Author: garvigujrat

આગામી ૧૮ મહિના સુધી કોઈ ઇન્ટરવ્યુ નહીં આપે ‘ડોન ૩’ વિવાદ વચ્ચે રણવીર સિંહનું મોટું પગલું! રણવીર સિંહે દિગ્દર્શક જય મહેતાની આગામી ફિલ્મ ‘પ્રલય’ રિલીઝ થાય ત્યાં સુધી મીડિયાથી અંતર જાળવવાનો ર્નિણય લીધો રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે ‘ડોન ૩’ને લઈને ચાલી રહેલી અટકળો, ચર્ચાઓ અને વિવાદો વચ્ચે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. અહેવાલ મુજબ, રણવીર સિંહે આગામી ૧૮ મહિના સુધી કોઈપણ પ્રકારના મીડિયા ઇન્ટરવ્યુ ન આપવાનો ર્નિણય લીધો છે અને ‘ડોન ૩’ વિવાદ અંગે સંપૂર્ણ મૌન જાળવવાનું પસંદ કર્યું છે. એક તરફ તેની એક પછી એક બંને ધુરંધર ફિલ્મો સફળ રહી છે અને ઘણા લોકો તેની પાસે…

Read More

ફિલ્મ ૨૬ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘વેલકમ ટુ ધ જંગલ’માં સૌથી મોટો પડકાર હસવું રોકી રાખવાનો હતો : સુનીલ શેટ્ટી ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, દિશા પટ્ટની, જેકલીન ફનાર્ન્ડિઝ, અર્શદ વારસી, જેકી શ્રોફ સહિત અનેક કલાકારો હશે લાંબા સમયથી રાહ જાેવાય છે એવી બોલિવૂડની કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ ૨૬ જૂન, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં સ્ટાર્સની લાંબી ફોજ જાેવા મળશે અને હવે અભિનેતા સુનીલ શેટ્ટીએ ફિલ્મના શૂટિંગ દરમિયાનના રસપ્રદ અનુભવો શેર કર્યા છે.સુનીલ શેટ્ટીએ જણાવ્યું કે ફિલ્મમાં એક્શન કરતાં વધુ મુશ્કેલ કામ શૂટિંગ દરમિયાન હસવું રોકી રાખવાનું હતું. તેણે કહ્યું, “આ એક એક્શન-કોમેડી અને…

Read More

કંતારા પછી આ ફિલ્મનું બજેટ હવે ૫૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનો અહેવાલ રિષભ શેટ્ટીની ‘છત્રપતિ શિવાજી મહારાજ’ ફિલ્મ હવે બે ભાગમાં બનશે ફિલ્મનો પ્રથમ ભાગ વર્ષ ૨૦૨૮માં સિનેમાઘરોમાં રિલીઝ થશે, જ્યારે બીજાે ભાગ ૨૦૨૯માં દર્શકો સમક્ષ આવશે નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા રિષભ શેટ્ટી હવે ભારતીય ઇતિહાસના સૌથી પ્રેરણાદાયી અને મહાન શાસકોમાંના એક છત્રપતિ શિવાજી મહારાજના જીવનને ભવ્ય ફિલ્મી સ્વરૂપ આપવા તૈયાર છે. તેમની આગામી ઐતિહાસિક ફિલ્મ ‘ધ પ્રાઇડ ઓફ ભારત: છત્રપતિ શિવાજી મહારાજ’ અંગે એક મોટી અપડેટ સામે આવ્યું છે. તે અંગેના અહેવાલો અનુસાર, શરૂઆતમાં એક જ ફિલ્મ તરીકે જાહેર કરવામાં આવેલો આ પ્રોજેક્ટ હવે બે ભાગમાં રજૂ કરવામાં આવશે.…

Read More

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે જુનાગઢ જિલ્લાના નવા નિયુક્ત કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેં જુનાગઢ અને વિસાવદર વિસ્તારના ખેડૂતોના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. ખાસ કરીને ખેડૂતોને મળતી રિબેટ, એટલે કે શૂન્ય ટકા વ્યાજે મળતી લોન અંગેનો મુદ્દો રજૂ કર્યો હતો. અનેક ગામડાઓમાં ખેડૂતોને વર્ષ 2022-23, 2023-24 અને 2024-25ની રિબેટ હજુ સુધી મળી નથી. આ મુદ્દે અલગ-અલગ બેંકોના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. બેંકના અધિકારીઓએ જે-જે ગામોમાં ખેડૂતોને રિબેટ મળી નથી, તે તમામ ફાઈલો મંજૂરી માટે મોકલવાની ખાતરી આપી છે. આ ઉપરાંત જુનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં વિવિધ…

Read More

આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ બેઠકમાં તેમણે નર્મદાના કલેક્ટર સમક્ષ અનેક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાએ સવાલ પૂછ્યો હતો કે 1) આજની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં તાલુકાવાર જમીન વિહોણા નિરાધાર હોય એવા કેટલા લોકોએ સરકારી પ્લોટની માંગણી કરી જેમાં કેટલાને ફાળવવામાં આવ્યા? 2) જિલ્લાના નાગરિકોને જિલ્લામા જ આધુનિક નિદાન સુવિધાઓ મળી રહે તે માટે MRI મશીન અને CT સ્કેન કાર્યરત નથી એ હકીકત સાચી છે? જો હા તો શા કારણો છે? ક્યાર સુધીમાં કાર્યરત કરવામાં આવશે? 3) જિલ્લામાં નેટવર્ક…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. રાજસ્થાન યુનિવર્સિટીએ બુધવારે,૧૭ જુન સમાજશાસ્ત્ર વિભાગ માટે બીજા સેમેસ્ટરની પરીક્ષા રદ કરી, કારણકે વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી તૈયાર કરાયેલુ પ્રશ્નપત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં પ્રશ્નોના બદલે પૂર્વ લેખિત જવાબો હતા. પીજી સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝમાં “ઇન્ડિયન સોસાયટી” વિષયની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી યોજાવાની હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમને પેપર મળતાની સાથે જ ખબર પડી કે તેમાં ન તો પ્રશ્નો છે કે ન તો બહુવિધ વિકલ્પ વિકલ્પો. પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થી વિકાસ કુમાર બૈરવાએ આરોપ લગાવ્યો કે વાંધો ઉઠાવ્યા બાદ પરીક્ષા ખંડમાં હાજર અધિકારીઓએ પ્રશ્નપત્રો તાત્કાલિક પાછા…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, પોલીસ અને બિલ્ડરોની અદ્રશ્ય સાંઠગાંઠ થી સુરતના વેડ દરવાજા ખાતે આવેલા નાસિર નગરમાં તારીખ 30 મે ના રોજ થયેલા રહસ્યમય ડિમોલિશનને આજે પુરા ૨૦ દિવસ થયા છતાં કોઈ નક્કર કારણ,તારણ કરી જવાબદારો ઉપર આજદિન સુધી પગલાં ભરવામાં આવ્યા નથી. એનાથી અસરગ્રસ્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે બીજી બાજુ સત્તાધારી પક્ષ ભાજપના કાર્યકરો સાથે મળીને બિલ્ડરના માણસો રૂપિયા બે થી ત્રણ લાખમાં પતાવટ કરીને કાગળો ઉપર સહી સિક્કા કરાવવા રીતસર ધાકધમકી આપી ધમપછાડા કરી રહ્યા હોવાનું બહાર આવતા આખા ખેલમા અસરગ્રસ્તોને પડતા પર પાટુ મારવા જેવો ઘાટ થઈ રહ્યો છે. જ્યારે ચોમાસાની શરૂઆતમાં જ…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે તો નાણાંકીય ખાતાં સલામત નથી, વિદ્યાર્થીઓના પેપર સલામત નથી અને મંદિરોમાં આવતું દાન પણ સલામત નથી. છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા, ન્યૂઝ ચેનલો અને અમુક રામભક્ત ધર્માચાર્યો તથા સંતો દ્વારા જે સમાચાર સામે આવી રહ્યા છે, તે જોઈને ખરેખર આપણું હૃદય દ્રવી ઉઠે છે. *સોના ચાંદીની 1200 જેટલી ઈટો ગાયબ થઈ હતી, કરોડોની લૂંટની રકમ ની ચર્ચા થઈ રહી છે.જ્યારે સોમનાથનું તાળું તૂટ્યું ત્યારે મુઘલો હતા અને જ્યારે અનેક વિદ્યાપીઠો, નાના-મોટા મંદિરો અને તીર્થસ્થાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું ત્યારે અંગ્રેજો હતા. પરંતુ આજે જ્યારે અયોધ્યામાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના…

Read More

આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે ભાજપના 30 વર્ષના શાસન પછી ગુજરાતના લોકો એક સવાલ પૂછી રહ્યા છે કે શું ગુજરાતના લોકોનો આ 30 વર્ષમાં વિકાસ થયો છે? શું ગુજરાતના લોકો માટે શિક્ષણની વ્યવસ્થા ફાઇવ સ્ટાર કક્ષાની બની છે? શું ગુજરાતના લોકોને સારી સરકારી હોસ્પિટલો અને સારી આરોગ્ય સુવિધાઓ મળે છે? શું ગુજરાતનો ખેડૂત બે પાંદડે થયો છે? શું ગુજરાતના ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળે છે? શું તેમને પૂરતું ખાતર મળે છે? તેમની આજીવિકા માટે સરકારે આ 30 વર્ષમાં શું કર્યું છે? શું ગુજરાતનો નાનો વેપારી આજની પરિસ્થિતિમાં પોતાનો રોજગાર-ધંધો સારી…

Read More

ટ્રમ્પના દાવાથી ઈટલી પીએમ લાલઘૂમ થયા જ્યોર્જિયા મેલોની મારી સાથે ફોટો લેવા પાછળ પાછળ ફરતા હતા ટ્રમ્પના આ નિવેદન એકદમ પાયાવિહોણા અને ખોટા છે : સાચું કહું તો હું તેમની આવી હરકતથી નવાઈ પામી : જ્યોર્જિયા મેલોની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ઉટપટાંગ નિવેદનોના કારણે ઘણી વાર વર્લ્ડ લીડર્સને ફજેતી કરી ચૂક્યા છે, પણ આ વખતે બાજી ઊંધી પડી હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે ટ્રમ્પે ઈટલીના પાવરફુલ પ્રધાનમંત્રી જાેર્જિયા મેલોની સાથે પંગો લીધો છે. જેમણે ટ્રમ્પના ઈગોને દુનિયાની સામે લાવીને તોડી નાખ્યો છે. થયું છે એવું કે હાલમાં જ ફ્રાન્સમાં જી૭ શિખર સંમેલન દરમ્યાન એક તસવીરને લઈ ટ્રમ્પે…

Read More