Author: garvigujrat

કહ્યું- ભારતીય રેલવે પર ગર્વ છે લદાખ પહોંચતા જ સોનમ વાંગચુકે કર્યા સરકારના વખાણ વાંગચુકે ૨૬ દિવસના અનશન બાદ લદાખ પરત ફરતી વખતે પ્રથમવાર વંદે ભારત એક્સપ્રેસમાં દિલ્હીથી શ્રીનગર મુસાફરી કરી પર્યાવરણવિદ્ અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુક દિલ્હીના જંતર-મંતર પર સતત ૨૬ દિવસના અનશન બાદ લદાખ પરત ફર્યા છે. દિલ્હીથી શ્રીનગર પાછા ફરતી વખતે તેમણે પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી હતી. ટ્રેન પ્રવાસના પોતાના અનુભવ અને રસ્તામાં આવતા એન્જિનિયરિંગની અજાયબી સમાન ચિનાબ બ્રિજને લઈને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેમણે ભારતીય રેલવે અને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મુક્ત મને પ્રશંસા કરી છે.…

Read More

સરકારી કંપનીઓ આગામી બે મહિનામાં ટેન્ડર બહાર પાડી શકે છે ભારત અમેરિકા પાસેથી ૨૫ ટકા એલપીજી આયાત કરશે સરકારી તેલ કંપનીઓ ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડશે પશ્ચિમ એશિયાઈ દેશો પર એલપીજી માટેની પોતાની ર્નિભરતા ઘટાડવા માટે ભારત અમેરિકા પાસેથી વધુ આયાત કરવા વિચારણા કરી રહ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, ભારત વર્ષ ૨૦૨૭માં અન્ય દેશોમાંથી ખરીદવામાં આવતા એલપીજીમાંથી ચોથા ભાગનો (૨૫%) એલપીજી અમેરિકા પાસેથી આયાત કરવાની યોજના બનાવી રહ્યું છે. અહેવાલમાં સૂત્રોના હવાલેથી માહિતી આપવામાં આવી છે કે ભારતની સરકારી રિફાઇનર્સ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ આગામી એક-બે મહિનામાં વર્ષ ૨૦૨૭માં અમેરિકાથી એલપીજી સપ્લાય માટે ટેન્ડર જારી…

Read More

રિક્ટર સ્કેલ પર ૨.૬ ની તીવ્રતા નોંધાઈ અમદાવાદમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો આંચકો અનુભવાતા જ ઘણા લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર દોડી આવ્યા હતા અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે ૪.૩૯ વાગ્યે ૨.૬ની તીવ્રતાનો હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમદાવાદથી માત્ર ૨૯ કિલોમીટર દૂર નોંધાયું હતું. પૃથ્વીના પેટાળમાં થયેલી આંતરિક હલચલને કારણે આ આંચકો આવ્યો હતો, જેનાથી ઊંઘી રહેલા નાગરિકોમાં થોડી ક્ષણો માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સવારે જ્યારે મોટા ભાગના લોકો ગાઢ નિંદ્રામાં હતા, ત્યારે અચાનક ધરતી ધ્રૂજી ઊઠતાં કેટલાક વિસ્તારોમાં પંખા અને ઘરવખરીના સામાનમાં ધ્રુજારી જાેવા મળી હતી. આંચકો અનુભવાતા જ…

Read More

યુક્રેનનો વળતો આરોપ ‘કાળા સમુદ્રમાં સ્થિતિ વણસી અને ભારત અમારી સાથે વાત નથી કરતું’ નવી દિલ્હી સ્થિત યુક્રેની દૂતાવાસે ભારતના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા જાહેર કરાયેલી બે અલગ-અલગ એડવાઈઝરી પર કડક વાંધો ઉઠાવ્યો યુક્રેનના ચોર્નાેમોર્સ્ક બંદર પર ‘‘MV AMIR1’’ નામના જહાજમાં ૧૩ ભારતીય નાવિકો ફસાયેલા છે. આ વિસ્તારમાં રશિયા દ્વારા સતત મિસાઈલ અને ડ્રોન હુમલાઓ થઈ રહ્યા હોવાથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. આ તંગદિલી વચ્ચે યુક્રેને ભારતની દરિયાઈ સુરક્ષા એડવાઈઝરી અને વિદેશ મંત્રાલયના વલણ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.યુક્રેન સરકારે દાવો કર્યાે છે કે બ્લેક સી (કાળો સમુદ્ર) માં વણસી રહેલી સુરક્ષા સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે…

Read More

કરિશ્મા, વરુણે સંતાન જન્મની જાહેરાત કરી કરિશ્મા તન્ના ગુરુપૂર્ણીમાના દિવસે જ પુત્રની માતા બની કરિશ્મા અને વરૂણે ફેબ્રુઆરી ૨૦૨૨માં નજીકના પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા જાણીતી ટીવી એકટ્રેસ કરિશ્મા તન્ના અને તેના બિઝનેસમેન પતિ વરૂણ બનગેરાના ઘરે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ૨૯ જુલાઇએ પુત્રનો જન્મ થયો હોવાની જાહેરાત સોશ્યલ મિડિયા દ્વારા કરવામાં આવી હતી.કરિશ્મા અને વરૂણે પોસ્ટમાં પુત્ર જન્મને તેમનો સૌથી મોટો આશીર્વાદ ગણાવ્યો હતો.કરિશ્મા અને વરૂણે ફેબ્રુઆરી ૨૦૨૨માં નજીકના પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. એપ્રિલમાં કરિશ્મા અને વરૂણે મેટર્નિટી ફોટોશૂટ કરાવી તેમની તસવીરો પણ સોશ્યલ મિડિયા પર મુકી સંતાનનો જન્મ ઓગસ્ટમાં થવાની અટકળ કરી હતી. જાે કે પુત્રનો જન્મ…

Read More

અતિ ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત વલસાડ અને નવસારી જિલ્લાના વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને અન્ય અસરગ્રસ્તોને સુરત અને અમદાવાદની તરાહ પર જ આર્થિક સહાય ચૂકવવામાં આવશે, તેમ પ્રવક્તામંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વલસાડ અને નવસારી જિલ્લામાં નોધાયેલા અસાધારણ વરસાદને ધ્યાનમાં રાખી બંને જિલ્લાઓને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. વલસાડ ખાતે મીડિયા સાથેની મુલાકાતમાં પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખેતી અને બાગાયતી પાકોના નુકસાનનો તાત્કાલિક સર્વે કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારના ધોરણો મુજબ સહાય આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, ઘાસચારાની અછત દૂર કરવા કલેક્ટરને તાત્કાલિક નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી છે. અસરગ્રસ્તોને આ મહિનાથી જ રાશન…

Read More

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં થુલેટા ડેમ અંગે વિવિધ માધ્યમોમાં ચાલી રહેલા અહેવાલો સંદર્ભે કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું કે વિરમગામ તાલુકાના થુલેટા ગામે આવેલા ચેક ડેમના મૂળ સ્ટ્રક્ચરને કોઈ જ નુકસાન થયું નથી. વિરમગામ વિસ્તારમાં ૧૦ ઈંચ અને ઉપરવાસમાં ૮ ઈંચથી વધુ ભારે વરસાદને કારણે બંધમાં ક્ષમતા કરતાં બમણી પાણીની આવક થઈ હતી. સમયસર ગેટ ખોલવામાં આવ્યા હોવા છતાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ગેટ સ્ટ્રક્ચરની બાજુના પાળાનું ઓવરટોપિંગ થતાં પાળાનું થોડું ધોવાણ થયાનું શ્રી વર્માએ જણાવ્યું હતું. પરિણામે, તાત્કાલિકરૂપે તકેદારીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં આવેલાં પાંચ ગામને અગાઉથી જાણ કરીને સમયસર સુરક્ષિત સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના ત્વરિત પગલાંના કારણે કોઈ…

Read More

આજે આમ આદમી પાર્ટી માટે અને ગુજરાતની જનતા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે કારણ કે સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 3 સીટો પર જીત મેળવી છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આજે હું ગુજરાતની જનતાને ફરી એકવાર અભિનંદન આપવા માંગુ છું કારણ કે આપ સૌ જાણો છો કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની 8 સીટો પર પેટા ચૂંટણી થઈ અને આ 8માંથી 3 સીટો પર આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે. બિલોઠી તાલુકા પંચાયતની સીટ પર આમ આદમી પાર્ટી જીતી છે. આ સિવાય દેવગઢ બારીયાના નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મીડિયાના માધ્યમથી કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા E20 પેટ્રોલનો સખત વિરોધ દર્શાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પેટ્રોલમાં 80 ટકા સામાન્ય પેટ્રોલ અને 20 ટકા ઇથેનોલનું મિશ્રણ ભારતના નાગરિકો પર બળજબરીપૂર્વક થોપી દેવામાં આવ્યું છે. મધ્યમ વર્ગના લોકોએ મહેનતની કમાણીથી ખરીદેલી ગાડીઓમાં ઇથેનોલના કારણે એન્જિન ખરાબ થઈ રહ્યા છે અને વાહનોનું આયુષ્ય ઘટી રહ્યું છે, જે બાબત વાહન ઉત્પાદકો પણ સ્વીકારે છે. જો સરકારે E20 અમલી બનાવવું જ હતું તો જૂના વાહનોને ધ્યાનમાં રાખીને 10 થી 15 વર્ષનો સમય આપવાની જરૂર હતી. તેમણે જણાવ્યુ હતુ કે ખેડૂતોને ફાયદો, પ્રદૂષણ મુક્તિ અને તેલ આયાતમાં…

Read More

(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. સુરતના હ્રદયસમા ભાગળ જેવા ભરચક વિસ્તારમાં ચાર દિવસ પહેલા જ એક જર્જરિત મેડિકલ સ્ટોરની દુકાન તૂટી પડવાને કારણે મેડિકલ સ્ટોરના માલિકનું ઘટના સ્થળેજ મોત નીપજયું હતું. જ્યારે અન્ય એમના ભાઈ ને ગંભીર ઇજા થવા સાથે માંડ-માંડ એ બચી ગયા હતા. આમ જર્જરિત મેડિકલની દુકાન અને એની બાજુની પણ તૂટી પડેલી જર્જરિત મિલકતોને કારણે ફૂટપાથ પર ચાલનારાને કે દવા લેવા આવનાર ગ્રાહકો માટે પણ એ મેડિકલ સ્ટોર જોખમરૂપ હોવા છતાં શા માટે ઉતારી લેવામાં આવ્યો ન હતો? આવા તો અનેક સવાલો સુરતના અનેક જર્જરિત થઈ ગયેલા મકાનો માટે ઊભા થઈ રહ્યા છે. કારણકે જર્જરિત થઈને…

Read More