
- યામી ગૌતમ સાથે ‘રાઝી’ સિક્વલ ચર્ચામાં, હરિન્દર સિક્કાનો વિવાદ ફરી ચર્ચામાં
- પ્રિયદર્શન સ્પષ્ટતા: ભૂત બંગલા ‘ભૂલ ભુલૈયા’ની સિક્વલ નહીં, સંપૂર્ણ નવી કથા
- મનોજ સોરઠીયા: સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ સામે જનતાની લડાઈ લડશે
- રાશા થડાનીનું સાઉથ ડેબ્યુ: લાર્જર ધેન લાઇફ સિનેમા સાથે નવી લવ સ્ટોરીમાં એન્ટ્રી
- ઈરાન–ઇઝરાયલ સંઘર્ષ અસર: અક્ષય કુમાર ફિલ્મનું દુબઈ શૂટિંગ રદ, મુંબઈમાં સ્થળાંતર
- ચૈતર વસાવાનો આક્ષેપ: ભારતીય જનતા પાર્ટી દબાણથી AAP કાર્યકરો પર ખોટી એફઆઈઆર કરે છે
- ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ: ભારતીય જનતા પાર્ટી સરકાર AAP કાર્યકરો પર કેસોથી દમન કરે છે
- આમ આદમી પાર્ટીનો આક્ષેપ: ભારતીય જનતા પાર્ટી અત્યાચારથી કાર્યકરોને ડરાવવાનો પ્રયાસ કરે છે
Author: Garvi Gujarat
મોદીએ બ્લોગ લખીને નહેરુ પર કર્યા પ્રહાર.સોમનાથ મંદિર પર ગઝનવીએ કરેલા હુમલાને ૧૦૦૦ વર્ષ પૂર્ણ.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના પુન:નિર્માણનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો છે.હિન્દુ આસ્થાના અતૂટ કેન્દ્ર ગણાતા સોમનાથ મંદિર પર ઈ.સ. ૧૦૨૬માં મહેમૂદ ગઝનવીએ કરેલા આક્રમણને ૧૦૦૦ વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક મંદિરની એક હજાર વર્ષની સફર અને તેના પુન:નિર્માણ અંગે પીએમ મોદીએ એક વિશેષ બ્લોગ લખ્યો છે, આ લેખમાં તેમણે મંદિરના પુન:નિર્માણનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો છે, તો બીજી તરફ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર નિશાન પણ સાધ્યું છે. પીએમ મોદીએ તેમના બ્લોગમાં કહ્યું કે, ભારતની આઝાદી બાદ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનું પવિત્ર કાર્ય સરદાર…
બોલવાનું પણ શરૂ કર્યું.કોમામાં જતો રહેલો ડેમિયન માર્ટિન મોતના મુખમાંથી બહાર આવ્યો!.ગોલ્ડ કોસ્ટની એક હોસ્પિટલમાં મેનિનઝાઈટિસ (મગજના તાવ) ની સારવાર લઈ રહેલા પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેમિયન માર્ટિન કોમામાંથી બહાર આવી ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું કે, ૫૪ વર્ષીય વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટરને ટૂંક સમયમાં ICUમાંથી બહાર ખસેડવામાં આવશે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બ્રોડકાસ્ટર ફોક્સ સ્પોર્ટ્સે બે દિવસ પહેલા કહ્યું હતું કે, માર્ટિન કોમામાંથી બહાર આવી ગયો છે અને પોતાના પ્રિયજનો સાથે વાત કરી રહ્યો છે. માર્ટિનના સાથી ખેલાડી રહેલા અને મિત્ર એડમ ગિલક્રિસ્ટે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૪૮ કલાકમાં કંઈક અવિશ્વસનીય જેવી ઘટના ઘટી છે. ડેમિયન હવે વાત કરી…
લેટર વાઈરલ થતાં જ તેમને તાત્કાલિક સસ્પેન્ડ.ભાજપના મંત્રી અપશબ્દો બોલ્યા તો કંઈ નહીં પણ અધિકારીએ લખ્યું તો સસ્પેન્ડ કરાયા.વિજયવર્ગીયના ચર્ચિત ઘંટા વાળા નિવેદનનો સરકારી આદેશમાં ઉલ્લેખ કરવો દેવાસના SDM આનંદ માલવિયાને ભારે પડી ગયું.મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના ચર્ચિત ઘંટા વાળા નિવેદનનો સરકારી આદેશમાં ઉલ્લેખ કરવો દેવાસના SDM આનંદ માલવિયાને ભારે પડી ગયું. લેટર વાઈરલ થતાં જ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આ કાર્યવાહીનો આદેશ ઉજ્જૈન વિભાગીય કમિશનર આશિષ સિંહે જારી કર્યો હતો. બીજી તરફ દેવાસ કલેક્ટર ઋતુરાજ સિંહે SDM ઓફિસમાં સહાયક ગ્રેડ-૩ અમિત ચૌહાણને પણ સસ્પેન્ડ કરી દીધા છે. વહીવટી ફેરબદલ કરતા અભિષેક શર્માને દેવાસના નવા જીડ્ઢસ્…
રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ.આધાર લિંક વગર સવારે ૮થી ૪ ટિકિટ બુક નહીં થાય.એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ નિયમ ફક્ત ટ્રેન ટિકિટ બુકિંગ શરૂ થાય તે પહેલા દિવસ માટે જ લાગુ પડે છે.ભારતીય રેલવેમાં ટિકિટ બુકિંગના નિયમોમાં એક મોટો ફેરફાર આજથી અમલમાં આવ્યો છે. જાે તમારું આધાર કાર્ડ તમારા IRCTC એકાઉન્ટ સાથે લિંક નથી તો તમે આજથી ૫ જાન્યુઆરીથી સવારે ૮ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી ટ્રેન ટિકિટ બુક કરી શકશો નહીં. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ નિયમ ફક્ત ટ્રેન ટિકિટ બુકિંગ શરૂ થાય તે પહેલા દિવસ માટે જ લાગુ પડે છે. તમારી માહિતી માટે રિઝર્વ…
શરૂ કરી પોતાની એથ્લીટ મેનેજમેન્ટ ફર્મ.નીરજે જણાવ્યું હતું કે આ પ્રકરણના અંત સાથે તે તેના એ જ મૂલ્યોને તેની કારકિર્દીના આગલા તબક્કામાં આગળ લઈ જઈ રહ્યો છે.સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ JSW સ્પોર્ટ્સ સાથેની લગભગ દાયકા જૂની ભાગીદારીનો અંત લાવ્યો છે. તેણે પોતાની એથ્લીટ મેનેજમેન્ટ કંપની વેલ સ્પોર્ટ્સ પણ શરૂ કરી છે. નીરજ ચોપરા ૨૦૧૬થી JSW સ્પોર્ટ્સ સાથે છે, આ સમય દરમિયાન તેની કારકિર્દી નવી ઊંચાઈએ પહોંચી છે. તેના ર્નિણય અંગે ૨૭ વર્ષીય નીરજએ કહ્યું, “છેલ્લા દાયકામાં અમારી યાત્રા વૃદ્ધિ, વિશ્વાસ અને સિદ્ધિઓથી ભરેલી રહી છે. JSW સ્પોર્ટ્સે…
સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો.મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ SC/ST/OBC નો હક.રાજસ્થાન હાઈકોર્ટના ર્નિણયને યથાવત્ રાખતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, યોગ્યતા ધરાવતા ઉમેદવારોને માત્ર તેમની અનામત શ્રેણી પૂરતા સીમિત રાખી શકાય નહીં.સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જાે અનામત વર્ગનો કોઈ ઉમેદવાર જનરલ કેટેગરીના કટ-ઓફ કરતા વધુ માર્કસ મેળવે છે, તો તેને શોર્ટ લિસ્ટિંગ વખતે ઓપન કેટેગરીનો ગણવો જાેઈએ. રાજસ્થાન હાઈકોર્ટના ર્નિણયને યથાવત્ રાખતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, યોગ્યતા ધરાવતા ઉમેદવારોને માત્ર તેમની અનામત શ્રેણી પૂરતા સીમિત રાખી શકાય નહીં. આ ચુકાદાથી સરકારી ભરતીઓમાં મેરિટ ને વધુ પ્રાધાન્ય મળશે અને તેજસ્વી ઉમેદવારો…
હજુ પારો ગગડવાની આગાહી!.ગુજરાત ઠૂંઠવાયું: નલિયા ૮ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર.હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી.ગુજરાતમાં હાલ હાડ થિજવતી ઠંડીનો દોર ચાલી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ન્યૂનતમ તાપમાનનો પારો ઘણો નીચો નોંધાયો હતો. કોલ્ડ સિટી નલિયામાં આ પારો ગગડીને ૮ ડિગ્રી સેલ્સીયસ સુધી પહોંચી જતાં, કચ્છમાં આ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે.છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં ન્યુનતમ તાપમાન નલિયામાં ૮.૦ ડિગ્રી સેલ્સીયસ, રાજકોટમાં ૯.૫ ડિગ્રી સેલ્સીયસ, ડીસામાં ૧૦.૮ ડિગ્રી સેલ્સીયસ, ભુજમાં ૧૧.૨ ડિગ્રી સેલ્સીયસ, ગાંધીનગરમાં ૧૨.૦ ડિગ્રી સેલ્સીયસ, દાહોદમાં ૧૨.૮ ડિગ્રી…
એકપણ હાઈકોર્ટે નિવૃત્તિ ન્યાયાધીશોની નિયુક્તિમાં રસ ન દાખવ્યો.સુપ્રીમની મંજૂરી છતાં હાઈકોર્ટમાં એક પણ એડ-હોક જજની નિમણૂક ન થઈ.રાષ્ટ્રપતિના હસ્તાક્ષરને બાદ કરતાં એડ-હોક ન્યાયાધીશોની નિમણૂક કરવાની પ્રક્રિયા પણ સમાન છે.સુપ્રીમ કોર્ટે પડતર ફોજદારી કેસોનો નિકાલ માટે નિવૃત્તિ ન્યાયાધીશોની એડ-હોક જજ તરીકે નિમણૂક કરવાની મંજૂરી આપ્યાના એક વર્ષ પછી પણ હજુ એકપણ એડ-હોક ન્યાયાધીશની નિમણૂક કરાઈ નથી. આ મુદ્દે હજુ સુધી કોઇ હાઈકોર્ટાેએ રસ દાખવ્યો નથી.સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરવાની પ્રક્રિયાથી વાકેફ લોકોના જણાવ્યા મુજબ ૨૫ ઉચ્ચ અદાલતોમાંથી કોઈએ પણ એડ-હોક ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે નામોની ભલામણ કરી નથી.આશરે ૧૮ લાખ પેન્ડિંગ ફોજદારી કેસોથી ચિંતિત સુપ્રીમ કોર્ટે ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ના…
ભારતનું નામ નથી, પાકિસ્તાન, બંગલાદેશ સહિતના દેશોનો સમાવેશ.ડોનાલ્ડ ટ્રમ્પે US માં સહાય મેળવતા ઇમીગ્રન્ટ્સના દેશોની યાદી જારી કરી.અમેરિકામાં સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભ લેતા દેશવાર ઇમિગ્રન્ટ્સ નામની આ યાદીમાં ૧૨૦ દેશો અને પ્રદેશોના નામ હતાં.અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે પાકિસ્તાન, ભૂતાન, ચીન, બાંગ્લાદેશ અને નેપાળ સહિતના કેટલાંક દેશોની યાદી જારી કરી હતી અને દર્શાવ્યું હતું કે આ દેશોના અમેરિકામાં રહેતાં ઇમીગ્રન્ટ્સ કેટલા પ્રમાણમાં અમેરિકાની સરકારની યોજનાનો લાભ મેળવે છે. જાેકે આ યાદીમાં ભારતનું નામ ન હતું. તેનું કારણ એ હોઇ શકે છે કે અમેરિકામાં રહેતા ભારતીય પરિવારોની વાર્ષિક આવકનું પ્રમાણ ઘણું ઉચું છે અને આર્થિક રીતે સદ્ધર છે. અમેરિકામાં સરકારી કલ્યાણકારી…
ગયા જુલાઇ મહિનામાં વિજય દેવરકોંડાની કિંગડમ રિલીઝ થઈ હતી.ગયા જુલાઇ મહિનામાં વિજય દેવરકોંડાની કિંગડમ રિલીઝ થઈ હતી.દેવરકોંડાની કિંગડમની હાઇપ અને માર્કેટિંગ પછી પણ ફિલ્મ વર્લ્ડવાઇડ માત્ર ૮૨ કરોડની જ કમાણી કરી શકી હતી.એક તરફ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નની અફવાઓ અને ચર્ચાઓમાં રોજ કશુંક નવું આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ તેના કૅરિઅરની સૌથી મહત્વની ફિલ્મ મનાતી કિંગડમની સિક્વલ હવે પડતી મુકાઈ છે. આ અંગે ફિલ્મના પ્રોડ્યુસર નાગા વમાસીએ જાહેરાત કરી દીધી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આ અંગે વાત કરવાનો કે કારણ આપવાનો પણ તેમણે ઇનકાર કરી દીધો હતો. ફિલ્મની સિક્વલ અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં નાગા વામસીએ જણાવ્યું હતું,…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



