Author: Garvi Gujarat

વેપાર કરાર, ઓપરેશન સિંદૂરના મીડિયા કવરેજ સહિતના મુદ્દે સહાય મેળવી હતી.ભારતે USમાં પોતાનાં હિતોને આગળ ધપાવવા લોબિંગ કંપનીની મદદ લીધી હતી.ભારતીય દૂતાવાસ ૧૯૫૦ના દાયકાથી વિવિધ સરકારો હેઠળ સ્થાનિક પ્રથા અને જરૂરિયાતો અનુસાર આવી કંપનીઓની સહાય લેતું આવ્યું છ.વોશિંગ્ટન ખાતેના ભારતના દૂતાવાસે સૂચિત વેપાર કરાર અને ઓપરેશન સિંદૂરના મીડિયા કવરેજ સહિતના મુદ્દા પર દેશના હિતોને આગળ ધપાવવા માટે અમેરિકાની એક લોબિંગ કંપનીની સહાય લીધી હતી. SHW પાર્ટનર્સ નામની કંપનીએ ફોરેન એજન્ટ રજિસ્ટ્રેશન એક્ટ (FARA) હેઠળ અમેરિકાના ન્યાય વિભાગને (DoJ)ને સુપરત કરેલી માહિતીમાં આ બાબતનો ખુલાસો થયો હતો. આ અંગે પ્રતિક્રિયા આપતાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે અમેરિકામાં વિદેશી મિશન અને બિઝનેસ…

Read More

PR મેળવવું બ્રિટન કરતાં સરળ.ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા!.નવા નિયમો મુજબ ૨૦૨૬-૨૭થી વર્ક વિઝાનો સમયગાળો ઘટાડીને માત્ર ૧૮ મહિના સુધી મર્યાદિત કરી દેવામાં આવ્યો છે.વિદેશમાં ભણીને ત્યાં જ સ્થાયી થવાનું સપનું જાેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે યુનાઇટેડ કિંગડમ (UK) કરતા કેનેડા વધુ આકર્ષક અને સરળ વિકલ્પ બનીને ઉભરી આવ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, ‘સ્ટડી-ટુ-ઈમિગ્રેટ’ એટલે કે ભણ્યા પછી ત્યાંનું કાયમી નાગરિકત્વ મેળવવાની બાબતમાં કેનેડાએ યુકેને પાછળ છોડી દીધું છે. જાેકે બંને દેશોએ આવાસ અને વસ્તીના દબાણને કારણે ઈમિગ્રેશનના નિયમો સખત કર્યા છે, તેમ છતાં કેનેડાની સિસ્ટમ આજે પણ વધુ સ્પષ્ટ અને ઝડપી માનવામાં આવે છે.કેનેડામાં ઉચ્ચ શિક્ષણ પૂર્ણ…

Read More

સોનાના વાયદાના ભાવમાં રૂ.309 અને ચાંદીના વાયદામાં રૂ.3811ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં રૂ.17નો સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.36349.14 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.92828.71 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 27783.62 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36098 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.129187.15 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.36349.14 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.92828.71 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 36098 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1987.73 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 27783.62 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.138666ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.138776 અને નીચામાં રૂ.138001ના…

Read More

સુરક્ષાને લઈ દોડધામ.ગાંધીનગર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.હાલ પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને ધમકી સાચી છે કે ખોટી તેની ચકાસણી કરવામાં આવી રહી છે.ગાંધીનગર સ્થિત કલેક્ટર કચેરીમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકી મળતા અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સમગ્ર કચેરી ખાલી કરાવવામાં આવી હતી અને કર્મચારીઓ તેમજ હાજર નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ પોલીસ વિભાગ અને પ્રશાસન એલર્ટ પર આવી ગયું હતું. ધમકી મળ્યાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. કચેરીના દરેક ખૂણાની…

Read More

સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારા ખુલાસા.સાંતલપુરના મામલતદારના આપઘાત મામલે ૧૧ લોકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ.બ્લેકમેલિંગ અને સતત દબાણને કારણે તેઓ ભારે માનસિક તણાવમાં હતા, જેના અંતે તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છ.પાટણના સાંતલપુરના મામલતદારે માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ મામલે હવે થરાદ પોલીસ મથકે ૧૧ જેટલા શખ્સો સામે નામજાેગ ફરિયાદ નોંધવામાં આવી છે. સાંતલપુરના મામલતદારે તાજેતરમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી ગટગટાવી લીધું હતું. તેમની તબિયત લથડતા તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ગંભીર હાલત જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેઓ નિષ્ણાંત…

Read More

સુરત પાલિકા તંત્ર હવામાં પ્રદુષણ અટકાવવા માટે પગલાં ભરે છે.પાલિકાના રસ્તા બનાવવાની કામગીરી દરમિયાન નંખાતું મટીરીયલ્સ લોકો માટે આફત.ગ્રીન નેટ સહિતની ગાઈડ લાઈન નો અમલ ન કરતી બાંધકામ સાઈટને દંડ કરી રહી છે.દેશના દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં વાયુ પ્રદૂષણની માત્રામાં અધધ વધારો થતા સુરત પાલિકાએ બાંધકામ સાઈટ માટે ગાઈડલાઈન જાહેર કરી હતી જેમાં ગ્રીન નેટ સહિતની ગાઈડ લાઈન નો અમલ ન કરતી બાંધકામ સાઈટને દંડ કરી રહી છે. પરંતુ બીજી તરફ સુરત પાલિકા વિસ્તારમાં અનેક જગ્યાએ રોડ બની રહ્યાં છે અને રોડ બન્યા બાદ ડામર રોડ પર જે ઝીણું મટીરીયલ્સ નાખવામાં આવે છે તે જાહેર રસ્તા પર દિવસો સુધી…

Read More

કાર ઉત્પાદકની મોટી સિદ્ધિ, રોબોટ માણસની જેમ સ્ટેજ પર ચાલે છે , તેનો ખાસ હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે સીઈએસ 2026 માં , હ્યુન્ડાઇની માલિકીની બોસ્ટન ડાયનેમિક્સે તેના હ્યુમનોઇડ રોબોટ, એટલાસનું અનાવરણ કર્યું, જે માણસની જેમ ફરે છે. કંપનીએ જાહેરાત કરી હતી કે આ રોબોટનું ઉત્પાદન સંસ્કરણ, જે કાર એસેમ્બલ કરવામાં સક્ષમ છે, 2028 સુધીમાં હ્યુન્ડાઇની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન સુવિધામાં તૈનાત કરવામાં આવશે એસવીએન,જ્યોર્જિયા હ્યુન્ડાઇ સમર્થિત બોસ્ટન ડાયનેમિક્સે સીઈએસ 2026 માં તેનો હ્યુમનોઇડ રોબોટ અલ્ટાસ પ્રદર્શિત કર્યો. કંપનીના હ્યુમનૉઇડ રોબોટ્સના જનરલ મેનેજર ઝાચેરી જેકોવસ્કીએ પહેલીવાર જાહેરમાં એટલાસનું સ્ટેજ પર સ્વાગત કર્યું . આ પછી , લાસ વેગાસની એક હોટલના બોલરૂમમાં…

Read More

પિતા અંગે ટિપ્પણી પર થયો હતો વિવાદ.ભાજપના દિગ્ગજ નેતાએ રિતેશ દેશમુખની માંગી માફી.રવીન્દ્ર ચવ્હાણ લાતૂરમાં જનમેદનીને સંબોધન કરી રહ્યા હતા જ્યાં લોકોનો ઉત્સાહ જાેઈ કહ્યું હતું કે હું ૧૦૦ ટકા કહું છું કે વિલાસરાવ દેશમુખની સ્મૃતિ આ શહેરમાંથી ભૂંસાઈ જશે.મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણની ભાષણ દરમિયાન જીભ લપસી જતાં વિવાદ છંછેડાયો છે. તેમની ટિપ્પણી પર બૉલીવુડ અભિનેતા રિતેશ દેશમુખે વીડિયો જાહેર કરી તંજ કસ્યો છે. એક દિવસ પહેલા રવીન્દ્ર ચવ્હાણ લાતૂરમાં જનમેદનીને સંબોધન કરી રહ્યા હતા જ્યાં લોકોનો ઉત્સાહ જાેઈ કહ્યું હતું કે હું ૧૦૦ ટકા કહું છું કે વિલાસરાવ દેશમુખની સ્મૃતિ આ શહેરમાંથી ભૂંસાઈ જશે. વિલાસરાવ દેશમુખ રિતેશ દેશમુખના…

Read More

હાઈકોર્ટે તમિલનાડુ સરકારની ઝાટકણી કાઢી.દરગાહ VS મંદિર વિવાદમાં દીપ પ્રગટાવવા અનુમતિ.દીવો પ્રગટાવવાના અગાઉના આદેશને યથાવત રાખ્યો છે આ ર્નિણયને સત્તારૂઢ DMK સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.તમિલનાડુના પ્રસિદ્ધ થિરુપરંકુંદ્રમ પહાડી પર કાર્તિગઈ દીપમ પ્રગટાવવાને લઈને ચાલી રહેલા લાંબા વિવાદમાં મદ્રાસ હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે પહાડી પર આવેલા પથ્થરના સ્તંભ(દીપથૂન) પર દીવો પ્રગટાવવાના અગાઉના આદેશને યથાવત રાખ્યો છે. આ ર્નિણયને સત્તારૂઢ DMK સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. જસ્ટિસ જી. જયચંદ્રન અને કે.કે. રામકૃષ્ણનની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે જે જગ્યાએ આ પથ્થરનો સ્તંભ આવેલો છે, તે જગ્યા મૂળભૂત રીતે ભગવાન સુબ્રમણ્યમ સ્વામી…

Read More

અર્ધકુંભ મેળાને લઇને સરકારે આપ્યો સંકેત.હરિદ્વારના ગંગા ઘાટમાં બિન-હિન્દુઓના પ્રવેશ અંગે કડક નિયમો.૧૦૫ ઘાટ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા અને હરિદ્વાર-ઋષિકેશને સનાતન પવિત્ર શહેરો તરીકે જાહેર કરવાના પ્રસ્તાવો ચાલી રહ્યા છે.ઉત્તરાખંડ સરકાર ૨૦૨૭ના અર્ધ કુંભ મેળાને જાેતા અપેક્ષાએ હરિદ્વારના ગંગા ઘાટમાં બિન-હિન્દુઓના પ્રવેશ અંગે કડક નિયમો પર વિચાર કરી રહી છે. ૧૦૫ ઘાટ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા અને હરિદ્વાર-ઋષિકેશને સનાતન પવિત્ર શહેરો તરીકે જાહેર કરવાના પ્રસ્તાવો ચાલી રહ્યા છે. સરકારનો ઉદ્દેશ્ય ભીડ નિયંત્રણ, સુરક્ષા અને ધાર્મિક પવિત્રતા જાળવવાનો છે. અર્ધ કુંભ મેળાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકાર હરિદ્વાર ક્ષેત્રમાં ગંગા ઘાટ પર બિન-હિન્દુઓના પ્રવેશ અંગે કડક નિયમો લાગુ કરવા પર…

Read More