- ઈરાનનો મોટો દાવો : અમેરિકા-ઈઝરાયલના કરાર ભંગ બાદ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ચેતવણી
- રાજકોટના શાપર-વેરાવળમાં ફિલ્મી ઢબે 2.47 કરોડની લૂંટ, 5 બુકાનીધારીઓ ફરાર
- તાઈવાન પર ચીનની નૌસેનાની ઘેરાબંધી વધતી, દરિયાઈ તણાવ ચરમસીમાએ
- શિવસેના સ્થાપના દિવસે શિંદેનો ઉદ્ધવ પર કટાક્ષ : “કૂતરા ભસે, ટાઈગર શિકાર કરે”
- આંધ્રપ્રદેશમાં 50 ટન સોનાનો ભંડાર મળ્યો, 4 વધુ સ્થળે માઇનિંગની તૈયારી
- ઈંગ્લેન્ડ શ્રેણી પહેલા ભારતને ઝટકો : હાર્દિક પંડ્યા બહાર, કોહલીનો નિર્ણય ફિટનેસ પર નિર્ભર
- 23 જૂનથી હવામાનમાં મોટો ફેરફાર શક્ય, ચોમાસું ફરી થશે સક્રિય : IMD આગાહી
- કેએસ ભરત દુબઈમાં નવી તક શોધવા નીકળ્યો, ભારતીય ક્રિકેટમાંથી દૂર થવાનો નિર્ણય
Author: Garvi Gujarat
કૃતિ સેનન સાથે કર્યું કામ પ્રણવી તિવારી શોબિઝ છોડીને બની ગઈ કૃષ્ણ ભક્ત આટલું જ નહીં પ્રેમાનંદ મહારાજ પાસેથી દીક્ષા પણ લીધી માયા નગરી અને ગ્લેમરની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવવાનું સપનું અનેક લોકોનું હોય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને સફળતા મળ્યાં પછી કંઈક ખાલીપણું લાગતું હોય. આ લિસ્ટમાં એક પ્રણવી તિવારીનું નામ પણ શામેલ છે. પ્રણવી તિવારીની કહાની પણ કંઈક આવી જ છે. એક સમયે એર હોસ્ટેસ રહેલી પ્રણવી તિવારીએ મોડલિંગ અને જાહેરખબરની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. એક્ટ્રેસે બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન સહિત અનેક મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. અભિનયની દુનિયામાં આગળ…
ભારત-પાકિસ્તાનની મેચમાં ૨૦૨૫ જેવી ઘટના ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાક. કેપ્ટન સાથે હાથ ન મિલાવ્યા ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે હેન્ડશેક ન થવાની આ ઘટનાએ ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી આઈસીસી વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન મેદાન પર ફરી એકવાર નો હેન્ડશેક પોલિસી જાેવા મળી છે. બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલા આ મુકાબલામાં ટૉસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવ્યા નહોતા. ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે હેન્ડશેક ન થવાની આ ઘટનાએ સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. ભારતીય ટીમ દ્વારા પાકિસ્તાન સામે હેન્ડશેક ન…
રોહિતે કહ્યું બધું બરાબર છે, કોઈ વાંધો નહીં શુભમન ગિલના કારણે રનઆઉટ થયો રોહિત શર્મા મેદાન પર ઉતરતાની સાથે જ રોહિત વનડે ક્રિકેટ રમનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી પણ બની ગયો ધર્મશાલામાં રમાયેલી પહેલી વનડે મેચમાં એક હાઈ-વોલ્ટેજ ડ્રામા જાેવા મળ્યો હતો. ભારતીય ટીમના સ્ટાર ઓપનર રોહિત શર્મા આ મેચમાં કમનસીબે રન આઉટ થઈ ગયો હતો. જેના કારણે સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે જાેરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. રસપ્રદ વાત એ છે કે, આ રન આઉટ બાદ પણ ક્રિઝ પર ટકી રહેલા શુભમન ગિલે બેટિંગથી એવી ધમાકેદાર વાપસી કરી કે માત્ર મેચ જ ન જીતાડી પરંતુ એક મોટો…
૨૧ વર્ષના આર્યનની પોલ ખુલતાં અધિકારીઓ ચોંક્યા NEET નાપાસ થયો અને સીધી બ્રિગેડિયરની વર્દી પહેરી! જ્યારે તેની ઓળખ અને ડોક્યુમેન્ટની તપાસ થઈ ત્યારે મામલો ખુલ્લો પડી ગયો : આર્યન અને તેના સાથીઓને કસ્ટડીમાં લેવાયા શાહજહાંપુરમાં એક એવી ઘટના બની છે, જેના વિશે સાંભળીને મોટા-મોટા અધિકારીઓથી લઈને શહેરવાસીઓ રીતસરના ચોંકી ગયા છે. અહીં ૨૧ વર્ષનો આર્યન વર્મા નામનો યુવક ભારતીય સેનાના બ્રિગેડિયર જેવી વર્દી પહેરીને, આગળ-પાછળ સુરક્ષાકર્મીઓ સાથે ટાટા હેરિયર ગાડીમાં ફરતો હતો. ગાડી પર ભારતીય સેનાનો ઝંડો લાગેલો હતો અને તેની સાથે કાળા કપડાંમાં બે કમાન્ડો પણ હતા. પહેલી નજરે કોઈને એવું લાગે કે કોઈ મોટા અધિકારી આવી રહ્યા છે.…
અમેરિકન નેવીએ તમામને મોતના મુખમાંથી બચાવ્યા ઓમાનના દરિયામાં હોડી ડૂબી, ૧૪ ભારતીયો સવાર હતા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા, અમેરિકન નૌકાદળનું ઁ-૮ દરિયાઈ સર્વેલન્સ વિમાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું ઓમાનના રાસ અલ હદ દરિયાકિનારા પાસે દરિયામાં એક હોડી અચાનક ડૂબી ગઈ હતી. આ હોડીમાં ૧૪ ભારતીય નાવિકો સવાર હતા. ત્યારબાદ ત્યાં મોટા પાયે રાહત અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અમેરિકન નૌકાદળે આ કટોકટીની પરિસ્થિતિ વિશે દરિયાકાંઠાના અધિકારીઓ અને ભારતીય નૌકાદળને જાણ કરી હતી, જેના પછી તમામ એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ હતી અને તમામ ૧૪ ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. મળેલી માહિતી અનુસાર, આ ઘટના ૧૪…
આજે ભારત બદલાવના મોટા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે : મોદી AI ની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત : મેક્રોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનએ ફ્રાન્સના નીસ શહેરમાં સંયુક્ત રીતે ‘ભારત ઇનોવેટ્સ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાન્સ અને સ્લોવાકિયાની યાત્રા પર છે, જ્યાં G-7 શિખર સંમેલન પહેલાં તેમણે ફ્રાન્સના નીસ શહેરમાં રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં બંને નેતાઓએ સંયુક્ત રીતે ‘ભારત ઈનોવેટ્સ‘ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ મેક્રોને પીએમ મોદીની જાેરદાર પ્રશંસા કરતા જણાવ્યું હતું કે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની વ્હીકલ પૂલ શાખામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીને ગેરકાયદેસર રીતે નોકરીમાંથી છૂટા કરવાના મામલે લેબર કોર્ટે કોર્પોરેશનને મોટો ઝટકો આપ્યો છે. સળંગ ૫૧૩ દિવસ અને દર વર્ષે ૨૪૦ દિવસથી વધુ સમય સુધી ફરજ બજાવી હોવા છતાં ડ્રાઈવરને હાંકી કાઢવામાં આવ્યા હતા. લેબર કોર્ટે કોર્પોરેશનના આ નિર્ણયને કાયદાની વિરુધ્ધ ઠેરવીને ભોગ બનનાર કર્મચારીને વળતર પેટે રૂપિયા ૫,૯૨,૪૪૪/- (અંદાજે રૂપિયા ૫.૯૨ લાખ) અને કોર્ટ ખર્ચના રૂપિયા ૧૦,૦૦૦/- આગામી ૩૦ દિવસમાં ચૂકવવાનો ઐતિહાસિક આદેશ કર્યો છે. અરજદાર મોહમ્મદ રફીક અલ્લારખ્ખા શેખ વર્ષ ૧૯૯૨માં વડોદરા મ્યુ.કોર્પોરેશનમાં હંગામી ડ્રાઈવર તરીકે જોડાયા હતા. જોકે કોર્પોરેશનના શાસકોએ શ્રમ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજે જ્યારે સમાજમાં સાસુ-વહુ વચ્ચે અબોલા,અણબનાવ થી લઈ થતા. રોજેરોજના ઝઘડાઓથી તદ્દન વિરોધી કહેવાય એવો કિસ્સો એટલે કે વહુએ બજાવી દીકરીની ફરજ જેવી આ વાત છે એક સાસુ વહુની. દેશનું જાણીતું પવિત્ર ધામ વૃંદાવન આ વૃંદાવનમાં ૮૪ કોસની પરિક્રમામાં એક મહિલાએ સેવા, સમર્પણ અને શ્રદ્ધાની મિસાલ પૂરી પાડી હતી. તેણે (વહુ)એ પોતાના સાસુની ઈચ્છા પૂરી કરી હતી અને સાસુણે માથે ઊંચકીને ૮૪ કોસની પરિક્રમા કરી હતી. વૃદ્ધાવસ્થા અને શારીરિક નબળાઈને કારણે સાસુમાં ચાલી શકતા નહોતા. એટલે પગપાળા ૮૪ કોસની યાત્રા કરવાનું સંભવ નહોતું. એમ છતાં તેમના મનમાં ઘણા સમયથી વ્રજની પરિક્રમા કરવાની ઈચ્છા ઊંડે ઊંડે ઘરબાયેલી…
ભગવાન પર ટ્રસ્ટનો નહીં, ભક્તોનો અધિકાર સાળંગપુર હનુમાનજી દાદાના ટ્રેડમાર્ક અને કોપિરાઈટને લઈને ભારે વિવાદ સનાતન ધર્મ કોઈ બ્રાન્ડ કે કોર્પોરેટ સંપત્તિ નથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેના પર માલિકીનો દાવો કરી શકે નહીં સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં ૫૪ ફૂટ ઊંચી ‘કિંગ ઓફ સાળંગપુર‘ ની પ્રતિમા અને મંદિરના ગર્ભગૃહમાં આવેલી કષ્ટભંજન દેવની મૂર્તિને કોપીરાઇટ અને ટ્રેડમાર્ક ના સર્ટિફિકેટ આરક્ષિત કરાયા છે. સારંગપુર ટ્રસ્ટના કષ્ટભંજન દેવ અને હનુમાનજી દાદાના પ્રતીકોના ટ્રેડમાર્ક લેવાના ર્નિણય સામે હવે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને અનેક સનાતન સંસ્થાઓએ આકરો વિરોધ નોંધાવ્યો છે. સાથે જ સારંગપુર ટ્રસ્ટના આ ર્નિણયથી હિન્દુ ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી રહી હોવાનો…
ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ પર ભાર મૂકાશે ગુજરાત સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬’ જાહેર કરશે ગાંધીનગરમાં એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના આગામી વર્ષોના ઔદ્યોગિક વિકાસના રોડમેપનું અનાવરણ કરાશે રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રને વેગ આપવા અને નવા રોકાણો આકર્ષવાના હેતુથી ગુજરાત સરકાર આગામી ૧૫ જૂનના રોજ બહુપ્રતિક્ષિત “ઔદ્યોગિક નીતિ-૨૦૨૬” સત્તાવાર રીતે જાહેર કરવા જઈ રહી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના આગામી વર્ષોના ઔદ્યોગિક વિકાસના રોડમેપનું અનાવરણ કરવામાં આવશે. આ નવી નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો વધારવા, નવીન સંશોધનોને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની નવી તકોનું સર્જન કરવાનો છે. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે રોકાણકારો માટે ગુજરાત અગ્રણી રોકાણ સ્થળ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



