Author: Garvi Gujarat

આ ટ્રેનને તિરૂત્તણિ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું.અમદાવાદ-તિરૂચિરાપલ્લી અઠવાડિક એક્સપ્રેસ પરિવર્તિત રૂટથી દોડશ.આ દરમિયાન આ ટ્રેન અરક્કોણમ,પેરમ્બૂર, ચેન્નાઈ એગ્મોર, તામ્બરમ અને ચેંગલપટ્ટૂ સ્ટેશનો પર નહીં જાય.અમદાવાદ-તિરૂચિરાપલ્લી અઠવાડિક એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે. માર્ગ પરિવર્તન દરમિયાન આ ટ્રેનને તિરૂત્તણિ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ટ્રેનોના રોકાણ, માર્ગ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. •ટ્રેન નંબર ૦૯૪૧૯ અમદાવાદ-તિરૂચિરાપલ્લી અઠવાડિક એક્સપ્રેસ સ્પેશિયલ ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨૯ જાન્યુઆરી ૨૦૨૬ સુધી પરિવર્તિત માર્ગ વાયા રેનિગુંટા-અરક્કોણમ નૉર્થ કેબિન-મેલપક્કમ-કાટપાડી-વેલૂર કેન્ટ-વિલ્લુપુરમના રસ્તે ચાલશે.•ટ્રેન નંબર ૦૯૪૨૦ તિરૂચિરાપલ્લી-અમદાવાદ અઠવાડિક સ્પેશિયલ ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ થી ૦૨…

Read More

વેટરનરી ડૉક્ટરે લોકોને આપી ચેતવણી.રાજકોટ : ગૌશાળામાં એક સાથે ૯૦ ગાયોના મોત.આ ઘટના ગૌશાળાઓમાં ખોરાક વ્યવસ્થા અને સંરક્ષણની ખામીના કારણે થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી.રાજકોટ જિલ્લો ગૌપાલન અને પશુસંરક્ષણની પરંપરામાં હંમેશા અગ્રેસર રહ્યો છે. અહીં અનેક ગૌશાળાઓ આવેલી છે, જેમાં હજારો ગાયોનું પાલન-પોષણ અને સુરક્ષા કરવામાં આવે છે. આ ગૌશાળાઓમાં ગાયોને આરોગ્યપૂર્ણ જીવન આપવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે, જેમ કે નિયમિત તપાસ, પોષણક્ષમ ખોરાક અને વેટરનરી સેવાઓ આપવામાં આવે છે. જાેકે, ગાયોના આરોગ્યને લગતી કાળજી અત્યંત મહત્વની છે, કારણ કે તેમની સુરક્ષા સમાજની સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓ સાથે જાેડાયેલી છે. આજે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી પંથકમાં આવેલી…

Read More

કથિત લગ્ન નોંધણી કૌભાંડ બાદ એક્શન.એક જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા ૨૯ તલાટીઓની બદલી.કણજીપાણી ગામના તલાટી દ્વારા આચરાયેલ કથિત લગ્ન નોંધણી કૌભાંડને ધ્યાનમાં રાખીને આ કડક પગલાં લેવાયા.એક સાથે ૨૯ તલાટીઓની બદલી કરી દેવાતા પંચમહાલ તલાટી બેડામાં ફફડાટ વ્યાપ્યો છે. જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના તલાટી દ્વારા આચરાયેલ કથિત લગ્ન નોંધણી કૌભાંડને ધ્યાનમાં રાખીને આ કડક પગલાં લેવામાં આવ્યા છે. જાે કે પંચમહાલ જિલ્લા તંત્રએ વહીવટી કારણ આપી બદલી કરી હોવાનું જણાવ્યું છે. પંચમહાલ જિલ્લા તંત્રના જવાબદાર અધિકારીએ બદલીની માહિતી આપતા જણાવ્યું કે ‘જિલ્લા વિકાસ અધિકારીની સૂચના બાદ પંચમહાલ જિલ્લાના ૭ તાલુકામાંથી ૨૯ જેટલા તલાટીઓની બદલી કરાઇ છે. વહીવટ કારણોસર આ…

Read More

SBI એ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડાની કરી જાહેરાત.આ ઘટાડા બાદ બેન્કનો એક્સટર્નલ બેન્ચમાર્ક લિન્ક્ડ વ્યાજ દર૨૫ બેસિસ પોઈન્ટ્સ ઘટીને ૭.૯૦% થઈ જશે.રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા(RBI)ના રેપો રેટ ઘટાડવાના ર્નિણય બાદ, દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક(SBI))એ તેના કરોડો ગ્રાહકોને મોટી રાહત આપી છે. SBI એ વ્યાજ દરોમાં૨૫ બેસિસ પોઈન્ટ્સ(BPS)નો ઘટાડો જાહેર કર્યો છે, જેના કારણે હોમ લોન સહિત તમામ લોન સસ્તી થશે. આ ર્નિણય હેઠળ, SBI તેના વિવિધ ધિરાણ દરો જેવા કે માર્જિનલ કોસ્ટ ઑફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ(MCLR), એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ(EBLR), (ઈમ્ન્ઇ), રેપો લિન્ક્ડ લેન્ડિંગ રેટ(ઇન્ન્ઇ), બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ(BPLR) અને બેઝ રેટ માં પણ ઘટાડો કરશે.…

Read More

હિન્દુ અને મુસ્લિમ રીતિ-રિવાજાે અનુસાર લગ્ન કર્યા.ટીવી એક્ટ્રેસ સારા ખાને હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા.સારા ખાન અને રામાયણ ફેમ અભિનેતા સુનીલ લહેરી (લક્ષ્મણ)ના પુત્ર કૃષ પાઠકના લગ્ન હાલમાં ચર્ચાનું કેન્દ્રટીવી એક્ટ્રેસ સારા ખાન અને રામાયણ ફેમ અભિનેતા સુનીલ લહેરી(લક્ષ્મણ)ના પુત્ર કૃષ પાઠકના લગ્ન હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સારા મુસ્લિમ છે અને કૃષ હિન્દુ હોવાથી, કપલે ૬ ડિસેમ્બરના રોજ હિન્દુ અને મુસ્લિમ એમ બંને રીતિ-રિવાજાે અનુસાર લગ્ન કર્યા હતા. હિન્દુ વિધિ દ્વારા સાત ફેરા લીધા બાદ આ કપલે નિકાહ પણ કર્યા હતા, જેની સુંદર તસવીરો હવે સારા ખાને શેર કરી છે અને સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. લાલ…

Read More

કહ્યું – સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન ના કરશો.કર્ણાટકમાં કોંગ્રેસના ગૃહમંત્રી પર ભડક્યા પી.ચિદમ્બરમ.ચિદમ્બરમે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટનો કાયદો સ્પષ્ટ કરે છે કે યોગ્ય કાયદાકીય પ્રક્રિયા વિના ઘર તોડવું ગેરકાયદેસર છે.કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વર દ્વારા ડ્રગ્સ તસ્કરોના ઘરો પર બુલડોઝર કાર્યવાહી કરવા સંબંધિત નિવેદન આપ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે તેની આકરી ટીકા કરી છે. તેમણે સુપ્રીમ કોર્ટનો હવાલો આપતાં કહ્યું કે મને આવા નિવેદનથી ચિંતા થાય છે અને કાયદાકીય પ્રક્રિયા વિના કોઈનું ઘર તોડવું ગેરકાયદેસર ગણાશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, મેં કર્ણાટકના ગૃહમંત્રીનું એક…

Read More

મમતા દીદીનું ટેન્શન વધશે.જ્યાં સૌથી વધુ SIR નો વિવાદ ત્યાં વડાપ્રધાન મોદી કરશે રેલી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦મી ડિસેમ્બરે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના તાહેરપુરમાં એક રેલી કરવાના છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦મી ડિસેમ્બરે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના તાહેરપુરમાં એક મહત્ત્વપૂર્ણ રેલી કરવાના છે. આ રેલી એવા સમયે આવી રહી છે જ્યારે રાજ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કવાયતનો તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.TMC મોદીની આ વ્યૂહાત્મક મુલાકાત મટુઆ વોટ બૅન્કની પ્રતિક્રિયા અને શરણાર્થી મતોના મહત્ત્વને જાેતાં રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીએ SIR નો સખત વિરોધ કર્યો છે.…

Read More

ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ.ફિલિપાઇન્સમાં ૫૦૦થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર.આગની જ્વાળાઓ ઉંચી સુધી પહોંચી હતી : કાળા ધુમાડાથી વાતાવરણ દૂર દૂર સુઘી ભરાઇ ગયું હતું.૧૨ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ, સાંજે ૬;૩૮ વાગ્યે, ફિલિપાઇન્સની રાજધાની મનીલાના મંડલુયોંગ શહેરમાં એક ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ બ્લોક ૫, નુએવા ડી ફેબ્રેરો, બારંગે પ્લેઝન્ટ હિલ્સમાં શરૂ થઈ હતી અને ઘરોમાં વૂડનનો વધુ ઉપયોગ થયો હોવાથી આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જ્વાળાઓ ઉંચી ઉંચી પહોંચી ગઇ હતી અને કાળો ધુમાડો માઈલો સુધી દેખાતો હતો, જેના કારણે સાંજનું આકાશ પણ કાળું ડિબાંગ થઈ ગયું હતું અને આ…

Read More

માત્ર ૧% ની પાસે ૪૦% સંપત્તિ.ભારતમાં અમીર અને ગરીબ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે.રિપોર્ટના આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે દેશમાં શ્રીમંતો વધુ શ્રીમંત બની રહ્યાં છે : દેશમાં સંપત્તિનું વિભાજન અસંતુલિત છે.દેશમાં ધનવાન અને ગરીબ વચ્ચે અંતર સતત વધી રહ્યું છે. આ વાતને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. લેટેસ્ટ વર્લ્ડ ઇનઇક્વિલિટી રિપોર્ટ ૨૦૨૬ પ્રમાણે ભારતમાં આવકની અસમાનતા દુનિયામાં સૌથી વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે દેશની કુલ સંપત્તિનો મોટો ભાગ ગણતરીના લોકો પાસે છે. ભારતના ટોપ ૧૦ ટકા ધનવાન લોકોની પાસે આશરે ૬૫ ટકા સંપત્તિ છે, જ્યારે ટોપ ૧ ટકા વસ્તી લગભગ ૪૦ ટકા સંપત્તિ પર માલિકી હક…

Read More

ઝ્રસ્ના આદેશ બાદ મુખ્ય આયોજકની ધરપકડ.કોલકાતામાં ફૂટબોલર લિયોનેલ મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો.તે ફક્ત ૧૦ મિનિટ માટે આવ્યો, ફૂટબોલ પણ રમ્યો નહીં : ૧૨ હજાર રૂપિયાની ટિકિટ ખરીદી, તેનો ચહેરો પણ જાેવા મળ્યો નહીં.કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીની એક ઝલક જાેવા માટે ભેગા થયેલા ચાહકોને અપેક્ષા મુજબ તેને જાેવાની તક ન મળતા તેઓ ગુસ્સે ભરાયા હતા. ગુસ્સે ભરાયેલા ચાહકોએ સ્ટેન્ડ પરથી બોટલો અને ખુરશીઓ ફેંકવાનું શરૂ કર્યું. પરિસ્થિતિ વધુ વણસી જતાં, લિયોનેલ મેસ્સીને કડક સુરક્ષા હેઠળ સોલ્ટ લેક સ્ટેડિયમની બહાર લઈ જવામાં આવ્યો. મેસ્સીના એક ચાહકે ગુસ્સામાં કહ્યું, “મેસ્સી ફક્ત રાજકારણીઓ અને કલાકારોથી ઘેરાયેલો હતો. અમને શા માટે…

Read More