Author: garvigujrat

એકની અટકાયત કરવામાં આવી સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો, નિહંગે કિરપાણથી કર્યો એટેક શિરોમણિ અકાલી દળના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ પર નાંદેડ સ્થિત ગુરૂદ્વારા માતા સાહિબમાં હુમલો મહારાષ્ટ્ર સ્થિત નાંદેડમાં શિરોમણિ અકાલી દળના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ પર હુમલો થયો છે. બાદલ પરિવારની સાથે ત્યાં ગયા હતા. તેમના પર હુમલો નાંદેડમાં ગુરૂદ્વારા માતા સાહિબ કૌરમાં એક નિહંગે કિરપાણથી કર્યો છે. જાણકારી પ્રમાણે બાદલના હાથમાં ઈજા થઈ છે. કહેવામાં આવ્યું કે ચર્ચા વચ્ચે કિરપાણથી સુખબીર પર હુમલો કરવામાં આવ્યો. હુમલા બાદ સુખબીર સિંહ બાદલને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હુમલામાં સુખબીર સિંહ બાદલને…

Read More

મુશ્કેલીઓ સામે હાર ન માનો : વડાપ્રધાન મોદીએ સંસ્કૃત શ્લોક દ્વારા આપ્યો દેશવાસીઓને પ્રેરણાદાયક સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પ્રેરક સંસ્કૃત સુભાષિત શેર કર્યું નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર એક પ્રેરક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે. આ સુભાષિત દ્વારા તેમણે દૃઢ સંકલ્પ, અથાગ મહેનત અને પુરુષાર્થનું મહત્વ સમજાવ્યું છે. તેમણે શેર કરેલા શ્લોકમાં મુશ્કેલ પરિસ્થિતિઓ સામે હાર ન માનવા અને સતત પ્રયાસ કરતા રહેવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું: દૈવ પુરુષકારેણ ય: સમર્થં: પ્રબાધિતુમ | ને દૈવેન વિપન્નાર્થં: પુરુષ: સોડવસીદતિ || આ…

Read More

આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ તથા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક મહત્વપૂર્ણ મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અનેક જિલ્લાઓમાં કુદરત રૂઠી છે અને હાલ અનેક જિલ્લાઓમાં વરસાદ નથી પડી રહ્યો. જેના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો હજુ સુધી વાવણી નથી કરી શક્યા. પરંતુ જ્યાં ખેડૂતે વાવણી કરી દીધી છે પણ વરસાદ નથી પડ્યો ત્યાં સરકારની અવ્યવસ્થાના કારણે ગુજરાતનો ખેડૂત હેરાન પરેશાન થઈ ગયો છે. સંજેલીમાં ખાતર માટે ખેડૂતો 9 કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે તેમને ખાતર…

Read More

આમ આદમી પાર્ટી મહિલા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રચના હીરપરાએ જણાવ્યુ હતું કે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે પ્રાઇવેટ કંપનીમાં કોઈ નોકરી કરતું હોય અને એમનું આર્થિક શોષણ કરવામાં આવે, ત્યારે લોકો સરકારને ફરિયાદ કરતા હોય છે. પરંતુ સરકાર હસ્તક આવતી આંગણવાડીઓની વર્કર બહેનોનું શોષણ જ જ્યારે આ સરકાર કરી રહી હોય, ત્યારે આ બહેનો પાસે ન્યાય મેળવવાનો કયો રસ્તો બચે છે? એક બાજુ દેશનું ભવિષ્ય એટલે કે નાના બાળકોના જીવન અને તેમની જીવનશૈલીનું ઘડતર આ બહેનો કરતી હોય છે, ત્યારે બીજી બાજુ આ જ બહેનોનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. અન્ય કોઈ રાજ્યમાં ચૂંટણીઓ હોય ત્યારે આ ભાજપ…

Read More

(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત ​ નામદાર ગુજરાત હાઈકોર્ટે સુરતના નાસીરનગરમાં કરાયેલા ભૂતિયા ડિમોલિશન બાબતે લાલ આંખ કરતા આખરે રાજ્ય સરકારે નમતું જોખીને સુરતના મ્યુ. કમિશ્નર એમ. નાગરાજનની બદલી કરવાની ફરજ પડી છે. સુરત મ.ન.પા. ના વિસ્તારમાં મ્યુ. કમિશ્નરની બદલીના સમાચાર મળતા જ અધિકારીઓના ટોળેટોળાં એકત્ર થયા હતા. અને સૌના મોઢે એક જ વાત હતી કે રાજકારણીઓનો ક્યારેય ભરોસો થઈ શકે નહીં. ​ મોટા રાજકારણીઓના ભરોસે અને તેઓના કહેવામાં આવી જઈ નાસીરનગરનું ડિમોલિશનની સૂચના મ્યુ. કમિશ્નર દ્વારા આપવામાં આવી હતી. પરંતુ એ અંગે કોઈ નોટિસ કે જાણ રહીશોને કરવામાં આવેલી નહીં. આમ આ ડિમોલિશનમાં શહેર પોલીસના અધિકારી SOG ના…

Read More

(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત ​ બિહારના પૂર્વ મુખ્યપ્રધાન ભાગવત ઝા આઝાદના પુત્ર યશોવર્ધન આઝાદ ૧૯૭૬ બેચના IPS અધિકારી છે. જેમણે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા તંત્રના સર્વોચ્ચ પદો પર સેવા આપી છે. ઈન્ટેલિજન્સ બ્યુરોના સ્પેશિયલ ડિરેક્ટર તરીકે તેમણે આતંકવાદ સામેની લડાઈ અને વ્યુહાત્મક જોખમ વચ્ચેના ક્ષેત્રમાં કામ કર્યુ. અને અફઘાનિસ્તાન તથા બાંગ્લાદેશમાં વિવિધ જવાબદારીઓ પૂર્ણ કરી હતી. ​ આ ગુપ્તચર વિભાગના ભૂતપૂર્વ સ્પેશિયલ ડિરેક્ટર યશોવર્ધન આઝાદ દ્વારા લખાયેલા "પોલીસીંગ ધ રીપબ્લિક" નામના પુસ્તકનું ૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ નવી દિલ્હીમાં વિધિવત લોકાપર્ણ કરવામાં આવનાર છે. દેશના સૌથી અનુભવી કાયદા અમલીકરણ સુકાનીએ એમના અનુભવના આધારે આ પુસ્તકમાં ભારતની પોલીસ વ્યવસ્થા, ગુપ્તચર તંત્ર,…

Read More

ચોટીલા તાલુકાના હણીયા ગામ તથા ગઢેચી ગામમાં પશુપાલકોની ભેંસોનું ઝેરી કેમિકલના ડમ્પીંગ સ્ટેશનમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી પીવાથી મૃત્યુ થયું છે. આ કેમિકલયુક્ત પાણીથી મોટાભાગના પશુઓ તરવાઈ ગયા છે. લોકોને ચામડીના રોગ થવા લાગ્યા છે. જેની આજે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રમેશભાઈ મેર, દેવકણભાઈ જોગરાણા, રમેશભાઈ ખોરાની દ્વારા મુલાકાત લેવામાં આવી અને ભોગ બનનાર પશુપાલકની મુલાકાત લીધી અને આ પશુપાલક પરિવારની આપવીતી સાંભળી હતી અને સાથે સાથે ડમ્પીંગ સ્ટેશનની આજુબાજુના ખેડૂતોની મુલાકાત લીધી. આ દરમિયાન AAP ખેડૂત નેતા રમેશ મેરે જણાવ્યું કે, ચોટીલાના આ ગામમાં ઝેરી કેમિકલનો કચરો છોડી અને આ ભાજપ સરકાર ચોટીલા તાલુકાના લોકોને મોતના મુખમાં નાખી રહી…

Read More

ટ્રમ્પે ગણાવ્યા સૌથી વિશ્વસનીય સહયોગી વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પદ છોડ્યું હાઇટ હાઉસના ઇતિહાસમાં સૌથી ઉત્કૃષ્ટ પ્રેસ સેક્રેટરી તરીકે તેમની સફર અત્યંત પ્રેરણાદાયક રહી છે અમેરિકાના રાજકારણમાંથી હાલમાં જ એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં વ્હાઇટ હાઉસના લોકપ્રિય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ ટૂંક સમયમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપીને વિદાય લેવાના છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે લેવિટ આ મહિનાના અંત સુધીમાં પોતાની જવાબદારીઓ પૂરી કરશે અને પોતાના નાના બાળકો તેમજ પરિવાર સાથે વધુ સમય વિતાવશે. પોતાના શાનદાર કાર્યકાળ દરમિયાન મીડિયા અને જનતા વચ્ચે મહત્વની કડી બનનાર લેવિટના આ ર્નિણયથી રાજકીય…

Read More

બે મુખ્ય ખાદ્ય ડેપોનો નાશ યુક્રેને રશિયન બંદર અને નૌકાદળના બેઝ પર મોટા હવાઈ હુમલા કર્યા રશિયા વિશ્વનો સૌથી મોટો ઘઉં નિકાસકાર દેશ છે, અને તેનું મોટાભાગનું અનાજ નોવોરોસિયસ્ક બંદર દ્વારા વિદેશમાં મોકલવામાં આવે છે યુક્રેને બુધવારે રશિયન કાળા સમુદ્રના બંદર નોવોરોસિયસ્કને નિશાન બનાવ્યું હતું. ઘાતક ડ્રોન હુમલામાં બંદર સંકુલના બે અનાજ લોડિંગ પોઇન્ટ પર હુમલો થયો હતો, જેના કારણે નોંધપાત્ર નુકસાન થયું હતું અને કામગીરી સ્થગિત થઈ ગઈ હતી. યુક્રેનિયન હુમલામાં કાળા સમુદ્ર કિનારે નોવોરોસિયસ્ક ખાતે રશિયાના નૌકાદળના મથકને પણ નુકસાન થયું હતું. યુક્રેનિયન હુમલામાં બે રશિયન નાગરિકો માર્યા ગયા હતા.રશિયા વિશ્વનો સૌથી મોટો ઘઉં નિકાસકાર દેશ છે, અને…

Read More

આયુષમાન અને સારા બીજીવાર સાથે આવશે આયુષમાન-સારાની ઉડતા તીરની ઓક્ટો.માં રીલિઝ ડેટથી આશ્ચર્ય સારા અને આયુષમાનની જાેડી અગાઉ ‘પતિ પત્ની ઔર વોહ દો’ નામની ફિલ્મમાં જાેવા મળી હતી આયુષમાન ખુરાના અને સારા અલી ખાનની જાેડીને ચમકાવતી કોમેડી ફિલ્મ ‘ઉડતા તીર’ નવ ઓક્ટોબરે થિયેટર્સમાં રજૂ કરવાનો ર્નિણય લેવાતાં ટ્રેડ વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું છે. નિર્માતા તરીકે કરણ જાેહરે અજય દેવગણની ‘દૃશ્યમ થ્રી’ સાથે સ્પર્ધામાં ઉતરવાનું કેમ નક્કી કર્યું તે સવાલ સર્જાયો છે.આ ફિલ્મ અજય દેવગણની ફિલ્મ દૃશ્યમ થ્રી તેના એક અઠવાડિયા અગાઉ રજૂ થવાની છે. જાે અજય દેવગણની ફિલ્મ હીટ નીવડશે તો ઉડતા તીરને બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં મુશ્કેલી પડી શકે…

Read More