- મોસ્કો પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો: એરપોર્ટ બંધ, રશિયાનો 180 ડ્રોન તોડી પાડવાનો દાવો
- શહબાઝ શરીફનો દાવો: અમેરિકા–ઈરાન શાંતિ કરારમાં પાકિસ્તાને મધ્યસ્થતા કરી હોવાનો claim, અનેક દેશોનો આભાર વ્યક્ત કર્યો
- રોહિત પવારે મોટો દાવો: શિવસેના UBTના સાંસદોને ₹110 કરોડમાં ખરીદાયા, રાજકીય ગરમાવો વધ્યો
- મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો: પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા પદનો વિવાદ યથાવત
- મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બાલાસિનોરમાં સૌથી વધુ 5.79 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો જળબંબોળ
- મોદી–ટ્રમ્પ મુલાકાત પહેલા અમેરિકા દ્વારા ભારતના નકશા અને ‘ઇન્ડો-પેસિફિક’ કમાન્ડના નામમાં ફેરફાર, ભારત-અમેરિકા સંબંધોમાં ચર્ચા ગરમાઈ
- અમેરિકા–ઈરાન વચ્ચે યુદ્ધ અંતનો દાવો: ટ્રમ્પ અને પેઝેશ્કિયાને MoU પર સહી, શાંતિ કરાર લાગુ
- પંકજ ત્રિપાઠીની નવી પહેલ ‘તુલો’: હેન્ડલૂમ કારીગરોને સશક્ત બનાવવા અનોખું વેન્ચર
Author: Garvi Gujarat
ભાદર નદીમાં વધતા કેમિકલ પ્રદૂષણ સામે આમ આદમી પાર્ટી દ્વારા “ભાદર બચાવો” અભિયાન તેજ કરવામાં આવ્યું છે. કેમિકલ પ્રદૂષણ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના નેતા મહેશ કોટડીયા છેલ્લા પાંચ દિવસથી અડીખમ ઉપવાસ પર બેઠા છે. તેમના આંદોલનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ભાદર નદીના કાંઠા વિસ્તારના પ્રદૂષણથી અસરગ્રસ્ત ગામોમાં પક્ષના નેતા ધાર્મિક માથુકિયાની આગેવાનીમાં ડોર-ટુ-ડોર સંપર્ક અભિયાન અને જનસભાઓ યોજાઈ રહી છે. આજે લુણાગરી, લુણાગરા અને કેરાળી ગામોમાં “ભાદર બચાવો” સભાઓ યોજાઈ હતી, જેમાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. AAP નેતા ધાર્મિક માથુકિયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે…
આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ કરન બારોટ, પાટણના કિસાન સેલના જિલ્લા પ્રમુખ વિપુલભાઈ ઠાકોર અને AAP નેતા સ્વયંભાઈ સાલવીએ મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી અને કઈ રીતે ભાજપે રાજુ કરપડાને હાથો બનાવીને ખેડૂતોના આંદોલનને કચડવાનું ષડયંત્ર રચ્યું એના પુરાવા વિપુલભાઈ ઠાકોર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ પત્રકાર પરિષદમાં AAP નેતા ડો. કરન બારોટે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ખેડૂતોએ સાથે મળીને જબરદસ્ત આંદોલન શરૂ કર્યું હતું અને ત્યારબાદ ભાજપ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયું હતું. ત્યારબાદ આ ખેડૂતોના આંદોલનને તોડવા માટે ભાજપે રાજુ કરપડાને…
ગુજરાતની ૧૨ ફરિયાદોમાં આ ટોળકીની સંડોવણી ખુલી.ગોંડલ માર્કેટિંગ યાર્ડની પેઢીઓના નામે ૪૦૦ કરોડનું દેશવ્યાપી સાયબર કૌભાંડ.એગ્રીકલ્ચર ટેક્સ રાહતનો લાભ લઈ આંગડિયા અને બેંક મારફતે નાણાંની હેરફેર થતી: છ ઝડપાયા.રાજકોટ ગ્રામ્ય પોલીસે ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત ગોંડલ માર્કેટિંગ યાર્ડની પેઢીઓના બેંક ખાતાનો ઉપયોગ કરી આચરવામાં આવતા ૪૦૦ કરોડ રૂપિયાના દેશવ્યાપી સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યાે છે. આ કેસમાં પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હૈદરાબાદના મુખ્ય સૂત્રધાર આદિલ સહિત ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ એગ્રીકલ્ચર પેઢીને મળતી ટેક્સ રાહતનો ગેરલાભ ઉઠાવી સરકારી એજન્સીઓની નજરથી બચવા માટે કરોડોના ટ્રાન્ઝેક્શન આ ખાતાઓ દ્વારા કરતા હતા.રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પત્રકારોને…
ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે ર્નિણય લેવાયો.સરકારે ૨૫ લાખ ટન ઘઉં, પાંચ લાખ ટન ખાંડની નિકાસની મંજૂરી આપી.વર્ષ ૨૦૨૫-૨૬માં ખાનગી એકમો પાસે ઘઉંનો અંદાજે ૭૫ લાખ ટન પુરવઠો હતો, જે ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ આશરે ૩૨ લાખ ટન વધુ હતો.દેશમાં ઘઉં અને ખાંડના પૂરતા જથ્થાને ધ્યાનમાં રાખીને સરકારે ૨૫ લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે. આ ઉપરાંત સ્થાનિક બજારોમાં સ્થિરતા જાળવવા અને ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી સરકારે, ઘઉંના ઉત્પાદનોની પાંચ લાખ ટનની નિકાસ કરવાની છૂટ આપી છે. આ અંગે માહિતી આપતાં ખાદ્યાન્ન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું…
જિલ્લા ક્રિકેટ એસોસિએશને મદ્રાસ હાઈકોર્ટનો હુકમ પડકાર્યો હતા.સ્પોર્ટ્સનું હિત જાળવવા જિલ્લા ક્રિકેટ એસો.માં પારદર્શિતા જરૂરી: સુપ્રીમ.થોડા લોકોનો વિશેષાધિકાર બનવાના બદલે સમાજમાં બંધુત્વ મજબૂત બનાવવાના માધ્યમ તરીકે સ્પોર્ટ્સને સ્થાન આપવું જાેઈએ.સ્પોર્ટ્સ ક્ષેત્રના ઉમદા હિતને જાળવવા માટે રાજ્ય ક્રિકેટ એસોસિએન્સે જિલ્લા એસોસિએશન્સમાં પ્રોફશનાલિઝમ, પારદર્શિતા અને સુધારા શરૂ કરવાની જરૂરિયાત હોવાની ટકોર સુપ્રીમ કોર્ટે કરી હતી. ખેલાડીઓની પસંદગીથી માંડી કરારોના અમલ સુધીના તબક્કામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાની બાબતનો સુધારામાં સમાવેશ કરવા સુપ્રીમ કોર્ટે સૂચન કર્યુ હતું. જસ્ટિસ પી એસ નરસિમ્હા અને અલોક અરાધેની બેંચે જણાવ્યું હતું કે, ડિસ્ટ્રિક્ટ એસોસિએશન્સ પ્રોફેશનલ અને પારદર્શક રહી રમતના હિતમાં કાર્ય કરી શકે તે માટે સુધારા કરવા સ્ટેટ એસોસિએશન્સને…
ડેમોક્રેટ સેનેટરે ત્રીજા દેશમાં દેશનિકાલની કાર્યવાહીને ખર્ચાળ, નકામી, અવિચારી ગણાવી.૩૦૦ ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ માટે અમેરિકાએ રૂ.૩૬૦ કરોડ ખર્ચ્યા.ગયા વર્ષે માર્ચમાં અલ સાલ્વાડોરમાં ૨૫૦ વેનેઝુએલાના ૨૫૦ નાગરિકોને મોકલવામાં આવ્યા હતાં, જ્યારે બીજા દેશોમાં આ સંખ્યા ઘણી ઓછી હતી.અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રે આશરે ૩૦૦ ઇમિગ્રન્ટ્સને તેમના પોતાના દેશો સિવાયના કોઇ ત્રીજા દેશમાં દેશનિકાલ કરવા માટે આશરે રૂ.૩૬૦ કરોડ (૪ કરોડ ડોલર)નો જંગી ખર્ચ કર્યાે હતો. અમેરિકામાં ગેરકાયદે વિદેશીઓને ઝડપથી તગેડી મૂકવાના ટ્રમ્પના આદેશનું ગયા વર્ષથી ઇમિગ્રેશન અધિકારીઓ પાલન કરી રહ્યાં છે, પરંતુ તેનાથી સરકારને જંગી ખર્ચ પણ થઈ રહ્યો છે, એમ સેનેટ ફોરેન રિલેશન્સ કમિટીના ડેમોક્રેટિક સ્ટાફે તૈયાર કરેલા એક અહેવાલમાં જણાવાયું હતું. સેનેટર…
ડોનાલ્ડ ટ્રમ્પનું ઇરાનને છેલ્લું અલ્ટીમેટમ.એક મહિનામાં પરમાણુ કરાર ન કર્યાે તો હુમલો થશે : ડોનાલ્ડ ટ્રમ્પખાડી દેશો અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ચેતવણી આપી ચૂક્યા છે કે તે યુદ્ધનો વિકલ્પ પસંદ ન કરે, નહીં તો આખું મધ્યપૂર્વ ભડકે બળે તેવી સ્થિતિ આવી શકે છે.અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇરાનને એક મહિનાની અંદર જ પરમાણુ સમજૂતી કરવાની ચેતવણી આપી છે અને જાે એક મહિનામાં સમજૂતી ન થઈ તો અમેરિકાનો હુમલો સહન કરવા તૈયાર રહેવાની ધમકી આપી છે. આ હુમલો ફેઝ-૨ હશે અને તે અગાઉ કરવામાં આવેલા હુમલા કરતાં પણ ઘણો ખતરનાક હશે એમ તેમણે જણાવ્યું હતું. ટ્રમ્પે ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ સાથે મુલાકાત કરી આમ જણાવ્યું…
પિતા રિલેશનશિપના વિરોધમાં છે :નિક્કી.ટીવી શૉમાં અરબાઝને પ્રપોઝ કરી રડી પડી નિક્કી તંબોલી.નિક્કીએ પ્રપોઝના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. જેમાં જાેવા મળે છે કે, અરબાઝ નિક્કીને સ્ટેજ પર લાવે છે.ધ ૫૦ના છેલ્લા એપિશોડમાં નિયા શર્મા અને ઉર્ફી જાવેદ મહેમાન બનીને પહોંચ્યા હતા. બંનેએ કન્ટેસ્ટન્ટ્સ પાસે જાેરદાર ટાસ્ક કરાવ્યા છે. જેમાં છોકરીઓને ઈમ્પ્રેસ કરવાની જવાબદારી છોકરાઓને સોંપવામાં આવી છે. આ ટાસ્ક દરમિયાન અરબાઝ પટેલે તેની ગર્લફ્રેન્ડ નિક્કી તંબોલીને નેશનલ ટીવી શૉ પર પ્રપોઝ કર્યુ હતું. અરબાઝે કહ્યું કે, ‘નિક્કીને કલર્સના શૉ પર જ મળ્યો હતો અને હવે કલર્સના શૉમાં જ પ્રપોઝ કરુ છું.’ અરબાઝે પ્રપોઝ કરતાં નિક્કી ઈમોશનલ થઈ ગઈ…
ચાર ભાગની ધી બીટલ્સ ફિલ્મ સાઈન કરી.ફરહાનની હોલિવુડમાં એન્ટ્રી, પંડિત રવિશંકરનો રોલ ભજવશે.અગાઉ પંડિત રવિ શંકર જ્યોર્ડ હેરિસનને મળ્યા હતા અને તેને ભારતીય શાસ્ત્રીય સંગીતનો પરિચય કરાવ્યો હતો.ફરહાન અખ્તરને હોલિવુડની ફિલ્મમાં પણ તક મળી છે. તે સેમ મેન્ડિઝની ફિલ્મ ‘ધી બીટલ્સ’માં ભારતના લિજન્ડરી સંગીતકાર પંડિત રવિશંકરની ભૂમિકા ભજવવાનો છે આ ફિલ્મ કુલ ચાર ભાગમાં બનવાની છે અને તેના ચારેય ભાગ એપ્રિલ ૨૦૨૮માં રીલિઝ કરવાનું આયોજન હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં બ્રિટિશ રોક મ્યુઝિક અને ભારતીય શાસ્ત્રીય સંગીતના સંગમને દર્શાવાશે. ૧૯૬૦ના દાયકામાં પંડિત રવિ શંકર જ્યોર્ડ હેરિસનને મળ્યા હતા અને તેને ભારતીય શાસ્ત્રીય સંગીતનો પરિચય કરાવ્યો હતો. તેમણે બંનેએ કોલબરેશન કરી…
આદિત્ય ચોપરાએ વચ્ચે સુલેહ માટે મધ્યસ્થી કરવી પડી.આલ્ફાના સેટ પર બોબી દેઓલ અને આલિયા ભટ્ટ ઝઘડી પડયાં.બંને એટલી હદે ઝઘડયાં હતાં કે છેવટે નિર્માતા આદિત્ય ચોપરાએ બંને વચ્ચે સુલેહ માટે મધ્યસ્થી કરવી પડી હોવાનું કહેવાય છે.આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની લેડીઝ સ્પાય પરની ફિલ્મ ‘આલ્ફા’ના સેટ પર આલિયા ભટ્ટ અને બોબી દેઓલ ઝઘડી પડયાં હોવાનું કહેવાય છે. ચર્ચા મુજબ શૂટિંગ દરમિયાન એક સીનમાં આલિયાએ જાતભાતનાં સલાહસૂચન આપ્યાં હતાં. તેના કારણે બોબી દેઓલ બહુ ઉશ્કેરાઈ ગયો હતો. બંને એટલી હદે ઝઘડયાં હતાં કે છેવટે નિર્માતા આદિત્ય ચોપરાએ બંને વચ્ચે સુલેહ માટે મધ્યસ્થી કરવી પડી હોવાનું કહેવાય છે. આ ફિલ્મ આમ પણ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



