
- રશિયાની ભારતને મોટી ઑફર: અનલિમિટેડ ઓઇલ અને ઊર્જા સપ્લાયની જાહેરાત
- પાકિસ્તાન આર્મી ચીફ મુનીર તેહરાનમાં: અમેરિકા-ઈરાન વાતચીત માટે ટ્રમ્પ સંદેશ ચર્ચામાં
- આકાશ ચોપડાની નારાજગી: રસીખ સલામને બદલે હેઝલવુડને પ્લેયર ઓફ ધ મેચ પર વિવાદ
- ટ્રમ્પનું સ્વાગત: 34 વર્ષ બાદ ઈઝરાયલ-લેબેનોન વચ્ચે ઐતિહાસિક શાંતિ ચર્ચા શરૂ
- Keir Starmer ની સોશિયલ મીડિયા કંપનીઓને ચેતવણી: બાળકો માટે UKમાં પ્રતિબંધની શક્યતા
- પીએમ મોદીએ સંસદમાં મહિલા આરક્ષણ પર કહ્યું: વિરોધ કરનારને લાંબા ગાળે ભારે કિંમત પડશે
- ડોક્સી ફાઇનાન્સ કૌભાંડ: 2.05 કરોડની ઠગાઈ, ચાર આરોપીની આગોતરા જામીન અરજી ફગાવાઈ
- China ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર બન્યું, United States બીજા ક્રમે ધકેલાયું
Author: Garvi Gujarat
હવે નવા ખતરામાં દુનિયા! હોર્મુઝમાં સમુદ્રની નીચે ઈરાને મોટી ગડબડ કરી દીધી યુદ્ધ વચ્ચે ઈરાન હોર્મુઝને સંપૂર્ણ રીતે ખોલવામાં અસમર્થ : સુરંગો બીછાવી લોકેશન ભૂલી ગયું ઈરાન અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના સીઝફાયરની જાહેરાત છતાં હોર્મુઝ જલડમરૂમધ્ય સંપૂર્ણ રીતે બીજીવાર ખુલી શક્યું નથી. તેની પાછળ એક ચોંકાવનારી વાત સામે આવી છે. ઈરાને યુદ્ધ શરૂ થતાં આ સાંકળા સમુદ્રી રસ્તામાં લેન્ડમાઇન્સ બીછાવી હતી, પરંતુ હવે ઈરાનને તેના લોકેશનની માહિતી નથી. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ઈરાન હોર્મુઝ સ્ટ્રીટને સંપૂર્ણ રીતે ખોલવામાં અસમર્થ છે. ઈરાન સમુદ્રની નીચે બીછાવવામાં આવેલી લેન્ડમાઇન્સના લોકેશનની માહિતી મેળવી શક્યું નથી. ન્યૂયોર્ક ટાઇમ્સને અમેરિકી અધિકારીઓએ તે પણ…
વૈભવ સૂર્યવંશીનું નિવેદન ચર્ચામાં મોટા ગજાના બોલરો સામે નથી અનુભવતો દબાણ બસ બોલ જાેઉં છું, બોલર નહીં : વૈભવ સૂર્યવંશી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચમાં માત્ર ૨૬ બોલમાં ૩૦૦ના સ્ટ્રાઈક રેટથી ૭૮ રન ફટકારીને સનસનાટી મચાવનાર ૧૫ વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની સફળતાનું રહસ્ય ખોલ્યું છે. મેચ બાદ સૂર્યવંશીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તે સામેવાળા બોલરના નામથી ક્યારેય પ્રભાવિત થતો નથી, તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર આવતા બોલ પર જ હોય છે. વૈભવે પોતાની માનસિકતા સ્પષ્ટ કરતા કહ્યું કે, “મારા મગજમાં એ વાત ચોક્કસ હોય છે કે સામે જસપ્રીત બુમરાહ કે જાેશ હેઝલવુડ જેવા દિગ્ગજ બોલરો છે, પરંતુ રમતી…
સોશિયલ મીડિયામાં વાઈરલ થયો સંસદનો વીડિયો વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામી ગૂફ્તગૂ પીએમ મોદી મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા સંસદ ભવન અને ચૂંટણી રેલીઓમાં એકબીજા પર આકરા પ્રહારો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ૧૧ એપ્રિલનો છે, જ્યારે પીએમ મોદી મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવા સંસદ પરિસરમાં પહોંચ્યા હતા. વીડિયોમાં જાેઈ શકાય છે કે સંસદ ભવન સંકુલમાં આવેલા પ્રેરણા સ્થળ પર લોકસભા સ્પીકર ઓમ બિરલા, રાહુલ ગાંધી, કેન્દ્રીય…
ઇઝરાયેલ-ઈરાન બંનેને આપી કડક ચેતવણી લેબનનમાં નિર્દોષોના મોત પર ભારત લાલચોળ સીઝફાયરની જાહેરાતના તરત જ બાદ ઇઝરાયેલે ખૂબ જ ભયાનક હુમલો કર્યો જેમા અનેક નિર્દોષ લોકોના મોત થયા હતા નવી દિલ્હી: ભારતે લેબનનમાં નાગરિકોના મોતના સમાચારો પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, તાજેતરની ઘટનાઓ અત્યંત ચિંતાજનક છે અને તમામ પક્ષોએ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું જાેઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે શુક્રવારે નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ પર આયોજિત આંતર-મંત્રાલય બ્રીફિંગ દરમિયાન કહ્યું કે, ભારત, લેબનનમાં મોટી સંખ્યામાં નાગરિકોના મોતના અહેવાલોથી અત્યંત ચિંતિત છે. તેમણે કહ્યું કે, ભારત, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન UNIFIL સૈનિકોનું યોગદાન આપનારો દેશ છે અને…
બંગાળમાં પીએમ મોદીનું નિવેદન, ઘૂસણખોરી પર આકરા પ્રહાર તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ ગભરાયેલા છે અને જનતાને ભ્રમિત કરી રહ્યા છે ભાજપ સત્તામાં આવશે તો સૌથી પહેલા ૧૫ વર્ષમાં તૃણમૂલ કોંગ્રેસના શાસન દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર પર એક વ્હાઇટ પેપર બહાર પડાશે : મોદી પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે રાજકીય માહોલ અત્યંત ગરમાયો છે અને તમામ પક્ષો પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે.પાર્ટીઓના સ્ટાર પ્રચારકો એક પછી એક રેલીઓ અને સભાઓનું આયોજન કરીને વધુમાં વધુ લોકોને પોતાની તરફેણમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રેલીઓ દરમિયાન નેતાઓના ભાષણો હેડલાઇન્સમાં છવાયેલા રહે છે. આવું જ એક નિવેદન હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાની રેલી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેર ભાજપમાં વાલ્મીકિ સમાજના અનેક કાર્યકરે પાર્ટીના ઉમેદવાર બનવા માટે ભાજપ પાસે ટિકિટની (ઉમેદવારી) માંગણી કરી હતી. પરંતુ ભાજપે કોઈ પણ કાર્યકારની કદર ના કરી વાલ્મીકિ સમાજની વસ્તીને નારાજ કરી છે. જે કાર્યકરોને ટિકિટ આવશે એવી આશાએ ભાજપના કાર્યકર તરીકે કામગીરી કરી રહ્યા હતા એટલું જ નહીં ભાજપના કોઈ મોટા નેતા આવે ત્યારે સંખ્યા દેખાડવા માટે વાલ્મીકિ સમાજના સફાઈ કર્મચારીઓ ને મોટી સંખ્યામાં હાજર રાખવામા આવે છે. આ કાર્યકરો અગત્યની ભૂમિકા ભજવતા હતા. તેવા કાર્યકરો ને ભાજપે ઉમેદવાર તરીકે પસંદગી નહીં કરી બહારનો રસ્તો બતાવી સમાજમાં જે મોટા ભા થઈ ને ફરતા હતા તેઓને તેમની…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત ના વિવિધ શહેરોમાં યોજાનારી નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ ધ્વારા ૬૦ વર્ષથી ઉપરના અને ત્રણ ટર્મ ચૂંટણી લડીને કોર્પોરેટર બની ચૂકેલાઓમાંથી એક પણ કોર્પોરેટર ને ટિકિટ આપવામાં આવશે નહીં. આ નિયમ માત્ર સ્થાનિક કક્ષાએ જ નહી પણ ધારાસભ્ય, સાંસદ સભ્ય માટે પણ ભાજપે લાગુ પાડવો જોઈએ. આ નિયમને કારણે પાર્ટી માટે જે કાર્યકરે પોતાની જિંદગીના વર્ષો ખર્ચી નાંખ્યા હોય, ઘર બાર છોડી પાર્ટીના પ્રચાર કાર્ય, બેનર બાંધવા-લગાવવા, ટેમ્પા, ટ્રકો ભરવા સુધી અને પાર્ટી માટે સતત સંધર્ષ કરતાં આવ્યા હોય તેવા કાર્યકર પોતાના મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત…
મોંઘવારી ભેદભાવ કરતી નથી, પેન્શનર્સને પણ સમાન દરે મળવી જાેઇએ મોંઘવારી ભથ્થામાં કર્મચારી-પેન્શનર વચ્ચે ભેદભાવ કરી શકાય નહીં: સુપ્રીમ સકારાત્મક દૃષ્ટિકોણથી જાેવામાં આવે તો સમાનતા અને મનસ્વીતા એકબીજાના વિરોધી છે : સુપ્રીમ નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સમાનતાના અધિકારને સમર્થન આપતા એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે મોંઘવારી સામે રાહત આપવા માટે આપવામાં આવતા ભથ્થાઓમાં સરકાર કાર્યરત કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે ભેદભાવ કરી શકે નહીં. કેરળ રાજ્ય સરકાર અને કેરળ રાજ્ય પરિવહન નિગમની અપીલને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ફુગાવો કાર્યરત અને નિવૃત્ત કર્મચારીઓ બંનેને સમાન રીતે અસર કરે છે. સમાનતા એક ગતિશીલ સિદ્ધાંત છે, જેને…
પાકિસ્તાને ફરી એક વાર પોત પ્રકાશ્યું પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજાએ ઈઝરાયેલને ‘દાનવ’ ગણાવતા વિવાદ ઈઝરાયેલના વડાપ્રધાન ઉપરાંત અમેરિકાના અગ્રણીઓએ પણ મધ્યસ્થી માટે પાકિસ્તાનના ઈરાદા પર સવાલ ઊઠાવ્યા આતંકવાદ અને હિંસાની દુનિયાભરમાં નિકાસ કરવા માટે પંકાયેલા પાકિસ્તાને ફરી એક વાર પોત પ્રકાશ્યું છે. યુએસ-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનેલા પાકિસ્તાને યુએસના ખાસ સાથીદાર ઈઝરાયેલને દાનવ ગણાવતા વિવાદ ઊભો થયો છે, જેની અસર વાટાઘાટો પર પડવાની શક્યતા છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મ્દ આસફે એક્સ પોસ્ટ પર ઈઝરાયેલને દાનવ અને માનવતા માટે અભિશાપ ગણાવ્યું હતું. તેમણે ઈઝરાયેલ પર લેબનોનમાં સામૂહિક નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ખ્વાજા આસિફે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યુ હતું કે ઈઝરાયેલે…
રણવીરે કર્ણાટક હાઈકોર્ટને બાંહેધરી આપી કાંતારા વિવાદમાં રણવીર નવેસરથી માફીનામું આપશે રણવીરનાં અગાઉનાં માફીનામાંમાં જરા પણ ગંભીરતા નહિ હોવાનું ખુદ કોર્ટે નોંધ્યું રણવીર સિંહે ‘કાંતારા ચેપ્ટર વન’માં ઋષભ શેટ્ટીની એક્ટિંગની પ્રશંસા કરવાના પ્રયાસમાં દેવીની મિમિક્રી કરી હોવાના વિવાદમાં ફરી નવેસરથી માફીનામું લખી પવાની બાંહેધરી કર્ણાટક હાઈકોર્ટને આપી છે. રણવીરે અગાઉ પણ હાઈકોર્ટમાં માફીનામું આપ્યું હતું. પરંતુ, ખુદ કોર્ટે નોંધ્યું હતું કે તેમાં કોઈ પ્રકારની ગંભીરતા હોય તેવું જણાતું ન હતું. રણવીરે તેમાં જણાવ્યું હતું કે પોતે સિંધી માહોલમાં ઉછર્યાે હોવાથી આ દેવી બાબતે ધાર્મિક લાગણીઓનો તેને ખ્યાલ ન હતો. હવે રણવીરે હાઈકોર્ટને કહ્યું છે કે તે તા. ૨૩મી એપ્રિલે નવું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



