- નીરજ ચોપડાનો મહારેકોર્ડ, કોમનવેલ્થમાં જેવલિનના 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
- IRCTCની FTR સેવા શરૂ: લગ્ન, પ્રવાસ કે યાત્રા માટે હવે આખો કોચ અથવા ટ્રેન ભાડે બુક કરો
- પાકિસ્તાનમાં ‘કોકરોચ પાર્ટી’થી સરકાર ચિંતિત, Gen Zના અભિયાનથી રાજકારણમાં ખળભળાટ
- ₹500ના ઇનામથી બદલાયું જીવન, જાદુમણિ સિંહે કોમનવેલ્થ ગેમ્સ 2026માં જીત્યો સિલ્વર મેડલ
- પ્રીતિ પવાર બાદ જાસ્મીન લંબોરિયાનો ગોલ્ડ, કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય દીકરીઓની ધમાકેદાર સિદ્ધિ
- જુલાઈમાં GST કલેક્શન 15.4% વધીને ₹2.11 લાખ કરોડ, આયાત અને ઘરેલુ આવકમાં જોરદાર ઉછાળો
- સુપ્રીમ કોર્ટે ભોજશાળા પાસે નમાઝને મંજૂરી આપી, પેલેટ ગન પર સંપૂર્ણ પ્રતિબંધનો ઇનકાર
- એવરેસ્ટ નજીક ચીનનું હાઈ-એલ્ટિટ્યુડ ડ્રોન સેન્ટર, સરહદ સુરક્ષા વચ્ચે ભારતની ચિંતા વધી
Author: garvigujrat
મે અગાઉ અરજીની સુનાવણીની ના નથી પાડી, પેપર ફાઇલ નહોતા થયા : સીજેઆઇ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે સોમવારે સુપ્રીમ સુનાવણી કરશે નીટ પેપર લીક થતા રોકવા માટે સરકાર દ્વારા શું પગલા લેવામાં આવી રહ્યા છે તેના પર અમારી નજર રહેશે : કેન્દ્રને સુપ્રીમની સ્પષ્ટતા દિલ્હીમાં વિદ્યાર્થીઓ, યુવાનો દ્વારા જંતર મંતરથી સંસદ સુધી માર્ચ કાઢવા પ્રયાસ થયો ત્યારે પોલીસ દ્વારા બર્બર લાઠીચાર્જ થયો અને આંસુ ગેસ શેલિંગ કર્યું હતું, આ મુદ્દે સુનાવણી કરવાની સુપ્રીમ કોર્ટે ના નથી પાડી તેવી સ્પષ્ટતા મુખ્ય ન્યાયાધીશ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે પોલીસ લાઠીચાર્જ મુદ્દે જે બે અરજીઓ થઇ છે તેની સોમવારે સુનાવણી કરવા માટે…
સમાચાર માધ્યમોમાં AAPના નેતાઓના નામે પ્રસારિત થઈ રહેલ કથિત ઓડિયો બાબતે AAP પ્રવક્તા યોગેશ જાદવાણીએ સ્પષ્ટતા અને ખુલાસો કરતા જણાવ્યું હતું કે, મીડિયામાં આજે આમ આદમી પાર્ટી વિરુદ્ધના એક સમાચાર ચાલી રહ્યા છે, એ મુદ્દે હું મીડિયા સમક્ષ ખુલાસા કરવા માગું છું. ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના લોકોના નામે એક ઓડિયો ક્લિપ બનાવવામાં આવી અને ભાજપ તરફી ન્યૂઝ ચેનલને આપીને એને ચલાવવામાં આવી રહી છે અને આમ આદમી પાર્ટીને એનકેન પ્રકારે બદનામ કરો, એમ કહેવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. ઓડિયોમાં જે વાતચીત થઈ રહી છે એ નેચરલી વાતચીત થઈ રહી હોય એવું લાગતું નથી. 1000% ના દાવા સાથે…
કોક્રોચ જનતા પાર્ટીના દેશ વ્યાપી આંદોલનના કારણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. આજે આ આંદોલનના ભાગરૂપે આમ આદમી પાર્ટીના યુવા નેતાઓ ગાંધીનગર ખાતે આંદોલન કરવા એકઠા થયા હતા અને ત્યાં તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ ’આપ’ છાત્ર વિંગ પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા અને પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ પાયલ સાકરીયાએ અનશનની શરૂઆત કરી હતી અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ તેમણે આજે પોતાનું અનશન પૂર્ણ કર્યું છે. આ સમગ્ર મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટીના છાત્ર વિંગ પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે, મળતી માહિતી મુજબ ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. દેશભરના યુવાનો માટે…
(નીડર,નિષ્પક્ષ,તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં અવિરત વરસાદથી ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ જોવા મળી રહી છે. નવસારી, વલસાડ અને હાલોલ-શામળાજી જેવા હાઇવે પર પાણી ભરાતા JCB થી ડિવાઇડર તોડી પાણીનો નિકાલ કરાયો. રાજયમાં NDRF-SDRF ની ૪૯ ટીમો તૈનાત છે. આ ઉપરાંત વડોદરા ખાતે એરફોર્સની ટીમ ધ્વારા નાગરિકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.જ્યારે કોસ્ટ ગાર્ડની ટીમ ધ્વારા નવસારી,વલસાડ અને તાપીના વિસ્તારોમાં એરિયલ સર્વેની કામગીરી ચાલી રહી છે. વધુમાં કોસ્ટ ગાર્ડ ધ્વારા બીલીમોરા અને ગણદેવીમાં પૂરના પાણીમાં ફસાયેલા નાગરિકોને બચાવવાની કામગીરી પણ પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે પંચમહાલના શહેરોમાં મોડી રાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આમ ગુજરાતમાં ચોમાસાની…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. દેશની સર્વોચ્ચ અદાલત ના મુખ્ય ન્યાયાધીશે દેશના જ યુવાનો માટે જેમાં સામાજિક કાર્યકરો અને આર.ટી.આઈ એક્ટિવિસ્ટોની કોક્રોચ( વંદાની) સાથે સરખામણી કરતા નિવેદનને પગલે દેશભરમાં એકાએક ઊભી થયેલી યુવાનોની કોક્રોચ જનતા પાર્ટી(CJP) એ NEET ના પેપર લીક મામલે શિક્ષણમંત્રી ના રાજીનામાની કરેલી માંગણી ને પગલે ઘમંડી મોદી સરકારના અવાજ ઘમંડી કેમ્પેય શિક્ષણ મંત્રીએ આખરે ૨૫ દિવસ પછી નાકલીટી તાણી ને રાજીનામું આપતા દેશના લાખો યુવાનો અને એમને સમર્થન આપતા માતા પિતાની સાથે સાથે સરકારથી ત્રાસેલા બેસવાસીઓને ભવ્ય જીત થઈ છે દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા ૨૫ દિવસોથી કોક્રોચ…
ફિલ્મમાંથી ૪ મિનિટ ૨૭ સેકન્ડના દ્રશ્યો-સંવાદ હટાવાયા ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ પર CBFC ની કાતર, ૨૦થી વધુ કટ્સ ફરજિયાત ફિલ્મમાં ખેડૂતો માટે વપરાયેલા કેટલાક ‘આપત્તિજનક શબ્દો’ પણ બદલવા સૂચના આપવામાં આવી છે શ્રેયસ તલપદે અને કાજલ અગ્રવાલની કોર્ટરૂમ ડ્રામા ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ તેની રિલીઝના માત્ર બે દિવસ પહેલાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી સર્ટિફિકેટ મેળવવામાં સફળ રહી છે. જાેકે, ફિલ્મને યૂ/એ ૧૬+ પ્રમાણપત્ર આપતાં પહેલાં સેન્સર બોર્ડે ૨૦થી વધુ કટ્સ અને સંવાદોમાં ફેરફાર ફરજિયાત કર્યા છે. કુલ મળીને ફિલ્મમાંથી ૪ મિનિટ ૨૭ સેકન્ડનું ફૂટેજ હટાવવામાં આવ્યું છે.સીબીએફસીના ર્નિદેશ મુજબ ફિલ્મની શરૂઆત અને અંતે વિગતવાર ડિસ્ક્લેમર ઉમેરવામાં આવ્યું છે, જેના કારણે…
ઓટીટી પસંદગીની આઝાદી આપી હવે માત્ર મનગમતા પ્રોજેક્ટ્સ જ પસંદ કરું છું : આદિલ હુસૈન હું નેટફ્લિક્સ ઇન્ડિયાની સૌથી મોંઘી સિરીઝ ‘ઓપરેશન સફેદ સાગર’નો ભાગ છું અને તેના માટે મને સારી રકમ મળી જાણીતા અભિનેતા આદિલ હુસૈને જણાવ્યું છે કે OTT પ્લેટફોર્મ્સના વધતા પ્રભાવને કારણે તેમને આર્થિક સ્થિરતા મળી છે, જેના પરિણામે હવે તેઓ માત્ર એવા જ પ્રોજેક્ટ્સ પસંદ કરે છે જે તેમના વ્યક્તિગત સિદ્ધાંતો સાથે મેળ ખાતા હોય. તેમણે કહ્યું કે હવે તેમને માત્ર મોટી ફી માટે ફિલ્મો સ્વીકારવાની જરૂરિયાત રહી નથી.સ્ક્રીન સાથેની વાતચીતમાં આદિલ હુસૈને જણાવ્યું કે ફિલ્મો, આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અને OTT પર સતત કામ મળવાને કારણે તેઓ…
કોક્રોચ જનતા પાર્ટીના આંદોલન બાદ આખરે GenZ યુવાનોની જીત થઈ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે આ દેશના યુવાનો અને ખાસ કરીને GenZ પેપર લીક અને પરીક્ષા રદ્દ થવા જેવી બાબતોથી વારંવાર પીડાઈ રહ્યા હતા. એને લઈને આ લોકોએ દિલ્હીમાં જે જંતર મંતર ખાતે આંદોલન કર્યું, ત્યારબાદ એ આંદોલન સમગ્ર દેશમાં ફેલાયું અને આજે ગુજરાતમાં પણ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં એકઠા થવાનું એલાન કર્યું હતું. ત્યારબાદ હાલમાં માહિતી આવી કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને…
રાઘવ પહેલા જ સીનમાં ઇમોશનલ થતાં ડાયલોગ ભુલી ગયો હતો ‘કિંગ’ના સેટ પર શાહરૂખ ખાન સામે ડાયલોગ જ ભુલી ગયો હતો : રાઘવ જુયાલ ‘કિંગ’માં રાઘવ જુયાલ મુખ્ય વિલન પૈકીના એક તરીકે જાેવા મળશે. તે ફિલ્મમાં જેકી શ્રોફના પાત્રનાં પુત્રની ભૂમિકા ભજવશે ડાન્સર અને એક્ટર રાઘવ જુયાલે તાજેતરમાં જણાવ્યું છે કે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘કિંગ’નાં પહેલા સીનનું શૂટિંગ કરતી વખતે તે એટલો ભાવુક થઈ ગયો હતો કે પોતાના ડાયલોગ જ ભૂલી ગયો હતો. રાઘવે આ અનુભવને પોતાના જીવનની ‘સપના જેવી ક્ષણ’ ગણાવ્યો છે.એક ઇન્ટરવ્યુમાં રાઘવે જણાવ્યું કે બાળપણથી જ તે શાહરૂખ ખાનનો મોટો ફૅન રહ્યો છે. જ્યારે પહેલીવાર કેમેરા…
રાહુલ મોદી અને શ્રદ્ધા કપૂર આ પ્રોજેક્ટ પ્રત્યે હજુ પણ પ્રતિબદ્ધ અશ્નીર ગ્રોવરની બાયોપિકમાંથી આમિર ખાન એક્ઝિટ થયાં આમિર ખાન સ્ટાર્ટઅપ્સની દુનિયાથી ખુબ પ્રભાવિત હતો અને અશ્નીર ગ્રોવરની બાયોપિક કરવા માટે ઉત્સાહિત પણ હતો સ્ટાર્ટઅપ જગતના વિવાદાસ્પદ ઉદ્યોગપતિ અશ્નીર ગ્રોવરના જીવન પર આધારિત બાયોપિક અંગેના અહેવાલો અનુસાર, આમિર ખાને સર્જનાત્મક મતભેદોને કારણે ફિલ્મમાંથી બહાર થવાનો ર્નિણય લીધો છે. હવે ડિરેક્ટર રાહુલ મોદી અને અભિનેત્રી શ્રદ્ધા કપૂર ફિલ્મ માટે નવા એક્ટરની શોધમાં લાગ્યા છે. થોડા મહિનાઓ પહેલાં એવા અહેવાલો આવ્યા હતા કે આમિર ખાન પ્રથમવાર દિગ્દર્શન ક્ષેત્રે પગ મુકનારા રાહુલ મોદી સાથે અશ્નીર ગ્રોવરની બાયોપિકમાં કામ કરશે. બાદમાં એવી પણ માહિતી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



