Author: Garvi Gujarat

અક્ષયે છેલ્લે અનીસ બાઝમી સાથે કેરળમાં શૂટ પૂરું કર્યું.અક્ષય કુમારે વ્યસ્તતામાંથી આરોગ્યના કારણોસર બ્રેક લીધો હોવાની ચર્ચા.એક દિવસ પહેલા જ અક્ષય કુમારે પોતાની આગામી ફેમિલી કોમેડી ફિલ્મનું શીડ્યુલ પૂર્ણ થવાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અક્ષય કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી વ્યસ્ત સ્ટાર્સમાંનો એક છે. વર્ષ ૨૦૨૬ની પોતાની પ્રથમ હિટ ફિલ્મ ભૂત બંગલા આપ્યા પછી અક્ષયે તરત જ દિગ્દર્શક અનીસ બઝમી સાથેની આગામી એન્ટરટેનર ફિલ્મ પર કામ શરૂ કરી દીધું હતું. જાેકે, હવે અક્ષયે પોતાના સ્વાસ્થ્ય માટે થોડો બ્રેક લીધો છે.આ અંગેના અહેવાલો મુજબ, અક્ષય કુમારે ૬ મેના રોજ મુંબઈમાં આંખોની સર્જરી કરાવી હતી. સર્જરી પછી તે થોડા સમય…

Read More

અંદાજે ૧૬૦૦ કરોડના ખર્ચે રામાયણ ફિલ્મ બે ભાગમાં બની રહી છે.યશે મુંબઈમાં ‘રામાયણ’ માટે સીતાનાં સ્વયંવરની સિક્વન્સનું શૂટિંગ શરૂ કર્યું.ફિલ્મ માટે રાજમહેલના આંગણાં, શાહી બાલ્કની, ફૂલોથી સજાવેલી રંગોળી અને પરંપરાગત શૈલીની વિશાળ સજાવટ કરાઈ. નિતેશ તિવારીની રામાયણ લાંબા સમયથી ચર્ચામાં છે, બે ભાગમાં બની રહેલી આ ફિલ્મ હાલમાં ભારતીય સિનેમાના સૌથી વધુ ચર્ચિત પ્રોજેક્ટ્સમાંની એક બની ગઈ છે. આ ફિલ્મ માટે અંદાજે ૧૬૦૦ કરોડથી વધુનું ભવ્ય બજેટ ફાળવાયું છે, તેથી તેના વિશાળ પ્રોડક્શન ડિઝાઇન અને સ્ટારકાસ્ટને કારણે સતત ચર્ચામાં છે.ફિલ્મના હાલના શિડ્યુલ વિશે મળતી માહિતી મુજબ, યશ હાલમાં મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મ સિટીમાં રાવણ તરીકેના મહત્વપૂર્ણ દ્રશ્યોનું શૂટિંગ કરી રહ્યો…

Read More

પ્રોડ્યુસર તરીકે શાહરુખ ડિરેક્ટરને પુરતી આઝાદી આપે છે.પ્રોડ્યુસર શાહરુખ ખાન ક્યારેય સેટ પર નથી આવતો : સૈફ અલી ખાન.શાહરુખ અને સૈફે ૨૦૦૩ની ફિલ્મ ‘કલ હો ના હો’માં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ બંનેએ એવોર્ડ્સના કૉ-હોસ્ટ તરીકે પણ દર્શકોને મજા કરાવી હતી. શાહરુખ ખાને પોતાના બેનર રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ હેઠળ ‘ધ બાર્ડ ઓફ બ્લડ’ અને ‘બેડ્સ ઓફ બોલિવૂડ’ જેવી અનેક ફિલ્મો અને વેબ સિરીઝનું નિર્માણ કર્યું છે. ભારતીય સિનેમાના સૌથી સફળ અભિનેતાઓમાંના એક હોવા ઉપરાંત શાહરુખ ખાન ભારતના અગ્રણી ફિલ્મ નિર્માતાઓમાં પણ સામેલ છે. તેનાં બેનર રેડ ચિલીઝ હેઠળ અનેક બ્લોકબસ્ટર ફિલ્મો અને લોકપ્રિય વેબ સિરીઝ બની છે. હવે તેનાં બેનર…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. વડોદરામાં ૨૦૨૫ માં ગણેશોત્સવના તહેવાર નિમિત્તે શ્રીગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકી શાંતિને પલીતો ચાંપનારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. ઉપરાંત ઝડપાયેલા આરોપી પૈકી એક આરોપી સગીર હોવાનો ખુલાસો પણ થયો હતો. પોલીસે આરોપીઓનો જાહેરમાં સરઘસ કાઢી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી પણ મંગાવી હતી. વડોદરા માં ગત ઓગષ્ટ મહિનામાં પાણીગેટ નજીક શ્રીજી ની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનાને લઈને વિવાદ ઊભો થયો છે. આ સમગ્ર મામલે પોલીસની કામગીરી સામે કોર્ટની અવમાનના થયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ અને સિટી PI સહિત છ અધિકારીઓ સામે અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટે પાંચ આરોપીની અરજી સ્વીકારી…

Read More

(છગનલાલ મેવાડા દ્વારા) સુરત. દેશભરમાં આજે પત્રકારોએ સાચુ લખવું હોય તો ભારે કિંમત ચૂકવવી પડતી હોય છે અને એના અનેક દાખલાઓ મૌજૂદ છે. જેમાં સત્યને પંથે ચાલનારા પત્રકારોએ મોતને પણ વહાલું કરવું પડયુ હોય ત્યારે પંજાબના ભટિંડા શહેરમાં મંગળવારે પત્રકારો, ખેડૂત પ્રતિનિધિઓ અને નાગરિક અધિકાર કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈને વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP)ની કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. “પ્રેસ દી આઝાદી બહાલ કરો સંઘર્ષ સમિતિ” દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં સહભાગીઓએ માનવ સાંકળ રચીને રાજ્યમાં પ્રેસની સ્વતંત્રતા પર થઈ રહેલા હુમલાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. દેખાવકારોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં આક્ષેપ કર્યો હતો કે…

Read More

૩ ટુરિસ્ટ જીવતા બળી ગયા ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, ૧૦ કિ.મી. ઊંચે રાખ ઊડી ઈન્ડોનેશઇયામાં હલમહેરા ટાપુ પર સ્થિત માઉન્ટ ડુકોનો જ્વાળામુખીમાં શુક્રવારે મોટો વિસ્ફોટ થયો હતો  આજના સમયમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે ખતરનાક સ્થળોએ ફોટો અને વીડિયો બનાવવાનો ક્રેઝ ક્યારેક જીવલેણ સાબિત થાય છે. ઇન્ડોનેશિયાના માઉન્ટ ડુકોનો જ્વાળામુખી પર આવી જ એક ઘટના બની છે. વહીવટીતંત્રની કડક ચેતવણી અને પ્રતિબંધ હોવા છતાં, ૨૦ પ્રવાસીઓ જ્વાળામુખીના જાેખમી વિસ્તારમાં ચઢી ગયા હતા. આ દરમિયાન અચાનક જ્વાળામુખી ફાટતા આસમાનમાં રાખ અને ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં બે સિંગાપોરના પ્રવાસીઓ અને એક સ્થાનિક…

Read More

અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો અમેરિકાએ એક ઈરાની જહાજને કબજે કર્યું હતું, જેમાં અંદાજે એક ડઝન જેટલા પાકિસ્તાનીઓ સવાર હતા અમેરિકા-ઈરાન વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. બંને દેશો વચ્ચે હોર્મુઝ જળમાર્ગમાં ગોળીબાર થયો છે અને બંને એકબીજા પર યુદ્ધવિરામ તોડવાનો આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન બંને વચ્ચે મધ્યસ્થી બનેલા પાકિસ્તાનની ચિંતાઓ વધી ગઈ છે. અમેરિકાએ તાજેતરમાં જ એક ઈરાની જહાજને કબજે કર્યું હતું, જેમાં અંદાજે એક ડઝન જેટલા પાકિસ્તાનીઓ સવાર હતા. આમ અમેરિકાએ મધ્યસ્થી કરાવવા ધમપછાળા કરી રહેલા પાકિસ્તાનને પણ છોડ્યું નથી અને હવે પોતાના લોકોને છોડાવવા માટે પાકિસ્તાન અમેરિકાના…

Read More

ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઇનાના એન્જિનિયરોએ ખુલાસો કર્યો કે તેઓ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનમાં હાજર હતા ચીને પહેલીવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે ગયા વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન તેણે પાકિસ્તાની વાયુસેનાને ઓન-સાઇટ ટેકનિકલ સહાય પૂરી પાડી હતી. ચીની સરકારી બ્રોડકાસ્ટરCCTV પર પ્રસારિત એક ઇન્ટરવ્યુમાં, એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઇના (AVIC) ના એન્જિનિયરોએ ખુલાસો કર્યો કે તેઓ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનમાં હાજર હતા. અહેવાલ મુજબ, આ સંઘર્ષ દરમિયાન ચીની બનાવટના J-10CE ફાઈટર જેટે ભારતના ફ્રેન્ચ બનાવટના રાફેલ ફાઈટર જેટને તોડી પાડ્યું હતું. આ પ્રથમ ઘટના છે જ્યારે…

Read More

ભૂતપૂર્વ ક્રિકેટર અતુલ વાસને આરોપ લગાવ્યો ગૌતમ ગંભીરના કોચિંગથી બધા ખેલાડીઓ ખુશ નથી ભારતીય સેટઅપમાં કેટલાક ખેલાડીઓ ગંભીરની મેનેજમેન્ટ શૈલી અને મજબૂત વ્યક્તિત્વથી નાખુશ છે ગૌતમ ગંભીર જુલાઈ ૨૦૨૪માં ટીમ ઈન્ડિયામાં મુખ્ય કોચ તરીકે જાેડાયા હતા. તેમના કોચિંગ હેઠળ, ભારતે સતત બે ICC ટ્રોફી જીતી હતી: ચેમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૨૬ T20 વર્લ્ડ કપ. ગંભીરના કોચિંગથી સેમસન જેવા ખેલાડીઓને તકો મળી, જ્યારે ઇશાન કિશન જેવા ખેલાડીઓનો પણ પ્રવેશ થયો, જેઓ સતત ઘરેલુ ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યા છે. જાેકે, તેમના કાર્યકાળ દરમિયાન અનેક વિવાદાસ્પદ અહેવાલો પણ સામે આવ્યા. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓએ કોચિંગ દરમિયાન અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ…

Read More

INDIA ગઠબંધનમાં ભંગાણ કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવતા DMK લાલઘૂમ બદલાયેલા રાજકીય સંજાેગોને ધ્યાનમાં રાખીને ડ્ઢસ્દ્ભ એ હવે લોકસભામાં કોંગ્રેસની સાથે બેસવાનો ઈનકાર કરી દીધો રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે લડવા માટે બનેલા વિપક્ષી ગઠબંધન INDIA ના ભવિષ્ય પર હવે સવાલો ઊભા થયા છે. તમિલનાડુમાં દાયકાઓ જૂની મિત્રતા તોડીને કોંગ્રેસે અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) સાથે હાથ મિલાવતા DMK નારાજ થયું છે. આ બદલાયેલા રાજકીય સંજાેગોને ધ્યાનમાં રાખીને DMK એ હવે લોકસભામાં કોંગ્રેસની સાથે બેસવાનો ઈનકાર કરી દીધો છે. DMK ના સાંસદ કનિમોઝી કરુણાનિધિએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખીને વિનંતી કરી છે કે ગૃહમાં DMK…

Read More