Author: garvigujrat

ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું પીએમ મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા મુલાકાત દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની પ્રવર્તમાન પરિસ્થિતિ અને ક્ષેત્રમાં વધી રહેલા વિવાદ પર ચર્ચા કરી હતી ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે વિવાદ અને તંગદિલી વચ્ચે અમેરિકન વિદેશ મંત્રી માર્કાે રુબિયોએ વિશ્વના દેશોને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પર લાદવામાં આવેલા અમેરિકન પ્રતિબંધોમાંથી તેને બચાવવાનો પ્રયાસ કરનાર કે તેની સાથે વેપાર કરનાર કોઈ પણ દેશ પર ટ્રમ્પ પ્રશાસન કડક પ્રતિબંધો લગાવતા ખચકાશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે થયેલી તાજેતરની બેઠક બાદ આ નિવેદન સામે આવ્યું…

Read More

સૂરનો એક યુગ આથમી ગયો ગુજરાતી સંગીતના દિગ્ગજ ગૌરાંગ વ્યાસનું ૮૭ વર્ષેની વયે નિધન ૨૪ નવેમ્બર ૧૯૩૮ના રોજ જન્મેલા ગૌરાંગ વ્યાસને સંગીતનો વારસો ઘરમાંથી જ મળ્યો હતો ગુજરાતી ફિલ્મ જગત અને સુગમ સંગીતના આકાશમાંથી એક તેજસ્વી સૂર ખોવાઈ ગયો છે. ગુજરાતના જાણીતા સંગીતકાર, સ્વરનિયોજક અને ગાયક ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં મોડી રાત્રે નિધન થયું છે. તેઓ ૮૭ વર્ષના હતા. સંગીતકાર-ગીતકાર સ્વ. અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે પોતાના પિતાની સમૃદ્ધ સંગીત પરંપરાને આગળ વધારીને ગુજરાતી સંગીતને પોતાની આગવી ઓળખ આપી હતી.ગૌરાંગ વ્યાસનું અવસાન માત્ર એક કલાકારની વિદાય નથી, પરંતુ ગુજરાતી સંગીતની એક એવી પેઢીની વિદાય છે, જેણે ગીતને માત્ર મનોરંજન નહીં, પરંતુ…

Read More

દરેક માતા-પિતાએ શીખવું જાેઈએ! અભિનેત્રી કરીના કપૂરે બાળકોને બાળપણથી જ પાડી ૩ ટેવ હું મારા પુત્રોને કહું છું કે જાે રડવું આવતું હોય તો ખુલીને રડી લો. રડવું એ કોઈ પાપ નથી અને એવું ક્યાંય લખ્યું નથી કે છોકરાઓ રડી ન શકે : કરીના એક્ટ્રેસ કરીના કપૂરની દમદાર એક્ટિંગ પર ચાહકો ફીદા છે અને આજે પણ તે ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. એક્ટિંગ કરિયરની સાથે કરીના તેના બંને દીકરાનો ઉછેર પણ કરી રહી છે અને માતાનો રોલ પણ ખૂબ સારી રીતે નિભાવી રહી છે. તૈમૂર અને જેહ બાળપણથી જ લાઈમલાઈટનો હિસ્સો રહ્યા છે, પરંતુ કરીનાએ તેમને ક્યારેય કોઈ બાબતે અહંકાર કરવાની…

Read More

બે દાયકા બાદ ફિલ્મ થ્રી ઈડિયટ્સની સિકવલ આવશે! સ્ક્રિપ્ટ સારી લખાશે તો જ થ્રી ઈડિયટ્સની સીકવલ બનશે ફિલ્મના મૂળ કલાકારો આમિર ખાન, શર્મન જાેશી, આર માધવન તથા કરીના કપૂરને રીપિટ કરવાનો પણ સંકેત આપ્યો હતો બહુ સારી સ્ક્રિપ્ટ લખાશે તો જ ‘થ્રી ઇડિયટસ’ની સીકવલ બનશે તેમ રાજકુમાર હિરાણીએ સ્પષ્ટ જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે હજુ તો સ્ક્રિપ્ટ લખાય છે.તેમણે ફિલ્મના મૂળ કલાકારો આમિર ખાન, શર્મન જાેશી, આર માધવન તથા કરીના કપૂરને રીપિટ કરવાનો પણ સંકેત આપ્યો હતો.૬૩ વર્ષના રાજકુમાર હિરાણીએ જણાવ્યું હતું કે તેઓ તેમની ટીમ સાથે અન્ય એક સ્ટોરી પર કામ કરી રહ્યા હતા ત્યારે સમજાયું કે આ…

Read More

સાય ફાય સમુકનું હાલ યુકેમાં શૂટિંગ ચાલી રહ્યું છે અક્ષય કુમારની ફિલ્મ સમુકમાં બંગાળી હિરોઇન ઋકમણિ મૈત્રની એન્ટ્રી છેલ્લે ૨૦૧૪માં આવેલી ‘હોલીડે: એ સોલ્જર ઇઝ નેવર ઓફ્ફ ડયૂટી’માં બંને એ કોલબરેશન કર્યું હતું અક્ષય કુમારની સાયફાય ફિલ્મ ‘સમુક’નું શૂટિંગ હાલ યુકેમાં ચાલી રહ્યું છે. હવે આ ફિલ્મમાં હિરોઇન તરીકે બંગાળી અભિનેત્રી ઋકમણિ મૈત્ર જાેડાઇ રહી હોવાનું જાણવા મળ્યું છે.ઋકમણિ અગાઉ વિદ્યુત જામવાલની ફિલ્મ ‘સનક’થી બોલિવુડમાં ડેબ્યૂ કરી ચૂકી છે. આ ઉપરાંત ‘ક્રેક’ નામની ફિલ્મમાં પણ તેનો નાનો રોલ હતો.સામાન્ય રીતે સાઉથની હિરોઇન્સ હિન્દી ફિલ્મોમાં ટોચના હીરો સાથે કામ કરતી જાેવા મળે છે. હવે ઋકમણી ‘સમુક’માં ગોઠવાશે તો વધુ બંગાળી હિરોઇન્સની…

Read More

શ્રીમદ્ ભગવદ્ ગીતા..માનવતાનો વૈશ્વિક ગ્રંથ અને જીવન દર્શન શ્રીમદ્ ભગવદ્ ગીતા ફક્ત એક ચોક્કસ સંપ્રદાય કે હિંદુ ધર્મનો જ ગ્રંથ નથી પરંતુ તે સમગ્ર અખિલ માનવજાત માટેનો એક અમૂલ્ય વૈશ્વિક માર્ગદર્શક ગ્રંથ છે.મહાભારતના ભીષ્મપર્વના ૨૫ થી ૪૨ અધ્યાય સુધી વિસ્તરેલા ૭૦૦ શ્લોકોમાં ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ એ માનવજીવનનું સૌથી ગહન તત્વજ્ઞાન રજૂ કરે છે.આશ્ચર્યની વાત એ છે કે સમગ્ર ગીતામાં ક્યાંય ‘હિંદુ’ શબ્દનો ઉલ્લેખ નથી.આ બાબત જ એ સિદ્ધ કરવા માટે પૂરતી છે કે ગીતા સમય,દેશ,કાળ કે ધર્મની સીમાઓથી પર બનીને દરેક મનુષ્યને સાચો જીવનમાર્ગ બતાવે છે.વિદેશી ચિંતકોથી લઈને ભારતના મહાન મનીષીઓએ પણ ગીતાને માનવતાના બાઇબલ તરીકે…

Read More

શીતળા સાતમ: પૌરાણિક આસ્થા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો પાવન સંગમ પવિત્ર શ્રાવણ મહિનો ભારતીય સંસ્કૃતિમાં આનંદ,ઉલ્લાસ અને વિવિધ તહેવારોની હારમાળા લઈને આવે છે.શ્રાવણ વદ છઠ્ઠને આપણી સંસ્કૃતિમાં રાંધણ છઠ્ઠ તરીકે મનાવવામાં આવે છે.પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના જ્યેષ્ઠ ભ્રાતા અને શેષનાગના અવતાર મનાતા બલરામજીનો જન્મ થયો હતો,આથી જ આ દિવસ બલરામ જયંતી તરીકે પણ ઓળખાય છે.આ શુભ પ્રસંગે માતાઓ પોતાના બાળકોના દીર્ઘાયુ,ઉત્તમ સ્વાસ્થ્ય અને પરિવારની સુખ-સમૃદ્ધિની કામના સાથે વ્રત રાખે છે.રાંધણ છઠ્ઠના દિવસે ગૃહિણીઓ ઉત્સાહપૂર્વક રસોડામાં વિવિધ પ્રકારના મિષ્ટાન,ફરસાણ અને પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરે છે,જેનો આનંદ બીજા દિવસે એટલે કે શીતળા સાતમના પાવન પર્વે લેવામાં આવે છે. ચૂલા પૂજન…

Read More

ઓગસ્ટ કોરોધાકોર, ૫ વર્ષમાં સૌથી ઓછો વરસાદ ગુજરાતમાં ગંભીર જળસંકટ અને દુષ્કાળની આશંકા કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જેવા જિલ્લાઓમાં સ્થિતિ વિકટ બની છે, ૧૦ ઈંચ વરસાદ પણ નોંધાયો નથી એકતરફ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો ૧૦૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે રાજ્યના ૧૦ તાલુકા એવા છે જ્યાં સરેરાશ ૧૦ ઈંચ પણ વરસાદ વરસ્યો નથી. અપૂરતા વરસાદથી જળસ્તર સતત ઘટી રહ્યું છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, કચ્છમાં પડેલા અપૂરતા વરસાદથી કૃષિ અને જળસ્ત્રોતને માથે સંકટ તોળાયું છે. દેવભૂમિ દ્વારકાના ચાર તાલુકા એવા છે જ્યાં ૧૦ ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. દ્વારકા તાલુકામાં સરેરાશ ૧ ઈંચ પણ વરસાદ પડ્યો નથી. ઓછા…

Read More

ટ્રમ્પ સરકારનો નવો પ્રસ્તાવ અમેરિકામાં બાળકનો પાસપોર્ટ બનાવવા માતા-પિતાએ નાગરિકતાનો પુરાવો આપવો પડશે આ નિયમ બર્થ ટુરિઝમ રોકવા અને જન્મજાત નાગરિકતાને લઈને ટ્રમ્પના પ્રયાસોનો ભાગ છે અમેરિકામાં બાળકોના પાસપોર્ટને લઈને નવા નિયમો લાવવાની તૈયારી ચાલી રહી છે. જેમાં માતા-પિતાએ પોતાના બાળકોનો પાસપોર્ટ બનાવતી વખતે નાગરિકતા કે અમેરિકામાં રહેતા હોવાના પુરાવા આપવા પડી શકે છે. આ મામલે અમેરિકન વિદેશન મંત્રાલયે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મજાત નાગરિકત્વને સમાપ્ત કરવાના પ્રયાસનો એક ભાગ છે. હાલના નિયમો અનુસાર, અમેરિકામાં જન્મેલા બાળકના પાસપોર્ટ બનાવતી વખતે માતા-પિતાએ પોતાના બાળક સાથેના તેમના સંબંધનો પુરાવો અને તેમની પોતાની ઓળખનો પુરાવો…

Read More

ઇરાન પર અમેરિકન હુમલા વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો હોર્મુઝ સ્ટ્રેટ હવે લગભગ સંપૂર્ણપણે અમેરિકાના નિયંત્રણમાં ટ્રમ્પે કહ્યું, “હું ઈરાનને વાટાઘાટોના ટેબલ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યો નથી, જેમ કે એબીસી ફેક ન્યૂઝે સૂચવ્યું છે ટ્રમ્પે એબીસી ન્યૂઝના એક અહેવાલને ફગાવી દીધો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ તેહરાનને વાટાઘાટોના ટેબલ પર પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમને ઈરાનને સોદા પર પહોંચવા માટે દબાણ કરવામાં કોઈ રસ નથી. ટ્રમ્પે કહ્યું, “હું ઈરાનને વાટાઘાટોના ટેબલ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યો નથી, જેમ કે એબીસી ફેક ન્યૂઝે સૂચવ્યું છે. જાે તેઓ એવો સોદો કરે છે જે તેમના માટે…

Read More