- નીતિ આયોગના અહેવાલમાં દાવો: 10 વર્ષમાં 94 હજાર સરકારી શાળાઓ બંધ, શિક્ષણ પર ગંભીર ચિંતા
- રશિયન ઓઈલ ખરીદતા ભારત પર અમેરિકાના નવા બિલથી ભારે ટેરિફ અને પ્રતિબંધોનું જોખમ
- ન્યુઝીલેન્ડમાં મોદીએ 25-30 વર્ષ જૂનું ભેટમાં મળેલું મફલર યાદ કરી ભારતીયોને ભાવુક કર્યા
- E20 પેટ્રોલ વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, E10 વિકલ્પ, વીમા અને સ્પષ્ટ લેબલિંગની માંગ
- ચીને લોંગ માર્ચ-10A રોકેટ સમુદ્રમાંથી સફળતાપૂર્વક રિકવર કરી સ્પેસ ટેકનોલોજીમાં ઈતિહાસ રચ્યો
- ખાડીપૂર મુદ્દે PIL છતાં કાર્યવાહી નહીં, અધિકારીઓની બેદરકારીથી સુરતને નુકસાન: છગનલાલ મેવાડા
- સુરત પૂર મુદ્દે આપનો ભાજપ પર પ્રહાર, ‘ભાજપ સર્જિત હોનારત’ કહી બેદરકારી અને ભ્રષ્ટાચારના આરોપ
- શેખર સુમનના ભાગીદાર ધર્મેશ સાંગાણી પર ઈડીના દરોડા, વિદેશી સંપત્તિ અને ફોન ફેંક્યાનો આરોપ
Author: Garvi Gujarat
ફિલ્મની પ્રી-પ્રોડક્શન પ્રક્રિયા હાલ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહી છે રણવીર સિંહની ‘પ્રલય’નું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થશે ‘પ્રલય’ની વાર્તા વિનાશગ્રસ્ત મુંબઈમાં ફેલાયેલા ઝોમ્બી સંકટની વચ્ચે જીવ બચાવવા માટે સંઘર્ષ કરતા એક પરિણીત દંપતીની આસપાસ ફરે છે રણવીર સિંહની ફિલ્મ ‘પ્રલય’ અંગે તાજેતરના અહેવાલો મુજબ ફિલ્મનું શૂટિંગ હવે ઓગસ્ટને બદલે સપ્ટેમ્બર ૨૦૨૬થી શરૂ થશે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થવાનું છે, જ્યાં હાલમાં પ્રી-પ્રોડક્શનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.જય મહેતાના ર્નિદેશનમાં બની રહેલી ‘પ્રલય’ રણવીર સિંહના કારકિર્દીની સૌથી મહત્ત્વાકાંક્ષી ફિલ્મોમાંની એક માનવામાં આવી રહી છે. ફિલ્મમાં દર્શકોને પોસ્ટ-એપોકેલિપ્ટિક ઝોમ્બી થ્રિલરની અનોખી દુનિયા જાેવા મળશે, જે વિનાશગ્રસ્ત મુંબઈનાં બેકગ્રાઉન્ડ પર આધારિત હશે.અહેવાલો અનુસાર, રણવીર સિંહે આ…
રાજકુમાર રાવની બાયોપિક સફરની શરૂઆત ‘શાહિદ’ ફિલ્મથી થઈ હતી અભિનેતા રાજકુમાર રાવ બન્યો બોલિવૂડનો બાયોપિક સ્પેશિયાલિસ્ટ આગામી ફિલ્મો ‘દાદા’ અને ‘પ્રહાર’ સાથે તે બોલિવૂડનો એવો પહેલો એક્ટર બનવા જઈ રહ્યો છે, જેણે પડદા પર સાત વાસ્તવિક વ્યક્તિત્વોને જીવંત કર્યા છે બોલિવૂડમાં પોતાની વર્સેટાઇલ એક્ટિંગ માટે જાણીતા રાજકુમાર રાવે હવે વધુ એક અનોખી સિદ્ધિ પોતાના નામે કરી છે. આગામી ફિલ્મો ‘દાદા’ અને ‘પ્રહાર’ સાથે તે બોલિવૂડનો એવો પહેલો એક્ટર બનવા જઈ રહ્યો છે, જેણે પડદા પર સાત વાસ્તવિક વ્યક્તિત્વોને જીવંત કર્યા છે. ‘દાદા’માં તે ભારતીય ક્રિકેટના દિગ્ગજ સૌરવ ગાંગુલીની ભૂમિકા ભજવશે, જ્યારે ‘પ્રહાર’માં જાણીતા સરકારી વકીલ ઉજ્જ્વલ નિકમનું પાત્ર નિભાવી રહ્યો…
न्यूमरोलॉजी पर आधारित चित्रकला की नई विधा की शुरुआत करने वाली मशहूर चित्रकार सुश्री प्रणिता घोड़े की अनूठी कला प्रदर्शनी “ग्रह पूर्ति यन्त्रम” 2 जुलाई, 2026 से मुंबई में शुरू हुई, जो आगामी 5 जुलाई, 2026 तक सभी दर्शकों के निःशुल्क अवलोकनार्थ खुली रहेगी। प्रदर्शनी का उद्घाटन सुप्रसिद्ध समाज सेविका, वरिष्ठ साहित्यकार और लोढ़ा फाउंडेशन की अध्यक्षा श्रीमती मंजू लोढ़ा ने किया। इस चार दिवसीय प्रदर्शनी का उद्घाटन करते हुए श्रीमती मंजू लोढ़ा ने कहा कि कला जीवन में बड़े उद्देश्यों के लिए हमें प्रेरित करती है। यह जानकारी देते हुए मुंबई महानगर की प्रमुख सामाजिक एवं सांस्कृतिक संस्था और…
આજે રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે ગઈકાલે ડેડીયાપાડામાં સ્વયંભૂ હજારો લોકોએ ઉપસ્થિત રહીને ચૈતરભાઈ સાથે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. જેવો આદિવાસી સમાજ જાગૃત થયો અને સરકાર પર દબાણ આવ્યું એટલે ગઈકાલે સુખવંતીબેન વસાવાને જામીન મળ્યા. આ મુદ્દે ગઈકાલે હાઇકોર્ટના સરકારી વકીલે પોતે કહ્યું કે હર્ષ સંઘવી અને ભુપેન્દ્રભાઈ પટેલે સુચના આપી હતી કે સુખવંતીબેનની જામીન અરજીનો વિરોધ કરવો નહીં. આ ખૂબ જ ગંભીર બાબત છે. કારણ કે બંધારણ પ્રમાણે…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી હાલ ડેડિયાપાડાની મુલાકાતે છે. આ આદિવાસી વિસ્તારની ચિંતા કરતા તેમણે જણાવ્યું હતું કે, હું અત્યારે જ્યાં ઊભો છું તે ગુજરાતની બોર્ડર છે અને સામે દેખાય છે તે મહારાષ્ટ્રની બોર્ડર છે. આપણે અત્યારે ડેડિયાપાડાના સરહદી વિસ્તારમાં ઊભા છીએ. આજે મને અહીંથી જાણવા મળ્યું કે, જો અહીંના સ્થાનિકોને મહિને પંદરસોથી બે હજાર રૂપિયા મળી રહે, તો આ લોકોને રોજગારી માટે સ્થળાંતર કરવાની જરૂર ન પડે. તેમણે ઉમેર્યું કે, આપણી સામે જ મહારાષ્ટ્રનો વિસ્તાર આવે છે. તમે જોઈ શકો છો કે સામે જે ઘર દેખાય છે તે મહારાષ્ટ્રમાં છે. ત્યાં લાડકી બહેન/સરકારી યોજના અંતર્ગત મહિલાઓને મહિને…
ફિલ્મ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ વર્લ્ડ વાઇડ થિએટર્સમાં રિલીઝ થશે આયુષ્યમાન ખુરાનાની યશરાજ સાથેની ફિલ્મનું નામ ‘મુપાપા’ યશ રાજ ફિલ્મ્સ હેઠળ સીઈઓ અક્ષય વિધાની નવી સર્જનાત્મક ભાગીદારીઓ દ્વારા સ્ટુડિયોનું વિસ્તરણ કરી રહ્યા છે યશ રાજ ફિલ્મ્સ અને પોશમપા પિક્ચર્સના કોલબરેશનમાં બની રહેલી પહેલી થિયેટ્રિકલ ફિલ્મ ‘મુપાપા’ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આયુષ્માન ખુરાના લીડ રોલમાં જાેવા મળશે. આ ફિલ્મ ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ વર્લ્ડવાઇડ થિએટર્સમાં રિલીઝ થશે.યશ રાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય વિધવાની આ ફિલ્મના નિર્માતા છે. તેમની આગળની ફિલ્મ સૈયારા ભારતીય સિનેમાનાં ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી રોમેન્ટિક ફિલ્મ તરીકે નોંધાઈ હતી. ફિલ્મનું ડિરેક્શન સમીર સક્સેના કરી રહ્યા છે. નિર્માતાઓના…
સંકટમાં મિત્રની વહારે ભારત ભારતે પેટ્રોલ-ડીઝલ માટે તરસતાં રશિયાને જ ઈંધણ વેચી કરી મદદ ભારતે સમુદ્રી માર્ગે ૬૦,૦૦૦ મેટ્રિક ટન પેટ્રોલ મોકલ્યું ભારતે રશિયા સાથેની પોતાની વર્ષો જૂની દોસ્તીની ફરજ ફરી એકવાર નિભાવી છે. અગાઉ જ્યારે પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે મોટાભાગના દેશો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતા ડરતા હતા, ત્યારે ભારતે રેકોર્ડ સ્તરે રશિયન ઓઇલ ખરીદીને તેને આર્થિક ટેકો આપ્યો હતો. હવે ફરી એકવાર સંકટના સમયે ભારત રશિયાની વહારે આવ્યું છે. તફાવત માત્ર એટલો છે કે આ વખતે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી નથી રહ્યું, પરંતુ રશિયામાં સર્જાયેલી ઇંધણની તંગીને દૂર કરવા માટે અહીંથી ગેસોલિન એટલે કે પેટ્રોલની સપ્લાય…
ફાર્મા-ડિફેન્સ સેક્ટરમાં મહત્ત્વના કરાર મોદીએ જાપાનના પીએમને નાની બહેન કહીને આવકાર્યા જાપાનના વડાપ્રધાન સના તકાઈચી ભારતના પ્રવાસે છે, જ્યાં દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં બેઠક યોજાઈ હતી ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવા માટે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. જાપાનના વડાપ્રધાન સના તકાઈચી હાલમાં ભારતના પ્રવાસે છે, જ્યાં બંને દેશોએ ફાર્માસ્યુટિકલ, સંરક્ષણ (ડિફેન્સ), ટેકનોલોજી અને આર્થિક રોકાણ સહિતના અનેક મહત્ત્વના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા માટે સહમતી દર્શાવી છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાની પીએમ સના તકાઈચીને પોતાની “નાની બહેન” તરીકે સંબોધિત કરીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અલ્હાબાદ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકનમાં જણાવ્યું હતું કે, આરોપી દ્વારા તેમના વકીલને ધંધાકીય સેવાઓ માટે ચૂકવવામાં આવતી ફી ને "ગુનાની આવક" ગણી શકાય નહીં. કારણ કે ચુકવણી આરોપી પાસેથી થઈ હતી.જ્યાં સુધી વકીલ વ્યક્તિગત રીતે ગુનાહિત કૃત્યમાં સામેલ ન હોય, ત્યાં સુધી તેમની વ્યવસાયિક ફીને ગુનાની આવક તરીકે વર્ગીકૃત કરી શકાતી નથી. જસ્ટિસ જે.જે.મુનીર અને જસ્ટિસ અરુણ કુમારની બનેલી બેન્ચ ઉત્તર પ્રદેશ પોલીસના સાયબર સેલ દ્વારા વકીલ ના સમગ્ર બેંક ખાતાને ફ્રિઝ કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી.આ કેસમાં વકીલ આયુષ બાજપાઈએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે, સાયબર સેલે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. કલાને કોઈ સીમાડા નથી હોતા દિલ્હીના હાર્દ સમાન કનોટ પેલેસ નો અત્યંત ભાવુક કરી દેતો એક વિડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ કલાકાર રસ્તા ના કિનારે બેસીને વાંસળી વગાડતા જોવા મળે છે. તેમની મધુર ધૂન સાંભળીને ત્યાંથી પસાર થતા રાહદારીઓ મંત્રમુગ્ધ થઈને થોડીવાર માટે ત્યાં રોકાઈ જાય છે. આ વીડિયોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તેમની પાસે રાખેલું એક બોર્ડ બન્યું છે જેના પર લખેલા શબ્દોએ લાખો લોકોને ભાવુક કરી દીધા છે. તેમની પાસે રાખેલા બોર્ડ પર અંગ્રેજીમાં લખ્યું છે: I AM NOT A BEGGER, JUST WANT TO…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



