
- યામી ગૌતમ સાથે ‘રાઝી’ સિક્વલ ચર્ચામાં, હરિન્દર સિક્કાનો વિવાદ ફરી ચર્ચામાં
- પ્રિયદર્શન સ્પષ્ટતા: ભૂત બંગલા ‘ભૂલ ભુલૈયા’ની સિક્વલ નહીં, સંપૂર્ણ નવી કથા
- મનોજ સોરઠીયા: સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ સામે જનતાની લડાઈ લડશે
- રાશા થડાનીનું સાઉથ ડેબ્યુ: લાર્જર ધેન લાઇફ સિનેમા સાથે નવી લવ સ્ટોરીમાં એન્ટ્રી
- ઈરાન–ઇઝરાયલ સંઘર્ષ અસર: અક્ષય કુમાર ફિલ્મનું દુબઈ શૂટિંગ રદ, મુંબઈમાં સ્થળાંતર
- ચૈતર વસાવાનો આક્ષેપ: ભારતીય જનતા પાર્ટી દબાણથી AAP કાર્યકરો પર ખોટી એફઆઈઆર કરે છે
- ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ: ભારતીય જનતા પાર્ટી સરકાર AAP કાર્યકરો પર કેસોથી દમન કરે છે
- આમ આદમી પાર્ટીનો આક્ષેપ: ભારતીય જનતા પાર્ટી અત્યાચારથી કાર્યકરોને ડરાવવાનો પ્રયાસ કરે છે
Author: Garvi Gujarat
સુરક્ષાને લઈ દોડધામ.ગાંધીનગર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.હાલ પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને ધમકી સાચી છે કે ખોટી તેની ચકાસણી કરવામાં આવી રહી છે.ગાંધીનગર સ્થિત કલેક્ટર કચેરીમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકી મળતા અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સમગ્ર કચેરી ખાલી કરાવવામાં આવી હતી અને કર્મચારીઓ તેમજ હાજર નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ પોલીસ વિભાગ અને પ્રશાસન એલર્ટ પર આવી ગયું હતું. ધમકી મળ્યાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. કચેરીના દરેક ખૂણાની…
સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારા ખુલાસા.સાંતલપુરના મામલતદારના આપઘાત મામલે ૧૧ લોકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ.બ્લેકમેલિંગ અને સતત દબાણને કારણે તેઓ ભારે માનસિક તણાવમાં હતા, જેના અંતે તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છ.પાટણના સાંતલપુરના મામલતદારે માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ મામલે હવે થરાદ પોલીસ મથકે ૧૧ જેટલા શખ્સો સામે નામજાેગ ફરિયાદ નોંધવામાં આવી છે. સાંતલપુરના મામલતદારે તાજેતરમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી ગટગટાવી લીધું હતું. તેમની તબિયત લથડતા તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ગંભીર હાલત જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેઓ નિષ્ણાંત…
સુરત પાલિકા તંત્ર હવામાં પ્રદુષણ અટકાવવા માટે પગલાં ભરે છે.પાલિકાના રસ્તા બનાવવાની કામગીરી દરમિયાન નંખાતું મટીરીયલ્સ લોકો માટે આફત.ગ્રીન નેટ સહિતની ગાઈડ લાઈન નો અમલ ન કરતી બાંધકામ સાઈટને દંડ કરી રહી છે.દેશના દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં વાયુ પ્રદૂષણની માત્રામાં અધધ વધારો થતા સુરત પાલિકાએ બાંધકામ સાઈટ માટે ગાઈડલાઈન જાહેર કરી હતી જેમાં ગ્રીન નેટ સહિતની ગાઈડ લાઈન નો અમલ ન કરતી બાંધકામ સાઈટને દંડ કરી રહી છે. પરંતુ બીજી તરફ સુરત પાલિકા વિસ્તારમાં અનેક જગ્યાએ રોડ બની રહ્યાં છે અને રોડ બન્યા બાદ ડામર રોડ પર જે ઝીણું મટીરીયલ્સ નાખવામાં આવે છે તે જાહેર રસ્તા પર દિવસો સુધી…
કાર ઉત્પાદકની મોટી સિદ્ધિ, રોબોટ માણસની જેમ સ્ટેજ પર ચાલે છે , તેનો ખાસ હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે સીઈએસ 2026 માં , હ્યુન્ડાઇની માલિકીની બોસ્ટન ડાયનેમિક્સે તેના હ્યુમનોઇડ રોબોટ, એટલાસનું અનાવરણ કર્યું, જે માણસની જેમ ફરે છે. કંપનીએ જાહેરાત કરી હતી કે આ રોબોટનું ઉત્પાદન સંસ્કરણ, જે કાર એસેમ્બલ કરવામાં સક્ષમ છે, 2028 સુધીમાં હ્યુન્ડાઇની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન સુવિધામાં તૈનાત કરવામાં આવશે એસવીએન,જ્યોર્જિયા હ્યુન્ડાઇ સમર્થિત બોસ્ટન ડાયનેમિક્સે સીઈએસ 2026 માં તેનો હ્યુમનોઇડ રોબોટ અલ્ટાસ પ્રદર્શિત કર્યો. કંપનીના હ્યુમનૉઇડ રોબોટ્સના જનરલ મેનેજર ઝાચેરી જેકોવસ્કીએ પહેલીવાર જાહેરમાં એટલાસનું સ્ટેજ પર સ્વાગત કર્યું . આ પછી , લાસ વેગાસની એક હોટલના બોલરૂમમાં…
પિતા અંગે ટિપ્પણી પર થયો હતો વિવાદ.ભાજપના દિગ્ગજ નેતાએ રિતેશ દેશમુખની માંગી માફી.રવીન્દ્ર ચવ્હાણ લાતૂરમાં જનમેદનીને સંબોધન કરી રહ્યા હતા જ્યાં લોકોનો ઉત્સાહ જાેઈ કહ્યું હતું કે હું ૧૦૦ ટકા કહું છું કે વિલાસરાવ દેશમુખની સ્મૃતિ આ શહેરમાંથી ભૂંસાઈ જશે.મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણની ભાષણ દરમિયાન જીભ લપસી જતાં વિવાદ છંછેડાયો છે. તેમની ટિપ્પણી પર બૉલીવુડ અભિનેતા રિતેશ દેશમુખે વીડિયો જાહેર કરી તંજ કસ્યો છે. એક દિવસ પહેલા રવીન્દ્ર ચવ્હાણ લાતૂરમાં જનમેદનીને સંબોધન કરી રહ્યા હતા જ્યાં લોકોનો ઉત્સાહ જાેઈ કહ્યું હતું કે હું ૧૦૦ ટકા કહું છું કે વિલાસરાવ દેશમુખની સ્મૃતિ આ શહેરમાંથી ભૂંસાઈ જશે. વિલાસરાવ દેશમુખ રિતેશ દેશમુખના…
હાઈકોર્ટે તમિલનાડુ સરકારની ઝાટકણી કાઢી.દરગાહ VS મંદિર વિવાદમાં દીપ પ્રગટાવવા અનુમતિ.દીવો પ્રગટાવવાના અગાઉના આદેશને યથાવત રાખ્યો છે આ ર્નિણયને સત્તારૂઢ DMK સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.તમિલનાડુના પ્રસિદ્ધ થિરુપરંકુંદ્રમ પહાડી પર કાર્તિગઈ દીપમ પ્રગટાવવાને લઈને ચાલી રહેલા લાંબા વિવાદમાં મદ્રાસ હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે પહાડી પર આવેલા પથ્થરના સ્તંભ(દીપથૂન) પર દીવો પ્રગટાવવાના અગાઉના આદેશને યથાવત રાખ્યો છે. આ ર્નિણયને સત્તારૂઢ DMK સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. જસ્ટિસ જી. જયચંદ્રન અને કે.કે. રામકૃષ્ણનની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે જે જગ્યાએ આ પથ્થરનો સ્તંભ આવેલો છે, તે જગ્યા મૂળભૂત રીતે ભગવાન સુબ્રમણ્યમ સ્વામી…
અર્ધકુંભ મેળાને લઇને સરકારે આપ્યો સંકેત.હરિદ્વારના ગંગા ઘાટમાં બિન-હિન્દુઓના પ્રવેશ અંગે કડક નિયમો.૧૦૫ ઘાટ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા અને હરિદ્વાર-ઋષિકેશને સનાતન પવિત્ર શહેરો તરીકે જાહેર કરવાના પ્રસ્તાવો ચાલી રહ્યા છે.ઉત્તરાખંડ સરકાર ૨૦૨૭ના અર્ધ કુંભ મેળાને જાેતા અપેક્ષાએ હરિદ્વારના ગંગા ઘાટમાં બિન-હિન્દુઓના પ્રવેશ અંગે કડક નિયમો પર વિચાર કરી રહી છે. ૧૦૫ ઘાટ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા અને હરિદ્વાર-ઋષિકેશને સનાતન પવિત્ર શહેરો તરીકે જાહેર કરવાના પ્રસ્તાવો ચાલી રહ્યા છે. સરકારનો ઉદ્દેશ્ય ભીડ નિયંત્રણ, સુરક્ષા અને ધાર્મિક પવિત્રતા જાળવવાનો છે. અર્ધ કુંભ મેળાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકાર હરિદ્વાર ક્ષેત્રમાં ગંગા ઘાટ પર બિન-હિન્દુઓના પ્રવેશ અંગે કડક નિયમો લાગુ કરવા પર…
સોનિયા ગાંધીની તબિયત બગડી.સોનિયા ગાંધી સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરાયા.કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મંગળવારે સવારે તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોની એક ટીમ તેમનું નિરીક્ષણ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી છેલ્લા કેટલાક વર્ષોથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. આ જ કારણે તેઓ નિયમિત તપાસ અને સારવાર માટે સમયાંતરે હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા…
ચિકન નેક બન્યું અભેદ્ય કિલ્લો.બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારતે બોર્ડર પર બનાવી ૧૨ ફૂટ ઊંચી સ્માર્ટ ફેન્સિંગ.સીમા સુરક્ષા દળ (BSF)એ અત્યંત મહત્ત્વની ચિકન નેક (સિલીગુડી કોરિડોર) વિસ્તારમાં સરહદ સુરક્ષા વધુ મજબૂત કરી દીધી છે.બાંગ્લાદેશમાં અશાંતિ ઉભી થયા બાદ ભારતીય સેના સરહદ પર હાઈએલર્ટ છે. ભારતીય સેનાએ હવે બાંગ્લાદેશી ઘૂસણખોરોની ભારતીય સરહદમાં ઘૂસણખોરી અશક્ય કરી નાખી છે. સીમા સુરક્ષા દળ (BSF)એ અત્યંત મહત્ત્વની ચિકન નેક (સિલીગુડી કોરિડોર) વિસ્તારમાં સરહદ સુરક્ષા વધુ મજબૂત કરી દીધી છે. આ ક્રમમાં સેનાએ લગભગ ૭૫ ટકા સરહદી વિસ્તારમાં નવી ડિઝાઈની ફેન્સિંગ લગાવી દીધી છે. બીએસએફ અધિકારીઓને ટાંકીને કહેવાયું છે કે, ભારતીય સેનાએ ભારત-બાંગ્લાદેશ પરના સંવેદનશીલ વિસ્તારોમાં નવી…
વિસ્તારના રહીશોએ રેલી કાઢીને કમિશનર, કલેક્ટરને રજૂઆત કરી.મહેસાણામાં શુદ્ધ પાણીના સમ્પ પાસે ભૂગર્ભ ગટરનું પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે રોષ.વોટર વર્ક્સ હેડના કમ્પાઉન્ડમાં જ જીયુડીસી દ્વારા ભૂગર્ભગટરના ગંદા માટેનું પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરાઈ.મહેસાણાના ગાંધીનગર લિન્ક રોડ નજીક નર્મદાના પાણીના ૫૦ લાખ લિટરના સમ્પ પાસે જ ભૂગર્ભગટરનું પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે વિસ્તારના રહીશોએ સોમવારે રેલી કાઢીને રજૂઆત કરી હતી. મહેસાણાના ગાંધીનગર લિન્ક રોડ, માનવઆશ્રમ સહિત વિસ્તારની ૩૦૦ જેટલી સોસાયટીઓના ૫૦ હજારથી વધુ લોકોને ખારી નદી પાસે બનાવેલા વોટર વર્ક્સ હેડ ખાતેના ૫૦ લાખ લિટર ક્ષમતાના સમ્પમાંથી નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જે વોટર વર્ક્સ હેડના કમ્પાઉન્ડમાં જ જીયુડીસી દ્વારા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



