Author: Garvi Gujarat

બે કરોડનું વળતર તથા જાહેર માફીની માંગ હંસિકાએ એક્સ ભાભી મુસ્કાન સામે બદનક્ષીનો કેસ કર્યાે એકટ્રેસ મુસ્કાને હંસિકા તથા તેના ભાઈ પર બેફામ ખોટા આક્ષેપો કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો એકટ્રેસ હંસિકા મોટવાણીએ તેની એક્સ ભાભી તથા ટીવી કલાકાર મુસ્કાન નેન્સી જેમ્સ પર બદનક્ષીનો દાવો કર્યાે છે. હંસિકાના ભાઈ પ્રશાંત તથા મુસ્કાને ૨૦૨૦માં લગ્ન કર્યાં હતાં. જાેકે, ૨૦૨૨માં તેઓ છૂટાં પડી ગયાં હતાં. તે પછી મુસ્કાને પ્રશાંત, હંસિકા તથા તેના પરિવારજનો સામે ઘરેલુ હિંસાનો કેસ કર્યાે હતો. હંસિકાએ મુંબઈની એક અદાલતમાં આ દાવો દાખલ કરતાં જણાવ્યું છે કે મુસ્કાનનાં વિધાનોને કારણે તેની બદનામી થઈ છે. તેણે મુસ્કાન પાસેથી બે કરોડનાં…

Read More

મન્સૂર ખાને કારણ જણાવતા કહ્યું, આમિરને અંત અંગે શંકા હતી આમિર ખાને પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ ‘એક દિન’નો ક્લાઈમેક્સ ફરી લખ્યો ફિલ્મ જુનૈદ ખાનની મુખ્ય અભિનેતા તરીકે ત્રીજી ફિલ્મ છે અને સાઈ પલ્લવીની બોલિવૂડ ડેબ્યુ પણ છે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાની રોમેન્ટિક ડ્રામા ‘એક દિન’માં સાઈ પલ્લવી સાથેની ફિલ્મ આવી રહી છે. તાજેતરમાં મન્સૂર ખાને એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યાે કે આમિરને ફિલ્મના ક્લાઈમેક્સ અંગે શંકા હતી, જેના કારણે તેણે અંત ફરી લખ્યો છે. જ્યારે મન્સૂર ખાનને પૂછવામાં આવ્યું કે શું ‘એક દિન’ દરમિયાન આમિર સાથે મતભેદ થયો હતો, ત્યારે તેમણે કહ્યું: “હું આજે ફિલ્મો બહુ જાેતો નથી, પરંતુ મારી…

Read More

‘યેહ પ્રેમ મોલ લિયા’માં હિમેશ રેશમિયાએ સૂરજ બરજાત્યા માટે ૭ મધુર ગીતો તૈયાર કર્યાં ફિલ્મનું શૂટિંગ ૧ નવેમ્બર, ૨૦૨૫થી શરૂ થયું હતું અને હવે તે એક મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે સૂરજ બડજાત્યાની ફિલ્મો માત્ર બ્લોકબસ્ટર કમાણી, પરિવારિક વિષય, કાસ્ટિંગ અને ભાવનાઓ માટે જ નહીં, પરંતુ તેમના ગીતો માટે પણ જાણીતી હોય છે. તેથી તેમની આગામી ફિલ્મના મ્યુઝિક અંગે અપેક્ષાઓ ખૂબ ઊંચી છે. હવે તેમની આયુષ્માન ખુરાના અને શર્વરી અભિનીત ફિલ્મ વિશે એક રસપ્રદ માહિતી સામે આવી છે.સુત્રોએ જણાવ્યું, “હિમેશ રેશમિયાએ આ ફિલ્મ માટે સંગીત આપ્યું છે. તેમણે અને સૂરજ બડજાત્યાએ અગાઉ ૨૦૧૫ની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’માં સાથે કામ…

Read More

સંરક્ષણ અને જીર્ણોદ્ધારના કામ થશે જન્મદિવસ પહેલા અનંત અંબાણીએ ૨ મંદિરમાં ૧૮ કરોડ આપ્યા અટવાયેલા જીર્ણોદ્ધાર અને સંરક્ષણના કામ પૂરા કરી શકાશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અનંત અંબાણી ૧૦ એપ્રિલના રોજ પોતાનો જન્મદિવસ મનાવશે. આ અગાઉ તેમણે કેરળના કેટલાય પ્રાચીન મંદિરોના સંરક્ષણ અને જીર્ણોદ્ધાર માટે આર્થિક મદદની જાહેરાત કરી છે. આ પહેલ તેમના તરફથી ભારતની સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતને સંરક્ષિત કરવાની દિશામાં એક નિરંતર અને અદ્ભુત પ્રયાસ તરીકે જાેવામાં આવી રહ્યો છે. આ અગાઉ પણ તેમણે કેરળના મુખ્ય મંદિરોની મુલાકાત લઈ ત્યાં સંરક્ષણ કાર્યો માટે મોટી રકમ દાનમાં આપવાની જાહેરાત કરી હતી. હવે જન્મદિવસના ઠીક એક દિવસ પહેલા તેમણે આ…

Read More

સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ ફરી ધમધમશે! પલાયન થયેલા શ્રમિકોને પરત લાવવા માટે ઉદ્યોગકારોએ ગાડીઓ મોકલી ગેસ સિલિન્ડર પુરવઠો શરૂ થવાના સંકેતો મળતા સુરતના ઉદ્યોગકારોએ શ્રમિકોને પરત લાવવા અભિયાન શરૂ કર્યું છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર પડકારોનો સામનો કરી રહેલી વિશ્વપ્રસિદ્ધ સુરત ટેક્સટાઇલ હબ અંગે હાલ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ઈરાન-અમેરિકા વચ્ચે વધેલા તણાવના કારણે ગેસ અને ક્રૂડના ભાવમાં અચાનક વધારો થતાં ટેક્સટાઇલ ક્ષેત્રે ઉત્પાદન ખર્ચ વધી ગયો હતો, જેના કારણે અનેક ટેક્સટાઇલ યુનિટ્સ પર અસર પડી હતી. જેના કારણે શ્રમિકોના મોટા પાયે પલાયન થવાથી ઉદ્યોગને ડબલ ઝટકો લાગ્યો હતો. જાેકે હવે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ ફરી ધમધમશે તેવા શુભ સંકેત સામે…

Read More

૨૦૨૯ની ચૂંટણીમાં બદલાશે દેશની તસવીર! મહિલાઓની ભાગીદારી વિના આ લક્ષ્ય સિદ્ધ કરી શકાય તેમ નથી વર્ષ ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને સંસદ અને વિધાનસભામાં ૩૩ ટકા પ્રતિનિધિત્વ મળે તે જરૂરી પીએમ મોદીએ મહિલા અનામત વિધેયક(નારી શક્તિ વંદન વિધેયક) અંગે રાષ્ટ્રને સંબોધતા એક મહત્ત્વનો વીડિયો સંદેશ અને લેખ શેર કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જાે આપણે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, તો દેશની માતૃશક્તિને તેમના પૂર્ણ સામર્થ્ય સાથે રાષ્ટ્રના વિકાસમાં જાેડવી અત્યંત અનિવાર્ય છે. પીએમ મોદીએ તેમના બે દાયકાથી વધુના સરકારના વડા તરીકેના અનુભવને ટાંકીને કહ્યું હતું કે, મહિલાઓની ભાગીદારી વિના આ લક્ષ્ય સિદ્ધ કરી…

Read More

હૈદરાબાદ કિંગ્સમેન સામે પેશાવર ઝાલ્મીની જીત પ્રેસ કોન્ફરન્સમાં કોહલીનું નામ સાંભળતા જ અકળાયો બાબર પ્રશ્નના જવાબમાં બાબરે કહ્યું, ચાલો આ વાત અહીં જ સમાપ્ત કરીએ, આવી વાતો તમારા સુધી જ રાખો પાકિસ્તાન સુપર લીગ (PSL) ૨૦૨૬માં બુધવારે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પેશાવર ઝાલ્મીનો સામનો હૈદરાબાદ કિંગ્સમેન સામે થયો હતો. બાબર આઝમની આગેવાની હેઠળની આ મેચમાં પેશાવર ઝાલ્મીએ ઇનિંગ્સના છેલ્લા બોલે ૧૪૬ રનનો ટાર્ગેટ ચેઝ કરીને જીત મેળવી હતી. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે બાબર આઝમને તેની અને વિરાટ કોહલી વચ્ચે વારંવાર થતી સરખામણી વિશે પૂછ્યું જેમાં કહ્યું કે કોહલીને સામાન્ય રીતે મેચ ફિનિશ કરવામાં વધુ સફળ માનવામાં આવે છે.…

Read More

૧૦ મિનિટમાં ૧૦૦ એરસ્ટ્રાઈક, ૨૫૦થી વધુના મોત ઈરાન-અમેરિકા સીઝફાયરમાં “વિલન” બન્યું ઈઝરાયલ સીઝફાયરની જાહેરાત થઈ તે જ દિવસે ઈઝરાયલે લેબેનોન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થવાને બદલે વધી રહ્યો હોય તેમ જણાય છે. સીઝફાયરની જાહેરાત થઈ તે જ દિવસે ઈઝરાયલે લેબેનોન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. ઈઝરાયલી સેનાએ માત્ર ૧૦ મિનિટમાં ૧૦૦થી વધુ સ્થળોએ બોમ્બમારો કર્યો હતો, જેમાં ૫૦થી વધુ લડાયક વિમાનો જાેડાયા હતા. આ ભીષણ હુમલામાં લેબેનોનની રાજધાની બેરૂત, બેકા…

Read More

સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રની દલીલ કાલે કોઈ કહેશે કે મંદિરમાં નોનવેજ લઈ જવું છે, તો શું કરશો? આ દરમિયાન કેન્દ્ર સરકાર વતી રજૂઆત કરતા એડિશનલ સોલિસિટર જનરલ નટરાજે પરંપરાઓનું સમર્થન કર્યું હતું સબરીમાલા મંદિરમાં રજસ્વલા મહિલાઓના પ્રવેશ પર ચાલી રહેલા પ્રતિબંધના વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વની સુનાવણી થઈ હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર વતી રજૂઆત કરતા એડિશનલ સોલિસિટર જનરલ નટરાજે પરંપરાઓનું સમર્થન કર્યું હતું. તેમણે દલીલ કરી હતી કે દરેક મંદિર અને ધાર્મિક સંપ્રદાયની પોતાની આગવી માન્યતાઓ હોય છે, જેને માત્ર કાયદાકીય માપદંડો કે સ્ત્રી-પુરુષના સમાન અધિકારોના દ્રષ્ટિકોણથી ન જાેવી જાેઈએ. એડિશનલ સોલિસિટર જનરલ નટરાજે આ બાબતને વધુ સ્પષ્ટ…

Read More

ભ્રષ્ટાચારીઓ પણ થશે જેલભેગા: બંગાળમાં વડાપ્રધાન મોદીની ૬ ગેરંટી બંગાળમાં દરેક દુષ્કર્મ કેસ, જૂના કૌભાંડનો ફાઈલો ખોલાશે : મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હલ્દિયામાં જનસભા ગજવીને સત્તાધારી તૃમણૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યા છે પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલે મતદાન યોજાવાનું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હલ્દિયામાં જનસભા ગજવીને સત્તાધારી તૃમણૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સંબોધનમાં બંગાળમાં ભાજપની જીત માટે પ્રજા પાસે આર્શિવાદ માંગ્યા છે. આ સાથે તેમણે બંગાળની પ્રજાને છ ગેરેન્ટી પણ આપી છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવતા જ દરેક દુષ્કર્મ…

Read More