Author: garvigujrat

અમેરિકન પાસપોર્ટને મોટો ઝટકો લાગ્યો.વિશ્વના ૧૦ સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાંથી અમેરિકાનું ‘નામો નિશાન’ નહીં.અમેરિકન પાસપોર્ટ હવે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સની વિશ્વના ટોચના ૧૦ સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ૧૨મા સ્થાનેટેરિફ દ્વારા આતંકને ઉશ્કેર્યા પછી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે વૈશ્વિક શાંતિ નિર્માતા તરીકે પોતાને રજૂ કરી રહ્યા છે. ટ્રમ્પે તાજેતરમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો શ્રેય લીધો હતો અને ભારત-પાકિસ્તાન સંઘર્ષ સહિત સાત યુદ્ધો બંધ કરવાનો દાવો કર્યો હતો. જાેકે, ભારતે ટ્રમ્પના દાવાઓને સતત નકારી કાઢ્યા છે. દરમિયાન, ટ્રમ્પને ભારે મોટો ઝટકો લાગ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત, યુએસ પાસપોર્ટ વિશ્વના ટોચના ૧૦ સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાંથી નીચે આવી ગયો છે. ૨૦…

Read More

વિવિધ શો-રૂમમાં લોકો ખરીદવા ઉમટયા.સોના-ચાંદીનાં વેપારીઓને ગુરુ પુષ્ય નક્ષત્ર ફળ્યું.આગામી દિવસોમાં આવી રહેલા ધનતેરસના દિવસે પણ આવી જ ખરીદી જાેવા મળશે તેવી પણ વેપારીઓને આશા છ.હાલ સોના-ચાંદીનાં ભાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, તેની વચ્ચે પણ લોકોએ આજે ગુરુપુષ્યામૃત નક્ષત્રને ધ્યાને લઈને સોના-ચાંદીના આભૂષણોની ધૂમ ખરીદી કરતાં મોટાભાગના શોરૂમોમાં ગ્રાહકોની સવારથી જ ભીડ જાેવા મળી હતી. લોકોએ ઘરેણાની ખરીદી કરવાની સાથે સાથે રોકાણ માટે પણ ગિની સહિતની ખરીદી કરીને શુકન સાચવી લેતાં સોના-ચાંદીનાં વેપારીઓને ગુરુ પુષ્ય નક્ષત્ર ફળ્યું છે. આગામી દિવસોમાં આવી રહેલા ધનતેરસના દિવસે પણ આવી જ ખરીદી જાેવા મળશે તેવી પણ વેપારીઓને આશા છે. ભુજના વેપારીઓના જણાવ્યા…

Read More

દોહાથી હોંગકોંગ જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ.કતાર એરવેઝની ફ્લાઈટમાં ખામી સર્જાતા અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ.એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી.અમદાવાદ એરપોર્ટ પર દોહાથી હોંગકોંગ જતી કતાર એરવેઝની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફ્લાઈટમાં ખામી સર્જાતા આજે બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગનો કોલ મળતાંની સાથે જ ચાંદખેડા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ પણ ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ પર સ્ટેન્ડ બાય કરી દેવાઈ હતી. હાલમાં ફ્લાઈટમાં સર્જાયેલી ટેકનિકલ ખામી શું છે તેની તપાસ શરૂ કરવામાં…

Read More

વિવાદોની વચ્ચે સરકારે લીધો મોટો ર્નિણય.કેરળની સ્કૂલોમાં વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાની છૂટ આપવામાં આવી.કેરળના શિક્ષા મંત્રી વી. શિવન કુટ્ટીએ આ મામલે આદેશ આપ્યો જેમાં તેમણે વિદ્યાર્થીઓને હિજાબ પહેરવાની છૂટ આપી છે.કેરળમાં હવે વિદ્યાર્થીનીઓ સ્કૂલમાં હિજાબ પહેરીને જઈ શકશે. એક વિદ્યાર્થીનીએ હિજાબ પહેર્યો હતો જેને લઈને રાજ્યમાં મોટા પાયે વિવાદ થયો હતો. જાેકે હવે આ વિવાદ બાદ રાજ્ય સરકાર દ્વારા મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં શાળામાં હવે વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાની અનુમતિ આપી દેવામાં આવી છે. સમગ્ર મામલે કેરળના શિક્ષા મંત્રી વી. શિવન કુટ્ટીએ આ મામલે આદેશ આપ્યો જેમાં તેમણે વિદ્યાર્થીઓને શાળામાં હિજાબ પહેરવાની છૂટ આપી છે. કેરળના શિક્ષણમંત્રી દ્વારા સ્કૂલની દરેક…

Read More

સુરીલા અવાજની માલકિન રાનુ મંડલ અત્યંત ગરીબીમાં દિવસો કાઢવા મજબુર બની.૨૦૨૦ માં રિલીઝ થયેલી હિમેશ રેશમિયાની ફિલ્મ “હેપ્પી હાર્ડી એન્ડ હીર” માં પણ રાનુએ એક ગીત ગાયું હતુ.તમને રાનુ મંડલ યાદ છે? રેલ્વે સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત ગાયા બાદ તે રાતોરાત વાયરલ થઈ ગઈ. દેશભરના લોકો તેને મળવા અને તેનો અવાજ રેકોર્ડ કરવા માટે ઉમટી પડ્યા. બાદમાં, હિમેશ રેશમિયાએ તેને પોતાની ફિલ્મમાં ગાવાની તક આપી, અને તે અનેક રિયાલિટી શોમાં પણ જાેવા મળી. તે ઝડપથી એક સેલિબ્રિટી ગાયિકા બની ગઈ, રાતોરાત અપાર ખ્યાતિ અને ઓળખ મેળવી. પરંતુ આજે, રાનુ મંડલની હાલત હૃદયદ્રાવક છે. તે જે હાલત અને ઘરમાં રહે…

Read More

કંગનાની ક્વીન ટુ ફિલ્મ અટકી પડશે.ક્વીનનો સર્જક વિકાસ બહલ અલીઝેહ અને રાઘવ સાથે ફિલ્મ બનાવશે.રાઘવ જુયાલને વધુ એક ફિલ્મ મળી : સલમાનની ભાણેજ હોવા છતાં અલીઝેહની કેરિયર ચાલી નથી. કંગના રણૌતને લઈ ‘ક્વીન’ ફિલ્મ બનાવનારા વિકાસ બહલે હવે ‘ક્વીન ટુ’નો પ્રોજેક્ટ થોડા સમય માટે પડતો મૂકી દીધો છે અને તેને બદલે તેણે સલમાન ખાનની ભાણેજ અલીઝેહ અગ્નિહોત્રી તથા એક્ટર રાઘવ જુયાલ સાથે નવી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મ ળેન્ચ-બેલ્જિયમ ફિલ્મ ‘લા ફેમિલી બેલિયર’નું હિંદી રુપાંતર હશે. તેમાં એક બધિર પરિવારની યુવતી રોજિંદા સંઘર્ષ સાથે ગાયિકા બનવાના પ્રયાસો કરે છે તેવી વાર્તા હતી. સંજય લીલા ભણશાળીએ મનીષા કોઈરાલા સાથે…

Read More

ફિલ્મ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મના હિન્દી રિમેકમાં અક્ષય કુમાર કામ કરશે.અહેવાલ મુજબ અક્ષય કુમાર દક્ષિણ અભિનેતા વેંકટેશની તેલુગુ ફિલ્મની હિન્દી રિમેકમાં કામ કરી શકે છ.બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર આગામી દિવસોમાં ઘણી શાનદાર ફિલ્મોમાં જાેવા મળવાના છે. તેમની પાસે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો છે, જેમાં ભૂત બાંગ્લા, હૈવાન અને હેરા ફેરી ૩નો સમાવેશ થાય છે. હવે, તેમની યાદીમાં વધુ એક મોટો પ્રોજેક્ટ ઉમેરાયો છે. અહેવાલો સૂચવે છે કે અક્ષય કુમાર દક્ષિણ અભિનેતા વેંકટેશની તેલુગુ ફિલ્મની હિન્દી રિમેકમાં કામ કરી શકે છે. ફિલ્મ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે અક્ષય કુમાર…

Read More

દીપક તિજાેરીએ મને ગાલ પર ચુંબન કર્યું હતુ : ફરાહ.જાે જીતા વોહી સિકંદર’માં ફરાહને કિસ કરવાની ફી મળી જ નહી.ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તેના વ્લોગ્સ ખૂબ જ લોકપ્રિય છે. તે તેના રસોઈયા દિલીપ સાથે શો બનાવે છે, જેમાં તેઓ મોટી સેલિબ્રિટીઓના ઘરે જાય છે અને તે તેમના માટે શ્રેષ્ઠ વાનગીઓ બનાવે છે. ફરાહ ખાને તાજેતરમાં ગાયક શાનના ઘરે મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ તેમના જૂના દિવસોની યાદ તાજી કરી હતી. આ દરમિયાન, ફરાહે ફિલ્મ ‘જાે જીતા વોહી સિકંદર’…

Read More

વન્યજીવોના રક્ષણ માટે વન વિભાગની કડક કાર્યવાહી વન્ય પ્રાણીના અવશેષોના ગેરકાયદેસર હેરફેર અંગે ખાનગી બાતમીના આધારે વલસાડ વન વિભાગની ટીમે સ્વતંત્ર પંચોની હાજરીમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન અજય માંદા પટેલ (રહે. નવેરા, તા. વલસાડ) ના નિવાસસ્થાને તપાસ કરતા દીપડો (Leopard, Panthera pardus), જે કે વન્યજીવ સુરક્ષા અધિનિયમ, 1972 (સુધારા 2022) ની અનુસૂચિ–1 હેઠળ સંરક્ષિત પ્રાણી છે, તેનું ચારેય પંજા કપાયેલ ચામડું મળી આવ્યું. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે અજય પટેલે આ ચામડું સુરેશભાઈ કાશીનાથ ભાઈ વંજારા , ઉંમર ૪૧ વર્ષ, રહે માલઘર ,કાસદા ફળિયું તા.કપરાડા જી. વલસાડ, રહે. કપરાડા પાસેથી વેપાર હેતુસર મેળવ્યું હતું. વધુ પૂછપરછ કરતા સુરેશભાઈએ…

Read More

રેલવેસંરચનામાં સંરક્ષાસર્વોપરી છે અને તેને સુનિશ્ચિત કરવામાં દરેક કર્મચારીની તકેદારી અને તત્પરતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી વિવેકકુમાર ગુપ્તાએ અમદાવાદ ડિવિઝનના બે કર્મચારીઓ ને તેમના ઉત્તમ કાર્ય અને સંરક્ષા પ્રત્યેના સમર્પણ બદલ સંરક્ષા પુરસ્કારોથી સન્માનિત કર્યા. આપુરસ્કારો સપ્ટેમ્બર 2025 માં ફરજ દરમિયાન સતર્કતા દર્શાવવા અને શક્ય અકસ્માતોને સમયસર ટાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ આપવામાં આવ્યા. તારીખ 20 સપ્ટેમ્બર 2025 ના રોજ સ્ટેશન માસ્ટર શ્રીઅજયકુમાર જૈસવાલ સાબરમતી સ્ટેશન પરરાત્રે 22:00 થી સવારના 06:00 વાગ્યા સુધીની શિફ્ટમાં ફરજ પર હતા. જ્યારે ટ્રેન 04:50 વાગ્યે સ્ટેશનથી પસાર થઈ રહી હતી, ઓલરાઈટ એક્સચેન્જ દરમિયાન શ્રી જૈસવાલે ટ્રેનના પાછળના લોકો મોટિવનંબર…

Read More