- CJPના અભિજીત દીપકેની PM મોદીને અપીલ, ‘15 ઓગસ્ટનું ભાષણ Gen Z અને યુવાનોને સમર્પિત કરો’
- PM મોદી-સુખબીર બાદલ મુલાકાતથી પંજાબમાં ભાજપ-અકાલી દળ ગઠબંધનની અટકળો ફરી તેજ
- પ્રિયંકા ગાંધીનો સરકાર પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવે છે’; ગૃહમંત્રી પાસે જવાબની માંગ
- ડાર્ક પેટર્ન બદલ Zepto, BookMyShow સહિત 9 એપ્સને CCPAનો દંડ, ગ્રાહકો પાસેથી વસૂલાતા છુપા ચાર્જ પર કાર્યવાહી
- 20 દિવસમાં 5 વખત રસ્તો ધસી ગયો, લખનઉ-કાનપુર એક્સપ્રેસવેના રિપેરમાં ટેબલ ફેનનો વીડિયો વાયરલ
- સુરતમાં એનલોગ પનીર સામે કાર્યવાહી, નકલી-અસલી પનીરનો ભેદ અને આરોગ્યના જોખમો પર ચેતવણી
- સુરતમાં 15 ઓગસ્ટે વાલ્મીકી સમાજનો કૌટુંબિક તકરાર સમાધાન કાર્યક્રમ, પક્ષકારોને હાજરીનું આમંત્રણ
- સુરતમાં 9 ઓગસ્ટે AAPનો ઈ-20 પેટ્રોલ જાગૃતિ કાર્યક્રમ, ઈથનોલના અસરકારક મુદ્દે થશે ચર્ચા
Author: garvigujrat
શિખરને સ્થાને ત્રિશૂળ બનશે નવી ઓળખ.સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો ૭૭ વર્ષે બદલાયો.ટ્રસ્ટનો નવો લોગો ૧ એપ્રિલથી અમલમાં આવશ.પ્રથમ જ્યોતિર્લિંગ અને વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનો લોગો બદલવામાં આવ્યો છે. ટ્રસ્ટે સ્થાપનાને ૭૭ વર્ષ બાદ લોગો બદલવાનો ર્નિણય કર્યો છે. નવા લોગોમાં ત્રિશૂળને પ્રતિત કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે સ્થાપના આટલાં વર્ષો બાદ પ્રથમ વખત લોકો બદલ્યો છે. ટ્રસ્ટનો નવો લોગો આગામી ૧ એપ્રિલથી સત્તાવાર રીતે અમલમાં આવશે. અગાઉના લોગોમાં મંદિરનું શિખર દર્શાવવાની સાથે તેમાં જય સોમનાથ લખેલુ હતું. જ્યારે હવે નવા લોગોમાં વાદળી કલરના બેકગ્રાઉન્ડ પર ત્રિશૂળ દર્શાવવામાં આવ્યું છે અને તેની નીચે સોમનાથ લખ્યું છે. ટ્રસ્ટના વિવિધ…
DAC એ આપી મંજૂરી.ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ.રક્ષા મંત્રાલયે ભારતીય વાયુસેના માટે રશિયા પાસેથી ડિફેન્સ સિસ્ટમની વધારાની બેટરી ખરીદવાની મંજૂરી આપી.ભારત તેના સંરક્ષણ સાધનોનું મોટા પાયે અપગ્રેડ કરી રહ્યું છે. ૨૭ માર્ચ, ૨૦૨૬ ના રોજ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આશરે રૂ.૨.૩૮ લાખ કરોડના અંદાજિત ખર્ચ સાથે વિવિધ દરખાસ્તો માટે સ્વીકૃતિની આવશ્યકતા (AoN) મંજૂર કરવામાં આવી. રક્ષા મંત્રાલયે ભારતીય વાયુસેના માટે રશિયા પાસેથી જી-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમની વધારાની બેટરી ખરીદવાની મંજૂરી આપી છે. રક્ષા મંત્રાલયની ડિફેન્સ એક્યુજેશન કાઉન્સિલ (DAC) એ આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં આ પ્રસ્તાવને લીલી ઝંડી આપવામાં આવી હતી. સંરક્ષણ પ્રધાન…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત:- સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સુરત મહાનગરપાલિકાની બિલ્ડીંગ માંથી અડધી રાતે મહાનગરપાલિકાના અધિકારીઓએ યુનિયન ઓફિસોના તાળાતોડી કબ્જા લઇ લેવામાં આવેલ છે.જેની સામે જુદા-જુદા યુનિયનો દ્વરા તા:-૨૦/૧૧/૨૦૨૫ નારોજ લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત ફરિયાદ આપવામાં આવેલ.તેફરિયાદની તપાસ સુરત શહેરના લાલગેટ પોલીસ વિસ્તારમાં મદદનીશ પોલીસ ક્મીશનરશ્રીને તપાસ સોંપવામાં આવેલ. પરંતુ ચાર મહિના જેવો લાંબો સમય થવા છતાં તપાસ આગળ વધી નથી.જે સુરત શહેર પોલીસની નિષ્ક્રિયતા સાબિત કરે છે.સામાન્યરીતે-સામાન્ય ગુનેગારને પકડી વરઘોડા કાઢી વાહ-વાહ લૂંટતી હોઈ છે, પરંતુ આ કેસમાં કઈ બન્યું જ ના હોઈ તેમ પોલીસ કોઈપણ પ્રકારની તપાસ કરી નથી. પ્રાપ્ત માહિતી મુજબ…
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં આપ કાઠું કાઢશે રાજકીય નિરિક્ષકોનુ માનવું છે કે ગત ચુંટણીઓ કરતા ૭થી ૧૦ ટકા મત વધુ મળે તો આપ સર્વત્ર દેખાશે રાજ્કોટ સહિતની પાલિકાઓમાં આપનો દબદબો ચોક્કસ વધશે- કોંગ્રેસ દ્વિતીય ક્રમે – આપના નેતાઓના વધેલા આંટાફેરા ચિત્ર બદલવા માટે પૂરતા છે . ગુજરાતમાં આગામી દિવસોમાં વિવિધ જીલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓમાં ચુંટણીના બ્યુગલ ફૂંકવાની ઘડીઓ હવે ગણાઈ રહી છે. એકાદ બે દિવસમાં જ સ્થાનિક સ્વરાજ્યની આ ચુંટણીઓની તારીખો જાહેર થવાની છે વિવધ રાજકીય પક્ષોના ઉમેદવારો પણ મેદાનમાં આવી ચુક્યા છે. જો કે આ વખતની ચુંટણી છેલ્લા વર્ષોમાં રહી છે તેટલી આસાન ભાજપ માટે રહે તેવી કોઈ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાહિતલક્ષી ર્નિણય વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત રૂપિયા ૩૦૦ના ટોકન પર સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જાેગવાઈઓમાં રાહત આપવાનો પ્રજાલક્ષી ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રી સમક્ષ સમાજના વિવિધ અગ્રણીઓ, કિસાન સંઘ તથા ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો તેમણે સકારાત્મક પ્રતિસાદ આપીને આ ખેડૂત તથા પ્રજાહિતકારી ર્નિણય કર્યો છે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૯ હેઠળ રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અથવા માફ કરવા મળેલી સત્તા અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીની જમીન અંગેના કેટલાક કિસ્સાઓમાં જંત્રી…
વિશ્વમાં વધુ એક નવા યુદ્ધના ભણકારા! ચીને તાઇવાનની સરહદે તહેનાત કર્યા ઘાતક હથિયાર સેટેલાઇટ તસવીરોમાં ફૂજિયન અને ગુઆંગડોંગ પ્રાંતમાં આશરે ૨૦૦થી વધુ આવા ડ્રોન જાેવા મળ્યા હતા ચીન હવે તાઇવાન પર કબજાે મેળવવા માટે પોતાની સૈન્ય વ્યૂહનીતિને એક નવા અને અત્યંત ખતરનાક સ્તર પર લઈ જતું જાેવા મળી રહ્યું છે. મિશેલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એરોસ્પેસ સ્ટડીઝના તાજેતરના રિપોર્ટ અનુસાર, ચીને તાઇવાન સ્ટ્રેટની નજીક આવેલા તેના ૬ મહત્ત્વના એરબેઝ પર જૂના થઈ ગયેલા સુપરસોનિક ફાઇટર જેટ્સને આધુનિક એટેક ડ્રોનમાં ફેરવીને તહેનાત કરી દીધા છે. સેટેલાઇટ તસવીરોમાં ફૂજિયન અને ગુઆંગડોંગ પ્રાંતમાં આશરે ૨૦૦થી વધુ આવા ડ્રોન જાેવા મળ્યા છે, જે વાસ્તવમાં ૧૯૬૦ના દાયકાના…
આનંદીબેન પટેલની માતા-પિતાને ટકોર દીકરી ફોન પર ધીમે વાત કરે શંકા કરજાે હરિદ્વાર ખાતે ભાગવત કથાનું આયોજન કરાયું : આનંદીબેને સમાજની બદલાતી સ્થિતિ અને બદલાતા સંસ્કારો મામલે ચિંતા વ્યક્ત કરી ગુજરાતના વિવિધ સમાજમાં દીકરી બચાવો મુદ્દે જંગ છેડાયો છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હરિદ્વારમાં પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ભાગવત કથામાં દીકરીઓ મુદ્દે માતાપિતાને ગંભીર ચેતવણી આપી છે. તેઓએ કહ્યું હતું કે, ફોન આવતા દીકરી બાજુના રૂમમાં જઈને વાત કરે તો ચેતી જજાે, અને શંકા કરજાે. મિત્રો હોઈ શકે છે, પણ ધ્યાન રાખજાે દીકરી ઘર કે સ્કૂલમાંથી ભાગી ના જાય. હરિદ્વાર ખાતે પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા…
ભારતનો મોટો દાવ હોર્મુઝમાં મોટી રાહત બાદ હવે રશિયાથી આવશે LNG ખજાનો ભારત સરકારે ઘરેલૂ ઊર્જા કંપનીઓને રશિયાથી LNG ખરીદ ફરીથી શરુ કરવા માટે તૈયાર રહેવા કહી દીધું છે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી જંગની આગે ભારતની રસોઈથી લઈ ફેક્ટરીને પણ પ્રભાવિત કરી છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર, ભારત સરકારે ઘરેલુ ઊર્જા કંપનીઓને રશિયાથી ન્દ્ગય્ ખરીદ ફરીથી શરૂ કરવા માટે તૈયાર રહેવા કહી દીધું છે. આ પગલું યુક્રેન યુદ્ધથી અત્યાર સુધીનું સૌથી મોટું નીતિગત પગલું માનવામાં આવી રહ્યું છે. Jerusalem Post ના હવાલેથી આપેલા રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત અને રશિયાની વચ્ચે લિક્વિફાઇડ નેચરલ ગેસ એટલે કે LNG સીધી સપ્લાય ફરીથી શરૂ…
લાખો ભક્તોએ આ અલૌકિક નજારાના દર્શન કર્યા અયોધ્યા નગરીમાં ૧૨ વાગ્યે રામલલાનું સૂર્ય તિલક થયું હતું અયોધ્યા રામનગરીમાં રામલલાના જન્મોત્સવને લઈને ઉત્સાહ : મોદીએ ટીવી પર રામલલાનો સૂર્ય તિલક જાેયો અયોધ્યા નગરીમાં રામલલાના જન્મોત્સવનો ઉત્સાહ ધામધૂમથી ચાલી રહ્યો છે. રામ મંદિરના આંગણથી લઈને દરેક મઠ-મંદિરમાં ભગવાન રામલલાનો જન્મોત્સવ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે એટલે કે રામનવમી પર શુક્રવારે બપોરે અયોધ્યામાં ૧૨ વાગ્યે રામલલાનું સૂર્ય તિલક થયું હતું. પ્રાણ-પ્રતિષ્ઠા બાદ રામલલાનું આ બીજું સૂર્ય તિલક હતું. બપોરે ૧૨ વાગ્યે અભિજીત મુહૂર્તમાં લલાટ પર સૂર્યના કિરણોથી રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. ૯ મિનિટ સુધી લાખો ભક્તોએ રૂબરૂ અને ઓનલાઈન…
ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલ ઉપર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાયમાં મોટો ઘટાડો થતાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ૧૦-૧૦ રૂપિયા ઘટાડી દીધી છે ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધને કારણે હોર્મૂઝની ખાડી બંધ હોવાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાયમાં મોટો ઘટાડો થતાં સંકટની ઘડી સર્જાઈ છે ત્યારે કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો ર્નિણય કરતાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ૧૦-૧૦ રૂપિયા ઘટાડી દીધી છે. પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ૧૦ રૂપિયા ઘટાડીને ૩ રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી શૂન્ય કરી દેવામાં આવી છે. તેનો અર્થ એ છે…




