- ટ્રમ્પના દાવા બાદ ઈટલી PM જ્યોર્જિયા મેલોનીનો આકરા જવાબ, નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કોલકાતામાં અનોખો નજારો: હૂગલી નદી પર 500થી વધુ નૌકાઓમાં સામૂહિક યોગ
- ફૂટપાથ પર ચાલવું મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, સરકારને કાયદો બનાવવા નિર્દેશ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીઓના રાજીનામા, નવા ભરતી થયેલા કર્મીઓએ પણ છોડ્યો રસ્તો
- બેરોજગારી, ગરીબી અને મોંઘવારીના કારણે યુવાનો અને યુવતીઓ ખોટા માર્ગે ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ
- મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડના દાન અને દાગીના ગાયબ હોવાનો ગંભીર આરોપ
- સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ, પીડિતાને ₹5 લાખ વળતર
- મિડલ ઈસ્ટમાંથી રાહતના સમાચાર: LPG અને ક્રૂડ ઓઈલના 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
Author: Garvi Gujarat
ફિલ્મ ૧૦ એપ્રિલેે સિનેમાઘરોમાં રિલીઝ થશે અક્ષય, પરેશ રાવલ અને તબુની ફિલ્મ ‘ભૂત બંગલા’નું ટીઝર રિલીઝ ટીઝર લોન્ચ પહેલાં ફિલ્મના નિર્માતાઓએ ચાહકો માટે ખાસ એક્સક્લૂઝિવ ફેન સ્ક્રીનિંગનું પણ આયોજન કર્યું હતું અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શનની ફિલ્મ ભૂત બંગલાનું મજા આવે એવું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ ૧૦ એપ્રિલ ૨૦૨૬એ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.ટીઝર લોન્ચ પહેલાં ફિલ્મના નિર્માતાઓએ ચાહકો માટે ખાસ એક્સક્લૂઝિવ ફેન સ્ક્રીનિંગનું પણ આયોજન કર્યું હતું. જ્યાં ફિલ્મનું ટીઝર બતાવવામાં આવ્યું હતું. ૧ મિનિટ ૨૩ સેકન્ડનું ટીઝર એક ભયાનક દેખાતા મહેલના દૃશ્યથી શરૂ થાય છે, જ્યાં કોઈ રહસ્યમય અને ખતરનાક ઘટના બનતી દેખાય છે. પાછળથી અસરાનીનો…
આમ આદમી પાર્ટી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે એકદમ સજ્જ છે અને સાથે સાથે જ બીજી અન્ય પાર્ટીના ઈમાનદાર અને પ્રજાની સેવા કરવાની ભાવના સાથે રાજનીતિમાં જોડાયેલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે અમદાવાદ ખાતે આ કડીમાં બીજા મહત્વપૂર્ણ નામો જોડાયા છે. આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીની આગેવાનીમાં ખૂબ જ મોટું જોઈનિંગ થયું હતું. એનસીપીના અમદાવાદ શહેર મહામંત્રી દિપક સોલંકી (દાણીલીમડા વોર્ડ), અમદાવાદ શહેર મહામંત્રી કેતન કંસારા (મણિનગર વિધાનસભા), એનસીપી અમદાવાદના ઉપપ્રમુખ નિલેશ પટેલ (ગાંધીનગર દક્ષિણ વિધાનસભા), અમદાવાદના ઉપપ્રમુખ નૈલેશ સોલંકી (ગાંધીનગર દક્ષિણ વિધાનસભા) અને અમદાવાદ શહેર ઉપપ્રમુખ કર્ણિક ઠક્કર (ઇસનપુર – વટવા AC) આજે…
હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિસાવદર મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા સામાન્ય જનતાને લોકશાહીના પવિત્ર મંદિરમાં પહોંચાડવાની અનોખી પહેલ કરવામાં આવી રહી છે. આ જ અનુસંધાને આજે વિસાવદર મતવિસ્તારના વિવિધ ગામોના દેવીપૂજક સમાજના આગેવાનોને ગાંધીનગર આમંત્રિત કરી તેમને વિધાનસભા ગૃહની કાર્યવાહી નજીકથી જોવા અને લોકશાહી પ્રક્રિયાને સમજવાનો અવસર આપવામાં આવ્યો હતો. ગામડાના છેવાડાના વર્ગના લોકોને વિધાનસભા સુધી પહોંચાડવાની આ પહેલને વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના જણાવ્યા મુજબ કદાચ પહેલી વાર દેવીપૂજક સમાજના આટલા મોટા પ્રમાણમાં લોકો ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવ્યા છે. મને જણાવતા અત્યંત ખુશી થાય છે કે, મારા…
૨૩૫ કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે એપ્રિલમાં જ ઉપરના સ્ટ્રક્ચરને તોડવાનું કામ શરૂ થશે અમદાવાદના ટ્રાફિક માટે મહત્ત્વનો ગણાતો સુભાષ બ્રિજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૩૫ કરોડ રૂપિયાના ખર્ચે નવો અને મોર્ડન બ્રિજ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જૂના બ્રિજનો સ્પાન બેસી જતાં તેને જાેખમી જાહેર કરી તોડી પાડવાનો ર્નિણય લેવાયો છે. જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં આ નવો પ્રોજેક્ટ પૂર્ણ કરી જનતા માટે ખુલ્લો મૂકવાનું લક્ષ્ય કોર્પોરેશનનું છે. મળતી માહિતી અનુસાર, આગામી પહેલી એપ્રિલથી ૧૫મી જૂન સુધીના અઢી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી રાખવામાં આવશે. સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બેરેજના ૩૦…
પુણેના વકીલે તિરંગાના અપમાનની ફરિયાદ નોંધાવી ટી૨૦ વર્લ્ડ કપ જીત્યાની ઉજવણી હાર્દિક પંડ્યાએ ભૂલ કરી નાખી ઉજવણી દરમિયાન તિરંગો લપેટીને હાર્દિક ફરતો જાેવા મળ્યો, પોડિયમ પર ગર્લફ્રેન્ડ સાથે સૂતો જાેવા મળ્યો ટી૨૦ વર્લ્ડ કપની ફાઈનલ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને શાનદાર જીત મેળવી અને ટ્રોફી જીતી. ખેલાડીઓએ મનમૂકીને ઉજવણી પણ કરી. પરંતુ ગુજ્જુ ખેલાડી હાર્દિક પંડ્યા ઉજવણીમાં એવી ભૂલ કરી બેઠો કે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. મહારાષ્ટ્રના પુણેના એક પોલીસ મથકમાં વકીલ વાજેદ ખાન બિડકરે આ મામલે હાર્દિક પંડ્યા વિરુદ્ધ કથિત રીતે રાષ્ટ્રીય ધ્વજના અપમાનની ફરિયાદ કરી છે…
ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ વધ્યા ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી દર વધીને ૩.૨૧% થયો ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો જાેવા મળ્યો જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર ૨.૭૫ ટકા હતો પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂ-રાજકીય સંકટ અને વૈશ્વિક વેપારમાં પ્રવર્તતી અનિશ્ચિતતાની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર જાેવા મળી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં દેશનો છૂટક મોંઘવારી દર વધીને ૩.૨૧ ટકા નોંધાયો છે. આ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના વિવાદને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર જાેખમ તોળાઈ રહ્યું છે. સરકારી આંકડાઓ અનુસાર જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર (CPI) ૨.૭૫ ટકા હતો, જે ફેબ્રુઆરીમાં વધીને ૩.૨૧ ટકા પર પહોંચ્યો છે. આ મોંઘવારી શહેરો…
ભોજનના ભાવ વધશે ગેસ સિલિન્ડરની તંગીથી ઉજ્જૈનમાં ભોજનાલય-રેસ્ટોરન્ટ માલિકો ટેન્શનમાં ઈરાન અને ઈઝરાયેલની વચ્ચે થઈ રહેલા યુદ્ધની અસર હવે મહાકાલેશ્વરની નગરીમાં પણ દેખાવા લાગી છે વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલની નગરી જેને ધાર્મિક નગરીના નામથી પણ ઓળખવામાં આવે છે. રોજ અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. જાે કે હાલમાં ઈરાન અને ઈઝરાયેલની વચ્ચે યુદ્ધના તણાવની અસર ઉજ્જૈનમાં પણ જાેવા મળી રહી છે. ઉજ્જૈનમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય પ્રભાવિત થઈ ગઈ છે. તેની સીધી અસર મહાકાલ મંદિર વિસ્તારમાં આવેલી ૩૫૦થી વધારે રેસ્ટોરન્ટ અને ભોજનાલય પર પડી છે. આ જગ્યા પર માત્ર બે દિવસનો ગેસ બચ્યો છે. આવી સ્થિતિમાં કેટલાક હોટલ માલિકો ભોજન…
ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મેડિકલ બિલના નવા નિયમો આવ્યા કુટુંબની વ્યાખ્યામાં સરકારી અધિકારીઓની બીજી પત્ની હોય તો તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી રાજ્ય સરકાર દ્વારા અધિકારી કર્મચારીના મેડિકલ બીલ માટે કુટુંબની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. તબીબી સારવારના ખર્ચના હેતુ માટે હવેથીકુટુંબ‘ માં કોનો સમાવેશ થશે તેની સ્પષ્ટતા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કુટુંબની વ્યાખ્યામાં સરકારી અધિકારી કે કર્મચારી પોતે અને તેના પર ર્નિભર સભ્યોનો સમાવેશ કરાયો છે. જાે કે આ વ્યાખ્યામાં સગીર વયના જ સભ્યોનો સમાવેશ કરાયો છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.…
બે દિવસ બાદ કરીશ મોટો ખુલાસો : રોહિત પવાર રોહિત પવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ અજિત પવારના વિમાન દુર્ઘટના કેસ અંગે એક મોટો ખુલાસો કરવાનો દાવો કર્યો મહારાષ્ટ્ર સરકારમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નેતા રહેલા સ્વર્ગસ્થ અજિત પવારના પ્લેન અકસ્માતના કેસમાં ધારાસભ્ય રોહિત પવારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના નેતા અને ધારાસભ્ય રોહિત પવારે જણાવ્યું કે, “હું ૨ દિવસ પછી એક મોટો ખુલાસો કરીશ.” પવારનું કહેવું છે કે રાહુલ ગાંધીએ…
તેનો હેતુ મંદિરોની પવિત્રતા જાળવવાનો છે ચારધામ મંદિરોમાં બિન-હિન્દુઓને પ્રવેશવા પર પ્રતિબંધ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા ઉત્તરાખંડના ૪૭ મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) એ ઉત્તરાખંડમાં તેના અધિકારક્ષેત્ર હેઠળના ૪૭ મંદિરોમાં બિન હિન્દુ કરનારાઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેમાં બદ્રીનાથ અને કેદારનાથનો સમાવેશ થાય છે. આ ર્નિણય દેહરાદૂન સ્થિત મંદિર સમિતિના કાર્યાલયમાં મ્દ્ભ્ઝ્રના પ્રમુખ હેમંત દ્વિવેદીની અધ્યક્ષતામાં યોજાયેલી બજેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. અધ્યક્ષે જણાવ્યું હતું કે, સમિતિ ચારધામ મંદિરોમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ ર્નિણય ફક્ત સનાતન ધર્મનો દાવો કરનારાઓને જ ચારધામ મંદિરો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



