
- રશિયાની ભારતને મોટી ઑફર: અનલિમિટેડ ઓઇલ અને ઊર્જા સપ્લાયની જાહેરાત
- પાકિસ્તાન આર્મી ચીફ મુનીર તેહરાનમાં: અમેરિકા-ઈરાન વાતચીત માટે ટ્રમ્પ સંદેશ ચર્ચામાં
- આકાશ ચોપડાની નારાજગી: રસીખ સલામને બદલે હેઝલવુડને પ્લેયર ઓફ ધ મેચ પર વિવાદ
- ટ્રમ્પનું સ્વાગત: 34 વર્ષ બાદ ઈઝરાયલ-લેબેનોન વચ્ચે ઐતિહાસિક શાંતિ ચર્ચા શરૂ
- Keir Starmer ની સોશિયલ મીડિયા કંપનીઓને ચેતવણી: બાળકો માટે UKમાં પ્રતિબંધની શક્યતા
- પીએમ મોદીએ સંસદમાં મહિલા આરક્ષણ પર કહ્યું: વિરોધ કરનારને લાંબા ગાળે ભારે કિંમત પડશે
- ડોક્સી ફાઇનાન્સ કૌભાંડ: 2.05 કરોડની ઠગાઈ, ચાર આરોપીની આગોતરા જામીન અરજી ફગાવાઈ
- China ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર બન્યું, United States બીજા ક્રમે ધકેલાયું
Author: Garvi Gujarat
બંને દેશના વડા વચ્ચેની વાતચીત મહત્વપૂર્ણ PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર ૪૦ મિનિટ સુધી થઈ વાતચીત વૈશ્વિક પરિસ્થિતિ અને પરસ્પર સહકારના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં લગભગ ૪૦ મિનિટ સુધી ફોન પર મહત્વપૂર્ણ વાતચીત થઈ છે. આ વાતચીતમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો, વૈશ્વિક પરિસ્થિતિ અને પરસ્પર સહકારના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.વાતચીત દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે વેપાર, રોકાણ, ટેક્નોલોજી અને સુરક્ષા સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં ભાર મૂકવામાં આવ્યો. બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા અને શાંતિ જાળવવા માટે…
પૂર્ણ સ્વરૂપમાં બાબા બર્ફાનીની પ્રથમ તસવીર ભક્તોને દર્શન આપવા અમરનાથ પ્રગટ થયાં આ વખતે બરફથી બનેલું શિવલિંગ અત્યંત ભવ્ય અને પૂર્ણ આકારમાં જાેવા મળ્યું છે, જેને ભક્તો અત્યંત શુભ સંકેત માની રહ્યા છે પવિત્ર અમરનાથ યાત્રા ૨૦૨૬ ની સત્તાવાર શરૂઆતને હજુ વાર છે, પરંતુ પવિત્ર ગુફામાંથી બાબા બરફાનીની પ્રથમ તસવીર સામે આવતા જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આ વખતે બરફથી બનેલું શિવલિંગ અત્યંત ભવ્ય અને પૂર્ણ આકારમાં જાેવા મળ્યું છે, જેને ભક્તો અત્યંત શુભ સંકેત માની રહ્યા છે. વર્ષ ૨૦૨૬ માં અમરનાથ યાત્રાનો પ્રારંભ અને અંતની તારીખો જાહેર થઈ ચૂકી છે. ૩ જુલાઈ ૨૦૨૬ થી યાત્રાનો પ્રારંભ…
હોર્મુઝમાં તણાવ વચ્ચે ભારત એક્શનમાં ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈઝરાયલના વિદેશ મંત્રી સાથે ફોન પર વાતચીત કરી આ અંગેની માહિતી ઈઝરાયલના વિદેશ મંત્રીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે મધ્ય પૂર્વ મુદ્દે મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈઝરાયલના વિદેશ મંત્રી સાથે ફોન પર વાતચીત કરી છે. જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાણકારી આપી કે આજે મંગળવારે બપોરે ઈઝરાયલના વિદેશ મંત્રી સાથે ફોન પર વાત થઈ, જેમાં પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિને લઈને અનેક પાસાઓ પર ચર્ચા કરવામાં આવી. બંને વચ્ચે પશ્ચિમ એશિયાની બગડતી સ્થિતિ, ખાસ કરીને ઈરાન, લેબનોન અને હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષાના પડકારો…
દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ હાઇવે PM મોદીએ એશિયાના સૌથી લાંબા વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ ૧૨,૦૦૦ કરોડના ખર્ચે બનેલો આ છ-લેનનો એક્સપ્રેસ-વે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને એકબીજાની વધુ નજીક લાવશે ઉત્તર ભારતની કનેક્ટિવિટીમાં એક નવો અધ્યાય જાેડાવા જઈ રહ્યો છે. PM નરેન્દ્ર મોદી મંગળવારે ૨૧૩ કિલોમીટર લાંબા દિલ્હી-દેહરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. ૧૨,૦૦૦ કરોડના ખર્ચે બનેલો આ છ-લેનનો એક્સપ્રેસ-વે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને એકબીજાની વધુ નજીક લાવશે. ઉદ્ઘાટન પૂર્વે વડાપ્રધાન ધાર્મિક અને પર્યાવરણીય મુલાકાત પણ લેશે. વન્યજીવ કોરિડોર નિરીક્ષણ પણ તેઓ કરશે. વડાપ્રધાન સહારનપુર (UP) ખાતે એશિયાના સૌથી લાંબા વન્યજીવ એલિવેટેડ કોરિડોરની સમીક્ષા કરશે. સવારે ૧૧.૪૦ વાગ્યે દેહરાદૂન પાસે આવેલા…
છત્તીસગઢમાં મોટી દુર્ઘટના વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં ૧૦ના મોત, ૪૦થી વધુ શ્રમિકો દાઝ્યા તેમણે કહ્યું કે આ ૨૧મી સદીનો સૌથી મોટો ર્નિણય છે, જે નવા સંસદ ભવનથી મહિલા સશક્તિકરણ અને લોકશાહી શક્તિને સુનિશ્ચિત કરશે છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં ભયાનક વિસ્ફોટ થયો છે. રિપોર્ટ મુજબ, આ ઘટનામાં ૧૦થી વધુ શ્રમિકોના મોત થયા હોવાની અને ૩૦થી ૪૦ શ્રમિકો દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના સક્તિ જિલ્લામાં સિંઘીતરાઈ ગામમાં વેદાંતાના પાવર પ્લાન્ટમાં આજે અનેક શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક બોઇલર ફાટ્યા બાદ જાેરદાર ધડાકો થયો હતો.…
૧૨ લાખના મુદ્દામાલ સાથે બે શખસો ઝડપાયા નરોડા નજીક કારમાંથી મળી આવ્યો દારૂનો મસમોટો જથ્થો કારની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા રાજ્યમાં દારૂબંધીના અમલ વચ્ચે પોલીસ દ્વારા બુટલેગરો પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન અમદાવાદ શહેર પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)ની ટીમને મોટી સફળતા મળી છે. નરોડા પોલીસ સ્ટેશનની હદમાં પીસીબીએ વોચ ગોઠવીને લાખો રૂપિયાના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા છે.મળતી માહિતી અનુસાર, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનના ડુંગરપુરથી એક સફેદ રંગની જીેંફ કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને અમદાવાદ લાવવામાં આવી…
ઊંઝા તા. પં.ની વરવાડા બેઠક પર ભાજપ પ્રમુખે ખેલ પાડી કોંગ્રેસનું પત્તું કાપ્યું ઊંઝા પાલિકાની ચૂંટણીમાં ૪૪ ફોર્મ રદ : પાલિકાના ૯ વોર્ડમાં ૧૧૭ ફોર્મ ભરાયાં હતાં વોર્ડ નં.૧ માં ૧૧, વોર્ડ નં.૨માં ૨, વોર્ડ નં.૩માં ૨, વોર્ડ નં.૪માં ૭, વોર્ડ નં.૬માં ૬, વોર્ડ નં.૭માં ૬, વોર્ડ નં.૮માં ૨ અને વોર્ડ નં.૯માં ૬ ફોર્મ રદ્દ ઊંઝા નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે આજે ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઊંઝા નગરપાલિકામાં કુલ ૧૧૭ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૪૪ જેટલા ફોર્મ રદ થતાં હવે ૭૩ ઉમેદવાર મેદાને છે. જાેકે, બુધવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે કોણ મેદાનમાં રહેશે…
૭૦૦૦ કરોડનું ટર્નઓવર ઠપ્પ યુદ્ધની જ્વાળાઓમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ હોમાયો યુદ્ધના કારણે નિકાસના માર્ગાે પ્રભાવિત થતા ગત એક માસમાં કંડલા અને મુન્દ્રા પોર્ટ પરથી ૭૦૦થી વધુ કન્ટેનરો પરત ફર્યા ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ પર જાેવા મળી રહી છે. છેલ્લા એક માસથી ઉત્પાદન એકમો પર તાળા લટકતા અંદાજે સાત હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર જામ થઈ ગયું છે. આ પ્રતિકૂળ સંજાેગોને કારણે પ્રત્યેક કારખાનેદારના શિરે ૫૦ લાખથી ૧.૫૦ કરોડ રૂપિયા સુધીના નુકસાનનો પહાડ આવી પડ્યો છે. માત્ર સિરામિક જ નહીં, પરંતુ તેની સાથે જાેડાયેલા પેપર મિલ ઉદ્યોગની હાલત પણ કફોડી બની છે અને…
પીડિતાએ આપી ચેલેન્જ એપસ્ટીન કેસ મામલે મેલાનિયા ટ્રમ્પના નિવેદનથી હોબાળો જુલિયટ બ્રાયન્ટે આરોપ લગાવ્યો કે તેને એપસ્ટેઇનના પ્રાઈવેટ ટાપુ પર લઈ જવામાં આવી હતી અને તેનો પાસપોર્ટ લઇ લેવાંમાં આવ્યો હતો યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે એપસ્ટીન ફાઈલ્સ જાહેર કરતા દુનિયાભરનાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો, ફરી એક વાર એપ્સ્ટેઇન કેસ ચર્ચાનો વિષય બન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પના એક નિવેદને કારણે વિવાદ ઉભો થયો છે, એક નિવેદનમાં તેમણે પીડિતોને શપથ લઈને જુબાની આપવાનું કહ્યું હતું. એપસ્ટીનની પીડિતાઓએ મેલાનિયાની આ ટિપ્પણીનો વિરોધ કર્યાે છે. એપ્સ્ટીન સ્કેન્ડલની પીડિતા જુલિયટ બ્રાયન્ટે સોશિયલ મીડિયા પર એક વિડિઓ મેસેજ શેર કર્યાે છે, જે ઝડપથી…
સોશિયલ મીડિયા પર ટીકાઓનો વરસાદ આથિયાનો છબરડો: આશાને બદલે લત્તા મંગેશકરની તસવીર મૂકી થોડીવારમાં જ આથિયાએ આ ભૂલ સુધારી હતી અને સ્વ. આશા ભોસલેની તસવીર મૂકી દીધી હતી આથિયા શેટ્ટીએ સ્વ. આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપતી વખતે આશા ભોસલેને બદલે લત્તા મંગેશકરની તસવીર પોસ્ટ કરી હતી. તેના કારણે સોશિયલ મીડિયામાં લોકોએ તેની ભારે ટીકા થઈ હતી.જાેકે, થોડીવારમાં જ આથિયાએ આ ભૂલ સુધારી હતી અને સ્વ. આશા ભોસલેની તસવીર મૂકી દીધી હતી. કેટલાક લોકોએ ટીકા કરી હતી કે આ નવી પેઢીના કલાકારોને પીઢ કલાકારોનો કોઈ પરિચય નથી કે કોઈ સૌજન્ય કે સન્માન જેવું પણ નથી. ફક્ત દેખાડા ખાતર તેઓ આવી પોસ્ટ કરે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



