- મુન્દ્રા પોર્ટ પર ૮૨.૮૦ લાખની બનાવટી સિગારેટ જપ્ત કરાઈ
- મિથુન ચક્રવર્તીની વહુ બની મદાલસા શર્મા
- ડાયરેક્ટર-પ્રોડ્યુસર વિધૂ વિનોદ ચોપડાને કાશ્મીરમાં આ ફિલ્મના શૂટિંગ વખતે જે અનુભવ થયો
- રાજેશ ખન્ના સાથે સંબંધો અંગે અનીતા અડવાણીનો બળાપો
- કંગના રણૌતે મુંબઈમાં ક્વીન ટુ માટે શૂટિંગ શરૂ કરી દીધું
- સામંથા પતિ રાજની ફિલ્મમાં સલમાનની હિરોઈન નહીં બને
- પશ્ચિમ બંગાળમાં ગેરરીતિ બાદ ચૂંટણી પંચે 15 બૂથ પર ફરી મતદાનનો આદેશ, દક્ષિણ 24 પરગણામાં તણાવ વધ્યો
- વંદે ભારત ટ્રેનના નાસ્તામાં કીડા મળતાં મુસાફરોની તબિયત બગડી, રેલવે તપાસના આદેશ
Author: Garvi Gujarat
ચાંદીનો વાયદો ઊંચા મથાળે અથડાઇ ભાવમાં પીછેહટઃ સોનાનો વાયદો રૂ.867 અને ક્રૂડ તેલનો વાયદો રૂ.85 નરમ કોમોડિટી વાયદાઓમાં રૂ.41377.01 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.115744.23 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 32940.37 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36260 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.157127.24 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.41377.01 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.115744.23 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 36260 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2510.04 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 32940.37 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.139140ના ભાવે…
ભારતીય રેલવે દ્વારા રેલવે સંરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મજબૂતીકરણની દિશામાં સતત અગ્રસર વિવિધ વિકાસાત્મક અને સંરક્ષા સંબંધી કામ કરવામાં આવી રહ્યા છે. તારીખ 07.01.2026 ના રોજ જનરલ મેનેજર પશ્ચિમ અને મધ્ય રેલવે વિવેક કુમાર ગુપ્તાએ સિનિયર રેલવે અધિકારીઓની સાથે સાબરમતી-કલોલ-મહેસાણા-પાલનપુર રેલવે સેક્શનનું વિગતવાર નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન સાબરમતીથી પાલનપુર વચ્ચે રેલવે ટ્રેક, લેવલ ક્રોસિંગ, નાના અને મુખ્ય પુલો, પોઈન્ટ્સ અને ક્રોસિંગ, સેક્શન કર્વ્સ તથા વિવિધ સંરક્ષા પરિમાણોની ગહન સમીક્ષા કરવામાં આવી. આ અવસર પર સંબંધિત અધિકારીઓની સાથે સંરક્ષાથી જોડાયેલા વિવિધ પાસાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા પણ કરવામાં આવી. કલોલ, મહેસાણા અને પાલનપુર સ્ટશનો પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. સાથે…
भारतीय रेलवे द्वारा रेल संरक्षा एवं आधारभूत ढांचे के सुदृढ़ीकरण की दिशा में निरंतर अग्रसर विभिन्न विकासात्मक एवं संरक्षा संबंधी कार्य किए जा रहे हैं। दिनांक 07.01.2026 को महाप्रबंधक पश्चिम एवं मध्य रेलवे श्री विवेक कुमार गुप्ता ने वरिष्ठ रेल अधिकारियों के साथ साबरमती–कलोल–महेसाणा–पालनपुर रेल खंड का विस्तृत निरीक्षण किया। निरीक्षण के दौरान साबरमती से पालनपुर के बीच रेलवे ट्रैक, लेवल क्रॉसिंग, छोटे एवं प्रमुख पुलों, पॉइंट्स एवं क्रॉसिंग, सेक्शन कर्व्स तथा विभिन्न संरक्षा मानकों की गहन समीक्षा की गई। इस अवसर पर संबंधित अधिकारियों के साथ संरक्षा से जुड़े विभिन्न पहलुओं पर विस्तार से चर्चा भी की गई। कलोल,…
અમદાવાદમાં ACB ની ટ્રેપ.નિવૃત્ત પ્રિન્સિપાલની ફાઈલો પાસ કરવા ટ્રસ્ટીએ રૂ. ૩ લાખની લાંચ માગી.ફરિયાદીની ફરિયાદને આધારે એસીબી.એ છટકું ગોઠવીને ટ્રસ્ટી તિમિરે આ લાંચની રકમ કોલેજના વોચમેન મુરલીમનોહર રામલાલજી ઝંડોલને આપી દેવા જણાવ્યું હત.અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી પંકજ વિદ્યાલય કેમ્પસની કોલેજમાં ભ્રષ્ટાચારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિવૃત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલના પેન્શન અને જી.પી.એફ.ના નાણાં છૂટા કરવા માટે ૫ લાખ રૂપિયાની લાંચ માંગનાર ટ્રસ્ટી અને તેના વતી નાણાં સ્વીકારનાર વોચમેનને છઝ્રમ્એ છટકું ગોઠવીને ઝડપી લીધા છે. આ ટ્રેપ દરમિયાન વોચમેન ૩ લાખ રૂપિયાની રોકડ સાથે રંગેહાથ પકડાઈ ગયો હતો, જ્યારે મુખ્ય આરોપી ટ્રસ્ટી સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. મળતી માહિતી…
સેમ્પલ રિપોર્ટ ત્વરિત મેળવવા અપાઇ સૂચના.અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષિત પાણીની ફરિયાદો ઉઠી રહી છે.આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કમિટી દ્વારા તાત્કાલિક અસરથી જૂની ડ્રેનેજ લાઇન બદલવાની સૂચના આપી દેવામાં આવી છે.અમદાવાદના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષિત પાણીની ફરિયાદો ઉઠી રહી છે. આ ગંભીર મુદ્દે AMC વોટર સપ્લાય કમિટીના ચેરમેને મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે શહેરના અમુક ચોક્કસ વિસ્તારોમાં પીવાના પાણીમાં અશુદ્ધિ જાેવા મળી રહી છે. AMC વોટર સપ્લાય કમિટી ચેરમેનના જણાવ્યા અનુસાર, જે વિસ્તારોમાં પાણીના કનેક્શન ભૌગોલિક રીતે નીચાણવાળા ભાગમાં આવેલા છે, ત્યાં ગટરના પાણી ભળવાની સમસ્યા વધુ સર્જાય છે. આ ઉપરાંત, દાયકાઓ જૂની ડ્રેનેજ લાઇન…
ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં ૯૫૦ જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક.પોલીસ ભરતી બોર્ડે કુલ ૯૫૦ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, જેમાં આગામી ૯ જાન્યુઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશેગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) એ વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ-૩ ટેકનિકલ કેડર માટે ભરતીની જાહેરાત કરી છે. એન્જિનિયરિંગ સ્નાતકો અને ડિપ્લોમાની લાયકાત ધરાવતા લોકોને ગુજરાત પોલીસમાં જાેડાવાની આ એક સુવર્ણ તક છે. પોલીસ ભરતી બોર્ડે કુલ ૯૫૦ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, જેમાં આગામી ૯ જાન્યુઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશે. GPRB એ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ), ટેકનિકલ ઓપરેટર અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક સહિતની જગ્યાઓ…
ધારાસભ્યએ બસ ચલાવીને કર્યું નવા રૂટનું લોકાર્પણ.બોરસદ આણંદ રૂટ પર નવી બસોનો પ્રારંભ કરાયો.આ લોકાર્પણ કાર્યક્રમ માત્ર રીબીન કાપવા સુધી સીમિત ન રહ્યો, પણ ધારાસભ્ય યોગેશ પટેલના અનોખા અંદાજને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો.આણંદ જિલ્લાના બોરસદ વિસ્તારના નાગરિકો માટે પરિવહન ક્ષેત્રે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. બોરસદ-આણંદ રૂટ પર લાંબા સમયથી નવી બસોની જે માંગ હતી, તેને સંતોષતા એસટી વિભાગ દ્વારા નવી અત્યાધુનિક બસો ફાળવવામાં આવી છે. જાેકે, આ લોકાર્પણ કાર્યક્રમ માત્ર રીબીન કાપવા સુધી સીમિત ન રહ્યો, પણ ધારાસભ્ય યોગેશ પટેલના અનોખા અંદાજને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બોરસદ આણંદ રૂટ પર નવી બસોનો પ્રારંભ…
19 PI અને 41 PSIની બદલી, SPનો આદેશ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં બદલીના આદેશ છૂટ્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP) દ્વારા 19 PI અને 41 PSI ની બદલી કરવામાં આવી છે. એસપી દ્વારા આંતરિક બદલીના આદેશ કરાયા છે. અમદાવાદ ગ્રામ્ય એસપી દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ બદલાનો આદેશ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદ ગ્રામ્ય SP દ્વારા પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. કુલ ૧૯ પીઆઈ અને ૪૧ પીએસઆઈની બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી એક જગ્યાએ ફરજ બજાવી રહેલા અધિકારીઓની બદલી પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે. મળતી માહિતી પ્રમાણે એસપી દ્વારા લાંબા સમયથી એક જ જગ્યાએ…
અર્ધકુંભ પહેલા VHP નેતાની મોટી માંગ.જે હિન્દુ નથી, તેઓ ગંગા ઘાટ પર ડૂબકી લગાવી શકશે નહીં.સાધ્વી પ્રાચીએ મક્કા અને મદીનામાં બિન-મુસ્લિમોના પ્રવેશ પરના પ્રતિબંધનું ઉદાહરણ આપતા કહ્યું કે, હરિદ્વારમાં પણ આવા જ નિયમો લાગુ કરવા જાેઈએ.વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નેતા સાધ્વી પ્રાચીએ ૨૦૨૭માં યોજાનારા અર્ધકુંભ મેળા પહેલા હરિદ્વારના ગંગા ઘાટ પર બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, જ્યારે મક્કા અને મદીનામાં બિન-મુસ્લિમો પર આવા પ્રતિબંધો લાગુ છે, તો હરિદ્વારમાં બિન-હિન્દુઓ પર તેવો જ પ્રતિબંધ કેમ ન મૂકવો જાેઈએ? તેમણે તેને સુરક્ષા અને હરિદ્વારની પવિત્રતા જાળવવા સાથે જાેડાયેલો મુદ્દો ગણાવ્યો છે. સાધ્વી પ્રાચીએ કહ્યું કે,…
સુરેન્દ્રનગર ભ્રષ્ટાચાર કેસ.એક સ્ક્વેર મીટર જમીન દીઠ ૧૦ ઉઘરાવી કરોડોનો ખેલ.અન્ય અધિકારીઓની ભૂમિકા તપાસાઈ રહી છ.જિલ્લાના ચકચારી કરોડો રૂપિયાના જમીન ભ્રષ્ટાચાર કેસમાં હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ મામલે પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ સામે ચાલી રહેલા બિનખેતી (એનએ) જમીન કૌભાંડ મામલે આજે તેમનો રિમાન્ડ પૂર્ણ થતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા તેમને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઈડીની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન અનેક મહત્વના પુરાવા હાથ લાગ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઈડીના અધિકારીઓએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ ૫૦ હેઠળ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલનું નિવેદન નોંધ્યું છે. રિમાન્ડ દરમિયાન દિલ્હી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



