Author: garvigujrat

(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત ​આજના હળહળતા કળીયુગમાં, જૂઠ, પ્રપંચ, બદમાશી જેવી બાબતોની સાથે સાથે ભેળસેળને પણ જાણે કે સહજ બનીને પ્રજાએ અપનાવી હોય એવું જોતાં એમ લાગી રહ્યું છે કે પ્રજાને હવે શુદ્ધ, ચોકખોચણાક બિનભેળસેળ વાળો ખોરાક પચતો હોય એમ લાગતું નથી. કારણ કે માનવ શરીરના આરોગ્ય ને નુકશાન કરનારા તમામ ખાદ્યપદાર્થો હવે પ્રજાને જાણે કે કોઠે પડી ગયા છે અને એની કોઈ અસર પ્રજાને થતી નહી હોવાથી એ વાત સત્ય છે કે પ્રજા હવે ભેળસેળિયું ખાવાની આદિ થઈ ગઈ છે. ​ કારણ કે તાજેતરના વર્ષોમાં, ભેળસેળ એક મુખ્ય ઉદ્યોગ બની ગયો છે એ વાત પર સહમત થયા…

Read More

(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત                   સુરતમાં ફેમિલી કોર્ટની બે વધારાની કોર્ટ સુરત ખાતે મંજૂર કરવામાં આવેલ છે.સુરતમાં ફેમિલી કોર્ટના કેસોના વધુ પડતા ભારણ ના કારણે બે કોર્ટ વધારી તે આવકારવા દાયક પરંતુ ફેમિલી કોર્ટ ની આ બે કોર્ટ લેબર કોર્ટ ના બિલ્ડિંગ માં શિફટ કરી લેબર કોર્ટની કાર્યવાહી સામે સમસ્યા ઊભી કરવા સામે લેબર પ્રેક્ટિશનર એસોસિએશન ના પ્રમુખ એન .જે .પટેલ અને એસોસિયન ના તમામ સભ્યોએ સખત વાંધો લીધો છે.             લેબર કોર્ટનું બિલ્ડીંગ લેબર ના પ્રશ્નો અને સમસ્યા ધ્યાનમાં રાખી બનાવવામાં આવેલ છે.લેબર ના પ્રશ્નો જુદા હોય છે.ફેમિલી કોર્ટમાં આવતાં પક્ષકારો ઘણીવાર માનસિક રીતે ભાંગી પડેલ હોય છે .લેબર…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં જંગલરાજ ચાલે છે અને આ હું નથી કહેતો કારણ કે આ વાત કેન્દ્ર સરકારના આંકડાઓએ જાહેર કરી છે. ગુજરાતમાં દર વર્ષે 30 હજાર જેટલા કેસો વધી રહ્યા છે. 2022 માં 1 લાખ 30 હજાર કેસો નોંધાયા હતા, 2023 માં 1 લાખ 75 હજાર કેસો નોંધાયા, 2024 માં 1,62,000 કેસો નોંધાયા. મતલબ કે ગુજરાતમાં લોકો કાયદો અને વ્યવસ્થાને લઈને ત્રાહિમામ પોકારી ચુક્યા છે. ધોળા દિવસે લૂંટ, ખૂન, બળાત્કાર, ચીટીંગ, સાઇબર ક્રાઇમની ઘટનાઓ ઘટી રહી છે અને ગુનેગારોને સરકારનો કે પોલીસનો…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો કરન બારોટે પત્રકાર પરિષદને સંબોધિત કરતા જણાવ્યું હતું કે જ્યારે કોઈપણ પરિવારના સભ્યને પોલીસ વિભાગમાં નોકરી મળે છે, ત્યારે એ ખૂબ જ ગૌરવ અને જવાબદારીપૂર્વકનું પદ ગણાય છે. એવી નોકરીથી પરિવારમાં સ્થિરતા આવે છે, નિયમિત પગાર અને ભથ્થાં મળે છે, મેડિકલ સુવિધાઓ અને સરકારી લાભો પ્રાપ્ત થાય છે. પોલીસ વિભાગમાં કામ કરતી વ્યક્તિ ગુજરાત અને દેશની જનતાની સુરક્ષા તથા રક્ષણ કરે છે. પરંતુ આ જ પોલીસ વિભાગમાં એક એવો પણ હિસ્સો છે, જેમના વિશે આજે મારે વાત કરવી છે અને તે છે ‘૧૧૨ જનરક્ષક પાઇલટ’. ગુજરાતની જનતાને પ્રેસવાર્તાના માધ્યમથી…

Read More

ટ્રમ્પને ઇરાનના હુમલાનો ડર બતાવી ઇઝરાયેલે શાંતિમંત્રણા પાટા પરથી ઉતારી અમેરિકા-તુર્કી નજીક આવ્યા તેનાથી ઇઝરાયેલને ડર લાગ્યો અમેરિકા-તુર્કીને એફ-૩૫ વેચવા આતુર અને આ ડીલ થાય તે ઇઝરાયેલ ઇચ્છતું ન હોવાથી બનાવટ કરી ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુની સરકારે સીઆઈએને અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પર ઇરાને ઘડેલા હત્યાના કાવતરા અંગે ખોટો અહેવાલ સીઆઈએને આપ્યો હતો. અમેરિકન અધિકારીઓનું માનવું છે કે તેમની આ ખતરનાક ચાલનો હેતુ અમેરિકા-ઇરાન મંત્રણા પાટા પરથી ઉતારવી, વોશિંગ્ટનની ઇરાનની નીતિઓ પર અસર પાડવી અને તુર્કી સાથે ટ્રમ્પના વધતા સંબંધોને ફટકો મારવાનો હતો.અહેવાલ મુજબ સીઆઈએના નિષ્ણાતોને આ જાસૂસી જાણકારી વિશ્વસનીય ન લાગી અને ટ્રમ્પ તંત્રને આ શંકાની જાણકારી આપી. એક અમેરિકન…

Read More

પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે યુદ્ધની આપી ધમકી ‘મે ૨૦૨૫ કરતાં પણ વધુ તાકાતથી જવાબ આપીશું’ : શાહબાઝ શરીફ શાહબાઝ શરીફે ચીનને પાકિસ્તાનનો એવો મિત્ર ગણાવ્યો જે દરેક મુશ્કેલ સમયમાં હિમાલયની જેમ અડીખમ ઊભો રહ્યો છે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સ્વતંત્રતા દિવસના પ્રસંગે ભારત સામે ફરી એકવાર આક્રમક અને તીખા તેવર બતાવ્યા છે. ઇસ્લામાબાદમાં યોજાયેલા ‘યાદગાર-એ-ફતહ’ કાર્યક્રમ દરમિયાન શાહબાઝ શરીફે સિંધુ જળ સંધિ અંગે ભારતને સીધી ચેતવણી આપી હતી. તેમણે દાવો કર્યાે હતો કે પાકિસ્તાનના પાણીનું એક-એક ટીંપું તેની ‘રેડ લાઇન’ છે અને જાે ભારત પોતાના વલણથી પીછેહઠ નહીં કરે તો પાકિસ્તાન તેનો સીધો જવાબ આપશે.ઉલ્લેખનીય છે કે, એપ્રિલ ૨૦૨૫માં થયેલા…

Read More

કોઈ સાથે ડીનર પર જવું અફેર ન કહેવાય અર્જુન બિજલાનીએ મૌની સાથે અફેરની અફવા નકારી અર્જુન બિજલાનીની ‘ચુંબક સોસાયટી’ ઓટીટી પર ૨૮ ઓગસ્ટથી રજૂ થશે ‘નાગિન’ ટેલિવિઝન શોમાં સાથે કામ કરી જાણીતાં બનેલાં અર્જુન બિજલાની અને મૌની રોય વચ્ચે હાલ અફેર ચાલી રહ્યો હોવાના અહેવાલોને ફગાવી દેતાં અર્જુન બિજલાનીએ જણાવ્યું હતું કે ડિનર પાર્ટીમાં કોઇની સાથે જવાથી કોઇ અફેર થઇ જતાં નથી.થોડા સમયથી કોઇ બદનામી કરવાના ઇરાદાથી મૌની વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યું છે તેવો દાવો બિજલાનીએ કર્યાે હતો. અર્જુન બિજલાનીએ નેહા સ્વામી સાથે લગ્ન કરેલાં છે અને તેમને એક પુત્ર અયાન બિજલાની છે.જ્યારે મૌની રોયે બિઝનેસમેન સૂરજ નાંબિયાર સાથે…

Read More

નેટફ્લિક્સ પર આવશે ફિલ્મ તાપસી ફિલ્મમાં આંખે પાટા બાંધી ફાઈટ કરશે તાપસી પન્નુના પાત્રને ‘મહાભારત’ માંથી ગાંધારીથી પ્રેરિત આધુનિક અર્થઘટન તરીકે વર્ણવી શકાય છે તાપસી પન્નુ એવી એક્ટ્રેસમાંથી એક છે જે ભલે વર્ષે એક ફિલ્મ કરે પણ તેની અસર ખૂબ મોટી હોય છે. એક આખો એવો વર્ગ છે જે તાપસની એક્ટિંગનો દિવાનો છે. એકથી એક શાનદાર ફિલ્મ કરીને તાપસીએ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ છાપ છોડી છે. હવે તે એક નવી ફિલ્મમાં જાેવા મળશે. તાપસી હાલમાં તેની ફિલ્મ ‘ગાંધારી’ માટે હેડલાઇન્સમાં છે. ફિલ્મને લઈને હવે એક નવી અપડેટ સામે આવી છે. તાપસી ટૂંક સમયમાં ‘ગાંધારી’ નામની ફિલ્મમાં જાેવા મળશે. આ ફિલ્મ માટે…

Read More

પ્રશાંત વર્માની આ ફિલ્મમાં વામિકા શક્તિશાળી પાત્રમાં જાેવા મળશે રિષભ શેટ્ટીની ‘જય હનુમાન’માં વામિકા ગબ્બી જાેવા મળશે ‘જય હનુમાન’ પ્રશાંત વર્માની ૨૦૨૪માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘હનુ-મેન’ની સિક્વલ છે ૨૦૨૬નું વર્ષ વામિકા ગબ્બી માટે વ્યસ્ત સાબિત થઈ રહ્યું છે. ‘જુબિલી’ ફેમ વામિકાએ વર્ષની શરૂઆત અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ફિલ્મ ‘ભૂત બંગલા’ની બોક્સ ઓફિસ સફળતા સાથે કરી હતી. ત્યારબાદ તે ‘પતિ, પત્ની ઔર વો દો’માં જાેવા મળી હતી. હવે તાજેતરમાં રિલીઝ થયેલી તેની તમિલ ફિલ્મ ‘ડીસી: ધ બ્લડી વેલેન્ટાઇન’માં ચંદ્રાના પાત્ર માટે પણ તેનાં વખાણ થયાં છે. હવે તેની કારકિર્દીમાં વધુ એક મોટો પ્રોજેક્ટ ઉમેરાયો છે.આ અંગેના અહેવાલો મુજબ વામિકા ગબ્બીને રિષભ…

Read More

એક્ટ્રેસને ડોકની સર્જરી કરાવી પડી કલાકો સુધી મોબાઈલમાં રીલ અને વીડિયો જાેતા લોકો સાવધાન સાઉથ એક્ટ્રેસ શકીલાની સૂતા-સૂતા ફોનમાં ગેમ રમવાથી તેમની ડોકની હાલત એવી થઈ ગઈ કે સર્જરી કરાવવી પડી સાઉથ એક્ટ્રેસ શકીલા પર હદથી વધારે મોબાઈલનો ઉપયોગ કરવો ભારે પડ્યો છે. સૂતા-સૂતા ફોનમાં ગેમ રમવાથી તેમની ડોકની હાલત એવી થઈ ગઈ કે તેમને સર્જરી કરાવવી પડી. આપને જણાવી દઈએ કે, શકીલા તમિલ, તેલુગૂ અને મલયાલમ સહિતની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેમણે ફિલ્મો સાથે સાથે રાજકારણમાં પણ કામ કર્યું છે. એક સમય હતો જ્યારે તેમણે સેમી પોર્ન ફિલ્મોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી હતી. યૂટ્યૂબ પર એક્ટ્રેસ શકીલાએ એક…

Read More