Author: Garvi Gujarat

૧૫ વર્ષ નાની ગૌરી સ્પ્રાટ બની જીવનસાથી ૬૧ વર્ષની ઉંમરમાં અભિનેતા આમિર ખાને કર્યાં ત્રીજા લગ્ન આમિર ખાને પોતાના ઘરમાં ગૌરી સાથે રજીસ્ટર મેરેજ કર્યાં : પરિવારજનો અને નજીકના મિત્રો હાજર રહ્યાં બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાને ગૌરી સ્પ્રાટ સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન મુંબઈના બાંદ્રામાં આવેલા આમિર ખાનના ઘર પર સાદાઈથી થયા છે. બંને છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી સાથે હતા. રવિવારે એક ખાનગી ઈવેન્ટમાં તેમના પરિવારના લોકો અને ખાસ મિત્રો સામેલ થયા હતા. આમિરના પ્રવક્તાએ તેની પુષ્ટિ કરી છે. આ પ્રસંગે તેના પાછલા લગ્નના ત્રણેય બાળકો પણ હાજર રહ્યાં હતા. લગ્નના કાર્યક્રમ શરૂ થતાં પહેલા આમિરની…

Read More

મેલબોર્ન મીટ્સ મોદી કાર્યક્રમમાં હુમલાની ધમકી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને જાનથી મારવાની ધમકી આ ધમકી બાદ ઓસ્ટ્રેલિયન સુરક્ષા અધિકારીઓને એલર્ટ કરાયા અને તેમણે આ મામલાની તપાસ શરૂ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૮ જુલાઈથી ૧૦ જુલાઈ સુધી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાના છે. આ પ્રવાસ પહેલા તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધ ઓસ્ટ્રેલિયા ટુડેના અહેવાલ મુજબ, પીએમ મોદી સામેની આ ધમકી બાદ ઓસ્ટ્રેલિયન સુરક્ષા અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે અને તેમણે આ મામલાની તપાસ શરૂ કરી છે. તેમની મુલાકાતના શેડ્યૂલ મુજબ, પીએમ મોદી ૯ જુલાઈના રોજ ‘મેલબોર્ન મીટ્સ મોદી‘ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આ કાર્યક્રમ મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમમાં યોજાવાનો…

Read More

 (છગનલાલ મેવાડા ધ્વારા) સુરત             સુરત જિલ્લા વાલ્મિકી સમાજ સેવા મંડળ સંચાલિત ગુજરાત પ્રદેશ વાલ્મિકી સમાજ કલ્યાણ સમિતિ આયોજિત કૌટુંબિક તકરાર નિવારણ સમિતિ ની મીટીંગ નવસારી સર્કિટ હાઉસ ખાતે વાલ્મિકી કૌટુંબિક તકરાર નિવારણ સમિતિ  ના પ્રમુખ  એડવોકેટ ડી સી સોલંકી અંકલેશ્વર ના પ્રમુખસ્થાને તારીખ 05/07/2026 ના રોજ બપોરે બે કલાકે મળી હતી. જેમાં સુરત નવસારી વલસાડ બારડોલી વ્યારા ભરૂચ ના આશરે પચાસ જેટલા પ્રતિનિધિ ભાઈ બહેનો હાજર રહ્યા હતા. વિવાહિત તકરાર ના દશ જેટલા પક્ષકારો હાજર રહી તેમની સમસ્યા રજૂ કરી હતી પક્ષકારોની સમસ્યા સાંભળી નિકાલ કરવા પ્રમુખશ્રી એ આશ્વાસન  આપેલ હતું. પ્રમુખ સ્થાને થી સંબોધતા ડી.સી.સોલંકીએ જણાવ્યું હતું કે વિવાહિત…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.               ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરમાં દાનની રકમમાં ચોરીનો આરોપ મુકવામાં આવ્યો છે. અને એના પગલે તપાસ શરૂ કરવામાં આવી છે. ભૈરવ સેનાએ મુકેલા આ આરોપોએ સનસનાટી મચાવી લીધા બાદ હવે મંદિર સમિતિના કર્મચારીઓ અને મંદિર સમિતિના પ્રમુખના પર્સનલ આસિસ્ટન્ટ (P.A) ને નોટીસ ફટકારવામાં  આવી છે.           રામ મંદિરમાં દાન ચોરીના વિવાદ બાદ બદ્રીનાથ ધામમાં પણ આવા આરોપો થતા ભાવિકોની લાગણી દુભાઈ છે. ભૈરવ સેનાના પ્રમુખ સંદીપ ખત્રીએ મંદિર સમિતિના પ્રમુખ કાર્યકારી અધિકારી સોહન સિંહ રાગઢ ને પત્ર લખીને પ્રસાદમાં કથિત ગેરરીતિઓની તપાસની માંગણી કરી છે.

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.           ઈન્ડોનેશિયામાં બે યુવાનો એક દુકાનમાં ચોરી કરવા ઘૂસ્યા ત્યારે આસપાસના રહેણાંક વિસ્તારના જાગૃત લોકોએ તેમને રંગે હાથ પકડી લીધા હતા. લોકોએ ચોરને પકડીને મારપીટ કરવાને બદલે તેને બાંધી રાખ્યા હતા.          પોલીસને આવતા વાર થાય એવું લાગતા ચોરો ભાગી ન જાય એ માટે લોકોએ બંને ચોરોને નખશિખ બ્રાઉન ટેપ માં લપેટી લીધા હતા. માત્ર બે આંખો,નાક અને  મોં જ ખુલ્લા રહે એ રીતે બાંધીને તેમને ખુરશીમાં બેસાડી દીધા હતા. એકના માથે તો એન્ટેના જેવી ટેપ પણ બહાર કાઢી હતી અને પોલીસો તેને એન્ટેનાથી ઊંચકીને લઈ ગયા હતા.

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.         સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા કરાયેલી કાર્યવાહીમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી શહેરની ૭૭ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે.FSSAI ની ફૂડ સેફ એપ દ્વારા ફેર નિરીક્ષણમાં ૧૫૩ સંસ્થાઓમાં આરોગ્ય લક્ષી ખામીઓ મળી આવી છે.            સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. FSSAI ની ફૂડ સેફ એપ ધ્વારા ફેર નિરીક્ષણ દરમ્યાન પાલિકા દ્વારા ૮૦ કિલો જેટલા અખાદ્ય પદાર્થોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ઉપરાંત આરોગ્ય અને ફૂડ વિભાગે સંસ્થાઓમાંથી દૂધ અને દૂધની બનાવટના ૪૩, ખાદ્ય તેલ…

Read More

આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ખાતે ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે સામૂહિક ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ સહિતના અગ્રણી નેતાઓ ખેડૂતોના સમર્થનમાં ઉપવાસ પર બેઠા છે. આ તકે મીડિયા સાથે વાતચીત કરતા ’આપ’ નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ નથી મળતા અને કમોસમી વરસાદ કે કુદરતી આફત સમયે સતત તેમનું શોષણ થાય છે. આ મુદ્દે અમે ભાજપ સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી, પરંતુ જ્યારે ખાનગી કંપનીઓ સાથે મળીને ખેડૂતોના ખેતરોમાં તેમની મંજૂરી કે યોગ્ય વળતર…

Read More

આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ખાતે ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે સામૂહિક ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ સહિતના અગ્રણી નેતાઓ ખેડૂતોના સમર્થનમાં ઉપવાસ પર બેઠા છે. આ તકે મીડિયા સાથે વાતચીત કરતા ’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરના ખેડૂતોની વિવિધ માંગણીઓના સમર્થનમાં અને હાલનો જે સૌથી સળગતો મુદ્દો છે, ખેતરોમાં વીજળીના થાંભલા (ટાવર) નાંખવાનો, તે મુદ્દે સામૂહિક ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા પ્રદેશના સૌ આગેવાનો, ખેડૂત પ્રતિનિધિઓ અને પક્ષના કાર્યકરો મોટી…

Read More

ભારતની મોટી કાર્યવાહી ભારતે લશ્કર-જૈશના ૨૩ આતંકીને જાહેર કર્યા ટેરરિસ્ટ કેન્દ્ર સરકારે આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા UAPA હેઠળ ૨૩ આતંકીઓને સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યા આતંકવાદ વિરુદ્ધ કેન્દ્ર સરકારે મોટું પગલું ભરતા ૨૩ આતંકીઓને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (અટકાવ) અધિનિયમ (UAPA) હેઠળ સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશનમાં આ તમામના નામ UAPA ની ચોથી અનુસૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આ તમામ ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે અને તેમાંથી મોટાભાગના પાકિસ્તાન અથવા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ર્ઁદ્ભ) માં છુપાયેલા છે. ગૃહ મંત્રાલયની યાદીમાં મસૂદ ઇલિયાસ કાશ્મીરી, મોહમ્મદ મુસાદિક, મુફ્તી…

Read More

TMC માં મોટી મહાભારત બળવાખોર નેતાઓએ પાર્ટી કાર્યાલય પર કબજાે કર્યો વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીના નેતૃત્વવાળા બળવાખોર જૂથે કોલકાતામાં પાર્ટીના હેડક્વાર્ટર પર કબજાે કરી લીધો તૃણમૂલ કોંગ્રેસ પર કંટ્રોલ કરવાને લઈ ચાલી રહેલી લડાઈ શુક્રવારે ત્યારે એક નવા પડાવ પર પહોંચી ગઈ, જ્યારે વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીના નેતૃત્વવાળા બળવાખોર જૂથે કોલકાતામાં પાર્ટીના હેડક્વાર્ટર પર કબજાે કરી લીધો. તેના એક દિવસ પહેલા જ તેમણે ચૂંટણી પંચ સામે પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હ પર પોતાનો દાવો ઠોક્યો હતો. મેટ્રોપોલિટન વિસ્તારમાં આવેલું આ કાર્યાલય વર્ષ ૨૦૨૨માં પાર્ટીનું અસ્થાયી મુખ્યાલય રહ્યું છે. ઈએમ બાઈપાસ પર આવેલા પાર્ટીના જૂના કાર્યાલયમાં નવીનીકરણનું કામ થતું હોવાના કારણે…

Read More