Author: Garvi Gujarat

પાર્ટ ૧ દિવાળી ૨૦૨૬ આસપાસ સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘રામાયણ’ : યશે ખુલાસો કર્યાે કે પાર્ટ ૧માં રણબીર સાથે તેનો કોઈ સીન નથી રામાયણમાં સાઈ પલ્લવી દેવી સીતાનું પાત્ર ભજવે છે અને રવિ દુબે ભગવાન રામના ભાઈ લક્ષ્મણ તરીકે જાેવા મળશે નિતેશ તિવારીની રામાયણ ભારતની સૌથી વધુ રાહ જાેવાતી ફિલ્મોમાંની એક બની ગઈ છે. ભવ્ય સ્તરે બનાવવામાં આવી રહેલી આ ફિલ્મમાં રસપ્રદ કાસ્ટ છે, જેમાં રણબીર કપૂર અને યશ રામ અને રાવણના રોલ કરી રહ્યા છે. આ અંગે એક ઇવેન્ટ દરમિયાન યશે ખુલાસો કર્યાે કે ફિલ્મના પાર્ટ ૧માં તેનો રણબીર કપૂર સાથે કોઈ સીન નથી. તાજેતરમાં રામાયણના નિર્માતાઓએ ભગવાન રામ તરીકે…

Read More

ટાઇગર વિજય કૃષ્ણ આચાર્ય સાથે ઑગસ્ટ ૨૦૨૬થી શૂટિંગ શરૂ કરશે ટાઈગર શ્રોફ ધૂમ ૩ના ડિરેક્ટર સાથે એક્શન ફિલ્મ કરશે વિજય કૃષ્ણ આચાર્ય એવી સિક્વન્સ તૈયાર કરી રહ્યા છે જે દર્શકોને એક અનોખો સિનેમેટિક અનુભવ આપશે ટાઈગર શ્રોફ હાલના પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ ધૂમ ૩ ફિલ્મથી જાણીતા ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્ય સાથે એક એક્શન ફિલ્મ માટે જાેડાશે એવા અહેવાલો છે. આ એક મોટા સ્કેલની એક્શન એન્ટરટેઇનર ફિલ્મ હશે. હાલમાં ફિલ્મ પ્રી-પ્રોડક્શનનાં તબક્કામાં છે અને ઑગસ્ટ ૨૦૨૬થી શૂટિંગ શરૂ થવાની યોજના છે.પ્રોજેક્ટ સાથે જાેડાયેલા સુત્રના જણાવ્યા મુજબ, “ટાઈગર હાલમાં જાેરદાર ફોર્મમાં છે અને વિવિધ જાેનરની ઘણી ફિલ્મ સાઇન કરી રહ્યો છે. વિજય…

Read More

એમસીએક્સ પર સોનાનો વાયદો રૂ.472 અને ચાંદીનો વાયદો રૂ.979 વધ્યોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.60ની નરમાઇ કોમોડિટી વાયદાઓમાં રૂ.19707.83 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.266359.65 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12899.21 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37302 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.286067.7 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.19707.83 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.266359.65 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 37302 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2460.49 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12899.21 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.154651ના ભાવે…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. વિશ્વ જેમને વંદન કરી ધન્યતા અનુભવે છે એવા મહામાનવ મહાત્મા ગાંધી એ “ સત્યના પ્રયોગો” નામનું પુસ્તક લખી ને “ મેરા જીવન હી મેરા સંદેશ હૈ” એ સમગ્ર વિશ્વને બતાવી આપ્યું અને સિધ્ધ કરી બતાવ્યુ કે જાહેર જીવન માં પણ પ્રામાણિકતા જેવુ કંઈક છે ખરું? પરંતુ આજનો નેતા કોઈ પણ પાર્ટી ના કેમ ના હોય એ શું “અસત્ય ના પ્રયોગો” નામનું પુસ્તક લખી શકશે ખરો? સત્યની તો વાત જ નથી. અને એવું જ કંઈક હાલમાં થનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં જોવા મળી રહ્યું છે. કારણકે ચૂંટણીઓ હવે સેવાનું સાધન નહીં પણ મેવા કમાવવાનું જાણે કે માધ્યમ બની…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. હૈદરાબાદની તેલંગણા હાઇકોર્ટે શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓના હિત માં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ ખાનગી શૈક્ષણિક સંસ્થા બાકી ફી ની વસૂલાત કરવા માટે વિદ્યાર્થીના અસલ શૈક્ષણિક પ્રમાણપત્ર રોકી શકે નહીં. અદાલતે ભારપૂર્વક જણાવ્યુ હતું કે અસલ પ્રમાણપત્રો એ વિદ્યાર્થીની વ્યક્તિગત અને શૈક્ષણિક મિલકત છે અને કોઈ પણ સંસ્થાને તેને (પ્રમાણપત્રોને) પોતાની પાસે રાખવાનો અધિકાર નથી. હૈદરાબાદની સિધ્ધાર્થ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ વિરુધ્ધ સી.મુરલીધર નામના વિદ્યાર્થીએ દાખલ કરેલી રિટ પિટિશન પર સુનાવણી કરતા જસ્ટીસ જુવાડી શ્રીદેવીની સિંગલ જજની બેન્ચે આ આદેશ આપ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે “જો કોલેજને વિદ્યાર્થી પાસે ફી…

Read More

૪૦૦૦ કરોડના લોન પેકેજની ઓફર યુદ્ધને કારણે સંકટમાં ફસાયેલી એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર તે ઉપરાંત એરલાઈન્સને વધારાની લોન પણ મળી શકે ભારત સરકાર એરલાઇન કંપનીઓને લગભગ ૪ હજાર કરોડનું ઈમરજન્સી લોન પ્રોગ્રામ પેકેજ આપવા જઈ રહી છે. તેનો હેતુ ઈરાન યુદ્ધના કારણે આવેલી ઓપરેશનલ મુશ્કેલીઓથી કંપનીને રાહત આપવાનો છે. આ યોજના હેઠળ દરેક એરલાઈનને ૧ હજાર કરોડ રૂપિયા સુધીની લોન પર સરકારી ગેરંટી મળશે. તે ઉપરાંત એરલાઈન્સને ૫૦૦ કરોડની વધારાની લોન પણ મળી શકે છે. પરંતુ તે માટે કંપનીના માલિકોએ એટલા પૈસા પોતાના પણ રોકાણ કરવા પડશે. આ પ્લાન નાણાં મંત્રાલયની મોટી યોજનાનો ભાગ છે. જેમાં સરકાર લોન પર ગેરંટી…

Read More

નીતિશ કુમારના રાજીનામા પર રોહિણી આચાર્યનો કટાક્ષ નીતીશ કુમારને સરકારી પોસ્ટરો તથા જાહેરાતોમાંથી ગાયબ કરી દેવાયા રોહિણીએ એક સરકારી જાહેરાતનું પોસ્ટર શેર કરીને તેને નીતીશ કુમારની ઘોર બેઇજ્જતી ગણાવી છે બિહારમાં સત્તા પરિવર્તન અને નવી સરકારના શપથ ગ્રહણ વચ્ચે નિવેદનબાજીએ જાેર પકડ્યું છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પૂર્વ મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ભાજપ પર જાેરદાર નિશાન સાધ્યું છે. રોહિણીએ એક સરકારી જાહેરાતનું પોસ્ટર શેર કરીને તેને નીતીશ કુમારની ઘોર બેઇજ્જતી ગણાવી છે. રોહિણી આચાર્યએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, નીતીશ કુમારના રાજીનામાને હજુ ૨૪ કલાક પણ નથી થયા અને તેમને સરકારી પોસ્ટરો…

Read More

હવે કેન્દ્ર સરકાર સિક્યોરિટી આપશે પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢા પાસેથી Z+ સિક્યોરિટી છીનવી લીધી રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યાના થોડા દિવસ બાદ પંજાબ સરકાર તરફથી આ પગલું ઉઠાવવામાં આવ્યું રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને લઈ મોટા સમાચાર આવ્યા છે. પંજાબની ભગવંત માન સરકાર તરફથી રાઘવ ચઢ્ઢાને આપવામાં આવતી Z+ સિક્યોરિટી કવર હટાવી દીધું છે. આમ આદમી પાર્ટી દ્વારા રાઘવને રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યાના થોડા દિવસ બાદ પંજાબ સરકાર તરફથી આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. હવે સૂત્રો દ્વારા જાણવા મળે છે કે હવે રાઘવ ચઢ્ઢાને કેન્દ્ર તરફથી Z+ સિક્યોરિટી આપવામાં આવશે. પંજાબના રાજકારણમાં હાલમાં હલચલ તેજ થઈ ગઈ છે.…

Read More

મહિલા અનામત લાગૂ કરવાની તૈયારીઓ, લોકસભા સીટો ૮૫૦ કરવાનો પ્રસ્તાવ બિલમાં મતવિસ્તારોનું ફરીથી નિર્ધારણ કરવા માટે વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડાને આધાર બનાવવામાં આવશે પહેલા દેશની સંસદનું બિલ્ડિંગ બદલાયું અને હવે સંસદના નીચલા ગૃહ લોકસભાના વિસ્તરણની તૈયારીઓ થઈ રહી છે. લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત મુદ્દે સરકાર ૩ બિલ સંસદમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જાે તેના પર મહોર લાગી જશે તો લોકસભાની સીટોમાં વધારો થઈ જશે અને હાલ જે ૫૪૩ સીટો છે તે વધીને ૮૫૦ સુધી પહોંચી શકે છે. આ અંગેનું બિલ ૧૬ એપ્રિલના રોજ લોકસભામાં રજૂ થઈ શકે છે. હવે તમને સવાલ એ થશે કે…

Read More

મોદી સરકારનું સ્ત્રી સશક્તિકરણની દિશામાં પગલું અનામત બિલ માટે તમામ ક્ષેત્રની મહિલાઓને સંસદનું આમંત્રણકેન્દ્ર સરકારે દેશભરના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓને દિલ્હી બોલાવીને વિશાળ જનસંપર્ક પ્લાન તૈયાર કર્યો છે સંસદમાં ગુરુવારથી શરૂ થનારી ત્રણ દિવસીય વિશેષ બેઠક માટે તૈયાર થઈ રહી છે, જેમાં મહિલા અનામત બિલ પર ચર્ચા થવાની છે, ત્યારે કેન્દ્ર સરકારે દેશભરના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓને દિલ્હી બોલાવીને વિશાળ જનસંપર્ક પ્લાન તૈયાર કર્યો છે. આ પહેલનો ઉદ્દેશ આ ચર્ચાને ઐતિહાસિક ક્ષણ તરીકે ચિહ્નિત કરવાનો છે, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ જાેવા મળે તે બાબતને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે. જેમાં છેવાડાના કામદારોથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જાણીતા…

Read More