Author: Garvi Gujarat

સોનિયા ગાંધીની તબિયત બગડી.સોનિયા ગાંધી સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરાયા.કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મંગળવારે સવારે તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોની એક ટીમ તેમનું નિરીક્ષણ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી છેલ્લા કેટલાક વર્ષોથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. આ જ કારણે તેઓ નિયમિત તપાસ અને સારવાર માટે સમયાંતરે હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા…

Read More

ચિકન નેક બન્યું અભેદ્ય કિલ્લો.બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારતે બોર્ડર પર બનાવી ૧૨ ફૂટ ઊંચી સ્માર્ટ ફેન્સિંગ.સીમા સુરક્ષા દળ (BSF)એ અત્યંત મહત્ત્વની ચિકન નેક (સિલીગુડી કોરિડોર) વિસ્તારમાં સરહદ સુરક્ષા વધુ મજબૂત કરી દીધી છે.બાંગ્લાદેશમાં અશાંતિ ઉભી થયા બાદ ભારતીય સેના સરહદ પર હાઈએલર્ટ છે. ભારતીય સેનાએ હવે બાંગ્લાદેશી ઘૂસણખોરોની ભારતીય સરહદમાં ઘૂસણખોરી અશક્ય કરી નાખી છે. સીમા સુરક્ષા દળ (BSF)એ અત્યંત મહત્ત્વની ચિકન નેક (સિલીગુડી કોરિડોર) વિસ્તારમાં સરહદ સુરક્ષા વધુ મજબૂત કરી દીધી છે. આ ક્રમમાં સેનાએ લગભગ ૭૫ ટકા સરહદી વિસ્તારમાં નવી ડિઝાઈની ફેન્સિંગ લગાવી દીધી છે. બીએસએફ અધિકારીઓને ટાંકીને કહેવાયું છે કે, ભારતીય સેનાએ ભારત-બાંગ્લાદેશ પરના સંવેદનશીલ વિસ્તારોમાં નવી…

Read More

વિસ્તારના રહીશોએ રેલી કાઢીને કમિશનર, કલેક્ટરને રજૂઆત કરી.મહેસાણામાં શુદ્ધ પાણીના સમ્પ પાસે ભૂગર્ભ ગટરનું પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે રોષ.વોટર વર્ક્સ હેડના કમ્પાઉન્ડમાં જ જીયુડીસી દ્વારા ભૂગર્ભગટરના ગંદા માટેનું પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરાઈ.મહેસાણાના ગાંધીનગર લિન્ક રોડ નજીક નર્મદાના પાણીના ૫૦ લાખ લિટરના સમ્પ પાસે જ ભૂગર્ભગટરનું પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે વિસ્તારના રહીશોએ સોમવારે રેલી કાઢીને રજૂઆત કરી હતી. મહેસાણાના ગાંધીનગર લિન્ક રોડ, માનવઆશ્રમ સહિત વિસ્તારની ૩૦૦ જેટલી સોસાયટીઓના ૫૦ હજારથી વધુ લોકોને ખારી નદી પાસે બનાવેલા વોટર વર્ક્સ હેડ ખાતેના ૫૦ લાખ લિટર ક્ષમતાના સમ્પમાંથી નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જે વોટર વર્ક્સ હેડના કમ્પાઉન્ડમાં જ જીયુડીસી દ્વારા…

Read More

અમે પહેલા તેમની અર્થવ્યવસ્થા ઠીક કરીશું.વેનેઝુએલા સાથે યુદ્ધ નહીં કરે અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પ.અમે એ લોકો સામે યુદ્ધમાં છીએ જેઓ ડ્રગ્સ વેચે છે અને પોતાની જેલો ખાલી કરીને ડ્રગ એડિક્ટ્સ તથા માનસિક દર્દીઓને અમેરિકામાં મોકલી દે છે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાની સ્થિતિ અંગે અત્યંત મહત્ત્વનું નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા વેનેઝુએલા સાથે કોઈ યુદ્ધમાં નથી, પરંતુ ત્યાં અત્યારે તાત્કાલિક ચૂંટણી કરાવવાનું કોઈ દબાણ પણ કરવામાં આવશે નહીં. ટ્રમ્પના મતે, ચૂંટણી પહેલા દેશને સ્થિર કરવો અને ત્યાંની ભાંગી પડેલી વ્યવસ્થાને ફરી બેઠી કરવી પ્રાથમિકતા છે.ંએક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આગામી ૩૦ દિવસમાં વેનેઝુએલામાં ચૂંટણી શક્ય નથી. તેમણે કહ્યું, ‘અમારે…

Read More

ટ્રાઈના આદેશને ટેલિકોમ ઓપરેટરોએ કોર્ટમાં પડકાર્યો.સ્પામ કોલ, મેસેજ રોકવામાં નિષ્ફળ ટેલિકોમ કંપનીઓને રૂપિયા ૧૫૦ કરોડનો દંડ.છેલ્લા એક વર્ષમાં ૨૧ લાખથી વધુ સ્પામર્સના જાેડાણ કાપી નાખવામાં આવ્યા છે અને ૧ લાખથી વધુ સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. ટેલિકોમ રેગ્યુલેટરTrai (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા) એ સ્પામ કોલ્સ અને મેસેજ પર અંકુશ મેળવવામાં નિષ્ફળ રહેવા બદલ ટેલિકોમ ઓપરેટરો પર ૧૫૦ કરોડનો દંડ ફટકાર્યાે છે તેમ એક સત્તાવાર સૂત્રે જણાવ્યું છે. વર્ષ ૨૦૨૦થી શરૂ કરીને ત્રણ વર્ષ માટે લાદવામાં આવેલા આ રૂ. ૧૫૦ કરોડના દંડને ટેલિકોમ ઓપરેટરોએ કોર્ટમાં પડકાર્યાે છે. સૂત્રે ઉમેર્યું હતું કે, “ગ્રાહકોની ફરિયાદો ખોટી રીતે બંધ કરવા અને નિયમો મુજબ…

Read More

મેટાની નવી પોલિસીથી યુઝર્સ પરેશાન.FB-ઈન્સ્ટા પર તમારી દરેક હરકત પર નજર રાખશે AI!.યુઝર્સ હવે AI ને ટ્રાવેલ, ફૂડ અથવા તો કોઈ પણ વિષય પર સવાલ પૂછશે તો યુઝર્સને એ વિશેની એડ્સ જાેવા મળવાની શરૂ થઈ જશે.મેટાની નવી પોલિસીને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ પરેશાન થઈ રહ્યાં છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને થ્રેડ્સના યુઝર્સને હવે એક ડર લાગી રહ્યો છે કે કંપની દ્વારા હવે AIની મદદથી તેમના પર નજર રાખવામાં આવી રહી છે. પહેલાં કરતા વધુ નજર રાખવાનું પ્લાનિંગ હવે મેટા AI ની મદદથી કરી રહી છે. મેટાનું કહેવું છે કે AI ની મદદથી યુઝર્સ તેમની ઇચ્છાની એડ્સ જાેઈ શકશે, પરંતુ એક્સપર્ટ…

Read More

જન્મદિવસના વાયરલ વીડિયોએ મચાવી ધૂમ.ભોજપુરી સ્ટાર પવન સિંહે કર્યા ત્રીજા લગ્ન?.વાયરલ વીડિયોમાં પવન સિંહ થોડા લથડતા પણ જાેવા મળે છે અને તેમની બાજુમાં ઉભેલી મહિલા તેમને વારંવાર સંભાળતી જાેવા મળી.ભોજપુરી સિનેમાના ‘પાવર સ્ટાર’ તરીકે ઓળખાતા પવન સિંહ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતાના અંગત જીવનમાં અનેક ઉતાર-ચઢાવ અને વિવાદો ચાલતા હોવા છતાં, સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ તેમને ઉમળકાભેર વધાવી રહ્યા છે. આ ખાસ અવસરે તેમની પત્ની જ્યોતિ સિંહે પણ તેમને શુભેચ્છા પાઠવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. જાેકે, આ સેલિબ્રેશનના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચાને જન્મ આપ્યો છે, જેમાં પવન સિંહ કોઈ ખાસ મહિલા સાથે જાેવા મળી…

Read More

સેલિબ્રેશનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.દીપિકા પાદુકોણે ચાહકો સાથે પોતાનો ૪૦મો બર્થડે સેલીબ્રેટ કર્યો.દીપિકાએ દેશભરમાંથી આવેલા આ પસંદગીના ચાહકો માટે વ્યક્તિગત રીતે ફ્લાઇટ બુક કરાવી હતી.બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે ચાહકો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો, દેશભરમાંથી આવેલા આ ચાહકો માટે ફ્લાઇટ ટિકિટ બુક કરાવવા અને ભેટ આપવાનો ખર્ચ ઉઠાવ્યો. આ પ્રી-બર્થડે સેલિબ્રેશનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે આજે ૪૦ વર્ષની થઈ અને હાલમાં તે તેના પરિવાર સાથે ન્યૂયોર્ક, યુએસએમાં પોતાનો સમય માણી રહી છે. અભિનેત્રીના ૪૦મા જન્મદિવસની ઉજવણીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દીપિકાએ ડિસેમ્બરમાં તેના…

Read More

૯૮મો એકેડેમી એવોર્ડ્સ થોડા મહિનામાં યોજાશે.ઓસ્કાર એવોર્ડ્સ માટે શોર્ટલિસ્ટ ૧૫૦ ફિલ્મોમાં દશાવતાર સામેલ.અગાઉ, ફિલ્મ હોમબાઉન્ડને આગામી ૨૦૨૬ ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી.૯૮મો એકેડેમી એવોર્ડ્સ થોડા મહિનામાં યોજાવાના છે, અને દરેક સિનેમા પ્રેમી ઉત્સુકતાથી જાેઈ રહ્યો છે. ભારતીય ફિલ્મો હંમેશા ઓસ્કાર માટે સમાચારમાં રહી છે, ઘણી ભારતીય ફિલ્મોએ સફળતાપૂર્વક શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. ૨૦૨૬ ના ઓસ્કાર માટે પણ આવી જ લાગણી છે.એવું અહેવાલ છે કે મરાઠી ફિલ્મ “દશાવતાર” હવે ૨૦૨૬ ના ઓસ્કાર માટે ૧૫૦ ફિલ્મોની શોર્ટલિસ્ટમાં સામેલ છે, જે સંભવિત રીતે આ આંતરરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ભારતનું ગૌરવ વધારશે.જ્યારે પણ એકેડેમી એવોર્ડ્સ નજીક આવે છે, ત્યારે દરેક…

Read More

‘મેં સફળતાને ખુબ હળવાશથી લીધી છે’.સફળતા- નિષ્ફળતા એક સિક્કાની બે બાજુ છે: કરીના.કરિના માટે અભિનય માત્ર વ્યવસાય નહીં, પરંતુ એક એવો શોખ છે જેને તેઓ જીવનભર અનુસરવા ઇચ્છે છ.બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂર ખાન લાંબા સમયથી પોતાની પ્રતિભા, આત્મવિશ્વાસ અને મનોરંજન જગતના ઉતાર-ચઢાવને સંતુલિત રીતે સંભાળવાની ક્ષમતાને કારણે જાણીતી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમણે સફળતા અને નિષ્ફળતા અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે બંને એક જ યાત્રાનો ભાગ છે અને તેને અત્યંત ગંભીરતાથી લેવાની જરૂર નથી.કરિના માટે અભિનય માત્ર વ્યવસાય નહીં, પરંતુ એક એવો શોખ છે જેને તેઓ જીવનભર અનુસરવા ઇચ્છે છે. તેઓ માને છે કે સફળતા કોઈ લક્ષ્ય ના…

Read More