- બેરોજગારી, ગરીબી અને મોંઘવારીના કારણે યુવાનો અને યુવતીઓ ખોટા માર્ગે ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ
- મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડના દાન અને દાગીના ગાયબ હોવાનો ગંભીર આરોપ
- સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ, પીડિતાને ₹5 લાખ વળતર
- મિડલ ઈસ્ટમાંથી રાહતના સમાચાર: LPG અને ક્રૂડ ઓઈલના 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
- શર્વરી વાઘ અને સની કૌશલના બ્રેકઅપની ચર્ચા તેજ, કરિયર સફળતાએ સંબંધોમાં વધારી અંતર?
- એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયકની બાયોપિક બનાવવાની તૈયારીમાં રામ ગોપાલ વર્મા, ‘કંપની’ યુનિવર્સ સાથે જોડાણની ચર્ચા
- સલમાન ખાન અને ફરહાન અખ્તર વચ્ચે મોટા બજેટની ઐતિહાસિક ફિલ્મ માટે ચર્ચા, બે ભાગમાં બની શકે છે ફિલ્મ
- “હું નસીબદાર છું, પરંતુ મારા પણ ખરાબ દિવસો આવે છે”: આલિયા ભટ્ટે સફળતા, પ્રિવિલેજ અને પુત્રી રાહા વિશે કરી ખુલ્લી વાત
Author: Garvi Gujarat
આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પત્રકાર પરિષદના માધ્યમથી મીડિયા સમક્ષ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીને ગુજરાતના છેવાડા સુધીના લોકો આશીર્વાદ આપી રહ્યા છે અને પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે .એ વાત ભાજપથી જોવાતી નથી અને ભાજપના પેટમાં તેલ રેડાયું છે. માટે તેઓ હવે ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ભૂંડ અને ગાયના માંસના દૂધનો પર્દાફાશ કર્યો હતો. ભૂંડ અને ગાયનું માંસ નાંખીને, યુરિયા ખાતર નાંખીને તથા ઝેરી કેમિકલવાળું દૂધ બનાવીને ગુજરાતના વિવિધ દૂધ સંઘોમાં દૂધ ભરનારા માફિયાઓનો પર્દાફાશ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે વર્ગ-૩ ના ટેકનિકલ આસિસ્ટન્ટ, લેબ આસિસ્ટન્ટ, કેશ વિભાગ ના કર્મચારીઓ અને વર્ગ-૪ ના સફાઈ કામદાર, આયા, વોર્ડ બોય ની જગ્યાઓ કોન્ટ્રાક્ટ ધ્વારા ભરવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટની જગ્યામાં જેટલા કામદારોની જરૂરિયાત હોય તેના કરતાં ઓછા કામદારો રોકી વોર્ડ અને અન્ય વિભાગોમાં સફાઈની કામગીરી યોગ્ય રીતે થતી નથી અને કોન્ટ્રાકટર અને સિવિલ હોસ્પિટલ સુરત ના જવાબદાર અધિકારીઓના મેળાપીપણામાં સરકારી નાણાંની ઉપાચત થાય છે. હોસ્પિટલ માં રોજ ના કેટલા કર્મચારીઓ ને ફરજ માટે લેવા તેના કોઈ ધારા-ધોરણ નક્કી નથી. નવી સિવિલ હોસ્પિટલ સુરત ના નિવાસી તબીબી અધિકારી અને કોન્ટ્રાકટરના માણસો તેમજ નવી સિવિલ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજકાલ રાજસ્થાન સરકારની એક યોજના ખૂબ જ ચર્ચામાં છે અને એનું નામ છે ગાંવ ગ્વાલા યોજના. આ યોજનામાં ગાય ચરાવનારા ગોવાળોની ભરતી કરવામાં આવી રહી છે અને તેમને એને માટે પગાર પણ આપવામાં આવશે. રાજસ્થાનના શિક્ષણ પ્રધાન મદન દિલાવરે કોટા જિલ્લાના રામગંજ મંડીમાં ૧૪ ગામડાઓમાં ગોવાળની નિયુક્તિ કરી છે. સરકાર પ્રાચીન ગોચારણ પરંપરા ને પુનર્જીવિત કરવા માટે આ નવી યોજના લાવી છે. આ ગોવાળો રોજ ગામની ગાયોને સામૂહિક રૂપે ગોચર ભૂમિ સુધી ચરાવવા લઈ જશે અને સાંજે એમને ઘરે પાછી લાવશે. ગાયોને આખો દિવસ ચરવા માટે છુટ્ટી મૂકી દેવામાં આવશે અને સાંજે પાછી એમને ગામના ઘરો…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ચીનમાં ચિકન-મટન અને જીવડાંઓ રાંધીને પીરસતી રેસ્ટોરન્ટો ઘણી છે. પરંતુ ઘણા સમયથી ચાલતી એક અજીબ રેસ્ટોરાં આજકાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. એક ટ્રાવેલ બ્લોગરે બનાવેલી રીલે લોકોમાં કુતૂહલ જણાવ્યુ છે. આ રેસ્ટોરાંના મેનૂમાં જાતજાતના સાપોની વાનગીઓ છે અને એમાં કિંગ ક્રોબાનો પણ સમાવેશ થાય છે. આ રેસ્ટોરાં એક મહિલા ચલાવે છે જેને સ્થાનિકો કોબ્રા-કવીન કહે છે. બહારથી સાવ જ સાધારણ ઢાબા જેવી દેખાતી આ રેસ્ટોરાં માં લાકડાની પેટીઓમાં સાપ સંઘરી રાખવામાં આવે છે. આ સાપ જીવતા જ હોય છે. ગ્રાહક એ લાકડાની પેટીઓમાંથી પોતાને જે સાપ ખાવો હોય એ સાપ પસંદ કરીને લઈ શકે…
નવા પિતા વિકી કૌશલે ઇન્ટરવ્યુમાં દિકરા વિહાન વિશે વાતો કરી.કેટરિના સુપર હિરો છે, હું એને બહુ પ્રેમ કરું છું : વિકી કૌશલ.વિકી કૌશલની ૨૦૧૯ની ફિલ્મ ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇકનાં વિકીના પાત્રને જાેડીને તેનાં પર ચર્ચા પણ થઈ હતી.કેટરિના કૈફ અને વિકી કૌશલ ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું અને લોકપ્રિય કપલ છે. તેમણે ૨૦૨૧માં લગ્ન કર્યા હતાં અને ગયા વર્ષે ૭ નવેમ્બરે તેમને ત્યાં એક દિકરાનો જન્મ થયો હતો. પાછળથી તેમણે તેનાં નામ વિહાન કૌસલની પણ જાહેરાત કરી હતી. જેની સાથે વિકી કૌશલની ૨૦૧૯ની ફિલ્મ ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇકનાં વિકીના પાત્રને જાેડીને તેનાં પર ચર્ચા પણ થઈ હતી, જેમાં તેનું નામ મેજર વિહાન હતું. હવે…
અક્ષયે સોશિયલ મીડિયા પર બાબા અવતારમાં પોસ્ટર લોંચ કર્યું.અક્ષયના ‘ભૂતબંગલા’ અવતારે ભૂલ ભૂલૈયાની યાદ અપાવી.પ્રિયદર્શનની ભૂત બંગલાને અક્ષય પ્રોડ્યુસ કરી રહ્યો છે, તેની સાથે એકતા કપૂર અને શોભા કપૂર પણ જાેડાયા છે.અક્ષય કુમાર અને પ્રિયદર્શન ૧૬ વર્ષ પછી ‘ભૂત બંગલા’માં સાથે કામ કરી રહ્યા છે. એટલે તેમની ફિલ્મ વિશે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે, દર્શકોમાં પણ આ ફિલ્મ માટે ઘણી ઉત્સુકતા છે. ત્યારે હવે આ ફિલ્મનું અક્ષય કુમારનું મોશન પોસ્ટર લોંચ કરવામાં આવ્યું છે. જાેકે, દર્શકોને આ પોસ્ટરમાં મજા આવવાની કે ઉત્સુકતાને બદલે તેમને આ પોસ્ટર જાેઇને ભુલભુલૈયાની યાદ આવી ગઈ છે. મંગળવારે અક્ષય કુમારે ભૂત બંગલાનું મોશન પોસ્ટર…
કમલ હાસનને મળીને ખુશ થઈ ગયા બિગ બી.અમિતાભ બચ્ચને ‘કલ્કી ૨’નું શૂટિંગ શરૂ કર્યું.અમિતાભ બચ્ચને ફિલ્મના સેટ પરથી પણ કેટલાક ફોટા શેર કર્યા હતા. આ ફોટામાં તેઓ કમલ હાસન સાથે જાેવા મળી રહ્યા છે.દર રવિવારે અમિતાભ બચ્ચનના મુંબઈ નિવાસસ્થાન જલસાની બહાર ફેન્સની ભીડ એકઠી થાય છે. બિગ બી બધાને મળે છે અને શુભેચ્છા પાઠવે છે. જાેકે, ગયા રવિવારે આ પરંપરા તૂટી ગઈ હતી, કારણ કે અમિતાભ બચ્ચન કામ માટે મુંબઈમાં નહીં, પણ હૈદરાબાદમાં હતા. તેઓ ફિલ્મ ‘કલ્કી ૨૮૯૮ એડી’ ના શૂટિંગ માટે ત્યાં હતા. તેમણે તેમના તાજેતરના બ્લોગમાં આ વાતનો ખુલાસો કર્યાે હતો.અમિતાભ બચ્ચન નિયમિતપણે બ્લોગ લખે છે. તેમના તાજેતરના…
રણવીર સિંહને હાઈકોર્ટની ફટકાર.સુપરસ્ટાર માટે કાયદા અલગ નથી, બોલતા પહેલા વિચારવું જાેઈએ.રણવીર સિંહે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી રાહતની માગ સાથે FIR રદ કરવાની અરજ કરી.કાંતારા ફિલ્મના પાત્રો પર કમેન્ટ અને મિમિક્રીને લઈને બૉલીવુડનો અભિનેતા રણવીર સિંહ ફસાઈ ગયો છે. કન્નડ ફિલ્મ કાંતારાના એક સીન પર રણવીર સિંહે કમેન્ટ અને મિમિક્રી કરી હતી, જેના પર કર્ણાટક હાઈકોર્ટે ફટકાર લગાવી છે. હાઈકોર્ટે રણવીરસિંહને લાપરવાહ બતાવી કહ્યું કે, ‘અભિનેતા કે સુપર સ્ટાર કાયદાની ઉપર કોઈ નથી. તમે રણવીરસિંહ હોવ કે કોઈ બીજા. તમે બિલકુલ ઢીલે ઢાલે ન થઈ શકો. તમે એક અભિનેતા છો તમારી ઘણા લોકો પર અસર છે. તમારે જવાબદાર બનવું…
ગેંગ વિરુદ્ધ દેશભરમાં ૯૦થી વધુ ફરિયાદો સોમનાથ ટ્રસ્ટના નામે ઓનલાઈન છેતરપિંડી નકલી વેબસાઈટ, આરોપીઓએ સોમનાથ ટ્રસ્ટના અધિકૃત ગેસ્ટ હાઉસ જેવા કે સાગર દર્શન, લીલાવતી અને મહેશ્વરી અતિથિગૃહના નામે ફેક વેબસાઈટ બનાવી હતી સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરતી એક આંતરરાજ્ય ગેંગનો સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનના જયપુર અને ભરતપુર વિસ્તારમાંથી પોલીસે કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ અત્યંત આધુનિક પદ્ધતિથી પ્રવાસીઓને શિકાર બનાવતી હતી નકલી વેબસાઈટ, આરોપીઓએ સોમનાથ ટ્રસ્ટના અધિકૃત ગેસ્ટ હાઉસ જેવા કે સાગર દર્શન, લીલાવતી અને મહેશ્વરી અતિથિગૃહના નામે ફેક વેબસાઈટ બનાવી હતી. તેઓ ‘Agoda‘ જેવા જાણીતા પ્લેટફોર્મ પર…
ચામુંડા મંદિરે પૂનમનો ઉત્સાહ ચંદ્રગ્રહણની સૂતક છતાં ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા રહેશે ચંદ્રગ્રહણની સ્થિતિ હોવા છતાં ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે માતાજીના દર્શનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી આ વર્ષે પૂનમના દિવસે ચંદ્રગ્રહણની સ્થિતિ હોવા છતાં ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે માતાજીના દર્શનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.હોળી અને ફાગણી પૂનમના પવિત્ર પર્વ પર ચોટીલા ચામુંડા માતાજીના દર્શનનું અનેરું મહત્વ રહેલું છે. આ વર્ષે પૂનમના દિવસે ચંદ્રગ્રહણની સ્થિતિ હોવા છતાં, ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે માતાજીના દર્શનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભક્તો રાબેતા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



