Author: Garvi Gujarat

ફિલ્મ માટે રિતેશ દેશમુખ, પરેશ રાવલ, રાજપાલ યાદવનો સંપર્ક કરાયો ‘માલામાલ વિકલી’ ફિલ્મની સિક્વલ પર કામ ચાલુ ‘માલામાલ વિકલી’ ફિલ્મમાં રીમા સેન, શક્તિ કપૂર, સુધા ચંદ્રન તેમજ સ્વર્ગસ્થ અસરાની, રસિકા જાેષી અને ઇનોસન્ટ પણ મહત્વની ભૂમિકામાં હતાં. વર્ષ ૨૦૨૫માં ‘સૈયારા’, ‘એક દીવાને કી દીવાનિયત’ અને ‘તેરી ઇશ્ક મેં’ જેવી ફિલ્મોથી રોમેન્ટિક જાેનરની લહેર ફરી જીવંત બની હતી. હવે ૨૦૨૬ અને ૨૦૨૭માં કોમેડી ફિલ્મો બોક્સ ઓફિસ પર રાજ કરે તેવી શક્યતા છે. આગામી બે વર્ષમાં ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’, ‘વેલકમ ટુ ધ જંગલ’, ‘ધમાલ ૪’, ‘ભાગમ ભાગ ૨’, ‘હેરા ફેરી ૩’ અને ‘ગોલમાલ ૫’ જેવી રસપ્રદ ફિલ્મો રિલીઝ થવાની…

Read More

ધુરંધર ૨ – ધ રિવેન્જ પણ ઘણી લાંબી ફિલ્મ ધુરંધર ૨ અને ટોક્સિકના ક્લેશ સાથે લંબાઈથી પણ સિનેમાલિકો પરેશાન જાે ફિલ્મના બીજા ભાગની લંબાઈ ૩.૫૫ કલાકની હોય, તો તે હિન્દી સિનેમાની સૌથી લાંબી ફિલ્મમાંની એક બની જશે લાંબા સમયથી ઇદની રિલીઝી રાહ જાેવાઈ રહી છે, ભારતીય સિનેમાની આ સૌથી મોટી ટક્કર રહેવાની છે, જેમાં રનવીર સિંહની ધુરંધર ૨- ધ રિવેન્જ અને યશની ટોક્સિક રિલીઝ વચ્ચે ટક્કર થવાની છે. ધુરંધર સિરીઝની પહેલી ફિલ્મ પણ લાંબી હતી, તેથી જ આ ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવાનોન ર્નિણય લેવાયો હતો. પરંતુ પહેલી ફિલ્મ સાડા ત્રણ કલાકથી પણ લાંબી હોવાને કારણે એવો અંદાજ હતો કે…

Read More

સોહમ શાહ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પેન મુવીઝ સાથે એક તસવીર શેર કરી તુંબાડ ૨માં સોહમ શાહ સાથે નવાઝુદ્દીનની એન્ટ્રી પાક્કી તુંબાડની ઓરિજિનલ સ્ટોરી અને તેની વાર્તા કહેવાની શૈલી માટે હું હંમેશા તેનો પ્રસંશક રહ્યો છું : નવાઝુદ્દીન યશ સોહમની ક્લાસિક હોરર ફિલ્મ તુંબાડની સિક્વલમાં નવાઝુદ્દીન સિદ્દીકીના નામની ચર્ચા થોડાં સમયથી હતી, હવે તેની એન્ટ્રી આ ફિલ્મમાં કન્ફર્મ થઈ ગઈ છે. આ લોકકથાઓ આધારીત ફ્રેન્ચાઇઝીમાં નવાઝુદ્દીનની એન્ટ્રી મહત્વની બની ગઈ છે. હજુ આ ફિલ્મની વાર્તા વિશે કોઈ માહિતી જાહેર થઈ નથી, પરંતુ નવાઝ આ ફિલ્મમાં મહત્વના રોલમાં હશે, તે નક્કી છે. સોહમ શાહ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પેન મુવીઝ સાથે એક તસવીર…

Read More

સોનાના વાયદામાં રૂ.4149 અને ચાંદીના વાયદામાં રૂ.10805નો કડાકોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.584નો ઉછાળો કોમોડિટી વાયદાઓમાં રૂ.8949.42 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.41420.9 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6795.15 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર હોળી (ધૂળેટી) નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા, જ્યારે સાંજે 5 વાગ્યાથી શરૂ થયેલા બીજા સત્રમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.50370.32 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8949.42 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.41420.9 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1804.88 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6795.15 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.161995ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.162999 અને નીચામાં રૂ.159649ના મથાળે અથડાઈ, રૂ.166074ના આગલા બંધ સામે રૂ.4149 ઘટી રૂ.161925ના ભાવે ટ્રેડ થઈ…

Read More

ગૌહત્યારાઓ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિવેદન પર આમ આદમી પાર્ટીના માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણ દેસાઈએ એક વીડિયોના માધ્યમથી સરકારને કર્યા સવાલ કરતા જણાવ્યું હતું કે આજે ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાય માતાની યાદ આવી. ભાજપને ગાય માતાના નામે રોટલા શીખવાની ટેવ પડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ જ રીતે કહેતા હતા કે “ગાયમાતાનું લોહી આ ધરતી પર વહેવા નહીં દઈએ.” ગુજરાતમાં આપણે હાલ જોઈ રહ્યા છીએ કે કસાઈઓ ગાડીમાં આવીને ગાય માતાની હત્યા કરે છે અને તેને લઈ જાય છે. ગૃહમંત્રીને હું કહેવા માંગીશ કે તમે તમારી પોલીસને પૂછો કે આ…

Read More

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી હનુમાનજીના પરમ ભક્ત છે અને તેઓ હનુમાનજીમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે. અરવિંદ કેજરીવાલજી પર ખોટા આરોપો લગાવીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા અને તેમની ઈમેજ ખરાબ કરવાની ખૂબ જ કોશિશ કરવામાં આવી હતી છતાં પણ આખરે તેઓ નિર્દોષ જાહેર થયા. કોર્ટે અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયા સહિત તમામ લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા અને એની સાથે જ તેમના વિરુદ્ધ કરવામાં આવેલા તમામ કાવતરા નિષ્ફળ સાબિત થયા. આમ આદમી પાર્ટીનું માનવું છે કે અરવિંદ કેજરીવાલજીને હનુમાનજી પ્રત્યે જે અતૂટ શ્રદ્ધા છે તેના કારણે હનુમાનજીએ કેજરીવાલજી સહિત તમામનું રક્ષણ કર્યું…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત હાઈકોર્ટ ધ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં CCTV ફરજિયાત લગાડવાના કરાયેલા આદેશને લઈને હવે રાજયના દરેક પોલીસ સ્ટેશનોએ ફરજિયાત પણે CCTV લગાડવાના રહેશે એટલું જ નહીં જે પોલીસ સ્ટેશન માં CCTV ના લગાડયા હોય અને જો લગાડયા હોય અને તે બંધ હાલતમાં હોય તેવા પોલીસ સ્ટેશનો સામે પગલાં ભરવાનો પણ નામદાર ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો હતો. સાથે સાથે કોર્ટે સરકાર અને ગૃહ વિભાગને પણ નિર્દેશ કર્યો હતો. હવે CCTV ને લઈને માહિતી આયોગે મહત્વનો નિર્દેશ આપ્યો છે. માહિતી આયોગે પોલીસ ધ્વારા RTI હેઠળ સીસીટીવી ફૂટેજ નહીં આપવાની આવતી ફરિયાદો અને રજૂઆતોના આધારે ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં…

Read More

દ્વારકામાં જામ્યો હોળીનો માહોલ કાનાની ભક્તિમાં વિદેશીઓ ઘેલા થયા, ગુલાલ અને ભક્તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓ આ વર્ષે ઉત્સવમાં દેશી ભક્તોની સાથે વિદેશી મહેમાનો પણ કૃષ્ણ ભક્તિમાં લીન જાેવા મળ્યા હતા. દેવભૂમિ દ્વારકાના વિશ્વપ્રસિદ્ધ જગત મંદિરમાં હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે ‘ફૂલડોલ ઉત્સવ‘ની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા અને કાળિયા ઠાકોરના સંગાથે હોળી રમવા માટે લાખો શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું છે. આ વર્ષે ઉત્સવમાં દેશી ભક્તોની સાથે વિદેશી મહેમાનો પણ કૃષ્ણ ભક્તિમાં લીન જાેવા મળ્યા હતા.હોળીના પર્વે દ્વારકાધીશના દર્શનનું વિશેષ મહત્ત્વ હોવાથી ગુજરાત સહિત દેશભરમાંથી લાખો પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે. આજે ફૂલડોલ ઉત્સવ પહેલા અનેક વિદેશી પ્રવાસીઓ…

Read More

ભયાનક વિસ્ફોટ, એક ભારતીયનું મોત ઓમાનના દરિયામાં ૨૧ ક્રૂ મેમ્બર લઈને જતા જહાજ પર ડ્રોન હુમલો ઘટનામાં એક ભારતીયનું મોત અને બાકીના મેમ્બરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર ડ્રોન અને મિસાઈલથી હુમલાઓ કર્યા બાદ મિડલ-ઈસ્ટમાં ભયાનક સ્થિતિ ઉભી થઈ ગઈ છે. ઓમાનના દરિયામાં ૧૬ ભારતીયો સહિત ૨૧ ક્રૂ મેમ્બર લઈને જતા તેલ ટેન્કર પર ડ્રોનથી હુમલો થયા બાદ ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં એક ભારતીયનું મોત અને બાકીના મેમ્બરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઓમાન સમુદ્રમાં મસ્કરથી દરિયાકાંઠેથી ૫૨ નોટિકલ મીલ દૂર માર્શલ દ્વિપના ઝંડાવાળા સ્દ્ભડ્ઢ વ્યોમ તેલ ટેન્કર…

Read More

છેલ્લી વનડેમાં સદી ફટકારનાર બીજી મહિલા ક્રિકેટર એલિસા હીલીએ ભારત સામે પોતાની કારકિર્દીની છેલ્લી વનડે મેચ રમી ઓસ્ટ્રેલિયાની એલિસા હીલીએ ભારત સામે પોતાની વિદાય મેચમાં હોબાર્ટ વનડેમાં ૧૫૮ રન બનાવ્યા હતા ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન બનાવનાર એલિસા હીલીએ ભારત સામે પોતાની કારકિર્દીની છેલ્લી વનડે રમી. તેની આ ઇનિંગ એક સપનું સાકાર કરનારી હતી, કારણ કે તેણે પોતાની વિદાય મેચમાં શાનદાર સદી ફટકારી હતી. એલિસા હીલીએ ભારત સામે હોબાર્ટ વનડેમાં ૧૫૮ રન બનાવ્યા હતા. ઓપનર તરીકે મેદાનમાં ઉતરતી વખતે હીલીએ માત્ર ૭૯ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. એલિસા હીલીની વિસ્ફોટક ઇનિંગ્સ વર્ષો સુધી યાદ રહેશે. તેના પતિ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિશેલ…

Read More