- ઈરાનનો મોટો દાવો : અમેરિકા-ઈઝરાયલના કરાર ભંગ બાદ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ચેતવણી
- રાજકોટના શાપર-વેરાવળમાં ફિલ્મી ઢબે 2.47 કરોડની લૂંટ, 5 બુકાનીધારીઓ ફરાર
- તાઈવાન પર ચીનની નૌસેનાની ઘેરાબંધી વધતી, દરિયાઈ તણાવ ચરમસીમાએ
- શિવસેના સ્થાપના દિવસે શિંદેનો ઉદ્ધવ પર કટાક્ષ : “કૂતરા ભસે, ટાઈગર શિકાર કરે”
- આંધ્રપ્રદેશમાં 50 ટન સોનાનો ભંડાર મળ્યો, 4 વધુ સ્થળે માઇનિંગની તૈયારી
- ઈંગ્લેન્ડ શ્રેણી પહેલા ભારતને ઝટકો : હાર્દિક પંડ્યા બહાર, કોહલીનો નિર્ણય ફિટનેસ પર નિર્ભર
- 23 જૂનથી હવામાનમાં મોટો ફેરફાર શક્ય, ચોમાસું ફરી થશે સક્રિય : IMD આગાહી
- કેએસ ભરત દુબઈમાં નવી તક શોધવા નીકળ્યો, ભારતીય ક્રિકેટમાંથી દૂર થવાનો નિર્ણય
Author: Garvi Gujarat
ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા ચોંકાવનારા સમાચાર કુમકુમ ભાગ્ય ફેમ અભિનેત્રી સુચિતા ઉગલેએ જીવન ટૂંકાવ્યું તેણે ફિલ્મ દિલવાલી દૂલ્હા લે જાએગીમાં સુકૂનનું પાત્ર ભજવ્યું હતું : ફિલ્મ છાવામાં તારાબાઈની ભૂમિકા ભજવી હતી ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. અભિનેત્રી સંચિતા ઉગલેએ આપઘાત કર્યો છે. તે ૩૦ વર્ષની હતી. સંચિતા મુંબઈમાં નાલાસોપારા વિસ્તારમાં સ્થિત અચોલે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી હતી. આ ઘટના કાલે સાંજે ૬.૩૦ કલાકથી ૭.૩૦ કલાક વચ્ચેની હોવાનું સામે આવ્યું છે. તો અભિનેત્રીના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. પોલીસે જણાવ્યું કે અભિનેત્રી પોતાના માતા-પિતા અને બહેનની સાથે નાલાસોપારા વિસ્તારમાં રહેતી હતી. પોલીસે જણાવ્યું કે સંચિતાએ સાડીથી ફાંસી લગાવી આપઘાત કર્યો…
વિદ્યાર્થીઓએ મજાક પણ ઉડાવી સ્ટેનફોર્ડમાં સુંદર પિચાઈનો ભારે વિરોધ: વિદ્યાર્થીઓએ કર્યો વોકઆઉટ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પોતાનું ભાષણ શરૂ કરવાના હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક પદવીદાન સમારોહ કાર્યક્રમમાં મેદાન વિદ્યાર્થીઓથી ભરેલું હતું. આ દરમિયાન ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પોતાનું ભાષણ શરૂ કરવાના હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તેવામાં કેટલાક વિદ્યાર્થીઓએ મજાક ઉડાવીને વોકઆઉટ કરતા કાર્યક્રમ પર અસર પડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પિચાઈ સ્ટેજ પર પહોંચી ભાષણ શરૂ કરવાના હતા એટલામાં કેટલાક વિદ્યાર્થીઓ બૂમો પાડ્યા લાગ્યા હતા અને ભારે વિરોધ કર્યો હતો. એવું કહેવાય છે કે, કેટલાક…
મોદીએ ખુલ્લા દિલથી કર્યું ટ્રમ્પની પીસ ડીલનું સ્વાગત હવે ટકાઉ અને અંતિમ સમજૂતીની આશા છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સંઘર્ષને કારણે વિશ્વભરમાં ગંભીર આર્થિક ઉથલપાથલ થઈ છે : ભારતને આશા છે કે, આ કરારના અમલીકરણથી શાંતિ અને સ્થિરતા પુન:સ્થાપિત કરવામાં મદદ મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ સમજૂતી પર પહેલી પ્રતિક્રિયા આપી છે. આમાં તેમણે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ સમાપ્ત કરવા અંગે બનેલી આ સમજણનું સ્વાગત કર્યું છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ઠ)ના માધ્યમથી આ પગલાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, ‘હું અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ સમાપ્ત કરવા માટે બનેલી સમજણનું…
હૈતીને ૧-૦થી હરાવ્યું.FIFA વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડે ૩૬ વર્ષ પછી મેળવી જીત.મેચની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે જાેરદાર ટક્કર જાેવા મળી હતી. ૨૯મી મિનિટે સ્કોટલેન્ડે પ્રથમ લીડ મેળવી, જે અંત સુધી નિર્ણાયક સાબિત થઈ.ફૂટબોલની મેચ માત્ર ખેલાડીઓની મહેનતથી નથી જીતાતી, ક્યારેક રેફરીની એક ભૂલ પણ આખી મેચનું પાસું પલ્ટી નાંખતી હોય છે. બોસ્ટનના મેદાન પર કંઈક એવું જ થયું. ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં સ્કોટલેન્ડે હૈતીને હરાવીને ૩૬ વર્ષ બાદ આ રમતોત્સવમાં જીતનો જશ્ન મનાવ્યો. પરંતુ, આ વિજયની ઉજવણી વચ્ચે મેદાન પર લેવાયેલા વિવાદાસ્પદ ર્નિણયોએ ફૂટબોલ જગતમાં એક નવી ચર્ચા જગાવી દીધી છે. શું ખરેખર હૈતી સાથે અન્યાય થયો? આવો જાણીએ આ…
કંગના રનૌતની ફિલ્મ .‘ભારત ભાગ્ય વિધાતા’ હરિયાણા અને દિલ્હીમાં ટેક્સ-ફ્રી કરાઈ.મનોજ તાપડિયા દ્વારા લિખિત અને ર્નિદેશિત આ ફિલ્મની વાર્તા ૨૬/૧૧ ના મુંબઈ આતંકવાદી હુમલાની સત્ય ઘટનાઓ અને પૃષ્ઠભૂમિ પર આધારિત.બોલિવુડ ક્વીન કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મ દેશભરમાં ભારે ચર્ચા જગાવી રહી છે અને તેને દર્શકો તરફથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મની મજબૂત વાર્તા અને દેશભક્તિના સંદેશને ધ્યાનમાં રાખીને હરિયાણા અને દિલ્હી સરકાર દ્વારા આ ફિલ્મને ‘ટેક્સ-ફ્રી’ જાહેર કરવામાં આવી છે. શનિવારે ચંડીગઢ ખાતે ફિલ્મની સ્ટારકાસ્ટ અને મેકર્સ દ્વારા એક સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં…
દક્ષિણના સુપરસ્ટારોની હૃદયસ્પર્શી પહેલ.વિજય અને રશ્મિકાએ ૧૮૦ બાળકોને સ્કોલરશિપ આપી.વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારોને સંબોધન કરતા વિજયે સ્કોલરશિપને તેલંગણામાં પ્રતિભાશાળી યુવા વર્ગને ટેકો આપવાના વ્યાપક સ્વપ્નની શરૂઆત ગણાવી હતી. વિજય દેવેરાકોન્ડા અને રશ્મિકા મંદાનાએ ધી દેવેરાકોન્ડા ફાઉન્ડેશન દ્વારા સ્કોલરશિપ અભિયાન શરૂ કર્યું છે. કપલે વિજયના વતન આચમપેટ મંડલમાં થુમ્મનપેટ ગામની મુલાકાત લઈને આર્થિક સહાય માટે ધોરણ ૯ અને ૧૦ના ૧૮૦ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પ્રદાન કરી હતી. વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારોને સંબોધન કરતા વિજયે સ્કોલરશિપને તેલંગણામાં પ્રતિભાશાળી યુવા વર્ગને ટેકો આપવાના વ્યાપક સ્વપ્નની શરૂઆત ગણાવી હતી. તેણે જણાવ્યું કે તે તેમની સિદ્ધિઓ પાછળના અનુશાસન અને સમર્પણની કદર કરવા માગે છે અને તેમની સફરનો…
તબુ સાથે કેટરીનાની પણ ભૂમિકા હશે.ચાંદની બારની સીકવલમાં કેટરીના કૈફની એન્ટ્રી થઈ શકે.અહેવાલો મુજબ સીક્વલમાં મૂળ ફિલ્મની જેમ મુંબઈના રેડ લાઈટ વિસ્તારો અને ગુનાખોરી ઈકોસીસ્ટમની કઠોર સચ્ચાઈ દર્શાવાશે.રૂપેરી પડદાથી લાંબો સમય દૂર રહ્યા પછી કેટરીના કૈફ મહત્વની ભૂમિકા સાથે વાપસીની તૈયારી કરી રહી છે. અહેવાલો મુજબ કેટરીના મધુર ભંડારકરની પ્રશંસિત ૨૦૦૧ની ફિલ્મ ‘ચાંદની બાર’ની સીક્વલ માટે વાટાઘાટ કરી રહી છે. અજય બહલ દિગ્દર્શિત આ ફિલ્મમાં તબ્બુની પણ મહત્વની ભૂમિકા રહેશે. સત્તાવાર જાહેરાત ન થઈ હોવા છતાં ફિલ્મ માટે કેટરીનાનું નામ સામે આવતા તેના ચાહકોમાં ઉત્કંઠા જાગી છે. હજુ થોડા દિવસો પહેલાં એવા અહેવાલ હતા કે ગયાં વર્ષે માતા બની ચૂકેલી…
ધમાલ ફ્રેન્ચાઇઝીની ચોથી ફિલ્મ ૧૦ જુલાઈએ રિલીઝ થશે.અજય દેવગન, રિતેશ દેશમુખ અને અર્શદ વારસીની ગેંગ ખજાનાની શોધ કરશે.‘ધમાલ ૪’માં અજય દેવગન, અર્શદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી અને સંજય મિશ્રા મુખ્ય ભૂમિકાઓમાં જાેવા મળશે.કેટલીક બહુ રાહ જાેવાતી ફિલ્મોમાંથી એક ધમાલ ૪નું ટ્રેલર આખરે લોંચ થઈ ગયું છે, જેમાં એડવેન્ચર થીમની સમગ્ર કાસ્ટની ઝલક પણ મળે છે. આ ફિલ્મ ૧૦ જુલાઈએ રિલીઝ થવાની છે, હવે આ જાણીતી ગેંગ મુંઝવણ, સ્પર્ધા અને જાેખમી એડવેન્ચરની ગડબડ સાથે ખજાનાની શોધમાં નીકળશે.મુંબઇના એક એડવેન્ચર થીમ પાર્કમાં આ ટ્રેલર લોંચ કરવામાં આવ્યું હતું. જ્યાં ઇવેન્ટના સ્થળને પણ એડવેન્ચરસ લાર્જર ધેન લાઇફ સેટ તૈયાર કરાયો હતો. જેમાં…
(છગનલાલ મેવાડા દ્વારા) સુરત. એક તરફ ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાં પોતાનો અવરોધ લાગુ કર્યો છે જ્યારે બીજી તરફ, અમેરિકાએ સમગ્ર પ્રદેશમાં નાકાબંધી લાદી છે. ભારત અથવા અન્ય દેશોના વાણિજિયક જહાજો અને નાગરિક માળખાગત સુવિધાઓને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યા છે? હોર્મુઝની સામુદ્રધુની અને અન્ય દરિયાઈ માર્ગો દ્વારા અવરોધ વિનાની હિલચાલ પુનઃસ્થાપિત કરવી મહત્વપૂર્ણ છે. કારણ કે વર્તમાન વિક્ષેપોએ અનેક દેશોની ઉર્જા અને તેલ પુરવઠા પર ગંભીર અસર કરી છે. જેના કારણે લોકોના જીવન પર વ્યાપક સ્તરે પ્રતિકૂળ અસર પડી છે. મોટી તકલીફ એ છે કે યુદ્ધ વચ્ચે પણ વાણિજિયક જહાજો માટે સલામત માર્ગ સુનિશ્ચિત થવો જોઈતો હતો. પરંતુ આ જહાજો કોઈપણ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશને સર્વોચ્ચ અદાલત દ્વારા લિવ-ઈન-રિલેશનશિપને કાયદેસર બનાવ્યા પછી પુરુષ રિલેશનશિપ પછી સ્ત્રી અથવા ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે. પરંતુ લિવ-ઈન-રિલેશનશિપમાં બ્રેકઅપ પછી મહિલા માટે જીવનસાથી શોધવો મુશ્કેલ છે. કારણ કે બ્રેકઅપની સ્થિતિમાં લિવ-ઈન-રિલેશનશિપ મહિલાઓને અપ્રમાણસર રીતે નુકસાન પહોંચાડે છે કારણ કે પુરુષો લગ્ન પછી સરળતાથી આગળ વધી શકે છે અને સ્થાયી થઈ શકે છે. જ્યારે સ્ત્રીઓ જીવનસાથી શોધવા માટે સંઘર્ષ કરી રહી છે .અલ્હાબાદ હાઇકોર્ટે ટિપ્પણી કરી કે આવી વ્યવસ્થા મધ્યમ વર્ગના ભારતીય સમાજના સ્થાયી ધોરણો વિરુધ્ધની છે. જસ્ટિસ સિદ્ધાર્થની બનેલી સિંગલ જજની બેન્ચે કોર્ટમા પહોંચતા આવા કેસોની વધતી સંખ્યા પર નારાજગી વ્યક્ત કરી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



