
વડાપ્રધાને છત્તીસગઢના અંબિકાપુર મ્યુનિ. કોર્પોરેશનની પ્રશંસા કરી GSTમાં ઘટાડાના કારણે સ્વદેશી વસ્તુઓનું વેચાણ અને તહેવારોની રોનક વધી : મોદી
મોદીએ ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમના ૧૨૭માં એપિસોડમાં દેશ અને વિદેશના લોકો સાથે વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે (૨૬મી ઓક્ટોબર) ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમના ૧૨૭માં એપિસોડમાં દેશ અને વિદેશના લોકો સાથે વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતા. તેમણે તહેવારોની સિઝનમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં થયેલા જંગી વધારા અને સ્વચ્છતાની પહેલની પ્રશંસા કરી હતી.
મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ વર્ષે સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં ભારે ઉછાળો આવ્યો છે અને ઉત્સવની ભાવના પહેલા કરતાં વધુ ઉત્સાહ સાથે જોવા મળી રહી છે. લોકો GST બચત મહોત્સવને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તહેવારો દરમિયાન બજારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં જબરદસ્ત વધારો થયો છે.
વધુમાં તેમણે ખાદ્ય તેલના વપરાશમાં ૧૦ ટકા ઘટાડો કરવાના પોતાના આગ્રહનો પણ ઉલ્લેખ કર્યો, જેના પર લોકોએ ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા માટેના એક અનોખા પગલા બદલ છત્તીસગઢના અંબિકાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રશંસા કરી. તેમણે કહ્યું, છત્તીસગઢના અંબિકાપુરમાં ગાર્બેજ કાફે ચલાવવામાં આવી રહ્યા છે. આ કાફે એવા છે જ્યાં પ્લાસ્ટિકના કચરાના બદલામાં તમને સંપૂર્ણ ભોજન મળે છે. આ પહેલ હેઠળ, જો કોઈ વ્યક્તિ એક કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિક લાવે છે, તો તેને લંચ કે ડિનર આપવામાં આવે છે, અને જો તે અડધો કિલોગ્રામ પ્લાસ્ટિક લાવે છે, તો તેને નાસ્તો મળે છે.
સુરક્ષા દળોમાં સ્વદેશી શ્વાનોના મહત્ત્વને બિરદાવતા પીએમ મોદીએ કહ્યું કે, ગયા વર્ષે લખનઉમાં ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં રિયા નામના શ્વાને બધાનું ધ્યાન ખેંચ્યું. તે મ્જીહ્લ દ્વારા તાલીમ પામેલો મુધોલ હાઉન્ડ શ્વાન છે, જેણે ઘણી વિદેશી જાતિઓને હરાવીને પ્રથમ ઈનામ જીત્યું. આ ઉપરાંત તેમણે છત્તીસગઢમાં માઓવાદી પ્રભાવિત વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે ૮ કિલોગ્રામ વિસ્ફોટકો શોધી કાઢનાર એક સ્વદેશી ઝ્રઇઁહ્લ શ્વાનની પણ પ્રશંસા કરી.
પર્યાવરણ અંગે વાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેન્ગ્રોવ્સના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, જેમ પર્વતો અને મેદાનોમાં જંગલો જમીનને એકસાથે રાખે છે, તેવી જ રીતે દરિયાકિનારા પર મેન્ગ્રોવ્સ પણ એટલા જ મહત્ત્વપૂર્ણ છે. મેન્ગ્રોવ્સ ખારા પાણીમાં ઉગે છે અને સુનામી કે ચક્રવાત જેવી કુદરતી આફતો દરમિયાન દરિયાકિનારાનું રક્ષણ કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો. આ કાર્યક્રમનો ૧૨૭મો એપિસોડ હતો. આ એપિસોડમાં પીએમ મોદીએ ચર્ચાની શરૂઆત છઠ ઉત્સવથી કરી. તેમણે દેશવાસીઓને છઠ ઉત્સવનું મહત્વ સમજાવ્યું. તેમણે દરેકને ઓછામાં ઓછું એક વાર છઠ ઉત્સવમાં ભાગ લેવા વિનંતી કરી, તેમને તેમાં ભાગ લેવાની સલાહ આપી. છઠ ઉત્સવ ભારતની એકતાનું એક મહાન અને સુંદર ઉદાહરણ છે. નોંધનીય છે કે ગયા વખતે, પીએમ મોદીએ તહેવાર દરમિયાન સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની અપીલ કરી હતી અને આત્મનિર્ભર ભારત પર ભાર મૂક્યો હતો.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે છઠ ઉત્સવ સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજ વચ્ચેની ઊંડી એકતાનું પ્રતિબિંબ છે. સમાજનો દરેક વર્ગ છઠ ઘાટ પર એક સાથે ઉભો છે. આ દ્રશ્ય ભારતની સામાજિક એકતાનું સૌથી સુંદર ઉદાહરણ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું,
GST…”જેમ પર્વતો અને મેદાનોમાં જંગલો અસ્તિત્વ ધરાવે છે, જે જમીનને એક સાથે જોડે છે, તેવી જ રીતે દરિયાકિનારા પર મેન્ગ્રોવ્સ પણ એટલા જ મહત્વપૂર્ણ છે. મેન્ગ્રોવ્સ ખારા પાણી અને માર્શલેન્ડમાં ઉગે છે અને દરિયાઈ ઇકોસિસ્ટમનો મહત્વપૂર્ણ ભાગ છે. સુનામી અથવા ચક્રવાત જેવી આફતો દરમિયાન આ મેન્ગ્રોવ્સ ખૂબ મદદરૂપ સાબિત થાય છે.”
“પાંચ વર્ષ પહેલાં, ગુજરાત વન વિભાગની ટીમે અમદાવાદ નજીક ધોલેરામાં મેન્ગ્રોવ્સનું વાવેતર શરૂ કર્યું હતું, અને આજે ધોલેરા કિનારે ૩,૫૦૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં મેન્ગ્રોવ્સ ફેલાયેલા છે. આ મેન્ગ્રોવ્સની અસર સમગ્ર પ્રદેશમાં દેખાય છે. ઇકોસિસ્ટમમાં ડોલ્ફિનની સંખ્યા વધી છે. કરચલા અને અન્ય જળચર પ્રાણીઓની સંખ્યામાં પણ પહેલાની સરખામણીમાં વધારો થયો છે. સ્થળાંતર કરનારા પક્ષીઓ પણ હવે મુલાકાત લઈ રહ્યા છે.” મોટી સંખ્યામાં લોકો આ સ્થળની મુલાકાત લે છે. ગુજરાતના કચ્છમાં મેન્ગ્રોવ લર્નિંગ સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે.”
મન કી બાતના ૧૨૭મા એપિસોડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “તમે બધા ચા સાથેના મારા જોડાણ વિશે જાણો છો, પરંતુ આજે મેં વિચાર્યું કે મન કી બાતમાં કોફી વિશે પણ ચર્ચા કેમ ન કરીએ? ઓડિશાના ઘણા લોકોએ કોરાપુટ કોફી વિશે મારી સાથે પોતાની લાગણીઓ શેર કરી. મને કહેવામાં આવ્યું છે કે કોરાપુટ કોફીનો સ્વાદ અદ્ભુત છે, અને એટલું જ નહીં; સ્વાદ ઉપરાંત, કોફીની ખેતી પણ લોકોને ફાયદો પહોંચાડી રહી છે.”
પ્રધાનમંત્રીએ મોદીએ કહ્યું કે, સરદાર પટેલ આધુનિક સમયમાં રાષ્ટ્રના મહાન વ્યક્તિઓમાંના એક હતા. તેમના મહાન વ્યક્તિત્વમાં ઘણા ગુણો છે. હું દરેકને ૩૧ ઓક્ટોબરે સરદાર સાહેબની જન્મજયંતિ પર દેશભરમાં યોજાઈ રહેલા રન ફોર યુનિટીમાં ભાગ લેવા વિનંતી કરું છું.
મન કી બાતના ૧૨૭મા એપિસોડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઑપરેશન સિંદૂર દરેક ભારતીયને ગર્વથી ભરી દે છે. આ વખતે માઓવાદી આતંકના અંધકારમાં ઘેરાયેલા વિસ્તારોમાં પણ ખુશીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. લોકો ઇચ્છે છે કે માઓવાદી આતંકનો સંપૂર્ણ અંત આવે જેણે તેમના બાળકોના ભવિષ્યને જોખમમાં મૂક્યું છે.




