Author: Garvi Gujarat

દાદી કી શાદી સાથેના ડેબ્યુને રિદ્ધીમાએ ‘કમિંગ ફુલ સર્કલ’ ગણાવ્યું રિદ્ધિમા ૪૫ વર્ષની ઉંમરે ડેબ્યુ કરનારી કપૂર પરિવારની સૌથી મોટી ડેબ્યુટન્ટ રિદ્ધિ ફિલ્મમાં પ્રથમ વખત પોતાની પુત્રી સમારા સાથે અને માતા નીતુ કપૂર એમ બંને સાથે સ્ક્રીન શેર કરશે ઋષિ કપૂર અને નીતુ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂર સહાની ૪૫ વર્ષની ઉંમરે, ‘દાદી કી શાદી’થી એક્ટિંગમાં ડેબ્યુ કરી રહી છે. તે કપૂર પરિવારની સૌથી મોટી ડેબ્યુટન્ટ બની રહી છે. આ ડેબ્યુ રિદ્ધિમા માટે ભાવનાત્મક છે અને તે વધુ ખાસ એટલા માટે બને છે કારણ કે તે ફિલ્મમાં પ્રથમ વખત પોતાની પુત્રી સમારા સાથે અને માતા નીતુ કપૂર બંને સાથે સ્ક્રીન શેર…

Read More

કારમી હાર બાદ કોંગ્રેસમાં શિસ્તના નામે સફાઈ અભિયાન ગાંધીનગર કોંગ્રેસમાં ૨૦ સભ્યોને ઘરભેગા કરાયા ચૂંટણીમાં હાર માટે જવાબદારી સ્વીકારવાને બદલે પક્ષે હવે કાર્યકરો પર દોષનો ટોપલો ઢોળવાનું શરૂ કર્યું હોય તેમ જણાય છે રાજ્યમાં સ્થાનિક ચૂંટણીમાં સુપડા સાફ થતાં કોંગ્રેસે શિસ્તભંગનું હથિયાર ઉગામ્યું છે. જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ૨૦ કાર્યકરોને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવાના આદેશ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬માં કોંગ્રેસના દેખાવ બાદ હવે પક્ષમાં આંતરકલહ સપાટી પર આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં ભાજપના ભવ્ય વિજય અને કોંગ્રેસના રકાસ બાદ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ આકરા પગલાં ભરવાની શરૂઆત કરી છે. ચૂંટણીમાં…

Read More

બ્રોન્ઝ મેડલ વિજેતા ખેલાડીનું દર્દ છલકાયું ઇન્સ્ટાગ્રામ મોડલ્સને અમારા કરતા વધુ મહત્ત્વ મળે છે ભારતીય બેડમિન્ટન જગતનો ચમકતો સિતારો સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ રોષ ઠાલવ્યો છ ઇન્સ્ટાગ્રામ મોડલ્સને અમારા કરતા વધુ મહત્ત્વ મળે છે: બ્રોન્ઝ મેડલ વિજેતા ખેલાડીનાં નિવેદનથી ચર્ચા જાગી છે. થોમસ કપમાં બ્રોન્ઝ મેડલ જીતનારા બેડમિન્ટન સ્ટાર સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીનો આક્રોશથી હાલ તો મીડિયા અને સોશિયલ મીડિયા સ્તબ્ધ છે. થોમસ કપ રમીને અમે એરપોર્ટ પર ઉતર્યા ત્યારે કોઈ ઓળખતું નહોતું, સરકાર કે બેડમિન્ટન એસોસિએશન તરફથી પણ કોઈ સ્વાગતમાં ન આવ્યું નહોતું. હું મિત્રો સાથે ડિનર માટે જાઉં તો ટેબલ નથી મળતું, પણ ઈન્સ્ટાગ્રામની કોઈ ફેમસ વ્યક્તિ ત્યાં આવે તો તેનું સ્વાગત…

Read More

પોસ્ટમાં લખી દિલની વાત પંજાબના ખેલાડીના અચાનક મોતથી ભાવુક થયો વિરાટ કોહલી કોહલીએ પંજાબના પૂર્વ ક્રિકેટર અમનપ્રીત સિંહ ગિલના અચાનક નિધન પર શોક વ્યક્ત કર્યો, બંને સાથે રમ્યા હતા ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ પંજાબના પૂર્વ ક્રિકેટર અમનપ્રીત સિંહ ગિલના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેણે સોશિયલ મીડિયા એક્સ પર ટ્વીટ કરતા લખ્યું કે, “અમનપ્રીત ગિલના નિધનના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો છે. તેના પરિવાર અને પ્રિયજનો માટે હું પ્રાર્થના કરું છું. તેઓની આત્માને શાંતિ મળે, ઓમ શાંતિ.” તમને જણાવી દઈએ કે, કોહલી અને અમનપ્રીત અંડર ૧૯ ક્રિકેટમાં એક સાથે રમી ચૂક્યા છે. એ જ કારણ છે કે, તેને…

Read More

સોના-ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચઃ સોનાનો વાયદો રૂ.916 અને ચાંદીનો વાયદો રૂ.8845 વધ્યો ક્રૂડ તેલનો વાયદો રૂ.351 ગબડ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.34894.45 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.151450.05 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24453.38 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37141 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.186344.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.34894.45 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.151450.05 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 37141 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3508.74 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24453.38 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.152887ના…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતમાં ગરીબો માટે શિક્ષણ મેળવવું અઘરું બની રહ્યું છે તેનું કારણ નીતિ આધારિત અસમાનતાઓ. એક તરફ સરકારી સંસ્થાઓનું ભંડોળ ઓછું કરી દેવાયું છે અને બીજી તરફ ખાનગી શિક્ષણનો ઊંચો ખર્ચ અને કોચિંગ સેન્ટરોની મોંઘીદાટ ફી ગરીબ પરિવારોને પરવડે તેમ નથી. ઉપરાંત શિક્ષણ સામાજિક સ્થિરતા લાવી શકે છે તેવો તેમનો વિશ્વાસ પણ ડગમગી રહ્યો છે. ત્યારે યાદ કરીએ નહેરુ યુગ, નહેરુના સમયમાં ભારતમાં ગરીબો શિક્ષણને મહાન સ્તરીકરણ માનીને એક સરળ ક્રાંતિકારી વિચારમાં વિશ્વાસ રાખતા હતા. “પઢ જાયેંગે તો બઢ જાયેંગે” (“ભણીશું તો આગળ વધીશું”) તેમના માટે શિક્ષણ જાતિ, ગરીબી, જન્મના વારસાગત ગેરફાયદામાંથી બહાર નીકળવાનો માર્ગ હતો. ભારતના…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશના વિવિધ રાજ્યોની હાલમાં જ થયેલી ચૂંટણીઓ પછી પશ્ચિમ બંગાળમાં સત્તા પલટો થયો અને બંગાળના ઇતિહાસમાં કદી પણ સત્તા ન મેળવી શકેલા એક પક્ષને બંગાળનું સિંહાસન મળ્યું છે એટલે આ પક્ષ (ભાજપ)ના કાર્યકરો અને નેતાઓમાં જીતનો ઉભરો આવે એ સ્વાભાવિક ગણાય પરંતુ કમનસીબે વિજયને પચાવી ન શકેલા. વિજેતા ભાજપ પક્ષના નેતાઓ અને કાર્યકરોએ જે રીતે વિજયની ઉન્માદી ઉજવણી કરી છે તેના કારણે સમગ્ર બંગાળ હિંસાની આગમાં સપડાઈ ગયું છે. અને એને કારણે સભ્ય અને સંસ્કારી સમાજ એ બંગાળનો હોય કે અન્ય કોઈપણ રાજ્યનો તેના મનમાં દહેશત,ભય અને ચિંતાનું લખલખુ પસાર થઈ રહ્યું છે. સૌના હોઠ ઉપર…

Read More

ISI નો હાથ હોવાની આશંકા પંજાબમાં BSF અને આર્મી કેમ્પ નજીક વિસ્ફોટ જાલંધરમાં થયેલા ધડાકા માટે ખાલિસ્તાન લિબરેશન આર્મીએ જવાબદારી લીધી છે અને પોલીસ દ્વારા આ દાવાની ચકાસણી થઈ રહી છે પંજાબમાં સલામતી દળોની બે છાવણી નજીક મંગળવારે રાત્રે અલગ-અલગ બોમ્બ વિસ્ફોટના પગલે ગભરાટ સાથે સાવચેતીનો માહોલ સર્જાયો છે. આ વિસ્ફોટોમાં પાકિસ્તાનની કુખ્યાત આઈએસઆઈનો હાથ હોવાની આશંકા છે, જ્યારે રાજકીય મોરચે પરસ્પર આક્ષેપોનો મારો શરૂ થઈ ગયો છે. ઓપરેશન સિંદૂરની જયંતિ પૂર્વે થયેલા આ વિસ્ફોટને સલામતી દળો ઉપરાંત ગુપ્તચર સંસ્થાઓએ અત્યંત ગંભીરતાથી લીધી છે. જાલંધર શહેરનજીક આવેલા બીએસએપના પંજાબ ળન્ટિયર હેકક્વાર્ટરની બહાર મંગળવારે રાત્રે ૮ કલાકે વિસ્ફોટ થયો હતો, જ્યારે…

Read More

પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત સંબંધો પર પ્રતિબંધ યથાવત: રમત મંત્રાલય બહુપક્ષીય ટુર્નામેન્ટ માટે પાકિસ્તાનના ખેલાડીઓને ભારતમાં પ્રવેશ મળશે ભારત આગામી ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૬ ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની મહત્વાકાંક્ષા ધરાવે છે ભારત સરકારના રમતગમત મંત્રાલયે બુધવારે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમતગમત સંબંધો પર ગયા વર્ષે લાદવામાં આવેલો સંપૂર્ણ પ્રતિબંધ યથાવત રહેશે. જાેકે આંતરરાષ્ટ્રીય સ્તરની બહુરાષ્ટ્રીય રમતગમતની ઇવેન્ટ માટે પાકિસ્તાની ખેલાડીઓને ભારત આવતા અટકાવવામાં આવશે નહીં.મંત્રાલયે ભારતને “રમતગમત માટેના પસંદગીના સ્થળ” તરીકે સ્થાપિત કરવા માટે ખેલાડીઓ, ટીમના અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ અને આંતરરાષ્ટ્રીય રમત સંસ્થાઓના હોદ્દેદારો માટે વિઝા પ્રક્રિયાને સરળ બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યાે…

Read More

IMF ની ચેતવણી ‘ભારતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જ પડશે, નહીંતર અર્થતંત્ર પર અસર થશે’ ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલતા તનાવના લીધે ક્રૂડ ઓઇલના પુરવઠા પર અસર પડી છે. તેના લીધે ક્રૂડની કિંમત સતત વધી રહી છે અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધની વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. આ દરમિયાન આઇએમએફ (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ)ના એશિયા પેસિફિક વિભાગના ડિરેક્ટર કૃષ્ણ નિવાસને જણાવ્યું છે કે ભારત સરકારે વહેલા કે મોડા ભાવ વધારવા જ પડશે, જાે નહીં વધારે તો અર્થતંત્ર પર અસર પડશે. તેની વચ્ચે ભારત સરકારે ભાવમાં વધારો નહી કરવાનું રટણ જારી રાખ્યું છે.તેમનું કહેવું છે કે ભારતે આગામી દિવસોમાં…

Read More