- ધાર્મિક સ્વતંત્રતા સંપૂર્ણ નથી: ૩૦૦ શ્રદ્ધાળુઓની મંજૂરી મામલે પટણા હાઇકોર્ટની મહત્વપૂર્ણ ટકોર
- કંગના પર બાબા રામદેવનો પલટવાર: “તુચ્છ લોકો પર કમેન્ટ નથી કરવી”, Gen-Z વિવાદે લીધો ઉગ્ર વળાંક
- તહેવારોમાં ખાંડ બની કડવી: ભાવવધારા પાછળ ઇથેનોલ, અછત કે જમાખોરી?
- લોકશાહી સામે મોટો સવાલ: જ્યારે સમાજને તમારી સૌથી વધુ જરૂર હતી, ત્યારે તમે ક્યાં હતા?
- NCPના IT સેલ પ્રદેશ પ્રમુખ હાર્દિક પરીખ AAPમાં જોડાયા, ઘાટલોડિયામાં સંગઠનને નવી મજબૂતી
- દ્વારકાનું નાગેશ્વર જ્યોતિર્લિંગ: દારૂકાવનથી શિવપ્રગટ્તિ અને ધર્મવિજયની પૌરાણિક ગાથા
- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
Author: garvigujrat
જસ્ટિસ વર્માએ એપ્રિલમાં પોતાનું રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને સોંપ્યું હતું લોકસભાનાં ચોમાસુ સત્રમાં જસ્ટિસ વર્મા સામેનો રિપોર્ટ રજૂ થશે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા પછી આગળની કાર્યવાહીનો ર્નિણય સંસદ કરશે : ઓમ બિરલા જસ્ટિસ યશવંત વર્માની વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં આરોપોની તપાસ કરનાર ત્રણ સભ્યોની સમિતિનો રિપોર્ટ ૨૦ જુલાઇએ શરૂ થતા લોકસભાનાં ચોમાસુ સત્રમાં લોકસભામાં રજૂ કરવામાં આવશે તેમ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ એક નિવેદનમાં જણાવ્યું છે.તેમના રાજીનામાનાં ર્નિણય છતાં સંસદની તરફથી તેમને હટાવવાનો પ્રસ્તાવ લાવવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળના ધારાસભ્યોને સંબોધિત કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં ઓમ બિરલાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ અરવિંદ કુમારની અધ્યક્ષતાવાળી સમિતિએ તેમને જે રિપોર્ટ સોંપ્યો છે…
ઈઝરાયલમાં જંગલરાજના ભણકારા નેતન્યાહૂએ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર જ માનવાનો ઈનકાર કર્યાે બીજી તરફ, ડેમોક્રેટ્સ પાર્ટીના નેતા યાયર ગોલાને ગંભીર આક્ષેપ કર્યાે છે કે નેતન્યાહૂ સરકાર ચૂંટણી પહેલા ન્યાયતંત્રને નબળું કરવા માંગે છે ઈઝરાયલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચેનો વિવાદ હવે એક મોટી બંધારણીય કટોકટીમાં ફેરવાઈ ગયો છે. રવિવારે ઈઝરાયલી કેબિનેટે સર્વસંમતિથી એક અભૂતપૂર્વ ર્નિણય લીધો છે, જે મુજબ સરકાર સુપ્રીમ કોર્ટના આદેશને સ્વીકારશે નહીં. સુપ્રીમ કોર્ટે દેશના કોમર્શિયલ મીડિયા રેગ્યુલેટર ‘સેકન્ડ ઓથોરિટી ફોર ટેલિવિઝન એન્ડ રેડિયો’ ને પોતાનું કામ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી, જેની સામે સરકારે હવે ખુલ્લી ચેલેન્જ ફેંકી છે. ઈઝરાયલના ઇતિહાસમાં આ પ્રથમ એવો…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે આજે બારડોલી લોકસભાના પદાધિકારીઓ સાથે સંગઠન વિસ્તાર મુદ્દે બેઠક કરી. આ બેઠકમાં પ્રદેશ પ્રભારી ગોપાલ રાયની સાથે સાથે પ્રદેશના પદાધિકારીઓ, વિધાનસભાના હોદ્દેદારો સહિત સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ મુદ્દે પ્રભારી ગોપાલ રાયે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક ચૂંટણીઓ બાદ હવે આમ આદમી પાર્ટી 2027ની વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે, એના માટે સમગ્ર ગુજરાતમાં સંગઠન વિસ્તારના કાર્યક્રમો થઈ રહ્યા છે. તે અંતર્ગત અમે ઉપપ્રમુખો, પ્રદેશ સંગઠન મંત્રીઓ વિધાનસભા સ્તરે વિધાનસભા સંગઠન મંત્રીઓની નિયુક્તિઓ કરી છે અને તેમના માધ્યમથી અમે તમામ વિધાનસભાઓ તથા તાલુકાઓની સીટોથી લઈને ગ્રામ્ય…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અમદાવાદમાં રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, આજે સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે અને અમદાવાદના વિકાસ મોડલને સમગ્ર ગુજરાત સામે રજૂ કરવામાં આવે છે પરંતુ વિકાસ ફક્ત કાગળ પર છે. અમદાવાદમાં બે દિવસનો વરસાદ પડ્યો અને એમાં રોડ ધસી પડ્યા, મોટા મોટા ભુવા પડ્યા, કરોડોના ખર્ચે બનાવેલા રોડ તૂટી ગયા અને એના કારણે કોર્પોરેશનની પોલ ખુલી ગઈ. કોર્પોરેશન દ્વારા ડઝનો મીટીંગ કરવામાં આવી પરંતુ આયોજન અને…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત સરકારના ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ એસ. લક્ષ્મીનારાયણના સનસનાટી ભર્યા નવા આક્ષેપથી ચકચાર મચી છે. ૧૯૭૦ ના બેચના ભૂતપૂર્વ IAS ઓફિસરે ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેમણે મંદિરને ભેટમાં આપેલી આશરે સવા ક્વિન્ટલ વજનની ૮૦૦ ગ્રામ સોનુ જડેલી અત્યંત કીમતી શ્રી રામચરિતમાનસ પોથી મંદિરમાંથી ગાયબ થઈ ગઈ છે. તેમણે પોતાની સ્વર્ગસ્થ માતાના દાગીના ઓગાળીને આ વિશેષ પોથી પર ગોલ્ડ પ્લેટિંગ કરાવી હતું. અને ૨૦૨૪ ની ૮ એપ્રિલે સ્થાનિક પોલીસની મદદથી એને સ્થાપિત કરી હતી. પરંતુ થોડા મહિના પછી એ અદ્રશ્ય થઈ ગઈ હતી. ભૂતપૂર્વ ગૃહ સચિવે પોતાની…
આમ આદમી પાર્ટીના નેતા રમેશ મેરે એક વીડિયોના માધ્યમથી તંત્ર પર પસ્તાળ પાડતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અમે ગામલોકો અને મીડિયાના માધ્યમથી નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ સરકારને વારંવાર રજૂઆતો કરી રહ્યા છીએ, પરંતુ એવું લાગે છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના દોળિયા બાવત્રી પાસે આવેલો પુલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. વારંવારની રજૂઆતો છતાં સરકાર અને વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં આ પુલનું કામ એકદમ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે. નિયમ પ્રમાણે વાહનચાલકોને યોગ્ય અંતરેથી ડાયવર્ઝન આપવાનું હોય છે, પરંતુ અહીં કોન્ટ્રાક્ટરે છેક પુલની નજીક…
૮મા દિવસે ૪.૫૦ કરોડનું કલેક્શન કર્યું ‘વેલકમ ટુ ધ જંગલ’એ ૧૦૦ કરોડના ક્લબમાં મારી એન્ટ્રી સેકનિલ્કના રિપોર્ટ મુજબ ફિલ્મે પહેલા અઠવાડિયામાં ૯૩.૧૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અક્ષય કુમારની કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ રિલીઝ થયા પછીથી જ હિટ રહી છે. લોકો ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. ‘ભૂત બંગલા’ પછી તે ૨૦૨૬ની અક્ષયની બીજી સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે. એવામાં હવે ફિલ્મએ માત્ર ૯ દિવસમાં ૧૦૦ કરોડ ક્લબમાં પ્રવેશી ગઈ છે. તો ચાલો તમને જણાવીએ કે તે તેના બજેટના કેટલા ટકા રિકવર થઈ છે.‘વેલકમ ટુ ધ જંગલ’ એ બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કરી રહીછે. સેકનિલ્કના…
આનંદની કારકિર્દી અને ફિલ્મોથી ચાર પેઢીઓ પરિચિત ઐસે ના મુઝે તુમ દેખો: દેવઆનંદ અને ઝિન્નત અમાનની સફળ જાેડી ફિલ્મ આવી તે અગાઉનો દેશનો માહોલ ૧૯૬૭ના જનરલ ઈલેકશન પછી અજંપાભરી પરિસ્થિતિવાળો હતો આનંદની કારકિર્દી અને ફિલ્મોથી ચાર પેઢીઓ પરિચિત છે. તેમની ૧૧૫થી વધુ ફિલ્મોમાં ગાઈડ ફિલ્મ સર્વાધિક સફળ રહી હતી. અંગ્રેજી ફિલ્મ GUIDE ફલોપ જવા છતાં અને હિન્દી ગાઈડ માટે મૂળ લેખક આર કે નારાયણની ભારે નારાજગી હોવા છતાં ફિલ્મે અસાધારણ લોકપ્રિયતા મેળવી હતી. ૧૯૪૬થી ૨૦૧૧ એમ સાત દાયકા સુધી ફિલ્મોમાં અભિનય કરનાર દેવઆનંદ ૨૧મી સદીમાં એક દંતકથા સમાન બની ગયા છે. આવી જ લોકપ્રિયતામાં દેવઆનંદની અત્યંત સફળ ફિલ્મ તરીકે બીજા…
મોહનલાલે વન ટાઈમ એમ્નેસ્ટીની સ્કિમ હેઠળ ફોર્મ ભર્યું હાથીદાંત રાખવા બદલ કાનૂની માફી માગવા મોહનલાલના પ્રયાસો મોહનલાલે ટ્રાયલ કોર્ટની કાર્યવાહીને પડકારી છે અને કેરળ હાઈકોર્ટમાં આપરાધિક કેસને રદ કરવાની માગણી કરી છે મલયાલમ સુપરસ્ટાર મોહનલાલે સ્વીકાર્યું છે કે તેણે હાથીદાંત સહિતની વન્યજીવોને લગતી પ્રતિબંધિત ચીજાે પોતાના સંગ્રહમાં રાખી છે. હવે મોહનલાલે વન ટાઈમ એમ્નેસ્ટીની સ્કિમ હેઠળ ફોર્મ ભર્યું છે. મોહનલાલનો ઈરાદો વન્યજીવો સાથે સંકળાયેલી પોતાની વસ્તુઓને કાનૂની રૂપે કાયદેસર બનાવવાનો અને કાનૂની સુરક્ષા હાંસલ કરવાનો છે. સ્કીમની પ્રક્રિયા હેઠળ હાલ તેના આવેદનની ચકાસણી થઈ રહી છે.તપાસના હિસ્સા તરીકે વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ મોહનલાલના કોચી સ્થિત ઘરની મુલાકાત લીધી હતી…
દર વર્ષે ૨ વોરશિપ બનાવવાનો આપ્યો આદેશ ૩ દેશો ધ્રુજી ઉઠ્યા ! કિમ જાેંગ ઉને દરિયામાં ઉતાર્યું મહાવિનાશક યુદ્ધ જહાજ ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જાેંગ ઉને તાજેતરમાં નવા વિધ્વંસક કાંગ કોન પરથી ક્રૂઝ મિસાઈલ પરીક્ષણનું નિરીક્ષણ કર્યું આજકાલ જ્યાં મોટાભાગના દેશો આધુનિક ડ્રોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર વોર સિસ્ટમ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, ત્યારે ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જાેંગ ઉન પરંપરાગત પરંતુ, અત્યંત આક્રમક નૌકાદળનું સૈન્ય તૈયાર કરવામાં વ્યસ્ત છે. તાજેતરમાં જ કિમ જાેંગ ઉને ઉત્તર કોરિયાના નવા વિધ્વંસક (ડિસ્ટ્રોયર) કાંગ કોનના ડેક પરથી ક્રૂઝ મિસાઈલ પરીક્ષણોનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કર્યું હતું, જે સ્પષ્ટ સંકેત…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



