- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
- BRICS સમિટમાં મોદીનો સંદેશ: કોઈની વિરુદ્ધ નહીં, વૈશ્વિક શાસનમાં સુધારા અને સરહદે શાંતિ જરૂરી
- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
Author: garvigujrat
દર વર્ષે ૨ વોરશિપ બનાવવાનો આપ્યો આદેશ ૩ દેશો ધ્રુજી ઉઠ્યા ! કિમ જાેંગ ઉને દરિયામાં ઉતાર્યું મહાવિનાશક યુદ્ધ જહાજ ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જાેંગ ઉને તાજેતરમાં નવા વિધ્વંસક કાંગ કોન પરથી ક્રૂઝ મિસાઈલ પરીક્ષણનું નિરીક્ષણ કર્યું આજકાલ જ્યાં મોટાભાગના દેશો આધુનિક ડ્રોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર વોર સિસ્ટમ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, ત્યારે ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જાેંગ ઉન પરંપરાગત પરંતુ, અત્યંત આક્રમક નૌકાદળનું સૈન્ય તૈયાર કરવામાં વ્યસ્ત છે. તાજેતરમાં જ કિમ જાેંગ ઉને ઉત્તર કોરિયાના નવા વિધ્વંસક (ડિસ્ટ્રોયર) કાંગ કોનના ડેક પરથી ક્રૂઝ મિસાઈલ પરીક્ષણોનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કર્યું હતું, જે સ્પષ્ટ સંકેત…
ભાજપ શાસનમાં ૧૨ વર્ષમાં પેપર લીકની ૯૦મી ઘટના કોંગ્રેસના કેન્દ્ર પર પ્રહાર, રાહુલ ગાંધીની આગેવાનીમાં થશે આંદોલન પેપર લીક મામલે ૨૫ જૂનથી ૯ ઓગસ્ટ સુધી ૨૮ રાજ્યોમાં પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. ૯ ઓગસ્ટે દિલ્હીમાં છાત્રો કી ગુંજ કાર્યક્રમ NEET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકના મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલીને દેશવ્યાપી અભિયાન તેજ કર્યું છે. આ અંતર્ગત ૨૫ જૂનથી ૯ ઓગસ્ટ સુધી દેશના ૨૮ રાજ્યો અને ૨૮ શહેરોમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. આ જ કડીમાં ૯ ઓગસ્ટે દિલ્હીમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીની હાજરીમાં છાત્રો કી ગુંજ કાર્યક્રમ યોજાશે, જેની રણનીતિ ઘડવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી.…
IMD એ જાહેર કર્યું રેડ એલર્ટ મુંબઈમાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ મુંબઈમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા મુંબઈમાં ચોમાસાનો વરસાદ ફરી એકવાર તોફાની બન્યો છે. શહેરમાં ભારે વરસાદ સાથે જાેરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. જાે તમે છત્રી લઈને બહાર નીકળતા હોવ તો પણ ભારે વરસાદ અને પવનથી બચવું મુશ્કેલ બની રહ્યું છે. વરસાદના કારણે શહેરમાં વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ છે અને સમુદ્રમાં ઊંચી લહેરો ઊઠવા લાગી છે. શહેરની ઊંચી ઇમારતો ધુમ્મસની ચાદરમાં લપેટાયેલી જાેવા મળી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને…
આ જાહેરાત જન સુરાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે કરી બાંકીપુર પેટાચૂંટણી: જન સુરાજ પાર્ટીએ પ્રશાંત કિશોરને મેદાનમાં ઉતાર્યા જનતાના આશીર્વાદ મળશે તો ચૂંટણી જીતીશ : પ્રશાંત કિશોર બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જન સુરાજ પાર્ટીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે, પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોર બાંકીપુર વિધાનસભા સીટ પરથી પેટાચૂંટણી લડશે. એટલે કે પાર્ટીએ બાંકીપુર વિધાનસભા બેઠક પરથી પ્રશાંત કિશોરને ઉમેદવાર જાહેર કર્યા છે. આ અંગેની જાહેરાત જન સુરાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મનોજ ભારતીએ કરી છે. આ સાથે જ બાંકીપુરની પેટાચૂંટણી હવે વધારે રસપ્રદ બની ગઈ છે. પાર્ટી દ્વારા જાહેરાત કરાયા બાદ પ્રશાંત કિશોરે…
૧૫ વર્ષ નાની ગૌરી સ્પ્રાટ બની જીવનસાથી ૬૧ વર્ષની ઉંમરમાં અભિનેતા આમિર ખાને કર્યાં ત્રીજા લગ્ન આમિર ખાને પોતાના ઘરમાં ગૌરી સાથે રજીસ્ટર મેરેજ કર્યાં : પરિવારજનો અને નજીકના મિત્રો હાજર રહ્યાં બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાને ગૌરી સ્પ્રાટ સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન મુંબઈના બાંદ્રામાં આવેલા આમિર ખાનના ઘર પર સાદાઈથી થયા છે. બંને છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી સાથે હતા. રવિવારે એક ખાનગી ઈવેન્ટમાં તેમના પરિવારના લોકો અને ખાસ મિત્રો સામેલ થયા હતા. આમિરના પ્રવક્તાએ તેની પુષ્ટિ કરી છે. આ પ્રસંગે તેના પાછલા લગ્નના ત્રણેય બાળકો પણ હાજર રહ્યાં હતા. લગ્નના કાર્યક્રમ શરૂ થતાં પહેલા આમિરની…
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને જાનથી મારવાની ધમકી, ‘મેલબોર્ન મીટ્સ મોદી’ કાર્યક્રમની સુરક્ષા કડક
મેલબોર્ન મીટ્સ મોદી કાર્યક્રમમાં હુમલાની ધમકી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને જાનથી મારવાની ધમકી આ ધમકી બાદ ઓસ્ટ્રેલિયન સુરક્ષા અધિકારીઓને એલર્ટ કરાયા અને તેમણે આ મામલાની તપાસ શરૂ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૮ જુલાઈથી ૧૦ જુલાઈ સુધી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાના છે. આ પ્રવાસ પહેલા તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધ ઓસ્ટ્રેલિયા ટુડેના અહેવાલ મુજબ, પીએમ મોદી સામેની આ ધમકી બાદ ઓસ્ટ્રેલિયન સુરક્ષા અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે અને તેમણે આ મામલાની તપાસ શરૂ કરી છે. તેમની મુલાકાતના શેડ્યૂલ મુજબ, પીએમ મોદી ૯ જુલાઈના રોજ ‘મેલબોર્ન મીટ્સ મોદી‘ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આ કાર્યક્રમ મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમમાં યોજાવાનો…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત સુરત જિલ્લા વાલ્મિકી સમાજ સેવા મંડળ સંચાલિત ગુજરાત પ્રદેશ વાલ્મિકી સમાજ કલ્યાણ સમિતિ આયોજિત કૌટુંબિક તકરાર નિવારણ સમિતિ ની મીટીંગ નવસારી સર્કિટ હાઉસ ખાતે વાલ્મિકી કૌટુંબિક તકરાર નિવારણ સમિતિ ના પ્રમુખ એડવોકેટ ડી સી સોલંકી અંકલેશ્વર ના પ્રમુખસ્થાને તારીખ 05/07/2026 ના રોજ બપોરે બે કલાકે મળી હતી. જેમાં સુરત નવસારી વલસાડ બારડોલી વ્યારા ભરૂચ ના આશરે પચાસ જેટલા પ્રતિનિધિ ભાઈ બહેનો હાજર રહ્યા હતા. વિવાહિત તકરાર ના દશ જેટલા પક્ષકારો હાજર રહી તેમની સમસ્યા રજૂ કરી હતી પક્ષકારોની સમસ્યા સાંભળી નિકાલ કરવા પ્રમુખશ્રી એ આશ્વાસન આપેલ હતું. પ્રમુખ સ્થાને થી સંબોધતા ડી.સી.સોલંકીએ જણાવ્યું હતું કે વિવાહિત…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરમાં દાનની રકમમાં ચોરીનો આરોપ મુકવામાં આવ્યો છે. અને એના પગલે તપાસ શરૂ કરવામાં આવી છે. ભૈરવ સેનાએ મુકેલા આ આરોપોએ સનસનાટી મચાવી લીધા બાદ હવે મંદિર સમિતિના કર્મચારીઓ અને મંદિર સમિતિના પ્રમુખના પર્સનલ આસિસ્ટન્ટ (P.A) ને નોટીસ ફટકારવામાં આવી છે. રામ મંદિરમાં દાન ચોરીના વિવાદ બાદ બદ્રીનાથ ધામમાં પણ આવા આરોપો થતા ભાવિકોની લાગણી દુભાઈ છે. ભૈરવ સેનાના પ્રમુખ સંદીપ ખત્રીએ મંદિર સમિતિના પ્રમુખ કાર્યકારી અધિકારી સોહન સિંહ રાગઢ ને પત્ર લખીને પ્રસાદમાં કથિત ગેરરીતિઓની તપાસની માંગણી કરી છે.
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ઈન્ડોનેશિયામાં બે યુવાનો એક દુકાનમાં ચોરી કરવા ઘૂસ્યા ત્યારે આસપાસના રહેણાંક વિસ્તારના જાગૃત લોકોએ તેમને રંગે હાથ પકડી લીધા હતા. લોકોએ ચોરને પકડીને મારપીટ કરવાને બદલે તેને બાંધી રાખ્યા હતા. પોલીસને આવતા વાર થાય એવું લાગતા ચોરો ભાગી ન જાય એ માટે લોકોએ બંને ચોરોને નખશિખ બ્રાઉન ટેપ માં લપેટી લીધા હતા. માત્ર બે આંખો,નાક અને મોં જ ખુલ્લા રહે એ રીતે બાંધીને તેમને ખુરશીમાં બેસાડી દીધા હતા. એકના માથે તો એન્ટેના જેવી ટેપ પણ બહાર કાઢી હતી અને પોલીસો તેને એન્ટેનાથી ઊંચકીને લઈ ગયા હતા.
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા કરાયેલી કાર્યવાહીમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી શહેરની ૭૭ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે.FSSAI ની ફૂડ સેફ એપ દ્વારા ફેર નિરીક્ષણમાં ૧૫૩ સંસ્થાઓમાં આરોગ્ય લક્ષી ખામીઓ મળી આવી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. FSSAI ની ફૂડ સેફ એપ ધ્વારા ફેર નિરીક્ષણ દરમ્યાન પાલિકા દ્વારા ૮૦ કિલો જેટલા અખાદ્ય પદાર્થોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ઉપરાંત આરોગ્ય અને ફૂડ વિભાગે સંસ્થાઓમાંથી દૂધ અને દૂધની બનાવટના ૪૩, ખાદ્ય તેલ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


