Author: Garvi Gujarat

પ્રસંગોને લઈને સામાજિક બંધારણ તૈયાર કરાયું.પંચમહાલ: કુરિવાજાે-ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની અનોખી પહેલસામાજિક પ્રસંગોમાં થતા ખોટા કુરિવાજાે, ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની ભદ્રાલા ગામે બેઠક યોજવામાં આવી.પંચમહાલના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની નવી લહેર જાેવા મળી છે. જેમાં સામાજિક પ્રસંગોમાં થતા ખોટા કુરિવાજાે, ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની ભદ્રાલા ગામે યોજાયેલી બેઠકમાં બંધારણ ઘડવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી સામે મધ્યમ અને ગરીબ વર્ગનો માણસ જ્યારે આર્થિક ભીંસ અનુભવી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની એક અનોખી પહેલ શરૂ થઈ છે. લગ્ન અને મરણ જેવા પ્રસંગોએ થતાં બિનજરૂરી ખર્ચ અને કુરિવાજાે દૂર કરી…

Read More

ગીરનારની તળેટીમાં હાલ મહાશિવરાત્રીના મેળાની ઉજવણી.ગીરનાર મહાશિવરાત્રીના મેળામાં ૧૧મીએ મૈથિલી ઠાકુર અને રાજભા ગઢવીની પ્રસ્તુતિ.ગાયિકા મૈથિલી ઠાકુર પોતાના સૂર રેલાવશે તથા લોકસાહિત્યકાર રાજભા ગઢવી પણ પ્રસ્તુતિ રજૂ કરવાના છે.ગીરનારની તળેટીમાં હાલ મહાશિવરાત્રીના મેળાની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે આ આયોજનમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાય તેવું આયોજન સરકારી તંત્રએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું કર્યું છે. જેમાં તારીખ ૧૧મી ફેબ્રુઆરીએ ગાયિકા મૈથિલી ઠાકુર પોતાના સૂર રેલાવશે તથા લોકસાહિત્યકાર રાજભા ગઢવી પણ પ્રસ્તુતિ રજૂ કરવાના છે, ત્યારે બંને કલાકારોએ આ શિવરાત્રી મેળામાં સહ પરિવાર ઉપસ્થિત રહેવા અપીલ કરી છે. જુનાગઢમાં ગીરનારની તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીના મેળામાં જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને…

Read More

ફોર્મ-૭ દ્વારા સાચા મતદારોને નિશાન બનાવવાનો આક્ષેપવડોદરામાં કોંગ્રેસનો ભાજપ-ચૂંટણી પંચ સામે આક્ષેપએક વ્યક્તિ પાસે અનેક EPIC આઈડી :ગોટાળાનો દાવો.વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ પત્રકાર પરિષદ યોજીને સત્તાધારી ભાજપ અને ઇલેક્શન કમિશન પર વોટ ચોરીનો ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે ડિજિટલ પ્રેઝન્ટેશન દ્વારા દાવો કર્યો છે કે, શહેરના સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ-૭નો દુરુપયોગ કરી એક મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, વડોદરા શહેર કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ ખોટા વાંધા ઉઠાવીને મતદારોને યાદીમાંથી બહાર કરવામાં આવી રહ્યા છે. શહેરની પાંચ વિધાનસભા બેઠકોમાં કુલ ૪૬,૨૬૬ મતદારોના નામ કમી…

Read More

૨૧૮ બોટલ જપ્ત, પુત્ર ફરાર.ભાજપ નેતાના ખેતરમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ!.વિંછીયામાં પોલીસના દરોડા, જિલ્લા પંચાયતના સદસ્ય સવિતાબેન વસાણીની વાડીમાં ધમધમતી હતી મિનિ ફેક્ટરી.રાજકોટના વિંછીયા તાલુકાના અમરાપુર ગામની સીમમાં આવેલી એક વાડીમાં રાજકોટ રૂરલ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે દરોડા પાડીને નકલી ઈંગ્લિશ દારૂ બનાવતી એક મિનિ ફેક્ટરી નો પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે જે ખેતરમાં આ ગોરખધંધો ચાલતો હતો, તે રાજકોટ જિલ્લા પંચાયતના પીપરડી બેઠકના ભાજપના મહિલા સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ સવિતાબેન વસાણીનું છે, જેના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે. પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે અમરાપુર ગામની સીમમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના…

Read More

ભારતીય રેલવેમાં ID ચકાસણી ફરજિયાત.બાંગ્લાદેશ અને નેપાળ સરહદના વિસ્તારોમાં રિઝર્વ ટ્રેનોમાં કડક નિયમો.મુસાફરી માટે ઓળખ પુરાવાની ચકાસણી ફરજિયાત રહેશે, આ પગલું સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે.રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે બાંગ્લાદેશ અને નેપાળ સહિત આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તારોમાં ચાલતી રિઝર્વ ટ્રેનોમાં મુસાફરી માટે ઓળખ પુરાવાની ચકાસણી ફરજિયાત રહેશે. આ પગલું સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે. અત્યાર સુધી ટ્રેનમાં નામ જણાવવામાં આવતાં અથવા તો સીટ નંબર કહેવામાં આવતાં પુષ્ટિ થઈ જતી હતી. જાેકે હવે જે નામની સીટ હશે એનુંt ID ચેક કરવામાં આવશે. જાે એક કરતાં વધુ વ્યક્તિ હોય તો કોઈ પણ એક વ્યક્તિની…

Read More

દર્દીઓને મળશે લાભ.સિવિલમાં હવે પેશાબની જટિલ સમસ્યાનું થશે ફ્રી અને સચોટ નિદાન.૧૨૦૦ બેડ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગની ઓપીડીમાં દર બુધવાર-શનિવારે દર્દીઓ આ સુવિધાનો લાભ મેળવી શકશે.અમદાવાદ સિવિલ હોસ્પિટલ વિવિધ ક્ષેત્રોમાં દર્દીઓ માટે ખુબ સુંદર કામ કરી રહી છે. હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે વિવિધ ટેક્નોલોજી પણ અપનાવવામાં આવી રહી છે. હવે સિવિલના યુરોલોજી વિભાગમાં ૫૫ લાખના ખર્ચે આધુનિક યુરોડાયનેમિક સ્ટડી સેવાની શરૂઆત કરવામાં આવી છે. યુરોડાયનેમિક સ્ટડી દ્વારા મૂત્રાશય અને મૂત્રનળી કેવી રીતે કાર્ય કરે છે તેની ચોક્કસ તપાસ શક્ય બનશે. યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહ જણાવે છે કે, “આ તપાસથી પેશાબની સમસ્યા ધરાવતા દર્દીને ચોક્કસ નિદાન મળે છે, જેના આધારે…

Read More

જાણો કઈ કૃષિયોજના પાછળ સૌથી ઓછો ખર્ચ.૨૦૨૫ના બજેટની ૬૦% રકમ નવ મહિને પણ ન વપરાઈ.૫૩ યોજનાઓમાંથી ૬ યોજનાઓ પર ૪૦%થી ઓછો ખચ.સરકારે આ નાણાકીય વર્ષમાં પોતાની સૌથી મોટી યોજનાઓ પર ૪૦% બજેટ જ ખર્ચ કર્યું છે. આ એ યોજનાઓ છે જેના માટે લગભગ ૫૦૦ કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું. આ યોજનાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સંયુક્ત રીતે ખર્ચ કરવાનો છે. આ યોજનાઓમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારો, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના સામેલ છે. આ ઉપરાંત મનરેગા અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના પર…

Read More

સિંધુ બાદ પાકિસ્તાનને વધુ એક ઝટકો.ચિનાબ નદી પર હાઈડ્રો પ્રોજેક્ટ માટે ભારત સરકારે ટેન્ડર જાહેર કર્યું.NHPC એ અંદાજે રૂ.૫,૧૨૯ કરોડ ના ખર્ચે તૈયાર થનારા સાવલકોટ હાઈડ્રો પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી.ભારત સરકારે પાકિસ્તાન સાથેના જળ વિવાદ અને સિંધુ જળ સંધિ (IWT) ના તણાવ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી મામલે એક મોટો વ્યૂહાત્મક પ્રહાર કર્યો છે. NHPC એ અંદાજે રૂ.૫,૧૨૯ કરોડ ના ખર્ચે તૈયાર થનારા સાવલકોટ હાઈડ્રો પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. NHPC દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડર મુજબ, આ આખો પ્રોજેક્ટ એક જ પેકેજ હેઠળ તૈયાર કરવામાં આવશે. જેમાં ડાઈવર્ઝન્ટ ટનલનું નિર્માણ, કોફર ડેમ, માંડિયા નાલા ડીટી…

Read More

બુમરાહ બાદ હવે ધાકડ બેટ્સમેન પડ્યો બીમાર.બેટ્સમેન અભિષેક શર્માની તબિયત અચાનક બગડી.મોહમ્મદ સિરાજે કહ્યું, “બધું બરાબર છે, તેને પેટમાં દુખાવો હતો અને તેથી જ તે ફિલ્ડિંગમાં આવ્યો ન હતો.સૂર્યકુમાર યાદવ એક મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો છે; તેમણે આગામી મેચ માટે પોતાના હીરોને બેન્ચ પર બેસાડવો પડી શકે છે. આ દરમિયાન, સમાચાર આવ્યા કે અભિષેક શર્માની તબિયત પણ બગડી ગઈ છે. નોંધનીય છે કે જસપ્રીત બુમરાહને પણ બીમારીને કારણે પહેલી મેચ ગુમાવી પડી હતી. ભારતીય ક્રિકેટ ટીમે ્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ની શાનદાર શરૂઆત શાનદાર જીત સાથે કરી હતી. પહેલી મેચમાં ટીમે યુનાઇટેડ સ્ટેટ્સને ૨૯ રનથી હરાવ્યું હતું. જાેકે, સૂર્યકુમાર…

Read More

રાજસ્થાન હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો.નીચ કહી દેવાથી ન લાગી શકે એસસી/એસટી એક્ટ.કોઈ વ્યક્તિને નીચ જેવા સામાન્ય અપમાનજનક શબ્દ કહી દેવાથી માત્ર એસસી/એસટી એક્ટ ઓટોમેટિક લાગૂ થતો નથી.રાજસ્થાન હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે કોઈ વ્યક્તિને નીચ જેવા સામાન્ય અપમાનજનક શબ્દો કહી દેવાથી એસસી/એસટી (અત્યાચાર નિવારણ) એક્ટ ઓટોમેટિક લાગૂ થતો નથી. જસ્ટિસ વીરેન્દ્ર કુમારે સ્પષ્ટ કર્યું કે આ કાયદો ત્યારે લાગૂ થાય છે, જ્યારે તે સાબિત થાય છે કે અપમાન ખાસ કરી જાતિના આધારે કરવામાં આવ્યું હતું અને આરોપીને પીડિતની જાતિની જાણકારી હતી. આ મામલો વર્ષ ૨૦૧૧મા આઈઆઈટી જાેધપુરથી જાેડાયેલા એક વિવાદ સંબંધિત છે. તે સમયે સરકારી અધિકારી અતિક્રમણની તપાસ માટે ઘટનાસ્થળે…

Read More