોગ્રાફર્સ ગિલ્ડે પોતાનાં ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી. ફરાહ ખાન ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કોરિયોગ્રાફર્સ ક્રિસ્ટોફર સ્કોટ, માર્ગ્યુરાઇટ ડેરિક્સ અને જમાલ સિમ્સને પણ કોરિયોગ્રાફી વિભાગના નવા સભ્યો તરીકે આવકારવામાં…
ચિત્રાંગદા સિંહ હવે ‘માતૃભૂમિ’ સહિત અનેક મોટા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત, સલમાન ખાન સાથે કરશે સ્ક્રીન શેર
ચિત્રાંગદા હવે માતૃભૂમિ સહિત અનેક મોટા પ્રોજેક્ટ્સમાં જાેવા મળશે ચિત્રાંગદા પસંદગીની ફિલ્મો સાથે નવા વ્યસ્ત તબક્કામાં માતૃભૂમિ અને સલમાન ખાન સાથેનો અન્ય પ્રોજેક્ટ તેના માટે આગામી સમયના સૌથી મહત્વના પડાવ બની બોલિવૂડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ વર્ષાેથી પોતાની અલગ ઓળખ બનાવતી ફિલ્મો માટે જાણીતી રહી છે. વધુ ફિલ્મો કરવાની દોડમાં સામેલ થવાને બદલે તે હંમેશા એવી ફિલ્મો પસંદ કરે છે, જેમાં મજબુત વાર્તા અને અર્થપૂર્ણ પાત્ર હોય. હવે તે પોતાના આગામી મહત્વાકાંક્ષી ફિલ્મ ‘માતૃભૂમિ’ને લઈને ચર્ચામાં છે, જેમાં તે સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતી જાેવા મળશે.ચિત્રાંગદાએ અત્યાર સુધી હઝારોં ખ્વાહિશેં ઐસી, યે સાલી જિંદગી, બોબ બિસ્વાસ અને રાત અકેલી હૈ:…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



