- સોમનાથમાં ઇતિહાસ રચાશે, ૧૧ તીર્થજળથી કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે
- પીએમ મોદી 10-11 મેે ગુજરાત પ્રવાસે, સોમનાથ મહોત્સવ અને વડોદરાના કાર્યક્રમોમાં આપશે હાજરી
- મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠી ફરજિયાત, પાયલોટ પ્રોજેક્ટમાં ૨૦ ટકા ડ્રાઈવરો નિષ્ફળ
- પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રથમ સરકાર, શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા
- ભારત-પાકિસ્તાન સંબંધોમાં નવો વળાંક, ત્રણ મહિનામાં બે ગુપ્ત બેઠકોની ચર્ચા
- મોતની અફવાઓથી નારાજ શક્તિ કપૂર, ખોટા સમાચાર ફેલાવનાર સામે કાનૂની કાર્યવાહી કરશે
- આંખોની સર્જરી બાદ અક્ષય કુમારે લીધો બ્રેક, અનીસ બઝ્મીની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ
- ૧૬૦૦ કરોડની ‘રામાયણ’માં યશે શરૂ કર્યું સીતાના સ્વયંવરનું ભવ્ય શૂટિંગ
Author: Garvi Gujarat
EVM મુદ્દે બબાલ બાદ TMC નો હુંકાર.‘ચૂંટણી પંચ અને ભાજપ જાણતા નથી કે કોનાથી ટક્કર લઈ રહ્યા છે’.ટીએમસી નેતાઓ અને કાર્યકર્તાઓએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સ્ટેડિયમ સ્થિત કાઉન્ટિંગ સેન્ટરની બહાર ધરણા શરૂ કરી દેતા હોબાળો.પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા બાદ રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. એક્ઝિટ પોલના પરિણામો જાહેર થયા પછી રાજ્યમાં ઠેર-ઠેર હિંસા અને ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે. ખાસ કરીને ભાજપના એક પોલિંગ એજન્ટના ઘર પર હુમલા અને મારપીટના આરોપો બાદ હવે તૃણમૂલ કોંગ્રેસ(TMC)એ EVM સાથે છેડછાડનો ગંભીર આરોપ લગાવી મોરચો ખોલ્યો છે.TMC નેતાઓ અને કાર્યકર્તાઓએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સ્ટેડિયમ સ્થિત કાઉન્ટિંગ સેન્ટરની…
આરવને ફિલ્મોમાં નથી આવવું, ફેશન ક્ષેત્રે કારકિર્દી ઘડી રહ્યો છ.અક્ષય કુમારનો પુત્ર આરવ ૪,૫૦૦ કમાય છે, પોતાનાં કામ જાતે કરે છે.અક્ષયે પુત્ર સાથેના ખાસ બોન્ડ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું કે પુત્ર ફિલ્મોથી દૂર ફેશનમાં પોતાની કારકિર્દી ઘડી રહ્યો છે.આરવને ફિલ્મોમાં નથી આવવું, ફેશન ક્ષેત્રે કારકિર્દી ઘડી રહ્યો છે. પુત્ર ૧૫ વર્ષની ઉંમરથી પરિવારથી દૂર રહીને બધું જાતે મેનેજ કરે છેઅક્ષયકુમાર પોતાના પુત્ર સાથે ખાસ સંબંધ ધરાવે છે. અક્ષયે પુત્ર સાથેના ખાસ બોન્ડ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું કે પુત્ર ફિલ્મોથી દૂર ફેશનમાં પોતાની કારકિર્દી ઘડી રહ્યો છે. તેને ફિલ્મોમાં નથી આવવું. અક્ષયે કહ્યું કે પુત્ર આરવ ૧૫…
રીલ બનાવવા બદલ ટ્રોલ થતાં અપીલ.પૈસાની જરૂર હોવાથી રીલ બનાવું છું, મજાક નહિ મદદ કરો: રાહુલ રોય.હું કમસેકમ અન્ય લોકોની મજાક ઉડાવવાને બદલે મહેનત કરીને પૈસા કમાવવાની કોશીશ કરી રહ્યો છું તે વાતની નોંધ લો.‘આશિકી’ની સફળતાથી રાતોરાત સ્ટાર બની ગયા બાદ જાેકે, ધારી સફળતા નહિ મેળવી શકેલો રાહુલ રોય હાલ એક કન્ટેન્ટ ક્રિએટર સાથે રીલ બનાવતો દેખાયા બાદ તેની આ હાલત સંદર્ભમાં તેને ભારે ટ્રોલ કરી મજાક ઉડાવાઈ હતી. હવે રાહુલ રોયે એક ભાવુક પોસ્ટ લખતાં કહ્યું છે કે અત્યારે મને પૈસાની જરુર છે એટલે હું રીલ બનાવું છે. મારી મજાક ઉડાવવાને બદલે કમસેકમ મને કામ અપાવવામાં મદદ કરો. તેની…
ઝોમ્બી થ્રિલરનું શૂટિંગ ઑગસ્ટ ૨૦૨૬માં શરૂ થવાની શક્યતા.રણવીર સિંહની ‘પ્રલય’ ફરી ટ્રેક પર, ઑગસ્ટમાં શૂટિંગ શરૂ થવાની શક્યતા.ફિલ્મનું બજેટ લગભગ ૩૦૦ કરોડ હોઈ શકે છે, જે તેને હિન્દી સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાં સ્થાન અપાવી શકે છે.રણવીર સિંહની આગામી ફિલ્મ પ્રલય અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે હવે નવા અહેવાલ આવી રહ્યા છે, જેનાથી સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે કે પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે ટ્રેક પર છે. તાજેતરના અહેવાલ મુજબ, આ ઝોમ્બી થ્રિલરનું શૂટિંગ ઑગસ્ટ ૨૦૨૬માં શરૂ થવાની શક્યતા છે.આ ફિલ્મને લઈને થોડા સમય પહેલાં ક્રિએટિવ ડિફરન્સિસ અને વિલંબની ચર્ચાઓ હતી, પરંતુ પ્રોડક્શન સાથે જાેડાયેલા સુત્રોએ આ બધું નકારી કાઢ્યું છે. સુત્રના જણાવ્યા…
28 એપ્રિલે U/A 16+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું.‘રાજા શિવાજી’ હિન્દી અને મરાઠી બંને વર્ઝનમાં અલગ સમયગાળા સાથે રિલીઝ થશે.હાલમાં પુણે ભારતનું સૌથી વધુ પ્રદર્શન કરતું સેન્ટર છે અને તે મુંબઈને પણ ટક્કર આપી રહ્યું છે, જે દુર્લભ ઘટના છે.રાજા શિવાજી ૧ મેના દિવસે રિલીઝ થાય છે અને આ ફિલ્મ પણ ધમાકેદાર શરૂઆત માટે તૈયાર લાગે છે, ખાસ કરીને તેનાં મરાઠી વર્ઝનમાં. રાજા શિવાજીએ ૨૯ એપ્રિલની સવારે ૮:૦૦ વાગ્યા સુધીમાં ૪૦,૦૦૦થી વધુ ટિકિટ વેચી દીધી હતી. મરાઠી વર્ઝનને સ્થાનિક ફલેવર, સ્ટાર કાસ્ટ અને યોગ્ય રિલીઝ સમયને કારણે વધુ લોકપ્રિયતા મળી રહી છે. ૧ મેના રોજ મહારાષ્ટ્ર ડે છે. તેથી ફિલ્મને રાજ્યમાં ત્રણ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત રાજયની સ્થાપના ૦૧ મે,૧૯૬૦ ના રોજ થયેલ છે. મહાગુજરાત આંદોલન ધ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાત રાજય છૂટા પડયા. મહાગુજરાત આંદોલન ચળવળમાં નેતા ઇન્દુલાલ યાજ્ઞિક ધ્વારા ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટા પડે તે માટે આંદોલન ચલાવવામાં આવી રહેલ હતું. અને તેમાં તેમણે ૧૯૬૦ ની ૧ મે એ સફળતા મળેલી. પરંમપૂજય રવિશંકર મહારાજના વરદ હસ્તે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે રાજયનો ઉદઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડો.જીવરાજ મહેતાએ રાજયની ધૂરા સંભાળેલી. ત્યારબાદ આવેલા તમામ મુખ્યમંત્રીઓ ધ્વારા આજદિન સુધી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રથમવાર સુરત શહેરના આંગણે સફાઈ કામદારોની વિશાળ હાજરીમાં ગુજરાત રાજયના…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. 30 એપ્રિલના રોજ જાહેર કરાયેલા ૨૦૨૬ ના વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત ૧૮૦ દેશોમાં ૧૫૭ માં ક્રમે છે. ૨૦૨૫ માં ભારત ૧૫૧ માં ક્રમે હતું. જે છ સ્થાન નીચે હતું. રિપોર્ટસ સાન્સ ફન્ટીઅર્સ (RSF) નામના પત્રકારત્વ નિરીક્ષક સંસ્થાએ જણાવ્યું હતું કે તેના સૂચકાંડમાં સમાવિષ્ટ તમામ ૧૮૦ દેશો અને પ્રદેશોનો સરેરાશ સ્કોર છેલ્લા ૨૫ વર્ષમાં ક્યારેય આટલો નીચે રહ્યો નથી. ઈન્ડેકસના ઇતિહાસમાં પહેલીવાર વિશ્વના અડધાથી વધુ દેશો હવે પ્રેસ સ્વતંત્રતાની “ગંભીર” અથવા “ખૂબ જ ગંભીર” શ્રેણીમાં આવે છે. નોર્વે, નેધરલેન્ડ્સ,એસ્ટોનિયા, ડેનમાર્ક અને સ્વીડન ઇન્ડેક્સમાં ટોચ પર છે. સઉદી અરેબિયા, ઈરાન, ચીન. ઉત્તર કોરિયા, અને એરિટ્રિયા તળિયે છે.…
मुंबई के प्रमुख शिक्षा संस्थान रायन इंटरनेशनल स्कूल, चेंबूर ने शैक्षणिक वर्ष 2025-26 के लिए आईसीएसई परीक्षा में अपने विद्यार्थियों की असाधारण उपलब्धियों की बदौलत शैक्षणिक उत्कृष्टता के नये प्रतिमान रचते हुए एक बार फ़िर से शानदार सफलता का परचम लहराया है। यह जानकारी देते हुए रायन इंटरनेशनल स्कूल की वरिष्ठ शिक्षिका तथा मुंबई की सुपरिचित साहित्यकार श्रीमती प्रमिला शर्मा ने बताया कि शैक्षणिक वर्ष 2025-26 की दसवीं कक्षा की बोर्ड परीक्षा में रायन इंटर नेशनल स्कूल, चेम्बूर का परीक्षा परिणाम शत प्रतिशत रहा है। परिणाम घोषित होने पर विद्यालय में समारोहपूर्वक ख़ुशियाँ मनाईं गईं। उन्होंने बताया कि रायन इंटरनेशनल…
મનપાની નિષ્ક્રિયતા સામે સવાલો પાંડેસરામાં મોબાઈલ ટાવર સામે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ માત્ર ૫૦ ફૂટના અંતરમાં પહેલાથી જ ત્રણ મોબાઈલ ટાવર કાર્યરત છે તેમ છતાં, વહીવટી તંત્ર કે કંપની દ્વારા ચોથું ટાવર ઉભું કરવાના પ્રયાસા સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના જલારામ નગરમાં મોબાઈલ ટાવર લગાવવાની કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. રહીશોનો મુખ્ય વિરોધ એ વાતને લઈને છે કે, માત્ર ૫૦ ફૂટના અંતરમાં પહેલાથી જ ત્રણ મોબાઈલ ટાવર કાર્યરત છે. તેમ છતાં, વહીવટી તંત્ર કે કંપની દ્વારા ચોથું ટાવર ઉભું કરવાના પ્રયાસો હાથ ધરાતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થાનિકોને ભય છે કે આટલા નજીકના…
ગુજરાતના હવામાન વિભાગની આગાહી.કાળઝાળ ગરમીથી મુક્તિ મળવાના હમણાં એંધાણ નથી.અમદાવાદમાં મુખ્યત્વે આકાશ સાફ રહેશે, મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી આસપાસ રહેવાની સંભવાના છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હવામાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ નથી, આ સાથે તાપમાનમાં પણ કોઈ મોટા ફેરફારો થવાની શક્યતાઓ નથી. જેમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતાઓ નથી. રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે અને તેની સ્થિતિ આગામી દિવસોમાં કેવી રહેશે તે અંગે પણ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસ દ્વારા વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં પાછલા કેટલાક દિવસોથી આકરી ગરમી પડી રહી હતી અને જેના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



