- Casino en ligne Golden Panda – Licence et sécurité
- Казино Yard – безопасность аккаунта и защита персональных данных
- Kasyno online Vulkan Vegas – Metody płatności
- CasinoLab PL – Automaty, jackpoty i ekskluzywne gry kasynowe
- Vavada online casino w Polsce – obsługa klienta
- Онлайн казино Dragon Money (Драгон Мани) – руководство по регистрации
- NV kasyno – wpłaty i wypłaty w kasynie online
- Roobet Casino En Ligne pour les joueurs français – Service client et assistance disponible
Author: garvigujrat
નીતિન ગડકરીની ગુજરાતને મોટી ભેટ.કચ્છનું રણ ચીરીને નીકળશે નવો નેશનલ હાઈવે.લખપત-ગડુલી-હાજીપીર-ખાવડાથી ધોળાવીરા સુધીનો ૧૬૫.૫૮ કિમી લાંબો રોડ હવે ‘પેવ્ડ શોલ્ડર‘ સાથે ૨-લેન બનશે આ વિસ્તારોને હાઈવેની કનેક્ટિવિટી મળશે.ગુજરાતનો ખૂણેખૂણો વિકાસ કરી રહ્યો છે. કચ્છમાં કરાયેલા ઝાકમઝોળ કારણે વિદેશના પ્રવાસીઓ પણ ખેંચાઈને આવ્યા છે. ત્યારે હવે પ્રવાસીઓ સરળતાથી કચ્છના રણ સુધી પહોંચે તેવું આયોજન કેન્દ્ર સરકારે કર્યું છે. કચ્છમાં નેશનલ હાઈવે-૭૫૪દ્ભ ના નવીનીકરણની જાહેરાત કેન્દ્ર સરકારના મંત્રી નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે.કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીને ગુજરાતના કચ્છ માટે મોટી જાહેરાત કરી છે. કચ્છમાં નેશનલ હાઈવે-૭૫૪દ્ભ ના નવીનીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૬૫૦.૪૨ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.…
જયશંકર અને હરદીપ પુરી રહ્યા હાજર.દેશમાં ગેસની અછત મુદ્દે PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક.હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી નાકાબંધીને કારણે ભારતની ગેસ આયાતમાં ૩૦%નો ઘટાડો નોંધાયો છે.ઇરાન ઇઝરાયલ યુએસ વચ્ચે યુદ્ધનો આજે ૧૧મો દિવસ છે. ત્યારે ભારત સહિત અનેક દેશોમાં ઓઇલ અને ગેસનું સંક્ટ તોળાઇ રહ્યુ છે. તે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી મળવા પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે વિદેશમંત્રી એસ જયશંકર, પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ ચર્ચા કરી. પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના ૧૧ મા દિવસે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ વધુ ઘેરું બન્યું છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી નાકાબંધીને કારણે ભારતની ગેસ આયાતમાં…
સરકારનો મોટો ર્નિણય.LPG સિલિન્ડરની જમાખોરી રોકવા કેન્દ્ર સરકારે દેશમાં ESMA લાગુ કર્યો.LPG સપ્લાયમાં અવરોધ ન આવે તે માટે કેન્દ્ર સરકારે આખા દેશમાં ESMA કાયદો લાગુ કર્યો છે.ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં ઉભી થયેલી પરિસ્થિતિઓની અસર ભારતમાં તેલ-ગેસની સપ્લાય પર પડી રહી છે. દેશમાં ગેસની ભારે અછત સર્જાઈ હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે સરકારે કડક નિયમો લાગુ કરી દીધા છે. ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર તો હજુ મળી રહ્યા છે, પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત છે. લોકો ગેસ સિલિન્ડરની જમાખોરી ન કરે અને LPG સપ્લાયમાં અવરોધ ન આવે તે માટે કેન્દ્ર સરકારે આખા દેશમાં ESMA કાયદો લાગુ…
યુદ્ધની આગ‘ સ્મશાન સુધી પહોંચી.પુણેમાં ગેસ આધારિત સ્મશાનગૃહ બંધ કરાયું.નાગરિકોને અસુવિધા ન થાય તે માટે શહેરના ઇલેક્ટ્રિક સ્મશાનગૃહો અને લાકડા આધારિત સ્મશાનગૃહો સામાન્ય રીતે ચાલુ રહેશે.ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર હવે ભારતમાં પણ જાેવા મળી રહી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંકટને કારણે ગેસની અછત સર્જાઈ છે, જેના કારણે પહેલા રાંધણ ગેસ-કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા અને હવે સ્મશાનઘાટોમાં ગેસની ભઠ્ઠીઓમાં તાળા લાગી ગયા છે. એટલે કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સ્મશાનઘાટો સુધી વર્તાવા લાગી છે. ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષના કારણે LPG બનાવવા માટે જરૂરી ગેસો જેમ કે પ્રોપેન અને બ્યુટેનની સપ્લાય અટકી જતાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના ગેસ સ્મશાનગૃહોને અસ્થાયી…
સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ.કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો.સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે આ વળતર ‘નો-ફોલ્ટ‘ધોરણે આપવું જાેઈએ.સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણીમાં કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, જે લોકો કોવિડ-૧૯ વેક્સિનની ગંભીર આડઅસરોથી પીડાઈ રહ્યા છે, તેમને વળતર આપવા માટે એક નીતિ ઘડવામાં આવે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે આ વળતર ‘નો-ફોલ્ટ‘ધોરણે આપવું જાેઈએ. સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી વખતે ૧૦ માર્ચના રોજ કેન્દ્રને નિર્દેશ કર્યો હતો કે, ‘ભારત સરકાર કોવિડ-૧૯ વેક્સિનેશન પછીની ગંભીર આડઅસરો માટે ‘નો-ફોલ્ટ કોમ્પેન્સેશન પોલિસી‘…
ક્રૂડ તેલની કિંમતોમાં ૨૫ ટકા સુધીનો વધારો.યુદ્ધના કારણે વિશ્વભરમાં હાહાકાર, ૯ દેશોમાં પેટ્રોલ-ગેસ સંકટ અને મોંઘવારીનો ડર.પાકિસ્તાન, ફ્રાન્સ, અમેરિકા, જર્મની, પોલેન્ડ, વિયેતનામ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઈન્ડોનેશિયામાં ઈંધણની ભારે કટોકટી સર્જાઈ છે.અમેરિકા-ઈઝરાયલ ઈરાન સાથે છેલ્લા ૧૧ દિવસથી યુદ્ધ કરી રહ્યા છે, તો ઈરાને વિશ્વભર માટે સૌથી મહત્વનો જળમાર્ગ હોર્મુઝ બંધ કરવાના કારણે અનેક તેલ ટેન્કરો સહિતનો સામાન અટકી પડ્યો છે, યુદ્ધના કારણે સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયા સહિતના દેશોએ પણ આયાત પર કામ મુકી દીધો છે, જેના કારણે અનેક દેશોમાં ફ્યૂલ સંકટને લઈ હાહાકાર મચી ગયો છે. મધ્ય-પૂર્વમાં ભયાનક યુદ્ધ ચાલી રહ્યું હોવાના કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશો ફ્યૂલ…
બૂટલેગરો બેફામ.રાજ્યની સરહદ ઉપરથી બે વર્ષમાં ૪૨.૨૨ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો.અમદાવાદમાં ૧૭,૩૧૧ અને વડોદરામાં ૧૫,૧૫૪ લોકો સામે વગર પરમીટે દારૂનું સેવન કરવા બદલ કેસ કરવામાં આવ્યા.બૂટલેગરો બેફામ હોય તેમ રાજ્યની મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ ઉપર જંગી જથ્થામાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરતા હોય છે. છેલ્લા બે વર્ષમાં ૪૨.૨૨ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ અને બિયર આ સરહદો પરથી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં સંડોવાયેલા કુલ ૧૦૧૮ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હોવાની માહિતી વિધાનસભામાં અપાઇ છે. કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા દ્વારા જાન્યુઆરી-૨૦૨૬ની સ્થિતિએ બે વર્ષમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચેકપોસ્ટ પરથી કેટલી કિંમતનો વિદેશી દારૂ અને બિયર પકડવામાં…
અડધી રાત્રે પિટિશન ડ્રાફ્ટ કરો છો કે શું?: કોર્ટનો સવાલ.ડુંગળી-લસણ તામસિક છે? સુપ્રીમે અરજી ફગાવી દીધી.હવે પછી જાે તમે આવી પિટિશન ફાઈલ કરશો, તો મોટો દંડ ફટકારવામાં આવશે : કોર્ટે અરજદારને ચેતવણી આપી.સુપ્રીમ કોર્ટમાં એક વકીલે જાહેર હિતની પાંચ જાહેર હિતની અરજીઓ (પીઆઈએલ) દાખલ કરી હતી. જેમાંથી એક અરજીમાં માંગ કરવામાં આવી હતી કે ડુંગળી અને લસણમાં તામસિક કે નેગેટિવ એનર્જી હોય છે કે નહીં તે અંગે રિસર્ચ કરાવવામાં આવે. આ બાબતે સોમવારે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે એડવોકેટ સચિન ગુપ્તાને ફટકાર લગાવી હતી. ચીફ જસ્ટિસે પૂછ્યું કે, “અડધી રાત્રે આ બધી પિટિશન ડ્રાફ્ટ કરો છો કે શું?”ચીફ…
ઈઝરાયેલે નાગરિકોને નિશાન બનાવતા અમેરિકા નારાજ.ઇરાનમાં રહેતા ભારતીયોને મંજૂરી વિના દેશ નહીં છોડવાની તાકીદ.કચેરીની મંજૂરી વિના કોઇપણ ભારતીય જમીન સરહદે ઇરાન છોડવાનો પ્રયાસ કરશે તો તેને બાદમાં કોઇ મદદ કરી શકાશે નહીં.તેહરાન સ્થિત ભારતીય એલચી કચેરીએ ઇરાનમાં રહેતાં તમામ ભારતીયોને કચેરીની મંજૂરી વિના ઇરાન નહી છોડવાની કડક તાકીદ કરી છે અને કહ્યું છે કે જાે એલચી કચેરીની મંજૂરી વિના કોઇપણ ભારતીય જમીન સરહદે ઇરાન છોડવાનો પ્રયાસ કરશે તો તેને બાદમાં કોઇ મદદ કરી શકાશે નહીં.ઇરાનમાં રહેતા ભારતીયો માટે બહાર પડાયેલી એડવાઇઝરીમાં કચેરીએ કહ્યું છે કે ભારતીય એલચી કચેરીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ અને પૂર્વમંજૂરી સાથે જ સરહદ પાર કરવાની રહેશે, તેથી…
નિર્દાેષ બાળકો-મહિલાઓના મોત પર સવાલ.ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અફઘાનિસ્તાનની પડખે ઉભુ રહ્યું !.અફઘાનિસ્તાન માટે યુએનના ઉપ વિશેષ પ્રતિનિધિ જાેર્જેટ ગેગ્નોને પણ આ સંઘર્ષને કારણે થતા આર્થિક નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે.ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અફઘાનિસ્તાન પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની આકરી નિંદા કરી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે સોમવારે સુરક્ષા પરિષદમાં કહ્યું હતું કે, ‘એક તરફ આંતરરાષ્ટ્રીય કાયદા અને ઇસ્લામી એકતાની મોટી વાતો કરવી અને બીજી તરફ પવિત્ર રમઝાન માસમાં નિર્દાેષ લોકો પર હવાઈ હુમલા કરવા તે પાકિસ્તાનનો દંભ અને પાખંડ છે. આ હુમલાઓમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોના મોત થયા છે, જે કોઈપણ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



