- પશ્ચિમ બંગાળમાં ગેરરીતિ બાદ ચૂંટણી પંચે 15 બૂથ પર ફરી મતદાનનો આદેશ, દક્ષિણ 24 પરગણામાં તણાવ વધ્યો
- વંદે ભારત ટ્રેનના નાસ્તામાં કીડા મળતાં મુસાફરોની તબિયત બગડી, રેલવે તપાસના આદેશ
- અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ઈરાન તણાવ વધ્યો, 6500 ટન સૈન્ય સામગ્રી મોકલાતા યુદ્ધની આશંકા તીવ્ર
- અમદાવાદ કચેરીમાં QR કોડથી અશાંતધારા નકલી પરમિશન કૌભાંડ ખુલ્યું, એજન્ટ સામે ગુનો
- કોમર્શિયલ LPG સિલિન્ડર ₹993 મોંઘો, ખાણીપીણીના ભાવ વધવાની શક્યતા
- અમેરિકા દ્વારા ભારતને ₹117 કરોડની 657 પ્રાચીન કળાકૃતિઓ પરત, તસ્કરી પર મોટો પ્રહાર
- મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસનો હુંકાર, EVM મુદ્દે ચૂંટણી પંચ-ભાજપ સામે વિરોધ
- અક્ષય કુમારના પુત્ર આરવનો ફિલ્મોથી ઈનકાર, ફેશનમાં કારકિર્દી અને ₹4500થી શરૂઆત
Author: Garvi Gujarat
ફિલ્મ ૩૦ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.રામ ચરણની ફિલ્મ ‘પેડ્ડી’ એ રિલીઝ પહેલા જ રેકોર્ડ બનાવ્યો.આ ફિલ્મ રામ ચરણ માટે પણ ખૂબ જ આનંદની ક્ષણ છે, જે તાજેતરમાં જાેડિયા બાળકોના પિતા બન્યા છે.રામ ચરણની ફિલ્મ ‘પેડ્ડી’ મોટા પડદા પર આવે તે પહેલાં જ, તેણે પોપ કલ્ચરમાં પોતાની છાપ છોડી દીધી છે. તેના પગને સ્પર્શતા બીટ્સ અને ભવ્ય દ્રશ્યો સાથે, ફિલ્મનો શરૂઆતનો ટ્રેક ‘ચિકિરી ચિકિરી’ એ એકમ અલગ જ પ્રજ્કારની સંવેદનાઓ ઉભી કરી દીધી છે. જેનાથી ચાહકોને રામ ચરણની આગામી મોટી ફિલ્મની આતુરતાથી રાહ જાેવાનું બીજું કારણ મળ્યું છે. આ ગીત, જેમાં રામ ચરણ સાથે જાહ્નવી કપૂર પણ છે,…
પ્રસંગોને લઈને સામાજિક બંધારણ તૈયાર કરાયું.પંચમહાલ: કુરિવાજાે-ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની અનોખી પહેલસામાજિક પ્રસંગોમાં થતા ખોટા કુરિવાજાે, ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની ભદ્રાલા ગામે બેઠક યોજવામાં આવી.પંચમહાલના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની નવી લહેર જાેવા મળી છે. જેમાં સામાજિક પ્રસંગોમાં થતા ખોટા કુરિવાજાે, ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની ભદ્રાલા ગામે યોજાયેલી બેઠકમાં બંધારણ ઘડવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી સામે મધ્યમ અને ગરીબ વર્ગનો માણસ જ્યારે આર્થિક ભીંસ અનુભવી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની એક અનોખી પહેલ શરૂ થઈ છે. લગ્ન અને મરણ જેવા પ્રસંગોએ થતાં બિનજરૂરી ખર્ચ અને કુરિવાજાે દૂર કરી…
ગીરનારની તળેટીમાં હાલ મહાશિવરાત્રીના મેળાની ઉજવણી.ગીરનાર મહાશિવરાત્રીના મેળામાં ૧૧મીએ મૈથિલી ઠાકુર અને રાજભા ગઢવીની પ્રસ્તુતિ.ગાયિકા મૈથિલી ઠાકુર પોતાના સૂર રેલાવશે તથા લોકસાહિત્યકાર રાજભા ગઢવી પણ પ્રસ્તુતિ રજૂ કરવાના છે.ગીરનારની તળેટીમાં હાલ મહાશિવરાત્રીના મેળાની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે આ આયોજનમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાય તેવું આયોજન સરકારી તંત્રએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું કર્યું છે. જેમાં તારીખ ૧૧મી ફેબ્રુઆરીએ ગાયિકા મૈથિલી ઠાકુર પોતાના સૂર રેલાવશે તથા લોકસાહિત્યકાર રાજભા ગઢવી પણ પ્રસ્તુતિ રજૂ કરવાના છે, ત્યારે બંને કલાકારોએ આ શિવરાત્રી મેળામાં સહ પરિવાર ઉપસ્થિત રહેવા અપીલ કરી છે. જુનાગઢમાં ગીરનારની તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીના મેળામાં જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને…
ફોર્મ-૭ દ્વારા સાચા મતદારોને નિશાન બનાવવાનો આક્ષેપવડોદરામાં કોંગ્રેસનો ભાજપ-ચૂંટણી પંચ સામે આક્ષેપએક વ્યક્તિ પાસે અનેક EPIC આઈડી :ગોટાળાનો દાવો.વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ પત્રકાર પરિષદ યોજીને સત્તાધારી ભાજપ અને ઇલેક્શન કમિશન પર વોટ ચોરીનો ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે ડિજિટલ પ્રેઝન્ટેશન દ્વારા દાવો કર્યો છે કે, શહેરના સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ-૭નો દુરુપયોગ કરી એક મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, વડોદરા શહેર કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ ખોટા વાંધા ઉઠાવીને મતદારોને યાદીમાંથી બહાર કરવામાં આવી રહ્યા છે. શહેરની પાંચ વિધાનસભા બેઠકોમાં કુલ ૪૬,૨૬૬ મતદારોના નામ કમી…
૨૧૮ બોટલ જપ્ત, પુત્ર ફરાર.ભાજપ નેતાના ખેતરમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ!.વિંછીયામાં પોલીસના દરોડા, જિલ્લા પંચાયતના સદસ્ય સવિતાબેન વસાણીની વાડીમાં ધમધમતી હતી મિનિ ફેક્ટરી.રાજકોટના વિંછીયા તાલુકાના અમરાપુર ગામની સીમમાં આવેલી એક વાડીમાં રાજકોટ રૂરલ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે દરોડા પાડીને નકલી ઈંગ્લિશ દારૂ બનાવતી એક મિનિ ફેક્ટરી નો પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે જે ખેતરમાં આ ગોરખધંધો ચાલતો હતો, તે રાજકોટ જિલ્લા પંચાયતના પીપરડી બેઠકના ભાજપના મહિલા સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ સવિતાબેન વસાણીનું છે, જેના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે. પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે અમરાપુર ગામની સીમમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના…
ભારતીય રેલવેમાં ID ચકાસણી ફરજિયાત.બાંગ્લાદેશ અને નેપાળ સરહદના વિસ્તારોમાં રિઝર્વ ટ્રેનોમાં કડક નિયમો.મુસાફરી માટે ઓળખ પુરાવાની ચકાસણી ફરજિયાત રહેશે, આ પગલું સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે.રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે બાંગ્લાદેશ અને નેપાળ સહિત આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તારોમાં ચાલતી રિઝર્વ ટ્રેનોમાં મુસાફરી માટે ઓળખ પુરાવાની ચકાસણી ફરજિયાત રહેશે. આ પગલું સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે. અત્યાર સુધી ટ્રેનમાં નામ જણાવવામાં આવતાં અથવા તો સીટ નંબર કહેવામાં આવતાં પુષ્ટિ થઈ જતી હતી. જાેકે હવે જે નામની સીટ હશે એનુંt ID ચેક કરવામાં આવશે. જાે એક કરતાં વધુ વ્યક્તિ હોય તો કોઈ પણ એક વ્યક્તિની…
દર્દીઓને મળશે લાભ.સિવિલમાં હવે પેશાબની જટિલ સમસ્યાનું થશે ફ્રી અને સચોટ નિદાન.૧૨૦૦ બેડ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગની ઓપીડીમાં દર બુધવાર-શનિવારે દર્દીઓ આ સુવિધાનો લાભ મેળવી શકશે.અમદાવાદ સિવિલ હોસ્પિટલ વિવિધ ક્ષેત્રોમાં દર્દીઓ માટે ખુબ સુંદર કામ કરી રહી છે. હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે વિવિધ ટેક્નોલોજી પણ અપનાવવામાં આવી રહી છે. હવે સિવિલના યુરોલોજી વિભાગમાં ૫૫ લાખના ખર્ચે આધુનિક યુરોડાયનેમિક સ્ટડી સેવાની શરૂઆત કરવામાં આવી છે. યુરોડાયનેમિક સ્ટડી દ્વારા મૂત્રાશય અને મૂત્રનળી કેવી રીતે કાર્ય કરે છે તેની ચોક્કસ તપાસ શક્ય બનશે. યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહ જણાવે છે કે, “આ તપાસથી પેશાબની સમસ્યા ધરાવતા દર્દીને ચોક્કસ નિદાન મળે છે, જેના આધારે…
જાણો કઈ કૃષિયોજના પાછળ સૌથી ઓછો ખર્ચ.૨૦૨૫ના બજેટની ૬૦% રકમ નવ મહિને પણ ન વપરાઈ.૫૩ યોજનાઓમાંથી ૬ યોજનાઓ પર ૪૦%થી ઓછો ખચ.સરકારે આ નાણાકીય વર્ષમાં પોતાની સૌથી મોટી યોજનાઓ પર ૪૦% બજેટ જ ખર્ચ કર્યું છે. આ એ યોજનાઓ છે જેના માટે લગભગ ૫૦૦ કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું. આ યોજનાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સંયુક્ત રીતે ખર્ચ કરવાનો છે. આ યોજનાઓમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારો, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના સામેલ છે. આ ઉપરાંત મનરેગા અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના પર…
સિંધુ બાદ પાકિસ્તાનને વધુ એક ઝટકો.ચિનાબ નદી પર હાઈડ્રો પ્રોજેક્ટ માટે ભારત સરકારે ટેન્ડર જાહેર કર્યું.NHPC એ અંદાજે રૂ.૫,૧૨૯ કરોડ ના ખર્ચે તૈયાર થનારા સાવલકોટ હાઈડ્રો પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી.ભારત સરકારે પાકિસ્તાન સાથેના જળ વિવાદ અને સિંધુ જળ સંધિ (IWT) ના તણાવ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી મામલે એક મોટો વ્યૂહાત્મક પ્રહાર કર્યો છે. NHPC એ અંદાજે રૂ.૫,૧૨૯ કરોડ ના ખર્ચે તૈયાર થનારા સાવલકોટ હાઈડ્રો પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. NHPC દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડર મુજબ, આ આખો પ્રોજેક્ટ એક જ પેકેજ હેઠળ તૈયાર કરવામાં આવશે. જેમાં ડાઈવર્ઝન્ટ ટનલનું નિર્માણ, કોફર ડેમ, માંડિયા નાલા ડીટી…
બુમરાહ બાદ હવે ધાકડ બેટ્સમેન પડ્યો બીમાર.બેટ્સમેન અભિષેક શર્માની તબિયત અચાનક બગડી.મોહમ્મદ સિરાજે કહ્યું, “બધું બરાબર છે, તેને પેટમાં દુખાવો હતો અને તેથી જ તે ફિલ્ડિંગમાં આવ્યો ન હતો.સૂર્યકુમાર યાદવ એક મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો છે; તેમણે આગામી મેચ માટે પોતાના હીરોને બેન્ચ પર બેસાડવો પડી શકે છે. આ દરમિયાન, સમાચાર આવ્યા કે અભિષેક શર્માની તબિયત પણ બગડી ગઈ છે. નોંધનીય છે કે જસપ્રીત બુમરાહને પણ બીમારીને કારણે પહેલી મેચ ગુમાવી પડી હતી. ભારતીય ક્રિકેટ ટીમે ્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ની શાનદાર શરૂઆત શાનદાર જીત સાથે કરી હતી. પહેલી મેચમાં ટીમે યુનાઇટેડ સ્ટેટ્સને ૨૯ રનથી હરાવ્યું હતું. જાેકે, સૂર્યકુમાર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



