- ઈરાનનો ટ્રમ્પ પર પલટવાર, હુમલા સ્થગિત કરવાના દાવા બાદ મીડિયાએ ઉડાવી મજાક
- જામખંભાળિયામાં GSPL સામે ખેડૂતોના આંદોલનને ઇસુદાન ગઢવીનો ટેકો, યોગ્ય વળતરની ઉઠાવી માંગ
- વનકર્મીઓના વર્તન મુદ્દે AAPનો ભાજપ પર પ્રહાર, મનસુખ વસાવાને પક્ષ છોડવાની સલાહ
- ભાજપ નેતાની પુત્રી યશસ્વીની રાજસિંહે CJP વિદ્યાર્થી આંદોલનને આપ્યો ટેકો, રાજકીય ચર્ચા તેજ
- સુરતમાં વરસાદ બાદ રસ્તાઓની દુર્દશા, ખાડા-ખાડીપૂર મુદ્દે SMC સામે ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપ
- ભારત-અફઘાન સંબંધો પર પાકનો ઉકળાટ, આર્મી પ્રવક્તાનું મુસ્લિમ-હિન્દુ મિત્રતા અંગે વિવાદિત નિવેદન
- ભાજપના પૂર્વ સાંસદ રેબતી ત્રિપુરા રાજકારણ છોડીને ફરી શિક્ષક બન્યા, કહ્યું- હવે પેન્શન તો મળશે
- માંજલપુર પેટાચૂંટણી બાદ AAPનો કોંગ્રેસ પર પ્રહાર, 2027માં ચૂંટણી ન લડવાની કરી અપીલ
Author: garvigujrat
યોગની વિવિધ મુદ્રાઓ જેવી આકૃતિઓ સર્જાતી દેખાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કોલકત્તામાં દેખાશે અનોખો નજારો હૂગલી નદીની લહેરો પર યોગનો મહાકુંભ! ૫૦૦થી વધુ નૌકાઓ પર એકસાથે થશે યોગાસન યોગનો ઉલ્લેખ થાય એટલે પાર્ક, મેદાન, સ્ટેડિયમ અથવા નદીના ઘાટ પર યોજાતા કાર્યક્રમોની તસવીર આંખો સામે આવી જાય. પરંતુ કલ્પના કરો કે નદીના મધ્યમાં સૈંકડો નૌકાઓ એકસાથે તરતી હોય અને હજારો લોકો એકસાથે યોગાસન કરતા હોય! આ અદ્ભુત દૃશ્ય આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કોલકાતામાં જાેવા મળશે. ૨૧ જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના ઐતિહાસિક બાબુઘાટ અને હૂગલી નદી આ…
નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર જાે કોઈ નાગરિકના આ અધિકારનો ભંગ થશે, તો તે જવાબદાર સત્તાધીશો સામે કાયદાકીય પગલાં ભરીને વળતર માંગી શકશે સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્ત્વનો ચુકાદો આપતા જણાવ્યું કે, ‘ફૂટપાથ પર ચાલવાનો અધિકાર એક મૌલિક અધિકાર છે.’ કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે કાયદો બનાવવા માટે પણ કહ્યું છે. આ કાયદા દ્વારા પગપાળા ચાલતા મુસાફરો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને તેની જાળવણી માટે સ્થાનિક નગર નિગમોની જવાબદારી નક્કી કરવા માટે જણાવવામાં આવ્યું છે. જસ્ટિસ પી.એસ.નરસિમ્હા અને અતુલ એસ. ચંદુરકરની બેંચે સ્પષ્ટ કહ્યું કે, બંધારણના આર્ટિકલ 19(1)(d) અને આર્ટિકલ ૨૧…
કર્મીઓની હજી એક-બે વર્ષ પહેલાં જ નિમણૂક કરવામાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં ૨૦થી વધુ કર્મચારીના રાજીનામા સહાયક જુનિયર ક્લાર્ક, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર સહિતના કર્મીઓએ અન્ય નોકરી શોધી લીધી અમદાવાદ મ્યુનિસિપલમાં કર્મચારીઓના રાજીનામા પડવાનો સિલસિલો યથાવત્ છે. હજી એકાદ મહિના પહેલાં જ કેટલાક કર્મીઓએ રાજીનામા ધરી દીધા હતા. તેવામાં હવે સહાયક જુનિયર ક્લાર્ક, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર, સહાયક સબ ઇન્સ્પેક્ટર સહિત વધુ ૨૦ કર્મીઓએ રાજીનામા આપી દીધા હોવાનું સામે આવ્યું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં ગત મહિને ક્લાર્કથી લઈને ટેકનિકલ આસિસ્ટન્ટ સહિતના કર્મીઓએ રાજીનામા આપી દીધા હતા. તેવામાં હવે શારદાબહેન અને એલજી હોસ્પિટલ, સેન્ટ્રલ ઓફિસ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એસ્ટેટ સહિત મ્યુનિસિપલના વિવિધ વિભાગો…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. શહેરમાંથી પોલીસની રેડ દરમ્યાન અનેક યુવાન, યુવતીઓ હોટલો, ગેસ્ટ હાઉસો વિગેરેમાંથી અનૈતિક ધંધા કરતાં પકડાતાં હોય છે. પરંતુ આજ યુવતીઓ મજબૂરી અને લાચારીમાં આ અનૈતિક ધંધામાં વરેલી હોય છે. આ યુવતીઓ પૈકીની મોટાભાગની યુવતીઓ શિક્ષિત અને કામધંધા વગરની બેકારીના કારણે અને કામ ના મળવાને લીધે ઘરમાં ચુલો સળગાવવો પણ જેમના માટે કઠીન હોવાથી ઘરમાં ગરીબી ચાડી ખાતી હોય છે. આવી મજબૂરીમાં પોતાના પરિવારને બે સમયનું ભોજન પણ પ્રાપ્ત થતું નથી ત્યારે બે સમયના ભોજન માટે આવા અનિચ્છિય ધંધા તરફ વળતી હોય છે. જેમાં એની ગરીબી અને મજબૂરી મહત્વના હોય છે. આમાં ખાસ કરીને રાજકારણીઓ અને ઉચ્ચ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અયોધ્યાના રામ મંદિરના લાખો રૂપિયાની ચોરીનો મામલો તાજો જ છે ત્યારે મથુરાના પ્રખ્યાત સંત દિનેશ ફલાહારીએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરી (તોષા ખાના) માંથી હજારો કરોડોના દાગીના અને દાન ચોરાઈ ગયા છે. આ મામલો અયોધ્યાની પરિસ્થિતિનું પ્રતિબિંબ છે. અયોધ્યામાં રામ મંદિરના દાન અંગે કથિત ગેરરીતિ અને છેતરપિંડીનો વિવાદ થોડો શાંત થયો ન હતો ત્યારે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાંથી દાનની મોટા પાયે ચોરીનો એક સનસનાટી ભર્યો મામલો સામે આવ્યો છે. આ મામલાના મુખ્ય ફરિયાદી પંડિત દિનેશ ફલાહારીએ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડ રૂપિયાના દાન, સોના- ચાંદીના દાગીના અને…
કલોલ સેશન્સ કોર્ટનો ચુકાદો સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે ૨૦ વર્ષ જેલની સજા ફરમાવી સમાજમાં આવા તત્વો સામે દાખલો બેસે તે હેતુથી આરોપીને કાયદામાં પ્રસ્થાપિત કડક સજા કરવી અનિવાર્ય : કોર્ટ સગીરા પર આચરવામાં આવેલા દુષ્કર્મના ગંભીર ગુનામાં કલોલની કોર્ટે આરોપી ભરત વાહજીજી ઠાકોર (ઉં-૨૮)ને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તેમજ ભોગ બનનાર બાળકીને રૂ. ૫ લાખનું વળતર ચૂકવવાનો મહત્વનો આદેશ કર્યાે છે.કેસની વિગત એવી છે કે, મૂળ રાધનપુર તાલુકાના બરોધન ગામનો અને હાલ કલોલ તાલુકાના નારદીપુર ખાતે હુડકોમાં રહેતો આરોપી ભરત ઠાકોર ગત તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ કલોલ તાલુકાના…
મિડલ ઈસ્ટથી ગુડ ન્યૂઝ LPG અને ક્રૂડ ઓઈલ લઈને ૪૦થી વધુ જહાજાે ભારત તરફ રવાનાયુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતના ખાતર ભરેલા ૧૬ જહાજાે પણ ફસાયા હતા, જે હવે ટૂંક સમયમાં ભારત પહોંચશે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરાર બાદ પશ્ચિમ એશિયામાં મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધના વાદળો હટવા લાગ્યા છે. શાંતિ સમજૂતી થતાં જ અમેરિકાએ ઈરાની બંદરોની નાકાબંધી હટાવી લીધી છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા સપ્લાય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલી ગયો છે. આ ઘટનાક્રમ ભારત માટે ખૂબ જ મોટા રાહતના સમાચાર લઈને આવ્યો છે, કારણ કે ભારત પોતાની ૭૫%થી વધુ ઊર્જા જરૂરિયાતો માટે પશ્ચિમ એશિયાના…
સની કૌશલની કરિઅર અટકી, શર્વરીની ચાલી લવ સ્ટોરીમાં સકસેસ વિલન બની, શર્વરી અને સની કૌશલનું બ્રેક અપ ૨૦૨૦માં કબીર ખાનની મીની સિરિઝ ‘ધ ફરગોટન આર્મી-આઝાદી કે લિયે’ના સેટ પર સની અને શર્વરી પહેલીવાર મળ્યા હતા શર્વરી વાઘ અને સની કૌશલ વચ્ચે બ્રેક અપ થઈ ચૂક્યું હોવાની છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતી અફવાઓ ફરી સપાટી પર આવી છે. ફિલ્મ કેરિયરમાં શર્વરી સની કરતાં વધારે સફળ થતાં બંનેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયાનું કહેવાય છે. વિક્કી કૌશલનો નાનો ભાઇ સની કૌશલ છ વર્ષથી શર્વરી વાઘ સાથે ડેટિંગ કરતો હતો. દરમ્યાન સની કૌશલે પણ ફિલ્મોમાં સફળતા મેળવી પણ તેના ભાઇની જેમ તે ટોચનો હીરો…
ગોપાલ વર્મા દયા નાયકની બાયોપિક બનાવવા માટે થનગની રહ્યા છે રામ ગોપાલ વર્મા દયા નાયકની બાયોપિક બનાવે તેવી ચર્ચા મુંબઇના અંડરવર્લ્ડ વિશે સફળ ફિલ્મ બનાવનારા રામ ગોપાલ વર્માએ ૨૦૦૨માં ‘કંપની’ નામની ફિલ્મ બનાવી હતી ‘સત્યા’ અને ‘કંપની’ જેવી સફળ ક્રાઇમ થ્રીલર્સ આપનારા રામ ગોપાલ વર્મા ફરી એકવાર ક્રાઇમ થ્રીલર બનાવી રહ્યા હોવાની ચર્ચા છે. આ વખતે રામ ગોપાલ વર્મા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયકની બાયોપિક બનાવવા માટે થનગની રહ્યા છે. હાલ આ ફિલ્મની પટકથા ડેવલપ કરવામાં આવી રહી છે. મુંબઇના અંડરવર્લ્ડ વિશે સફળ ફિલ્મ બનાવનારા રામ ગોપાલ વર્માએ ૨૦૦૨માં ‘કંપની’ નામની ફિલ્મ બનાવી હતી. અજય દેવગણ, વિવેક ઓબેરોય અને મોહનલાલને લઇને…
આ એક મોટા સ્કેલની ફિલ્મ હશે, જે ભાગમાં બની શકે છે સલમાન અને ફરહાન અખ્તર વચ્ચે મોટી ઐતિહાસિક ફિલ્મ માટે વાટાઘાટો ચાલુ સલમાન આ ફિલ્મની વાર્તા અને તેનાં સ્તર બાબતે ઘણો હકારાત્મક વલણ ધરાવે છે, જે મોટા પડદે જાેવા લાયક ફિલ્મ બનશે સલમાનની માતૃભૂમિ અટવાયા પછી હવે તે નવા પ્રયોગોના મૂડમાં હોય એવું લાગે છે. તે પૈડીપલ્લીની ફિલ્મ તો કરે જ છે, સાથે જ તે ફેમિલી મેન જેવી સિરીઝના જાણીતા મેકર્સ રાજ અને ડિકે સાથે એક કોમેડી ફિલ્મ માટે ચર્ચા વિચારણા કરી રહ્યો હોવાના અહેવાલો પણ થોડાં મહિનાઓ પહેલાં આવ્યા હતા. ત્યારે હવે એવા અહેવાલો છે કે સલમાન ખાન અને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



