- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
- મોંઘવારીનો માર: ડુંગળી, ખાંડ, દાળ અને ખાદ્ય તેલના ભાવમાં મોટો ઉછાળો
- ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં AAPનું પ્રદર્શન, ગૃહમંત્રીના રાજીનામાની માંગ
- સુરતમાં ‘નારી હુંકાર’ સંમેલન, 2700થી વધુ મહિલાઓએ પરિવર્તનનો સંકલ્પ લીધો
- મિચેલ સ્ટાર્કનો વર્લ્ડ રેકોર્ડ, બાંગ્લાદેશ 64 રનમાં ઓલઆઉટ
- અમદાવાદના સરખેજમાં 291 લિટર દેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ
- રાજકોટની મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી
Author: garvigujrat
બોલીવુડના ફેમસ ડિરેક્ટરે કર્યો ખુલાસો એક સમયે રેખા અમિતાભ બચ્ચનને પોતાનો પતિ માનવા લાગી હતી પુસ્તકમાં જ લેખક યાસિર ઉસ્માને ઉમરાવ જાનના નિર્દેશક મુઝફ્ફર અલીના હવાલેથી રેખા અને અમિતાભ બચ્ચનના સંબંધને લઈને આ વાત લખી છે બોલીવુડમાં ઘણીવાર એવું થાય છે કે એક સાથે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યા પછી હીરો હીરોઇન એકબીજાના પ્રેમમાં પડે. પ્રેમમાં પડ્યા પછી ઘણા એક્ટર્સ લગ્ન કરી લેતા હોય છે તો ઘણાની લવ સ્ટોરીનો દુ:ખદ અંત આવી જતો હોય છે. પરંતુ તેની ચર્ચા વર્ષો સુધી થાય છે. આવી જ લવ સ્ટોરી છે અમિતાભ બચ્ચન અને રેખાની. એ વાત સૌ કોઈ જાણે છે કે રેખા અમિતાભ…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઈનચાર્જ રજનીકાંત વાઘાણી, અને નવસારી લોકસભા ઈનચાર્જ પંકજ તાયડેએ સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ પરિષદમાં પત્રકારોને સંબોધતા ’આપ’ નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે ભાવનગરમાં જે ઘટના ઘટી છે તેનાથી સમગ્ર ગુજરાત અત્યંત દુઃખી છે, કારણ કે અત્યાર સુધીમાં દસ જેટલા લોકો નકલી દારૂ પીવાના કારણે મોતને ભેટ્યા છે. આ ઘટનાથી સમગ્ર ગુજરાતની જનતા આંદોલિત છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની સાથે સમગ્ર ટીમે ગઈકાલે ભાવનગરમાં હોસ્પિટલની મુલાકાત લઈને મૃતક તેમજ પીડિત પરિવારો સાથે સાંત્વના વ્યક્ત કરી હતી. આ સમગ્ર ઘટના આપણા સૌની…
દ્વાદશ જ્યોર્તિલિંગ પૈકીનું છઠ્ઠું ભીમાશંકર મહાદેવનું મંદિર પુનાથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં ભીમા નદીના ઉદગમ સ્થાન પાસે આવેલું છે. સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ભગવાન શિવના દ્વાદશ પવિત્ર જ્યોતિર્લિંગોનું અત્યંત મહિમાવંત સ્થાનાંતર છે.આ બાર જ્યોતિર્લિંગો ભગવાન શિવના સાક્ષાત દિવ્ય પ્રગટીકરણના પ્રતીક મનાય છે જ્યાં મહાદેવ સ્વયં સ્વયંભૂ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન થઈ ભક્તોના કલેશ દૂર કરે છે.દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર મુજબ "ભીમાશંકર એ આ ૧૨ પવિત્ર ધામો પૈકીનું છઠ્ઠું જ્યોતિર્લિંગ છે. આ પવિત્ર ધામ મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લાના ખેડ-રાજગુરૂ નગર તાલુકામાં આવેલું છે.પુણેના શિવાજી નગરથી આશરે ૧૨૭ કિલોમીટર દૂર પશ્ચિમ ઘાટની રમણીય સહ્યાદ્રિ પર્વતમાળાના ઉત્તુંગ શિખરો, ગીચ જંગલો અને વાદળોની વચ્ચે સ્થિત…
નર્મદા ભારતની પવિત્રતમ નદીઓમાંની એક છે,તેનો ઉદગમ્ અમરકંટકમાંથી થાય છે અને પશ્ચિમ દિશામાં વહેતી નર્મદા ખંભાતના અખાતને મળે છે.નર્મદાનું પ્રાચીન નામ ‘રેવા’ છે.નર્મદા નદીના કિનારે ખંડવા પાસે વિંધ્ય પર્વતમાળામાં એક પવિત્ર સ્થાન આવેલું છે,જ્યાં ભગવાન શિવનું પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ ‘ૐકારેશ્વર’ બિરાજમાન છે. ૐકારેશ્વર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે.આ પવિત્ર ધામ નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે,જેને માંધાતા અથવા શિવપુરી કહેવામાં આવે છે.આ ટાપુનો આકાર ‘ૐ’ જેવો દેખાય છે. અહીં ૐકારેશ્વર અને મમલેશ્વર નામે બે પવિત્ર શિવધામો આવેલાં છે.ૐકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે અનેક દંતકથાઓ અને લોકપ્રચલિત કથાઓ જોડાયેલી છે,તેમાંથી એક અત્યંત પ્રસિદ્ધ કથા વિંધ્ય પર્વત,દેવર્ષિ નારદ અને ભગવાન શિવ સાથે સંકળાયેલી…
મનના બંધનોમાંથી આઝાદી જ વાસ્તવિક મુક્તિ છે. સમગ્ર ભારતવર્ષ જ્યાં સ્વતંત્રતા દિવસને રાષ્ટ્રભક્તિ,ગૌરવ અને ઉલ્લાસ સાથે ઊજવી રહ્યું હતું, ત્યાં સંત નિરંકારી મિશને આ ઐતિહાસિક અવસરે બ્રહ્મજ્ઞાન દ્વારા પ્રાપ્ત આંતરિક સ્વતંત્રતાના દિવ્ય સંદેશને પણ જન-જન સુધી પહોંચાડ્યો.આ પર્વ એ સત્યને સાકાર કરે છે કે વાસ્તવિક મુક્તિ બાહ્ય બંધનોમાંથી નહીં પરંતુ અજ્ઞાન,અહંકાર અને ભેદભાવથી મુક્ત થઈને આત્મબોધ અને પરમાત્મબોધની અનુભૂતિમાં નિહિત છે. મુક્તિપર્વનો આ પાવન અવસર પરમ શ્રદ્ધેય સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીના પાવન સાન્નિધ્યમાં દિલ્હી સ્થિત નિરંકારી સરોવર સમક્ષ,ગ્રાઉન્ડ નં.૨,નિરંકારી ચોક, બુરાડી રોડ પર શ્રદ્ધા,ભક્તિ અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં આયોજિત થયો.વિદેશોની વિસ્તૃત કલ્યાણકારી પ્રચારયાત્રાના સફળ સમાપનના લાંબા અંતરાલ…
યુએઈએ ઇરાન સાથેના વ્યાપારી સંબંધો ખતમ કર્યા યુરોપમાં અમેરિકાના સ્થળો પર હુમલાની ઇરાનની તૈયારી ઇરાને અમેરિકાને ધમકી આપી છે કે, જાે ટ્રમ્પ યુદ્ધ વધારશે તો ઇરાન મધ્યપૂર્વથી આગળ વધીને યુરોપમાં અમેરિકાના લશ્કરી થાણા પર હુમલો કરશે ઇરાન હવે અમેરિકા સામેના યુદ્ધને યુરોપ સુધી લઈ જવાનું ખોફનાક આયોજન તૈયાર કરી રહ્યુ છે. ઇરાન અમેરિકા પર એવો બરોબરનો પ્રહાર કરવાની તૈયારીમાં લાગી ગયું છે કે તે મધ્યપૂર્વની દિશા જ ભૂલી જાય. ઇરાન અમેરિકા સાથે આર પાર કરવાના મિજાજમાં છે. જાે ટ્રમ્પ હજી પણ યુદ્ધ વધારશે તો ઇરાન મધ્યપૂર્વથી આગળ વધીને યુરોપમાં અમેરિકાના લશ્કરી થાણા પર હુમલા કરશે. ઇરાને આ યુદ્ધને અત્યાર સુધીમાં…
પાકિસ્તાનને ભારતનો ‘જડબાતોડ’ જવાબ દિલ્હી હાઈ કમિશન બહાર ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર કાર્યવાહી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર સુરક્ષા પરિમિતિ તરીકે ઉભા કરાયેલા ટ્રાફિક બોલાર્ડ અને બેરિકેડ્સ દૂર કર્યા છે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી તણાવ ફરી એકવાર વધ્યો છે. ભારતે રાજદ્વારી મોરચે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. ઇસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસની બહાર સુરક્ષા બેરિકેડ્સ દૂર કર્યાના ત્રણ દિવસ પછી, નવી દિલ્હીમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનની બહારના તમામ ગેરકાયદેસર અતિક્રમણ અને સુરક્ષા વાડ દૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત, પાકિસ્તાની દૂતાવાસના વિઝા વિભાગની નજીક ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો પણ દૂર કરવામાં આવ્યા છે. અધિકારીઓ દ્વારા…
એફિલ ટાવરથી પણ ઉંચો છે ચિનાબ બ્રિજ વિશ્વના સૌથી ઊંચા રેલવે ટ્રેક પર ‘બુલેટ’ ટ્રેનની સ્પીડે દોડી વંદે ભારત ઉત્તર રેલ્વેએ તેના સોશિયલ મીડિય પર ટ્રેક પર દોડતી ટ્રેનનો વીડિયો શેર કર્યો, તેને ભારતનું ગૌરવ ગણાવ્યું દુનિયાનો સૌથી ઉંચો અને ભારતનો સૌથી પડકારજનક રેલ્વે ટ્રેક, ચેનાબ બ્રિજ પર વંદે ભારત પહેલી વખત ૧૦૦ કિમી/કલાકની ઝડપે દોડી છે, આ વીડિયો જાેયા બાદ દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ ગયા. ઉત્તર રેલ્વેએ તેના સોશિયલ મીડિય પર ટ્રેક પર દોડતી ટ્રેનનો વીડિયો શેર કર્યો, તેને ભારતનું ગૌરવ ગણાવ્યું. આ રેલ્વે ટ્રેક ૧૮૦-ડિગ્રી ચઢાણ સાથે પડકારોથી ભરેલો છે. તમને જણાવી દઈએ કે, ચિનાબ બ્રિજ પર બનેલો…
ગુજરાતના ભાવનગરમાં ઝેરી મિશ્રણથી બનેલા બોગસ દારૂ (લઠ્ઠા)નું સેવન કરવાને કારણે અંદાજે 9 જેટલા લોકોના કમનસીબ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય અનેક લોકોની તબિયત લથડતાં તેઓને ત્વરિત તબીબી સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પૈકી કેટલાકની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ છે, તેમજ પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શાસક પક્ષ પર તીખો હુમલો કરતા ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું…
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય સહ સચિવ રાજુભાઈ સોલંકી અને પ્રદેશ યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે લઠ્ઠાકાંડના પીડિતોની મુલાકાત લીધી હતી. આ તકે પત્રકારોને સંબોધતા ’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં બનેલા લઠ્ઠાકાંડના અનુસંધાનમાં જે પીડિતો હોસ્પિટલમાં દાખલ છે, તેમની મેં મુલાકાત લીધી, ખબર-અંતર પૂછ્યા અને પ્રશ્નો પૂછીને જાણવાની કોશિશ કરી કે તેઓ શું કહેવા માંગે છે. ગુજરાતમાં અને એમાંય ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો એ દુઃખની બાબત છે, પણ તેના કરતાંય વધુ દુઃખ એ વાતનું છે કે આજથી ત્રણેક વર્ષ પહેલાં આ જ જગ્યાએ બેસીને બોટાદ-બરવાળાના લઠ્ઠાકાંડ બાબતે મેં ગળું ફાડી-ફાડીને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



