- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
- મોંઘવારીનો માર: ડુંગળી, ખાંડ, દાળ અને ખાદ્ય તેલના ભાવમાં મોટો ઉછાળો
- ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં AAPનું પ્રદર્શન, ગૃહમંત્રીના રાજીનામાની માંગ
- સુરતમાં ‘નારી હુંકાર’ સંમેલન, 2700થી વધુ મહિલાઓએ પરિવર્તનનો સંકલ્પ લીધો
- મિચેલ સ્ટાર્કનો વર્લ્ડ રેકોર્ડ, બાંગ્લાદેશ 64 રનમાં ઓલઆઉટ
- અમદાવાદના સરખેજમાં 291 લિટર દેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ
- રાજકોટની મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી
Author: garvigujrat
દિલ્હી હાઈકોર્ટનો આદેશ અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે જાેડાયેલી અશ્લીલ સામગ્રી હટશે જાહ્નવી કપૂરે પોતાનાં અધિકારોની સુરક્ષા માટે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયનો દરવાજાે ખખડાવ્યો હતો દિલ્હી હાઈકોર્ટ ફિલ્મ અભિનેત્રી જાહ્નવી કપૂર વિરૂધ્ધ આપત્તિજનક ઓનલાઈન ક્ધટેન્ટ હટાવવાનો આદેશ આપશે. જાહ્નવી કપૂરે પોતાનાં અધિકારોની સુરક્ષા માટે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયનો દરવાજાે ખખડાવ્યો હતો.મામલાની સુનાવણી દરમિયાન પીઠે (બેન્ચે) કહ્યું કે જાે કોઈ ફેન પેજ પર અશ્લીલ સામગ્રી હોય તો તેને હટાવવાનો ર્નિદેશ આપી શકાય છે. પરંતુ, એવી સામગ્રી જે અશ્ર્લીલ નથી, તેના પર પ્રતિબંધ લગાવવો યોગ્ય રહેશે કે નહીં, તે અંગે વિચાર કરવો પડશે.મુખ્ય રૂપે ત્રણ પ્રકારની સામગ્રીનાં સંબંધમાં રાહત આપી શકાય છે, પહેલી જે અશ્ર્લીલ…
ટ્રોલર્સે કર્યા આકરા પ્રહારો આકાંક્ષા ચમોલાના ડાન્સ વીડિયો પર ફેન્સ ભડક્યા ગૌરવ ખન્નાની પત્ની અને એક્ટ્રેસ આકાંક્ષા ચમોલાએ હાલમાં જ ‘લોક અપ: સત્ય યા સજા’માં ખૂબ ચર્ચામાં રહી હતી ગૌરવ ખન્નાની પત્ની અને એક્ટ્રેસ આકાંક્ષા ચમોલાએ હાલમાં જ ‘લોક અપ: સત્ય યા સજા’માં ખૂબ ચર્ચામાં રહી હતી. હવે શો પૂર્ણ થયા બાદ પણ તે ચર્ચામાં જ છવાયેલી છે. જેનું કારણ એ છે તેના ઇન્ટરવ્યૂ અને તેમાં આપેલા નિવેદનો. એટલું જ નહીં, આકાંક્ષા ચમોલાનો એક ડાન્સ વીડિયો પણ ચર્ચામાં છે, જે તેણે હાલમાં જ શેર કર્યાે હતો. જેમાં તે ‘બહતે જાના હે’ પર કમાલ ડાન્સ કરી રહી છે. આ વીડિયો પર…
મિસ વર્લ્ડ ૨૦૨૬માં મિસ ઈન્ડિયા નિકિતા પોરવાલ અને પાકિસ્તાની સુંદરી વચ્ચે જામી ટક્કર! સોશિયલ મીડિયા યુઝર્સ બંને દેશોની સુંદરીઓના ઈન્ટરવ્યુ, રેમ્પ વોક અને ફેશન સેન્સની સરખામણી કરી રહ્યા છે મિસ વર્લ્ડ ૨૦૨૬માં મિસ ઈન્ડિયા નિકિતા પોરવાલ અને પાકિસ્તાની બ્યુટી ક્વીન વચ્ચે ટક્કર! જાણો બંને ગ્લેમરસ સ્પર્ધકો વિશેવૈશ્વિક સ્તરે સૌથી પ્રતિષ્ઠિત ગણાતી બ્યુટી પેજન્ટ ‘મિસ વર્લ્ડ ૨૦૨૬’ને લઈને ઉત્સાહ ચરમસીમા પર છે. વિશ્વભરમાંથી આવતી સુંદરીઓ આ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. આ વખતે ભારત તરફથી ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ નિકિતા પોરવાલ દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે, જ્યારે પાકિસ્તાન તરફથી પણ બ્યુટી ક્વીન સ્પર્ધામાં ઉતરી છે.સોશિયલ મીડિયા પર…
પથુમ નિસાન્કા ઈજાના કારણે પહેલી ટેસ્ટમાંથી બહાર ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર ૧૫ ઓગસ્ટથી ગાલેમાં રમાનારી ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે શ્રીલંકાએ ૧૬ સભ્યોની ટીમની જાહેરાત કરી ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર આવી ગયા છે! ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી ૧૫ ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માટે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ગાલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ પહેલી ટેસ્ટ મેચ માટે બંને ટીમો કમર કસી રહી છે. ભારતીય ટીમ તો મંગળવારે જ ગાલે પહોંચી ગઈ છે, ત્યારે હવે યજમાન શ્રીલંકાએ પણ પોતાના ૧૬ યોદ્ધાઓના નામ જાહેર કરી દીધા છે. શ્રીલંકાની આ ૧૬…
Gen-Z માટે વડાપ્રધાન મોદીની સલાહ રીલ્સ છોડો, આત્મકથા વાંચો અને બીજાના સંઘર્ષમાંથી કંઈક શીખો રીલના યુગમાં જીવી રહેલા યુવાનોએ યાદ રાખવું જાેઈએ કે, શોર્ટકટ તમને નુકસાન પહોંચાડી શકે છે : વડાપ્રધાન નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે યુવાનોને આત્મકથાઓ વાંચવા અને બીજાના સંઘર્ષમાંથી શીખવાની અપીલ કરતાં કહ્યું કે રીલના યુગમાં જીવી રહેલા યુવાનોએ યાદ રાખવું જાેઈએ કે, શોર્ટકટ તમને નુકસાન પહોંચાડી શકે છે. મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ટ્રાયમ્ફ ઑફ ધ ઇન્ડિયન રિપબ્લિક: માય લાઇફ, માય સ્ટ્રગલ્સના વિમોચન કાર્યક્રમને સંબોધતા કહ્યું કે કોવિંદનું જીવન દર્શાવે છે કે દૃઢ સંકલ્પ કોઈ વ્યક્તિને મુશ્કેલીઓમાંથી બહાર આવવામાં અને સર્વોચ્ચ બંધારણીય પદ સુધી…
આમ આદમી પાર્ટી મહિલા મોરચાના અધ્યક્ષ પાયલ સાકરીયા અને પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવેએ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મહિલા સુરક્ષા મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી. આ તકે ’આપ’ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, અમે અગાઉ પણ આંદોલનો અને રજૂઆતો દ્વારા ગુજરાતની વાસ્તવિકતા સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ત્રીસ વર્ષથી ભાજપનું શાસન અને છેલ્લા દસ વર્ષથી ‘ટ્રિપલ એન્જિન’ સરકાર હોવા છતાં રાજ્યમાં મહિલા સુરક્ષાની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. મંત્રીઓ મોટી સભાઓમાં ગુજરાતમાં મહિલાઓ સંપૂર્ણ સુરક્ષિત હોવાના દાવા કરે છે, પરંતુ રિયાલિટી સાવ અલગ છે. સત્તાવાર આંકડા મુજબ ૨૦૧૫ થી ૨૦૨૪ સુધીમાં ૬,૧૦૦થી વધુ મહિલાઓ સાથે દુષ્કર્મ, ૫૦,૦૦૦થી વધુ મહિલાઓના…
રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલમાં એન્ફેલેમિયા જેવા ગંભીર રોગથી પીડાતા અને નિયમિત સારવાર તેમજ દવાઓ પર નિર્ભર એવા ૫૦૦થી વધુ બાળકો સારવાર હેઠળ છે, જેમાંના ઘણા બાળકોની હાલત ગંભીર હોવા છતાં જરૂરી દવાઓ ઉપલબ્ધ ન હોવાની ગંભીર બાબત સામે આવી છે. આ અંગે આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી દ્વારા રાજકોટ કલેક્ટરશ્રી મારફતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. એક તરફ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને મફત સારવાર આપવાના મોટા મોટા દાવા કરે છે, ત્યારે બીજી તરફ સિવિલ તંત્ર દ્વારા દવાઓ ઉપલબ્ધ હોવાનો દાવો કરાતો હોવા છતાં દર્દીના પરિજનોને બહારથી દવાઓ ખરીદવી પડી રહી છે. આ પરિસ્થિતિ…
આજે આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિને આવેદનપત્ર સોંપવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુક, પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઈ વળવાઈ, બારડોલી લોકસભા ઇન્ચાર્જ રુસ્તમ ગામીત અને તાપી જિલ્લા પ્રમુખ મહેન્દ્ર ગામીત સહિત સ્થાનિક ’આપ’ અગ્રણીઓ, આદિવાસી સમાજના નેતાઓ અને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વ્યારા સ્થિત તાપી જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન કલેક્ટર અને અધિક કલેક્ટર હાજર ન હોવાથી મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરવામાં આવી હતી કે ધારાસભ્ય ચૈતર વસાવાને તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં આવે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઈ વળવાઈએ…
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને સમગ્ર રાજ્ય શિવભક્તિ તથા સાત્વિકતામાં લીન છે, ત્યારે જ ગુજરાતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓને કારણે માંસના વેપાર અને કતલખાનાઓને મળી રહેલા પ્રોત્સાહન સામે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા સંજય બાપટ દ્વારા ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. તેમણે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સત્તાવાર આંકડાઓને ટાંકીને જણાવ્યું હતું કે, જે ગુજરાતને ‘શાકાહારી અને અહિંસક રાજ્ય’ તરીકે ઓળખવામાં આવે છે, તે જ ગુજરાતમાં કેન્દ્ર સરકારે ૧૦,૭૩૫ રજિસ્ટર્ડ કતલખાનાઓને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત રાજ્યમાં ૨,૧૭૬ જેટલા ગેરકાયદેસર કતલખાનાઓ પણ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે, જેના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં માંસનું…
(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત જોધપુરમાં શ્રાવણના પહેલા સોમવારે મિર્ચીવડાનો મહોત્સવ યોજાયો હતો. છેલ્લા 30 વર્ષથી દર વર્ષે અહીં મિર્ચીવડાને સમર્પિત ઇવેન્ટ યોજાય છે. જોધપુરવાસીઓનો મિર્ચીવડા માટેનો પ્રેમ અનોખો છે. અહીં રોજ એક લાખ મિર્ચીવડા વેચાય છે અને નાની મોટી થઈને 1000 દુકાનોમાં એ વેચાય છે. શ્રાવણિયા સોમવારે જોધપુરના અશોક ઉદ્યાનમાં યોજાયેલા મિર્ચીવડા મહોત્સવમાં ભાગ લેવા હજારો લોકો આવ્યા હતા.સાંજે પાંચ જ કલાક ચાલેલી આ ઇવેન્ટમાં 63,000 મિર્ચીવડા લોકો ઝાપટી ગયા હતા. અહીં 31 કિલોનું એક મિર્ચીવડુ પણ બન્યું હતું. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ વડું બનાવવા માટે ત્રણ કલાક લાગ્યા હતા.

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



