Author: Garvi Gujarat

ગયા જુલાઇ મહિનામાં વિજય દેવરકોંડાની કિંગડમ રિલીઝ થઈ હતી.ગયા જુલાઇ મહિનામાં વિજય દેવરકોંડાની કિંગડમ રિલીઝ થઈ હતી.દેવરકોંડાની કિંગડમની હાઇપ અને માર્કેટિંગ પછી પણ ફિલ્મ વર્લ્ડવાઇડ માત્ર ૮૨ કરોડની જ કમાણી કરી શકી હતી.એક તરફ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નની અફવાઓ અને ચર્ચાઓમાં રોજ કશુંક નવું આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ તેના કૅરિઅરની સૌથી મહત્વની ફિલ્મ મનાતી કિંગડમની સિક્વલ હવે પડતી મુકાઈ છે. આ અંગે ફિલ્મના પ્રોડ્યુસર નાગા વમાસીએ જાહેરાત કરી દીધી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આ અંગે વાત કરવાનો કે કારણ આપવાનો પણ તેમણે ઇનકાર કરી દીધો હતો. ફિલ્મની સિક્વલ અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં નાગા વામસીએ જણાવ્યું હતું,…

Read More

‘પુષ્પા ૨’ નો રેકોર્ડ તોડ્યો.‘ધુરંધર’ ફિલ્મે રચ્યો ઇતિહાસ, ૮૦૦ કરોડ કમાનારી બોલિવૂડની પહેલી ફિલ્મ.૨૮ દિવસ પછી, ૨૦૨૬ના બીજા દિવસે ધુરંધર ફિલ્મે પહેલી વાર ૧૦ કરોડ રૂપિયાથી ઓછું કલેક્શન કર્યું હતું.બોલિવૂડની ફિલ્મ ‘ધુરંધર’એ નવો ઈતિહાસ રચ્યો છે. રણવીર સિંહની ધુરંધર ફિલ્મે ૮૦૦ કરોડથી વધુ કમાણી કરી છે, ત્યારે અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨’ ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આમ ધુરંધર ફિલ્મ બોલિવૂડમાં રૂ.૮૦૦ કરોડથી વધુની કમાણી કરનારી પહેલી ફિલ્મ બની છે.તમને જણાવી દઈએ કે, ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રિલીઝ થયેલી ધુરંધર ફિલ્મે સતત ૨૮ દિવસમાં ડબલ ડિજિટ કલેક્શન કર્યું છે. જેમાં પહેલા અઠવાડિયાથી ચોથા અઠવાડિયામાં ધુરંધર ફિલ્મ સતત રેકોર્ડ તોડતી રહી. ૨૮…

Read More

નેપોટિઝમ વિવાદ મુદ્દે જાેયા અખ્તરે આપ્યો જવાબ.નેપોટિઝમ વિવાદ મુદ્દે જાેયા અખ્તરે આપ્યો જવાબ.નવા કલાકારોને જે રીતે ઓનલાઇન બુલી કરવામાં આવ્યા તે જાેઈને મને ઘણું ખરાબ લાગ્યું હતું : જાેયા અખ્તર.મુંબઈ: બોલીવુડમાં નેપોટિઝમનો મુદ્દો હંમેશાં ચર્ચામાં રહ્યો છે. સ્ટાર-કિડ્સને મળતી તકો અને બહારથી આવતા કલાકારોના સંઘર્ષને લઈને સોશિયલ મીડિયા પર સતત વાદ-વિવાદ થતા રહે છે. ખાસ કરીને સુહાના ખાન અને અગસ્ત્ય નંદા જેવા સ્ટાર કિડ્સને લોન્ચ કરનારી ફિલ્મ ‘ધ આર્ચીઝ’ બાદ આ ચર્ચાએ વધુ જાેર પકડ્યું હતું. હવે જાણીતા ડાયરેક્ટર જાેયા અખ્તરે આ મામલે પોતાનો સ્પષ્ટ અને તાર્કિક અભિપ્રાય રજૂ કરીને ટીકાકારોને જવાબ આપ્યો છે.એક પોડકાસ્ટ દરમિયાન જાેયા અખ્તરે નેપોટિઝમની વ્યાખ્યાને…

Read More

આસપાસના લોકોએ સંભાળી.પૂજા દરમિયાન ફેમસ એક્ટ્રેસ અચાનક ધૂણવા લાગી!.અભિનેત્રીએ માલામાલ વીકલી, શોલા ઔર શબનમ, ઈમ્તેહાન પ્યાર કી, સિફર અને મિલન જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.ટીવી અને ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ સુધા ચંદ્રનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જાેઈ શકાય છે કે તે મા દુર્ગાની પૂજા દરમિયાન વિચિત્ર વર્તન કરતી જાેવા મળે છે, જેને જાેઈને સૌ ચોંકી ગયા છે. જાેકે, તેની આસપાસના લોકો તેને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુધાને દેવીમાં અપાર શ્રદ્ધા છે. આ વર્ષના કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી, જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં સુધા સફેદ પ્રિન્ટેડ સાડી પહેરેલી…

Read More

શ્યામલ ચાર રસ્તા પાસે આગની દુર્ઘટના.શ્યામલ વિસ્તારના શિલ્પ સિદ્ધિ ફ્લેટના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી.ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શિલ્પ સિદ્ધિ ફ્લેટના બેઝમેન્ટમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં પાર્ક કરેલા અનેક વાહનો લપેટમાં આવી ગયા હતા.શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ શ્યામલ ચાર રસ્તા પાસે આગની એક દુર્ઘટના સર્જાઈ છે. અહીં આવેલા શિલ્પ સિદ્ધિ ફ્લેટના બેઝમેન્ટમાં ઓચિંતી આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં પાર્ક કરેલા અનેક વાહનો લપેટમાં આવી ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ફ્લેટના બેઝમેન્ટમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે…

Read More

લોકોના જીવ સાથે રમત રમનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી.રાજપરમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો.મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો આ શખ્સ આસપાસના અનેક ગામડાઓમાં દવાઓ આપતો હોવાનું સામે આવ્યું.પોરબંદર જિલ્લામાં લોકોના જીવ સાથે રમત રમનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી. જેના આધારે રાજપર (નવાગામ) વિસ્તારમાં રેડ કરીને એક બોગસ ડોક્ટરને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો આ શખ્સ આસપાસના અનેક ગામડાઓમાં દવાઓ આપતો હોવાનું સામે આવ્યું છે. પોરબંદર SOG ટીમને બાતમી મળી હતી કે, રાજપર ગામના બસ સ્ટેન્ડ પાસે એક વ્યક્તિ ડિગ્રી વગર ક્લિનિક…

Read More

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ.૫% લાંચ લીધાની કબૂલાત બાદ કલેક્ટરના PA અને ક્લાર્કની બદલી.કલેક્ટર કચેરીમાં જમીનની ફાઈલો મંજૂર કરાવવા માટે લાંચનું ચોક્કસ માળખું ગોઠવાયેલું હતુ.કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. ઈડી (ED) દ્વારા કરવામાં આવેલી તપાસ અને પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા બાદ હવે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે પહેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલની ધરપકડ કરાઈ હતી, ત્યારે હાલ કલેક્ટરના PA જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલની પણ હાલ તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ મામલે ED ની તપાસમાં સૌથી ગંભીર બાબત એ…

Read More

૬.૭૯ લાખની માંડવાળ ફી વસૂલાઈ.ગુજરાતમાં તોલમાપ તંત્રની મોટી કાર્યવાહી કરવામાં આવી.૨૫ જિલ્લાઓમાં ૩૭૦ સોના-ચાંદીની દુકાનો અને જ્વેલરી શો રૂમની આકસ્મિક તપાસ કરાઈ.તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની ૩૭૦ જેટલી સોના- ચાંદી દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાઇ હતી જેમાં રાજ્યના ૨૫ જિલ્લાઓમાં વિવિધ એકમો ઉપર ૨૫૩ જેટલા પ્રોસિક્યુશન કેસ કરીને રૂ.૬.૭૯ લાખની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલાઈ હતી.ગત વર્ષ દરમિયાન વિવિધ વેપારીઓ પાસેથી વિવિધ ગેરરીતિ બદલ કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા કુલ રૂ.૧૮.૭૭ લાખથી વધુની માંડવાળ ફી વસૂલ કરાઈ હતી.ગ્રાહકોના હિતોની રક્ષા,વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં…

Read More

સરહદ પર હથિયારો સાથે સેના તહેનાત કરી.ટ્રમ્પની ધમકી બાદ કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખ ટેન્શનમા આવ્યા.દેશમાં હિંસા વધશે તો અનેક શર્ણાર્થીઓ મોટાપ્રમાણમાં પલાયન થવા મજબૂર થશે, જેના કારણે કોલંબિયા પર દબાણ આવશે.અમેરિકાએ વેનેઝુએલામાં ઘૂસીને સૈન્ય કાર્યવાહી કરીને રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કર્યા બાદ કોલંબિયા સરકારની ચિંતામાં વધારો થયો છે. કારણ કે ટ્રમ્પે માદુરોને કસ્ટડીમાં લીધા બાદ કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખને જીવ બચાવવાની ધમકી આપી હતી. કોલિબંયન સરકાર અને સુરક્ષા નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે, માદુરોની ધરપકડના કારણે દેશના અસ્થિરતા સર્જાઈ શકે છે, સરહદ પર તસ્કરી વધી શકે છે, દેશમાં હિંસા વધશે તો અનેક શર્ણાર્થીઓ મોટાપ્રમાણમાં પલાયન થવા મજબૂર થશે, જેના કારણે કોલંબિયા પર દબાણ આવશે.…

Read More

ફરી ખાખીને લાંછન લગાડતી શરમજનક ઘટના.પોલીસકર્મીઓએ એક યુવક સાથે અમાનવીય વર્તન કર્યું.નંબર પ્લેટ વગરની ગાડી બાબતે થયેલી બોલાચાલીમાં પોલીસકર્મીઓએ એક યુવક સાથે અમાનવીય વર્તન કર્યું હોવાના આક્ષેપો થયા છે.રક્ષક જ ભક્ષક‘ બને ત્યારે જનતાનો કાયદા પરથી વિશ્વાસ ઉઠી જતો હોય છે. સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર ખાખીને લાંછન લગાડતી શરમજનક ઘટના સામે આવી છે. સયાજીગંજ ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી અને કર્મચારીઓ પર એક નિર્દોષ યુવકને ઢોર માર મારવાનો ગંભીર આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ, વિવાદની શરૂઆત માત્ર નંબર પ્લેટ વગરની ગાડી બાબતે થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ પોલીસકર્મીઓએ માનવતા નેવે મૂકીને યુવક સાથે હિંસક વર્તન શરૂ કર્યું હતું.…

Read More