- રશિયા સામે EUના નવા પ્રતિબંધો પર નિર્ણય ટળ્યો, ભારતને હાલ વેપારમાં મળી રાહત
- યમનના સના એરપોર્ટ પાસે મિસાઈલ હુમલાનો દાવો, ઈરાની વિમાનને માર્ગ બદલવો પડ્યો
- સરહદ સુરક્ષા માટે ભારતનું મોટું પગલું, 15 હજાર કરોડથી હાઈ ઑલ્ટિટ્યુડ એરશિપ બનશે
- E20 વિવાદ વચ્ચે ગડકરીનો દાવો: સામાન્ય કાર માલિક પોતે સાચું માઇલેજ ચેક કરી શકતો નથી
- ગાઝામાં ઈઝરાયેલી હુમલામાં 9 વર્ષની બાળકી સહિત 5નાં મોત, સૈન્યએ હુમલાનો સ્વીકાર કર્યો
- સલમાન ખાનનો ‘કાઉબોય’ લુક સોશિયલ મીડિયા પર વાયરલ, ફેન્સ બોલ્યા – ‘ભાઈજાનનો અંદાજ સૌથી અલગ’
- માત્ર 13 વર્ષની ઉંમરે ફિલ્મ માટે પસંદ થઈ: સંજના સાંઘીનું નિવેદન, ‘આપણા સપનાઓ આપણાથી વધુ બહાદુર હોય છે’
- સલમાન ખાનની ‘માતૃભૂમિ’ 2027 સુધી ટળે તેવી શક્યતા, આવતા વર્ષે બે ફિલ્મો રિલીઝ થઈ શકે
Author: garvigujrat
ફિલ્મ ૧ મે, ૨૦૨૬ના રોજ રિલિઝ થશે રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’નું પ્રભાવશાળી ટીઝર લોંચ ફિલ્મમાં અભિષેક બચ્ચન, સંજય દત્ત, વિદ્યા બાલન, જેનેલિયા દેશમુખ, મહેશ માંજરેકર અને અન્ય કલાકારો પણ મહત્વના રોલમાં રિતેશ દેશમુખ દ્વારા લખાયેલ, નિર્મિત અને દિગ્દર્શિત ‘રાજા શિવાજી’નો ફર્સ્ટ લૂક ટીઝર સાથે લોંચ કરવામાં આવ્યો છે. આ હિસ્ટોરિકલ એપિક ફિલ્મમાં અભિષેક બચ્ચન, સંજય દત્ત, વિદ્યા બાલન, જેનેલિયા દેશમુખ, મહેશ માંજરેકર અને અન્ય કલાકારો પણ મહત્વના રોલમાં છે.રિતેશ દેશમુખ પોતાની આવનારી ફિલ્મ ‘રાજા શિવાજી’ દ્વારા ભારતના મહાન યોદ્ધા રાજા, છત્રપતિ શિવાજી મહારાજની પ્રેરણાદાયક વાર્તા કહેવા માટે પરત ફરી રહ્યો છે. તાજેતરમાં, નિર્માતાઓએ આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મનું ટીઝર રિલીઝ…
અક્ષયે કહ્યું, ‘તેમાં મજા નથી કારણ કે તે નકલી લાગે છે’ અક્ષય કુમારનું ફિલ્મોમાં રીઅલ એક્શન પાછી લાવવાનું વચન અક્ષયે એક્શન સિનેમાને ચિત્રકામ સાથે સરખાવી હતી. એક સાચું હાથથી બનાવેલું ચિત્ર અને પ્રિન્ટેડ ડિજિટલ ચિત્ર વચ્ચે સ્પષ્ટ ફરક હોય છે છેલ્લા દાયકામાં, અક્ષય કુમારની કૅરિયરમાં એક્શન ફિલ્મોથી લઈને કોમેડી અને દેશભક્તિ આધારિત ફિલ્મોનું મિશ્રણ જાેવા મળ્યું છે, જેમાં હિંમત અને ફરજની વાર્તાઓ રજૂ કરવામાં આવી છે. બોલિવૂડનો એક્શન સ્ટાર અક્ષય કુમાર કહે છે કે તે ફરીથી બિલકુલ સાચી લાગે એવી ખરી એક્શન ફિલ્મો તરફ વળવા માંગે છે અને ઇન્ડસ્ટ્રીમાં વધતા VFX અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સ્ટન્ટ્સથી દુર રહેવા માગે…
હો ચી મિન્હ સિટીમાં ભવ્ય ગ્રાન્ડ ફિનાલે યોજાશે ઉજ્જૈનની નિકિતા પોરવાલ મિસ વર્લ્ડ ૨૦૨૬માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે મિસ વર્લ્ડ કોન્ટેસ્ટનાં ૭૫ વર્ષના વારસાને ઉજવતા, આ આવૃત્તિ પેજન્ટની ઓળખરૂપ “બ્યુટી વિથ એ પર્પઝ” પહેલને આગળ વધારશે. નિકિતા પોરવાલ, ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ ૨૦૨૪, ૯ ઑગસ્ટથી ૫ સપ્ટેમ્બર દરમિયાન વિયેતનામમાં યોજાનારી મિસ વર્લ્ડ ૨૦૨૬માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રતિષ્ઠિત પેજન્ટ કોન્ટેસ્ટની ૭૫મી આવૃત્તિ છે, જેમાં ૧૩૦ થી વધુ દેશોનીં સ્પર્ધકો સૌંદર્ય, પ્રતિભા અને હેતુના ભવ્ય ઉત્સવ માટે એકત્રિત થશે. નિકિતા પોરવાલ, ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ ૨૦૨૪, આ આવૃત્તિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈનની નિકિતાએ ૧૬ ઑક્ટોબર, ૨૦૨૪ના રોજ…
આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પોલીસે ધરપકડ કરી હતી. ત્યાર બાદ બહાર આવી મીડિયા સાથે વાત કરતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે અમારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને અમે આ મામલે રજૂઆત કરવા ગયા હતા. પોલીસને એવું લાગ્યું કે આ રીતે રજૂઆત યોગ્ય નથી અને વિડિયો બનાવવામાં આવી રહ્યો છે, તેથી અમારી અટકાયત કરવામાં આવી. ભાજપ સરકાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી ડરી ગઈ છે એવું લાગે છે. જેલથી ડરાવવાની કોશિશ પણ કરવામાં આવી હોય એવું લાગે છે, પરંતુ લોકો હંમેશા અત્યાચારની વિરૂદ્ધમાં મતદાન કરતા હોય છે. આજે સત્યની જીત થઈ છે, સત્યનો વિજય થયો છે. અમારા કાર્યકર્તાઓ…
સુરત શહેરમાં ફરી એકવાર આગની મોટી દુર્ઘટના સામે આવી સચિન GIDC ની હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં ભીષણ આગ કાપડનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયરના જવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ નગરી ગણાતા સુરત શહેરમાં ફરી એકવાર આગની મોટી દુર્ઘટના સામે આવી છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. હોજીવાલા કમ્પાઉન્ડમાં આવેલી ‘ગોપી નીટિંગ‘ નામની કાપડ બનાવતી કંપનીમાં લાગેલી આ આગે જાેતજાેતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ એટલી ભીષણ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જાેવા મળ્યા…
વાવાઝોડુ અને માવઠાને કારણે કેરીનું ઉત્પાદન ઘટ્યું માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ, ઉત્પાદન ઘટતાં ભાવમાં પણ મોટો તફાવત સિઝનની શરૂઆતમાં કેરીના ભાવ આસમાને પહોંચ્યા હતાં પરંતુ હવે આવક વધતા ભાવ ૧૦૦૦ થી ૧૭૦૦ની સપાટીએ પહોંચ્યા છે ગુજરાતમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે. ગરમીની સાથે વરસાદ પણ હાજરી આપી રહ્યો છે.વાવાઝોડા અને માવઠાને કારણે કેરીના પાકને નુકસાન થવા પામ્યું છે.આ સ્થિતિમાં કેરી રસિકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. માર્કેટમાં કેરીની આવક શરૂ થતાં ભાવમાં પણ તફાવત જાેવા મળી રહ્યો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીમાં કેસર કેરીના ૩૨૦૦ બોક્સની…
ઈરાન યુએઈ-ખાડી દેશો પર હુમલાઓ કરી રહ્યું છે હોર્મુઝ અંગે અમેરિકાએ હાથ અદ્ધર સંયુક્ત આરબ અમીરાત યુદ્ધમાં કૂદવા માટે તૈયાર યુએઈએ ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ લાવવાની તૈયારી શરૂ કરી અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા ૩૩ દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં હવે ત્રીજા દેશની એન્ટ્રી થવાની સંભાવના છે. વાસ્તવમાં અમેરિકાનું સમર્થન કરી રહેલા સંયુક્ત આરબ અમીરાતે (UAE) યુદ્ધમાં ઉતરવા માટે વિચારણા શરૂ કરી દીધી છે. રિપોર્ટ મુજબ, ઈરાને બંધ કરેલો હોર્મુઝ જળમાર્ગ ખોલવા માટે UAE એ અમેરિકા અને સાથી દેશોનો સાથ મેળવીને કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ જે જળમાર્ગ છે, જ્યાંથી વિશ્વભરમાં…
હિમાચલ પ્રદેશ સરકારે વિધાનસભામાં બિલ રજૂ કર્યું ચૂંટણી જીત્યા બાદ પાર્ટી બદલનારા ધારાસભ્યોને હવે પેન્શન નહીં મળે સરકારનું માનવું છે કે વર્તમાન કાયદામાં બિલ બનાવ્યા બાદ પાર્ટી બદલનારાને હતોત્સાહિત કરવા માટે કોઈ ઠોસ જાેગવાઈ નહોતી હિમાચલ પ્રદેશમાં પક્ષપલટા પર રોક લગાવવા માટે સરકારે મોટું ભર્યું છે. બુધવારે બજેટ સત્ર દરમ્યાન વિધાનસભામાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ હિમાચલ પ્રદેશ વિધાનસભામાં ભથ્થા અને પેન્શન સંબંધિત બિલ, ૨૦૨૬ રજૂ કર્યું. આ બિલ પાસે થયા બાદ પક્ષપલટા કાનૂન અંતર્ગત અયોગ્ય ઠેરવાયેલા ધારાસભ્યોને પેન્શન લાભ નહીં મળે. બિલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ૧૪મી વિધાનસભા અથવા ત્યાર બાદ ચૂંટાયેલા એવા સભ્ય, જે સંવિધાનના દસમી અનુસૂચિ અંતર્ગત અયોગ્ય…
પોલીસ તપાસ શરૂ પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ થયો આ ધડાકો સાંજે અંદાજે ૫ કે ૫:૩૦ વાગ્યાની આસપાસ ભાજપ કાર્યાલયની બહાર પાર્ક કરેલી એક સ્કૂટીમાં થયો પંજાબમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બહાર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. આ ઘટના ચંડીગઢના સેક્ટર ૩૭માં સાંજે ૫:૩૦ કલાક આસપાસ ઘટી છે. પોલીસ ધડાકાના કારણોની તપાસમાં જાેતરાઈ ગઈ છે. આ ઘટનામાં કોઈ ઘાયલ થવાના સમાચાર નથી. સૂત્રોનું કહેવું છે કે પંજાબમાં ભાજપ કાર્યાલય બહાર CRPF ને ગોઠવી દેવામાં આવી છે. ઘટનાસ્થળેથી વિસ્ફોટમાં ઉપયોગમાં લેવામાં આવેલા છરા પણ કબજે લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં બ્લાસ્ટના કારણોનો કોઈ અતોપતો મળ્યો નથી. તસવીરોમાં ચંડીગઢ ભાજપ કાર્યાલય બહાર…
હવામાન વિભાગની આગાહી રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની શક્યતા આગામી ૨, ૩ અને ૪ એપ્રિલ દરમિયાન રાજ્યમાં ફરી કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય છે. આ સાથે જ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં જમીનથી ૧.૫ કિલોમીટરની ઊંચાઈ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. ૨ એપ્રિલથી વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. આગામી દિવસોમાં માત્ર વરસાદ જ નહીં, પરંતુ થંડરસ્ટોર્મ એક્ટિવિટી (વીજળીના કડાકા-ભડાકા) પણ જાેવા મળશે. કમોસમી વરસાદ દરમિયાન પવન ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



