Author: Garvi Gujarat

સભ્યતા માટે મળ્યું આમંત્રણ ઓસ્કાર મતદાન પેનલમાં ફરાહ ખાનનો સમાવેશ ત્રણ દાયકાથી વધુ સમયથી ફરાહ ખાન હિન્દી ફિલ્મ ઉદ્યોગની અગ્રણી કોરિયોગ્રાફર તરીકે કાર્યરત છે બોલિવૂડની જાણીતી ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાને પોતાની કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. એકેડેમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ દ્વારા તેને પ્રતિષ્ઠિત સભ્યપદ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે હવે ફરાહ ખાનને વિશ્વપ્રસિદ્ધ ઓસ્કાર એવોર્ડ્સમાં મતદાન કરવાનો અધિકાર મળશે.આ માહિતી કોરિયોગ્રાફર્સ ગિલ્ડે પોતાનાં ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી. ફરાહ ખાન ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કોરિયોગ્રાફર્સ ક્રિસ્ટોફર સ્કોટ, માર્ગ્યુરાઇટ ડેરિક્સ અને જમાલ સિમ્સને પણ કોરિયોગ્રાફી વિભાગના નવા સભ્યો તરીકે આવકારવામાં…

Read More

ચિત્રાંગદા હવે માતૃભૂમિ સહિત અનેક મોટા પ્રોજેક્ટ્સમાં જાેવા મળશે ચિત્રાંગદા પસંદગીની ફિલ્મો સાથે નવા વ્યસ્ત તબક્કામાં માતૃભૂમિ અને સલમાન ખાન સાથેનો અન્ય પ્રોજેક્ટ તેના માટે આગામી સમયના સૌથી મહત્વના પડાવ બની બોલિવૂડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ વર્ષાેથી પોતાની અલગ ઓળખ બનાવતી ફિલ્મો માટે જાણીતી રહી છે. વધુ ફિલ્મો કરવાની દોડમાં સામેલ થવાને બદલે તે હંમેશા એવી ફિલ્મો પસંદ કરે છે, જેમાં મજબુત વાર્તા અને અર્થપૂર્ણ પાત્ર હોય. હવે તે પોતાના આગામી મહત્વાકાંક્ષી ફિલ્મ ‘માતૃભૂમિ’ને લઈને ચર્ચામાં છે, જેમાં તે સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતી જાેવા મળશે.ચિત્રાંગદાએ અત્યાર સુધી હઝારોં ખ્વાહિશેં ઐસી, યે સાલી જિંદગી, બોબ બિસ્વાસ અને રાત અકેલી હૈ:…

Read More

રામ મંદિર દાન ચોરી મામલે એલાન અયોધ્યા જઈને કેસ કરીશ, દિગ્વિજય સિંહનું એલાન મહિલા કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે રામ મંદિરના દાનમાં ચોરીનો આરોપ લગાવ્યો મહિલા કોંગ્રેસના ધરણા પ્રદર્શનમાં સામેલ થયેલા પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે રામ મંદિર આંદોલન અને દાન મુદ્દે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “હનુમાન ગઢી અને ગોરખનાથ મઠે રામ મંદિરની લડાઈ લડી હતી. ન તો ત્યારે ત્યાં RSS હતું અને ન તો ત્યારે ત્યાં BJP પાર્ટી હતી. ભગવાન રામ પ્રત્યે તેમનો પ્રેમ ત્યારે જાગ્યો જ્યારે તેમના માત્ર ૨ સાંસદો બચ્યા હતા.” તેમણે આગળ કહ્યું કે, “આ લોકો ધર્મને વેચીને પોતાની કમાણી કરે…

Read More

ધ્રુવ રાઠીના ફૈંડ્ઢઈર્ં અંગે દિલ્હી હાઇકોર્ટનું કડક વલણ લાગણી દુભાવતા કન્ટેન્ટ નહીં ચલાવી લેવાય…‘ વિવાદાસ્પદ વીડિયો મામલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રની ગ્રીવન્સ એપેલેટ કમિટી ને ૧૫ દિવસમાં ર્નિણય લેવા આદેશ આપ્યો યુટ્યુબર ધ્રુવ રાઠીના એક વિવાદાસ્પદ વીડિયોને લઈને દિલ્હી હાઇકોર્ટે મોટો આદેશ જાહેર કર્યો છે. અદાલતે કેન્દ્ર સરકારની ગ્રીવન્સ એપેલેટ કમિટી(GAC – ફરિયાદ અપીલીય સમિતિ)ને નિર્દેશ આપ્યો છે કે તેઓ આ વીડિયોને પ્લેટફોર્મ પરથી હટાવવાની માંગ કરતી અપીલ પર આગામી ૧૫ દિવસની અંદર પોતાનો આખરી ર્નિણય સંભળાવે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે કોર્ટના આ આદેશની કોઈપણ પ્રકારની અવગણનાને ગંભીરતાથી લેવામાં આવશે. આ સમગ્ર વિવાદ ધ્રુવ રાઠી…

Read More

ગુજરાતમાં આતંકી નેટવર્કની કોશિશ નિષ્ફળ ATS ના હાથે જૈશ-એ-મોહમ્મદના આઠ આતંકવાદીઓ ઝડપાઈ ગયા ગુજરાત અને મધ્યપ્રદેશના અલગ-અલગ જિલ્લાઓમાંથી આ આતંકીઓ ઝડપાયા : આરોપીઓ પોતાનું સક્રિય નેટવર્ક ઊભું કરવાનું કામ કરી રહ્યા હતા ગુજરાત ATS ને એક સૌથી મોટી સફળતા મેળવી છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા ૮ ખતરનાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા કરવામાં આવેલી આ સંયુક્ત કાર્યવાહીમાં ગુજરાત અને મધ્યપ્રદેશના અલગ-અલગ જિલ્લાઓમાંથી આ આતંકીઓને દબોચી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં જૈશ-એ મોહમ્મદનું નેટવર્ક સક્રિય કરવા માટે આતંકવાદીઓ કામગીરી કરી રહ્યા હતાં. ગુજરાત એટીએસ દ્વારા પૂછપરછ દરમિયાન જૈશ-એ મોહમ્મદનું નેટવર્ક સક્રિય કરવા માટે…

Read More

સેમસનની ફ્લોપ ઈનિંગ્સ બાદ વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી પર દિનેશ કાર્તિકે આપ્યું મોટું નિવેદન ‘વૈભવ ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે અને ભવિષ્યમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સારું રમશે : દિનેશ કાર્તિક ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં સંજૂ સેમસન ફરી સસ્તામાં આઉટ થતાં તેની નબળી ફોર્મ પર સવાલો ઊભા થયા છે. તે સતત ત્રણ ઈનિંગ્સમાં નિષ્ફળ રહ્યો હોવાથી, હવે ૧૫ વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ-૧૧માં સામેલ કરવાની માંગ તેજ બની છે. જાેકે, પૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિકનું માનવું છે કે, ટીમ ઈન્ડિયાએ ઉતાવળ ન કરવી જાેઈએ.દિનેશ કાર્તિકે ‘ક્રિકબઝ’ પર જણાવ્યું કે, ‘સંજૂ સેમસન સતત ત્રણ મેચમાં નિષ્ફળ ગયો હોવાથી વૈભવ સૂર્યવંશીને રમાડવાની માંગ યોગ્ય…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત          સુરતના જાણીતા લોકપ્રિય જ્યોતિષાચાર્ય રાજુ મહારાજને દેશના પાટનગર નવી દિલ્હી ખાતે બેસ્ટ જ્યોતિષાચાર્યનો એવોર્ડ આપવામાં આવેલ છે. સુરત અને ગુજરાત અને મહારાષ્ટ્ર અને જુદા જુદા શહેરોમાં અનેક શિષ્યો ધરાવતા રાજુ મહારાજ જ્યોતિષશાસ્ત્રમાં નિપૂણ છે. તેઓની સલાહ અને માર્ગદર્શનથી અનેક પરિવારો સુખભેર જિંદગી જીવી રહ્યા છે.            શાંત અને સરળ સ્વભાવ વાળા રાજુ મહારાજને મળતા લોકોમાં આનંદ અને ઉત્સાહ વધી જાય છે. તેઓના માર્ગદર્શન અને જ્યોતિષશાસ્ત્રના પ્રતાપે લોકોના દુઃખ દર્દ મટી જાય છે. તેઓને બેસ્ટ જ્યોતિષાચાર્ય તરીકેનો એવોર્ડ મળતા ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રમુખ જાણીતા સામાજિક કાર્યકર ભાઈલાલ બી. વૈષ્ણવ, ઉપપ્રમુખ છગનલાલ મેવાડા, મહામંત્રી સઈદુદ્દીન શેખ, મહામંત્રી…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા)          પોલીસ બંદોબસ્ત માટેની અરજી પોલીસ કમિશનર સુધી મંજૂરી માટે જાય છે ત્યારે નાસીર નગર ડિમોલિશનની બંદોબસ્તની ફાઈલ પોલીસ કમિશનર સુધી પહોંચી કે નહીં?   સામાન્ય રીતે ડિમોલિશનના જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે છે. તો નાસીર નગર માટે SOG નો સ્પેશિયલ બંદોબસ્ત કેમ?        ખરેખર મહાનગરપાલિકા કમિશનર અજાણ હતા તો પછી ખોટા નિવેદનો કેમ આપ્યા? સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરની કે ઝોન ચીફની મંજૂરી વગર દોડી જાય એ એટલા મૂર્ખ તો નથી જ.

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.        સુરતના નાસીનગરમાં થયેલા ભુતિયા ડિમોલિશનનો મામલો હવે જ્યારે ટોક ઓફ ધ ટાઉન બનીને ચર્ચાસ્પદ બની રહ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત હાઇકોર્ટની આંખોમાં ધૂળ નાંખવાની મેલી મુરાદનો પર્દાફાશ થઈ રહ્યો છે. અને સૌથી મહત્વનો એક સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે, જે ડિમોલિશન કરાયું હતું એ કોના આદેશોથી કરાયું હતું? એનો આજ દિન સુધી કોઈ યોગ્ય અને સચોટ જવાબ SMC અધિકારીઓ કે પોલીસ ખાતાના કોઈ ઉચ્ચ અધિકારીઓ આપી શક્યા નથી.           ત્યારે સૌ પ્રથમ સવાલ થાય કે લશ્કર ને ક્યાં લડવા મોકલવુ? એ સેનાપતિએ નક્કી કરવાનું હોય…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત            વિશ્વની ચોથી જાગીર ગણાતું પત્રકારત્વ જગત આજે જાણે કે ભયજનક સ્થિતિમાં આવી ગયું  હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પત્રકારત્વ જગત સાથે જોડાયેલી વ્યક્તિ એટલે પત્રકાર. જેનું કામ છે પ્રજાની સમસ્યાઓને વાચા આપવી, પ્રજાને થતા અન્યાય સામે નિર્ભય અને નીડરતાપૂર્વક અખબારી માધ્યમથી સરકારનું ધ્યાન દોરવું. જે દુષણો છે તેમાં દારૂ અને જુગાર તેમજ અનૈતિક ધંધા, ડ્રગ્સ, ગાંજો, ચરસ, એમ.ડી ડ્રગ્સ વિગેરે ધંધાઓ એ માનવ જગતમાં બરબાદી નોતરી છે. આવા કૃત્યોને બહાર પાડવા એ સાચા પ્રમાણિત અને નિષ્ઠાવાન પત્રકારની ફરજ છે.               સમાજમાં ચાલતા અનૈતિક ધંધાઓને ઉજાગર કરી પોલીસને જાગૃત કરવી વિગેરે  કામ પત્રકારોનું છે. પત્રકાર એટલે…

Read More