- ટ્રમ્પના દાવા બાદ ઈટલી PM જ્યોર્જિયા મેલોનીનો આકરા જવાબ, નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કોલકાતામાં અનોખો નજારો: હૂગલી નદી પર 500થી વધુ નૌકાઓમાં સામૂહિક યોગ
- ફૂટપાથ પર ચાલવું મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, સરકારને કાયદો બનાવવા નિર્દેશ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીઓના રાજીનામા, નવા ભરતી થયેલા કર્મીઓએ પણ છોડ્યો રસ્તો
- બેરોજગારી, ગરીબી અને મોંઘવારીના કારણે યુવાનો અને યુવતીઓ ખોટા માર્ગે ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ
- મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડના દાન અને દાગીના ગાયબ હોવાનો ગંભીર આરોપ
- સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ, પીડિતાને ₹5 લાખ વળતર
- મિડલ ઈસ્ટમાંથી રાહતના સમાચાર: LPG અને ક્રૂડ ઓઈલના 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
Author: Garvi Gujarat
પોલીસે ૧૬ રાજ્યોમાંથી ૧૦૪ ગુનેગારોને પકડ્યાં ગુજરાત સહિત દેશભરમાં ચાલતી સાયબર ફ્રોડ સિન્ડિકેટનો પર્દાફાશ ઓપરેશન દરમિયાન પોલીસે ૨૦૪ મોબાઈલ, ૧૪૧ સિમ કાર્ડ્સ, ૧૫૨ બેન્ક પાસબૂક્સ વિગેરેનો મુદ્દામાલ જપ્ત કર્યો સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સતત ચિંતાજનક હદે થઈ રહેલાં વધારા વચ્ચે હૈદરાબાદ પોલીસે સાયબર ગુનેગારોની દેશવ્યાપી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યાે છે. હૈદરાબાદ પોલીસ દ્વારા હાથ ધરાયેલાં ‘ઓપરેશન ઓક્ટોપસ’ હેઠળ દેશના ગુજરાત સહિત ૧૬ રાજ્યોમાંથી ૧૦૪ સાયબર અપરાધીઓની ધરપકડ કરાઈ છે. આ અંગે માહિતી આપતાં હૈદરાબાદના પોલીસ કમિશનર વી.સી. સજ્જનારે જણાવ્યું હતું કે, સાયબરક્રાઈમ ટીમની આગેવાની હેઠળ ૩૨ ટીમો બનાવી હાથ ધરાયેલાં ૧૦ દિવસના આ રાષ્ટ્રવ્યાપી ઓપરેશન અંતર્ગત પકડાયેલાં ગુનેગારો સામે દેશના વિવિધ રાજ્યોમાં…
૧૧ના મોત નિપજ્યા પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાં આતંકી હુમલાઓથી ધણધણી ઉઠ્યાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ભક્કર જિલ્લામાં દજ્જલ ઇન્ટર-સ્ટેટ ચેકપોસ્ટ પર મંગળવારે રાતે એક ભયાનક આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં આતંકવાદીઓએ ફરી એકવાર લોહીની હોળી ખેલી છે. પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલા બે અલગ-અલગ હુમલાઓમાં ૯ સુરક્ષાકર્મીઓ સહિત કુલ ૧૧ લોકોના મોત નીપજ્યા હતા. આ હુમલાઓએ પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી દીધા હતા.પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ભક્કર જિલ્લામાં દજ્જલ ઇન્ટર-સ્ટેટ ચેકપોસ્ટ પર મંગળવારે રાતે એક ભયાનક આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી ‘અંસાર-ઉલ-ઇસ્લામ‘ નામના આતંકી સંગઠને લીધી…
અમેરિકાની ચીન વિરુદ્ધ મોટી કાર્યવાહી ૧૫૦૦૦ કિ.મી. પીછો કરી ઓઈલ લઈ જતું ત્રીજું જહાજ દબોચ્યું જહાજ કુક આઇલેન્ડ્સના ધ્વજ હેઠળ ચાલતું હતું અને શાંઘાઈ લિજેન્ડરી શિપ મેનેજમેન્ટ કંપની લિમિટેડ સાથે જાેડાયેલું છે અમેરિકી સેનાએ હિંદ મહાસાગરમાં પ્રતિબંધિત તેલ ટેન્કરો વિરુદ્ધ પોતાની કાર્યવાહી તેજ કરી દીધી છે. કેરેબિયન સમુદ્રથી શરૂ થયેલો પીછો હિંદ મહાસાગર સુધી પહોંચ્યો હતો, જ્યાં ‘બર્થા’નામનું ત્રીજું ટેન્કર જપ્ત કરવામાં આવ્યું છે. આ જહાજ વેનેઝુએલાથી ભારે અશુદ્ધ તેલ લઈને ચીન જઈ રહ્યું હતું અને ઈરાન સાથે જાેડાયેલા અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. પેન્ટાગોને તેને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ત્રીજી સફળ જપ્તી ગણાવી છે. જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક નીતિનો…
US સંસદમાં બોલ્યા ટ્રમ્પ ‘ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં અટકાવ્યું, નહીંતર કરોડો લોકો માર્યા ગયા હોત’ તાજેતરમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે ૬-૩ ના બહુમતીથી ટ્રમ્પ દ્વારા IEEPA હેઠળ લાદવામાં આવેલા ટેરિફને ગેરબંધારણીય ઠેરવી રદ કર્યા હતા. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળના પ્રથમ ‘સ્ટેટ ઓફ ધ યુનિયન’ સંબોધનમાં અર્થતંત્ર અને વિદેશ નીતિને લઈને અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ટેરિફના ર્નિણયને રદ કરવામાં આવ્યા હોવા છતાં, ટ્રમ્પે નવા ‘ગ્લોબલ ટેરિફ’ દ્વારા પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સંસદમાં જ કહ્યું હતું કે મેં ૮ યુદ્ધ અટકાવ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ પણ મેં જ અટકાવ્યું.…
સોનાના વાયદામાં રૂ.722 અને ચાંદીના વાયદામાં રૂ.4256નો પ્રત્યાઘાતી ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.2નો સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.29376.42 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.213221.58 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23025.62 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 40130 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.242602.57 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.29376.42 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.213221.58 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 40130 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2018.12 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23025.62 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.160977ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.161652 અને નીચામાં રૂ.160163ના…
આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં જ્યારે કડદા પ્રથાનો વિરોધ કરવા પહોંચ્યા હતા. ત્યારે તેમને ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને આજે તેઓ સાબરમતી જેલમાંથી બહાર આવ્યા અને આ દરમિયાન આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પણ તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની સાથે સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ હરેશ સાવલિયાના સ્વાગત માટે પહોંચ્યા હતા અને ફુલહાર પહેરાવીને ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે છે ખરીદીમાં જે કડદો ચાલતો હતો તે કડદોનો…
આમ આદમી પાર્ટીની “પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા” દરમિયાન આજે પાંચપીપળા, જેતપુર ખાતેથી “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા” અંતર્ગત સભાનું આયોજન થયું. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રાજુ બોરખતરીયા, રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા અને જેતપુર તાલુકા પ્રમુખ દિલીપ ભુવા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન છેલ્લા ૧૫ દિવસથી ભાદર બચાવોના નારા સાથે અનશન પર બેઠેલા આગેવાન મહેશભાઈ કોટડિયાનું પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત…
આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ગૃહમાં તારાંકિત પ્રશ્નો દરમિયાન તેમના અઢારમા ક્રમાંકના પ્રશ્ન હેઠળ અંબાજી નજીક પાડલિયા ગામમાં વન વિભાગ દ્વારા વનીકરણ માટે કેટલો પોલીસ બંધોબસ્ત અને કેટલા વાહનો ફાળવવામાં આવ્યા હતા અને કેટલી માંગણી કરવામાં આવી હતી તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં ગૃહમાં જણાવાયું કે બે સરકારી વાહનો અને અંદાજે 30 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી હતી. વધુમાં, કેટલા ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા તે અંગે પૂછતાં જવાબ મળ્યો કે ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા કોઈ ફાયરિંગ કરવામાં આવ્યું…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ગૃહમંત્રીનો દિવસ હતો તો મારો સવાલ એ હતો કે 2012માં સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે દલિત સમાજના નિર્દોષ યુવાનો પર પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં કેટલાક યુવાનોના મૃત્યુ થયા અને સરકારે કહેવાતી એસઆઇટી બનાવી. હજુ સુધી પણ દલિત સમાજ ન્યાય માટે ઠેર ઠેર માંગણી કરી રહ્યો છે પરંતુ ન્યાય મળ્યો નથી. મારો સવાલ હતો કે 2013માં એ સમિતિની રિપોર્ટ આવ્યો અને એમાં જે પગલાં લેવાની વાત કરવામાં આવી હતી શું સરકારે પગલા લીધા કે નહીં? ત્યારે જવાબ મળ્યો…
આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીશા પટેલ પર થયેલા હુમલા બાદ આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ હોસ્પિટલમાં જઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા. ત્યારબાદ મીડિયા સમક્ષ વાત કરતા પ્રદેશ નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું કે, ગઈકાલે ગોંડલમાં સ્થાનિક કોર્પોરેટરના આદેશથી જીગીશાબેન પટેલ પર કેટલાક લોકોએ હુમલો કર્યો. જીગીશાબેનને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઇજા થઇ છે. AAP નેતા પર થતા આવા હુમલાઓ ખૂબ જ ગંભીર બાબત છે. હજુ સુધી FIR થઈ નથી તો અમારી માંગ છે કે આ હુમલાખોરો પર તાત્કાલિક FIR થવી જોઈએ અને તેમના પર કડક કાર્યવાહી થવી જોઈએ,…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



