- Casino en ligne Golden Panda – Licence et sécurité
- Казино Yard – безопасность аккаунта и защита персональных данных
- Kasyno online Vulkan Vegas – Metody płatności
- CasinoLab PL – Automaty, jackpoty i ekskluzywne gry kasynowe
- Vavada online casino w Polsce – obsługa klienta
- Онлайн казино Dragon Money (Драгон Мани) – руководство по регистрации
- NV kasyno – wpłaty i wypłaty w kasynie online
- Roobet Casino En Ligne pour les joueurs français – Service client et assistance disponible
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે ગુજરાતના એક ગંભીર મુદ્દે દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં AAP રાષ્ટ્રીય નેતા પ્રિયંકા કક્કરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એક કર્મઠ કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ કચ્છના જિલ્લા પ્રમુખ ડૉ. કાયનાત અંસારીએ 50થી વધુ વખત ગાંધીધામની પોલીસને ફરિયાદ આપી કે ક્યાં ક્યાં ગેરકાયદેસર દારૂ વેચાઈ રહ્યો છે. પરંતુ ગઈકાલે રાત્રે પોલીસે કાયનાત અંસારીને જ ગિરફતાર કરી લીધા. શું આ રીતે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનો કારોબાર બંધ થશે? એક આંકડા પ્રમાણે ગુજરાતમાં 40,000 કરોડનો ગેરકાયદેસર દારૂ વેચાય છે. કઈ રીતે આટલો મોટો ગોરખ ધંધો ચાલે છે? શા…
વિધાનસભામાં પ્રશ્નોત્તરી મુદ્દે મીડિયા સાથે વાત કરતાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગઈ કાલે, 9 માર્ચ 2026ના દિવસે, વિધાનસભામાં મારો એક પ્રશ્ન હતો, ક્રમાંક 25. તે અત્યંત મહત્વનો અને આવશ્યક મુદ્દો હતો, પરંતુ સરકારે મને તેનો વાસ્તવિક જવાબ આપવાના બદલે ગોળગોળ જલેબી જેવો જવાબ આપ્યો. મારો ચોક્કસ પ્રશ્ન એવો હતો કે વડોદરા અને અમદાવાદમાં દારૂ પીધેલી હાલતમાં કેટલા લોકો પોલીસના ચોપડે પકડાયા, કેટલા લોકો સામે દારૂ પીવાના ગુના હેઠળ એફઆઈઆર નોંધાઈ, અને જેટલી એફઆઈઆર દારૂ પીવાની નોંધાઈ છે તેની સામે દારૂ વેચવાની કેટલી એફઆઈઆર નોંધાઈ? સીધો પ્રશ્ન છે કે જે માણસ દારૂ પીવે છે તેની…
આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાના મિત્રોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, વિસાવદરમાં ભવ્ય લાઇબ્રેરીનું નિર્માણ થાય એવી માંગ મેં સરકાર સમક્ષ મૂકી છે, જેથી બાળકો ભણી ગણીને, વાંચન કરીને આગળ વધે અને ભેસાણમાં પણ એક પુસ્તકાલય ચાલુ થાય એવી માંગણી સરકાર સમક્ષ મૂકી છે. અમારા વિસાવદર-ભેસાણ અને જુનાગઢમાં હીરાના કારખાના ખૂબ જ આવ્યા છે પરંતુ તેના માલિકોને કોઈ સહાય મળતી નથી. તો મેં સરકાર સમક્ષ માંગ કરી છે કે આ તમામ લોકોને અલગ અલગ સબસીડી આપીને તેમને સપોર્ટ કરવામાં આવે કારણ કે તેઓ ગ્રામીણ વિસ્તારમાં રોજગારી આપી રહ્યા છે. સરકારી રત્ન કલાકારો…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે અમારા કચ્છ જિલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન ડૉ. કાયનાતબેન અન્સારી ઘણા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈને લોકોની સેવા કરી રહ્યા છે. એક મહિલા હોવાની સાથે તેઓ પ્રતિષ્ઠિત ડોક્ટર છે, પોતાનું હોસ્પિટલ ધરાવે છે અને સારી આવક પણ ધરાવે છે. તેમ છતાં તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને સમાજના છેવાડાના માણસ માટે કામ કરી રહ્યા છે અને તેમના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. થોડા દિવસો પહેલાં તેમણે દારૂબંધીના પોકળ દાવાઓને બહાર લાવવા માટે “જનતા રેડ” કરી હતી. મોબાઈલ દ્વારા ફેસબુક લાઈવ કરીને તેમણે દારૂબંધીના દાવાઓની પોલ ખોલવાનો પ્રયાસ કર્યો હતો.…
ચીનને અબજાે ડોલરનું નુકસાન યુદ્ધ અમેરિકા-ઈરાનમાં પણ મોટો લાભ થયો રશિયાને! રશિયા યુદ્ધનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યું છે : રશિયાએ પોતાના તેલ પરનું ડિસ્કાઉન્ટ ઘટાડી દીધું છે. વિશ્વમાં એકતરફ છેલ્લા ચાર વર્ષથી રશિયા-યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજીતરફ અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર ભાયનક હુમલા કરી રહ્યું છે. હુમલામાં સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનું મોત થયા બાદ ઈરાન વધુ અક્રમક બની ગયું છે અને તે અમેરિકા-ઈઝરાયલ સાથે લડવાની સાથે પડોશી દેશો કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન સહિતના દેશો પર મિસાઈલો ઝિંકી રહ્યું છે. મધ્ય-પૂર્વમાં આ ભયાનક પરિસ્થિતિની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. ઈરાને વેપાર માટેનો સૌથી વ્યસ્ત જળમાર્ગ હોર્મુઝ…
પાકિસ્તાની ખેલાડીઓને ભારતની જીત પચી નહીં ભારતે ક્રિકેટ બરબાદ કરી નાંખ્યું છે : શોએબ અખ્તર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે કહ્યું હતું કે, ભારતની વધતી જતી તાકાતે ક્રિકેટને નુકસાન પહોંચાડ્યું છે T20 વર્લ્ડ કપમાં ભારતના વિજય બાદ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે આકરા પ્રહારો કર્યા છે. તેણે દાવો કર્યો કે ભારતે ક્રિકેટને બરબાદ કરી નાંખ્યું છે. અખ્તરે ટીમ ઈન્ડિયાની તુલના ગલી ક્રિકેટમાં દાદાગીરી કરતા કોઈ અમીર બાપના નબીરા સાથે કરી હતી. T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઈનલમાં ભારતના શાનદાર પ્રદર્શને વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. અમદાવાદમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ૯૬ રને હરાવીને ત્રીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે…
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ પર ટ્રમ્પનું નિવેદન જંગ ખતમ કરવાનો ર્નિણય નેતન્યાહુ સાથે ચર્ચા-વિચારણા કરી લેવાશે ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યુ કે જાે તે અને નેતન્યાહુ દખલ ન આપી હોત તો ઈરાને ઇઝરાયલને ખતમ કરી દીધું હોત. ઈરાનની સાથે જંગ ક્યારે ખતમ થશે? છેલ્લા ૧૦ દિવસથી મિડલ ઈસ્ટમાં વિધ્વંસ જાેવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં સંકટ ત્યારે શરૂ થયું જ્યારે અમેરિકા અને ઈઝરાયલે મળીને ઈરાન પર હુમલો કર્યો, જેમાં સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થઈ ગયું હતું. રવિવારે ધ ટાઈમ્સ ઓફ ઇઝરાયલ સાથે વાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે તેહરાનની સાથે જંગ ખતમ કરવાનો ર્નિણય નેતન્યાહુ સાથે ચર્ચા-વિચારણા…
ઇશાન કિશને ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી બે દિવસ પહેલા બહેનનું નિધન, શોકમાં હતો પરિવાર, દીકરાએ જીતાડ્યો દેશને વર્લ્ડ કપ ૫૪ રનની ધમાકેદાર ઇનિંગ રમનાર ઇશાન કિશનના સ્મિતની પાછળ એક ઊંડી પીડા છુપાયેલી હતી. T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ૫૪ રનની ધમાકેદાર ઇનિંગ રમનાર ઇશાન કિશનના સ્મિતની પાછળ એક ઊંડી પીડા છુપાયેલી હતી. અહેવાલ મુજબ ઇશાનની પિતરાઇ બહેનનું ફાઇનલના બે દિવસ પહેલા શુક્રવારે એક ભયાનક કાર અકસ્માતમાં નિધન થયું હતું. પરિવારમાં દુ:ખદ ઘટના છતાં ઇશાને પોતાના દેશ પ્રત્યેની પોતાની ફરજને પ્રથમ રાખી અને ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી. ઇશાને કહ્યું કે તે તેના માટે ખૂબ જ મુશ્કેલ સમય…
મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદમાં નિવેદન ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ છીએ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર વિદેશ મંત્રી જયશંકરે આ યુદ્ધમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે, અમે ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ બજેટ સત્રનો બીજાે તબક્કો આજથી શરૂ થયો હતો. ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે વિદેશ મંત્રી એસ. જયશંકર બંને ગૃહોમાં નિવેદન આપ્યું હતું. પ્રથમ દિવસની કાર્યવાહી માટે સત્તાધારી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ની આગેવાની કરી રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિપક્ષી ઇન્ડિયા બ્લોકની નેતા કોંગ્રેસ, બંને પક્ષોએ પોતાના સાંસદોને થ્રી-લાઇન વ્હિપ જાહેર કરી લોકસભામાં હાજર રહેવા જણાવ્યું છે. વિદેશ મંત્રી એસ.…
ઈન્સ્ટા પોસ્ટમાં કર્યા ગંભીર-બુમરાહના ભરપેટ વખાણ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર મહેન્દ્ર ધોની ફીદા થયો ભારત તરફથી જસપ્રીત બુમરાહે માત્ર ૧૫ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી અને ન્યૂઝીલેન્ડની બેટિંગ લાઇનઅપને વેરવિખેર કરી નાખી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઈનલમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ જીત સાથે જ ભારતે પોતાનો ત્રીજાે T20 વિશ્વ કપ ખિતાબ જીત્યો છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૫૫ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં કીવી ટીમ માત્ર ૧૫૯ રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે માત્ર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



