- માંજલપુર પેટાચૂંટણી બાદ AAPનો કોંગ્રેસ પર પ્રહાર, 2027માં ચૂંટણી ન લડવાની કરી અપીલ
- ખંભાળિયામાં ‘પ્રાર્થના ફાઉન્ડેશન’નું ઉદ્ઘાટન, ગરીબ દર્દીઓને લોહી, સાધનો અને સારવારમાં મળશે મદદ
- પાકિસ્તાનમાં હિન્દુ અધિકારોના રક્ષણ માટે દેશવ્યાપી અભિયાન, બંધારણીય હકોના અમલની ઉઠી માંગ
- ઈજિપ્તમાં 5.4 તીવ્રતાનો ભૂકંપ, રેડ ક્રેસન્ટ એલર્ટ; અત્યાર સુધી જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નહીં
- કંગના-હૃતિક વચ્ચે દાયકા બાદ ફરી ઓનલાઈન વિવાદ, સબા આઝાદનું નામ લઈને કંગનાનો પ્રહાર
- જેક્લિનના ‘જુગ્ની’ ગીતની AI-જનરેટેડ ક્લિપ વાયરલ, ગાયક સોનુ ઠુકરાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી
- ‘રામાયણ’માં સીતાની બહેન શ્રુતકીર્તિના રોલમાં સુરભી દાસ, ઓડિશનથી મળી મોટી ફિલ્મમાં એન્ટ્રી
- રાહુલ ગાંધીએ Gen-Z સ્ટાઈલમાં ફ્રેન્ડશિપ ડેની શુભેચ્છા પાઠવી, કહ્યું- હું હજુ પણ દરરોજ શીખું છું
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે તો નાણાંકીય ખાતાં સલામત નથી, વિદ્યાર્થીઓના પેપર સલામત નથી અને મંદિરોમાં આવતું દાન પણ સલામત નથી. છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા, ન્યૂઝ ચેનલો અને અમુક રામભક્ત ધર્માચાર્યો તથા સંતો દ્વારા જે સમાચાર સામે આવી રહ્યા છે, તે જોઈને ખરેખર આપણું હૃદય દ્રવી ઉઠે છે. *સોના ચાંદીની 1200 જેટલી ઈટો ગાયબ થઈ હતી, કરોડોની લૂંટની રકમ ની ચર્ચા થઈ રહી છે.જ્યારે સોમનાથનું તાળું તૂટ્યું ત્યારે મુઘલો હતા અને જ્યારે અનેક વિદ્યાપીઠો, નાના-મોટા મંદિરો અને તીર્થસ્થાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું ત્યારે અંગ્રેજો હતા. પરંતુ આજે જ્યારે અયોધ્યામાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના…
આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે ભાજપના 30 વર્ષના શાસન પછી ગુજરાતના લોકો એક સવાલ પૂછી રહ્યા છે કે શું ગુજરાતના લોકોનો આ 30 વર્ષમાં વિકાસ થયો છે? શું ગુજરાતના લોકો માટે શિક્ષણની વ્યવસ્થા ફાઇવ સ્ટાર કક્ષાની બની છે? શું ગુજરાતના લોકોને સારી સરકારી હોસ્પિટલો અને સારી આરોગ્ય સુવિધાઓ મળે છે? શું ગુજરાતનો ખેડૂત બે પાંદડે થયો છે? શું ગુજરાતના ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળે છે? શું તેમને પૂરતું ખાતર મળે છે? તેમની આજીવિકા માટે સરકારે આ 30 વર્ષમાં શું કર્યું છે? શું ગુજરાતનો નાનો વેપારી આજની પરિસ્થિતિમાં પોતાનો રોજગાર-ધંધો સારી…
ટ્રમ્પના દાવાથી ઈટલી પીએમ લાલઘૂમ થયા જ્યોર્જિયા મેલોની મારી સાથે ફોટો લેવા પાછળ પાછળ ફરતા હતા ટ્રમ્પના આ નિવેદન એકદમ પાયાવિહોણા અને ખોટા છે : સાચું કહું તો હું તેમની આવી હરકતથી નવાઈ પામી : જ્યોર્જિયા મેલોની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ઉટપટાંગ નિવેદનોના કારણે ઘણી વાર વર્લ્ડ લીડર્સને ફજેતી કરી ચૂક્યા છે, પણ આ વખતે બાજી ઊંધી પડી હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે ટ્રમ્પે ઈટલીના પાવરફુલ પ્રધાનમંત્રી જાેર્જિયા મેલોની સાથે પંગો લીધો છે. જેમણે ટ્રમ્પના ઈગોને દુનિયાની સામે લાવીને તોડી નાખ્યો છે. થયું છે એવું કે હાલમાં જ ફ્રાન્સમાં જી૭ શિખર સંમેલન દરમ્યાન એક તસવીરને લઈ ટ્રમ્પે…
યોગની વિવિધ મુદ્રાઓ જેવી આકૃતિઓ સર્જાતી દેખાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કોલકત્તામાં દેખાશે અનોખો નજારો હૂગલી નદીની લહેરો પર યોગનો મહાકુંભ! ૫૦૦થી વધુ નૌકાઓ પર એકસાથે થશે યોગાસન યોગનો ઉલ્લેખ થાય એટલે પાર્ક, મેદાન, સ્ટેડિયમ અથવા નદીના ઘાટ પર યોજાતા કાર્યક્રમોની તસવીર આંખો સામે આવી જાય. પરંતુ કલ્પના કરો કે નદીના મધ્યમાં સૈંકડો નૌકાઓ એકસાથે તરતી હોય અને હજારો લોકો એકસાથે યોગાસન કરતા હોય! આ અદ્ભુત દૃશ્ય આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કોલકાતામાં જાેવા મળશે. ૨૧ જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના ઐતિહાસિક બાબુઘાટ અને હૂગલી નદી આ…
નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર જાે કોઈ નાગરિકના આ અધિકારનો ભંગ થશે, તો તે જવાબદાર સત્તાધીશો સામે કાયદાકીય પગલાં ભરીને વળતર માંગી શકશે સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્ત્વનો ચુકાદો આપતા જણાવ્યું કે, ‘ફૂટપાથ પર ચાલવાનો અધિકાર એક મૌલિક અધિકાર છે.’ કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે કાયદો બનાવવા માટે પણ કહ્યું છે. આ કાયદા દ્વારા પગપાળા ચાલતા મુસાફરો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને તેની જાળવણી માટે સ્થાનિક નગર નિગમોની જવાબદારી નક્કી કરવા માટે જણાવવામાં આવ્યું છે. જસ્ટિસ પી.એસ.નરસિમ્હા અને અતુલ એસ. ચંદુરકરની બેંચે સ્પષ્ટ કહ્યું કે, બંધારણના આર્ટિકલ 19(1)(d) અને આર્ટિકલ ૨૧…
કર્મીઓની હજી એક-બે વર્ષ પહેલાં જ નિમણૂક કરવામાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં ૨૦થી વધુ કર્મચારીના રાજીનામા સહાયક જુનિયર ક્લાર્ક, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર સહિતના કર્મીઓએ અન્ય નોકરી શોધી લીધી અમદાવાદ મ્યુનિસિપલમાં કર્મચારીઓના રાજીનામા પડવાનો સિલસિલો યથાવત્ છે. હજી એકાદ મહિના પહેલાં જ કેટલાક કર્મીઓએ રાજીનામા ધરી દીધા હતા. તેવામાં હવે સહાયક જુનિયર ક્લાર્ક, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર, સહાયક સબ ઇન્સ્પેક્ટર સહિત વધુ ૨૦ કર્મીઓએ રાજીનામા આપી દીધા હોવાનું સામે આવ્યું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં ગત મહિને ક્લાર્કથી લઈને ટેકનિકલ આસિસ્ટન્ટ સહિતના કર્મીઓએ રાજીનામા આપી દીધા હતા. તેવામાં હવે શારદાબહેન અને એલજી હોસ્પિટલ, સેન્ટ્રલ ઓફિસ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એસ્ટેટ સહિત મ્યુનિસિપલના વિવિધ વિભાગો…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. શહેરમાંથી પોલીસની રેડ દરમ્યાન અનેક યુવાન, યુવતીઓ હોટલો, ગેસ્ટ હાઉસો વિગેરેમાંથી અનૈતિક ધંધા કરતાં પકડાતાં હોય છે. પરંતુ આજ યુવતીઓ મજબૂરી અને લાચારીમાં આ અનૈતિક ધંધામાં વરેલી હોય છે. આ યુવતીઓ પૈકીની મોટાભાગની યુવતીઓ શિક્ષિત અને કામધંધા વગરની બેકારીના કારણે અને કામ ના મળવાને લીધે ઘરમાં ચુલો સળગાવવો પણ જેમના માટે કઠીન હોવાથી ઘરમાં ગરીબી ચાડી ખાતી હોય છે. આવી મજબૂરીમાં પોતાના પરિવારને બે સમયનું ભોજન પણ પ્રાપ્ત થતું નથી ત્યારે બે સમયના ભોજન માટે આવા અનિચ્છિય ધંધા તરફ વળતી હોય છે. જેમાં એની ગરીબી અને મજબૂરી મહત્વના હોય છે. આમાં ખાસ કરીને રાજકારણીઓ અને ઉચ્ચ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અયોધ્યાના રામ મંદિરના લાખો રૂપિયાની ચોરીનો મામલો તાજો જ છે ત્યારે મથુરાના પ્રખ્યાત સંત દિનેશ ફલાહારીએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરી (તોષા ખાના) માંથી હજારો કરોડોના દાગીના અને દાન ચોરાઈ ગયા છે. આ મામલો અયોધ્યાની પરિસ્થિતિનું પ્રતિબિંબ છે. અયોધ્યામાં રામ મંદિરના દાન અંગે કથિત ગેરરીતિ અને છેતરપિંડીનો વિવાદ થોડો શાંત થયો ન હતો ત્યારે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાંથી દાનની મોટા પાયે ચોરીનો એક સનસનાટી ભર્યો મામલો સામે આવ્યો છે. આ મામલાના મુખ્ય ફરિયાદી પંડિત દિનેશ ફલાહારીએ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડ રૂપિયાના દાન, સોના- ચાંદીના દાગીના અને…
કલોલ સેશન્સ કોર્ટનો ચુકાદો સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે ૨૦ વર્ષ જેલની સજા ફરમાવી સમાજમાં આવા તત્વો સામે દાખલો બેસે તે હેતુથી આરોપીને કાયદામાં પ્રસ્થાપિત કડક સજા કરવી અનિવાર્ય : કોર્ટ સગીરા પર આચરવામાં આવેલા દુષ્કર્મના ગંભીર ગુનામાં કલોલની કોર્ટે આરોપી ભરત વાહજીજી ઠાકોર (ઉં-૨૮)ને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તેમજ ભોગ બનનાર બાળકીને રૂ. ૫ લાખનું વળતર ચૂકવવાનો મહત્વનો આદેશ કર્યાે છે.કેસની વિગત એવી છે કે, મૂળ રાધનપુર તાલુકાના બરોધન ગામનો અને હાલ કલોલ તાલુકાના નારદીપુર ખાતે હુડકોમાં રહેતો આરોપી ભરત ઠાકોર ગત તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ કલોલ તાલુકાના…
મિડલ ઈસ્ટથી ગુડ ન્યૂઝ LPG અને ક્રૂડ ઓઈલ લઈને ૪૦થી વધુ જહાજાે ભારત તરફ રવાનાયુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતના ખાતર ભરેલા ૧૬ જહાજાે પણ ફસાયા હતા, જે હવે ટૂંક સમયમાં ભારત પહોંચશે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરાર બાદ પશ્ચિમ એશિયામાં મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધના વાદળો હટવા લાગ્યા છે. શાંતિ સમજૂતી થતાં જ અમેરિકાએ ઈરાની બંદરોની નાકાબંધી હટાવી લીધી છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા સપ્લાય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલી ગયો છે. આ ઘટનાક્રમ ભારત માટે ખૂબ જ મોટા રાહતના સમાચાર લઈને આવ્યો છે, કારણ કે ભારત પોતાની ૭૫%થી વધુ ઊર્જા જરૂરિયાતો માટે પશ્ચિમ એશિયાના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



