Author: Garvi Gujarat

વર્ગ-૩ની ભરતી પરીક્ષાની પદ્ધતિ બદલાઈ.તાંત્રિક અને બિન-તાંત્રિક પરીક્ષાઓના માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યા.આગામી તમામ વર્ગ-૩ની ભરતી પરીક્ષાઓ આ નવા સુધારા મુજબ લેવામાં આવશે.ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તાંત્રિક અને બિન-તાંત્રિક પરીક્ષાઓના માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઘણા લાંબા સમયથી પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો જે બાદ ૧૬ ડિસેમ્બરના રોજ સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવા ગુણભાર સાથેની વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે. આગામી તમામ વર્ગ-૩ની ભરતી પરીક્ષાઓ આ નવા સુધારા મુજબ લેવામાં આવશે. આ માળખા પ્રમાણે પરીક્ષાના પ્રશ્નપત્રને બે ભાગમાં જ રાખવામાં આવ્યું છે. અગાઉ ભાગ-મ્ માટે જે ૧૫૦ ગુણ નિર્ધારિત હતા, તેમાં ઘટાડો…

Read More

યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના તત્કાલિન મેનેજર સામે ફરિયાદ.પ્રવાસન વિભાગના બેંક ખાતામાંથી ૨ કરોડની છેતરપિંડી થઇ.લાંબા સમયથી નિષ્ક્રિય રહેલ ખાતું એક્ટિવ કરી, તેમાંથી મોટી રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી.ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખામાંથી રાજ્યના પ્રવાસન વિભાગના બેંક ખાતામાંથી રૂ. ૨ કરોડની છેતરપિંડી થવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે બેંકના તત્કાલિન મેનેજર હિમાંશુ ઝદોન તથા રિતેશ શેઠ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓએ ખોટા દસ્તાવેજાેના આધારે લાંબા સમયથી નિષ્ક્રિય રહેલ ખાતું એક્ટિવ કરી, તેમાંથી મોટી રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી. આ ગેરરીતિ અંગે જાણ થતાં બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આંતરિક તપાસ…

Read More

કારોબારી બેઠકમાં કિસાન સંઘે ઉઠાવ્યા આકરા સવાલ.ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો જ કેમ પરેશાન?.સરકાર ખેડૂતોની આર્થિક મજબૂરી સમજીને લોન માળખામાં જરૂરી ફેરફાર કરે અને ખેતીને આર્ત્મનિભર બનાવવા માટે નક્કર પગલાં ભરે.ગાંધીનગરમાં ખેડૂતોના પડતર પ્રશ્નો અને કૃષિ ક્ષેત્રની સમસ્યાઓના ઉકેલ માટે કિસાન સંઘની મહત્વની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના આગેવાનો મોટી સંખ્યામાં જાેડાયા હતા, જેમાં મુખ્યત્વે સિંચાઈનું પાણી, રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અને પાકના ટેકાના ભાવ (MSP) જેવા સળગતા મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. કિસાન સંઘના સહ પ્રચાર પ્રમુખ મનસુખ પટોડિયાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ખેતીપ્રધાન દેશ હોવા છતાં આજે પણ ખેડૂતોના પાયાના પ્રશ્નો ઉકેલાતા નથી,…

Read More

કંગાળ પાકિસ્તાન પર વર્લ્ડ બેન્કને દયા આવી.વર્લ્ડ બેન્કે ૭૦ કરોડ ડોલરના ફંડિંગને મંજૂરી આપી દીધી.આ મદદ બહુ-વર્ષિય યોજના અંતર્ગત આપવામાં આવી.પાકિસ્તાનની નબળી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે વર્લ્ડ બેન્કે મોટું પગલું ઉઠાવ્યું છે. બેન્કેે દેશની આર્થિક સ્થિતિ સુધારવા અને જાહેર સેવાઓને વધારે મજબૂત બનાવવાના ઉદ્શ્યથી ૭૦ કરોડ ડોલરના ફંડિંગને મંજૂરી આપી દીધી છે. આ મદદ બહુ-વર્ષિય યોજના અંતર્ગત આપવામાં આવી રહી છે, જેનાથી પાકિસ્તાનને લાંબા સમયમાં નાણાકીય સુધારા અને સારી સેવા ડિલીવરીમાં મદદ મળવાની આશા છે. વર્લ્ડ બેન્ક અનુસાર, આ રકમPublic Resources for Inclusive Development – Multiphase Programmatic Approach (PRID-MPA) અંતર્ગત જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત કૂલ ફંડિંગ ૧.૩૫…

Read More

BMC ની ચૂંટણીને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત.મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પાર્ટી એકલી ચૂંટણી લડશે.સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પાયાના સ્તરે થાય છે અને કોંગ્રેસ જાહેર મુદ્દાઓ પર સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડશે.મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નિથલાએ કહ્યું કે, પાર્ટી BMC માં એકલી ચૂંટણી લડશે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પાયાના સ્તરે થાય છે અને કોંગ્રેસ જાહેર મુદ્દાઓ પર સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડશે. આનાથી મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધન તૂટી ગયું છે કે કેમ તે અંગે સવાલો ઉભા થાય છે. BMC ચૂંટણીને લઈને કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નિથલાએ કહ્યું કે, લોકસભા અને વિધાનસભા ચૂંટણી અમે…

Read More

સટ્ટાબાજી એપ કેસમાં EDએ મોટી કાર્યવાહી , અભિનેત્રી નેહા શર્માની 1.26 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી બેટિંગ એપ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહીમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલિવૂડ અભિનેત્રી નેહા શર્માની ₹ 1.26 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તેના પર એપનો પ્રચાર કરવાનો અને ગેરકાયદેસર રીતે મળેલા નાણાંનું રોકાણ કરવાનો આરોપ છે એસવીએન,મુંબઈ બેટિંગ એપ્સ અને એક્સ-બેટ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરી છે. ED એ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભાગલપુરના ત્રણ વખતના ધારાસભ્ય અજિત શર્માની પુત્રી, બોલિવૂડ અભિનેત્રી નેહા શર્માની ₹ 1.26 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી PMLA હેઠળ…

Read More

‘ તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી ‘ પર વિવાદ વધ્યો ; કાર્તિક-અનન્યાની ફિલ્મ રિલીઝ પહેલા જ તેની સામે કેસ કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની રોમેન્ટિક કોમેડી ” તુ મેરા મેં તેરી મેં તેરા તુ મેરી ” વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ છે. અરજીમાં ધર્મા પ્રોડક્શન્સ , નમહ પિક્ચર્સ, સારેગામા અને રેપર બાદશાહને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે એસવીએન,મુંબઈ કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની ફિલ્મ ” તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી ” રિલીઝ પહેલા જ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મ 25 ડિસેમ્બરે ક્રિસમસના દિવસે…

Read More

ભરૂચમાં ધરતીકંપ.ભરૂચમાં પરોઢિયે પાંચ વાગે ૨.૮ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ.ભૂકંપનું કેન્દ્રબિન્દુ ભરૂચથી દુર જંબુસર નજીક નોંધાયું.ગુજરાતની ધરી ફરી એકવાર ધરતીકંપથી ધ્રુજી છે, આજે શનિવારે ભરૂચમાં વહેલી સવારે ૪.૪૬ વાગે ૨.૮ની તીવ્રતાના ભૂકંપનો આંચકો આવ્યો હતો. અચાનક ભૂકંપ આવતા લોકોમાં ફફડાટે ફેલાયો હતો, ભૂકંપનું આ વખતે કેન્દ્રબિન્દુ ભરૂચથી ૪૫ કિમી દુર જંબુસર નજીક નોંધાયુ હતુ. અગાઉ કચ્છના ખાવડા અને કચ્છ શહેરમાં પણ ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી હતી. ગુજરાતમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યાં છે, કચ્છની સાથે સાથે હવે ભરૂચમાં પણ ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. તાજા અપડેટ પ્રમાણે, આજે વહેલી સવારે ભરૂચમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, ભરૂચમાં વહેલી સવારે ૪.૪૬ વાગ્યે…

Read More

એક સમયે BCCI એ કૉન્ટ્રૅક્ટમાંથી પણ કાઢી મૂક્યો હતો.૭૫૦ દિવસ બાદ ભારતના સ્ટાર ખેલાડી ઈશાન કિશનની વાપસી.ઈશાને ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો ખિતાબ અપાવ્યો હતો : હરિયાણા સામેની ફાઈનલમાં સદી ફટકારી હતી.ઝારખંડ માટે અલગ-અલગ ઘરેલુ પ્રતિયોગિતામાં સારા એવા રન કરવાનું ઈશાન કિશનને ફળ મળ્યું છે. એક સમયે BCCI એ કૉન્ટ્રૅક્ટમાંથી પણ કાઢી મૂકેલા ઈશાનને ૭૫૦ દિવસ બાદ ટીમ ઈન્ડિયાએ સામેલ કરવાનો ર્નિણય લીધો છે. તાજેતરમાં ઈશાને ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો ખિતાબ અપાવ્યો હતો. હરિયાણા સામેની ફાઈનલમાં તેણે ધમાકેદાર સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ ટીમમાં વાપસી કરવાનો કોઈ એવો મોંકો ઈશાને છોડ્યો નથી. જેમાં ઈશાને બુચ્ચી બાબુ…

Read More

સુપ્રીમ કોર્ટનો ચુકાદો.પત્ની પાસે ઘર ખર્ચનો હિસાબ માગવો ક્રૂરતા ના કહેવાય.પત્નીએ આરોપ લગાવ્યો હતો કે પતિ તેને ઘરના દરેક નાના-મોટા ખર્ચની વિગત રાખવા એક્સેલ શીટ બનાવવા મજબૂર કરતો હતો.પતિ-પત્નીના સંબંધોમાં નાની-નાની બાબતો જ્યારે કોર્ટ સુધી પહોંચે છે ત્યારે ઘણીવાર કાયદાનો દુરુપયોગ થતો હોવાનું જાેવા મળે છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, જાે પતિ તેની પત્નીને ઘરના ખર્ચનો હિસાબ રાખવા માટે કહે, તો તેને ક્રૂરતા માની શકાય નહીં. આ આધારે પતિ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થઈ શકે નહીં. આ કેસમાં એક પત્નીએ તેના પતિ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે હ્લૈંઇ નોંધાવી હતી, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો…

Read More