Author: garvigujrat

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે મારો સવાલ હતો કે છેલ્લા બે વર્ષમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા “ડી-સાગ” એટલે કે ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાતને કેટલી રકમ ફાળવવામાં આવી. તો સરકારના મંત્રી તરફથી જવા મળ્યો કે વર્ષ 2024-25માં 19573.06 લાખ, 2025-26માં 17009 લાખ રૂપિયા એજન્સીને ફાળવવામાં આવે છે. 18297.06 લાખ વર્ષ 2024-25માં વપરાયા અને 1276 લાખ વણવપરાયેલ પડ્યા છે, વર્ષ 2025-26 માં 7703.43 લાખ વપરાયા અને 9305.57 લાખ રૂપિયા વણવપરાયેલા પડ્યા છે. સરકાર એક તરફ સુદ્રઢ વહીવટની વાત કરે છે પણ આદિજાતિ માટે વપરાયેલા બજેટ વપરાતા નથી.…

Read More

વિધાનસભામાં થયેલી ચર્ચા અંગે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે મેં સરકારને કુલ ત્રણ તારાંકિત પ્રશ્નો પૂછ્યા હતા. જોકે મારા બે પ્રશ્નો સિલેક્ટ થયા નથી, એટલે કે મંજૂર થયા નથી, જ્યારે એક પ્રશ્ન મંજૂર થવાને કારણે સરકાર તરફથી તેનો જવાબ મને મળ્યો છે. મૂળ મુદ્દો એ છે કે ગુજરાત હાઈકોર્ટ અમદાવાદમાં આવેલી છે અને ગુજરાત રાજ્ય ખૂબ વિશાળ છે. એક બાજુ કચ્છનો સરહદી વિસ્તાર છે, એક બાજુ વાપી સુધી ગુજરાત ફેલાયેલું છે, એક બાજુ વાવ સુધી અને બીજી બાજુ ઝાલોદ સુધી રાજ્ય વિસ્તરેલું છે. તેમ છતાં હાઈકોર્ટની માત્ર એક જ પ્રિન્સિપલ બેંચ અમદાવાદમાં…

Read More

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આજે વિધાનસભા ખાતે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે 16 માર્ચના રોજ મેં વિધાનસભામાં ગુજરાત રાજ્યનો એક ગંભીર પ્રશ્ન પૂછ્યો હતો અને સરકારે એના પર જવાબ આપ્યો છે પરંતુ એ વિષય પર કોઈ ચર્ચા કરવામાં આવી નથી. 2012માં ગુજરાતની હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, “કોઈપણ વ્યક્તિનું ફિક્સ પગારના નામે શોષણ કરી શકાય નહીં અને ભારતના બંધારણ પ્રમાણે તેના પર સમાન કામ અને સમાન વેતનનો સિદ્ધાંત લાગુ પડે છે”. આ ચુકાદો ભાજપ સરકારે માની લેવાનો હતો. પરંતુ સરકારે એ હુકમને માન્યો નહીં અને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. તો એના ઘટના…

Read More

આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના અધ્યક્ષસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈસુદાન ગઢવીની સાથે સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, મહામંત્રી રાકેશ હીરપરા, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી સામત ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ 12000 સીટો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. તેના અનુસંધાને રાજ્યને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને…

Read More

રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે નિર્ણય સુરતમાં પરપ્રાંતીય હવે શ્રમિકો વતન જવા લાગ્યા કોરોના સમયે જે રીતે શ્રમિકો વતન જતા હતા તેવી જ રીતે હવે શ્રમિકો ફરીથી પરત જવા લાગ્યા છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધનું આ ત્રીજું અઠવાડિયું છે. મિડલ ઇસ્ટના યુદ્ધની અસર હવે સુરતમાં પણ પડી છે.શહેરમાં હજુ પણ કોમર્શિયલ ગેસના બોટલની અછત વર્તાઈ રહી છે. ત્યારે સુરત શહેરમાં રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ છે.કોરોના સમયે જે રીતે શ્રમિકો વતન જતા હતા તેવી જ રીતે હવે શ્રમિકો ફરીથી પરત જવા લાગ્યા છે. સુરતની અંજની ઇન્ડસ્ટ્રીયલમાં…

Read More

અભ્યાસમાં થયો ખુલાસો પિતાની ધૂમ્રપાનની આદત બાળકોમાં ડાયાબિટીસનું જાેખમ વધારી શકે છે ડૉ. ગાર્શિયાના જણાવ્યા મુજબ, પરિણામો બતાવે છે કે પિતા સ્મોકિંગ કરતા હોય તો બાળકોમાં ક્રોનિક રોગોનું જાેખમ વધે છે પુરુષોના તમાકુના ઉપયોગથી તેમના બાળકોમાં ડાયાબિટીસનું જાેખમ નોંધપાત્ર રીતે વધી શકે છે. વધુમાં, તે આગામી પેઢીમાં શરીરમાં સુગરને પ્રોસેસ કરવાની પ્રક્રિયામાં પણ ફેરફાર કરી શકે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાંતા ક્રુઝના વૈજ્ઞાનિકોએ ઉંદરો પર એક અભ્યાસ હાથ ધર્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે જ્યારે નર ઉંદરોને તેમના પીવાના પાણીમાં નિકોટિન આપવામાં આવતું હતું, ત્યારે તેમના સંતાનોના મેટાબોલિઝમમાં નોંધપાત્ર ફેરફારો જાેવા મળ્યા હતા. અભ્યાસના વરિષ્ઠ સંશોધક ડૉ. રકેલ ચમોરો-ગાર્શિયાએ…

Read More

ઈશ સોઢી પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત મેચ વિનર બોલર ઇશ સોઢી ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થયો પહેલી મેચ માઉન્ટ મૌંગાનુઈ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં દક્ષિણ આફ્રિકાએ ન્યુઝીલેન્ડને ૭ વિકેટથી હરાવ્યું હતું દક્ષિણ આફ્રિકાની ટીમ હાલમાં પાંચ મેચની T20 શ્રેણી માટે ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની પહેલી મેચ માઉન્ટ મૌંગાનુઈ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં દક્ષિણ આફ્રિકાએ એકતરફી મુકાબલામાં ન્યુઝીલેન્ડને ૭ વિકેટથી હરાવ્યું હતું. દરમિયાન, પ્રથમ T20 મેચમાં હાર બાદ ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો મેચ વિનર બોલર ઇશ સોઢી ઈજાને કારણે આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. સોઢી બહાર થતા ન્યુઝીલેન્ડે હજુ સુધી તેના સ્થાને કોઈ…

Read More

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ખુલાસો કર્યો ઈરાન સાથેની સીધી વાતચીતને પરિણામે જહાજાે સુરક્ષિત રીતે પસાર થઈ શક્યા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચે કોઈ કાયમી સમજૂતી થઈ નથી જયશંકરની મધ્યસ્થીથી હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ભારતીય જહાજાે સુરક્ષિત પસાર થયા છે. મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ખુલાસો કર્યો છે કે, ઈરાન સાથેની સીધી વાતચીતને પરિણામે ભારતીય જહાજાે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ શક્યા છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના…

Read More

ટ્રાયલ કોર્ટને દિલ્હી હાઈકોર્ટની ફટકાર યૌન શોષણની પીડિત બાળકીઓને વારંવાર કોર્ટમાં ન બોલાવો ટ્રાયલ અથવા જામીનની સુનાવણી દરમિયાન પીડિત સગીર બાળકીઓને વારંવાર કોર્ટમાં બોલાવવું યોગ્ય નથી દિલ્હી હાઈકોર્ટે પોક્સો કેસના પીડિતોને વારંવાર કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ મોકલવામાં નીચલી અદાલતોના વલણ પર ચિંતા વ્યક્ત કરી છે અને તેમને ફટકાર લગાવી છે. હાઈકોર્ટના જજ સ્વર્ણ કાંત શર્માની કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, ટ્રાયલ અથવા જામીનની સુનાવણી દરમિયાન પીડિત સગીર બાળકીઓને વારંવાર કોર્ટમાં બોલાવવું યોગ્ય નથી. આમ કરવાથી બાળકોને માનસિક વેદના અને ફરીથી ટ્રોમાનો સામનો કરવો પડી શકે છે. આ કેસ ૨૦૨૨ના યૌન શોષણના કેસ સાથે સંબંધિત છે, જેમાં સગીર પીડિતાને ટ્રાયલ…

Read More

દેશમાં CNG-LPG પૂરતો જથ્થો : સરકારનું નિવેદન ૪૪ હજાર મેટ્રિક ટન ન્ઁય્ લઈને શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતની તમામ રિફાઇનરીઓ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે, તેથી પેટ્રોલ પંપ પર ઇંધણની કોઈ અછત સર્જાશે નહીં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઇલના સંકટ વચ્ચે ભારત સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક છે અને LPG-CNG પુરવઠો પણ સંપૂર્ણ રીતે ચાલુ છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતની તમામ રિફાઇનરીઓ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે, તેથી પેટ્રોલ પંપ પર ઇંધણની કોઈ અછત સર્જાશે નહીં.…

Read More