
એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ લખનૌમાં કેબિનમાંથી નીકળતા ધુમાડા વચ્ચે સુરક્ષિત લેન્ડિંગ બાગડોગરાથી દિલ્હી જતી ફ્લાઇટમાં ધુમાડો જાેવા મળતાં કટોકટી જાહેર કરવામાં આવી હતી અને વિમાનને તાત્કાલિક લખનૌ વાળવામાં આવ્યું
સોમવારે સાંજે લખનૌના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હંગામો મચી ગયો હતો જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટે મિડ-એર મેડે કોલ આપ્યો હતો.
બાગડોગરાથી દિલ્હી જતી ફ્લાઇટમાં ધુમાડો જાેવા મળતાં કટોકટી જાહેર કરવામાં આવી હતી અને વિમાનને તાત્કાલિક લખનૌ વાળવામાં આવ્યું હતું. જાેકે, રાહતની વાત એ હતી કે વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને બધા મુસાફરો સુરક્ષિત છે.
આંતરરાષ્ટ્રીય સમાચાર સેવા
પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નંબર IX ૧૫૨૩ સોમવારે સાંજે લગભગ ૪:૫૮ વાગ્યે ૩૬,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઉડી રહી હતી. વિમાન આંબેડકર નગર જિલ્લા ઉપર ઘાઘરા નદી નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે પાઇલટ્સે વિમાનના એવિઓનિક્સ પેનલ પર ધુમાડા જેવી સ્થિતિ જાેઈ.
પરિસ્થિતિને ગંભીરતાથી લેતા, પાઇલટ્સે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક કર્યો અને મેડે કોલ આપ્યો. ઉડ્ડયન નિયમો અનુસાર, જ્યારે વિમાન અથવા મુસાફરોની સલામતી માટે તાત્કાલિક ખતરો હોય ત્યારે મેડે કોલ આપવામાં આવે છે.





