Author: Garvi Gujarat

અરિજીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને યાદગાર ગીતો આપ્યા.અરિજીતની નિવૃત્તિ પાછળ ‘ટોક્સિક કલ્ચર’ કારણભૂત!.પ્લેબેક સિંગિંગ બાદ અરિજીત સિંહ કયા નવા સ્વરૂપે ચાહકો સામે આવશે, તેની આતુરતા સંગીતપ્રેમીઓમાં વધી .અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગ છોડવાની જાહેરાત કરતાં જ સંગીત જગતમાં ચર્ચાનો વંટોળ સર્જાયો છે. કેટલાક યુઝર્સે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના કહેવાતા ‘ટોક્સિક સ્ટુડિયો કલ્ચર’ અને કામના વધતા દબાણને અરિજીતના ર્નિણય પાછળનું કારણ ગણાવ્યું છે. જાણીતા ગાયક અરમાન મલિકે અરિજીતનો ર્નિણય સંપૂર્ણપણે અંગત છે અને તેને ખોટી રીતે રજૂ કરવો યોગ્ય નથી.દરેક ઇન્ડસ્ટ્રીની એક ડાર્ક સાઈડ હોતી જ છે, પરંતુ પોતાની કારકિર્દીમાં તેણે ક્યારેય મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કોઈ ઝેરી વાતાવરણનો અનુભવ કર્યાે નથી. લોકો અડધા-અધૂરા અનુમાન લગાવવાને બદલે તેમના…

Read More

ડ્રગ્સ કેસનો વોન્ટેડ અનેક ગુનામાં છે આરોપીસુરતના કુખ્યાત ચિરાગ ગોટીનું આત્મસમર્પણ.ફરિયાદ બાદ ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંતેએ આગોતરા જામીન મેળવવા ધમપછાડા કર્યા હતા.સુરત શહેરમાં છેલ્લા ઘણાં સમયથી નામચીન ચિરાગ ગોટીનો આતંક જાેવા મળી રહ્યો છે. મિત્રની કારમાં ડ્રગ્સ મૂકવાના કેસથી માંડીને કરોડોની ઉઘરાણી, મારપીટ અને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી સુધી અનેક આરોપો તેના પર લાગ્યા છે, ત્યારે ગુરુકુલ પાસેથી પકડાયેલા ૭૦ ગ્રામ એમડી ડ્રગ્સના કેસમાં ચિરાગ ગોટીએ કોર્ટમાં સરન્ડર કરી દીધું છે. તે છેલ્લા ૮ મહિનાથી વોન્ટેડ જાહેર થતાં નેપાળ ભાગી ગયો હતો. વાત છે આશરે ૧૦ મહિના પહેલાની, સિંગણપોર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે ઓઇલના…

Read More

૧૩ એક્ટિવ કેસથી તંત્રની ઊંઘ હરામદ્વારકા જિલ્લામાં ટાઇફોઇડના કેસોમાં વધારો થયો,મીઠાપુરમાં સૌથી વધુ અસર.મીઠાપુર વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.રાજ્યમાં બદલાતા હવામાન અને ચોમાસાની સિઝન વચ્ચે જળજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે. જામનગર જિલ્લામાં કોલેરાના કેસોએ ચિંતા વધારી છે, ત્યારે હવે પાડોશી જિલ્લા દેવભૂમિ દ્વારકામાં ટાઇફોઇડના કેસોમાં ઉછાળો જાેવા મળ્યો છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તાર ગણાતા મીઠાપુરમાં ટાઇફોઇડના કેસોની સંખ્યા વધુ હોવાનું સામે આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ટાઇફોઇડના કુલ ૧૩ પોઝિટિવ એક્ટિવ કેસ નોંધાયા છે. આ તમામ દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ટાઇફોઇડ એ દૂષિત પાણી અને ખોરાકથી ફેલાતો ગંભીર રોગ…

Read More

એડિશનલ સી.પી. મ્યુનિ. કમિશનર સુરસાગરની મુલાકાતે.વડોદરામાં શિવજી કી સવારીની તડામાર તૈયારી.વિવિધ ચર્ચાઓ દરમિયાન સત્યમ શિવમ સુન્દરમ પરિવારના અગ્રણી અને ધારાસભ્યએ પણ જરૂરી સૂચનો કર્યા હતા.મહાશિવરાત્રીના પાવન પર્વે આગામી તા. ૧૫મીએ પ્રસ્થાન થનારી શિવજી કી સવારી અંગે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે શહેરના એડિ. પોલીસ કમિ. તથા મ્યુ. કમિ. સહિત ઉચ્ચ અધિકારીઓએ સુરસાગર તળાવની મુલાકાત લીધી હતી. વિવિધ ચર્ચાઓ દરમિયાન સત્યમ શિવમ સુન્દરમ પરિવારના અગ્રણી અને ધારાસભ્યએ પણ જરૂરી સૂચનો કર્યા હતા. આગામી તા. ૧૫, મહાશિવરાત્રીના પાવન પ્રસંગે શહેરના વિવિધ જાહેર માર્ગો પરથી શિવજી કી સવારી શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે ૧.૩૦ વાગ્યાના સુમારેથી રાતના ૧૦ વાગ્યા…

Read More

ભેળસેળિયો માલ જાહેરમાં સળગાવીશું.ઊંઝામાં જીરું અને વરિયાળીમાં ભેળસેળ કરનારા વેપારીઓના લાયસન્સ રદ થશે.ઊંઝા APMC ના ચેરમેન દિનેશ પટેલે અત્યંત આક્રમક વલણ અપનાવતા ભેળસેળિયા વેપારીઓને ખુલ્લી ચેતવણી આપી છે.એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ તરીકે ઓળખાતા મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝામાં મસાલાની શુદ્ધતા જાળવવા માટે APMC અને ફૂડ વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે. જીરું અને વરિયાળીમાં ભેળસેળ કરતા તત્વો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ઊંઝા APMC ના ચેરમેન દિનેશ પટેલે અત્યંત આક્રમક વલણ અપનાવતા ભેળસેળિયા વેપારીઓને ખુલ્લી ચેતવણી આપી છે.APMC ચેરમેન દિનેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઊંઝાની વિશ્વસનીયતા સાથે ચેડા કરનારને છોડવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ…

Read More

સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટકણી કાઢી.જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપી શકાય.હાઈકોર્ટે શાળા સંચાલનને કોઈપણ રાહતનો ઇનકાર કર્યો.અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા હુમલા અને મોતનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે શાળા પોતાના વિદ્યાર્થીઓને જ સાચવી શકતી ના હોય તેવા લોકોને શાળાનું મેનેજમેન્ટ કેવી રીતે સોંપી શકાય? તો સામે પક્ષે શાળા સંચાલક મંડળ તરફ દાવો કરતાં વકીલે કહ્યું હતું કે શાળા લઘુમતી શાળાની વ્યાખ્યામાં આવે છે જેથી તેનું મેનેજમેન્ટ સરકાર હસ્તગત થાય નહીં, વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને નુકસાન પહોંચી રહ્યું છે. જાે કે હાઈકોર્ટે શાળા સંચાલનને કોઈપણ…

Read More

અભિષેક શર્માના સ્વાસ્થ્યને લઈને મોટી અપડેટ.બેટ્સમેન અભિષેક શર્માને હોસ્પિટલમાંથી રજા મળી.અભિષેક શર્મા બીમાર પડતા ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધ્યું.અભિષેક શર્મા બીમાર પડતા ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. આ વચ્ચે સમાચાર આવી રહ્યાં છે કે, હવે તે સ્વસ્થ છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ટીમ ઇન્ડિયા પોતાની આગામી મેચ ગુરુવારે રમશે. એ પહેલા એક સારા સમાચાર આવ્યા છે, જેનાથી ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધી જશે. જાે કે, તે રમશે કે નહીં, તે અંગે પછીથી ર્નિણય લેવામાં આવશે. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારતીય ટીમ ગુરુવારે એટલે કે ૧૨ ફેબ્રુઆરીએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પોતાની બીજી મેચ રમશે. તેના એક દિવસ…

Read More

આજે ભારત બંધનું એલાન.ભારત બંધથી દેશભરમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની આશંકા.ભારત બંધની અસર મોટા શહેરોમાં જાેવા મળી શકે છે જ્યાં બસ, ટ્રેન અને મેટ્રો સેવાઓ પર અસર પડવાની સંભાવના.ભારત બંધથી દેશભરમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની આશંકા છે. ૧૨ ફેબ્રુઆરી એટલે કે કાલે ટ્રેડ યુનિયન, કિસાન સંગઠનો અને કેટલાય સામાજિક સંગઠનોએ સરકારની નીતિઓ વિરુદ્ધ આ બંધનું સમર્થન કર્યું છે. આવા સમયે બેન્કિંગ સેવાઓ, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને સરકારી ઓફિસોના કામકાજ આંશિક રીતે ઠપ થઈ શકે છે. જેનાથી સામાન્ય લોકોને તકલીફ વેઠવી પડશે. ભારત બંધની અસર ખાસ કરીને મોટા શહેરોમાં જાેવા મળી શકે છે. જ્યાં બસ, ટ્રેન અને મેટ્રો સેવાઓ પર અસર પડવાની…

Read More

ડબલ સુપર ઓવરમાં અફઘાનિસ્તાન હાયુ રોમાંચક મેચમાં આખરે સાઉથ આફ્રિકાની જીત પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ૧૮૭ રન બનાવ્યા, જ્યારે અફઘાનિસ્તાને પણ જવાબમાં ૧૮૭ રન બનાવ્યા T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચનું પરિણામ બીજી સુપર ઓવરમાં આવ્યું. ૧૮૮ રનનો પીછો કરતા અફઘાનિસ્તાને શાનદાર બેટિંગ કરી. આખી મેચ દરમિયાન એવું ક્યારેય લાગ્યું નહીં કે કોઈ એક ટીમનું પલડું ભારે છે. દરેક બોલ રોમાંચથી ભરેલો હતો. આ સિઝનની અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ કહી શકાય. અફઘાનિસ્તાનને અંતિમ ઓવરમાં ૧૩ રનની જરૂર હતી અને તેણે ૯ વિકેટ ગુમાવી દીધી હતી. અફઘાનિસ્તાનને જીતવા માટે અંતિમ ઓવરમાં ૧૩ રનની જરૂર હતી,…

Read More

અમેરિકા અને ચીનની નજર આપણા ડેટા પર છે : રાહુલ ગાંધી સરકારે ભારત દેશને વેચી નાખ્યો, ટ્રેડ ડીલને લઈને સંસદમાં રાહુલ ગાંધી ગર્જ્યા ભારતના લોકો પાસે સૌથી વધુ ડેટા છે, ડેટાની સુરક્ષા સૌથી મહત્વની છે, આપણા લોકોની પ્રતિભા અને વિચારો પર કબજાે કરવાના પ્રયાસો થઈ રહ્યા છે : કોંગ્રેસ લોકસભામાં એક દિવસ પહેલા બજેટ પર ચર્ચા શરૂ થઈ હતી. સંસદમાં બજેટ પર ચર્ચાનો આજે બીજાે દિવસ છે. લોકસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. લોકસભામાં રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ માર્શલ આર્ટના દાવપેંચથી શરૂ કર્યું હતું અને કહ્યું હતું કે આજે દુનિયા…

Read More