Author: Garvi Gujarat

અમદાવાદમાં ACB ની ટ્રેપ.નિવૃત્ત પ્રિન્સિપાલની ફાઈલો પાસ કરવા ટ્રસ્ટીએ રૂ. ૩ લાખની લાંચ માગી.ફરિયાદીની ફરિયાદને આધારે એસીબી.એ છટકું ગોઠવીને ટ્રસ્ટી તિમિરે આ લાંચની રકમ કોલેજના વોચમેન મુરલીમનોહર રામલાલજી ઝંડોલને આપી દેવા જણાવ્યું હત.અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી પંકજ વિદ્યાલય કેમ્પસની કોલેજમાં ભ્રષ્ટાચારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિવૃત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલના પેન્શન અને જી.પી.એફ.ના નાણાં છૂટા કરવા માટે ૫ લાખ રૂપિયાની લાંચ માંગનાર ટ્રસ્ટી અને તેના વતી નાણાં સ્વીકારનાર વોચમેનને છઝ્રમ્એ છટકું ગોઠવીને ઝડપી લીધા છે. આ ટ્રેપ દરમિયાન વોચમેન ૩ લાખ રૂપિયાની રોકડ સાથે રંગેહાથ પકડાઈ ગયો હતો, જ્યારે મુખ્ય આરોપી ટ્રસ્ટી સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. મળતી માહિતી…

Read More

સેમ્પલ રિપોર્ટ ત્વરિત મેળવવા અપાઇ સૂચના.અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષિત પાણીની ફરિયાદો ઉઠી રહી છે.આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કમિટી દ્વારા તાત્કાલિક અસરથી જૂની ડ્રેનેજ લાઇન બદલવાની સૂચના આપી દેવામાં આવી છે.અમદાવાદના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષિત પાણીની ફરિયાદો ઉઠી રહી છે. આ ગંભીર મુદ્દે AMC વોટર સપ્લાય કમિટીના ચેરમેને મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે શહેરના અમુક ચોક્કસ વિસ્તારોમાં પીવાના પાણીમાં અશુદ્ધિ જાેવા મળી રહી છે. AMC વોટર સપ્લાય કમિટી ચેરમેનના જણાવ્યા અનુસાર, જે વિસ્તારોમાં પાણીના કનેક્શન ભૌગોલિક રીતે નીચાણવાળા ભાગમાં આવેલા છે, ત્યાં ગટરના પાણી ભળવાની સમસ્યા વધુ સર્જાય છે. આ ઉપરાંત, દાયકાઓ જૂની ડ્રેનેજ લાઇન…

Read More

ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં ૯૫૦ જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક.પોલીસ ભરતી બોર્ડે કુલ ૯૫૦ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, જેમાં આગામી ૯ જાન્યુઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશેગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) એ વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ-૩ ટેકનિકલ કેડર માટે ભરતીની જાહેરાત કરી છે. એન્જિનિયરિંગ સ્નાતકો અને ડિપ્લોમાની લાયકાત ધરાવતા લોકોને ગુજરાત પોલીસમાં જાેડાવાની આ એક સુવર્ણ તક છે. પોલીસ ભરતી બોર્ડે કુલ ૯૫૦ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, જેમાં આગામી ૯ જાન્યુઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશે. GPRB એ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ), ટેકનિકલ ઓપરેટર અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક સહિતની જગ્યાઓ…

Read More

ધારાસભ્યએ બસ ચલાવીને કર્યું નવા રૂટનું લોકાર્પણ.બોરસદ આણંદ રૂટ પર નવી બસોનો પ્રારંભ કરાયો.આ લોકાર્પણ કાર્યક્રમ માત્ર રીબીન કાપવા સુધી સીમિત ન રહ્યો, પણ ધારાસભ્ય યોગેશ પટેલના અનોખા અંદાજને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો.આણંદ જિલ્લાના બોરસદ વિસ્તારના નાગરિકો માટે પરિવહન ક્ષેત્રે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. બોરસદ-આણંદ રૂટ પર લાંબા સમયથી નવી બસોની જે માંગ હતી, તેને સંતોષતા એસટી વિભાગ દ્વારા નવી અત્યાધુનિક બસો ફાળવવામાં આવી છે. જાેકે, આ લોકાર્પણ કાર્યક્રમ માત્ર રીબીન કાપવા સુધી સીમિત ન રહ્યો, પણ ધારાસભ્ય યોગેશ પટેલના અનોખા અંદાજને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બોરસદ આણંદ રૂટ પર નવી બસોનો પ્રારંભ…

Read More

19 PI અને 41 PSIની બદલી, SPનો આદેશ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં બદલીના આદેશ છૂટ્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP) દ્વારા 19 PI અને 41 PSI ની બદલી કરવામાં આવી છે. એસપી દ્વારા આંતરિક બદલીના આદેશ કરાયા છે. અમદાવાદ ગ્રામ્ય એસપી દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ બદલાનો આદેશ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદ ગ્રામ્ય SP દ્વારા પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. કુલ ૧૯ પીઆઈ અને ૪૧ પીએસઆઈની બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી એક જગ્યાએ ફરજ બજાવી રહેલા અધિકારીઓની બદલી પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે. મળતી માહિતી પ્રમાણે એસપી દ્વારા લાંબા સમયથી એક જ જગ્યાએ…

Read More

અર્ધકુંભ પહેલા VHP નેતાની મોટી માંગ.જે હિન્દુ નથી, તેઓ ગંગા ઘાટ પર ડૂબકી લગાવી શકશે નહીં.સાધ્વી પ્રાચીએ મક્કા અને મદીનામાં બિન-મુસ્લિમોના પ્રવેશ પરના પ્રતિબંધનું ઉદાહરણ આપતા કહ્યું કે, હરિદ્વારમાં પણ આવા જ નિયમો લાગુ કરવા જાેઈએ.વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નેતા સાધ્વી પ્રાચીએ ૨૦૨૭માં યોજાનારા અર્ધકુંભ મેળા પહેલા હરિદ્વારના ગંગા ઘાટ પર બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, જ્યારે મક્કા અને મદીનામાં બિન-મુસ્લિમો પર આવા પ્રતિબંધો લાગુ છે, તો હરિદ્વારમાં બિન-હિન્દુઓ પર તેવો જ પ્રતિબંધ કેમ ન મૂકવો જાેઈએ? તેમણે તેને સુરક્ષા અને હરિદ્વારની પવિત્રતા જાળવવા સાથે જાેડાયેલો મુદ્દો ગણાવ્યો છે. સાધ્વી પ્રાચીએ કહ્યું કે,…

Read More

સુરેન્દ્રનગર ભ્રષ્ટાચાર કેસ.એક સ્ક્વેર મીટર જમીન દીઠ ૧૦ ઉઘરાવી કરોડોનો ખેલ.અન્ય અધિકારીઓની ભૂમિકા તપાસાઈ રહી છ.જિલ્લાના ચકચારી કરોડો રૂપિયાના જમીન ભ્રષ્ટાચાર કેસમાં હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ મામલે પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ સામે ચાલી રહેલા બિનખેતી (એનએ) જમીન કૌભાંડ મામલે આજે તેમનો રિમાન્ડ પૂર્ણ થતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા તેમને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઈડીની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન અનેક મહત્વના પુરાવા હાથ લાગ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઈડીના અધિકારીઓએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ ૫૦ હેઠળ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલનું નિવેદન નોંધ્યું છે. રિમાન્ડ દરમિયાન દિલ્હી…

Read More

ગુજરાતમાં યોજાશે પતંગોનો મહામેળો.ગુજરાતમાં દેશ અને વિદેશના પતંગબાજાેથીઆકાશ થશે રંગીન.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૧૦થી શરૂ થશે અને ૧૪ જાન્યુઆરી સુધી ચાલશે, તેનું મુખ્ય સ્થળ સાબરમતી રિવરફ્રન્ટ છે.ગુજરાતમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં યોજાતો આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉત્તરાયણની વર્ષો જૂની પરંપરા સાથે જાેડાયેલો છે. આ મેળા દરમિયાન આકાશ રંગબેરંગી અને વિવિધ આકારની પતંગોથી ભરાઈ જાય છે. આ મહોત્સવની ખાસ વાત એ છે કે તે દેશ-વિદેશના પ્રવાસીઓ અને પતંગબાજાે માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. અહીં અલગ-અલગ દેશોની અનોખી અને સુંદર પતંગો જાેવા મળે છે. જાે તમે પણ આ વર્ષે પતંગ મહોત્સવનો આનંદ માણવા માંગતા હોવ, તો આ સમાચાર તમારા માટે જ છે. આજે,…

Read More

માદુરોની ધરપકડ બાદ જયશંકરનું પહેલું મોટું નિવેદન.ભારત વેનેઝુએલાની વર્તમાન સ્થિતિને લઈને અત્યંત ચિંતિત.મે આ વિવાદમાં સામેલ તમામ પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ સાથે મળીને એવા ઉકેલ પર પહોંચે.વેનેઝુએલામાં અમેરિકા દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી અને પ્રમુખ નિકોલસ માદુરોને કસ્ટડીમાં લેવાના અણધાર્યા ઘટનાક્રમ પર ભારત સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે, ભારત વેનેઝુએલાની વર્તમાન સ્થિતિને લઈને અત્યંત ચિંતિત છે અને તેમણે તમામ પક્ષોને લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે. લક્ઝમબર્ગમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન એસ. જયશંકરે કહ્યું કે, અમે તાજેતરના ઘટનાક્રમથી ચિંતિત છીએ. અમે આ વિવાદમાં સામેલ તમામ પક્ષોને વિનંતી કરીએ છીએ…

Read More

હવામાન વિભાગની આગાહી.બંગાળની ખાડી બાદ હવે હિન્દ મહાસાગરમાં તોફાનના ભણકારા.તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં મોટા પાયે વરસાદ અને ભારે હવાઓનું અનુમાન લગાવતા એલર્ટ જાહેર.હવામાન વિભાગે જણાવ્યું કે, મધ્ય હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીની ઉપર બનેલા એક એટમોસ્ફેરિક સર્કુલેશનના કારણે ૫ જાન્યુઆરીની સાંજે ૫.૩૦ વાગ્યે દક્ષિણ-પૂર્વી બંગાળની ખાડી અને ભૂમધ્ય રેખીય હિન્દ મહાસાગરની ઉપર લો પ્રેશરનું ક્ષેત્ર બની ગયું છે. ૬ જાન્યુઆરીની સવાર ૫.૩૦ વાગ્યા સુધી આ સિસ્ટમ ગાઢ ડિપ્રેશનમાં બદલાઈ ગયું અને તે વિસ્તારમાં બનેલું છે. આશા છે કે આ સિસ્ટમ ૭ જાન્યુઆરીના રોજ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર વધારે મજબૂત થઈને લો પ્રેશરનું ક્ષેત્ર બની જશે.…

Read More