
GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર.યુદ્ધને કારણે ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફુટી શકે.એડીબીના મત અનુસાર આ સંકટને કારણે ક્રૂડ તેલની વધતી કિંમતો ભારત માટે મોટો પડકાર સાબિત થશે.પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા-ઈરાન સંઘર્ષની સીધી અસર હવે ભારતીય અર્થતંત્ર પર પડવા જઈ રહી છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ ભારતના જીડીપી (GDP) ગ્રોથના અંદાજમાં મોટો ઘટાડો કર્યો છે. એડીબીના મતે, આ સંકટને કારણે ક્રૂડ તેલની વધતી કિંમતો ભારત માટે મોટો પડકાર સાબિત થશે. ADB ના ચીફ ઈકોનોમિસ્ટ અલ્બર્ટ પાર્કના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટ સંકટને કારણે સપ્લાય ચેઈનમાં અવરોધ ઉભો થયો છે. આ કારણોસર ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૬.૯% થી ઘટીને ૬.૩% પર આવી શકે છે. અગાઉ એવો અંદાજ હતો કે, આગામી નાણાકીય વર્ષમાં ગ્રોથ ૭.૩% રહેશે, પરંતુ હાલમાં તેમાં ૦.૬% નો સીધો ઘટાડો જાેવા મળી રહ્યો છે. ક્રૂડ તેલની કિંમતો વધવાથી માત્ર વિકાસ દર જ નહીં, પણ સામાન્ય જનતાના ખિસ્સા પર પણ ભાર વધશે. પહેલા મોંઘવારી દર ૪.૫% રહેવાનો અંદાજ હતો, જે હવે વધીને ૬.૯% થઈ શકે છે. એટલે કે મોંઘવારીમાં ૨.૪% નો સીધો ઉછાળો આવી શકે છે. વર્ષ ૨૦૨૬ માટે ક્રૂડ તેલની સરેરાશ કિંમત ૯૬ ડોલર પ્રતિ બેરલ રહેવાની શક્યતા છે, જે અગાઉના અંદાજ કરતા ઘણી વધારે છે.
ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ અને ગેસ આયાત કરે છે. અલ્બર્ટ પાર્કે ચેતવણી આપી છે કે, ગેસ અને તેલ મોંઘા થવાથી ફર્ટિલાઇઝર (ખાતર) ના ભાવ વધશે. મોંઘા ખાતરને કારણે ખેડૂતો તેનો વપરાશ ઘટાડશે, જેનાથી પાકનું ઉત્પાદન ઘટશે. આની સીધી અસર વર્ષના અંતે ખાદ્ય પદાર્થોની કિંમતો (Food Prices) પર જાેવા મળશે, જે રસોડાનું બજેટ બગાડી શકે છે. એડીબીએ આશા વ્યક્ત કરી છે કે, આ સંકટ હળવું થયા બાદ આગામી વર્ષે ભારતનો વિકાસ ફરીથી પાટા પર આવી જશે.





