Author: Garvi Gujarat

IPL ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર.RCB-RR પછી શાહરૂખની KKR વેચાવા માટે તૈયારશાહરૂખ ખાન, જુહી ચાવલા અને જય મહેતાએ કોલકાતા નાઈટ રાઈડર્સને આશરે રૂ.૨૯૮ કરોડમાં ખરીદી હતી.ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝન માટે મીની ઓક્શન ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે યોજાયું હતું. હરાજીના ત્રણ દિવસ પછી, ભૂતપૂર્વ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વિશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. એક અહેવાલ મુજબ, ત્રણ વખતની IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) માં હિસ્સો વેચાઈ રહ્યો છે.IPL ૨૦૨૬ ની શરૂઆત પહેલાં વેચાયેલી આ ત્રીજી ફ્રેન્ચાઇઝ છે. પ્રથમ વર્તમાન IPL ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વેચાઈ રહ્યાના સમાચાર આવ્યા. પછી લીગની…

Read More

માઉન્ટ આબુમાં કાશ્મીર જેવો નજારો.માઉન્ટ આબુમાં માઈનસમાં તાપમાન થતાં બરફની ચાદર છવાઈ.નખી લેક, દેલવાડા, અચલગઢ, સનસેટ પોઈન્ટ વગેરે સ્થળો પર પર્યટકો ઠંડીનો આનંદ લઈ રહ્યા છે.રાજસ્થાનના એક માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શીતલહેરની અસર શરૂ થવા લાગી છે. છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાન ઠરી ગયું છે. ગુરુવારે પહેલી વાર અહીં પારો -૨ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો. શુક્રવારે તેમાં હળવો ઘટાડો જાેવા મળ્યો હતો. માઉન્ટ આબુમાં આખો દિવસ વાદળો છવાયેલા રહ્યા હતા. તેમાં દિવસમાં તડકો ઓછો રહેતા ઠંડી પર તેની વધારે અસર જાેવા મળી રહી છે. હવામાન વિભાગ અને પશ્ચિમી વિક્ષોભની અસર રાજસ્થાનના કેટલાય જિલ્લામાં થવાથી અહીં વધારે ઠંડીની અસર…

Read More

કેન્દ્ર સરકારે જમ્મુમાં તેમનું કેડર ડેપ્યુટેશનને લંબાવ્યું.ગુજરાતની પ્રથમ મુસ્લિમ મહિલા IPS અધિકારી સારા રિઝવીગુજરાતની પ્રથમ મુસ્લિમ મહિલા IPS અધિકારી, સારા રિઝવી, બે વર્ષ માટે આંતર-રાજ્ય કેડર ડેપ્યુટેશન પર રહેશેગુજરાતની પ્રથમ મુસ્લિમ મહિલાI PS અધિકારી, સારા રિઝવી, બે વર્ષ માટે આંતર-રાજ્ય કેડર ડેપ્યુટેશન પર રહેશે. કેન્દ્ર સરકારે તેમના કેડર ડેપ્યુટેશનને બે વર્ષ માટે લંબાવ્યું છે. રિઝવી હાલમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ હેડક્વાર્ટરમાં ખૂબ જ મહત્વપૂર્ણ પદ ધરાવે છે. કેન્દ્ર સરકારે ગુજરાત કેડરના IPS અધિકારી સારા રિઝવીના આંતર-રાજ્ય ડેપ્યુટેશનને બે વર્ષ માટે લંબાવ્યું છે. સારા રિઝવી ૨૦૦૮ બેચના IPS અધિકારી છે, તેમનું કેડર ગુજરાત છે. તેઓ હાલમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ હેડક્વાર્ટરમાં…

Read More

ડંકી રૂટ કેસમાં ED ની મોટી કાર્યવાહી.તપાસ ટીમે અંદાજે ૧૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી.ED ની ટીમને દિલ્હીના એક ટ્રાવેલ એજન્ટ પાસેથી ૪.૬૨ કરોડ રોકડ, ૩૧૩ કિલો ચાંદી અને ૬ કિલો સોનાના બિસ્કિટ મળ્યા.ડંકી રૂટ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની આક્રમક કાર્યવાહી ચાલુ છે. ED ની ટીમ એક પછી એક દરોડા પાડી રહી છે. આ કડીમાં ED ને મોટી સફળતા મળી છે. તપાસ ટીમે અંદાજે ૧૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. હકીકતમાં ED એ ૧૮ ડિસેમ્બરે પંજાબ, હરિયાણા અને દિલ્હીના ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ED ની ટીમને દિલ્હીના એક ટ્રાવેલ એજન્ટ પાસેથી ૪.૬૨ કરોડ રૂપિયા રોકડ, ૩૧૩…

Read More

લિયોનેલ મેસ્સીની ઇવેન્ટ સાથે છે કનેક્શન.સૌરવ ગાંગુલીએ દાખલ કર્યો ૫૦ કરોડનો માનહાનિનો દાવા.સોલ્ટ લેક સ્ટેડિયમમાં બનેલી ઘટનામાં ગાંગુલીનું નામ ઘુસાડવામાં આવ્યું હતું, જેના પગલે કાર્યવાહી કરી હતી.પૂર્વ ભારતીય કેપ્ટન અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલીએ ઉત્તમ સાહા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગાંગુલીએ આરોપ લગાવ્યો છે કે સાહાએ યુવા ભારતી સ્ટેડિયમ (સોલ્ટ લેક સ્ટેડિયમ) ઘટનામાં જાણી જાેઈને તેમને ફસાવ્યા હતા અને તેમના વિરુદ્ધ ખોટા, દુર્ભાવનાપૂર્ણ અને બદનક્ષીભર્યા નિવેદનો આપીને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું. સાહા આજેર્ન્ટિના ફેન ક્લબના પ્રમુખ છે. દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીની એક ઈવેન્ટ દરમિયાન સોલ્ટ લેક સ્ટેડિયમમાં અફરાતફરી ફેલાઈ હતી. ગાંગુલીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું…

Read More

ગુજરાતમાં ૪,૩૪,૭૦,૧૦૯ મતદારો નોંધાયા, ૭૩ લાખ કપાયાગુજરાતની નવી  SIR-૨૦૨૬ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થઈમેપિંગ ન થયેલ મતદારોને સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટીસ  આપવામાં આવશે : નોટીસ પ્રાપ્ત કરનાર મતદારોએ પુરાવા રજૂ કરવાના રહેશે.ગુજરાતમાં  SIR ની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ યાદી જાહેર થઈ છે. જેમાં ગુજરાતમાં કુલ કેટલા મતદારો છે, કેટલા મતદારોના નામ કપાયા છે, તેમજ કેટલા ડુપ્લીકેટ મતદારો હતા તે તમામ માહિતી સામે આવી ગઈ છે. યાદી મુજબ ગુજરાતાં કુલ ૪ કરોડ ૩૪ લાખ મતદારોની નોંધણી થઈ છે.  ગુજરાતની મતદાર શુદ્ધિકરણ ડ્રાફ્ટ યાદી આખરે જાહેર થઈ ગઈ છે. ડ્રાફ્ટ મતદાર યાદી મુજબ ગુજરાતમાં ૪,૩૪,૭૦,૧૦૯ મતદારો નોંધાયા છે. મતદાર શુદ્ધિકરણ પ્રક્રિયા…

Read More

૨૦૪૦ સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓ વધીને ૨૦ લાખ થઇ શક.કેન્સરની બાબતમાં ચીન, અમેરિકા પછી ભારત ત્રીજા ક્રમે.વિશ્વમાં દર વર્ષે કેન્સરના બે કરોડ કેસો સામે આવે છે ઓછી ઉંમરમાં પણ કેન્સર થવાનાં વધતા કેસો.સમગ્ર વિશ્વમાં કેન્સરના કેસોની સંખ્યામાં ચીન અને અમેરિકા પછી ભારત ત્રીજા ક્રમે છે અને ૨૦૪૦ સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધીને ૨૦ લાખ થઇ જશે તેમ વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય કક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે એક નિવેદનમાં જણાવ્યું છે.એક પ્રશ્રના જવાબમાં પ્રધાને જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીએ મહિલાઓમાં જાેવા મળતા સર્વાઇકલ કેન્સરની સારવાર માટે પ્રથમ એચપીવી વેક્સિન વિકસિત કરી છે અને સરકાર આ વેક્સિન મોેટા ભાગના લોકોને વ્યાજબી ભાવે…

Read More

દેશની હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસોનું ભારણ ઓછું કરવાનો આશય.હવેથી એડહૉક જજાે સિંગલ અથવા ખંડપીઠની અધ્યક્ષતા કરી શકશે: સુપ્રીમ.અગાઉના ર્નિણયમાં ઠરાવવામાં આવ્યું હતું કે એડહૉક જજાે ખંડપીઠ એટલે કે ડિવીઝન બેંચની અધ્યક્ષતા કરી શકશે નહીં.સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ હુકમમાં સ્પષ્ટ કર્યું છે કે હવેથી એડહૉક જજાે સિંગલ અથવા ડિવિઝન બેંચની અધ્યક્ષતા કરી શકશે. દેશની વિવિધ હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસોના ભારણને ઓછું કરવાના આશયથી ઉક્ત ર્નિણય કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે એપ્રિલ ૨૦૨૧માં આ મામલે જે ર્નિદેશ આપ્યા હતા, એની શરતોને સ્પષ્ટ કરી આપી છે. અગાઉના ર્નિણયમાં ઠરાવવામાં આવ્યું હતું કે એડહૉક જજાે ખંડપીઠ એટલે કે ડિવીઝન બેંચની અધ્યક્ષતા કરી શકશે નહીં. સુપ્રીમના…

Read More

અરજદારોના સોશિયલ મીડિયા સ્ક્રિનિંગ માટે સમય લંબાવ્યાનો દાવો.એચ-૧બી વિઝાનું સંકટ વધ્યું, ઈન્ટરવ્યુ ઓક્ટોબર સુધી ઠેલાયાં.સ્ટાફની ઉપલબ્ધિ પ્રમાણે એપોઈન્ટમેન્ટની તારીખોમાં બદલાવ થતો રહે છે: યુએસ કોન્સ્યુલેટ.ભારત પર જંગી ટેરિફ ઝિંક્યા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે વિઝાનું હથિયાર ઉગામ્યું છે. વિઝા ફીમાં જંગી વધારો અને આકરા નિયમો જાહેર કર્યા પછી ટ્રમ્પ સરકારે વિઝા સંકટને વધારે ઘેરું બનાવ્યું છે. યુએસના H-1B અને H-4 માટે અરજી કરનારા સેંકડો ભારતીયોના વિઝા ઈન્ટરવ્યુ સામે અનિશ્ચિતતા ઊભી થઈ છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૬માં ઈન્ટરવ્યૂની તારીખ નક્કી થઈ હોય તેવા વિઝા અરજદારોને અચાનક જ ઓક્ટોબર મહિનાની અથવા તે પછીની તારીખો અપાઈ રહી છે. ટૂંકમાં ભારતીય વિઝા અરજદારો માટે ઓક્ટોબર…

Read More

અલાહાબાદ હાઈકોર્ટે રાજ્યના અગ્ર સચિવને સ્પષ્ટતા કરવા ર્નિદેશ આપ્યો.અધિકારીઓ માટે આદરણીય વિશેષણ સારું નથી: HC રાજ્ય સરકારના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પોતાના નામની આગળ આદરણીય વિશેષણો લગાવવાનું પસંદ કરે છે જે યોગ્ય નથી : કોર્ટ.રાજ્ય સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓના નામ પહેલા આદરણીય વિશેષણ સારુ ન હોવાનું અલાહાબાદ હાઈકોર્ટે નોંધ્યુ હતું. આ સાથે ઉત્તર પ્રદેશના મહેસૂલ વિભાગના અગ્ર સચિવને સોગંદનામુ રજૂ કરી આદરણીય સંબોધનને યોગ્ય ઠરાવતા કાયદા સંદર્ભે સ્પષ્ટતા કરવા ર્નિદેશ આપ્યા હતા. જસ્ટિસ અજય ભણોત અને જસ્ટિસ ગરિમા પ્રસાદની બેન્ચે એક અરજીની સુનાવણી દરમિયાન એડિશનલ કમિશનર, અપીલ માટે આદરણીય એડિશનલ કમિશનર, અપીલ સંબોધન જાેયું હતું. આ સંદર્ભે હાઈકોર્ટે નોંધ્યુ હતું કે,…

Read More