Author: garvigujrat

​(નીડર નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત ​ ભારતીય કાયદાકીય માળખા અનુસાર, "ધ ઇમ્મોરલ ટ્રાફિક (પ્રીવેન્શન) એક્ટ" અંતર્ગત વેશ્યાગૃહ ચલાવવું, વેશ્યાવૃત્તિના વ્યવસાયમાંથી કમાણી કરવી, દલાલી કરવી કે કોઈ સ્ત્રી/સગીર ને આ ધંધામાં બળજબરીથી ધકેલવી એ ગંભીર અને બિન-જામીનપાત્ર ગુનો છે. કાયદાનો મૂળભૂત હેતુ વેશ્યાવૃત્તિના વ્યાપારીકરણ, માનવ તસ્કરી અને શોષણ કરનારા મધ્યસ્થીઓ (જેવા કે દલાલો, મેનેજરો અને માલિકો) પર અંકુશ મેળવવાનો છે. જોકે, વ્યવહાર માં ઘણીવાર પોલીસ દરોડા દરમિયાન આ કાયદાના દંડકીય પ્રાવધાનોનો વ્યાપ એવી રીતે વિસ્તારી દેવામાં આવતો હતો જેમાં સેવા લેવા આવેલા ગ્રાહકોને પણ આરોપી બનાવી દેવામાં આવતા હોય છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કાયદાકીય તર્ક રજૂ…

Read More

શહેરભરમાં રિક્ષા અને ટેક્સીના પૈડાં થંભી જશે ૭થી ૧૦ સપ્ટેમ્બર રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો વાહન બંધ રાખશે ઓનલાઈન કેબ સર્વિસ સામેના વિરોધમાં રિક્ષા યુનિયનોએ ચાર દિવસના હડતાલનું એલાન કર્યું છે અમદાવાદીઓ મુસાફરી માટે અગાઉથી વ્યવસ્થા કરી લેજાે. કારણ કેઅમદાવાદમાં આગામી ૭ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન રિક્ષા અને ટેક્સીના પૈડાં થંભી જવાની સંભાવના છે, જેના કારણે મુસાફરોએ અગાઉથી જ વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવી પડશે. ઓનલાઈન કેબ એગ્રીગેટર કંપનીઓના વિરોધમાં શહેરના રિક્ષા યુનિયનોએ આક્રમક વલણ અપનાવ્યું છે. ઓનલાઈન એપ્લિકેશનના વિરોધમાં રિક્ષા યુનિયનોનું એલાન. ‘રોજગાર બચાવ આંદોલન’ હેઠળ ચાર દિવસ બંધનું એલાન. ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઓનલાઈન…

Read More

કહ્યું- વધુ અરજી આવશે તો EB-1 ગ્રીન કાર્ડ બંધ કરીશું ભારતીયોની દુશ્મન બની ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર! અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ માટે ચિંતાજનક સમાચાર છે અમેરિકામાં કાયમી વસવાટ અને ગ્રીન કાર્ડ મેળવવાની રાહ જાેઈ રહેલા હજારો ભારતીય પ્રોફેશનલ્સ માટે વધુ એક મોટો ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા સત્તાવાર ચેતવણી આપવામાં આવી છે કે ભારતીય અરજદારો તરફથી અતિશય ઊંચી માંગને કારણે EB-1 ગ્રીન કાર્ડ કેટેગરી આગામી થોડા અઠવાડિયામાં કામચલાઉ ધોરણે બંધ થઈ શકે છે. અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના વિઝા બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે જાે ભારતીય અરજદારો દ્વારા ઈમ્-૧ વિઝા નંબરોનો ઉપયોગ આ જ ઝડપે…

Read More

સાબરમતી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના સંગઠનને આજે વધુ મજબૂતી મળી છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા અને છેલ્લા 25 વર્ષથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે સક્રિય રીતે જોડાયેલા ગીતાબેન અજયકુમાર પ્રજાપતિ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગીતાબેન પ્રજાપતિ લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને શિક્ષણ તેમજ સામાજિક ક્ષેત્રમાં સક્રિય ભૂમિકા ભજવતા આવ્યા છે. આ ઉપરાંત તેઓ મહિલા સંગઠન અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સતત સક્રિય રહ્યા છે. સંગઠનાત્મક કાર્ય અને જનસંપર્કના ક્ષેત્રમાં તેમનો લાંબો અનુભવ રહ્યો છે, જેનાથી સાબરમતી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂતી મળશે. આજે ગુજરાત આમ આદમી પાર્ટીના સેન્ટ્રલ…

Read More

નિઃસ્વાર્થ ભક્તિનું અમર ફળ: ભગવાન જગન્નાથ અને ભક્ત શ્રવણની કથા આ બોધકથા ભગવાન જગન્નાથની નિઃસ્વાર્થ ભક્તિ-સેવા અને સમર્પણનો સંદેશ આપતી એક પ્રેરણાદાયી ભક્તિકથા છે.એક ઘનઘોર જંગલના કિનારે આવેલા નાના ગામમાં શ્રવણ નામનો એક નિર્ધન ભિક્ષુક રહેતો હતો, તેની પાસે ન ધન હતું,ન પરિવારનો સહારો કે ન કોઈ મોટો આશ્રય,તેની સૌથી મોટી સંપત્તિ હતી ભગવાન જગન્નાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, તે દરરોજ ગામે-ગામ જઈને ભિક્ષા માગતો અને જે કંઈ મળતું તેનો અડધો ભાગ પહેલાં ભગવાન જગન્નાથને અર્પણ કરતો પછી જ પોતે ભોજન ગ્રહણ કરતો.લોકો તેની ગરીબી પર દયા કરતા પણ કોઈ જાણતું નહોતું કે તેનું હૃદય સંસારના સૌથી મોટા ધન એટલે કે…

Read More

સરકાર લાવી રહી છે ગ્રેડિંગ સિસ્ટમ રસ્તા પર ખાડાથી ત્રસ્ત વાહન ચાલકોએ પોઇન્ટની પણ ચિંતા કરવી પડશે આ પ્રણાલી હેઠળ, ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર ચાલકના લાઇસન્સમાંથી પોઈન્ટ કપાશે જાે તમે ભારતમાં વાહન ચલાવો છો કે નવું ડ્રાઇવિંગ લાઇસન્સ લેવાનું વિચારી રહ્યા છો, તો કેન્દ્ર સરકાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે સરકાર વાહનચાલકો માટે નવી ગ્રેડિંગ સિસ્ટમ લાગુ કરવાની યોજના બનાવી રહી છે. આ નવી સિસ્ટમ હેઠળ ટ્રાફિક નિયમોના દરેક ઉલ્લંઘન પર ચાલકના લાઇસન્સમાંથી ચોક્કસ પોઈન્ટ કાપી લેવામાં આવશે. જાે વારંવાર નિયમો તોડવાના કારણે આ…

Read More

બિલ્ડરો હાથ ના ખંખેરી શકે: સુપ્રીમ કોર્ટ ફ્લેટ કે મકાનના બ્રોશર માત્ર માર્કેટિંગ નહીં પણ વચન છે સુપ્રીમ કોર્ટે બિલ્ડરોને ચેતવણી આપી છે કે પ્રોજેક્ટ બ્રોશર કાયદેસરના વાયદા છે, માત્ર માર્કેટિંગ દાવા નહીં દેશભરમાં ફ્લેટ કે મકાન ખરીદતી વખતે બિલ્ડરો દ્વારા ચળકતા બ્રોશરમાં લક્ઝુરિયસ સુવિધાઓ, વિશાળ રસ્તાઓ અને ગાર્ડનના મોટા-મોટા દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ પઝેશન વખતે ખરીદદારોને ઘણી વખત તમામ સુવિધાઓ આપવામાં આવતી નથી. આવા જ એક ગંભીર મામલે સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ ડેવલપર્સને ચેતવણી આપી છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે કે ડેવલપર્સ પ્રોજેક્ટ બ્રોશરમાં ગ્રાહકોને વાયદા કરીને પાછળથી તેને માત્ર માર્કેટિંગ ક્લેઇમ ગણાવીને હાથ ખંખેરી શકે…

Read More

ભારત-બેલ્જિયમ વચ્ચે ૧૦ મોટા ડિફેન્સ કરાર બેલ્જિયમની ૧૫ કંપનીઓ ભારતમાં હથિયાર બનાવશે આ સહયોગ હેઠળ આધુનિક ટેક્નોલોજી, રડાર, ડ્રોન, હથિયાર સિસ્ટમ અને ગોળા-બારૂદનું ભારતમાં ઉત્પાદન કરવાનો પ્રસ્તાવ છે ભારત અને બેલ્જિયમ વચ્ચે ડિફેન્સ ક્ષેત્રમાં સહયોગ હવે નવી ઊંચાઈએ પહોંચવા જઈ રહ્યો છે. બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેબર અને ડિફેન્સ ક્ષેત્રની ૧૫ કંપનીઓના પ્રતિનિધિમંડળની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે લગભગ ૧૦ મોટા સંરક્ષણ કરારો થવા જઈ રહ્યા છે. આ સહયોગ હેઠળ આધુનિક ટેક્નોલોજી, રડાર, ડ્રોન, હથિયાર સિસ્ટમ અને ગોળા-બારૂદનું ભારતમાં ઉત્પાદન કરવાનો પ્રસ્તાવ છે. બેલ્જિયમની કંપનીઓ ‘મેક ઇન ઈન્ડિયા’ પ્રોજેક્ટ હેઠળ ભારતીય કંપનીઓ સાથે મળીને વિવિધ ડિફેન્સ પ્રોજેક્ટ પર કામ…

Read More

આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ તથા કિસાન મોરચા પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ સાથે સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક તાલુકામાં 10 ઇંચ કરતાં ઓછો વરસાદ પડ્યો છે અને સતત 28 દિવસ સુધી વરસાદ પડ્યો નથી. આ વિસ્તારના ખેડૂતો માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા ઈસુદાન ગઢવી સતત લડત લડી રહ્યા છે. પ્રથમ તબક્કાની લડાઈ બાદ બીજા તબક્કાની લડાઈ હવે શરૂ કરવામાં આવી છે. આ લડતના કારણે સરકાર ધીરે ધીરે સફાળી જાગતી હોય એવું લાગી રહ્યું છે કારણ કે ધરણામાં…

Read More

ધોળકા તાલુકાના ભેટાવાડા મેઈન ગેટની બાજુમાં ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ગટરના અને કેમિકલ યુક્ત પાણીથી ખેડૂતોને થતા નુકસાન મુદ્દે ખેડૂત આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોના હિત, તેમના હક્કો અને વિસ્તારના ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓના નિરાકરણની માંગ સાથે યોજાયેલા આ આંદોલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક લોકો જોડાયા હતા. આ સમગ્ર આંદોલનને લોકોનું પણ નોંધપાત્ર સમર્થન મળ્યું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ ખેડૂતોના આંદોલનને મજબૂત સમર્થન આપતા આંદોલન સ્થળે ઉપસ્થિત રહી ખેડૂતો સાથે ખભેખભો મિલાવીને તેમની માંગણીઓને સમર્થન આપ્યું હતું. આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે ગટરના…

Read More