
- મુંદ્રા અને મેંગલોર પોર્ટ પર સાઉદી LPG ૪૮,૦૦૦ ટન ખાલી, રાંધણ ગેસ સપ્લાય મજબૂત
- નવસારીથી સુરત ડાયમંડ બુર્સ માટે નવી બસ સેવા શરૂ, હીરા કારીગરોને રોજિંદા મુસાફરીમાં રાહત
- બહેરીનમાં ૬૦% શિયા નારાજ, અમેરિકાના ફિફ્થ ફ્લીટ મથક પર યુદ્ધ પ્રભાવથી તણાવ વધ્યો
- ગુજરાતમાં લોકડાઉનની અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી, પુરતી ગેસ-ખાતર-ઇંધણ સ્ટોકની વ્યવસ્થા – હર્ષ સંઘવી
- કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ શાહિદુલ્લાહ મુનશીનું નામ મતદાર યાદીમાં ગાયબ – બે વાર ડોક્યુમેન્ટ સબમિટ છતાં નોંધાયો નહીં
- સોનાના ભાવમાં ૫.૭૭% વધારો, ગોલ્ડ ફ્યુચર્સ ૧,૪૪,૫૦૦ રૂ. અને સિલ્વર ૨,૨૭,૭૫૦ રૂ.
- રશિયાએ પેટ્રોલ નિકાસ પર પ્રતિબંધ લાદ્યો: સ્થાનિક પુરવઠો માટે ૧ એપ્રિલથી ચાર મહિના માટે રોકાણ
- નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન: વડાપ્રધાન મોદીએ કહ્યું – યુદ્ધથી વિશ્વ પરેશાન, અફવાઓથી દૂર રહો
Author: Garvi Gujarat
નવા પિતા વિકી કૌશલે ઇન્ટરવ્યુમાં દિકરા વિહાન વિશે વાતો કરી.કેટરિના સુપર હિરો છે, હું એને બહુ પ્રેમ કરું છું : વિકી કૌશલ.વિકી કૌશલની ૨૦૧૯ની ફિલ્મ ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇકનાં વિકીના પાત્રને જાેડીને તેનાં પર ચર્ચા પણ થઈ હતી.કેટરિના કૈફ અને વિકી કૌશલ ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું અને લોકપ્રિય કપલ છે. તેમણે ૨૦૨૧માં લગ્ન કર્યા હતાં અને ગયા વર્ષે ૭ નવેમ્બરે તેમને ત્યાં એક દિકરાનો જન્મ થયો હતો. પાછળથી તેમણે તેનાં નામ વિહાન કૌસલની પણ જાહેરાત કરી હતી. જેની સાથે વિકી કૌશલની ૨૦૧૯ની ફિલ્મ ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇકનાં વિકીના પાત્રને જાેડીને તેનાં પર ચર્ચા પણ થઈ હતી, જેમાં તેનું નામ મેજર વિહાન હતું. હવે…
અક્ષયે સોશિયલ મીડિયા પર બાબા અવતારમાં પોસ્ટર લોંચ કર્યું.અક્ષયના ‘ભૂતબંગલા’ અવતારે ભૂલ ભૂલૈયાની યાદ અપાવી.પ્રિયદર્શનની ભૂત બંગલાને અક્ષય પ્રોડ્યુસ કરી રહ્યો છે, તેની સાથે એકતા કપૂર અને શોભા કપૂર પણ જાેડાયા છે.અક્ષય કુમાર અને પ્રિયદર્શન ૧૬ વર્ષ પછી ‘ભૂત બંગલા’માં સાથે કામ કરી રહ્યા છે. એટલે તેમની ફિલ્મ વિશે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે, દર્શકોમાં પણ આ ફિલ્મ માટે ઘણી ઉત્સુકતા છે. ત્યારે હવે આ ફિલ્મનું અક્ષય કુમારનું મોશન પોસ્ટર લોંચ કરવામાં આવ્યું છે. જાેકે, દર્શકોને આ પોસ્ટરમાં મજા આવવાની કે ઉત્સુકતાને બદલે તેમને આ પોસ્ટર જાેઇને ભુલભુલૈયાની યાદ આવી ગઈ છે. મંગળવારે અક્ષય કુમારે ભૂત બંગલાનું મોશન પોસ્ટર…
કમલ હાસનને મળીને ખુશ થઈ ગયા બિગ બી.અમિતાભ બચ્ચને ‘કલ્કી ૨’નું શૂટિંગ શરૂ કર્યું.અમિતાભ બચ્ચને ફિલ્મના સેટ પરથી પણ કેટલાક ફોટા શેર કર્યા હતા. આ ફોટામાં તેઓ કમલ હાસન સાથે જાેવા મળી રહ્યા છે.દર રવિવારે અમિતાભ બચ્ચનના મુંબઈ નિવાસસ્થાન જલસાની બહાર ફેન્સની ભીડ એકઠી થાય છે. બિગ બી બધાને મળે છે અને શુભેચ્છા પાઠવે છે. જાેકે, ગયા રવિવારે આ પરંપરા તૂટી ગઈ હતી, કારણ કે અમિતાભ બચ્ચન કામ માટે મુંબઈમાં નહીં, પણ હૈદરાબાદમાં હતા. તેઓ ફિલ્મ ‘કલ્કી ૨૮૯૮ એડી’ ના શૂટિંગ માટે ત્યાં હતા. તેમણે તેમના તાજેતરના બ્લોગમાં આ વાતનો ખુલાસો કર્યાે હતો.અમિતાભ બચ્ચન નિયમિતપણે બ્લોગ લખે છે. તેમના તાજેતરના…
રણવીર સિંહને હાઈકોર્ટની ફટકાર.સુપરસ્ટાર માટે કાયદા અલગ નથી, બોલતા પહેલા વિચારવું જાેઈએ.રણવીર સિંહે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી રાહતની માગ સાથે FIR રદ કરવાની અરજ કરી.કાંતારા ફિલ્મના પાત્રો પર કમેન્ટ અને મિમિક્રીને લઈને બૉલીવુડનો અભિનેતા રણવીર સિંહ ફસાઈ ગયો છે. કન્નડ ફિલ્મ કાંતારાના એક સીન પર રણવીર સિંહે કમેન્ટ અને મિમિક્રી કરી હતી, જેના પર કર્ણાટક હાઈકોર્ટે ફટકાર લગાવી છે. હાઈકોર્ટે રણવીરસિંહને લાપરવાહ બતાવી કહ્યું કે, ‘અભિનેતા કે સુપર સ્ટાર કાયદાની ઉપર કોઈ નથી. તમે રણવીરસિંહ હોવ કે કોઈ બીજા. તમે બિલકુલ ઢીલે ઢાલે ન થઈ શકો. તમે એક અભિનેતા છો તમારી ઘણા લોકો પર અસર છે. તમારે જવાબદાર બનવું…
ગેંગ વિરુદ્ધ દેશભરમાં ૯૦થી વધુ ફરિયાદો સોમનાથ ટ્રસ્ટના નામે ઓનલાઈન છેતરપિંડી નકલી વેબસાઈટ, આરોપીઓએ સોમનાથ ટ્રસ્ટના અધિકૃત ગેસ્ટ હાઉસ જેવા કે સાગર દર્શન, લીલાવતી અને મહેશ્વરી અતિથિગૃહના નામે ફેક વેબસાઈટ બનાવી હતી સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરતી એક આંતરરાજ્ય ગેંગનો સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનના જયપુર અને ભરતપુર વિસ્તારમાંથી પોલીસે કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ અત્યંત આધુનિક પદ્ધતિથી પ્રવાસીઓને શિકાર બનાવતી હતી નકલી વેબસાઈટ, આરોપીઓએ સોમનાથ ટ્રસ્ટના અધિકૃત ગેસ્ટ હાઉસ જેવા કે સાગર દર્શન, લીલાવતી અને મહેશ્વરી અતિથિગૃહના નામે ફેક વેબસાઈટ બનાવી હતી. તેઓ ‘Agoda‘ જેવા જાણીતા પ્લેટફોર્મ પર…
ચામુંડા મંદિરે પૂનમનો ઉત્સાહ ચંદ્રગ્રહણની સૂતક છતાં ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા રહેશે ચંદ્રગ્રહણની સ્થિતિ હોવા છતાં ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે માતાજીના દર્શનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી આ વર્ષે પૂનમના દિવસે ચંદ્રગ્રહણની સ્થિતિ હોવા છતાં ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે માતાજીના દર્શનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.હોળી અને ફાગણી પૂનમના પવિત્ર પર્વ પર ચોટીલા ચામુંડા માતાજીના દર્શનનું અનેરું મહત્વ રહેલું છે. આ વર્ષે પૂનમના દિવસે ચંદ્રગ્રહણની સ્થિતિ હોવા છતાં, ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે માતાજીના દર્શનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભક્તો રાબેતા…
બાંગ્લાદેશની નવી સંસદ ૧૨ માર્ચે મળશે, રાષ્ટ્રપતિનો સત્તાવાર આદેશ આ સત્ર બાંગ્લાદેશના બંધારણના અનુચ્છેદ ૭૨(૧) હેઠળ બોલાવવામાં આવ્યું છે બાંગ્લાદેશમાં લોકસભા ચૂંટણી બાદ હવે નવી સંસદ કાર્યરત થવા જઈ રહી છે. દેશના રાષ્ટ્રપતિ એ ૧૨ માર્ચે સંસદનું પહેલું સત્ર બોલાવવાનો સત્તાવાર આદેશ જારી કર્યો છે. રાષ્ટ્રીય સંસદ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ સત્ર બાંગ્લાદેશના બંધારણના અનુચ્છેદ ૭૨(૧) હેઠળ બોલાવવામાં આવ્યું છે. બંધારણ મુજબ, સામાન્ય ચૂંટણીના પરિણામોની ગેઝેટ સૂચના બહાર પડ્યા બાદ ૩૦ દિવસની અંદર નવી ચૂંટાયેલી સંસદનું પ્રથમ સત્ર બોલાવવું ફરજિયાત છે. રાષ્ટ્રપતિ વડા પ્રધાનની લેખિત સલાહના આધારે સત્ર બોલાવે છે. આ નિયમ લોકતંત્રની પ્રક્રિયાને સમયસર આગળ વધારવા…
બંને દેશો વચ્ચે ૫ મોટી ડીલ્સની શક્યતા કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની પ્રથમ વખત ભારતની મુલાકાતે કેનેડા પાસે લિથિયમ અને કોબાલ્ટ જેવા ‘ક્રિટિકલ મિનરલ્સ‘નો મોટો ભંડાર છે, જે ઇલેક્ટ્રિક વાહનો ની બેટરી બનાવવા માટે જરૂરી છે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આ જ મહિને દિલ્હી પહોંચશે. આ મુલાકાત એવા સમયે અત્યંત મહત્વની માનવામાં આવે છે જ્યારે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને વેપારમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માર્ક કાર્ની મળીને બંને દેશોના સંબંધોનું ‘રીસેટ બટન‘ દબાવશે. છેલ્લા કેટલાક સમયથી ભારત અને કેનેડા વચ્ચે જે ખટાશ અને કડવાશ પેદા થઈ હતી, તે…
પાકિસ્તાનનું રાજકારણ ગરમાયું જેલમાં બંધ ઈમરાન ખાનને અડધી રાત્રે હોસ્પિટલ ખસેડાયા આ દરમિયાન મંગળવારે પાકિસ્તાનમાં ત્યારે ખળભળાટ મચી ગયો. જ્યારે તેમના સમર્થકોને જાણવા મળ્યું કે ઈમરાન ખાનને રાત્રે ૨ વાગ્યે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા પાકિસ્તાનમાં સત્તા પરથી હટ્યા બાદ નેતાઓ માટે જીવન સરળ નથી. પૂર્વ પીએમ ઈમરાન ખાન ૩ વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ છે અને તેમના પરિવાર કે સમર્થકોને તેમને મળવાની પણ પરવાનગી નથી. એટલું જ નહીં, તેમના ખાનગી ડોક્ટરો અને વકીલોને પણ મળવા દેવામાં આવતા નથી. આ દરમિયાન મંગળવારે પાકિસ્તાનમાં ત્યારે ખળભળાટ મચી ગયો. જ્યારે તેમના સમર્થકોને જાણવા મળ્યું કે ઈમરાન ખાનને રાત્રે ૨ વાગ્યે હોસ્પિટલ લાવવામાં આવ્યા…
દિલ્હીના લોકો માટે સારા સમાચાર હોળીના તહેવારમાં મફત મળશે ન્ઁય્ ગેસ સિલિન્ડર દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયે ૫ ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી શેર કરી હતી દિલ્હીના લોકો માટે સારા સમાચાર છે. તેમને હોળી પર મફત સિલિન્ડર મળશે. રેખા ગુપ્તાની દિલ્હી સરકાર હોળીથી મફત સિલિન્ડર યોજના શરૂ કરશે. આ યોજના હેઠળ, DBT દ્વારા સીધા લાભાર્થીઓના ખાતામાં ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવશે. બધા રેશનકાર્ડ ધારકોને મફત સિલિન્ડર મળશે. માત્ર હોળી પર જ નહીં, પરંતુ દિલ્હીના રેશનકાર્ડ ધારકોને પણ દિવાળી પર મફત ગેસ સિલિન્ડર મળશે. દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયે ૫ ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી શેર કરી હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



