- જો રૂટે રચ્યો વર્લ્ડ રેકોર્ડ: સ્ટીવ સ્મિથને પછાડી ટેસ્ટ ક્રિકેટનો સૌથી સફળ ફીલ્ડર બન્યો
- સંસદ માર્ચમાં ૧૭ મેટ્રો સ્ટેશન બંધ કરાતા સુપ્રીમ નારાજ, વિદ્યાર્થીઓ પર હિંસા કરનાર સામે પગલાંના નિર્દેશ
- પાકિસ્તાનમાં મોંઘવારીનો ભડકો: ૪ દિવસમાં પેટ્રોલ ₹૨૫ મોંઘું, લિટરનો ભાવ ₹૩૭૦ને પાર
- ‘ઢિંઢોરા 2’માં ભુવન બામ ભજવશે 10 પાત્રો, સંજીદા શેખની કવિતા મામી તરીકે એન્ટ્રી
- જયા બચ્ચન સાથે સરખામણી તો વખાણ ગણાય: તાપસી પન્નુ, ‘મારા ગુસ્સાથી કેમેરામેન્સને ફાયદો થાય છે’
- ‘હૈવાન’માં ડુપ્લિકેટ વિના સૈફનું રૉ એક્શન, શૂટિંગ બાદ બે દિવસ પથારીમાં રહ્યો
- ‘એન્ટની’માં સની દેઓલ સામે વિજય વર્માની ટક્કર, પહેલીવાર જાેવા મળશે તેનું ડાન્સિંગ ટેલેન્ટ
- અમદાવાદમાં ELC અને ECINET પર રિજનલ કોન્ફરન્સ: પારદર્શિતા અને મતદાર જાગૃતિને વેગ
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઈ વલવાઈએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ યુવરાજસિંહ જાડેજાએ ફતેપુરા તાલુકાની એક ખાનગી શાળાની મુલાકાત લીધી હતી. અને ત્યાંથી એમણે સરકારી શાળાના સ્માર્ટફોન અને બીજી સામગ્રીઓને પકડી હતી. એ સામગ્રી જે સ્કૂલની હતી એ સ્કૂલમાં જ્યારે તપાસ અધિકારીઓ ગયા તો બીજો ચોકાવનારો ખુલાસો થયો. સરકારી શાળામાં રજીસ્ટર સંખ્યા 131 છે પરંતુ શાળામાં ફક્ત 4 જ બાળકો હાજર હતા. જ્યારે અધિકારીઓ આવવાના છે એમ ખબર પડી ત્યારે એ શાળાના પ્રિન્સિપાલે અને બીજા કર્મચારીઓએ બીજી શાળાના 27 બાળકોને લાવીને બેસાડી દીધા એ વાત…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ૫૩ ધારાસભ્યોને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યુ છે કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની ભારે અછતને કારણે ખેતી અને પશુપાલન આધારિત ગ્રામીણ અર્થતંત્ર પર ગંભીર કટોકટી સર્જાઈ છે. પૂરતા પાણીના અભાવે ખેડૂતોના પાક નિષ્ફળ જઈ રહ્યા છે અને પશુઓ માટે ઘાસચારાની તીવ્ર અછત ઊભી થઈ છે, જેના કારણે ખેડૂતો, ખેતમજૂરો અને પશુપાલકોની આર્થિક સ્થિતિ દિન-પ્રતિદિન વધુ કથળી રહી છે. આવી વિકટ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક અસરથી સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર કરી સરકાર દ્વારા જરૂરી રાહત,સહાય અને વળતર પૂરું પાડવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. આ જ જનવેદના…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત દેશભરમાં હિંદુઓના પવિત્ર તહેવારોની થયેલી શરૂઆત અને એ તહેવારોને ધ્યાનમાં લઈને જાણીતા મોલોમાંથી કરાતી આંધળી ખરીદીને કારણે ક્યાંક તમારા સ્વાસ્થ્યને નુકશાન ન થાય.આ વાત એટલા માટે લખવી પડે છે કે આપણામાં કહેવત છે કે "નામ બડે , દર્શન ખોટે" અને એવું જ કંઈક મોટા જાણીતા મોલોમાંથી ખરીદી કરતાં ગ્રાહકો સાથે થઈ રહ્યું છે. ગ્રાહકોમાં એક એવી માનસિકતા હોય છે કે મોટા મોલમાંથી ખરીદી કરીએ એટલે ચીજ- વસ્તુઓ તાજી અને શુધ્ધ જ મળતી હોય છે. ગ્રાહકો આવા ભ્રમ માં કયારેય ના રહે હમણાં ના તાજા દાખલા છે કે જાણીતા મોલ પછી એ…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત. આપણા માં કહેવત છે કે "સુરત નું જમણ અને કાશીનું મરણ" એટલે સુરત ની મહેમાન ગતિ માણનારા સુરતી જમણ ના વખાણ કરતાં થાકતા નથી. પરંતુ હવે એ જ સુરત માં નકલી ઘી, પનીર, ચીઝ, દૂધ અને નકલી માખણની સાથે સાથે નકલી માવો પણ નકલીની યાદી માં જોડાઈ ગયો છે. ત્યારે અહી પ્રશ્ન એ ઉભો થાય છે કે સુરત નું SMC અને જિલ્લા પંચાયત નું આરોગ્ય ખાતું કરે છે શું ? શહેર માં બારે વર્ષે બાવો બોલ્યો એમ મ.ન.પા નું આરોગ્ય તંત્ર વાર તહેવારે અને કોઈ આરોગ્ય ને લગતી ઘટના બને છે.…
નેપાળમાં આવેલા ભયંકર પૂરે ચોતરફ વિનાશ વેર્યાે છે નેપાળ પૂર: સેનાએ બે બાળકોને ઉગારી માતા સાથે કરાવ્યું મિલન દેવીઘાટ નિવાસી અનીતાએ પોતાનું દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે તે જે દિવસે પૂર આવ્યું ત્યારે બંને બાળકો નદી પારની શાળાએ ગયા હતા નેપાળમાં આવેલા ભયંકર પૂરે ચોતરફ વિનાશ વેર્યાે છે, જ્યાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ કપરી સ્થિતિ વચ્ચે દેવીઘાટમાંથી એક ભાવુક અને આશા જગાવતી ઘટના જાેવા મળી છે. નેપાળમાં દિવસે દિવસે મૃતકોની સંખ્યા વધી રહી છે, જ્યારે રેસ્ક્યૂ ઓપરેશનમાં બચનારાની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી છે, ત્યારે તાજેતરમાં એક મહિલાને પોતાના બાળકો જીવતા મળ્યા…
ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું પીએમ મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા મુલાકાત દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની પ્રવર્તમાન પરિસ્થિતિ અને ક્ષેત્રમાં વધી રહેલા વિવાદ પર ચર્ચા કરી હતી ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે વિવાદ અને તંગદિલી વચ્ચે અમેરિકન વિદેશ મંત્રી માર્કાે રુબિયોએ વિશ્વના દેશોને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પર લાદવામાં આવેલા અમેરિકન પ્રતિબંધોમાંથી તેને બચાવવાનો પ્રયાસ કરનાર કે તેની સાથે વેપાર કરનાર કોઈ પણ દેશ પર ટ્રમ્પ પ્રશાસન કડક પ્રતિબંધો લગાવતા ખચકાશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે થયેલી તાજેતરની બેઠક બાદ આ નિવેદન સામે આવ્યું…
સૂરનો એક યુગ આથમી ગયો ગુજરાતી સંગીતના દિગ્ગજ ગૌરાંગ વ્યાસનું ૮૭ વર્ષેની વયે નિધન ૨૪ નવેમ્બર ૧૯૩૮ના રોજ જન્મેલા ગૌરાંગ વ્યાસને સંગીતનો વારસો ઘરમાંથી જ મળ્યો હતો ગુજરાતી ફિલ્મ જગત અને સુગમ સંગીતના આકાશમાંથી એક તેજસ્વી સૂર ખોવાઈ ગયો છે. ગુજરાતના જાણીતા સંગીતકાર, સ્વરનિયોજક અને ગાયક ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં મોડી રાત્રે નિધન થયું છે. તેઓ ૮૭ વર્ષના હતા. સંગીતકાર-ગીતકાર સ્વ. અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે પોતાના પિતાની સમૃદ્ધ સંગીત પરંપરાને આગળ વધારીને ગુજરાતી સંગીતને પોતાની આગવી ઓળખ આપી હતી.ગૌરાંગ વ્યાસનું અવસાન માત્ર એક કલાકારની વિદાય નથી, પરંતુ ગુજરાતી સંગીતની એક એવી પેઢીની વિદાય છે, જેણે ગીતને માત્ર મનોરંજન નહીં, પરંતુ…
દરેક માતા-પિતાએ શીખવું જાેઈએ! અભિનેત્રી કરીના કપૂરે બાળકોને બાળપણથી જ પાડી ૩ ટેવ હું મારા પુત્રોને કહું છું કે જાે રડવું આવતું હોય તો ખુલીને રડી લો. રડવું એ કોઈ પાપ નથી અને એવું ક્યાંય લખ્યું નથી કે છોકરાઓ રડી ન શકે : કરીના એક્ટ્રેસ કરીના કપૂરની દમદાર એક્ટિંગ પર ચાહકો ફીદા છે અને આજે પણ તે ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. એક્ટિંગ કરિયરની સાથે કરીના તેના બંને દીકરાનો ઉછેર પણ કરી રહી છે અને માતાનો રોલ પણ ખૂબ સારી રીતે નિભાવી રહી છે. તૈમૂર અને જેહ બાળપણથી જ લાઈમલાઈટનો હિસ્સો રહ્યા છે, પરંતુ કરીનાએ તેમને ક્યારેય કોઈ બાબતે અહંકાર કરવાની…
બે દાયકા બાદ ફિલ્મ થ્રી ઈડિયટ્સની સિકવલ આવશે! સ્ક્રિપ્ટ સારી લખાશે તો જ થ્રી ઈડિયટ્સની સીકવલ બનશે ફિલ્મના મૂળ કલાકારો આમિર ખાન, શર્મન જાેશી, આર માધવન તથા કરીના કપૂરને રીપિટ કરવાનો પણ સંકેત આપ્યો હતો બહુ સારી સ્ક્રિપ્ટ લખાશે તો જ ‘થ્રી ઇડિયટસ’ની સીકવલ બનશે તેમ રાજકુમાર હિરાણીએ સ્પષ્ટ જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે હજુ તો સ્ક્રિપ્ટ લખાય છે.તેમણે ફિલ્મના મૂળ કલાકારો આમિર ખાન, શર્મન જાેશી, આર માધવન તથા કરીના કપૂરને રીપિટ કરવાનો પણ સંકેત આપ્યો હતો.૬૩ વર્ષના રાજકુમાર હિરાણીએ જણાવ્યું હતું કે તેઓ તેમની ટીમ સાથે અન્ય એક સ્ટોરી પર કામ કરી રહ્યા હતા ત્યારે સમજાયું કે આ…
સાય ફાય સમુકનું હાલ યુકેમાં શૂટિંગ ચાલી રહ્યું છે અક્ષય કુમારની ફિલ્મ સમુકમાં બંગાળી હિરોઇન ઋકમણિ મૈત્રની એન્ટ્રી છેલ્લે ૨૦૧૪માં આવેલી ‘હોલીડે: એ સોલ્જર ઇઝ નેવર ઓફ્ફ ડયૂટી’માં બંને એ કોલબરેશન કર્યું હતું અક્ષય કુમારની સાયફાય ફિલ્મ ‘સમુક’નું શૂટિંગ હાલ યુકેમાં ચાલી રહ્યું છે. હવે આ ફિલ્મમાં હિરોઇન તરીકે બંગાળી અભિનેત્રી ઋકમણિ મૈત્ર જાેડાઇ રહી હોવાનું જાણવા મળ્યું છે.ઋકમણિ અગાઉ વિદ્યુત જામવાલની ફિલ્મ ‘સનક’થી બોલિવુડમાં ડેબ્યૂ કરી ચૂકી છે. આ ઉપરાંત ‘ક્રેક’ નામની ફિલ્મમાં પણ તેનો નાનો રોલ હતો.સામાન્ય રીતે સાઉથની હિરોઇન્સ હિન્દી ફિલ્મોમાં ટોચના હીરો સાથે કામ કરતી જાેવા મળે છે. હવે ઋકમણી ‘સમુક’માં ગોઠવાશે તો વધુ બંગાળી હિરોઇન્સની…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


