Author: garvigujrat

તહેવારો ટાણે જ ખાંડનો ભાવ વધતાં સરકાર લાવી નવો નિયમ તહેવારોમાં જમાખોરી રોકવા સ્ટોક લિમિટ અડધી કરાઈ ૧ સપ્ટેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી, ૧૦ મેટ્રિક ટનથી વધુ ખાંડનો વેપાર કરનારા ડીલરો ૧૫ દિવસથી વધુનો સ્ટોક રાખી શકશે નહીં ભારત દુનિયામાં ખાંડનો સૌથી મોટો વપરાશકાર દેશ છે. ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા તહેવારોને કારણે દેશમાં ખાંડની માંગમાં મોટો ઉછાળો આવે છે. તહેવારોની સિઝનમાં વધતી માંગ અને મોંઘવારીને પહોંચી વળવા માટે સરકારે ખાંડના સ્ટોક સંબંધિત નિયમો વધુ કડક બનાવ્યા છે. હવે એક મહિનામાં ૧૦ મેટ્રિક ટનથી વધુ ખાંડનો ઉપયોગ કે વેપાર કરતા ડીલરો ૧૫ દિવસથી વધુનો સ્ટોક પોતાની પાસે…

Read More

રિયલ એસ્ટેટમાં બિગ બીનો મોટો ધમાકો પ્રોપર્ટી ભાડે આપીને બિગ બી દર મહિને કમાશે ૩૩ લાખ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટી ડીલ ફાઈનલ કરી છે અભિનેતા અમિતાભ બચ્ચને રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટી ડીલ કરી છે. પ્રોપર્ટી રજીસ્ટ્રેશન ડેટા આપનાર પ્લેટફર્મ ઝૈપકી (Zapkey ) ના દસ્તાવેજ પ્રમાણે તેમણે મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં સ્થિત સિગ્નેચર બિલ્ડિંગના ૩ ફ્લોર્સ લીઝ પર આપ્યા છે. તેનો ટોટલ કાર્પેટ એરિયા લગભગ ૮૪૨૮ સ્ક્વેર ફૂટ છે. ન્યૂટ્રિશન બ્રાન્ડ TruNativ F&B Private Limited આ જગ્યા માટે દર મહિને ૩૩ લાખ રૂપિયાનું ભાડું ચુકવશે. આ લીઝ એગ્રીમેન્ટ ૫ વર્ષ માટે છે. તેનાથી બચ્ચન પરિવારને…

Read More

સંતોષકારક જવાબ ન મળ્યો તો લાખોનો દંડ થઈ શકે શાહરુખ, અજય, ટાઈગર શ્રોફ પર થઈ શકે છે કાર્યવાહી ૧૦ લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે બોલીવુડ એક્ટર શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને મહારાષ્ટ્ર FDA તરફથી નોટિસ ફટકારવામાં આવી હતી. આ મામલો પાન મસાલાના સરોગેટ વિજ્ઞાપન સંબંધિત છે. આ મામલે FDA એના ઉચ્ચ અધિકારી તુકારામ મુંઢે એ સ્પષ્ટ કરી દીધું છે કે જાે ત્રણેય અભિનેતા તરફથી મળેલો જવાબ સંતોષકારક નહીં હોય તો તેમના પર કાર્યવાહી પણ થઈ શકે છે આવા મામલામાં ૧૦ લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. મહત્વનું છે કે બોલીવુડ એક્ટર શાહરુખ ખાન,…

Read More

કોર્ટમાં જવાનું સાચું કારણ આવ્યું સામે સુનિતા કોઈપણ ભોગે ગોવિંદાને છોડવા તૈયાર નથી બોલિવૂડનાં હીરો નંબર ૧ ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજા છેલ્લાં ઘણાં સમયથી તેમની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે ગોવિંદા અને સુનીતાનાં સંબંધોને લઈને ચાલી રહેલી તમામ અટકળોની વચ્ચે એક્ટરનાં મેનેજરે આ સ્થિતિને સ્પષ્ટ કરી દીધી છે. એક ખબર અનુસાર ગોવિંદાનાં મેનેજરે કન્ફર્મ કર્યું છે કે સુનીતા આહુજા બાંદ્રા કોર્ટમાં તેમનાં એક જૂનાં છૂટાછેડાનો કેસ પાછો ખેંચવા ગઈ હતી. રિપોર્ટ્સ અનુસાર ડિસેમ્બર ૨૦૨૪ ની આસપાસ બાંદ્રા ફેમિલી કોર્ટમાં તલાક સાથે જાેડાયેલી એક પિટિશન ફાઈલ થયા બાદ બન્ને પાર્ટીઓનાં વકીલોએ આ કેસ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. ગોવિંદાએ જણાવ્યું…

Read More

ઘૂંટણમાં વાગતાં હોસ્પિટલમાં દાખલ શૂટિંગ દરમિયાન કાર્તિક આર્યન ગંભીર રીતે ઈજાગ્રસ્ત કાર્તિક આર્યન કબીર ખાનની આગામી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મના મુંબઈમાં શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન જાણીતા ડિરેક્ટર કબીર ખાનની આગામી અનટાઈટલ્ડ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. મુંબઈમાં ફિલ્મના શૂટિંગના અંતિમ તબક્કા દરમિયાન તેના ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ છે, જેના પગલે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેના ઘૂંટણની સર્જરી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, ફિલ્મનું શૂટિંગ પૂર્ણતાના આરે હતું અને છેલ્લા ૨ દિવસ માટે મહત્ત્વપૂર્ણ એક્શન દૃશ્યો શૂટ કરવાના બાકી રાખવામાં આવ્યા હતા. કાર્તિક આ ખાસ સીન…

Read More

જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ : સર્જિયો ગોર અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે કાશ્મીરની મુલાકાત લીધી નવનિયુક્ત એમ્બેસેડરે શ્રીનગરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે આર્થિક સહયોગ-વિકાસ મુદ્દે ચર્ચા કરી અમેરિકાએ જમ્મુ-કાશ્મીર માટે અમલમાં મૂકેલી કડક ‘ટ્રાવેલ એડવાઇઝરી‘ને હળવી કરવા અમે વિચારણા કરીશું. આ કેન્દ્રશાસિત પ્રદેશ એટલે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.’ અમેરિકાના નવનિયુક્ત એમ્બેસેડર(રાજદૂત) સર્જિયો ગોરે જમ્મુ-કાશ્મીરના તેમના પ્રથમ પ્રવાસમાં જ આ નિવેદન કર્યું હતું. આ નિવેદન સાબિત કરે છે કે, ભારત માટે અમેરિકાની વિદેશ નીતિમાં ધરખમ પરિવર્તન આવ્યું છે. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ અને પહેલગામ હુમલા પછી કોઈ અમેરિકન રાજદૂતે પહેલીવાર કાશ્મીરની મુલાકાત લીધી છે. આ મુલાકાત…

Read More

ટ્રમ્પે નવો નકશો જાહેર કર્યો હોર્મુઝ પર નિયંત્રણ અને માલિકી બંને અમારી વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝને અમેરિકાનો વિસ્તાર જાહેર કરતો ભડકાઉ નકશો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અમેરિકન પ્રમુખ ટ્રમ્પ નીતનવા ગતકડા કરવા જાણીતા છે. આવા જ એક વધુ ગતકડામાં તેમણે હોર્મુઝને અમેરિકાનો વિસ્તાર જાહેર કરીને ઇરાન સાથે તણાવ વધાર્યો છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર એક નકશો પોસ્ટ કરી આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને અમેરિકાની માલિકીનો જળમાર્ગ જાહેર કર્યો છે. બીજી બાજુ ઇરાને સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા વચગાળાની સમજૂતી હેઠળની શરતો પૂરી કરે નહીં ત્યાં સુધી હોર્મુઝની ખાડી બંધ રહેશે. ટ્રમ્પનો આ ભડકાઉ નકશો ત્યારે…

Read More

ભાજપે પણ કર્યો વળતો પ્રહાર સત્યેન્દ્ર જૈનની ધરપકડ: કેજરીવાલે કહ્યું- આ કેસ પણ ફેક સાબિત થશે અરવિંદ કેજરીવાલે આ કેસને બોગસ ગણાવ્યો, જ્યારે ભાજપે AAP ના ‘ઈમાનદાર‘ મોડેલને બેનકાબ ગણાવ્યું દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા સત્યેન્દ્ર જૈનની મંગળવારે (૧૮ ઓગસ્ટ) એન્ટી કરપ્શન બ્રાન્ચ (ACB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અગાઉની સરકારના કાર્યકાળ દરમિયાન દિલ્હી જલ બોર્ડમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ટેન્ડર કૌભાંડ મામલે ACB દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી (BJP) સામસામે આવી ગયા છે અને રાજકીય નિવેદનબાજી…

Read More

આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ વિડીયોના માધ્યમથી રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર વારંવાર સાબિત કરી રહી છે કે તે તદ્દન વિદ્યાર્થી વિરોધી સરકાર છે. ગુજરાતમાં ‘રાઈટ ટુ એજ્યુકેશન’ (RTE) હેઠળ જે વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાં એડમિશન લીધું છે, તેમને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ૩,૦૦૦ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ સહાયની રકમમાંથી વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ, યુનિફોર્મ અને જરૂરી સ્ટેશનરી જેવી વસ્તુઓ ખરીદતા હોય છે. પરંતુ હાલમાં શાળાનું નવું સત્ર શરૂ થઈ ગયું છે અને ઘણો સમય વીતી ગયો હોવા છતાં, આજદિન સુધી સરકારે RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ ત્રણ…

Read More

ગુજરાતના વિકાસની વરવી વાસ્તવિકતા છતી કરતાં પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, આઝાદીના આટલા વર્ષો પછી પણ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના છેવાડાના ગામો આજે પણ મૂળભૂત વિકાસથી વંચિત છે. ધરમપુર તાલુકાના મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા મુરડદ ગામના ‘માવલી ફળિયા’માં ૧૫ થી ૨૦ ઘરો આવેલા છે, જ્યાં ૬૦ થી ૭૦ લોકોની વસ્તી વસવાટ કરે છે. પરંતુ અત્યાર સુધી ત્યાં વિકાસનું કોઈ કામ થયું નથી. ફળિયાના રસ્તાઓ આજે પણ અત્યંત ખરાબ, ખાડા ટેકરા વાળા અને કાદવ-કીચડથી ભરેલા છે. ગામમાં જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે કે નાના બાળકોને શાળાએ ભણવા જવું હોય, ત્યારે પાકા રસ્તાના અભાવે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો…

Read More