Author: Garvi Gujarat

વડોદરા મુલાકાતથી રાજકારણમાં ગરમાવો.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાત.રાહુલ ગાંધી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરવા ઉપરાંત આદિવાસી સમુદાયના સભ્યો સાથે ખાસ વાતચીત કરશે.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત પહેલા ગુજરાતની મુલાકાતે આવશે. આગામી ૨૩ માર્ચે રાહુલ ગાંધી ગુજરાતના વડોદરા પહોંચશે. આ દરમિયાન રાહુલ ગાંધી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરવા ઉપરાંત આદિવાસી સમુદાયના સભ્યો સાથે ખાસ વાતચીત કરશે. રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત થવામાં થોડા જ દિવસો બાકી છે, ત્યારે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. એવી અટકળો ચાલી રહી છે કે, રાજ્ય વિધાનસભાનું સત્ર ૨૫ માર્ચે પૂર્ણ થશે. આ પછી ૨૬ માર્ચે,…

Read More

સુખવિંદર સિંહ સુક્ખૂએ બજેટ દરમિયાન જાહેરાત કરી.મુખ્યમંત્રી, ધારાસભ્યો, જિલ્લાના ન્યાયાધીશો અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની જાહેરાત કરી.હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ બજેટ દરમિયાન મુખ્યમંત્રી, ધારાસભ્યો, જિલ્લાના ન્યાયાધીશો અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની જાહેરાત કરી છે. રાજ્યની ગંભીર આર્થિક સ્થિતિને ધ્યાને રાખી મુખ્યમંત્રીનો ૫૦ ટકા પગાર, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓનો ૩૦ ટકા, ધારાસભ્યોનો, ૨૦ ટકા અને સરકારી અધિકારીઓનો ૩૦ ટકા પગાર કામચલાઉ ધોરણે અટકાવી દેવાયો છે. સરકારે આગામી છ મહિના સુધી પૂરો પગાર આપવા પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત જિલ્લાના ન્યાયાધીશોનો ૩૦ ટકા પગાર અટાકીવ દેવાયો છે. મુખ્યમંત્રી સુક્ખુએ એવું પણ કહ્યું…

Read More

ખેડૂતોને વીઘે ૭૦,૦૦૦ના નુકસાનની ભીતિ.વડનગર તાલુકાના મલેકપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કાપણી માટે તૈયાર તમાકુ અને એરંડાના પાક પર કુદરતનો પ્રકોપસમગ્ર ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ઠેર ઠેર નુકસાની જાેવા મળી રહી છે, ખાસ કરીને ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા ૨ દિવસ દરમિયાન પડેલા વરસાદ અને તેજ પવન સાથેના વાવાઝોડાએ ખેડૂતો માટે મોટી આફત સર્જી છે. તમાકુ અને એરંડા જેવા મુખ્ય પાકોમાં નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તમાકુનો પાક છેલ્લા અઠવાડિયાથી કાપણી માટે તૈયાર હતો અને ઘણા ખેડૂતો કાપણી કરીને તેને સુકવવા માટે ખેતરમાં મૂકી ચૂક્યા હતા, જ્યારે હજુ કેટલાક ખેતરોમાં તમાકુ ઉભી…

Read More

યોગગુરૂ પ્રદીપના ગોરખધંધાનો પર્દાફાશ.લોકોને કેન્સર અને હાર્ટની બીમારીની સારવાર પણ આપતો આ યોગગુરૂ.એક સમયે હેર સલૂન ચલાવતો હતો પ્રદીપ જાેટંગિયા.ધર્મના નામે ગોરખધંધા કરતો યોગગુરૂ પ્રદીપ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ૨ કરોડની નકલી નોટ કેસમાં સુરતથી પોલીસે યોગગુરૂની ધરપકડ કરી છે. કામરેજના પારડી ખાતે યોગ ધામ બનાવી પ્રદીપે ગોરખધંધા શરૂ કર્યાં હતા. ધોરણ ૧૨ પાસ હોવા છતાં કેન્સર અને હાર્ટ બ્લોકેજ મટાડવાના દાવા તેના દ્વારા કરવામાં આવતા હતા. ત્યારે આજે અમે તમને યોગગુરૂ પ્રદીપ કોણ છે? તે વિશે સમગ્ર માહિતી આપીશું. યોગગુરૂ પ્રદીપ મૂળ રાજકોટનો છે. તેનું નામ પ્રદીપ જાેટંગિયા હતું. તેણે સુરતના કામરેજ પાસે ધોરણ-પારડી ગામમાં તાપી નદીના…

Read More

ગુજરાત ટાઇટન્સ સામે મોટી મુશ્કેલી.ટીમે શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયા અંગે ર્નિણય લેવો પડશે.ટીમે શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયા અંગે ર્નિણય લેવો પડશે.ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને કોચ સંજય બાંગર માને છે કે ટીમે શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયા અંગે મોટો ર્નિણય લેવો પડશે. સંજય બાંગરે કહ્યું કે ગુજરાત ટાઇટન્સને અગાઉ પસંદ કરેલા ખેલાડીઓમાં પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. ટીમ શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયા જેવા ખેલાડીઓ માટે પ્રતિબદ્ધ છે, જે ડેથ ઓવરમાં ઝડપથી સ્કોર કરી શકે છે. તેમણે કહ્યું કે જાે બંને ખેલાડીઓ પ્લેઇંગ ઇલેવનમાં રમે છે, તો તેમાંથી એકનો ઉપયોગ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે થઈ શકે છે. જાે આ ખેલાડીઓ…

Read More

KKRને વધુ એક મોટો ઝટકો. KKR ને વધુ એક મોટો ઝટકો.પથિરાણા હાલમાં ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. IPL 2026 શરૂ થાય તે પહેલાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા બાદ હવે શ્રીલંકાનો ફાસ્ટ બોલર મથેશા પથિરાણા સીઝનની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ ગયો છે. પથિરાણા હાલમાં ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે અને એપ્રિલના મધ્ય સુધીમાં જ ટીમમાં જાેડાઈ શકશે. KKRના મુખ્ય કોચ અભિષેક નાયરે પોતે આ પુષ્ટિ કરી છે. શ્રીલંકાના ઝડપી બોલર મથેશા પથિરાણાની ફિટનેસ અંગે અપડેટ આપતા કોલકાતા નાઈટ રાઈડર્સ મુખ્ય કોચ અભિષેક…

Read More

ભાડા વધારાની ચીમકી.ફ્લાઈટ ટિકિટ એકસ્ટ્રા ચાર્જ પર સરકારની રોકથી એરલાઈન્સ કંપનીઓ નારાજ.નવા નિયમો મુજબ હવે દરેક ફ્લાઈટમાં ૬૦% સીટો માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ વસૂલી શકાશે નહીં.જાે તમે અવારનવાર ફ્લાઈટમાં મુસાફરી કરો છો, તો તમારા ખિસ્સા પર સીધી અસર કરતા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ માટે નવા નિયમો જાહેર કર્યા છે. જે મુજબ હવે દરેક ફ્લાઈટમાં ૬૦% સીટો માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ વસૂલી શકાશે નહીં. જાેકે, ઇન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ જેવી મોટી કંપનીઓએ આ ર્નિણયનો સખત વિરોધ કર્યો છે. અત્યાર સુધી એરલાઇન્સ માત્ર ૨૦% સીટો જ ફ્રીમાં આપતી હતી, જ્યારે બાકીની ૮૦% સીટો ‘પ્રેફર્ડ…

Read More

આગ્રા-મથુરા હાઇવે બ્લોક.આગ્રા-મથુરા હાઇવે બ્લોક.ગૌરક્ષક ફરસા વાલે બાબાના મૃત્યુથી મથુરામાં અશાંતિ ફેલાઈ ગઈ : પોલીસ પર પથ્થરમારો કરાયો હતો.ઉત્તર પ્રદેશના મથુરામાં ગૌરક્ષક ફરસા વાલે બાબાના મૃત્યુ બાદ ભારે હોબાળો મચી ગયો. કોસી વિસ્તારમાં ગુસ્સે ભરાયેલા લોકો હાઇવે પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું, જેમાં પસાર થતા વાહનો પર પથ્થરમારો થયો હતો, જેના કારણે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. અહેવાલો અનુસાર, ગૌરક્ષક સંત ચંદ્રશેખર, જેમને ‘ફરસા વાલે બાબા‘ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમને શનિવારે સવારે લગભગ ૪ વાગ્યે ગાયની તસ્કરીની માહિતી મળી હતી. તેઓ પોતાની મોટરસાઇકલ…

Read More

મોંઘવારીની ચેતવણી આપતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી.સરકાર ભલે પરિસ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરી રહી હોય, પરંતુ સત્ય કંઈક બીજું જ છે.દરેક પરિવારના ખિસ્સા પર તેની સીધી અસર પડવાની નિશ્ચિત છે : ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલ, એલપીજીના ભાવ પણ વધારી દેવાશે : રાહુલ ગાંધી.અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. સતત રૂપિયાની હાલત ખરાબ થતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે મોંઘવારીને લઈને ચેતવણી આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક મોટી પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, સરકાર ભલે પરિસ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરી રહી હોય, પરંતુ સત્ય કંઈક બીજું…

Read More

મુંબઈ એરલિફ્ટ કરાયા; અન્ય ૨ ગુમ માલદીવ્સમાં સ્પીડબોટ પલટતા રેમન્ડના MD ગૌતમ સિંઘાનિયા ઈજાગ્રસ્ત થયાં ગૌતમ સિંઘાનિયા છેલ્લા કેટલાક સમયથી તેમના વ્યવસાય ઉપરાંત અંગત જીવનમાં આવેલા ઉતાર-ચઢાવને કારણે પણ સતત ચર્ચામાં રહ્યા છે. રેમન્ડ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયા માલદીવ્સમાં એક ભયાનક સ્પીડબોટ અકસ્માતનો ભોગ બન્યા છે. દરિયામાં બોટ પલટી જતાં સર્જાયેલી આ દુર્ઘટનામાં સિંઘાનિયા ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે એરલિફ્ટ કરીને મુંબઈ લાવવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આ અકસ્માત સમયે તેમની સાથે જાણીતા રેલી ડ્રાઈવર હરિ સિંહ અને અન્ય એક મિત્ર પણ બોટ પર સવાર હતા, જેઓ હાલ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. જાેકે, ગૌતમ સિંઘાનિયાના પ્રવક્તાએ…

Read More