Author: Garvi Gujarat

સોનાના ભાવમાં ૫.૭૭ ટકાનો વધારો નોંધાયો સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂપિયા ૭,૮૦૦થી વધુનો વધારો હાલમાં ગોલ્ડ ફ્યુચર્સ આશરે ૧,૪૪,૫૦૦ રૂપિયા પર અને સિલ્વર ફ્યુચર્સ ૨,૨૭,૭૫૦ રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે યુદ્ધના કારણે વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ઘટાડા વચ્ચે આ સપ્તાહે સોનાના ભાવમાં ૫.૭૭ ટકાનો વધારો નોંધાયો છે. શુક્રવારે MCX (મલ્ટી કોમોડિટી માર્કેટ)માં ગોલ્ડ એપ્રિલ વાયદામાં ૦.૧૫ ટકાની વૃદ્ધિ જાેવા મળી હતી, જ્યારે MCX સિલ્વર મે વાયદામાં ૦.૦૯ ટકાનો નજીવો ઘટાડો થયો હતો. હાલમાં ગોલ્ડ ફ્યુચર્સ આશરે ૧,૪૪,૫૦૦ રૂપિયા પર અને સિલ્વર ફ્યુચર્સ ૨,૨૭,૭૫૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના ડેટા…

Read More

સ્થાનિક પુરવઠો જાળવવા અને કિંમતોને સ્થિર કરવા નિર્ણય ૧ એપ્રિલથી અન્ય દેશોને પેટ્રોલ વેચવાનું બંધ કરી દેશે રશિયા પ્રતિબંધ આગામી ચાર મહિના માટે ચાલુ રહેવાની ધારણા રશિયાએ પેટ્રોલના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. રશિયન સરકારે ૨૮ માર્ચે આ જાહેરાત કરી હતી. રશિયન સરકારે જણાવ્યું હતું કે આ ર્નિણય સ્થાનિક પુરવઠો જાળવવા અને કિંમતોને સ્થિર કરવા માટે લેવામાં આવ્યો છે. પુતિનના નેતૃત્વ હેઠળની સરકારનો આ ર્નિણય એવા સમયે આવ્યો છે, જ્યારે ઈરાન યુદ્ધને કારણે વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે, અને સપ્લાય ચેઇન પણ ભારે ખોરવાઈ ગઈ છે. આ નવો ર્નિણય ૧ એપ્રિલ,…

Read More

નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા વડાપ્રધાન મોદી યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો વડાપ્રધાન મોદીએ રિમોટનું બટન દબાવીને જેવર એરપોર્ટનું પહેલા તબક્કાનું ઉદ્ધાટન કર્યું : આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે(૨૮ માર્ચ) ઉત્તરપ્રદેશના જેવરમાં નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. આ એરપોર્ટ દિલ્હી-દ્ગઝ્રઇ વિસ્તારનું બીજું મોટું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બનશે, જેનાથી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર મુસાફરોનો વધતો જતો ભાર ઓછો કરવામાં મોટી મદદ મળશે. કાર્યક્રમની વિગતો મુજબ, વડાપ્રધાને સવારે લગભગ ૧૧:૩૦ વાગ્યે એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ બપોરે ૧૨ વાગ્યે વિધિવત રીતે તેનું લોકાર્પણ કર્યું…

Read More

આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે જે રીતે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર પોલીસ દ્વારા ઠાકોર સહિત પછાત સમાજના લોકો ઉપર અન્યાય કરવામાં આવી રહ્યો છે અને બર્બતા પૂર્વક બેરહેમીથી મારપીટ કરવામાં આવી રહી છે તેમજ ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે, તે ચિંતાજનક બાબત છે. તેમણે જણાવ્યું કે બગદાણા, આણંદ અને તાજેતરમાં રાજકોટની ઘટનાઓ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજકોટમાં સુરેશભાઈ નામના ઠાકોર સમાજના પત્રકાર યુવાનને બેરહેમીથી પોલીસ સ્ટેશનમાં લાવીને ઢોરમાર મારવામાં આવ્યો. સુરેશભાઈનો ગુનો માત્ર એટલો હતો કે તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવતા હતા. રાજકોટના એક…

Read More

રાજકોટમાં કોળી સમાજના યુવાન પર થયેલા અત્યાચાર બાબતે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને જાણીતા ખેડૂત નેતા પ્રવિણ રામ કોળી સમાજના સમર્થનમાં આવ્યા છે. તેમણે એક વીડિયોના માધ્યમથી આ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજકોટમાં કોળી સમાજના યુવાન પર એક આઇપીએસ અધિકારીએ બર્બરતાપૂર્વક અત્યાચાર કર્યો હોય એવી ઘટના સામે આવી છે. આ પીડિત યુવાનના કહેવા મુજબ એ યુવાનને તપાસના નામે બોલાવીને તેને નિર્વસ્ત્ર કરીને ઊંધો લટકાવીને તેના પર અત્યાચાર કરવામાં આવ્યો. ત્રણથી ચાર કલાક સુધી આ કોળી સમાજના યુવક પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. તેની સાથે એ રીતનો પણ અત્યાચાર કરવામાં આવ્યો જેના ઉપર આપણે જાહેરમાં…

Read More

કોળી સમાજના એક યુવાન પર થયેલા અમાનવીય અત્યાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગતરોજ રાત્રે ફેસબૂક લાઈવના માધ્યમથી કડક પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે. એક IPS અધિકારી દ્વારા એક કોળી સમાજના યુવાન પર આ પ્રકારનો બેરહેમ અત્યાચાર કરવામાં આવ્યો છે કે આજે આખું ગુજરાત હચમચી ગયું છે, આ ઘટના ખૂબ જ નિંદનીય અને શરમજનક ઘટના છે. ગુજરાતની બહારથી આવેલા એક અધિકારીએ ગુજરાતના દીકરા પર અત્યંત નિર્દયતાપૂર્વક માર મારીને ખૂબ જ અત્યાચાર કર્યો છે. માહિતી અનુસાર યુવાનને ઊંધો લટકાવીને પટ્ટાથી માર મારવામાં આવ્યો અને તેના કમરથી…

Read More

મોંઘા રો-મટિરિયલ અને ભાડા વધતા ઉદ્યોગકારોની હાલત કફોડી.યુદ્ધને પગલે નિકાસ અટકતાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં કાપડનો ભરાવો.હાલમાં સુરતના કાપડ વેપારીઓ આ સંકટમાંથી ઉગરવા માટે સરકાર પાસે વિશેષ રાહત પેકેજની માંગ કરી રહ્યા છે.યુદ્ધની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસના માર્ગાે અવરોધાતા સુરતના કાપડ બજારમાં ભારે મંદીનો માહોલ છવાયો છે. ખાસ કરીને યુરોપ અને ગલ્ફ દેશોમાં થતી મોટાપાયે નિકાસ હાલ અટકી પડી છે અને ઓર્ડર્સમાં પણ ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે. આ પરિસ્થિતિને કારણે સુરતના વેપારીઓ પાસે તૈયાર કાપડનો સ્ટોક સતત વધી રહ્યો છે. આ સ્થિતીમાં અનેક ઉદ્યોગકારોએ ઉત્પાદનમાં કાપ મૂકવાની ફરજ પડી છે. નવી પ્રોડક્શન સાયકલ ખોરવાતા આખા ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું…

Read More

નવી બાલેન શાહ સરકારની કડક એક્શન.નેપાળના પૂર્વ વડાપ્રધાન કે. પી. ઓલીની ધરપકડ કરાઈ.આ ધરપકડ પાછળ ગત વર્ષે સપ્ટેમ્બરમાં થયેલા ‘Gen Z’ આંદોલનના હિંસક વળાંકને જવાબદાર માનવામાં આવે છે.નેપાળના રાજકારણમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર જાેવા મળ્યો છે. નવી રચાયેલી બાલેન શાહ સરકારે સત્તા સંભાળતાની સાથે જ આક્રમક વલણ અપનાવ્યું છે. વડાપ્રધાન બાલેન શાહના નેતૃત્વમાં મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવાયેલા કઠોર ર્નિણય બાદ, પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ધરપકડ કરવામાં આવી છે.આ ધરપકડ પાછળ ગત વર્ષે સપ્ટેમ્બરમાં થયેલા ‘ય્ીહ ઢ’ આંદોલનના હિંસક વળાંકને જવાબદાર માનવામાં આવે છે. આંદોલન દરમિયાન નિ:શસ્ત્ર વિદ્યાર્થીઓ પર થયેલા ગોળીબારમાં અનેક યુવાનોના…

Read More

હુમલા બાદ ઈરાનની સૈન્ય પાંખ IRGC એ વળતો પ્રહાર કરવાની જાહેરાત કરી.અમેરિકાએ ઈઝરાયલ સાથે મળી ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો.વળતા હુમલાની ભીતિને પગલે ઈરાને ઔદ્યોગિક વિસ્તારોની ૧ કિમીની ત્રિજ્યામાં રહેતા નાગરિકોને ઘર ખાલી કરવા આદેશ આપ્યો છે.મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના સરકારી મીડિયાના દાવા મુજબ, ઈરાનના અત્યંત સંવેદનશીલ ગણાતા ખૌંદાબ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં હેવી-વોટર રિએક્ટર અને યલોકેક પ્રોડક્શન પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યા છે.ઈરાનના અત્યંત સંવેદનશીલ ગણાતા ‘ખૌંદાબ’ ન્યુક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા આ…

Read More

બાહુબલી અને ધુરંધરની સફળતા બાદ ર્નિણય.પ્રિયંકા ચોપરાની વારાણસી ફિલ્મ પણ બે ભાગમાં રજૂ કરાશે.હૈદરાબાદમાં ઊભાં કરાયેલાં વારાણસી શહેરના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા.પ્રિયંકા ચોપરા તથા મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન સહિતના કલાકારોની ફિલ્મ ‘વારાણસી’ પણ ‘બાહુબલી’ અને ‘ધુરંધર’ જેમ બે ભાગમાં રજૂ કરાય તેવી શક્યતા છે. ફિલ્મ સર્જક એસ.એસ. રાજામૌલીએ ખુદ ‘બાહુબલી’થી આ ટ્રેન્ડ સેટ કર્યાે હતો. હવે ‘ધુરંધર’ની સફળતા બાદ તેમણે આ ટ્રેન્ડને આગળ વધારવા નક્કી કર્યું હોવાનું કહેવાય છે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મનું કથાવસ્તુ એટલા વિશાળ ફલક પર છે કે તેને ત્રણથી ચાર કલાકની એક ફિલ્મમાં સમેટી શકાય તેમ નથી. દરમિયાન, આ ફિલ્મ માટે…

Read More