Author: Garvi Gujarat

ઈરાને ફરી અમેરિકા-ઈઝરાયલના ધબકારા વધાર્યા.‘અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે’.આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવાના ઈરાનના પ્રસ્તાવને ફગાવી દીધો છે. વેસ્ટ એશિયાની જંગમાં ભલે અત્યારે હુમલા અટક્યા હોય, પરંતુ તણાવ હજુ પણ યથાવત છે. શાંતિના પ્રયાસો માટે થઈ રહેલી તમામ વાટાઘાટો લાંબી ખેંચાઈ રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યાર સુધી કોઈ સહમતી સધાઈ નથી. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેહરાનના નવા પ્રસ્તાવને ફગાવી દેવાતા તણાવ વધી ગયો છે. હવે આ માહોલ વચ્ચે ઈરાની સેનાએ નવા દાવા સાથે સૌને ચોંકાવી દીધા છે. આર્મીએ જણાવ્યું છે કે, તે ટૂંક સમયમાં જ નવા હથિયાર વિશે ખુલાસો…

Read More

યુદ્ધ વચ્ચે ડૉલરનો દબદબો ખતમ થશે!.ભારત-રશિયા સહિતના BRICS દેશો ડોનાલ્ડ ટ્રમ્પને આપશે ઝટકો.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બ્રિક્સ દેશો સાથે મળીને એક નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિકસાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં ભારે અસ્થિરતા જાેવા મળી રહી છે. ભારતીય રૂપિયો ડોલર સામે ૯૫ ના સ્તરને પાર કરી જતાં ભારત હવે પોતાની આર્થિક સુરક્ષા માટે સજાગ થયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બ્રિક્સ દેશો સાથે મળીને એક નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિકસાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ નવી પેમેન્ટ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધો અને અમેરિકી ડોલરની અસ્થિરતાના પ્રભાવને…

Read More

કોંગ્રેસે આપેલા સંકેતથી ટેન્શન.ઉદ્ધવ ઠાકરેની જીદ બાદ I.N.D.I.A ગઠબંધનમાં પણ ભારે ખેંચતાણ.વિધાન પરિષદમાં જાે કોંગ્રેસ પક્ષ પોતાના ઉમેદવાર માટે દબાણ બનાવશે તો એ નક્કી છે કે પરસ્પર ખેંચતાણ શરૂ થઈ જશે. ઉદ્ધવ ઠાકરેએ આ વખતે વિધાન પરિષદના સભ્ય ન બનવાનો ર્નિણય લીધો છે. તેમના સ્થાને ઉદ્ધવ સેના ઈચ્છે છે કે અંબાદાસ દાનવેને ગૃહમાં મોકલવામાં આવે. ઉદ્ધવ ઠાકરે ઠાકરે પરિવારના એવા પ્રથમ સભ્ય હતા જે ગૃહમાં પહોંચ્યા હતા. તે સમયે એવી ચર્ચાએ પણ જાેર પકડ્યું હતું કે, આ એક ખોટી પરંપરા છે અને તે બાલાસાહેબ ઠાકરેની વિચારધારાથી અલગ છે, કારણ કે તેઓ પોતે ક્યારેય કોઈ પણ ગૃહમાં ચૂંટાયા નહોતા. આવી સ્થિતિમાં…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ૧ લી મે,૧૯૬૦ ના દિવસે મુંબઈ સ્ટેટમાંથી ગુજરાત અલગ રાજય બન્યું જે ગુજરાતી ભાષી લોકો તરીકે ઓળખવા લાગ્યું. એ જ અલગ પડેલું મહારાષ્ટ્ર મરાઠી ભાષી લોકોથી ઓળખાવા લાગ્યું. આમ ગુજરાત, મહારાષ્ટ્ર આજે બંને રાજયો પોત પોતાની પ્રાદેશિક ભાષાઓથી જાણીતા બન્યા છે. જેની આપણે ૧ લી મે ને ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરી ગૌરવ અનુભવીએ છીએ. ત્યારે યાદ આવે છે સ્વ.સુરેન્દ્રસિંહ રાજપૂત જેઓ યુપીના હતા છતાં ગુજરાત વિધાનસભાની સ્થાપના થયા પછી ગુજરાત રાજયના સૌ પ્રથમ પરપ્રાંતિય નેતા તરીકે ગુજરાત વિધાનસભામાં બેસવાનું સૌભાગ્ય મેળવનારા પહેલા નેતા હતા. આ સુરેન્દ્રસિંહ રાજપૂત કોલેજકાળ દરમ્યાન જી.એસ (જનરલ સેક્રેટરી) તરીકે ચૂંટાઈ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતના વોર્ડ નં.૧૮ માંથી BJP ની ટિકિટ ઉપર જીતેલા દિનેશ રાજપુરોહિત ને ટિકિટ મળ્યા બાદ એમનો એક વિડીયો/ઓડિયો સોશિયલ મીડિયા પર પ્રસારિત થયો હતો. જેમાં એ આમ આદમીની મહિલા ઉમેદવારને  ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે શામ-દામ-દંડ-ભેદ ની નીતિ અપનાવતા સંભળાય છે. જેમાં લોભામણી વાતો સાથે ગર્ભિત ધમકી પણ આપવામાં આવી હતી. આમ બીજી ટર્મમાં ટિકીટ મળતા જ દિનેશ રાજપૂરોહિત આકાશમાં ઉડવા લાગ્યા. એમનું વર્તન લોકશાહીને કલંકરૂપ છે. જે ક્યારેય ચલાવી લેવાય નહીં. જ્યારે લોકશાહી દેશમાં દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે. પછી એ ગમે તે પાર્ટી માંથી લડે એનો વિરોધ સત્તાધારી પાર્ટી કે એના ઉમેદવારો કેવી રીતે…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત વડોદરા જિલ્લા પંચાયત ની ૨૯ શિનોર બેઠક ઉપર થી કોંગ્રેસ ના સંનિષ્ઠ સેવાભાવી પ્રમાણિક અને ઈમાનદાર આગેવાન ભૂપેન્દ્રભાઈ રણછોડ પટેલનો ઝળહળતો વિજય થતાં વિસ્તાર ના મતદારો, મિત્રો, પરિવારજનો અને પક્ષનાં કાર્યકરોમાં ખુશી ની લહેર છવાઈ છે. માલસર ગામના વિકાસ માં ૧૫ વર્ષ સરપંચ તરીકે પતિ અને પત્ની એ અગત્ય ની ભૂમિકા ભજવી છે. તેઓ અને તેમના પત્નીએ ૧૦ વર્ષ કરતા વધુ સમય સરાહનીય સેવા બજાવી છે.તેઓ અને તેમના પત્ની શિનોર તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ ૧૦ વર્ષ સુધી પ્રસંસનિય સેવા બજાવી છે. તેમની પુત્રવધુ શિનોર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે સેવા આપી છે. ભૂપેન્દ્રભાઈ પટેલ ગામના સરપંચ…

Read More

રાજનાથ સિંહે પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું.ઓપરેશન સિંદૂર દરમિયાન અમે લાંબી લડાઈ માટે તૈયાર હતા.ઓપરેશન સિંદૂર દરમિયાન અમે લાંબી લડાઈ માટે તૈયાર હતા. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે (૩૦ એપ્રિલ) ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, નવી દિલ્હીએ પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો નષ્ટ કરવા માટે હાથ ધરાયેલું ઓપરેશન સિંદૂર સ્વેચ્છાએ અને પોતાની શરતો પર રોકી દીધું હતું. તેમણે કહ્યું કે, જાે જરૂર પડી હોત તો ભારત લાંબી લડાઈ માટે સંપૂર્ણ રીતે તૈયાર હતું. એએનઆઈ નેશનલ સિક્યોરિટી સમિટ ૨.૦માં સંબોધન કરતા રાજનાથ સિંહે કહ્યું કે, ઓપરેશન રોકવાનો ર્નિણય ભારતની ક્ષમતા ન હોવાને કારણે નહીં,…

Read More

નોટિસને હાઈકોર્ટે રદ ઠેરવતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.ઈનકમ ટેક્સની એસેસમેન્ટ નોટિસોમાં ૨૦૨૬ના કાયદા મુજબ કાર્યવાહી કરો: સુપ્રીમ.ફાઈનાન્સ એક્ટ, ૨૦૨૧ મારફતે રીએસેસમેન્ટ પ્રક્રિયામાં મોટા ફેરફાર આવ્યા છે અને ઈ-એસેસમેન્ટનો અમલ શરૂ થયો છ.ઈનકમ ટેક્સ એક્ટ અન્વયે અપાયેલી હજારો નોટિસને પ્રભાવિત કરતો મહત્તવપૂર્ણ ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. અગાઉ હાઈકોર્ટના સંખ્યાબંધ હુકમમાં જ્યુરિસડિક્શનલ એસેસિંગ ઓફિસર (JAO) દ્વારા અપાયેલી રીએસેસમેન્ટ નોટિસને રદ ઠેરવવામાં આવી હતી. હાઈકોર્ટના આ હુકમને ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે આવા તમામ કેસ હાઈકોર્ટમાં પરત મોકલવા અને ફાઈનાન્સ એક્ટ, ૨૦૨૬ની જાેગવાઈ અન્વયે તેમાં નવેસરથી ન્યાયિક કાર્યવાહી શરૂ કરવા ર્નિદેશ આપ્યા છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ બી વી નાગરત્ન અને જસ્ટિસ…

Read More

‘એવી વસ્તુ જાેઈ કે વિશ્વાસ નહીં થાય’ .એલિયન્સ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ ચોંકાવનારો ખુલાસો કરશે !.૭ એપ્રિલની સમીક્ષામાં કેટલાક અત્યંત રસપ્રદ દસ્તાવેજાે સામે આવ્યા છે જે વિશ્વની સામે મૂકવામાં આવશે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક અત્યંત રોમાંચક જાહેરાત કરતા જણાવ્યું છે કે તેઓ ટૂંક સમયમાં યુએફઓ(UFO) એટલે કે અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ્સ સાથે જાેડાયેલી એવી માહિતી જાહેર કરવા જઈ રહ્યા છે, જેના પર લોકોને વિશ્વાસ કરવો પણ મુશ્કેલ પડશે. વ્હાઇટ હાઉસમાં આર્ટિમિસ II મિશનના ક્રૂ મેમ્બર્સ સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે તેમનું પ્રશાસન લાંબા સમયથી વણઉકેલ્યા રહેલા આ રહસ્યો પરથી પડદો ઉઠાવવાની તૈયારીમાં છે. ટ્રમ્પના મતે, લોકોમાં યુએફઓ અને…

Read More

ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થશે.રિલીઝના “કેડી-ધડેવિલ’ફિલ્મને એકદિવસ પહેલાંજ મંજૂરી મળી.શિલ્પા અને સંજય દત્ત સ્ટારર ફિલ્મને કોઈપણ કટ વિના સીબીએફસી તરફથી પ્રમાણપત્ર મળી ગયું.શિલ્પા શેટ્ટી અને સંજયના અભિનયે મઢેલી ફિલ્મ “કેડી – ધ ડેવિલ’ને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ ( સીબીએફસી) તરફથી “એ” પ્રમાણપત્ર સાથે રિલીઝ કરવા મંજૂરી મળી ચુકી છે. ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થાય તેના એક દિવસ પહેલાં જ તેને મંજૂરી મળી છે. કેબીએન પ્રોડક્શન હાઉસે જાણકારી આપી છે કે બોર્ડ તરફથી તેને પ્રમાણપત્ર મળી ગયું છે. પ્રોડક્શન હાઉસે લખ્યું કે, ‘એ સર્ટીફાઈ ડ. બેરહમ. અસલી. કેડી: ધ ડેવિલ રિલીઝ થવા આડે માત્ર એક દિવસ બાકી.” પ્રમાણપત્ર મળ્યું તે પહેલાં ફિલ્મને…

Read More