- રશિયા સામે EUના નવા પ્રતિબંધો પર નિર્ણય ટળ્યો, ભારતને હાલ વેપારમાં મળી રાહત
- યમનના સના એરપોર્ટ પાસે મિસાઈલ હુમલાનો દાવો, ઈરાની વિમાનને માર્ગ બદલવો પડ્યો
- સરહદ સુરક્ષા માટે ભારતનું મોટું પગલું, 15 હજાર કરોડથી હાઈ ઑલ્ટિટ્યુડ એરશિપ બનશે
- E20 વિવાદ વચ્ચે ગડકરીનો દાવો: સામાન્ય કાર માલિક પોતે સાચું માઇલેજ ચેક કરી શકતો નથી
- ગાઝામાં ઈઝરાયેલી હુમલામાં 9 વર્ષની બાળકી સહિત 5નાં મોત, સૈન્યએ હુમલાનો સ્વીકાર કર્યો
- સલમાન ખાનનો ‘કાઉબોય’ લુક સોશિયલ મીડિયા પર વાયરલ, ફેન્સ બોલ્યા – ‘ભાઈજાનનો અંદાજ સૌથી અલગ’
- માત્ર 13 વર્ષની ઉંમરે ફિલ્મ માટે પસંદ થઈ: સંજના સાંઘીનું નિવેદન, ‘આપણા સપનાઓ આપણાથી વધુ બહાદુર હોય છે’
- સલમાન ખાનની ‘માતૃભૂમિ’ 2027 સુધી ટળે તેવી શક્યતા, આવતા વર્ષે બે ફિલ્મો રિલીઝ થઈ શકે
Author: garvigujrat
Loksabha Election 2024: ગુજરાતની 25 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યની 25 લોકસભા બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 47.03 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામાં નોંધાયું છે. વલસાડ જિલ્લામાં 58 ટકા મતદાન નોંધાયું છે. રાજકોટમાં મતદાનને લઇ ભાજપને 50 ફરીયાદ મળી છે. ભાજપના લીગલ સેલ દ્વારા કલેકટર તંત્ર અને પોલીસ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. EVM મશીન ધીમા ચાલવાની ફરીયાદ મળી હતી. મતદાન મથકો પર વ્હીલચેરના અભાવની ફરીયાદ મળી હતી. મતદાતાઓના બેસવા માટે બાંકડાંઓના અભાવની ફરીયાદ પણ મળી હતી. અલગ-અલગ પ્રિ સાઈડિંગ ઓફિસર દ્વારા ઓળખપત્રને લઇ જુદુ અર્થઘટન થતું હોવાથી મતદાતાઓ મતથી વંચીત રહી…
Loksabha Election 2024: ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ધોમધખતા તાપ વચ્ચે પણ લોકો મતદાન કરી રહ્યા છે. ઘણી જગ્યાએ તો વરરાજા પણ મતદાન કરવા પહોંચ્યા છે. બપોરે ત્રણ વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે. હાલમાં તાજા આંકડા પ્રમાણે, રાજ્યની 25 લોકસભા બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 41 ટકા મતદાન થયું છે. તો બીજી તરફ મતદાન આ આ પર્વ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આણંદ ખંભાત વિધાનસભાના ધુવારણમાં મહિલાને હાર્ટ એટેક આવ્યો છે. મહિલાએ મતદાન કર્યુને મતદાન મથક ઉપર જ આવ્યો હાર્ટ એટેક આવ્યો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને પોલિંગ ઓફીસરોએ મહિલાનો જીવ બચાવવાનો…
Loksabha Election 2024: ગુજરાતની 25 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યની 25 લોકસભા બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 47.03 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામાં નોંધાયું છે. વલસાડ જિલ્લામાં 58 ટકા મતદાન નોંધાયું છે. આ ઉપરાંત 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે. જેમાં ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર બેઠકનો સમાવેશ થાય છે. રાજ્યની પાંચ વિધાનસભાની પેટાચૂંટણીમાં સરેરાશ 47 ટકા મતદાન થયું છે. વાઘોડિયા બેઠક પર સૌથી વધુ 52.76 ટકા, તો વિજાપુર બેઠક પર 50.53 ટકા, માણાવદરમાં સૌથી ઓછુ 40.09 ટકા મતદાન નોંધાયું છે. કઈ કઈ બેઠક પરથી કોણે આપ્યા…
Loksabha Election 2024: આજે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. એવામાં ભારે ગરમી વચ્ચે પણ મતદારો લાઈન લગાવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તો બીજી તરફ મતદાનમાં દિવ્યાંગજનોની સુગમતા માટે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંનિષ્ઠ પ્રયાસ કરવામા આવ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગજનોની સુવિધા માટે વિશેષ કાળજી કંટ્રોલરૂમ ખાતેથી સાઇન લેન્ગવેજના જાણકાર મહંમદ નઈમ પટેલ વિડીયો કોલ દ્વારા માર્ગદર્શન આપી રહ્યા છે. ૦૯-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારનો એક પણ લાયક મતદાર મત આપવાથી વંચિત ન રહે તે માટેની દરકાર કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને દિવ્યાંગ સહિત તમામ વર્ગના મતદારોની સુવિધા પર વિશેષ ધ્યાન આપવામાં…
loksabha election 2024: ગુજરાતમાં તમામ 25 બેઠકો પર લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજાઇ રહ્યું છે. બપોરે ત્રણ વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે. હાલમાં તાજા આંકડા પ્રમાણે, રાજ્યની 25 લોકસભા બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 47.03 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામાં નોંધાયું છે. વલસાડ જિલ્લામાં 58 ટકા મતદાન નોંધાયું છે. પોરબંદરમાં સરેરાશ 35 ટકા મતદાન નોંધાયું છે. બનાસકાંઠા જિલ્લામાં 3 વાગ્યા સુધીમાં સરેરાશ 55.74 ટકા મતદાન નોંધાયું છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચોધરી અને કૉંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વચ્ચે મુકાબલો છે. ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. બનાસકાંઠા…
Loksabha Election 2024: આજે (7 મે, 2024) ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે. સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. લોકશાહીના મહાપર્વને ઉજવવા માટે સામાન્ય નાગરિકોથી લઈને રાજનેતાઓ પણ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આનંદીબેન પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પરશોત્તમ રૂપાલાએ પણ મતદાન કર્યું હતું. તો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, લલિત વસોયા અને ગેનીબેન ઠાકોર સહિતના દિગ્ગજોએ પણ મતદાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં કર્યું મતદાન…
Loksabha Election 2024: ગુજરાતની 25 સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન અમરેલીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમરેલીમાં લોકસભા ચૂંટણીમાં 1 મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મોત થયું છે. જાફરાબાદ શહેરના સાગર શાળામાં ચૂંટણી ફરજ બજાવતા કૌશિકાબેન બાબરીયા અચાનક પડી ગયા હતા. જે બાદ ઇમરજન્સી 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરાતા કર્મચારીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. હાર્ટ એટેકના કારણે મહિલાકર્મીનું મોત થયાનું પ્રાથમિક અનુમાન છે. પંચમહાલના ગોધરામાં લગ્ન મંડપ છોડી વરરાજા મતદાન મથક પહોંચ્યા હતા. પીઠીની રસમ સાથે મતાધિકારની ફરજ નિભાવી…
Loksabha Election 2024: લોકસભાનું આજે ત્રીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. ગુજરાતની 25 બેઠકો પર પણ વોટિંગ થઈ રહ્યું છે. આ દરમિયાન પંચમહાલના ગોધરામાં લગ્ન મંડપ છોડી વરરાજા મતદાન મથક પહોંચ્યા હતા. પીઠીની રસમ સાથે મતાધિકારની ફરજ નિભાવી હતી. લગ્ન વિધી અધૂરી મુકી કાળઝાળ ગરમી વચ્ચે ઓટો રિક્ષામાં સવાર થઇ વરરાજા મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કર્યું હતું. ગોધરાના સ્મશાન રોડ વિસ્તારના ધવલ સોલંકી નામના યુવા વર રાજા પોતાના પરિવાર અને મિત્રો સાથે મતદાન મથક પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. રાજકોટમાં 107 વર્ષના દાદીએ મતદાન કરી પ્રેરણા પૂરી પાડી રાજકોટ દક્ષિણમાં ૧૦૭ વર્ષની ઉંમરે લાભુબેન નાનજીભાઇ તેરૈયા નામના વૃદ્ધાએ…
રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 30 ટકા મતદાન 11 વાગ્યા સુધીમાં રાજકોટ બેઠક પર 24.56 ટકા મતદાન જસદણ વિધાનસભા બેઠક પર સરેરાશ 22.93 ટકા મતદાન રાજકોટ પૂર્વ બેઠક પર સરેરાશ 22.51 ટકા મતદાન રાજકોટ ગ્રામ્ય બેઠક પર સરેરાશ 24.86 ટકા મતદાન રાજકોટ પશ્ચિમ બેઠક પર સરેરાશ 22.48 ટકા મતદાન ટંકારા વિધાનસભા વિસ્તારમાં 29.43 ટકા મતદાન વાંકાર વિધાનસભા વિસ્તારમાં 28.16 ટકા મતદાન 11 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર બેઠક પર 22.76 ટકા મતદાન ચોટીલા વિધાનસભા વિસ્તારમાં 23.78 ટકા મતદાન દસાડા વિધાનસભા વિસ્તારમાં 25.61 ટકા મતદાન ધંધુકા વિધાનસભા વિસ્તારમાં 20.58 ટકા મતદાન ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારમાં 21.58 ટકા મતદાન
Loksabha Election 2024: અમદાવાદમાં ભાજપના કોર્પોરેટર મતદારોને ધમકાવતા હોવાની કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસની ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાબુભાઈ પટેલે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. મણિનગરનાં બુથ નંબર 231 અને 232માં મતદારોને ધાકધમકી આપતા હોવાની ફરિયાદ થઈ છે. કોંગ્રેસે ફરિયાદમાં લખ્યું છે કે, 08- અમદાવાદ પશ્ચિમ લોકસભા બુથ નં. 231 અને 232 કે જે મણીનગર વિસ્તારમાં આવેલ છે. મણીનગર વિસ્તારના ભાજપના કોર્પોરેટર મતદારોને ધાક-ધમકી આપીને ભાજપના ઉમેદવારને મત આપવા માટે જણાવે છે. જેની આ ફરીયાદ આપીએ છીએ. ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાના મતદાનમાં તમામ 25 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે, આજે સવારે પ્રથમ 5 કલાકમાં મતદાનના આંકડા સામે આવ્યા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



