Author: Garvi Gujarat

સનાતન પરંપરામાં દખલગીરી ન કરવા સંતોની ચેતવણી.ગિરનારના ઓઘડ શિખર પર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવવા બદલ બે સામે ગુનો નોંધાયો.નાથ સંપ્રદાયની પવિત્ર જગ્યા ગણાતી ઓઘડનાથ ટૂંક પર બનેલી આ ઘટનાને પગલે સાધુ સંતોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા ઓઘડ શિખર પર જૈન સંપ્રદાયનો ધ્વજ ફરકાવવા અને સૂત્રોચ્ચાર કરવા બદલ ભવનાથ પોલીસ મથકે બે અજાણ્યા શખસો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. નાથ સંપ્રદાયની પવિત્ર જગ્યા ગણાતી ઓઘડનાથ ટૂંક પર બનેલી આ ઘટનાને પગલે સાધુ સંતોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. શ્રીનાથજીના દલિચાના મહંત પીર યોગી સોમનાથજી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ અંદાજે ચાર દિવસ પહેલાં સફેદ…

Read More

આવકવેરાના નવા નિયમોના મુસદ્દા ઘડાયા.રૂ.૧૦ લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવા કે ઉપાડવા માટે PAN ફરજિયાત રહેશે.રોકડ વ્યવહાર, વાહન ખરીદી અને અન્યો માટે પાન દર્શાવવા માટેની મર્યાદા વધારવાની દરખાસ્ત.આવકવેરાના ડ્રાફ્ટ નિયમોમાં બેંકોમાં રોકડ જમા/ઉપાડ, મોટર વાહનો અને મિલકતની ખરીદી, તથા હોટલના બિલની ચુકવણી માટે PAN (પાન કાર્ડ) દર્શાવવા માટેની વ્યવહાર મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ નવા નિયમો ૧ એપ્રિલથી અમલમાં આવશે. એક નાણાકીય વર્ષમાં એક વ્યક્તિના એક અથવા વધુ ખાતાઓમાં કુલ રૂ. ૧૦ લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા માટે PAN ફરજિયાત રહેશે. હાલમાં, બેંકમાં એક દિવસમાં ૫૦,૦૦૦થી વધુની રોકડ જમા કરવા…

Read More

‘EMI ભરવા માટે એક્ટિંગ નહીં કરું’.પંકજ ત્રિપાઠીનો બોલિવૂડમાં બ્રેક લેવાનો મોટો ર્નિણય.હું જે જિદગીના તબક્કામાં છું, તેમાં માત્ર એક્સાઈટમેન્ટ અને આર્ટિસ્ટિક સેટિસ્ફેક્શન માટે એક્ટિગ કરવા માંગું છું.બેસ્ટ એક્ટિંગ મામલે બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીનું નામ ખુબ જાણીતું છે. જાેકે હવે તેમણે બોલિવૂડમાં બ્રેક લેવાનો મોટો ર્નિણય લીધો છે. છેલ્લા કેટલાક વર્ષાેમાં અનેક સુપરહિત ફિલ્મ આપીને ચાહકોમાં જબરદસ્ત નામ ઉભુ કરનાર પંકજ ત્રિપાઠીએ બ્રેક લેવા મામલે જાહેરમાં વાત કરી છે. પંકજ ત્રિપાઠીએ કહ્યું છે કે, તેમણે ઈમાનદારી બોલિવૂડમાં બ્રેક લેવાનો ર્નિણય લીધો છે. ફિલ્મો અને સિરીઝોમાં સતત કામ કર્યા બાદ તેમને અનુભવ થયો છે કે, તેમના અગાઉ જે ઉત્સાહ હતો, તે હવે…

Read More

નતાશા સ્ટેનકોવિકના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી.હાર્દિકથી ડિવોર્સ પછી નતાશા સ્ટેનકોવિક બેરોજગાર?.નતાશા સ્ટેનકોવિક એક કોલેજ ફંક્શનમાં ડાન્સ કરતી જાેવા મળી હતી, અને આ પછી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.ક્રિકેટર હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. નવી મુંબઈની પિલ્લઈ યુનિવર્સિટીમાં મહેમાન તરીકે પહોંચેલી તેણીનો એક વિડીૂયો સામે આવ્યો છે. તેણીએ સ્ટેજ પર ડાન્સ કર્યાે હતો. નતાશા કોલેજમાં એક યુગલગીત નૃત્ય સ્પર્ધામાં જજ હતી. અભિનેત્રીના ડાન્સ મૂવ્સથી પ્રેક્ષકોએ ખૂબ જ વખાણ કર્યા હતા. ચાહકોએ નતાશાની મોહક શૈલી અને ડાન્સ મૂવ્સની પ્રશંસા કરી હતી, જ્યારે અન્ય લોકોએ કોલેજમાં તેણીને ડાન્સ કરતી જાેઈને અપ્રિય લાગ્યું…

Read More

ધુરંધર ૨ની નો પ્રમોશન સ્ટ્રેટેજી વિશે ફિલ્મના માર્કેટર વરુણ ગુપ્તાએ વાત કરી.ધુરંધર ૨નો મોટો સોદો : રનવીરની ફિલ્મને ૨૪૫ કરોડની નોન-થિયેટ્રિકલ ડીલ મળી.ધુરંધર પાર્ટ ૧ના નોન-થિયેટ્રિકલ રાઇટ્સ પણ અંદાજે ૧૪૦ કરોડની ભારે કિંમતમાં વેચાયા હતા.રનવીર સિંહ અને આદિત્ય ધરની ધુરંધર ૨એ નોન-થિયેટ્રિકલ બિઝનેસ બાબતે નવા લક્ષ્યાંક સ્થાપી દીધા છે. ધુરંધર ૨એ છેલ્લા કેટલાક વર્ષાેનો સૌથી મોટો સોદો કર્યાે છે. ધુરંધર: ધ રિવેન્જએ નોન-થિયેટ્રિકલ રાઇટ્સ માટે ઐતિહાસિક ૨૪૫ કરોડની ડીલ કરી છે, જેનાથી એક નવો રેકોર્ડ બન્યો છે અને ળેન્ચાઇઝની ખુબ મોટી કમર્શીયલ ડિમાન્ડ દર્શાવે છે.આ પ્રક્રિયા સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ધુરંધર ૨ના ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ જિઓ હોટસ્ટારે ૧૫૦ કરોડમાં…

Read More

આમિરના નિવેદને વિવાદ સર્જ્યાે.‘ભારતને વધુ સારા થિયેટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર’.આમિરના આ નિવેદન પર હવે થિયેટર એક્ઝિબિટર્સ અને વિતરકો તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી છે.ભારતમાં સિનેમા સ્ક્રીન્સની સંખ્યા અંગે ચાલી રહેલી ચર્ચા વધુ તીવ્ર બની છે, ખાસ તો આમિર ખાને ભારતની સ્થિતિની ચીન સાથે સરખામણી કરતાં આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આમિર ખાને કહ્યું હતું કે ચીન સાથે સ્પર્ધા કરવા માટે દેશમાં ઘણાં વધુ સિનેમાઘરોની જરૂર છે. આમિરના આ નિવેદન પર હવે થિયેટર એક્ઝિબિટર્સ અને વિતરકો તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી છે, જેમાંથી એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.આમિર ખાને એક ઇન્ટરવ્યુમાં ભારતીય એક્ઝિબિશન સેક્ટરની માળખાકીય મર્યાદાઓ પર…

Read More

કેનેડામાં ખાલિસ્તાનીઓની ફિલ્ડિંગ સેટ.અજિત ડોભાલે નતાલી સાથે બેઠકમાં ડીલ કરી ડન!.બંને દેશો રાષ્ટ્રીય સુરક્ષા, ડ્રગ્સની હેરફેર અને આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કને રોકવા માટે પરસ્પર સહયોગ વધારવા સંમત થયા છે.ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્વારી તણાવ બાદ હવે સંબંધોમાં સુધારો જાેવા મળી રહ્યો છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નતાલી ડ્રોઈન વચ્ચે શનિવારે (સાતમી ફેબ્રુઆરી) ઓટાવામાં એક હાઇ-પ્રોફાઇલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશો રાષ્ટ્રીય સુરક્ષા, ડ્રગ્સની હેરફેર અને આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કને રોકવા માટે પરસ્પર સહયોગ વધારવા સંમત થયા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, બંને દેશોએ કાયદાના અમલીકરણ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ…

Read More

કિંમ જાેગનું નવુ પાલગપન!.સાઉથ કોરિયાનો પોપ્યુલર શો ‘સ્કિવડ ગેમ’ જાેવા પર બાળકોને આપ્યું મોત.દક્ષિણ કોરિયાની સિરિઝ જાેનારા બાળકોને મોતને ઘાટ ઉતારાયા : ઉત્તર કોરિયાનું નવુ ડેથ વોરંટ અત્યંત ભયંકર.દુશ્મની તો તમે અનેક દેશો વચ્ચે જાેઈ હશે. પરંતુ નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચેની દુશ્મની તો કંઈક અલગ જ છે. કેમ કે, ઉત્તર કોરિયાના તાનાશાહે એક એવો ર્નિણય લીધો છે. જેના કારણે ઉત્તર કોરિયાના લોકો ટીવી જાેતા પણ વિચાર કરે છે. કિમ જાેંગ ઉન ઈચ્છે છે કે તેમના દેશના નાગરિકો પડોશી દેશ દક્ષિણ કોરિયાનો કોઈપણ ટીવી શો ન જુએ. દુનિયાનો સૌથી રહ્સ્યમય દેશ, જ્યાં મોત પણ એક ગુનો માનવામાં આવે છે.…

Read More

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું.અમેરિકા પાસેથી ઓઈલની ખરીદી કરવી એ ભારતના રણનીતિક હિતમાં છે.ભારત અને અમેરિકા વચ્ચે જ્યારથી ટ્રેડ ડીલ થઈ છે ત્યારથી રશિયન ઓઈલની ખરીદીનો મુદ્દો ફરી ચગ્યો છ.ગત સપ્તાહે ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલની વિગતો સામે આવી તેમાં રશિયન ઓઈલની ખરીદી મુદ્દે ભારત સરકાર તરફથી કોઈ પ્રતિભાવ જાેવા મળ્યો નહતો. અમેરિકાએ કુલ જે ૫૦ ટકા ટેરિફ લગાવ્યો હતો તે ઘટાડીને ૧૮ ટકા કર્યો જેમાં રશિયન ઓઈલની ખરીદી પર લાગેલો દંડાત્મક ટેરિફ ૨૫ ટકા સંપૂર્ણપણે હટાવ્યો જાે કે તે માટે અમેરિકાનું એવું કહેવું હતું કે ભારત હવે રશિયન ઓઈલની ખરીદી નહીં કરે તેના પગલે આ ટેરિફ…

Read More

લગાવ્યા ગંભીર આરોપ લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે વિપક્ષ.વિપક્ષી પક્ષોનો આરોપ છે કે અધ્યક્ષ ગૃહમાં પક્ષપાતી છે.વિપક્ષ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે. વિપક્ષી પક્ષોનો આરોપ છે કે અધ્યક્ષ ગૃહમાં પક્ષપાતી છે. આ આરોપ એવા સમયે લગાવવામાં આવ્યો છે જ્યારે વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે કે રાહુલ ગાંધીને સંસદમાં બોલવા દેવામાં આવી રહ્યા નથી. છેલ્લા ઘણા દિવસોથી સંસદમાં આ મુદ્દા પર હોબાળો થઈ રહ્યો છે. લોકસભા અધ્યક્ષ સામે વિપક્ષના વધતા ગુસ્સાનું બીજું કારણ તેમણે આપેલું એક નિવેદન છે, જેના પર મોટો વિવાદ થઈ રહ્યો છે. લોકસભામાં આભાર પ્રસ્તાવ પર…

Read More