- CJPના અભિજીત દીપકેની PM મોદીને અપીલ, ‘15 ઓગસ્ટનું ભાષણ Gen Z અને યુવાનોને સમર્પિત કરો’
- PM મોદી-સુખબીર બાદલ મુલાકાતથી પંજાબમાં ભાજપ-અકાલી દળ ગઠબંધનની અટકળો ફરી તેજ
- પ્રિયંકા ગાંધીનો સરકાર પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવે છે’; ગૃહમંત્રી પાસે જવાબની માંગ
- ડાર્ક પેટર્ન બદલ Zepto, BookMyShow સહિત 9 એપ્સને CCPAનો દંડ, ગ્રાહકો પાસેથી વસૂલાતા છુપા ચાર્જ પર કાર્યવાહી
- 20 દિવસમાં 5 વખત રસ્તો ધસી ગયો, લખનઉ-કાનપુર એક્સપ્રેસવેના રિપેરમાં ટેબલ ફેનનો વીડિયો વાયરલ
- સુરતમાં એનલોગ પનીર સામે કાર્યવાહી, નકલી-અસલી પનીરનો ભેદ અને આરોગ્યના જોખમો પર ચેતવણી
- સુરતમાં 15 ઓગસ્ટે વાલ્મીકી સમાજનો કૌટુંબિક તકરાર સમાધાન કાર્યક્રમ, પક્ષકારોને હાજરીનું આમંત્રણ
- સુરતમાં 9 ઓગસ્ટે AAPનો ઈ-20 પેટ્રોલ જાગૃતિ કાર્યક્રમ, ઈથનોલના અસરકારક મુદ્દે થશે ચર્ચા
Author: garvigujrat
ખેડબ્રહ્મા અંબાજી મંદિરે શ્રદ્ધાનું ઘોડાપૂર ચૈત્રી પૂર્ણિમાએ હજારો ભક્તોએ કર્યા મા અંબાના મંદિરના દર્શન ચૈત્રી પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ હોવાથી શ્રદ્ધાળુઓ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે આજે ચૈત્રી પૂર્ણિમાના પવિત્ર અવસરે સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. વહેલી સવારથી જ જય અંબેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. મા અંબાના દર્શન કરવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં ચારેતરફ ભક્તિમય માહોલ જાેવા મળી રહ્યો છે. મંદિરના દ્વાર ખુલતાંની સાથે જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો. ચૈત્રી પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ હોવાથી શ્રદ્ધાળુઓ કલાકો સુધી લાઇનમાં ઊભા…
ચાઈનીઝ ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો અમદાવાદમાં ક્રિપ્ટો રોકાણના નામે ૫૮ લાખની ઠગાઈ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ઠગ ટોળકીએ ફેસબુક પ્રોફાઇલ દ્વારા ફરિયાદીનો સંપર્ક કરી વિશ્વાસ જીત્યો હતો અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી એક વ્યક્તિ સાથે ૫૮ લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર આંતરરાષ્ટ્રીય ટોળકીનો સાબરમતી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ૨૪મીથી ૩૧મી માર્ચ દરમિયાન આ કૌભાંડમાં સંડોવાયેલા કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી છે, જેમના કનેક્શન દુબઈ અને કંબોડિયાની ચાઈનીઝ ગેંગ સાથે હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ઠગ ટોળકીએ ફેસબુક પ્રોફાઇલ દ્વારા…
મિડલ ઈસ્ટમાં હાહાકાર મચી ગયો અમેરિકાએ ઈરાનની શાન ગણાતો B1 બ્રીજ તોડી નાખ્યો બ્રીડ ધરાશાયી થતા ૪૦૦ મિલિયન ડોલર એટલે કે લગભગ ૩૩૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અમેરિકા અને ઈઝરાયેલે મળીને ઈરાનના એ ગર્વને માટીમાં મિલાવી દીધું છે, જેને તેમના વિકાસનો સૌથી મોટો પુરાવો માનવામાં આવતો હતો. તેહરાન અને કરબ જેવા બે મોટા શહેરોને જાેડતો રણનીતિક મ્૧ બ્રીજ પર એરસ્ટ્રાઈક કરી છે. જે બાદ આ પૂલ વચ્ચેથી તૂટી ગયો છે. આ હુમલો એટલો સટીક અને ઘાતક હતો કે તેનાથી આખી દુનિયા ચોંકી ગઈ. લગભગ ૪૦૦ મિલિયન ડોલરના ખર્ચાથી બનેલા આ પૂલ ખાલી વાહનવ્યવહાર માટે જ નહીં પણ ઈરાનની એન્જિનિયરિંગ…
લોકસભામાં કેન્દ્રીય ઉર્જા મંત્રીએ કરી જાહેરાત સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ફરજીયાત નહીં, કેન્દ્રિય ઉર્જા મંત્રીની સ્પષ્ટતા કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે પ્રીપેડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર બધા ઉપભોક્તાઓ માટે ફરજીયાત નથી લાંબા સમયથી દેશના ઘણા રાજ્યોમાં સ્માર્ટ પ્રી-પેડ વીજળી મીટરને લઈને હંગામો થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર સરકાર થોપી રહી છે. ઘણા લોકોએ દાવો કર્યો કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેનું બિલ વધુ આવી રહ્યું છે. હવે સરકારે સ્માર્ટ વીજળી મીટરના યુઝર્સને મોટી રાહત આપી છે. દેશભરમાં સ્માર્ટ વીજળી મીટરને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે મોટું સ્પષ્ટીકરણ આપ્યું છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી…
‘ઓપરેશન સિંદૂર’ પર મોટો ખુલાસો દરિયાઈ માર્ગે પાકિસ્તાન પર હુમલો કરવાની હતી ભારતીય નૌસેના એડમિરલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આપણે દરિયાઈ માર્ગે પાકિસ્તાન પર હુમલો કરવાથી થોડી મિનિટો દૂર હતા ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ ગઈકાલે, બુધવારે જણાવ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન, ભારતીય નૌકાદળ દરિયાઈ માર્ગે પાકિસ્તાન પર હુમલો કરવાની ખૂબ નજીક પહોંચી ગયું હતું – હુમલો કરવાથી થોડી મિનિટો દૂર – જ્યારે ઇસ્લામાબાદ તરફથી લશ્કરી કાર્યવાહી (કાઇનેટિક એક્શન્સ) રોકવાની વિનંતી મળી. નૌકાદળના વડા ત્રિપાઠી મુંબઈમાં નૌકાદળના સન્માન સમારોહમાં બોલી રહ્યા હતા, જ્યાં તેમણે ગયા વર્ષે એપ્રિલમાં પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન બે…
ભારતીય ટીમ સામે ઝેર ઓકનારા ખેલાડીનો સન્યાસ સાઉથ આફ્રિકાના ક્રિકેટર રાસી વાને નિવૃત્તિ જાહેર કરી ભારતીય ટીમ સામે ઝેર ઓકનારા ખેલાડીનો સન્યાસનો ર્નિણય, ઈન્ડિયાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળતી હોવાનો લગાવ્યો હતો આરોપ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમને ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ મળતી હોવાનો દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રાસી વાન ડેર ડુસેને આરોપ લગાવ્યો હતો, આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. એવું માનવામાં આવે છે કે ૧૪૬ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા રાસીનો દક્ષિણ આફ્રિકાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સમાવેશ ન કરાયો હોવાના કારણે તેણે આ ર્નિણય લીધો છે. દક્ષિણ આફ્રિકાના ટોચના ક્રમના બેટ્સમેન રાસી વાન ડેર ડુસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.…
આખરે RBI ની મહેનત રંગ લાવી રુપિયામાં ૧૨ વર્ષનો સૌથી મોટો ઉછાળો આવ્યો ડોલરની કૃત્રિમ માંગ ઓછી થશે અને રૂપિયાને ટેકો મળશે ભારતીય રૂપિયામાં આજે ૨ એપ્રિલ ગુરુવારના દિવસે જાેરદાર તેજી જાેવા મળી હતી. છેલ્લા ૧૨ વર્ષમાં એક દિવસમાં રૂપિયામાં આવેલો આ સૌથી મોટો ઉછાળો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા લેવામાં આવેલા તાજેતરના પગલાં અને ડોલરના ભાવમાં આવેલા ઘટાડાને કારણે રૂપિયામાં આ મજબૂતી જાેવા મળી છે. શુક્રવારે કારોબાર દરમિયાન રૂપિયો ૧ રૂપિયો ૬૫ પૈસા એટલે કે લગભગ ૨.૨૫ ટકા મજબૂત થઈને ૭૧.૨૪ ના સ્તર પર બંધ થયો હતો. સપ્ટેમ્બર ૨૦૧૩ પછી રૂપિયામાં એક દિવસમાં આવેલો આ સૌથી મોટો…
મમતા બેનર્જીના ગઢમાં અમિત શાહે કહ્યું આ વખતે દીદીની વિદાય નક્કી, હું બોરિયા બિસ્તરા સાથે ૧૫ દિવસ અહીં જ છું અમિત શાહે કોલકાતાના ભવાનીપુર મતવિસ્તારમાં એક રોડ શો દરમિયાન મમતા બેનર્જીને નિશાને લીધા હતા પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ વિરુદ્ધ ટીએમસીની હોય તેવુ લાગી રહ્યું છે. ૨૦૨૬ની ચૂંટણી જીતવા માટે ભાજપે પશ્ચિમ બંગાળની સુકાન ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહને સોંપી દીધી હતી. અમિત શાહે પણ અવારનવાર પશ્ચિમ બંગાળની મુલાકાત લઈને કોઈને કોઈ મુદ્દે મમતા દીદીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આજે ગુરુવારને ૨ એપ્રિલના રોજ, ભાજપના ઉમેદવાર સુવેન્દ્ર અધિકારીની ઉમેદવારી પત્ર ભરતા પહેલા ભવાનીપુરામાં જાહેરસભાને અમિત શાહે સંબોધી હતી.…
આસામમાં રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ ભારતે અમેરિકાને ઘણું આપ્યું, બદલામાં આપણને કઈ ન મળ્યું આજે જાે ભારત રશિયા, ઈરાન કે ઈરાક જેવા દેશો પાસેથી તેલ ખરીદવા માંગતું હોય, તો તેણે ટ્રમ્પ અને અમેરિકા પાસેથી મંજૂરી લેવી પડે છે : કોંગ્રેસ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે આસામ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે કાર્બી આંગલોંગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, આસામ ફૂલોનો એક ગુલદસ્તો છે, જેમાં અલગ-અલગ ધર્મ, જાતિ અને વિચારધારાઓના લોકો સાથે રહે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની વિચારધારા છે કે હિન્દુસ્તાનની જનતાના હાથમાં…
કેન્દ્ર સરકાર ધ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં એકાએક કરાયેલા ૧૯૫.૫૦ રૂપિયા ના તોતિંગ વધારાને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની જશે. કારણકે તાજેતર માં જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં વધેલા ભાવ વધારા બાદ આ બીજો ભાવ વધારો આવતા હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા બની જતાં કેટલીય હોટલો, રેસ્ટોરન્ટો અને કેટરર્સવાળાના ધંધા પર અસર પડતાં ધંધો બંધ થવાને આરે આવીને ઊભો છે. ત્યારે કેટલાય હોટલવાળાઓ એ ઉપરોક્ત તસવીરમાં દેખાય છે એમ કોલસાની સગડી વાપરવાનું શરૂ કરી ધંધો ચાલુ રાખ્યો છે. એ સિવાય અન્ય ઘણાએ વિકલ્પ તરીકે ઇલેક્ટ્રીક સગડીનો પણ ઉપયોગ શરૂ કરી ધંધાઓ ચાલુ રાખ્યા છે. એ સિવાય કરે પણ શું? (તસવીર અને અહેવાલ…




