- ઈરાનની અમેરિકાને ધમકી, યુરોપમાં અમેરિકન લશ્કરી ઠેકાણાં પર હુમલાની તૈયારી
- પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ, હાઈ કમિશન બહાર ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર
- એફિલ ટાવરથી પણ ઊંચા ચિનાબ બ્રિજ પર 100 કિમીની ઝડપે દોડી વંદે ભારત
- ભાવનગર લઠ્ઠાકાંડ પર કેજરીવાલનો સરકાર પર પ્રહાર, કહ્યું- ગુજરાતને ગેરકાયદે દારૂનું કેન્દ્ર બનાવ્યું
- લઠ્ઠાકાંડ મુદ્દે ગોપાલ ઈટાલિયાનો સરકાર પર આકરો પ્રહાર, કહ્યું- જનતાને પાઠ ભણાવવો પડશે
- તહેવારો પહેલાં ખાંડના ભાવ વધતાં સરકારનો મોટો નિર્ણય, સ્ટોક લિમિટ અડધી કરાઈ
- રિયલ એસ્ટેટમાં બિગ બીનો મોટો ધમાકો, પ્રોપર્ટી ભાડે આપી દર મહિને કમાશે ₹33 લાખ
- જવાબ સંતોષકારક ન મળ્યો તો શાહરુખ, અજય અને ટાઈગરને ૧૦ લાખ સુધીનો દંડ
Author: garvigujrat
National News: એક દેશ, એક ચૂંટણી પર રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 18 હજારથી વધુ પાનાનો પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. ભારત સરકારે એક દેશ, એક ચૂંટણી પર એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. . સમિતિના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. તેના સભ્યોમાં ગૃહ પ્રધાન અમિત શાહ, રાજ્યસભામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદ, ભૂતપૂર્વ નાણાં પંચના અધ્યક્ષ એનકે સિંહ, લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપ, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને ભૂતપૂર્વ મુખ્ય તકેદારી કમિશનર સંજય કોઠારી છે. એક દેશ, એક ચૂંટણીનો સરળ શબ્દોમાં અર્થ એ છે કે તમામ ભારતીય મતદારો…
Gujarat News: આગવી હેરિટેજ વડોદરાની ઓળખ પુનઃપ્રસ્થાપિત કરવા ટીમ વડોદરાના પ્રણેતા વિધાનસભાના દંડકે પ્રયત્ન શરૂ કર્યા છે જેના ભાગરૂપે પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંગેની દરખાસ્ત ટૂંક સમયમાં સ્થાયી સમિતિમાં રજૂ થશે તેમ જાણવા મળે છે. વડોદરાના સુરસાગર થી લઈને ચાર દરવાજા વિસ્તારની આગવી ઓળખ હતી વડોદરાના સુરસાગર થી લઈને ચાર દરવાજા વિસ્તારની આગવી ઓળખ હતી અને હેરિટેજ વડોદરાની પુનઃઓળખ થાય તે માટે તજજ્ઞોની સાથે પરીસંવાદ યોજીને વિધાનસભાના દંડક બાળુ શુક્લ અને તજજ્ઞોએ હેરીટેજ વોક કરીને સમગ્ર પ્રોજેક્ટની ચર્ચા કરી હતી. જેમાં નડતરરૂપ વર્ષો જૂની જર્જરીત થઈ ગયેલી પદ્માવતી શોપિંગ સેન્ટર હટાવવામાં આવે તેવા સૂચનો…
Gujarat News: અમદાવાદમાં ઘર ખરીદવું તે દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ સામાન્ય વર્ગના લોકો માટે આ સપનું અધૂરૂં રહી જાય છે. આ દરમિયાન અમદાવાદમાં રહેતા અને પોતાનું ઘર ન હોય તેવા લોકો માટે સારા સમાચાર છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ઈડબલ્યુએસ પ્રકારના આવાસ માટે અરજી મંગાવવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના આ વિસ્તારોમાં 1055 આવાસ બનાવાશે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા લોકો માટે ઈબલ્યુએસ-2 કેટેગરીમાં નરોડા મુઠીયા, હંસપુરા, ગોતા વિસ્તારમાં 1055 આવાસ બનાવાશે. EWS-2 કેટેગરીના આ મકાનો માટે 15મી માર્ચથી 13મી મે 2024 સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવા માટે અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ…
Gujarat News: સ્વચ્છતામાં દેશમાં પહેલો નંબર આવેલા સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ગંદકીના કારણે શહેરીજનોની હાલત કફોડી થઈ રહી છે. શહેરના વેસુ વિસ્તારમાં પાલિકાના જોગર્સ પાર્કમાં પાળેલા કુતરાનો ત્રાસ છે આ ઉપરાંત જાહેરમાં શૌચક્રિયા મુક્ત શહેર હોવા છતાં આ વિસ્તારમાં ફુટપાથ પર રહેતા લોકો જોગર્સ પાર્કમાં શૌચક્રિયા કરી રહ્યા હોવાની ગંભીર ફરિયાદ છે. આ જોગર્સ પાર્કનો ઉપયોગ 34 થી વધુ સિનિયર સિટીઝન્સ ભેગા થતા હોય તેઓ દ્વારા પાલિકાને આ ગંભીર ફરિયાદ કરીને આ સમસ્યા દુર કરવા માટેની માગણી કરી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર ઇન્દોર સાથે પહેલા નંબર પર આવી ગઈ છે સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર ઇન્દોર સાથે પહેલા નંબર પર…
Gujarat News: વડોદરા મકરપુરા વિસ્તારમાં સંસ્કાર ટેનામેન્ટમાં રહેતો પરિવાર મહેસાણા લગ્ન પ્રસંગમાં ગયો હતો. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું અને તિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડા 35 હજાર મળી 1.31 લાખની મતાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જેથી યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. અમારા મકાનના દરવાજાને લોક મારી મહેસાણા ખાતે લગ્ન પ્રસંગમા ગયા હતા શહેરના મકરપુરા ડેપોની પાછળ આવેલા સંસ્કાર ટેનામેન્ટમાં રહેતા નિલેશભાઈ મંગુભાઇ પટેલે ફરીયાદ નોંધાવી છે કે ગત 22 ફેબ્રુઆરીના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે હુ મારા પરીવાર સાથે અમારા મકાનના દરવાજાને લોક મારી મહેસાણા ખાતે લગ્ન પ્રસંગમા ગયા હતા.…
Gujarat News: વડોદરા ખોડિયારનગર વિસ્તારમાં પીસીબીની ટીમે રેડ 1.26 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે દારૂ રાખનાર અને કારનું પાયલોટિંગ કરના એક્ટિવા ચાલકને વોન્ટેડ જાહેર કર્યા છે. સ્થળી પરથી વિદેશી દારૂ, કાર, ત્રણ મોબાઇલ અને રોકડ રકમ મળી 4.70 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે હરણી પોલીસને સુપ્રત કરાયો છે. શહેરના ખોડિયારનગર ચાર રસ્તા વિસ્તારમાં પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગની કામગીરીમાં હતો શહેરના ખોડિયારનગર ચાર રસ્તા વિસ્તારમાં પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગની કામગીરીમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે હાથીખાના ખાતે રહેતા રફીક દિવાને ખોડિયારનગર રોડ સિધ્ધેશ્વર સોસાયટીના મંદિર પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો…
Gujarat News: સાંકળચંદ પટેલ યુનિવર્સિટી તથા ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ વિસનગરના સંસ્થાના સંયુક્ત ઉપ્રકમે ગુજરાતમાં પ્રથમવાર દિવ્યાંગોની નેશનલ વ્હિલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વિસનગર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી નૂતન સ્પોર્ટ્સ સંકુલ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. જેમાં તારીખ 15 માર્ચથી 19 માર્ચ સુધી આ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલશે. જેમાં આ કિકેટ ટુર્નામેન્ટમાં જુદા જુદા 8 રાજ્યોની ટીમ ભાગ લેશે. દિવ્યાંગ નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે યોજાશે દિવ્યાંગ નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે તારીખ 15થી 19 માર્ચ દરમિયાન નૂતન સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાશે. જે ટુર્નામેન્ટના ભાગરૂપે તારીખ 14 માર્ચ 2024ના રોજ…
Beauty News: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની ત્વચા પર કુદરતી ચમક જળવાઈ રહે છે. ચહેરો ચમકાવા લોકો ઘણી મહેનત કરે છે, અનેક પ્રકારની કુદરતી પદ્ધતિઓ અપનાવે છે. પપૈયા પણ આમાંથી એક છે. પપૈયું આપણા સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે કોઈપણ રાસાયણિક ઘટકો વિના ઘરે કુદરતી ચમક મેળવવા માંગતા હોવ. તો તમે ઘરમાં હાજર આ વસ્તુઓને પપૈયામાં મિક્સ કરીને ફેસ પેક બનાવી શકો છો. જે તમને કુદરતી ચમકદાર ત્વચા આપવામાં મદદ કરી શકે છે. પપૈયા અને દૂધ પપૈયા અને દૂધનો ફેસ પેક શુષ્ક ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેને બનાવવા માટે પપૈયાના…
Health News: હાલની સ્થિતિએ બિમારીઓ દિવસેને દિવસે વધી રહી છે. એમાં પણ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બિમારી ઘરે ઘરે જોવા મળી રહી છે..એવામાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને ડોક્ટર વધારે નમક અને ગરમ વસ્તુઓ ખાવાની મનાઈ કરે છે. હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે હાઈ બ્લડ પ્રેશર વધારે ખતરનાક છે. હાઈ બ્લડ પ્રેશરથી હ્રદયની ધમનીઓ પર ખરાબ અસર પડે છે. જેના કારણે અન્ય બિમારીઓ થવાનો પણ ખતરો રહે છે. તો સવાલ એ થાય છે કે શું લીંબુ પાણી પીવું યોગ્ય છે? લીંબુ પાણીમાં સોડિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જેથી તે બ્લડ પ્રેશરને વધારી શકે છે. પરંતુ લીંબુમાં મળતું વિટામિન સી…
Auto News: આજકાલ માર્ગ અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે. લોકોને સુરક્ષિત ડ્રાઇવિંગ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. દિવસ દરમિયાન વાહન ચલાવવું એ એક જવાબદાર કાર્ય માનવામાં આવે છે. આ જવાબદારી રાત્રે પણ વધી જાય છે. કારણ કે એક નાની ભૂલ પણ તમારો જીવ ગુમાવી શકે છે. તેથી વાહન ચલાવતા સાવધાનીપૂર્વક ચલાવવું જોઈએ. ઘણા લોકોને રાત્રે ડ્રાઇવિંગ ગમે છે. ઘણી વખત, રાત્રે ડ્રાઇવિંગ કરતી વખતે, વ્યક્તિને ખૂબ થાક લાગે છે અને ઊંઘ આવવા લાગે છે. જેના કારણે અકસ્માત થવાનો ખતરો વધી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે રાત્રે ડ્રાઇવિંગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો (નાઇટ ડ્રાઇવિંગ ટિપ્સ), તો તમારું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



