Author: garvigujrat

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભણતર કે કલાને ઉંમર ના કોઈ સીમાડા નડતા નથી કે બંધનો નડતાં નથી. એનો દાખલો રાજસ્થાનના પૂર્વ સૈનિકે સાબિત કરી બતાવ્યો છે. એટલું જ નહીં અન્ય આળસુ લોકો માટે પ્રેરણારૂપ પણ બન્યા છે. આ વાત છે રાજસ્થાનના એક ભૂતપૂર્વ સૈનિકે ૧૩૮ ડિગ્રી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો મેળવ્યા છે. એની જે મોટાભાગના વ્યક્તિઓ ધ્વારા રાખવામા આવતી એકથી પાંચ લાયકાતની સામાન્ય સંખ્યા કરતાં ઘણી વધારે છે. ઝુનઝુન જિલ્લાના રહેવાસી દશરથસિંહને તાજેતરમાં જ ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટી (IGNOU) ના દીક્ષાંત સમારોહમાં વૈદિક અભ્યાસમાં માસ્ટર ડિગ્રી ડિસ્ટિકશન સાથે પૂર્ણ કર્યા બાદ તેમની નવીનતમ લાયકાત એનાયત કરવામાં આવી હતી. ૫૫ વર્ષીય…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજકાલ દેશના વિવિધ ભાગોમાં નગર નિગમથી લઈને ધારાસભાની ચૂંટણીઓનો માહોલ ચાલી રહ્યો છે અને એની વચ્ચે ચાલતી SIR ( મતદાર યાદીઓની ખાસ સઘન સમીક્ષા) નો પણ વિરોધ કરાઇ રહ્યો છે. ત્યારે બૌધ્ધિકો, વકીલો, વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓના એક જૂથે મતદાર યાદીઓની ખાસ સઘન સમીક્ષા (SIR) તાત્કાલિક સમાપ્ત કરવાની માંગ કરી છે. જે તેમણે “નાગરિકોના અધિકારોની વિરુધ્ધ”; ગણાવી છે. અને જૂની મતદાર યાદીઓ ચાલુ રાખવા અને તેના આધારે ચૂંટણીઓ યોજવાની હાકલ કરી છે. આયોજક ધ્વારા જારી કરાયેલી પ્રેસ રીલીઝ અનુસાર શનિવારે અહી પ્રેસ કલબ ઓફ ઈન્ડિયા ખાતે માનવ અધિકાર સંગઠન "જન હસ્તક્ષેપ" ધ્વારા આયોજિત એક સેમિનારમાં આ…

Read More

MIT ઈન્સ્ટિટયૂટ સાથે જાેડાયેલા વૈજ્ઞાનિકોની શોધ પ્રોટીન ડિઝાઈન માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે ખાસ ગુણધર્માેવાળા પ્રોટીન તૈયાર કરીને નવી સારવારની પદ્ધતિઓ વિકસાવવામાં મદદ મળશે વિશ્વવિખ્યાત એમઆઈટી ઈન્સ્ટિટયૂટ સાથે જાેડાયેલા વૈજ્ઞાનિકોએ પ્રોટીન ડિઝાઇન માટેની અદ્યતન એઆઈ ટૂલ્સ બનાવી છે. જેને વિશ્વભરના સંશોધકો માટે સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જાણકારોના મતે, આ નવી એઆઈ ટૂલ્સથી દવાઓ અને બાયોટેકનોલોજીમાં સુધારાને વેગ મળશે. રિપોર્ટ મુજબ, ઓપનપ્રોટીન.એઆઈ નામનું સ્ટાર્ટઅપ નો-કોડ પ્લેટફોર્મ લાવ્યું છે. જેના દ્વારા બાયોલોજીના સંશોધકો મશીન લર્નિંગની કોઈપણ જાણકારી વિના જ પ્રોટીન ડિઝાઇન અને વિશ્લેક્ષણ કરી શકે છે. આ પહેલા બાયોલોજી અને પ્રોગ્રામિંગની જાણકારી ધરાવનાર જ આ કાર્ય કરી…

Read More

ફિલ્મનું ટાઈટલ હજુ ફાઈનલ થવાનું બાકી સલમાન અને નયનતારાની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ સલમાન ખાનની ‘માતૃભૂમિ‘ ફિલ્મ સંરક્ષણ મંત્રાલયની મંજૂરીમાં અટવાઈ છે તે વચ્ચે તેની નવી ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું સલમાન ખાનની ‘માતૃભૂમિ‘ ફિલ્મ સંરક્ષણ મંત્રાલયની મંજૂરીમાં અટવાઈ છે તે વચ્ચે તેની નવી ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું છે. સાઉથના પ્રોડયૂસર દિલ રાજુ આ ફિલ્મ બનાવી રહ્યા છે અને સાઉથના નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક વામસી પેઈડીપલ્લી તેનું દિગ્દર્શન કરી રહ્યા છે. સલમાન સાથે નયનતારા આ ફિલ્મમાં લીડ હિરોઈન તરીકે છે. ફિલ્મનો મુહૂર્ત શોટ તાજેતરમાં મુંબઈ ખાતે લેવમાં આવ્યો હતો. પ્રોડયૂૂસર, ડિરેક્ટર તથા હિરોઈન પણ સાઉથનાં હોવા છતાં સલમાને ટ્રાવેલિંગ ન…

Read More

પાકિસ્તાની નામને કારણે વિવાદ ટાળવા પગલું સની દેઓલની ફિલ્મનું નવું ટાઈટલ બટવારા ૧૯૪૭ હોવાની ચર્ચા પ્રીતિ ઝિન્ટાનું લાંબા સમય બાદ મોટા પડદે પુનરાગમન થઈ રહ્યું છે. ફિલ્મ આગામી ઓગસ્ટમાં રીલિઝ થશે આમિર ખાનનાં પ્રોડકશન હેઠળની સની દેઓલની ફિલ્મનું ટાઈટલ બદલીને ‘બટવારા ૧૯૪૭’ કરવામાં આવ્યું હોવાની ચર્ચા ફરી શરુ થઈ છે. મૂળ આ ફિલ્મનું ટાઈટલ ‘લાહોર ૧૯૪૭’ છે. થોડા સમય અગાઉ પણ એવી ચર્ચા ચાલી હતી કે પાકિસ્તાની ટાઈટલને લીધે વિવાદ થાય તેવી સંભાવના હોવાથી આ ફિલ્મનું ટાઈટલ બદલાઈ શકે છે. જાેકે, આમિર ખાતે તે વખતે આવા અહેવાલોને ફગાવ્યા હતા. આ ફિલ્મ મૂળ નાટક ‘જિસને લાહોર નહિ દેખા વો જન્મ્યા હી…

Read More

‘રામાયણ’ વાલ્મીકિ દ્વારા રચાયેલ પ્રાચીન મહાકાવ્ય પર આધારિત છે આપણી ફિલ્મો વેસ્ટર્ન ઓડિયન્સને પણ જાેવી ગમે એવી બનાવવી પડશે : યશ ‘રામાયણ’ બે ભાગોમાં રિલીઝ થશે અને બંનેનું કુલ બજેટ આશરે ૫૦૦ મિલિયન ડૉલર છે રણબીર કપૂર અને યશની રામાયણના ગ્રાફિક્સ અને વીએફએક્સની ઘણી ચર્ચા છે. ઘણા લોકો આ ફિલ્મના વિષય સાથે વધુ પડતા વીએફએક્સને કારણે તેની ટીકા કરી રહ્યા છે, તો હોલિવૂડના ટેન્કિશીયન્સ દ્વારા થતા વર્લ્ડક્લાસ ગ્રાફિક બાબતે કેટલાક લોકો તેની અવતાર સાથે પણ સરખામણી કરી રહ્યા છે. આ ફિલ્મની પહેલી ઝલક લોંચ કરવામાં આવી છે, તેમાં રણબીરની ઝલક જાેવા મળી છે, પણ હજુ યશના રાવણ સ્વરૂપની ખાસ ઝોલક…

Read More

નિર્માતાઓએ આખરે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી આયુષ્માન-સારા ની ‘પતિ પત્ની ઔર વો દો’ ૧૫ મેએ રિલીઝ થશે પોસ્ટરમાં મુખ્ય અભિનેતા આયુષ્માન ખુરાનાને જાળમાં બતાવવામાં આવ્યો છે જ્યારે બાજુમાં એક વાઘ ખુલ્લો બેઠો છે મુદસ્સર અઝીઝ દ્વારા ડિરેક્ટ થયેલી, આયુષ્માન ખુરાના, સારા અલી ખાન, વામિકા ગબ્બી અને વિજય રાઝની પતિ પત્ની ઔર વો દો આ મે મહિનામાં રિલીઝ થશે. પ્રેક્ષકોને રાહ જાેવડાવ્યા પછી, ફિલ્મના નિર્માતાઓએ આખરે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જાહેરાત કરી કે આ ફિલ્મ ૧૫ મે, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જાહેરાતના પોસ્ટરમાં મુખ્ય અભિનેતા આયુષ્માન ખુરાનાને જાળમાં બતાવવામાં આવ્યો છે જ્યારે બાજુમાં…

Read More

CCTV ફૂટેજ બન્યું મહત્વપૂર્ણ પુરાવો દિલ્હીથી સુરતમાં હવાલા મારફતે કરોડો રૂપિયા આવ્યાની આશંકા છેલ્લા ચાર મહિનામાં એક કરોડ રૂપિયાથી વધુની રકમ આંગડિયા નેટવર્ક મારફતે સુરતમાં પહોંચાડવામાં આવી શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાં જ રાજકીય ગરમાવો વધ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મોટા હવાલા કાંડનો ભાંડાફોડ કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. પ્રાથમિક તપાસમાં દિલ્હીથી હવાલા મારફતે સુરતમાં કરોડો રૂપિયાની એન્ટ્રી થતી હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, છેલ્લા ચાર મહિનામાં એક કરોડ રૂપિયાથી વધુની રકમ આંગડિયા નેટવર્ક મારફતે સુરતમાં પહોંચાડવામાં આવી હતી. આ નાણાંનો ઉપયોગ શહેરમાં રાજકીય પ્રચાર, કાર્યકરોને સક્રિય કરવા…

Read More

Aadhaar App પર સરકારનો મોટો ર્નિણય સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ પ્લાન પડતો મૂકાયો ભારત સરકારે દેશમાં વેચાતા તમામ સ્માર્ટફોન્સમાં આધાર એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાના પ્રસ્તાવને પડતો મૂક્યો ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) એ આ વર્ષની શરૂઆતમાં આઈટી મંત્રાલયને વિનંતી કરી હતી કે, તેઓ Apple, Google અને Samsung જેવી કંપનીઓ સાથે વાતચીત કરે.UIDAI નો ઉદ્દેશ્ય હતો કે, તમામ નવા સ્માર્ટફોનમાં આધાર એપ પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી હોય. આનાથી સામાન્ય લોકો માટે બેંકિંગ અને ટેલિકોમ વેરિફિકેશન જેવી સેવાઓ સરળ બને. ડિજિટલ ઓળખની પહોંચ દરેક ભારતીય સુધી વધારી શકાય. અહેવાલ મુજબ, આઈટી મંત્રાલયે આ પ્રસ્તાવ પર સ્માર્ટફોન મેન્યુફેક્ચરર્સ સાથે ગહન ચર્ચા કરી હતી. જાેકે,…

Read More

સામે આવ્યું ચોંકાવનારું કારણ ઈરાન દ્વારા ખામેનેઈની દફનવિધિ કરાઈ નથી એવું માનવામાં આવે છે કે ઈરાની અધિકારીઓ મોટા જાહેર કાર્યક્રમ સાથે જાેડાયેલા જાેખમોનું આંકલન કરી રહ્યા છે ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનું ઈઝરાયલ-અમેરિકાના સંયુક્ત હુમલામાં મોત થયું હતું, પરંતુ તેમના શરીરને ઈરાન તરફથી અત્યાર સુધી અંતિમ વિદાય આપવામાં આવી નથી. ઘણા અઠવાડિયા વીતી ગયા હોવા છતાં ઈરાની અધિકારીઓએ તેમની અંતિમવિધિ અંગે ર્નિણય લીધો નથી. ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોતના ઘણા અઠવાડિયા પછી પણ તેમને સુપુર્દ-એ-ખાક કરવા અંગે ર્નિણય લઈ શકાયો નથી. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ અધિકારીઓ આ માટે સુરક્ષા કારણો અને લોજિસ્ટિક પડકારોનો હવાલો આપી રહ્યા…

Read More