- જાે રૂટ સચિનનો ટેસ્ટ રન રેકોર્ડ તોડવાની નજીક, માત્ર 1,847 રન દૂર
- બ્રિટનના રાજકારણમાં ભૂકંપ: વડાપ્રધાન કીર સ્ટાર્મરનું રાજીનામું, લેબર પાર્ટીમાં હલચલ
- કૈલાશ માનસરોવર યાત્રા 30 જૂનથી શરૂ, યાત્રાળુઓ માટે માર્ગદર્શિકા અને નિયમો જાહેર
- ફિફા વર્લ્ડ કપ 2026માં મોટો ઉલટફેર, ઉરુગ્વે-કેપ વર્ડે મેચ 2-2થી ડ્રો
- વડાપ્રધાન મોદીની હાજરીમાં 3 સ્વદેશી અત્યાધુનિક યુદ્ધપોત નૌકાદળમાં સામેલ, દરિયાઈ શક્તિમાં વધારો
- રાતભરની ચર્ચા બાદ અમેરિકા-ઈરાન 60 દિવસમાં પરમાણુ કરાર માટે સહમત, તણાવમાં ઘટાડાની આશા
- પંકજ ત્રિપાઠીના ભાઈ પર ધારદાર હથિયારોથી જીવલેણ હુમલો, હાલત ગંભીર
- બીજાં લગ્નના છ મહિના બાદ સામંથા પ્રેગનન્ટ હોવાની અટકળો, ડિસેમ્બરમાં માતા બને તેવી ચર્ચા
Author: Garvi Gujarat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતમાં ગરીબો માટે શિક્ષણ મેળવવું અઘરું બની રહ્યું છે તેનું કારણ નીતિ આધારિત અસમાનતાઓ. એક તરફ સરકારી સંસ્થાઓનું ભંડોળ ઓછું કરી દેવાયું છે અને બીજી તરફ ખાનગી શિક્ષણનો ઊંચો ખર્ચ અને કોચિંગ સેન્ટરોની મોંઘીદાટ ફી ગરીબ પરિવારોને પરવડે તેમ નથી. ઉપરાંત શિક્ષણ સામાજિક સ્થિરતા લાવી શકે છે તેવો તેમનો વિશ્વાસ પણ ડગમગી રહ્યો છે. ત્યારે યાદ કરીએ નહેરુ યુગ, નહેરુના સમયમાં ભારતમાં ગરીબો શિક્ષણને મહાન સ્તરીકરણ માનીને એક સરળ ક્રાંતિકારી વિચારમાં વિશ્વાસ રાખતા હતા. “પઢ જાયેંગે તો બઢ જાયેંગે” (“ભણીશું તો આગળ વધીશું”) તેમના માટે શિક્ષણ જાતિ, ગરીબી, જન્મના વારસાગત ગેરફાયદામાંથી બહાર નીકળવાનો માર્ગ હતો. ભારતના…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશના વિવિધ રાજ્યોની હાલમાં જ થયેલી ચૂંટણીઓ પછી પશ્ચિમ બંગાળમાં સત્તા પલટો થયો અને બંગાળના ઇતિહાસમાં કદી પણ સત્તા ન મેળવી શકેલા એક પક્ષને બંગાળનું સિંહાસન મળ્યું છે એટલે આ પક્ષ (ભાજપ)ના કાર્યકરો અને નેતાઓમાં જીતનો ઉભરો આવે એ સ્વાભાવિક ગણાય પરંતુ કમનસીબે વિજયને પચાવી ન શકેલા. વિજેતા ભાજપ પક્ષના નેતાઓ અને કાર્યકરોએ જે રીતે વિજયની ઉન્માદી ઉજવણી કરી છે તેના કારણે સમગ્ર બંગાળ હિંસાની આગમાં સપડાઈ ગયું છે. અને એને કારણે સભ્ય અને સંસ્કારી સમાજ એ બંગાળનો હોય કે અન્ય કોઈપણ રાજ્યનો તેના મનમાં દહેશત,ભય અને ચિંતાનું લખલખુ પસાર થઈ રહ્યું છે. સૌના હોઠ ઉપર…
ISI નો હાથ હોવાની આશંકા પંજાબમાં BSF અને આર્મી કેમ્પ નજીક વિસ્ફોટ જાલંધરમાં થયેલા ધડાકા માટે ખાલિસ્તાન લિબરેશન આર્મીએ જવાબદારી લીધી છે અને પોલીસ દ્વારા આ દાવાની ચકાસણી થઈ રહી છે પંજાબમાં સલામતી દળોની બે છાવણી નજીક મંગળવારે રાત્રે અલગ-અલગ બોમ્બ વિસ્ફોટના પગલે ગભરાટ સાથે સાવચેતીનો માહોલ સર્જાયો છે. આ વિસ્ફોટોમાં પાકિસ્તાનની કુખ્યાત આઈએસઆઈનો હાથ હોવાની આશંકા છે, જ્યારે રાજકીય મોરચે પરસ્પર આક્ષેપોનો મારો શરૂ થઈ ગયો છે. ઓપરેશન સિંદૂરની જયંતિ પૂર્વે થયેલા આ વિસ્ફોટને સલામતી દળો ઉપરાંત ગુપ્તચર સંસ્થાઓએ અત્યંત ગંભીરતાથી લીધી છે. જાલંધર શહેરનજીક આવેલા બીએસએપના પંજાબ ળન્ટિયર હેકક્વાર્ટરની બહાર મંગળવારે રાત્રે ૮ કલાકે વિસ્ફોટ થયો હતો, જ્યારે…
પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત સંબંધો પર પ્રતિબંધ યથાવત: રમત મંત્રાલય બહુપક્ષીય ટુર્નામેન્ટ માટે પાકિસ્તાનના ખેલાડીઓને ભારતમાં પ્રવેશ મળશે ભારત આગામી ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૬ ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની મહત્વાકાંક્ષા ધરાવે છે ભારત સરકારના રમતગમત મંત્રાલયે બુધવારે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમતગમત સંબંધો પર ગયા વર્ષે લાદવામાં આવેલો સંપૂર્ણ પ્રતિબંધ યથાવત રહેશે. જાેકે આંતરરાષ્ટ્રીય સ્તરની બહુરાષ્ટ્રીય રમતગમતની ઇવેન્ટ માટે પાકિસ્તાની ખેલાડીઓને ભારત આવતા અટકાવવામાં આવશે નહીં.મંત્રાલયે ભારતને “રમતગમત માટેના પસંદગીના સ્થળ” તરીકે સ્થાપિત કરવા માટે ખેલાડીઓ, ટીમના અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ અને આંતરરાષ્ટ્રીય રમત સંસ્થાઓના હોદ્દેદારો માટે વિઝા પ્રક્રિયાને સરળ બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યાે…
IMF ની ચેતવણી ‘ભારતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જ પડશે, નહીંતર અર્થતંત્ર પર અસર થશે’ ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલતા તનાવના લીધે ક્રૂડ ઓઇલના પુરવઠા પર અસર પડી છે. તેના લીધે ક્રૂડની કિંમત સતત વધી રહી છે અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધની વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. આ દરમિયાન આઇએમએફ (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ)ના એશિયા પેસિફિક વિભાગના ડિરેક્ટર કૃષ્ણ નિવાસને જણાવ્યું છે કે ભારત સરકારે વહેલા કે મોડા ભાવ વધારવા જ પડશે, જાે નહીં વધારે તો અર્થતંત્ર પર અસર પડશે. તેની વચ્ચે ભારત સરકારે ભાવમાં વધારો નહી કરવાનું રટણ જારી રાખ્યું છે.તેમનું કહેવું છે કે ભારતે આગામી દિવસોમાં…
આગામી ઓક્ટોબરમાં શૂટિંગ શરુ થઈ શકે જાહ્નવી અને શાહિદ પહેલીવાર સાથે કામ કરે તેવી શક્યતા છેલ્લા કેટલાક સમયથી એક્શન ફિલ્મો કરી રહેલો શાહિદ લાંબા સમયથી એક હળવા સબ્જેકટની શોધમાં હતો શાહિદ કપૂર અને જાહ્નવી કપૂર એક રોમ કોમમાં સાથે કામ કરે તેવી શક્યતા છે. ‘બધાઈ હો’ના ડિરેક્ટર અમિત શર્માએ તેમને એક ફિલ્મની ઓફર કરી છે. આ પ્રોજેક્ટ આગળ વધશે તો ફિલ્મી પડદે પહેલીવાર શાહિદ અને જાહ્નવીનુ કોલબરેશન જાેવા મળશે. છેલ્લા કેટલાક સમયથી એક્શન ફિલ્મો કરી રહેલો શાહિદ લાંબા સમયથી એક હળવા સબ્જેકટની શોધમાં હતો. બીજી તરફ જાહ્નવી પણ બોલિવુડમાં કારકિર્દી સ્થિર થાય તેવી કોઈ સારી ફિલ્મ શોધી રહી છે. અમિત…
કેટલાક સમયથી રણવીર લાઈમલાઈટમાંથી અદ્રષ્ય દિપિકા શૂટિંગમાં બીઝી, રણવીર ઘરે પુત્રીને સંભાળે છે દિપિકા શાહરૂખ સાથેની ફિલ્મ કિંગના શુટિંગમાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ ધુરંધર બાદ હવે રણવીર પ્રલય ફિલ્મ પર કામ શરૂ કરશે બોલીવૂડ એક્ટર રણવીર સિંહ હાલમાં કામ છોડીને એક સારા પતિ અને પિતા હોવાની જવાબદારી નીભાવી રહ્યો છે. અહેવાલો અનુસાર દિપિકા હાલમાં કેપટાઉનમાં પોતાના અપકમિંગ ફિલ્મ કિંગની શૂટિંગમાં વ્યસ્ત છે. આ સંજાેગોમાં રણવીર સિંહ ઘરે રહીને પોતાની પુત્રી દુઆનું ધ્યાન રાખી રહ્યો છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે કે પાછલા કેટલાક સમયથી રણવીર લાઈમલાઈટમાંથી અદ્રષ્ય થઈ ગયો હતો. નોંધનીય છે કે રણવીર માટે તેની પુત્રી દુઆ…
ફિલ્મ હવે માર્ચ ૧૯, ૨૦૨૬ રિલિઝ થશે કિઆરાએ ટોક્સિકમાં બોલ્ડ સીન ઓછા કરવાની વાતને ફગાવી દીધી ટોક્સિક ડિસેમ્બર ૨૦૨૩માં જાહેર થઈ હતી અને તેનું શૂટિંગ ઑગસ્ટ ૨૦૨૪થી ઑક્ટોબર ૨૦૨૫ વચ્ચે થયું હતું કિયારા અડવાણીએ આખરે ‘ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ વિશે ફેલાયેલી અફવાઓ પર કડક પ્રતિસાદ આપતાં સ્પષ્ટતા કરી છે. એવા અહેવાલો હતાં કે કિઆરાએ યશ સાથેના રોમેન્ટિક સીનમાં અસહજ હોવાનું કહીને તેને ઘટાડવા માટે મેકર્સને જણાવ્યું છે. આ અંગેના અહેવાલો મુજબ, ગીતા મોહનદાસ દ્વારા ર્નિદેશિત આ ફિલ્મની રિલીઝમાં વારંવાર ફેરફાર થયાં છે, પરંતુ તે સતત ચર્ચામાં રહી છે. તાજેતરમાં ‘ઇન્ડસ્ટ્રી બઝ’ પર આધારિત અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો…
ફિલ્મમેકર કરણ જાેહરે મેટ ગાલામાં હાજરી આપી મેટ ગાલાની ક્ષણ મારી કૅરિયરમાં “ફુલ સર્કલ” જેવી લાગે છે મને યાદ છે કે મારા જીવનમાં ફેશનની શરૂઆત વોગથી થઈ. હું ૧૨ વર્ષનો હતો ત્યારે મેં પહેલી વાર આ મેગેઝિન વાંચ્યું હતું : કરન જાેહર ફિલ્મમેકર કરણ જાેહરે ન્યૂયોર્કમાં મેટ ગાલા ૨૦૨૬માં હાજરી આપતા પહેલાં ફેશન અને સિનેમામાં તેની યાત્રા વિશે વાત કરી હતી. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ખાતે થયેલી વાતચીત દરમિયાન, કરણે જણાવ્યું હતું કે તેની કૅરિયર હવે ફરીથી ફેશન તરફ વળી છે, જે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ્સમાંનું એક છે.તેના શરૂઆતના દિવસોને યાદ કરતા કરણે કહ્યું, “મેં મૂળ રૂપે કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે શરૂઆત…
ચૂંટણી પરિણામો બાદ મમતા બેનર્જી આક્રમક મૂડમાં ‘મને બરતરફ કરો, રાજીનામું તો નહીં જ આપું’, મમતા બેનર્જીએ જીદ પકડી મમતાનો પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને વિરોધ નોંધાવવા માટે વિધાનસભાના પહેલા દિવસે કાળા કપડાં પહેરીને આવવાનો આદેશ પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોઈ પણ સંજાેગોમાં રાજીનામું નહીં આપે. ચૂંટણી પંચ, સીઆરપીએફ અને પોલીસ પર મોટા ષડયંત્રનો આરોપ લગાવતા તેમણે દાવો કર્યો છે કે તેમના હારેલા ઉમેદવારોને બળજબરીથી હરાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, મમતાએ પોતાની પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને વિરોધ નોંધાવવા માટે વિધાનસભાના પહેલા દિવસે કાળા કપડાં પહેરીને આવવાનો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



