- સુરત મનપાને બોમ્બથી ઉડાવવાની ઈ-મેઈલ ધમકી, તપાસમાં અફવા સાબિત થતા પોલીસને રાહત
- ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપ સહિતની સિરપ દવાઓના વેચાણ પર કેન્દ્ર સરકારનો પ્રતિબંધ
- વડીયાના ખેડૂત મનસુખભાઈ સોજીત્રાની આત્મહત્યા મુદ્દે ગોપાલ ઇટાલીયાના ગંભીર આક્ષેપો
- અમદાવાદમાં ડોગ સેન્સસ શરૂ: શ્વાનોને યુનિક આઈડી, છતાં ડોગ બાઈટના કેસમાં ચિંતાજનક વધારો
- ચીન-જાપાન-ઇન્ડોનેશિયામાં ભૂકંપનો ત્રિપલ આંચકો: 40 મિનિટમાં 8 ઝટકા, ચીનમાં ઈમરજન્સી એલર્ટ
- શૂટિંગ જગત શોકમાં: જસપાલ રાણાના નિધન બાદ તેમની માતાનું પણ અવસાન, એક અઠવાડિયામાં પરિવાર પર દુખનો પહાડ
- મહારાષ્ટ્ર રાજકારણમાં ગરમાવો: ઉદ્ધવ જૂથના સાંસદ-શિંદે કેમ્પની મુલાકાતથી પક્ષપલટાની અટકળો તેજ
- નૌશેરા સેક્ટરમાં LoC પાસે માઇન બ્લાસ્ટ: JCO સહિત 4 સૈનિકો ઘાયલ, તપાસ શરૂ
Author: Garvi Gujarat
ભાગેડુ-કૌભાંડી મેહુલ ચોક્સીને મોટો ઝટકો.બેલ્જિયમની કોર્ટે પ્રત્યાર્પણ વિરોધી મેહુલ ચોક્સીની અરજી ફગાવી.કોર્ટે દલીલોને નબળી ગણાવતા સ્પષ્ટ કર્યું હતું કે પ્રત્યાર્પણ રોકવા ચોક્સી પાસે કોઈ કાનૂની કે તથ્યાત્મક આધાર નથી.હજારો કરોડ રૂપિયાના બેંકિંગ કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને વિદેશી ધરતી પરથી ભારત લાવવાના પ્રયાસોને મોટી સફળતા મળી છે. બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત, કોર્ટ ઓફ કેસેશન એ મેહુલ ચોક્સીની ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજીને ફગાવી દીધી છે. બેલ્જિયમની કોર્ટે મેહુલ ચોક્સીની દલીલોને નબળી ગણાવતા સ્પષ્ટ કર્યું હતું કે પ્રત્યાર્પણ રોકવા માટે ચોક્સી પાસે કોઈ કાનૂની કે તથ્યાત્મક આધાર નથી. કોર્ટે જણાવ્યું કે પ્રત્યાર્પણની આ પ્રક્રિયા ભારતીય કાયદાઓ અને યુરોપિયન માનવાધિકાર…
BMW F 450 GS ભારતમાં બનાવવામાં આવશે.જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જાેવા મળ્યા રાહુલ ગાંધી.રાહુલ ગાંધીએ BMW Welt અને મ્યુનિકમાં BMW પ્લાન્ટની મુલાકાત લીધી : ઉત્પાદન પ્રક્રિયાને નજીકથી જાેઈ.કોંગ્રેસ પાર્ટીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ફોટો શેર કર્યો છે, જેમાં રાહુલ ગાંધી જર્મનીના મ્યુનિકમાં BMW પ્લાન્ટમાં બાઇક પર બેઠા છે. આ બાઇક BMW F 450 GS છે, જે હજુ સુધી ભારતીય બજારમાં લોન્ચ થઈ નથી. આ ફોટાએ આ નવી BMW બાઇક વિશે ઘણી ચર્ચા જગાવી છે. ચાલો બાઇકના એન્જિન, પ્રદર્શન, ફીચર્સ અને કિંમત વિશે જાણીએ. આ અઠવાડિયે, રાહુલ ગાંધીએ BMW Welt અને મ્યુનિકમાં BMW પ્લાન્ટની મુલાકાત…
હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું.હું બુરખાની વિરુદ્ધ પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જાેઈએ.બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા મુસ્લિમ મહિલાનો હિજાબ ઉતારવાના કૃત્યને લઈને વિવાદ વધ્યા.બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની હરકતને લઈને હવે દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. સામાન્યથી સેલિબ્રિટીઝ નીતિશ કુમાર પાસે માફી માંગવાની માંગ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, ઝાયરા વસીમ, રાખી સાવંત અને સના ખાન અને હવે, જાવેદ અખ્તરે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે નીતિશ કુમાર પાસેથી માફીની માંગ કરતી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જાવેદ અખ્તરે એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું છે કે, “જે લોકો મને સહેજ…
AI વાળી ગાડી હાઈવેનું રાખશે ધ્યાન.રસ્તા પર ખાડો દેખાશે તો તેનો ફોટો ગડકરી સુધી પહોંચશે.આ આધુનિક નીતિ આગામી મહિનાની અંદર લાગુ થશે.કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના નેશનલ હાઈવે (NHs) ના ચહેરાને બદલવા માટે એક ક્રાંતિકારી છૈં યોજનાનું અનાવરણ કર્યું છે. હવે, માર્ગ જાળવણીમાં માનવીય બેદરકારી કે કોન્ટ્રાક્ટરની મનમાની ચલાવી લેવામાં આવશે નહીં. ગડકરીએ ગુરુવારે સંસદમાં માહિતી આપી હતી કે, સરકાર એક હાઇ-ટેક વાહન વિકસાવી રહી છે, જે પોતે રસ્તાઓનું નિરીક્ષણ કરશે અને સીધા મંત્રાલયને રિપોર્ટ મોકલશે. ગડકરીએ જણાવ્યું હતું કે, માણસોની જગ્યાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની વર્ચ્યુઅલ દેખરેખ રાખવામાં આવશે. આ હેતુ માટે એક ખાસ વાહન વિકસાવવામાં આવ્યું…
પંજાબમાં ફરી આમ આદમી પાર્ટીની પ્રચંડ લહેર!.પંજાબમાં સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના સૂપડાં સાફ.આ સરકારના કામનું ઈનામ છે : અરવિંદ કેજરીવાલ.પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની લહેર જાેવા મળી છે. કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ અને ભાજપ રેસમાં ઘણા પાછળ રહી ગયા છે. જિલ્લા પરિષદ અને પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૧ હજારનો આંકડો પાર કરી લીધો છે. ૫૦ ટકાથી વધુ જિલ્લા પરિષદમાં આમ આદમી પાર્ટીનું શાસન રહેશે. જિલ્લા પરિષદમાં ૩૪૬ ઝોન છે, જેમાંથી ૨૨માં તો આમ આદમી પાર્ટીનો નિર્વિરોધ વિજય થયો. બાકી ૩૨૪માંથી ૩૨૨ના પરિણામ જાહેર થયા છે. જેમાં ૨૦૧ પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. પંચાયત સમિતિની વાત કરીએ…
નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી.ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં ૮૭૦૨ કરોડ ટોલટેક્સનું ઉઘરાણું.વરસાદી પાણીથી નેશનલ હાઇવે પણ બાકાત રહી શક્યા ન હતા અમદાવાદથી હિંમતનગર સુધી નેશનલ હાઇવે ખખડધજ.ગુજરાતમાં કેટલાય ઠેકાણે નેશનલ હાઈવે બિસ્માર અવસ્થામાં છે પરિણામે વાહનચાલકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. ખખડધજ હાઇવે હોવા છતાંય વાહનચાલકો પાસેથી ટોલટેક્સનું ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં ટોલટેક્સ પેટે વાહનચાલકો પાસેથી કુલ મળીને રૂ. ૮૭૦૨ કરોડ જેટલી માતબર રકમ વસૂલાઇ છે. આ વખતે ભારે વરસાદને કારણે શહેર, જીલ્લા ઉપરાંત હાઈવે પણ ધોવાયા હતા. રસ્તાની દુર્દશાને કારણે સરકાર પર ચારેકોરથી માછલાં ધોવાયા હતા, પરિણામે રાજ્ય સરકારે રસ્તાની મરામતને લઈને આદેશ આપવા…
વપક્ષે શિવરાજ સિંહ પર ફેંક્યા કાગળના ટુકડા.ભારે વિરોધ વચ્ચે લોકસભામાંથી પસાર થયું “જી રામ જી” બિલ.વિપક્ષે સરકાર પર મહાત્મા ગાંધીનું અપમાન કરવાનો અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમના પ્રાવધાનોને નબળા પાડવાનો આરોપ લગાવ્યો.અત્યારે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આજે સંસદમાં વિપક્ષનો જાેરદાર હોબાળો જાેવા મળી રહ્યો છે, કારણ કે સદનમાં જી રામ જી બિલ રજૂ કરવામાં આવ્યું હતું. લોકસભામાં ગુરુવારે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (VB-G RAM G) બિલ, ૨૦૨૫ પાસ થઈ ગયું છે. જાેકે, આ દરમિયાન વિપક્ષી સાંસદોએ જાેરદાર હોબાળો મચાવ્યો. વિપક્ષે સરકાર પર મહાત્મા ગાંધીનું અપમાન કરવાનો અને મહાત્મા ગાંધી…
આંશિક ઉપાડની સંખ્યા ૩થી વધારી ૪ કરાઈ.NPSના નિયમોમાં ફેરફાર, હવે ૮૦% ભંડોળ ઉપાડી શકાશે.૬૦ વર્ષની નિવૃત્તિ વય પછી ઓછામાં ઓછા ત્રણ વર્ષના સમયગાળા સાથે ત્રણ વખત આંશિક ઉપાડની મંજૂરી પણ અપાઈ. પેન્શન નિયમનકારી સંસ્થા PFRDAએ નિયમોમાં સુધારો કરીને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ના બિન-સરકારી સબ્સ્ક્રાઇબર્સને એક્ઝિટ સમયે અથવા પેન્શન એકાઉન્ટ બંધ કરતી વખતે કુલ જમા ભંડોળના ૮૦ ટકા સુધીની રકમ ઉપાડવાની મંજૂરી આપી છે. અગાઉ ઉપાડની આ મર્યાદા ૬૦ ટકા હતી. ઉપાડની આ મર્યાદામાં વધારો કરવાથી NPS સબ્સ્ક્રાઇબર્સને તેમની જરૂરિયાતો અનુસાર જમા ભંડોળનો ઉપયોગ કરવા માટે વધુ સ્વતંત્રતા મળશે.અગાઉ પેન્શન એકાઉન્ટ બંધ કરવાના સમયે મહત્તમ ૬૦ ટકા રકમ જ ઉપાડી શકાતી…
આતંકી પિતાનું મોત : આરોપી નવીદ પોલીસની ગોળી વાગતા કોમામાં ગયો હતા.ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચનો આતંકી કોમામાંથી બહાર આવતા ધરપકડ.ઓસ્ટ્રેલિયામાં ૧૯૯૬માં પોર્ટ આર્થરની ઘટના બાદ ગન કંટ્રોલનો નિયમ આવ્યો હતો.ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચના આતંકવાદી હુમલાનો આરોપી આઇએસ સમર્થક નાવીદ અક્રમ કોમામાંથી બહાર આવતા પોલીસે તરત જ તેની ધરપકડ કરી છે. પોલીસ ગોળીબારમાં તેના પિતા સાજિદ માર્યા ગયા હતા. તપાસકર્તાઓનું કહેવું છે કે કાયદાકીય પ્રક્રિયા આગળ વધારતા પહેલા નાવીદ તે સમજી શકે તે સુનિશ્ચિત કરવા માંગતા હતા. નવીદ અક્રમે પિતા સાજીદ સાથે મળીને રવિવારે સિડનીના બોન્ડી બીચ પર હુમલો કર્યાે હતો. તેમા ૧૫ ના મોત થયા હતા અને ૪૦ લોકો ઇજા પામ્યા હતા.…
અગાઉ ૧૯ દેશોના નાગરિકો પર પ્રવેશબંધી હતી.ટ્રમ્પે વધુ વીસ દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો.બાઈડન પ્રશાસના અફઘાન પુનર્વસન કાર્યક્રમ અંતર્ગત અમેરિકા આવનાર અફઘાન નાગરિકે વોશિંગ્ટનમાં નેશનલ ગાર્ડ પર કરેલા ગોળીબાર પછી નિયમો સખત બનાવવાનો ર્નિણય લેવાયા.ટ્રમ્પ પ્રશાસને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતિના નામે પ્રવાસ પ્રતિબંધોનો વ્યાપ વધારીને વીસ નવા દેશો તેમજ પેલેસ્ટાઈન ઓથોરિટી સાથે સંકળાયેલ દસ્તાવેજ ધારકો પર કડક નિયંત્રણો લગાવ્યા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવું ઘોષણાપત્ર જારી કરીને જણાવ્યું છે કે જે દેશોમાં સુરક્ષા, ઓળખ અને સૂચનાઓના આદાન-પ્રદાનની વ્યવસ્થા સતત નબળી અને અપર્યાપ્ત હોય તેના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ પર નિયંત્રણ લગાવવા જરૂરી છે. આવા દેશોમાં પ્રવર્તમાન આતંકવાદી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



