- એસ. જાનકીનું નિધન: દક્ષિણની ગાનકોકિલા ‘જાનમ્મા’ને વિદાય, હજારો અમર ગીતોથી સંગીતજગત શોકમગ્ન
- ગોવિંદાના પુત્ર યશવર્ધનનો બોલિવૂડ ડેબ્યૂ, 59 વર્ષની ઉંમરે પત્ની સુનીતા પણ કરશે એક્ટિંગની શરૂઆત
- ટ્રમ્પની કડક ચેતવણી બાદ ઈરાનનો જવાબ, અમેરિકા કાર્યવાહી બંધ કરે ત્યાં સુધી વાતચીત નહીં
- મુંબઈની તાજ હોટેલને બોમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કંઈ શંકાસ્પદ ન મળ્યું; પોલીસ એલર્ટ
- સરગવાળામાં ગેસ પાઇપલાઇન વિરોધી ખેડૂત આંદોલન નવમા દિવસે, AAPએ લેખિત બાંહેધરીની માંગ કરી
- ભારે વરસાદ બાદ સુરતમાં રોગચાળાનો ભય, 7,000 સફાઈ કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવાની માંગ
- સુરતમાં ખાડીઓ પરના ગેરકાયદે દબાણો અને ભ્રષ્ટાચારથી પૂર સમસ્યા વકરી, કાર્યવાહી કરવાની માંગ
- કપાસ ક્રાંતિ મિશન ખેડૂતો નહીં, ભાજપના મળતિયાઓને ફાયદો પહોંચાડવાની યોજના: AAPનો આક્ષેપ
Author: Garvi Gujarat
ભાવનગર જિલ્લાના પક્ષકારો ૩૧મે સુધીમાં ગૂગલ ફોર્મ ભરી નોંધણી કરાવી શકશે સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે ૨૧ થી ૨૩ ઓગસ્ટ સુધી સુપ્રીમ કોર્ટના પરિસરમાં વિશેષ લોક અદાલત યોજાશે, રૃબરૃ અથવા વર્ચ્યુઅલ માધ્યમથી જાેડાઈ શકાશે ભાવનગર જિલ્લા સહિત દેશભરના પક્ષકારોના સુપ્રીમ કોર્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા પેન્ડિંગ કેસોના નિરાકરણ માટે સુપ્રીમ કોર્ટના પરિસરમાં વિશેષ લોક અદાલતનું આયોજન કરાયું છે.સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાય પ્રણાલીને વધુ વ્યાપક, સરળ અને લોકાભિમુખ બનાવવા સમાધાન સમારો-૨૦૨૬ (વિશેષ લોક અદાલત)નું આયોજન કરાયું છે. જેની શરૃઆત ૨૧ એપ્રિલથી થઈ છે અને સમાપન તા.૨૧-૮થી તા.૨૩-૮ સુધી સુપ્રીમ કોર્ટના પરિસરમાં યોજાનારી વિશેષ લોક અદાલત…
કેનેડાના બે ટૂકડાની તૈયારી અલ્બર્ટાને અલગ દેશ બનાવવા જનમત સંગ્રહ થશે પ્રસ્તાવિત જનમત સંગ્રહમાં લોકોને અલ્બર્ટાને કેનેડાથી અલગ થઈ એક સ્વતંત્ર દેશ બનવું જાેઈએ કે કેમ તેવો સવાલ પૂછવામાં આવશે કેનેડાના પશ્ચિમી રાજ્ય અલ્બર્ટામાં એક સ્વતંત્ર દેશ બનવાની માગ દિવસેને દિવસે વધુ પ્રબળ બની રહી છે. ઓઈલ અને ગેસનો વિપુલ ભંડાર ધરાવતા અને કેનેડાનું પેટ્રોલિયમ હબ ગણાતાં અલ્બર્ટાને કેનેડાથી અલગ કરવા લોકમત સંગ્રહ કરાવવા માટે અલગતાવાદીઓએ શરૂ કરેલી ઝૂંબેશે જાેર પકડ્યું છે. અલગતાવાદીઓના દાવા અનુસાર, તેમણે આશરે ત્રણ લાખથી વધુ લોકોની સહીઓ લીધી છે, જે જનમત સંગ્રહ કરાવવા માટે જરૂરી હોય તેના કરતાં ઘણી વધારે છે. અલગ રાષ્ટ્ર બનાવવાની ચળવળના…
‘શાંતિ એ વેપાર માટે પહેલી અને અનિવાર્ય શરત છે’ ઈરાન-અમેરિકાના યુદ્ધની અસરને લીધે દુનિયાભરમાં મોંઘવારીથી લોકો ત્રાહિમામ અમેરિકામાં ગેસ અને પેટ્રોલની કિંમત વધતાં ત્રણ વર્ષમાં મોંઘવારી સર્વાેચ્ચ સપાટીએ છે, યુરોપના ૨૧ દેશોમાં મોંઘવારી વધી હોવાનું લેટેસ્ટ અહેવાલમાં કહેવાયું છે ફ્રેન્ચ ચિંતક મોન્ટેસ્કુનું આ મતલબનું વાક્ય વૈશ્વિક સ્તરે શાંતિ અને વેપારના સંદર્ભમાં વારંવાર ટાંકવામાં આવે છે. બે રાષ્ટ્રોએ વેપાર કરવો હોય તો બંને વચ્ચે શાંતિ અનિવાર્ય છે. યુદ્ધ કે તંગદિલી ચાલતી હોય ત્યારે વેપાર અટકી પડે છે. ભારત-ચીન વચ્ચે દોકલામ સંઘર્ષ થયો તો બંને પક્ષે વેપાર અટકી ગયો. ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ચાલ્યું તો કરોડોનો વેપાર લટકી પડયો. બધા દેશો એ…
ટ્રમ્પે કાર્યવાહીને ગણાવી ‘લવ ટેપ’ ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ પર અમેરિકાના ભીષણ હુમલા ઈરાની અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે અમેરિકાએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને સામાન્ય નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા છે અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર હોવા છતાં બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકન ડિસ્ટ્રોયર (યુદ્ધ જહાજાે) ને નિશાન બનાવીને મિસાઈલ હુમલા કર્યા બાદ અમેરિકાએ આક્રમક જવાબી કાર્યવાહી કરી છે. અમેરિકન સેનાએ ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ સ્થિત સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યાે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાઓને ‘લવ ટેપ’ ગણાવી ઈરાનને કડક ચેતવણી આપી છે.અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, ૭…
સજીવોની ૨૦ પ્રજાતિને તેમનું નામ અપાયું વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર ડેવિડ એટનબરો ૧૦૦ વર્ષના થયા બ્લેક એન્ડ વ્હાઈટ, કલર, એચડી અને થ્રીડીમાં બાફ્ટા એવોર્ડ મેળવનારા એકમાત્ર વ્યક્તિ ડેવિડ એટનબરો એટલે જગ વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર, નેચરલ હિસ્ટોરિયન અને લેખક-સંશોધક. તેમણે આઠ દશકા સુધી પ્રકૃતિ અને પર્યાવરણલક્ષી કાર્યક્રમો કર્યા છે. વિશ્વ વિખ્યાત અભિનેતા અને ગાંધી ફિલ્મના સર્જક રિચર્ડ એટનબરોના નાના ભાઈ એવા ડેવિડ એટનબરો આજે ૧૦૦મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે.ડેવિડ એટનબરો ટેલિવિઝનના ઇતિહાસમાં એકમાત્ર એવી વ્યક્તિ છે જેમણે બ્લેક એન્ડ વ્હાઇટ, કલર, એચડી. થ્રીડી અને ૪કે એમ તમામ ફોર્મેટમાં બાફટા એવોર્ડ્સ જીત્યા છે. વિજ્ઞાનીઓએ તેમના માનમાં ૨૦થી વધુ પ્રજાતિઓના નામ રાખ્યા છે.…
કેઓટિક રિલેશનશિપ ડ્રામાથી ચાહકો પ્રભાવિત બોબી દેઓલ ફરી પોતાના નવા અવતારમાં જાેવા મળશે બંદરમાં બોબી દેઓલ અનુરાગ કશ્યપ સાથે પહેલી વાર કામ કરી રહ્યો છે. પહેલેથી જ સિનેપ્રેમીઓમાં આ ફિલ્મને લઇને ભારે ઉત્સુકતા છે બોબી દેઓલની વધુ એક અલગ રોલવાળી ફિલ્મ બંદરનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેનાથી દર્શકોને ફિલ્મમેકર અનુરાગ કશ્યપની નવી ડિરેક્ટોરિયલ ફિલ્મની ઝલક મળી છે. આ ફિલ્મમાં બોબી દેઓલ લીડ રોલમાં છે. નિખિલ દ્વિવેદીની સેળોન મેજિકવર્ક્સ અને ઝી સ્ટુડિયોઝ દ્વારા બનેલી આ ફિલ્મ ૫ જૂન, ૨૦૨૬ના રોજ વિશ્વભરમાં થિયેટરમાં રિલીઝ થવાની છે.બંદરમાં બોબી દેઓલ અનુરાગ કશ્યપ સાથે પહેલી વાર કામ કરી રહ્યો છે. પહેલેથી જ સિનેપ્રેમીઓમાં આ…
સલમાન ખાનની ફિલ્મ સાથે ટક્કર ટાળવા પ્રભાસની સ્પિરિટ માર્ચ 2027 સુધી મુલતવી રહી શકે છે વંગાએ ૧ ડિસેમ્બર, 2027ની તારીખ પસંદ કરી છે કારણ કે તે તેના માટે અગાઉ પણ સારી રહી છે સલમાન ખાને તાજેતરમાં જાહેરાત કરી કે તેની આગામી ફિલ્મ ડિરેક્ટર વંશી પૈડિપલ્લી સાથે કરશે, જેને હાલ પૂરતું SVC63, નામ આપવામાં આવ્યું છે અને આ ફિલ્મ ઈદ 2027 આસપાસ રિલીઝ થશે. આ ર્નિણય પછી પ્રભાસના ચાહકો થોડા ગૂંચવાયા, કારણ કે તેની ફિલ્મ સ્પિરિટ પણ માર્ચ 2027 માં આવવાની અપેક્ષા હતી. પરંતુ લાગે છે કે હવે તેના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વંગાએ ટક્કર ટાળવા માટે પોતાની ફિલ્મની તારીખ બદલવાનો વ્યૂહાત્મક…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમ ખાતે ક્રુઝ બોટ પલટી જવાથી બનેલી દુર્ઘટનાએ ફરી એકવાર વડોદરાની હરણી બોટ કાંડની ઘટનાને યાદ કરી જાહેર સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ અકસ્માતે બોટ સવારી દ્વારા આનંદ અને સાહસ કરવા માંગતા ઘણા લોકોના ઉત્સાહને શોકમાં ફેરવી દીધો. અહીં જોવાની ખૂબી એ હતી કે આ દુર્ઘટના પછી પણ, વહીવટી તંત્ર પાસે કુલ કેટલા લોકો સવાર હતા તેની ચોક્કસ માહિતીનો અભાવ હતો. જ્યારે અધિકારીઓએ ફક્ત વેચાણ કરાયેલી ટિકિટોની સંખ્યા ના આધારે આંકડા જાહેર કર્યા?? જ્યારે વાસ્તવિકતા એ હતી કે ઘણા ટિકિટ ધારકો તેમના બાળકો સાથે હતા. જ્યારે સવાલ અહીં એ છે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશની ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(FSSAI) એ બજારમાં વેચાઈ રહેલા સિન્થેટિક પનીર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે. ઓછા પોષણવાળું આ પનીર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એને ગ્રાહક સુરક્ષા માટે બજારમાંથી દૂર કરવામાં આવશે. આ બાબત સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર એક ઉચ્ચ સ્તરની સમિતિએ ઓક્ટોબર ૨૦૨૫ માં આ પ્રસ્તાવ તૈયાર કર્યો હતો અને માર્ચ ૨૦૨૬ માં એક બેઠકમાં એને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી હતી. સમિતિનો તર્ક છે કે ભારત વિશ્વનો સૌથી મોટો ડેરી ઉત્પાદક દેશ હોવા છતાં અહીં સસ્તા અને ભેળસેળ યુક્ત કુત્રિમ પનીરનો મોટો જથ્થો વેચાઈ રહ્યો છે. એ…
સોમનાથ મંદિરની ગણના જ્યોતિર્લિંગમાં પ્રથમ છે! અને એ ગુજરાતી માટે ગૌરવની વાત છે. 11 મેં એ સોમનાથ મંદિરનો સ્થાપના દિવસ છે, અને આ વખતે મંદિરના જીર્ણોદ્ધારને 75 વર્ષ પૂર્ણ થાય છે. સોમનાથ નું મંદિર ગૌરવશાળી ઈતિહાસનું સાક્ષી છે, અને દરેક હિન્દુઓની આસ્થાની ધજા છે. ભગવાન શંકર સંસારી હોવાથી જીવ તેથી સાથે આસાનીથી જોડાઈ શકે છે અને આ ઉપરાંત ભગવાન શંકર સહજ સરળ અને ભોળા છે. હિન્દુ ધર્મની માન્યતા મુજબ શિવજી જ્યાં જ્યાં સ્વયં પ્રગટ થયા તે બાર જગ્યાઓને જ્યોતિર્લિંગના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. તેમાં ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું શ્રી સોમનાથ સર્વ પ્રથમ ક્રમે છે. આખી દુનિયામાંથી શિવભક્તો અહિં ભવ્ય શિવલિંગનાં દર્શન…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



