
કિલ્લા-મસ્જિદ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું કસમંડી કિલ્લા-મસ્જિદ વિવાદમાં પ્રશાસનનો મોટો ર્નિણય લખનઉના કસમંડીમાં કિલ્લા-મસ્જિદ વિવાદને કારણે પ્રશાસને બકરીઈદની નમાઝ પર પ્રતિબંધ મૂક્યો છે ઉત્તર પ્રદેશના લખનઉના કસમંડી વિસ્તારમાં આવેલા કિલ્લા-મસ્જિદ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. બકરીઈદના તહેવાર પહેલા પ્રશાસને એક મોટું પગલું ભરતા વિવાદિત સ્થળ પર નમાઝ અદા કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રશાસનનું કહેવું છે કે આ ર્નિણય કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ કોઈપણ સંભવિત તણાવને રોકવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે. આ ર્નિણય બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે.
પ્રશાસનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિવાદિત સ્થળને લઈને છેલ્લા કેટલાક દિવસોથી બે પક્ષો વચ્ચે મતભેદો વધી રહ્યા હતા. એક તરફ મુસ્લિમ પક્ષ આ સ્થળને મસ્જિદ ગણાવી રહ્યો છે,
જ્યારે બીજી તરફ પાસી સમાજના લોકો આ સ્થાનને રાજા કંસનો ઐતિહાસિક કિલ્લો હોવાનો દાવો કરી રહ્યા છે. પાસી સમાજના અનેક સંગઠનોએ આ સ્થળને પુરાતત્વીય મહત્વ ધરાવતું સંરક્ષિત સ્થળ જાહેર કરવાની માંગ પણ ઉઠાવી છે. તેમનું કહેવું છે કે આ સ્થળ તેમના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા સાથે જાેડાયેલું છે.
વિવાદની સંવેદનશીલતાને જાેતા જિલ્લા પ્રશાસન સતત બંને પક્ષોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહ્યું છે. બકરીઈદન ધ્યાનમાં રાખીને વિવાદિત સ્થળની આસપાસ પોલીસ અને સ્પેશિયલ પોલીસ ફોર્સ ના જવાનોનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. આ સાથે જ ડ્રોન અને ઝ્રઝ્ર્ફ કેમેરા દ્વારા સમગ્ર વિસ્તારનું સખત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર કોઈ ભડકાઉ પોસ્ટ કે અફવા ન ફેલાય તે માટે સાયબર ટીમને પણ એક્ટિવ કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસનના મતે સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને ઐતિહાસિક પાસાઓની તપાસ કર્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.





