- ટ્રમ્પની કડક ચેતવણી બાદ ઈરાનનો જવાબ, અમેરિકા કાર્યવાહી બંધ કરે ત્યાં સુધી વાતચીત નહીં
- મુંબઈની તાજ હોટેલને બોમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કંઈ શંકાસ્પદ ન મળ્યું; પોલીસ એલર્ટ
- સરગવાળામાં ગેસ પાઇપલાઇન વિરોધી ખેડૂત આંદોલન નવમા દિવસે, AAPએ લેખિત બાંહેધરીની માંગ કરી
- ભારે વરસાદ બાદ સુરતમાં રોગચાળાનો ભય, 7,000 સફાઈ કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવાની માંગ
- સુરતમાં ખાડીઓ પરના ગેરકાયદે દબાણો અને ભ્રષ્ટાચારથી પૂર સમસ્યા વકરી, કાર્યવાહી કરવાની માંગ
- કપાસ ક્રાંતિ મિશન ખેડૂતો નહીં, ભાજપના મળતિયાઓને ફાયદો પહોંચાડવાની યોજના: AAPનો આક્ષેપ
- मुंबई के वरिष्ठ साहित्यकार डॉ. दिनेश प्रताप सिंह को लखनऊ में कृष्ण प्रताप सिंह स्मृति राष्ट्रीय सम्मान
- અમિત શાહના હસ્તે અમદાવાદમાં 1.25 કરોડ વૃક્ષારોપણ, ₹405 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
Author: Garvi Gujarat
ફિલ્મ ૧૨ જૂને રિલીઝ થશે હોરર ફિલ્મના પ્રમોશનનો નવો નુસખો ‘સ્ક્રીમર્સ’ ‘હોન્ટેડ થ્રીડી- ઇકોઝ ઓફ ધ પાસ્ટ’ના પ્રમોશન માટે બાઈટ સાઇઝ હોરર પ્રોમો બનાવાશે આનંદ પંડિત અને વિક્રમ ભટ્ટની આવનારી હોરર ફિલ્મ ‘હોન્ટેડ થ્રીડી: ઇકોઝ ઓફ ધ પાસ્ટ’ની રિલીઝની તૈયારી થઈ રહી છે. મિમોહ ચક્રવર્તી અને ચેતના પાંડે આ ફિલ્મમાં લીડ રોલમાં હશે, જે ૧૨ જૂન, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આજકાલ હોરર ફિલ્મ અને હોરર કોમેડી ફિલ્મમાંથી કેટલીક ચાલે છે અને કેટલીક ફિલ્મો ફ્લોપ થાય છે, ત્યારે ફિલ્મની ટીમ દ્વારા પ્રમોશન માટે અલગ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે. પરંપરાગત ટ્રેલર કેમ્પેઇન છોડીને, વિક્રમ ભટ્ટે ફિલ્મને પ્રમોટ કરવા માટે “સ્ક્રીમર્સ”…
ફરહાન આશુતોષ ગોવારિકરની ક્રિકેટર લાલા અમરનાથ પર આધારિત બાયોપિકમાં આમિર ખાન સાથે જાેડાશે ફરહાન અખ્તર લેજેન્ડ ભારતીય ક્રિકેટર લાલા અમરનાથ પર આધારિત આશુતોષ ગોવારિકરની આગામી સ્પોર્ટ્સ ડ્રામામાં આમિર ખાન સાથે જાેડાશે એવી ચર્ચા છેે આઇકોનિક લગાનની જાેડી આમિર ખાન અને ફિલ્મમેકર આશુતોષ ગોવારિકર ફરી એકવાર સાથે આવવાની તૈયારીમાં છે. આ મજબુત જાેડી ૨૫ વર્ષ બાદ એક વિશાળ અને મોટાં રોકાણ સાથે બની રહેલી પીરિયડ સ્પોર્ટ્સ બાયોપિક માટે ફરી સાથે આવી રહી છે, જે લેજેન્ડ ભારતીય ક્રિકેટર લાલા અમરનાથના જીવન પર આધારિત છે. હવે આ ફિલ્મ અંગેની તાજી અપડેટ એ છે કે અભિનેતા-ફિલ્મમેકર ફરહાન અખ્તર પણ ફિલ્મમાં મહત્વની ભુમિકા ભજવવા માટે…
‘ચુનરી ચુનરી’ રીમિક્સ પર ભડક્યો સિંગર અભિજીત વરુણ ધવન ક્યારેય સલમાન ખાન જેવો નહીં બની શકે ઇન્ટરનેટ પર પણ લોકો આ રિમેકથી નારાજ છે અને તેને એક નબળો પ્રયાસ ગણાવી રહ્યા છે બોલિવૂડના દિગ્ગજ સિંગર અભિજીત ભટ્ટાચાર્ય પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા છે. હાલમાં જ તેમણે સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘બીવી નંબર ૧’ (૧૯૯૯)ના આઇકોનિક ગીત ‘ચુનરી ચુનરી’ના રિમેક વર્ઝન પર આકરા પ્રહારો કર્યા છે. વાસ્તવમાં, વરુણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુરની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં આ ગીતને રિક્રિએટ કરવામાં આવ્યું છે, જે અભિજીતને બિલકુલ પસંદ આવ્યું નથી. તેમણે એક ઈન્ટરવ્યૂમાં આ નવા વર્ઝનને ‘ભજન’…
ગુજરાતના ખેડૂતો માટે સરકારનો મોટો ર્નિણય.ખેડૂતોના હિતમાં તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં ફેરફાર કર્યો.સરકાર દ્વારા પ્રતિ રનિંગ મીટર રૂ. ૩૦૦ અથવા વાસ્તવિક ખર્ચના ૫૦ ટકા સુધી સહાય આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળ બેઠકમાં ખેતર ફરતે તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. આ ર્નિણયથી ખેડૂતોને પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાન સામે વધુ સુરક્ષા મળશે. રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉ ખેડૂતોને તાર ફેન્સિંગ માટે પ્રતિ રનિંગ મીટર રૂ. ૨૦૦ અથવા કુલ ખર્ચના…
વન વિભાગમાં ભડકો.ગીરના સિંહોની સારવાર કરતા ૧૨ વેટરનરી ડૉક્ટર્સના સામુહિક રાજીનામા.આ અન્યાયી વલણ સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરીને ડૉક્ટર્સે અગ્ર મુખ્ય વન સંરક્ષકને પત્ર લખીને પોતાના પદો પરથી રાજીનામા આપી દીધા છે.ગુજરાતના વન વિભાગમાં એક મોટો ભડકો થયો છે, જેની સીધી અસર એશિયાટિક સિંહોના આરોગ્ય અને સંરક્ષણ પર પડી શકે છે. ગીર અને અન્ય વન્યજીવ વિસ્તારોમાં સિંહો સહિતના વન્યપ્રાણીઓની દિવસ-રાત સારવાર કરતા તમામ ૧૨ કરાર આધારિત વેટરનરી ડૉક્ટર્સે એક મહિનાની નોટિસ સાથે સામુહિક રાજીનામા ધરી દેતાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે. આ તમામ તબીબો ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટીના તાબા હેઠળ સક્કરબાગ ઝૂ સહિત રાજ્યના વિવિધ રેસ્ક્યૂ…
તમામ આવન-જાવનની સેવાઓ સ્થગિત રહેશે.જૂનાગઢ ગિરનાર રોપ-વેમાં વાર્ષિક મેન્ટેનન્સ, ૯ દિવસ સેવા રહેશે સ્થગિત.ગિરનાર રોપ-વે સેવા યાત્રિકોની સુરક્ષા અને નિયમિત મેન્ટેનન્સ કામગીરીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.જૂનાગઢના ગિરનાર ખાતે આવેલ ગિરનાર રોપ દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ટેકનિકલ મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવશે. સંચાલક મંડળ દ્વારા જાહેર કરાયા મુજબ રોપ-વે સેવા ૨ જૂન ૨૦૨૬ થી ૧૦ જૂન ૨૦૨૬ સુધી સંપૂર્ણ રીતે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન તમામ આવન-જાવનની સેવાઓ સ્થગિત રહેશે. ગિરનાર પર્વત પર આવેલા ભગવાન દત્તાત્રેયના પવિત્ર સ્થાન, મા અંબા મંદિર તેમજ જૈન દેરાસરોના દર્શન…
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસતથ્ય પટેલને ૨ વર્ષ ૧૦ મહિના બાદ SC માંથી મળ્યા જામીન.એસજી હાઇવે ઇસ્કોન બ્રિજ પર ૨૦૨૩ના બહુચર્ચિત અકસ્માત કેસમાં ૯ના મોતના આરોપીને જામીન મળ્યા.શહેરના એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર બનેલા બહુચર્ચિત અકસ્માત કેસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. અકસ્માત સર્જનાર તથ્ય પટેલને નિયમિત જામીન મળ્યા છે. તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે. આ કેસમાં તથ્યને ૨ વર્ષ ૧૦ મહિના બાદ જામીન મળ્યા છે. હાલ ટ્રાયલ કોર્ટમાં સાક્ષી તપાસવાની પ્રકિયા ચાલી રહી છે. શહેરના ઇસ્કોન બ્રિજ પર ગત તારીખ ૨૦મી જુલાઈ ૨૦૨૩ના રાત્રીના સમયે ૧૪૨.૫ કિલોમીટરથી વધુની સ્પીડે જેગુઆર ગાડી હંકારીને તથ્ય પટેલે ૯…
કચ્છના દરિયામાં નશાનો મોટો પર્દાફાશ.૧ હજાર કરોડનું કોકેઈન ઝડપાયું, ATS–કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન.આ ડ્રગ્સ બ્રાઝીલથી લોડ કરવામાં આવ્યું હતું અને કરાંચી મારફતે દરિયાઈ માર્ગે લાવવામાં આવી રહ્યું હતું.કચ્છમાં ફરી નશાનો સામાન ઝડપાયો છે. ATS, કોસ્ટગાર્ડ અને કસ્ટમ વિભાગની ટીમે મળીને આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં બ્રાઝીલથી ભારતમાં લાવવામાં આવેલો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે. કચ્છના દરિયામાં નશાના સોદાગરો સામે ATS એ મોટી સફળતા મેળવી છે. મધ દરિયે ચાલી રહેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન અંદાજે ૧ હજાર કરોડ રૂપિયાની કિંમતનું કોકેઈન ઝડપી લેવામાં આવ્યું છે. આ કાર્યવાહી Anti Terrorism Squad…
પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG ભાવમાં ભડકો.અદાણી ગેસે પ્રતિ કિલોગ્રામ ૨ રૂપિયાનો વધારો ઝીંક્યો. CNG ભાવમાં ફરી વધારો થતાં વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જાેડાયેલા લોકો પર આર્થિક ભાર વધ્યો છે.ગુજરાતમાં અદાણી ગેસે ફરી એકવાર સીએનજી (CNG)ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ૨ રૂપિયાનો વધારો ઝીંક્યો છે. મોંઘવારીના મારથી પીડાતા સામાન્ય ગ્રાહકો પર આ વધારાથી આર્થિક બોજ વધુ વધશે. આ તાજેતરના ભાવવધારા બાદ હવે અદાણી CNG કિંમત વધીને ૮૮.૨ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આ નવા વધારા સાથે વર્ષ ૨૦૨૬ની શરૂઆતથી અત્યાર સુધીમાં ગુજરાતમાં CNG ભાવમાં પ્રતિ કિલોએ કુલ ૮.૬૦ રૂપિયાનો તોતિંગ વધારો થઈ ચૂક્યો છે. ચાલુ મે મહિનામાં જ CNG ભાવમાં…
દિગ્ગજ નેતાના દાવાથી રાજકીય ગરમાવો.તૃણમૂલના ૨૦ સાંસદ અને ૫૦ ધારાસભ્ય પક્ષપલટાની તૈયારીમાં.મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ હવે પોતાના જ નેતાઓના આંતરિક અસંતોષનો સામનો કરી રહી છે.પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (તૃણમૂલ) હવે પોતાના જ નેતાઓના આંતરિક અસંતોષનો સામનો કરી રહી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને બાંકુડાના સાંસદ સૌમિત્ર ખાને એક એવો દાવો કર્યો છે, જેનાથી બંગાળના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સૌમિત્ર ખાને દાવો કર્યો છે કે, તૃણમૂલના આશરે ૫૦ ધારાસભ્યો અને ૨૦ સાંસદો પોતાની પાર્ટીથી નારાજ છે અને ભાજપમાં આવવા માટે તૈયાર બેઠા છે. સૌમિત્ર ખાને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



