
- મુંદ્રા અને મેંગલોર પોર્ટ પર સાઉદી LPG ૪૮,૦૦૦ ટન ખાલી, રાંધણ ગેસ સપ્લાય મજબૂત
- નવસારીથી સુરત ડાયમંડ બુર્સ માટે નવી બસ સેવા શરૂ, હીરા કારીગરોને રોજિંદા મુસાફરીમાં રાહત
- બહેરીનમાં ૬૦% શિયા નારાજ, અમેરિકાના ફિફ્થ ફ્લીટ મથક પર યુદ્ધ પ્રભાવથી તણાવ વધ્યો
- ગુજરાતમાં લોકડાઉનની અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી, પુરતી ગેસ-ખાતર-ઇંધણ સ્ટોકની વ્યવસ્થા – હર્ષ સંઘવી
- કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ શાહિદુલ્લાહ મુનશીનું નામ મતદાર યાદીમાં ગાયબ – બે વાર ડોક્યુમેન્ટ સબમિટ છતાં નોંધાયો નહીં
- સોનાના ભાવમાં ૫.૭૭% વધારો, ગોલ્ડ ફ્યુચર્સ ૧,૪૪,૫૦૦ રૂ. અને સિલ્વર ૨,૨૭,૭૫૦ રૂ.
- રશિયાએ પેટ્રોલ નિકાસ પર પ્રતિબંધ લાદ્યો: સ્થાનિક પુરવઠો માટે ૧ એપ્રિલથી ચાર મહિના માટે રોકાણ
- નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન: વડાપ્રધાન મોદીએ કહ્યું – યુદ્ધથી વિશ્વ પરેશાન, અફવાઓથી દૂર રહો
Author: Garvi Gujarat
એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.801, ચાંદીમાં રૂ.2512 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.5ની નરમાઇ કોમોડિટી વાયદાઓમાં રૂ.23059.27 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.156225.5 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17892.30 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39911 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.179287.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.23059.27 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.156225.5 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 39911 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1595.95 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17892.30 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.160769ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.161233 અને…
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ જણાવ્યું હતું કે આજે ગોંડલમાં ભગતપુરા પાર્ક ખાતે આવેલા સરસંગ પાર્કમાં રોડ,રસ્તા અને પાણીના પ્રશ્નો સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. આ પ્રશ્નો જીગીશાબેન પટેલ સુધી પહોંચ્યા હતા અને તેઓ સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા ત્યાં ગયા હતા. તે દરમિયાન અમુક તત્વો દ્વારા તેમની પર હુમલો કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને મોટી મોટી ગ્રાન્ટ મળવા છતાં પણ ત્યાં સ્થાનિક લોકોને મૂળભૂત સુવિધાઓ મળી રહી નથી. પ્રશ્નો હલ થતા નથી. અને જ્યારે કોઈ નેતા સ્થાનિક લોકોના પ્રશ્નો હલ કરવાની ભાવના સાથે આગળ વધે છે, ત્યારે આવી રીતે હુમલા કરાવવામાં આવે છે. હું આ…
આમ આદમી પાર્ટીના દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અમે વિધાનસભા ગૃહ સમક્ષ જણાવ્યું કે જે પણ રોડ નિર્માણના કામો જયારે અમારા જંગલના વિસ્તારમાં થતા હોય છે, ત્યારે વન વિભાગ દ્વારા અલગ અલગ કારણો બતાવીને એનઓસી આપવામાં આવતી નથી અને રોડના કામકાજને અટકાવી દેવામાં આવે છે. ઘણી જગ્યાએ કોન્ટ્રાક્ટરોના વાહનોને પણ જપ્ત કરવામાં આવેલા છે અને લાખોના દંડ પણ ફટકારવામાં આવ્યા છે. જીતગઢથી જુનારાજ જતો જે રસ્તો છે તેને 2020-21થી મંજૂર કરવામાં આવેલ છે, છતાં પણ તેનું કામ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવા દેવામાં આવતું નથી. માટે અમે ગૃહમાં રજૂઆત કરી…
વિધાનસભામાં ખેડૂતોના મુદ્દે રજૂઆત કરવા અંગે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરી, 2026ના વિધાનસભાના દિવસે નાણામંત્રીએ બજેટ સાથે પૂરક બજેટ પણ રજૂ કર્યું હતું. આજનો દિવસ પૂરક માંગણીઓ પર ચર્ચાનો હતો. ચર્ચા દરમિયાન નાણામંત્રીએ તથા સરકાર તરફના અન્ય આગેવાનોએ સરકારની વાહવાહી કરતાં નિવેદનો આપ્યા કે ભાજપ સરકારે ખેડૂતોને માવઠામાં ખૂબ સહાય આપી અને તેમને આબાદ કરી દીધા વગેરે પ્રકારની વાતો ગૃહમાં કરવામાં આવી. પરંતુ મેં મારા વિસાવદર મતવિસ્તારના ખેડૂતોના પ્રશ્નો રજૂ કર્યા. માવઠા દરમિયાન થયેલ નુકસાનમાં અનેક કિસ્સાઓમાં ફોર્મ ભરાયા નથી, કેટલાક કિસ્સાઓમાં ફોર્મની પહોંચ આપવામાં આવી નથી, તો ક્યાંક ઈરાદાપૂર્વક સરકારના…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, પરિવર્તન લાવો અને કિસાન બચાવોના બેનર હેઠળ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રવીણ રામ દ્વારા આજે 24 ફેબ્રુઆરીથી સોમનાથના ભગવાન મહાદેવના ધામથી “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા”ની શરૂઆત થઈ છે. ગુજરાતના ખેડૂતોના દેવા માફ થાય, ટ્રેડ ડીલ રદ્દ થાય, કડદા પ્રથા રદ્દ થાય તથા ખેડૂતોને વીમા યોજના હેઠળ પોતાની નુકસાનીને સહાય મળે તેને લઈને આ યાત્રાની શરૂઆત થઈ છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો શ્રમિકો, ભાગિયાઓ, ખેતમજૂરો…
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત સોમનાથથી કરવામાં આવી. યાત્રાની શરૂઆત પહેલાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને આશીર્વાદ લીધા અને ત્યારબાદ AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેની પ્રથમ સભા ઘૂંસીયા ગામે યોજાઇ હતી. આ તકે સભાને સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ખેડૂત હિત અને યુવાનોના અધિકારો માટે શરૂ કરવામાં આવેલી આ યાત્રા સંઘર્ષ અને સંકલ્પની યાત્રા છે. તેમણે જણાવ્યું કે ૧૦૮ દિવસની તપશ્ચર્યા પૂર્ણ કરીને…
આમ આદમી પાર્ટીના નેતા પર ભાજપ દ્વારા હુમલો કરવામાં આવતા આપ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જીગીશાબેન પટેલ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એમનો વાંક માત્ર એટલો હતો કે ગોંડલમાં લોકોની ફરિયાદ સાંભળવા માટે જ્યારે લોકોએ તેમને બોલાવ્યા, ત્યારે તેઓ ત્યાં ગયા હતા. તેમણે ભાજપના કોર્પોરેટરને બોલાવી આ મુદ્દા પર રજુઆત કરી હતી.આજે ગુજરાતમાં ભાજપના નેતાઓનો અહંકાર એટલો વધી ગયો છે કે તેઓને હવે લોકોની વાત સાંભળવી પણ ગમતી નથી. કોઈ સવાલ પૂછે, કોઈ તેમના કામ અંગે પ્રશ્નો કરીને તેમને ઘેરવાની કોશિશ કરે તો તેઓ સહન કરી શકતા નથી.…
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત સોમનાથથી કરવામાં આવી. યાત્રાની શરૂઆત પહેલાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને આશીર્વાદ લીધા અને ત્યારબાદ AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં શરૂ થઈ છે. યાત્રાના પ્રારંભ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો, કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોમાં આ યાત્રાને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા…
આમ આદમી પાર્ટીના કચ્છ (પૂર્વ) પ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે POCSO, એટલે કે 18 વર્ષથી નાની ઉંમરના બાળકો સાથે શારીરિક શોષણનો કાયદો. બાળકો સાથે થતા બળાત્કાર, કિડનેપિંગ અને શારીરિક અડપલા એ ફક્ત કોઈ ગુનો નથી પરંતુ એ આપણી કાનૂન વ્યવસ્થા પર મોટો કાળો ડાઘ છે. આંકડાઓ અનુસાર 5135 POCSOના કેસો પેન્ડિંગ છે. અમદાવાદ મેટ્રોસિટીમાં દર મહિને 25 બળાત્કારની ઘટનાઓ, 11 શારીરિક અડપલાઓની ઘટનાઓ અને 16 અપહરણની ઘટનાઓ મહિલાઓ વિરુદ્ધ ઘટે છે. વધુમાં AAP નેતા ડો. કાયનાત અન્સારી આથાએ જણાવ્યું હતું, જે સરકાર કહે છે કે “બેટી બચાવો બેટી…
આશરે ૧૨,૨૩૬ કરોડના કુલ ૮ મોટા ર્નિણયો પર મહોર સેવા તીર્થ ખાતે આયોજિત પ્રથમ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવાયા ઐતિહાસિક ર્નિણયો કેરળનું નામ બદલીને ‘કેરલામ‘ કરવાના પ્રસ્તાવ સહિત અમદાવાદ મેટ્રો અને રેલવે પ્રોજેક્ટ્સ માટે કરોડોની ફાળવણી વડાપ્રધાનના નેતૃત્વમાં આજે સેવા તીર્થ ખાતે પ્રથમવાર કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં આગામી ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના ‘સેવા સંકલ્પ‘ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, આ બેઠક માત્ર વહીવટી પ્રક્રિયા નથી પરંતુ નવા ભારતના ભવ્ય નિર્માણનો પાયો છે. દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની ટોચની ૩ અર્થવ્યવસ્થાઓમાં સ્થાન અપાવવાના લક્ષ્ય સાથે આશરે ૧૨,૨૩૬…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



