- ટ્રમ્પની કડક ચેતવણી બાદ ઈરાનનો જવાબ, અમેરિકા કાર્યવાહી બંધ કરે ત્યાં સુધી વાતચીત નહીં
- મુંબઈની તાજ હોટેલને બોમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કંઈ શંકાસ્પદ ન મળ્યું; પોલીસ એલર્ટ
- સરગવાળામાં ગેસ પાઇપલાઇન વિરોધી ખેડૂત આંદોલન નવમા દિવસે, AAPએ લેખિત બાંહેધરીની માંગ કરી
- ભારે વરસાદ બાદ સુરતમાં રોગચાળાનો ભય, 7,000 સફાઈ કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવાની માંગ
- સુરતમાં ખાડીઓ પરના ગેરકાયદે દબાણો અને ભ્રષ્ટાચારથી પૂર સમસ્યા વકરી, કાર્યવાહી કરવાની માંગ
- કપાસ ક્રાંતિ મિશન ખેડૂતો નહીં, ભાજપના મળતિયાઓને ફાયદો પહોંચાડવાની યોજના: AAPનો આક્ષેપ
- मुंबई के वरिष्ठ साहित्यकार डॉ. दिनेश प्रताप सिंह को लखनऊ में कृष्ण प्रताप सिंह स्मृति राष्ट्रीय सम्मान
- અમિત શાહના હસ્તે અમદાવાદમાં 1.25 કરોડ વૃક્ષારોપણ, ₹405 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
Author: Garvi Gujarat
બોલિવૂડ વિલનનું દર્દ છલકાયું અમિતાભ બચ્ચન સાથે ગ્રાન્ડ ડેબ્યૂ છતાં ટીવી સિરિયલોમાં પણ કામ ન મળ્યું! ‘અક્સ’ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી અને તેના કારણે મારા કરિયર પર બ્રેક લાગી ગઈ : અભિમન્યુ ફિલ્મ ‘રક્ત ચરિત્ર’માં વિલન ‘બુક્કા રેડ્ડી’ના ખતરનાક રોલથી ફેમસ થયેલા એક્ટર અભિમન્યુ સિંહ આજે બોલિવૂડ અને સાઉથ સિનેમાનું એક જાણીતું નામ છે. જાેકે, તેના માટે સફળતાનો આ રસ્તો બિલકુલ આસાન નહોતો. ઇન્ડસ્ટ્રીમાં ન તો તેમનો કોઈ ગોડફાધર હતો કે ન તો કોઈ ઓળખાણ. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેણે પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, કરિયરની શરૂઆતમાં જ સદીના મહાનાયક…
વાપીના સરીગામમાં ગોડાઉનમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો પોલીસે ભંગારના ગોડાઉનમાં દરોડો પાડી ૨.૩૭૭ કિલો પ્રતિબંધિત મેફેડ્રોન તેમજ ૦.૬૫૮ કિલો શંકાસ્પદ માદક પદાર્થ કબ્જે કર્યો છે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સરીગામ વિસ્તારમાં ગુજરાત ATS અને વલસાડ SOG સંયુક્ત ઓપરેશન કરીને ગેરકાયદેસર મેફેડ્રોન બનાવતી અને વેચતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ભંગારના ગોડાઉનમાં દરોડો પાડી ૨.૩૭૭ કિલો પ્રતિબંધિત મેફેડ્રોન તેમજ ૦.૬૫૮ કિલો શંકાસ્પદ માદક પદાર્થ કબ્જે કર્યો છે. ગુજરાત ATS ને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ATS ના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરીને માહિતી મળી હતી કે સરીગામ ખાતે રાજેશ મોર્યા અને તેના સાગરિતો અબ્દુલ કલામ…
કિલ્લા-મસ્જિદ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું કસમંડી કિલ્લા-મસ્જિદ વિવાદમાં પ્રશાસનનો મોટો ર્નિણય લખનઉના કસમંડીમાં કિલ્લા-મસ્જિદ વિવાદને કારણે પ્રશાસને બકરીઈદની નમાઝ પર પ્રતિબંધ મૂક્યો છે ઉત્તર પ્રદેશના લખનઉના કસમંડી વિસ્તારમાં આવેલા કિલ્લા-મસ્જિદ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. બકરીઈદના તહેવાર પહેલા પ્રશાસને એક મોટું પગલું ભરતા વિવાદિત સ્થળ પર નમાઝ અદા કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રશાસનનું કહેવું છે કે આ ર્નિણય કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ કોઈપણ સંભવિત તણાવને રોકવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે. આ ર્નિણય બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. પ્રશાસનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિવાદિત સ્થળને લઈને છેલ્લા કેટલાક દિવસોથી…
તમિલનાડુના CM વિજયની મોટી જાહેરાત ૧૪ લાખથી વધારે ખેડૂતોની ૫૦ હજાર સુધીની લોન માફ કરી તમિલનાડુમાં નવી બનેલી ટીવીકે સરકારનું આ પગલું વિધાનસભા ચૂંટણી દરમિયાન કરેલા ચૂંટણીના વાયદામાં સામેલ હતું તમિલનાડુના મુખ્યમંત્રી સી. જાેસેફ વિજયે ખેડૂતો માટે મોટું પગલું ભર્યું છે. થલપતિ વિજયે સોમવારે તમિલનાડુના સીમાંત ખેડૂતો માટે સહકારી બેન્કોમાંથી લીધેલી ૫૦,૦૦૦ રૂપિયા સુધીની લોનને માફ કરવાની ઘોષણા કરી છે. તેની સાથે જ રાજ્યના મોટા ખેડૂતો માટે પણ ૫૦૦૦ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ર્નિણયથી રાજ્યના ૧૪.૨૨ લાખ ખેડૂતોને લાભ મળશે અને સરકાર પર ૨૦૪૪ કરોડનો વધારાનો આર્થિક બોજ આવશે. તમિલનાડુમાં નવી બનેલી…
કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ દિલ્હી જિમખાના ખાલી કરાવવાના આદેશ પર HC ની લાલઆંખ જાે ક્લબ ૫ તારીખે સ્વેચ્છાએ ખાલી ન કરે તો પણ, ખાલી કરાવવા માટેની કાનૂની પ્રક્રિયાનું પાલન ન થાય ત્યાં સુધી કબજાે લેવામાં આવશે નહીં દિલ્હી હાઈકોર્ટે લુટિયન્સના દિલ્હીના હૃદયમાં સ્થિત જીમખાના ક્લબ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન, કેન્દ્રએ જણાવ્યું હતું કે, સરકાર બદલામાં જમીનનો બીજાે ટુકડો ઓફર કરી શકે છે. સરકારે ૨૨ મેના રોજ ક્લબને નોટિસ મોકલી હતી. જેમાં ૫ જૂન સુધીમાં જમીન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેને ક્લબે હાઇકોર્ટમાં પડકાર્યો છે. સુનાવણી દરમિયાન, ક્લબ વતી દલીલ કરતા વરિષ્ઠ વકીલ…
પીરિયડ્સના કારણે દીકરીઓનું ભણતર ન બગડવું જાેઈએ : સુપ્રીમ કોર્ટે અગાઉ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને આ દિશાનિર્દેશો લાગુ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો શાળાઓમાં ભણતી દીકરીઓના સ્વાસ્થ્ય અને સુવિધાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે એક ખૂબ જ મહત્ત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક સૂચના આપી છે કે આગામી ૧૫ ઓગસ્ટ સુધીમાં દરેક શાળામાં માસિક ધર્મ સ્વચ્છતા (મેન્સ્ટ્રૂઅલ હાઇજીન)ને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે. આ વ્યવસ્થા ગોઠવ્યા બાદ સરકારે તેના પાલનનો રિપોર્ટ પણ કોર્ટમાં જમા કરાવવો પડશે, જેથી દીકરીઓને શાળાઓમાં કોઈ તકલીફ ન પડે અને તેઓ વિના સંકોચે પોતાનો અભ્યાસ ચાલુ રાખી…
૩ ધર્મોનું કેન્દ્ર બનાવવાની ચર્ચાથી ખળભળાટ અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલનો ગુપ્ત માસ્ટરપ્લાન આ પરિસરમાં યહૂદીઓને સમાન અધિકાર અને મોટા સમૂહમાં સત્તાવાર રીતે પ્રાર્થના કરવાની મંજૂરી આપવાની વાત છે યરૂસલેમમાં આવેલી મુસ્લિમોની પવિત્ર અલ-અક્સા મસ્જિદના ભવિષ્યને લઈને એક આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટમાં સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે. મિડિલ ઈસ્ટ આઈના અહેવાલ અનુસાર, અમેરિકા અને ઇઝરાયલ મળીને આ મસ્જિદ પરથી જાેર્ડનની સદીઓ જૂની સંરક્ષક તરીકેની ભૂમિકા ખતમ કરવાની યોજના બનાવી રહ્યા છે. જાેકે, આ વિવાદ સામે આવ્યા બાદ અમેરિકાએ સત્તાવાર રીતે આ અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવીને ફગાવી દીધા છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર અને ઇઝરાયલમાં…
અમિત શાહનું મેગા અભિયાન શરૂ ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કેન્દ્રનો મોટો એક્શન પ્લાન ગેરકાયદેસર ઘૂસણખોરી અને અન્ય અકુદરતી કારણોસર દેશમાં વસ્તીનું સંતુલન બદલાઈ રહ્યું છે, જે ભવિષ્ય માટે ગંભીર પડકાર બની શકે છે કેન્દ્ર સરકારે દેશમાં ગેરકાયદેસર સ્થળાંતર અને તેના કારણે થતા વસ્તી વિષયક ફેરફારોને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ મંગળવારે જાહેરાત કરી કે કેન્દ્ર સરકારે આ મુદ્દાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. સરકારનું માનવું છે કે ગેરકાયદેસર ઘૂસણખોરી અને અન્ય અકુદરતી કારણોસર દેશમાં વસ્તીનું સંતુલન બદલાઈ રહ્યું છે, જે ભવિષ્ય માટે ગંભીર પડકાર બની શકે છે. આ સમિતિની રચના…
સુરતમાં મોંઘવારીનો ડામ દાળના ભાવમાં વધારો થતાં મધ્યમવર્ગ પિસાયો તુવેરથી લઈને મગ-ચણાની દાળમાં પ્રતિ કિલો ૧૫થી ૩૦નો તોતિંગ ઉછાળાએ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું સુરત શહેરમાં પેટ્રોલ-ડીઝલ, શાકભાજી અને દૈનિક વપરાશની ચીજવસ્તુઓના અસહ્ય ભાવવધારાથી ત્રસ્ત સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો વધુ એક પ્રહાર થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક કરિયાણા બજારમાં તુવેર, મગ, ચણા અને અડદ સહિતની તમામ દાળના ભાવમાં ભડકો થતાં મધ્યમવર્ગીય પરિવારોના રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, સુરતમાં મોટા પ્રમાણમાં દાળનો જથ્થો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવે છે. પરંતુ ડીઝલના ભાવ વધવાને કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચ અને ટ્રક ભાડામાં હજારો રૂપિયાનો વધારો થયો છે. સાથોસાથ બહારના રાજ્યોમાંથી આવક…
વેકેશનના માહોલ વચ્ચે માતમ! સુરતના મહુવેજ ગામે દાદાની નજર સામે તળાવમાં બે પૌત્ર ડૂબ્યાં માંગરોળ તાલુકાના મહુવેજ ગામના તળાવમાં બે કિશોરો દાદા સાથે મારીમારી કરવા ગયા હતા ઉનાળાની ઋતુમાં અને વેકેશનના માહોલ વચ્ચે નદી-તળાવ કે ડેમમાં ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતના માંગરોળમાં બે સગા સગીર ભાઈઓના તળાવમાં ડૂબ જવાથી મોત નીપજ્યા છે. દાદા સાથે માછીમારી કરવા જતાં દુર્ઘટના ઘટી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ, માંગરોળ તાલુકાના મહુવેજ ગામના તળાવમાં બે કિશોરો દાદા સાથે મારીમારી કરવા ગયા હતા. આ દરમિયાન બંને કિશોરો તળાવના પાણીમાં પડ્યા હતા. જાેતજાેતામાં બંને સગીર તળાવના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



