
- છોટા ઉદેપુરમાં ડામર ભાવવધારા કારણે રૂ. ૨૦૦ કરોડના રોડ કામો અટકાવવાના ખતરા
- અમદાવાદમાં સાઇબર ક્રાઇમ: વોટ્સઅપ પરથી જાેખમી APK ફાઈલ ડાઉનલોડ, ૧૦.૭૦ લાખ રૂપિયાની છેતરપિંડી
- અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી ૫૫૩ ગ્રામ સોનું જપ્ત, કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડ
- બંગાળ ચૂંટણીમાં ફોર્મ-૬ વિવાદ: ટીએમસી-ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે હિંસક મારામારી, પોલીસ કસ્ટડીમાં લઇ ગઈ
- એર ઇન્ડિયા ફ્લાઇટમાં ધુમાડો, કટોકટી જાહેર, લખનૌમાં સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ
- ભારતમાં ચીનની હિકવિઝન, ડેહુઆ, ટીપી લિંક સીસીટીવીના વેચાણ પર સર્ટિફિકેટ અભાવે ૧લી એપ્રિલથી પ્રતિબંધ
- અમેરિકાએ ઈસ્ફહાન પર ૨૦૦૦ પાઉન્ડ બંકર-બસ્ટર બોમ્બથી હુમલો, ઈરાનની પરમાણુ સુવિધાઓ નષ્ટ
- ઈઝરાયલી દૂતે પાકિસ્તાનને નિષ્ફળ મધ્યસ્થ ઠેરવી ભારતને વધુ યોગ્ય ગણાવ્યો, યુદ્ધમાં સમર્થન અપાયું
Author: Garvi Gujarat
રખડતા શ્વાનોના આતંક હવે નહીં ચાલે.સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો અને શ્વાન પ્રેમીઓને લીધા આડેહાથ.જાે શ્વાન કરડવાથી કોઈનું મોત થશે અથવા કોઈ ઇજાગ્રસ્ત થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે અને સરકારે ભારે વળતર ચૂકવવું પડશે. દેશમાં રખડતા શ્વાનોના વધતા આતંક અને હુમલાની ઘટનાઓ પર Supreme Court એ આજે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જાે શ્વાન કરડવાથી કોઈનું મોત થશે અથવા કોઈ ઇજાગ્રસ્ત થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે અને સરકારે ભારે વળતર ચૂકવવું પડશે.જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, જે લોકો રસ્તા…
એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝીબીશનમાં ભાગ લઈ રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને વેગ આપવા માટે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવી રહેલા પ્રયાસોની એવી ઝલક AAIના પેવેલિયનમાં મૂકવામાં આવી છે. યુવાપેઢી ભારતના એવિએશન ક્ષેત્રથી માહિતગાર થાય તેમ જ તેમાં રૂચી ધરાવતી થાય તે માટે ખાસ એવિએશનમાં કારકિર્દી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ કરી રહ્યો છે. ખાસ કરીને એવિએશન ક્ષેત્રમાં જ્યાં 2014માં માત્ર 74 એરપોર્ટ કાર્યરત હતા…
સરકારે નિયમ કડક કર્યાં.ગુજરાતમાં ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો ઝડપાયા તો ૩૦ દિવસ સુધી નહીં છૂટે.એક વખત વાહન ઝડપાય તો એક મહિના સુધી તે છૂટી નહીં શકે તેમજ ત્રણ વખત ઝડપાશે તો વાહન સરકાર હસ્તક લેવાનો ર્નિણય લેવાયો.રાજ્યભરમાં ખનિજનું ગેરકાયદે અથવા ઓવરલોડ વહન કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. એક વખત વાહન ઝડપાય તો એક મહિના સુધી તે છૂટી નહીં શકે તેમજ ત્રણ વખત ઝડપાશે તો વાહન સરકાર હસ્તક લેવાનો ર્નિણય લેવાયો છે.વર્ષે ૨૦૨૫ પૂર્ણ થતાની સાથે નવુ વર્ષ ૨૦૨૬ બેસતાં જ પહેલા અઠવાડિયામાં ખનિજ વિભાગ દ્વારા મહત્ત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી એમ હતું…
નાગરિકોને તાત્કાલિક દેશ છોડવા આદેશ.ઈરાન પર અમેરિકાની આર્થિક સર્જિકલ સ્ટ્રાઈક વેપાર પર ૨૫ ટકા ટેક્સ લાદવાની જાહેરાત.ઈરાન છેલ્લા કેટલાય અઠવાડિયાથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોની લપેટમાં છે. આ વિરોધ પ્રદર્શનો ૨૮ ડિસેમ્બરના રોજ વધતી જતી મોંઘવારીને કારણે શરૂ થયા હતા.ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે ઈમરજન્સી એલર્ટ જાહેર કરીને તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા કહ્યું છે. ઈરાનમાં છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલા ભીષણ વિરોધ પ્રદર્શન બાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૫૦૦થી વધારે લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઈરાન સાથે વેપાર કરતા દેશો પર ૨૫ ટકા ટેક્સ લાદવાની જાહેરાત કરી…
રાની મુખર્જીના બોલિવૂડમાં ૩૦ વર્ષ પૂરાં.યશ રાજ ફિલ્મ્સે ‘મર્દાની-૩’નું ટ્રેલર લોન્ચ કર્યું.આ ફિલ્મમાં રાની મુખર્જી એટલે કે શિવાની શિવાજી રોય ગુમ થયેલી યુવતીઓને શોધવા માટે જાનની બાજી લગાવી દેશે.ભારતીય સિનેમાની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક એવી રાની મુખર્જીએ બોલિવૂડમાં ૩૦ વર્ષ પૂરા કર્યા છે. આ ખાસ અવસરને યાદગાર બનાવતા યશ રાજ ફિલ્મ્સ દ્વારા તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મર્દાની ૩’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ત્રણ દાયકાની આ સફર બાદ રાની ફરી એકવાર નિડર પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોયના પાવરફુલ અવતારમાં પડદા પર જાેવા મળશે. આ ફિલ્મમાં રાની મુખર્જી એટલે કે શિવાની શિવાજી રોય ગુમ થયેલી યુવતીઓને શોધવા માટે જાનની બાજી લગાવી દેશે.…
પ્રિયંકા આ કાર્યક્રમમાં પ્રેઝન્ટર તરીકે જાેડાઈ છે.ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડમાં છવાઈ દેશી ગર્લ પ્રિયંકા ચોપરા.પ્રિયંકા ટૂંક સમયમાં ફિલ્મ “ધ બ્લફ” માં જાેવા મળશે, જે ફિલ્મ ૨૫ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે.પ્રિયંકા ચોપરા, જે ૨૦૨૬ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ રેડ કાર્પેટ પર તેના પતિ નિક જાેનાસ સાથે સ્ટાઇલિશ રીતે જાેવા મળી હતી, તેણે ચાહકોને તેની આગામી ફિલ્મ “ધ બ્લફ” ની ઝલક પણ આપી. તેના નવીનતમ પ્રોજેક્ટ વિશે એક મુલાકાતમાં, દેસી ગર્લે તેની આગામી ફિલ્મની રિલીઝ તારીખની પુષ્ટિ જ નહીં, પરંતુ ફિલ્મની વાર્તા અને અન્ય વિગતો પણ જાહેર કરી. જાે કે, ૨૦૨૬ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ રેડ કાર્પેટ પર પ્રવેશ કરતી વખતે બધાની નજર પ્રિયંકા…
‘બોર્ડર ૨’ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ રિલીઝ થશ.લોંગેવાલા અને જેસલમેર બાદ ‘બોર્ડર ૨’ હવે અમૃતસર પહોંચશે.‘ઘર કબ આઓગે’ પછી ‘જાતે હુએ લમ્હોં’ ગીતને મેગા આર્મી ઇવેન્ટ સાથે થશે લોન્ચ કરાશે.‘બોર્ડર ૨’ના મેકર્સ તેમનાં મ્યુઝિક લોન્ચને હવે નેશનલ ઇમોશનલ ઇવેન્ટનું સ્વરૂપ આપી રહ્યાં છે. લૌગેવાલા–જેસલમેરમાં ‘ઘર કબ આઓગે’ ગીતનાં ભવ્ય અને હૃદયસ્પર્શી લોંચ બાદ હવે ટીમ આગામી મેગા ઇવેન્ટ માટે અમૃતસરનાં ખસા વિસ્તારમાં પહોંચી રહી છે, જ્યાં ‘જાતે હુએ લમ્હોં – એ સોલફુલ રેન્ડિશન’ ગીતનું ભવ્ય લોન્ચ કરવામાં આવશે. સંદેસે આતે હૈ ગીતન નવા વર્ઝને અમુક કલાકોરમાં જ વ્યુઅરશિપના રેકોર્ડ તોડી નાંખ્યા હતા. લૌગેવાલા પોસ્ટ પર બીએસએફના જવાનોની હાજરીમાં ‘ઘર કબ…
ઇન્ટરવ્યુમાં ગુલઝારે બાળકો માટે લખવાના પોતાના પ્રેમની વાત કરી.ગુલઝાર ફરી એક વખત બાળકો માટે ગીત લખશે.મેઘના ગુલઝારની ‘દાયરા’ ફિલ્મમાં કરીના કપૂર ખાન અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે.હિન્દી સિનેમાના દિગ્ગજ કવિ અને ગીતકાર ગુલઝાર ફરી એકવાર બાળકો માટે લખાણ તરફ વળ્યા છે. લાંબા સમય બાદ તેઓ એક બાળકોની ફિલ્મ માટે ગીતો લખી રહ્યા છે, જે વાત તેમના ચાહકો માટે ખુશખબર સમાન છે.બાળકો માટે લખાણ અંગે ગુલઝારે પોતાના પ્રેમની વાત કરતાં જણાવ્યું કે, બાળકોની દુનિયા નિર્દાેષતા, કલ્પનાશક્તિ અને સહજ આનંદથી ભરપૂર હોય છે. આવા વિષયો પર લખવું માત્ર સર્જનાત્મક અનુભવ નથી, પરંતુ તેમને પોતાને ફરી બાળક બનવાની તક પણ આપે…
ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપમાં વડોદરાના ૪ ખેલાડીઓએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા.ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોનલ કરાટે ચેમ્પિયનશિપ–૨૦૨૫માં વડોદરા સહિત ગુજરાતના યુવા કરાટે ફાઈટર્સે શાનદાર પ્રદર્શન કર્યુ.દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે તા. ૧ અને ૨ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાયેલી ચોથી ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોનલ કરાટે ચેમ્પિયનશિપ–૨૦૨૫માં વડોદરા સહિત ગુજરાતના યુવા કરાટે ફાઈટર્સે શાનદાર પ્રદર્શન કરીને રાજ્યનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે. આ રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપનું આયોજન કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભારતના નૉર્થ, સાઉથ, ઇસ્ટ, વેસ્ટ અને નૉર્થ–ઇસ્ટ ઝોનમાંથી ઝોનલ સ્તરે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતેલા શ્રેષ્ઠ ખેલાડીઓએ ભાગ લીધો હતો. દેશભરના ટોચના ફાઈટર્સ વચ્ચે થયેલી આ ચેમ્પિયનશિપ…
પ્રદૂષણથી આરોગ્ય સમસ્યાઓની તકલીફ વધી.બાવળાના મેમર ગામમાં ગ્રોથપાથ પેટ્રોકેમ કંપનીના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ.ગ્રોથપાથ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના ૨૦૨૧માં કરવામાં આવી હતી અને તેનું રજિસ્ટર્ડ એડ્રેસ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં છે.અમદાવાદના બાવળા તાલુકામાં આવેલા મેમર ગામમાં ઔદ્યોગિક પ્રદૂષણના કારણે ગ્રામજનોનું જીવન અત્યંત કષ્ટમય બની ગયું છે. ગામની નજીકમાં જ કાર્યરત ગ્રોથપાથ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડકંપની દ્વારા ફેલાવાતા અતિશય અવાજ અને વાયુ પ્રદૂષણ સ્થાનિક લોકો, બાળકો અને પશુઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ કંપની, જે અનાજ આધારિત ઇથેનોલ પ્લાન્ટ તરીકે કાર્યરત છે, તેને ૨૦૨૨માં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય તરફથી મંજૂરી મળી હતી, પરંતુ હવે ગ્રામજનોના આરોપ છે કે કંપની પર્યાવરણીય નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



