Author: Garvi Gujarat

ભારત સરકારે મહત્વનું નિવેદન આપ્યું રેસ્ક્યુ ઓપરેશન અત્યાર સુધી ૨૩૩૭ નાવિકો પરત ફર્યા છેલ્લા ૨૪ કલાકમાં જ ૭૫ નાવિકોની ઘરવાપસી થઈ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે ભારત સરકારે મહત્વનું નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલય અને શિપિંગ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય નાગરિકો અને જહાજાેની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અત્યાર સુધી હજારો નાવિકોને સફળતાપૂર્વક પરત લાવવામાં આવ્યા છે. શિપિંગ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી મુકેશ મંગલે માહિતી આપી હતી કે, પર્સિયન ગલ્ફ વિસ્તારમાં તમામ ભારતીય નાવિકો હાલ સુરક્ષિત છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨,૩૩૭ ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં…

Read More

બિહારમાં ૭૫ વર્ષમાં પહેલીવાર ભાજપના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા જેડીયુના કોટાથી વિજયકુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા : આજે ફક્ત ત્રણ નેતાઓના જ શપથગ્રહણ થયા બિહારમાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. ૭૫ વર્ષમાં પહેલીવાર રાજ્યમાં ભાજપના મુખ્યમંત્રી બન્યા છે. સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ સૈય્યદ અતા હસનૈને તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. તેમણે બિહારના ૨૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધી. સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા જ્યારે જેડીયુના કોટાથી વિજયકુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. આજે ફક્ત આ ત્રણ નેતાઓના જ શપથગ્રહણ થયા.…

Read More

ગોંડલ માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં કેસર કેરીની ૧૭૫૩૩ બોક્સની મબલખ આવક ૧૦ કિલો બોક્સના ભાવ ૩થી ૪ હજાર સુધી સ્થિર; છૂટક બજારમાં પ્રતિ કિલો ૧૭૦ના ભાવે વેચાણ સૌરાષ્ટ્રના પ્રખ્યાત ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવકમાં જાેરદાર ઉછાળો જાેવા મળ્યો છે. સીઝનની શરૂઆતમાં જ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ૧૭,૫૩૩ બોક્સ કેસર કેરીની મબલખ આવક નોંધાઈ હતી. બજારમાં રસીલા ફળની આવક વધતા યાર્ડમાં કેરીની ખરીદી જાેવા મળી રહી છે.માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ યાર્ડમાં ૧૦ કિલો કેસર કેરીના બોક્સ દીઠ ૩,૦૦૦થી ૪,૦૦૦ સુધીના ભાવ બોલાઈ રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, મધ્ય એપ્રિલથી સૌરાષ્ટ્રની કેસર કેરીની આવક પૂરજાેશમાં શરૂ થઈ…

Read More

ભારતે વિરોધ કર્યો ચીનનો દાવો: અરૂણાચલ પ્રદેશ ભારતનું અંગ નથી, અમારો ઝાંગનાન પ્રદેશ છે ચીને ધમકી આપી, કેટલાક વિસ્તારોના નામ બદલવાનો વિરોધ ભારત સાથેના સંબંધો બગાડી શકે અરૂણાચલ પ્રદેશના કેટલાંક વિસ્તારોના નવા નામો આપવાના પોતાના ર્નિણયનો બચાવ કરતા ચીને મંગળવારે કહ્યું હતું કે ભારત સાથેના સંબંધો સુધારવા અંગેની અમારી નીતિમાં કોઇ ફેરફાર થયો નથી અને તે નીતિ આજે પણ યથાવત છે. અરૂણાચલ પ્રદેશ ભારતના અંગ તરીકે સ્વીકારવાનો ઈનકાર કરતાં ચીને તેને પોતાનો ઝાંગનાન પ્રદેશ ગણાવ્યો હતો.અરૂણાચલ પ્રદેશના કેટલાંક વિસ્તારોના નકલી નામો જાહેર કરવાના ચીનના પ્રયાસોને ભારતે રવિવારે અત્યંત કડક શબ્દોમાં વખોડી કાઢ્યા હતા અને ભારપૂર્વક કહ્યું હતું કે પાયાવિહોણા કથનો…

Read More

ઇવેન્ટના ઓર્ગેનાઈઝર સહિત ૫ લોકોની ધરપકડ મુંબઈની મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ્સના ઓવરડોઝથી MBA ના બે વિદ્યાર્થીનાં મોત મ્યુઝિક કોન્સર્ટમાં અંદાજે ૪,૦૦૦ લોકો સામેલ થયા હતા. આ માટે દરેકે ૨૦૦૦ રૂપિયા એન્ટ્રી ફી ચૂકવી હતી મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલી નેસ્કો સેન્ટરની એક ઇવેન્ટમાં ડ્રગ્સના ઓવરડોઝને કારણે બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે. આ ઘટના ૧૧ એપ્રિલની રાત્રે યોજાયેલા એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન બની હતી. મૃતકોમાં એક યુવક અને એક યુવતીનો સમાવેશ થાય છે, જેઓ એમબીએના વિદ્યાર્થીઓ હતા. જાેકે, તેમણે કયા પ્રકારના નશીલા પદાર્થનું સેવન કર્યું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી. મુંબઈની વનરાઈ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.…

Read More

હોર્મુઝ બ્લોક કરવા US એ ૧૦૦૦૦ સૈનિક ખડક્યા અમેરિકાની નાકાબંધીથી ઇરાનને રોજનો રૂ.૪૦૦૦ કરોડનો ફટકો અમેરિકા-ઇરાન વચ્ચે વધુ એક મંત્રણા આગામી દિવસોમાં ઇસ્લામાબાદ કે જિનિવામાં યોજાઈ શકે : ટ્રમ્પે તૈયારી બતાવી અમેરિકાએ હોર્મુઝની નાકાબંધી કરતાં ઇરાનને રોજનો રૂ. ૪૦૦૦ કરોડનો ફટકો પડી રહ્યો છે. ઇરાનના અર્થતંત્ર માટે આ નાકાબંધી મોટો ફટકો સાબિત થઈ શકે છે. ટ્રમ્પે ૧૩ એપ્રિલથી ઇરાનની નાકાબંધીની જાહેરાત કરી હતી. પાકિસ્તાનમાં ઇરાન સાથેની ૨૧ કલાકની શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી ઇરાનની નાકાબંધી કરવાની જાહેરાત કરી હતી. અમેરિકાએ માત્ર ઇરાનના બંદરો પર જતા જહાજાેની નાકાબંધી માટે અમેરિકાએ ૧૦ હજાર સૈનિકો અને જહાજાે ખડક્યા છે. જાેકે, આ સિવાયના જહાજાેને…

Read More

પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે શિયાના ભારત સાથે ગાઢ સંબંધો છે અને રશિયા ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવામાં એક નિષ્પક્ષ મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી શકે છે રશિયામાં પાકિસ્તાનના રાજદૂત ફૈઝલ નિયાઝ તિરમિઝીના એક તાજેતરના નિવેદને રાજદ્વારી આલમમાં ચર્ચા જગાવી છે. એક ખાનગી ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે ભારત અને પાકિસ્તાન બંનેના પરમાણુ સુરક્ષા રેકોર્ડની પ્રશંસા કરી છે. આ સાથે જ તેમણે પશ્ચિમ એશિયાના સંઘર્ષનો ઉલ્લેખ કરી પરમાણુ મથકો પર હુમલો ન કરવાની હિમાયત કરી છે.રાજદૂત તિરમિઝીએ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સુવિધાઓ પર હુમલો ન કરવાની પરસ્પર ગેરંટીનો…

Read More

યુદ્ધને લીધે એશિયા-પેસિફિક પર ૨૯૯ અબજ ડોલરનો બોજ પડશે: સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ખાડી યુદ્ધથી ભારતમાં ૨૫ લાખ લોકો પર ગરીબીમાં ધકેલાવાનું જાેખમ:UNDP યુએનડીપીના અહેવાલમાં જણાવ્યાં અનુસાર, ભારત તેની જરૂરિયાત પૈકીનું ૯૦ ટકા ઓઈલ આયાત કરે છે જે પૈકીનું ૫૦ ટકા ક્રૂડ અને ૯૦ ટકા એલપીજી પશ્ચિમ એશિયામાંથી આયાત કરે છે પશ્ચિમ એશિયામાં છેલ્લાં દોઢ મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલી લડાઈની અસર ભારત સહિત સમગ્ર વિશ્વ પર વર્તાઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ પ્રમાણે ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને પગલે સમગ્ર વિશ્વમાં કુલ ૮૮ લાખ જ્યારે ભારતમાં ૨૫ લાખથી વધુ લોકો ગરીબીમાં ધકેલાવાનું જાેખમ સર્જાયું છે. આ ઉપરાંત…

Read More

સોનાના વાયદામાં રૂ.172 અને ચાંદીના વાયદામાં રૂ.1171ની નરમાઇઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.62ની વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.31465.31 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.322657.93 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 19090.89 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37200 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.354123.79 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.31465.31 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.322657.93 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 37200 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.5485.08 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 19090.89 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.154757ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.155048 અને…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતમાં અમીર-ગરીબની ખીણ બહુ મોટી છે. આ આર્થિક અસમાનતામાં અમીરોની સંખ્યા નજીવી જ્યારે ગરીબોની સંખ્યા ખૂબ મોટી છે અને દેશનો મોટા ભાગનો વર્ગ મજૂર ,ખેડૂત, કામદાર કે નોકરિયાત છે અને અંદાજે ૧૦૦ કરોડની સંખ્યાને આંબી જનારા આ વર્ગની સમસ્યાઓ તેમની વસ્તી જેટલી જ વિશાળ છે ત્યારે હાલ જે કપરા સંજોગો સવર્ત્ર પ્રવર્તી રહ્યા છે. અને વિકસિત દેશોમાં પણ મોંધવારી ફાટી નીકળી છે. અને આ દેશોના સમૃધ્ધ નાગરિકો માટે પણ જીવવું દોહ્યલુ થઈ પડયું છે. ત્યારે ભારત જેવા વિકાસશીલ અને વિશાળ દેશમાં આ સમસ્યા કેટલી ગંભીર થઈ ગઈ છે એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ અને…

Read More