Author: Garvi Gujarat

બાંગ્લાદેશની નવી સંસદ ૧૨ માર્ચે મળશે, રાષ્ટ્રપતિનો સત્તાવાર આદેશ આ સત્ર બાંગ્લાદેશના બંધારણના અનુચ્છેદ ૭૨(૧) હેઠળ બોલાવવામાં આવ્યું છે બાંગ્લાદેશમાં લોકસભા ચૂંટણી બાદ હવે નવી સંસદ કાર્યરત થવા જઈ રહી છે. દેશના રાષ્ટ્રપતિ એ ૧૨ માર્ચે સંસદનું પહેલું સત્ર બોલાવવાનો સત્તાવાર આદેશ જારી કર્યો છે. રાષ્ટ્રીય સંસદ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ સત્ર બાંગ્લાદેશના બંધારણના અનુચ્છેદ ૭૨(૧) હેઠળ બોલાવવામાં આવ્યું છે. બંધારણ મુજબ, સામાન્ય ચૂંટણીના પરિણામોની ગેઝેટ સૂચના બહાર પડ્યા બાદ ૩૦ દિવસની અંદર નવી ચૂંટાયેલી સંસદનું પ્રથમ સત્ર બોલાવવું ફરજિયાત છે. રાષ્ટ્રપતિ વડા પ્રધાનની લેખિત સલાહના આધારે સત્ર બોલાવે છે. આ નિયમ લોકતંત્રની પ્રક્રિયાને સમયસર આગળ વધારવા…

Read More

બંને દેશો વચ્ચે ૫ મોટી ડીલ્સની શક્યતા કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની પ્રથમ વખત ભારતની મુલાકાતે કેનેડા પાસે લિથિયમ અને કોબાલ્ટ જેવા ‘ક્રિટિકલ મિનરલ્સ‘નો મોટો ભંડાર છે, જે ઇલેક્ટ્રિક વાહનો ની બેટરી બનાવવા માટે જરૂરી છે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આ જ મહિને દિલ્હી પહોંચશે. આ મુલાકાત એવા સમયે અત્યંત મહત્વની માનવામાં આવે છે જ્યારે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને વેપારમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માર્ક કાર્ની મળીને બંને દેશોના સંબંધોનું ‘રીસેટ બટન‘ દબાવશે. છેલ્લા કેટલાક સમયથી ભારત અને કેનેડા વચ્ચે જે ખટાશ અને કડવાશ પેદા થઈ હતી, તે…

Read More

પાકિસ્તાનનું રાજકારણ ગરમાયું જેલમાં બંધ ઈમરાન ખાનને અડધી રાત્રે હોસ્પિટલ ખસેડાયા આ દરમિયાન મંગળવારે પાકિસ્તાનમાં ત્યારે ખળભળાટ મચી ગયો. જ્યારે તેમના સમર્થકોને જાણવા મળ્યું કે ઈમરાન ખાનને રાત્રે ૨ વાગ્યે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા પાકિસ્તાનમાં સત્તા પરથી હટ્યા બાદ નેતાઓ માટે જીવન સરળ નથી. પૂર્વ પીએમ ઈમરાન ખાન ૩ વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ છે અને તેમના પરિવાર કે સમર્થકોને તેમને મળવાની પણ પરવાનગી નથી. એટલું જ નહીં, તેમના ખાનગી ડોક્ટરો અને વકીલોને પણ મળવા દેવામાં આવતા નથી. આ દરમિયાન મંગળવારે પાકિસ્તાનમાં ત્યારે ખળભળાટ મચી ગયો. જ્યારે તેમના સમર્થકોને જાણવા મળ્યું કે ઈમરાન ખાનને રાત્રે ૨ વાગ્યે હોસ્પિટલ લાવવામાં આવ્યા…

Read More

દિલ્હીના લોકો માટે સારા સમાચાર હોળીના તહેવારમાં મફત મળશે ન્ઁય્ ગેસ સિલિન્ડર દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયે ૫ ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી શેર કરી હતી દિલ્હીના લોકો માટે સારા સમાચાર છે. તેમને હોળી પર મફત સિલિન્ડર મળશે. રેખા ગુપ્તાની દિલ્હી સરકાર હોળીથી મફત સિલિન્ડર યોજના શરૂ કરશે. આ યોજના હેઠળ, DBT દ્વારા સીધા લાભાર્થીઓના ખાતામાં ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવશે. બધા રેશનકાર્ડ ધારકોને મફત સિલિન્ડર મળશે. માત્ર હોળી પર જ નહીં, પરંતુ દિલ્હીના રેશનકાર્ડ ધારકોને પણ દિવાળી પર મફત ગેસ સિલિન્ડર મળશે. દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયે ૫ ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી શેર કરી હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું…

Read More

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.801, ચાંદીમાં રૂ.2512 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.5ની નરમાઇ કોમોડિટી વાયદાઓમાં રૂ.23059.27 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.156225.5 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17892.30 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39911 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.179287.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.23059.27 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.156225.5 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 39911 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1595.95 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17892.30 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.160769ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.161233 અને…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ જણાવ્યું હતું કે આજે ગોંડલમાં ભગતપુરા પાર્ક ખાતે આવેલા સરસંગ પાર્કમાં રોડ,રસ્તા અને પાણીના પ્રશ્નો સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. આ પ્રશ્નો જીગીશાબેન પટેલ સુધી પહોંચ્યા હતા અને તેઓ સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા ત્યાં ગયા હતા. તે દરમિયાન અમુક તત્વો દ્વારા તેમની પર હુમલો કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને મોટી મોટી ગ્રાન્ટ મળવા છતાં પણ ત્યાં સ્થાનિક લોકોને મૂળભૂત સુવિધાઓ મળી રહી નથી. પ્રશ્નો હલ થતા નથી. અને જ્યારે કોઈ નેતા સ્થાનિક લોકોના પ્રશ્નો હલ કરવાની ભાવના સાથે આગળ વધે છે, ત્યારે આવી રીતે હુમલા કરાવવામાં આવે છે. હું આ…

Read More

આમ આદમી પાર્ટીના દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અમે વિધાનસભા ગૃહ સમક્ષ જણાવ્યું કે જે પણ રોડ નિર્માણના કામો જયારે અમારા જંગલના વિસ્તારમાં થતા હોય છે, ત્યારે વન વિભાગ દ્વારા અલગ અલગ કારણો બતાવીને એનઓસી આપવામાં આવતી નથી અને રોડના કામકાજને અટકાવી દેવામાં આવે છે. ઘણી જગ્યાએ કોન્ટ્રાક્ટરોના વાહનોને પણ જપ્ત કરવામાં આવેલા છે અને લાખોના દંડ પણ ફટકારવામાં આવ્યા છે. જીતગઢથી જુનારાજ જતો જે રસ્તો છે તેને 2020-21થી મંજૂર કરવામાં આવેલ છે, છતાં પણ તેનું કામ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવા દેવામાં આવતું નથી. માટે અમે ગૃહમાં રજૂઆત કરી…

Read More

વિધાનસભામાં ખેડૂતોના મુદ્દે રજૂઆત કરવા અંગે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરી, 2026ના વિધાનસભાના દિવસે નાણામંત્રીએ બજેટ સાથે પૂરક બજેટ પણ રજૂ કર્યું હતું. આજનો દિવસ પૂરક માંગણીઓ પર ચર્ચાનો હતો. ચર્ચા દરમિયાન નાણામંત્રીએ તથા સરકાર તરફના અન્ય આગેવાનોએ સરકારની વાહવાહી કરતાં નિવેદનો આપ્યા કે ભાજપ સરકારે ખેડૂતોને માવઠામાં ખૂબ સહાય આપી અને તેમને આબાદ કરી દીધા વગેરે પ્રકારની વાતો ગૃહમાં કરવામાં આવી. પરંતુ મેં મારા વિસાવદર મતવિસ્તારના ખેડૂતોના પ્રશ્નો રજૂ કર્યા. માવઠા દરમિયાન થયેલ નુકસાનમાં અનેક કિસ્સાઓમાં ફોર્મ ભરાયા નથી, કેટલાક કિસ્સાઓમાં ફોર્મની પહોંચ આપવામાં આવી નથી, તો ક્યાંક ઈરાદાપૂર્વક સરકારના…

Read More

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, પરિવર્તન લાવો અને કિસાન બચાવોના બેનર હેઠળ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રવીણ રામ દ્વારા આજે 24 ફેબ્રુઆરીથી સોમનાથના ભગવાન મહાદેવના ધામથી “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા”ની શરૂઆત થઈ છે. ગુજરાતના ખેડૂતોના દેવા માફ થાય, ટ્રેડ ડીલ રદ્દ થાય, કડદા પ્રથા રદ્દ થાય તથા ખેડૂતોને વીમા યોજના હેઠળ પોતાની નુકસાનીને સહાય મળે તેને લઈને આ યાત્રાની શરૂઆત થઈ છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો શ્રમિકો, ભાગિયાઓ, ખેતમજૂરો…

Read More

આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત સોમનાથથી કરવામાં આવી. યાત્રાની શરૂઆત પહેલાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને આશીર્વાદ લીધા અને ત્યારબાદ AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેની પ્રથમ સભા ઘૂંસીયા ગામે યોજાઇ હતી. આ તકે સભાને સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ખેડૂત હિત અને યુવાનોના અધિકારો માટે શરૂ કરવામાં આવેલી આ યાત્રા સંઘર્ષ અને સંકલ્પની યાત્રા છે. તેમણે જણાવ્યું કે ૧૦૮ દિવસની તપશ્ચર્યા પૂર્ણ કરીને…

Read More