Author: garvigujrat

કે.એલ.રાહુલના નામે નોંધાયો અનોખો રેકોર્ડ કે.એલ. રાહુલે પોતાની ટેસ્ટ કારકિર્દીની ૧૨મી સદી પૂરી કરી ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ વખત બરાબર ૧૦૦ રન પર આઉટ થનાર કે.એલ. રાહુલ પ્રથમ ભારતીય બેટર બન્યો છે ક્રિકેટ જગતમાં હંડ્રેડ એન્ડ આઉટ વાક્ય ઘણું પ્રખ્યાત છે, જેનો અર્થ થાય છે કે બેટર સદી પૂરી કરીને તરત જ પોતાની વિકેટ ગુમાવી બેસે. પરંતુ હવે આ વાક્ય વૈશ્વિક સ્તરે ભારતીય સ્ટાર બેટર કે.એલ. રાહુલ સાથે જાેડાઈ ગયું છે. અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના પહેલા જ દિવસે રાહુલે એક એવો અનોખો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જે ટેસ્ટ ક્રિકેટના ૧૪૯ વર્ષથી વધુના ઇતિહાસમાં કોઈ પણ બેટર ક્યારેય બનાવી…

Read More

દિલ્હી અગ્નિકાંડમાં રસોઈયા ચોંકાવનારો ખુલાસો રસોડામાં ઇલેક્ટ્રિક સ્ટવ ચાલુ કર્યાની થોડી જ વારમાં આગ લાગી ગઈ હતી નેગીએ હોટલની મેન સ્વિચ બંધ કરી દીધી, તેણે ન તો હોટલ સ્ટાફ કે કર્મચારીઓને એલર્ટ કર્યા અને ન તો મહેમાનોને દિલ્હીના માલવીય નગર હોટલ અગ્નિકાંડની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસે હોટલના રસોઈયા (કૂક) કેશવ નેગીની ધરપકડ કરીને તેની આશરે ૬ કલાક સુધી પૂછપરછ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નેગીએ પૂછપરછમાં જણાવ્યું કે બુધવારે સવારે રસોડામાં ઇલેક્ટ્રિક સ્ટવ ચાલુ કર્યાની થોડી જ વારમાં આગ લાગી ગઈ હતી. સ્ટવમાં બ્લાસ્ટ થયો, જેના કારણે આગ ઝડપથી આખી ઇમારતમાં ફેલાઈ ગઈ. આગ અને…

Read More

સાત કલાક બાદ છોડ્યો ઈરાકના ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર ડિટેઈન કરી લીધો ઇરાકના સ્ટાર સ્ટ્રાઈકર આયમેન હુસૈનની અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી ફિફા વર્લ્ડ કપ પહેલા અમેરિકામાં એક નવો વિવાદ ફાટી નીકળ્યો છે. ઇરાકના સ્ટાર સ્ટ્રાઈકર આયમેન હુસૈનની અટકાયત કરવામાં આવી હતી અને લગભગ સાત કલાક સુધી એરપોર્ટ પર પૂછપરછ કરવામાં આવી હતી. આયમેન હુસૈન ઈરાનને મહત્વનો ફૂટબોલર છે અને તેના ગોલથી ઈરાન વર્લ્ડકપમાં સ્થાન મેળવી શક્યું હતું. તેને શનિવારે વહેલી સવારે શિકાગો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અટકાયતમાં લીધા બાદ આખરે અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. ઇરાકી રાષ્ટ્રીય ટીમના ફોટોગ્રાફર તલાલ સલાહને પણ ૧૦ કલાકથી વધુ…

Read More

બાળકો માટેની ખરીદીમાં વાલીઓ વ્યસ્ત ઉનાળાની ત્રાહિમામ ગરમી હોવા છતાં સોમવારથી નવું શૈક્ષણિક સત્ર શરૂ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સુકતા જાેવા મળી રહી છે વડોદરા શહેર-જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ૮ જૂન, સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઉનાળાના લાંબા વેકેશન બાદ ફરી એકવાર શાળાઓમાં બાળકોના હાસ્ય, કલરવ અને ઉત્સાહભર્યા અવાજાેથી સમગ્ર શાળા સંકુલો ગુંજી ઊઠશે. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સુકતા જાેવા મળી રહી છે. ગત કેટલાક દિવસોથી શહેરની સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. શાળાના વર્ગખંડોની સફાઈ, રંગરોગાન, પીવાના પાણીની વ્યવસ્થા, બેસવાની…

Read More

PMO સુધી ફરિયાદ કરાઈ કૈલાશ માન સરોવર જતાં યાત્રાળુઓએ ચીનના કોમન કિચનમાં જ ભોજન લેવું પડશે યાત્રાળુ દીઠ વધારાનો ૨૫ હજાર સુધીનો ચાર્જ વસૂલાશે નેપાળ માર્ગે પવિત્ર કૈલાશ માન સરોવરની યાત્રાએ જતાં ભારતીય શ્રદ્ધાળુઓ માટે ચિંતાજનક સમાચાર છે. હવે યાત્રાળુઓએ ચીન સરકારના કોમન કિચનમાં જ જમવું પડશે. કેન્દ્રીય રસોડું ફરજિયાત બનાવાતા શ્રદ્ધાળુઓમાં રોષ ભભૂક્યો છે. આ ઉપરાંત યાત્રાળુ દીઠ વધારાનો રૂ. ૨૫ હજાર સુધીનો ચાર્જ વસૂલવા નક્કી કરાયું છે. આ અંગે છેક વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદ કરવામાં આવી છે. પવિત્ર કૈલાશ માન સરોવર યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દર વર્ષે ગુજરાતમાંથી ૩થી ૪ હજાર જેટલા શ્રદ્ધાળુઓ પવિત્ર કૈલાશ માન સરોવર…

Read More

સૂર્યકુમારની EXIT અજિત અગરકરે જણાવ્યું કારણ સૂર્યકુમારનું હાલનું ફોર્મ પણ આ ર્નિણય પાછળનું એક કારણ છે શ્રેયસ વર્લ્ડ કપ ટીમમાં સામેલ થવાની ખૂબ નજીક હતો અને મારી નજરમાં કેપ્ટનશિપ માટે તે મજબૂત દાવેદાર હતો આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 સીરીઝની સાથે-સાથે એશિયન ગેમ્સ માટે આજે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ટીમોની કમાન સ્ટાર બેટર શ્રેયસ અય્યરને સોંપવામાં આવી છે, જ્યારે તિલક વર્માને ટીમનો વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમ સિલેક્શનમાં સૌથી મોટો ધમાકો ૧૫ વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને લઈને થયો છે, જેને પહેલીવાર સીનિયર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. બીજી તરફ, સૂર્યકુમાર યાદવ પાસેથી માત્ર T20…

Read More

અભિનેત્રીએ કહ્યું – અમે તમારી સાથે કોકરોચ જનતા પાર્ટીને અનેક બોલિવૂડ સેલેબ્સનું સમર્થન ડાયનાસોર ખતમ થઈ ગયા પણ કોકરોચ બચી ગયા, બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢાની પોસ્ટ વાઇરલ સોશિયલ મીડિયા પર અત્યંત લોકપ્રિય બનેલી કોકરોચ જનતા પાર્ટી દ્વારા આજે ૬ જૂનના રોજ દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે એક વિશાળ અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખા પ્રદર્શન માટે દિલ્હી પોલીસ તરફથી પણ મંજૂરી મળી ચૂકી છે. આ આંદોલન મુખ્યત્વે NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કરવામાં આવી રહ્યું છે. દેશના યુવાનો દ્વારા ચલાવવામાં આવી રહેલા આ અનોખા આંદોલનમાં હવે બોલિવૂડ સેલેબ્સ પણ કૂદી…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. કેરળ સ્થિત એક સંશોધન સંસ્થા “ફન્ટિયર્સ ઇન ફાર્માકોલોજી” એ ડો.એબી ફિલિપ્સ અને સાત અન્ય ડોક્ટરોની ટીમના નેતૃત્વમાં એક અભ્યાસ હાથ ધર્યો. ડો. ફિલિપ્સ કેરળના કોચીમાં રાજગીરી હોસ્પિટલ સાથે જોડાયેલા છે અને સોશિયલ મીડિયા પર “લીવર ડોક્ટર” તરીકે વ્યાપકપણે જાણીતા છે. શું સસ્તી જેનરિક દવાઓ ખરેખર મોંઘી બ્રાન્ડેડ દવાઓ જેટલી જ અસરકારક છે? આ એક એવો પ્રશ્ન છે કે જે લાંબા સમયથી ફક્ત દર્દીઓને જ નહીં પરંતુ ઘણા ડોક્ટરોને પણ પરેશાન કરે છે. એક સામાન્ય ધારણા એવી છે કે ઓછી કિંમત ઓછી ગુણવત્તા દર્શાવે છે. ભારત જેવા દેશમાં આ શંકા ખાસ કરીને મહત્વપૂર્ણ છે. કારણકે આરોગ્ય સંભાળ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશભરમાં મહિલા સુરક્ષા સામે જ્યારે સવાલો પેદા થઈ રહ્યા છે ત્યારે મહિલા સુરક્ષા અંગે રેલવે પોલીસ કેટલી નિષ્ક્રિય રહી હતી એવો એક બનાવ જેમાં મુંબઈની લોકલ ટ્રેનમાં લેડીઝ કોચમાં શનિવારે એક યુવક ચડીને દાદાગીરી કરતો જોવા મળ્યો હતો. જ્યારે લેડીઝ કોચમાં ચડેલા યુવકનો મહિલાઓએ વિરોધ કરીને તેને કોચમાંથી ઉતરી જવાનું કહેતા માથા ફરેલ યુવકે રીતસર ના પાડી દીધી હતી અને મહિલા પેસેન્જરો સાથે ઉદ્ધતાઈપૂર્વક વાતો કરી હતી. મહિલાઓ સાથે વાદવિવાદ કરતા યુવકનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં મહિલાઓ તેને કોચમાંથી ઉતરવાનું કહેતી હોવાનું સાંભળી શકાય છે. વીડિયોમાં મહિલાઓ સૌથી પહેલા તો યુવકને…

Read More

યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના વૈજ્ઞાનિકોનું સંશોધન પહેલી વખત એઆઈની મદદથી વેક્સિન બનાવાઈ : મહામારીઓ સામે કવચ વાયરસના તમામ પ્રકારના વેરિએન્ટ્સ સામે લડી શકે છે વૈજ્ઞાનિકોએ ખાસ સુપર એન્ટિજન તૈયાર કર્યું બ્રિટનની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી નવા પ્રકારની વેક્સિન ડેવલપ કરી છે. આ વેક્સિન હાલના કોરોના વાયરસ જ નહીં પરંતુ, ભવિષ્યમાં ફેલાઈ શકે તેવા નવા વાયરસો સામે રક્ષણ આપી શકે છે. આ પહેલી વખત છે જ્યારે, વેક્સિનનો મુખ્ય ભાગ સંપૂર્ણપણે એઆઈ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો હોય અને ત્યારબાદ તેનું માણસો પર પરીક્ષણ કરવામાં આવ્યું હોય. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ વેક્સિન કોરોના વાયરસના તમામ વેરિએન્ટ્સ સામે લડી શકે છે. આ…

Read More