Author: garvigujrat

NEET-UG પેપર લીક વિવાદ પર અઠવાડિયાના રાજકીય અને જાહેર દબાણ સામે ઝૂકીને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા સતત ચાલી રહેલા અભિયાન બાદ આવ્યું છે, જેણે તેમની હકાલપટ્ટીને તેમના વિરોધ આંદોલનની મુખ્ય માંગ બનાવી હતી. રાજીનામા પત્રમાં પ્રધાને કહ્યું કે છેલ્લા દસ દિવસથી તેમને ખૂબ જ પરેશાન કર્યા છે, ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ક્યારેય વ્યક્તિગત પ્રતિષ્ઠા વિશે નથી. તેમણે કહ્યું કે તેઓ ભારતના યુવાનોને “મૂંઝવણના ચક્ર”માં ફસાવવા દેતા નથી અને તેઓ ઇચ્છતા નથી કે કોઈપણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ફસાઈ જાય. તેમણે વડા પ્રધાનના માર્ગદર્શન અને સમર્થન બદલ આભાર…

Read More

કેટલાક શેર અન્ય કરતા વહેલા બંધ થશે આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની ક્લોઝિંગ સિસ્ટમ બદલાઈ જશે ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ ધરાવતા કેશ સેગમેન્ટ સ્ટોક્સ પર ક્લોઝિંગ ઓક્શન સેશન લાગુ થશે નવી ક્લોઝિંગ ઓક્શન સિસ્ટમ લાગુ થવામાં લગભગ ૯ દિવસ બાકી છે. એક્સચેન્જાે આ ફેરફાર માટે તૈયારી કરી રહ્યા છે. આ માટે, તેઓએ ગયા સપ્તાહના અંતે મોક ટ્રેડિંગ (વર્ચ્યુઅલ મની સાથે વર્ચ્યુઅલ ટ્રેડિંગ) હાથ ાૃધર્યું હતું. આગામી અઠવાડિયામાં આવા વધુ ટ્રેડિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બ્રોકર્સ પરીક્ષણ માટે ભાગ લેશે.ક્લોઝિંગ ભાવને વાૃધુ પારદર્શક બનાવવા માટે, નવી સિસ્ટમ ૩ ઓગસ્ટથી લાગુ કરવામાં આવી રહી છે. ક્લોઝિંગ ઓક્શન સેશન ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ ાૃધરાવતા કેશ સેગમેન્ટ સ્ટોક્સ…

Read More

મધ્યપૂર્વમાં યુદ્ધનો વ્યાપ વધવાના મળતાં સંકેતો સાઉદીના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ અમેરિકા ઇરાનની સાથે હુથીઓનો પણ કસ કાઢવાની તૈયારીમાં : મધ્યપૂર્વમાં લશ્કર-સરંજામનો જંગી ખડકલો યમનના ઇરાન સમર્થિત બળવાખોરો હુથીઓએ સાઉદીના બે જહાજ પર હુમલો કરતાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ બરોબરના બગડયા છે. તેમણે જણાવ્યું હતું કે જાે હુથીઓએ હજી વધુ એક આવો હુમલો કર્યાે છે તો તેમને ખેદાનમેદાન કરી નાખીશું. ફક્ત નિવેદન જ નહીં ઇરાનની સાથે-સાથે હુથીઓને ખતમ કરવાની તૈયારી કરતાં હોય તેમ અમેરિકાએ મધ્યપૂર્વમાં વધુને વધુ સૈન્ય ખડકવા માંડયું છે.ટ્રમ્પ મધ્યપૂર્વમાં કાયમ માટે શાંતિ સ્થાપવા માટે ઇરાન અને હુથી બંનેને ખતમ કરી નાખવા માંગતા હોય…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે,આપણી બહુ સામાન્ય માંગણીઓ છે આપણને શું જોઈએ? આપણને બાળકો માટે સારું શિક્ષણ જોઈએ, યુવાનો માટે રોજગારી જોઈએ અને ખેતરમાં કે મહેનત કરીને પરિવારનું ભરણપોષણ કરી શકીએ તેવો સુરક્ષિત માહોલ જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ સાબિત કરી દીધું છે કે ગમે તે ભોગે, સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને અને અત્યાચાર કરીને પણ તેમને માત્ર ને માત્ર સત્તામાં બેસી રહેવું છે. આજે દિલ્હીના જંતર-મંતર પર બેઠેલા યુવાનોએ મોદીજીની કિડની નથી માંગી, તેમણે તો માત્ર શિક્ષણ વ્યવસ્થા સુધરે તે માટે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે. આ બહુ સામાન્ય માંગણી છે કે જો તમે…

Read More

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા અતિભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે ધોળકા, વિરમગામ અને ધંધુકા તાલુકામાં 600 મી.મી.થી વધુ વરસાદ નોંધાયો છે. જોકે આજે સવારે 8 વાગ્યા બાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો થતાં પરિસ્થિતિમાં આંશિક રાહત અનુભવાઈ રહી છે. છેલ્લા ચારથી પાંચ કલાક દરમિયાન ધોળકા તાલુકાના કેટલાક વિસ્તારો સિવાય અન્યત્ર નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. તેમણે જણાવ્યું કે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના સંકલિત પ્રયાસોથી સાવચેતીના ભાગરૂપે 430થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે પાણીના ભરાવમાં…

Read More

પેપર લીક મામલે મધ્યરાત્રિએ PM મોદીનો વીડિયો સંદેશ ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજા માટે કાયદો બનશે પેપર લીકની ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે માનસિક પીડા થાય છે : મોદી જંતર મંતર પર ચાલી રહેલા આંદોલન વચ્ચે પીએમ મોદીએ મોડી રાત્રે એક વીડિયો સંદેશ જાહેર કરીને પેપર લીક મામલે કડક વલણ અપનાવ્યું છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પેપર લીક એ કોઈ સામાન્ય બાબત નથી અને આ કૌભાંડમાં સામેલ લોકો સામે વધુ મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને એ પણ માહિતી આપી હતી કે પેપર લીક સામે વધુ…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને મુખ્ય પ્રદેશ પ્રવક્તા ડૉ. કરન બારોટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પોલ ખોલતા જણાવ્યું હતું કે, ઓલિમ્પિક્સ તો જ્યારે આવશે ત્યારે આવશે, પરંતુ એ પહેલાં જે લોકોને સ્વિમિંગ શીખવું હોય કે તરવાની સ્પર્ધામાં ભાગ લેવો હોય, તેમના માટે કોર્પોરેશન દ્વારા જોરદાર ‘સ્વિમિંગ પૂલ’ની તૈયારી કરી દેવામાં આવી છે! એવું મારું નહીં, પણ અમદાવાદના લોકોનું કહેવું છે. બોપલ જેવા પોશ વિસ્તારમાં, જ્યાં પહેલા ક્યારેય આટલું પાણી નહોતું ભરાતું, ત્યાં એક જ વરસાદમાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. આટ-આટલો ટેક્સ ચૂકવ્યા પછી પણ કોર્પોરેશન પ્રજાને શું આપી રહ્યું છે? પ્રી-મોન્સૂન કામગીરીઓ, સમીક્ષા બેઠકો અને કરોડના બજેટો…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ઉત્તરપ્રદેશના ગોંડામાં એક કરૂણ ઘટના સામે આવી છે. પોતાની સાસુના અંતિમ સંસ્કાર કરાવવા માટે નદી કાંઠે ગયેલા જમાઈને મગર તાણી જતા હાહાકાર સર્જાયો હતો. ગ્રેટર નોએડામાં રહેતો ૩૦ વર્ષનો દીપક તેની સાસુ ઉર્મિલા દેવીના અંતિમ સંસ્કાર માટે ગોંડા ગામ ગયો હતો. અગ્નિસંસ્કાર ઘાઘરા નદીના કાંઠે થઈ રહ્યા હતા. અગ્નિસંસ્કાર કરવા માટે દીપકે પહેલા ખાડો ખોધ્યો હતો અને પછી માટીવાળા હાથ ધોવા માટે ઘાઘરા નદીના પાણીમાં ગયો હતો. જો કે જેવો તેણે હાથ પાણીમાં નાંખ્યો કે અંદર ટાંપીને બેઠેલા મગરે સીધું દીપકનું માથું જ પોતાના જડબામાં દબાવીને તેને ઝડપથી ઊંડા પાણીમાં ખેંચી લીધો હતો. કિનારે ઉભેલા લોકો…

Read More

(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. આજના ભારતનો સૌથી મોટો પડકાર માત્ર બેરોજગારી જ નથી. વિશ્વાસનો અભાવ પણ એટલો જ ગંભીર છે. પરીક્ષાઓમાં પેપરલીક, ભરતી પ્રક્રિયામાં વિલંભ, સરકારી નોકરીઓમાં અનિશ્ચિતતા અને ખાનગી ક્ષેત્રમાં મર્યાદિત તકોના કારણે લાખો યુવાનો ભવિષ્ય અંગે અસુરક્ષિતતા અનુભવે છે. આવા સમયે સરકારનું પ્રથમ કર્તવ્ય વિશ્વાસ જગાવવાનું હોવું જોઈએ, ભય પેદા કરવાનું નહીં. સોનમ વાંગચુક જેવા સામાજિક કાર્યકરો હોય કે વિવિધ વિદ્યાર્થી સંગઠનો તેમની દરેક માંગણી સાથે સહમત થવું સરકાર માટે જરૂરી નથી. પરંતુ તેમની વાત સાંભળવી અને સંવાદ ધ્વારા ઉકેલ શોધવો લોકશાહીનું મૂળ તત્વ છે. અસહમતિને દેશદ્રોહ અથવા અસ્થિરતા સાથે જોડવાની વૃત્તિ લાંબા ગાળે લોકશાહીને નબળી…

Read More

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં મહાસભા અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારેલી બાદ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં લોકોએ જે દોઢ લાખ સિગ્નેચરો કરી હતી તેને કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, AAP નેતા યુવરાજસિંહ જાડેજા, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા સહિત AAPના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અને તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો લોકોએ સાબિતી આપી હતી કે તેઓ હર હંમેશ…

Read More