- NALSARના દીક્ષાંતમાં CJI સૂર્યકાંતને આમંત્રણનો વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ, કહ્યું- અમને સ્વીકાર્ય નથી
- લોકશાહીમાં વિરોધ નહીં, સંવાદ જરૂરીઃ સરકાર પ્રજાની વાત નહીં સાંભળે તો વિશ્વાસ ગુમાવશે
- જનાર્દન મિશ્રાનું વિવાદિત નિવેદનઃ ‘શુદ્ધ પેટ્રોલ શું તમારા બાપના ઘરેથી આવશે?’
- તરૂણ તેજપાલ કેસ પર વિશાલ ભારદ્વાજની ફિલ્મ, ‘રાશોમોન’ સ્ટાઇલમાં રજૂ થશે કથા
- કીર્તિ સુરેશના ડાન્સ નંબર પર ટ્રોલિંગ, એક્ટ્રેસે આપ્યો મજેદાર જવાબ
- બાબિલ ખાનઃ ‘દરરોજ સવારે મને ગમતું કામ કરવાની તક મળે છે, આનાથી વધુ શું માગું?’
- કાજલ અગ્રવાલઃ ‘રામાયણ’થી વિશ્વ સમક્ષ ભારતની ઓળખ રજૂ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે
- સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ, 29 ઓગસ્ટ સુધી પ્રકૃતિ-સંસ્કૃતિનો સંગમ જામશે
Author: garvigujrat
પત્રમાં સંભવિત નાણાકીય નુકસાનનો ઉલ્લેખ કરાયો હતો શ્રીલંકન ક્રિકેટ બોર્ડે PCB પત્ર લખીને પુનર્વિચાર કરવા વિનંતી કરી હજુ પણ પાકિસ્તાને ભારત સામે નહીં રમવાની વાત પર પિન ચોંટાડી રાખી હોવાની વાત સામે આવી રહી છે. કોલંબોમાં ભારત-પાકિસ્તાન ્૨૦ વર્લ્ડ કપ મેચ યોજવાની શક્યતાઓ ધૂંધળી બની રહી છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પત્ર લખીને નાણાકીય નુકસાનનો ઉલ્લેખ કર્યો હતો. જાેકે, હજુ પણ પાકિસ્તાને ભારત સામે નહીં રમવાની વાત પર પિન ચોંટાડી રાખી હોવાની વાત સામે આવી રહી છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડના છેલ્લા પ્રયાસો છતાં, કોલંબોમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન ્૨૦ વર્લ્ડ કપ મેચ યોજવાની શક્યતાઓ ધૂંધળી દેખાઈ રહી છે. પાકિસ્તાન…
ISRO ના ચીફ વી. નારાયણનએ જાહેરાત કરી ૨૦૨૭માં ગગનયાન અને ૨૦૨૮ સુધી અંતરિક્ષ યાત્રીને ચંદ્રયાન મિશન પર મોકલવામાં આવશે ISRO ના ફરી ઉપયોગ કરી શકાય એવા લોન્ચ વ્હીકલ ટેકનોલોજી પર ફોકસ કરવામાં આવી રહ્યું હોવાની વાત કરી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા હાલમાં ઘણાં મહત્ત્વાકાંક્ષી અંતરિક્ષ મિશન માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ISRO ના ચીફ વી. નારાયણનએ જાહેરાત કરી છે કે ૨૦૨૭માં ગગનયાન કાર્યક્રમ શરૂ કરવામાં આવશે અને ૨૦૨૮ સુધી ચંદ્રયાન-૪ અને ચંદ્રયાન-૫ના માનવયુક્ત મિશન હાથ ધરવામાં આવશે. વી. નારાયણનનું આ વિશે કહેવું છે કે ‘આ પ્રોજેક્ટો પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ કરવામાં આવી રહ્યા છે.’ વી. નારાયણનએ જણાવ્યું…
રેપો રેટ ૫.૨૫% પર પર યથાવત ઇમ્ૈં ઇીॅર્ ઇટ્ઠંી: રેપો રેટમાં કોઇ ફેરફાર ન કરાયો ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, સમિતિએ સર્વાનુમતે વ્યાજ દરો યથાવત રાખવાનો ર્નિણય લીધો અને રેપો રેટ ૫.૨૫% પર રાખ્યો છે રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ ગુરુવાર, ૬ ફેબ્રુઆરીના રોજ નાણાકીય નીતિની જાહેરાત કરી. ૪ ફેબ્રુઆરીથી શરૂ થયેલી નાણાકીય નીતિ સમિતિની બેઠક આજે પૂર્ણ થઈ અને લેવામાં આવેલા ર્નિણયોની જાહેરાત કરવામાં આવી. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, સમિતિએ સર્વાનુમતે વ્યાજ દરો યથાવત રાખવાનો ર્નિણય લીધો અને રેપો રેટ ૫.૨૫% પર રાખ્યો છે. ૨૦૨૫માં, રિઝર્વ બેંકે રેપો રેટમાં ૧૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. ડિસેમ્બર પોલિસી મીટિંગમાં,…
2026 T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હર્ષિત રાણા આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે ટી20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ખેલાડી હર્ષિત રાણા ઈજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. વર્લ્ડ કપ પહેલા રાણા ઉત્તમ ફોર્મમાં હતો 2026 T20 વર્લ્ડ કપ શરૂ થવાને થોડા કલાકો બાકી છે ત્યારે, ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ માટે સંપૂર્ણપણે તૈયાર છે, પરંતુ ખરાબ સમાચાર સામે આવ્યા છે, જે ભારતીય ચાહકો અને ટીમ બંને માટે મોટો ફટકો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હર્ષિત રાણા ઈજાને કારણે આખા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. વર્લ્ડ કપ પહેલા ટીમ…
ICC કોમેન્ટ્રી પેનલમાં 8 મહિના પહેલા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચેમ્પિયન બનેલા કેપ્ટનોનો સમાવેશ T20 વર્લ્ડ કપ 2026 માટે , ICC એ તેના કોમેન્ટ્રી પેનલમાં એક ખેલાડીનો સમાવેશ કર્યો છે જેણે તાજેતરમાં તેની કેપ્ટનશીપ હેઠળ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી છે ICC એ આગામી T20 વર્લ્ડ કપ માટે તેની પ્રસારણ યોજનાઓ જાહેર કરી છે. આ વર્ષના કવરેજમાં ફક્ત આધુનિક ટેકનોલોજી જ નહીં પરંતુ વિશ્વભરના દિગ્ગજ ક્રિકેટરોના અવાજો પણ દર્શાવવામાં આવશે. ICC ટીવી દરેક મેચનું લાઇવ પ્રસારણ સુનિશ્ચિત કરશે , જેનાથી ચાહકોને તેમના ઘરના આરામથી ખરેખર મેદાન પરનો અનુભવ મળશે. વર્લ્ડ કપની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ રમાશે અને ફાઇનલ 8 માર્ચે…
લોન રિકવરી એજન્ટો તમને હેરાન કરી શકશે નહીં , RBI એ કડક નિયમો કર્યા RBI ના નવા નિયમો: ભારતીય રિઝર્વ બેંકે ગ્રાહકોની સુવિધા માટે ઘણા નિયમો પ્રસ્તાવિત કર્યા છે. આ નિયમો બેંકિંગ છેતરપિંડી અને લોન વસૂલાત એજન્ટો સાથે સંબંધિત છે જો કોઈ લોન રિકવરી એજન્ટ ગ્રાહકોને તેમના પૈસા વસૂલવા માટે હેરાન કરશે, તો તેઓ મુશ્કેલીમાં મુકાશે. ભારતીય રિઝર્વ બેંક ( RBI) એ ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે એક મોટું પગલું ભર્યું છે. આજે, શુક્રવાર, 6 ફેબ્રુઆરી , 2026 ના રોજ મળેલી નાણાકીય નીતિ સમિતિ ( MPC)ની બેઠક બાદ , રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી કે ગ્રાહકોને વધુ સારી સુરક્ષા…
પલાશને વાર્તાનો પોતાનો પક્ષ રજૂ કરવા દો સ્મૃતિ મંધાનાએ ક્યારેય કહ્યું નથી કે પલાશે છેતરપિંડી કરી પલાશ મુછલ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના સાથે લગ્ન કરવાના હતા. સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના લગ્ન કેમ તૂટી ગયા તેના પર નંદીશ સંધુએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે ગાયક અને સંગીતકાર પલાશ મુછલ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના સાથે લગ્ન કરવાના હતા. જાેકે, લગ્ન અચાનક રદ કરવામાં આવ્યા હતા. પાછળથી એવું અહેવાલ આવ્યું હતું કે સ્મૃતિના પિતા ગંભીર રીતે બીમાર હતા, જેના કારણે લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા.થોડા…
ફિલ્મ પર સ્ટે લાવવા માટે દિલ્હી હાઇ કોર્ટમાં પિટિશન કરાઈ મનોજ બાજપેયીની ‘ઘૂસખોર પંડત’ને રોકવા માટે પિટિશન દાખલ કરાઈ ‘ઘૂસખોર પંડત’ એક વન-નાઈટ થ્રિલર છે, જે ભ્રષ્ટ અને નૈતિક રીતે ખોખલા પોલીસ અધિકારી અજય દિક્ષિતની વાર્તા રજૂ કરે છે મનોજ બાજપેયી અને નીરજ પાંડેની આવનારી ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ રિલીઝ પહેલાં કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારનો દાવો છે કે ફિલ્મનું નામ એક ચોક્કસ ધાર્મિક સમુદાય અને તેની પરંપરાઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે.મનોજ બાજપેયી અને નીરજ પાંડે ફરી એકવાર ક્રાઇમ થ્રિલર સાથે પાછા આવ્યા છે. ‘ઘૂસખોર પંડત’ નામની…
નેટફ્લિક્સની સિરીઝ ‘કર્તવ્ય’માં સૈફ અલી ખાન સાથે જાેવા મળશે લલ્લનટોપના જાણીતા પત્રકાર સૌરભ દ્વિવેદીનું એક્ટિંગમાં ડેબ્યુ ‘કર્તવ્ય’ એક એવા પોલીસ અધિકારીની કહાની છે, જે પોતાના પરિવારની સુરક્ષા જાેખમમાં મુકાય ત્યારે ગંભીર નૈતિક અસમંજસનો સામનો કરે છે જાણીતા પત્રકાર સૌરભ દ્વિવેદીએ લલ્લનટોપ છોડ્યાની વાત ખુબ વાયરલ થઈ ગઈ હતી. સૌરભ દ્વિવેદી હવે અભિનય ક્ષેત્રમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. નેટફ્લિક્સની ૨૦૨૬ની કન્ટેન્ટ સ્લેટ અનુસાર, દ્વિવેદી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત આવનારી નેટફ્લિક્સ સિરીઝ ‘કર્તવ્ય’થી કરશે. આ સિરીઝમાં તે સૈફ અલી ખાન અને રસિકા દુગલ સાથે મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. નેટફ્લિક્સે ઇન્સ્ટાગ્રામ પર સિરીઝના કેરેક્ટર્સનું પોસ્ટર્સ શેર કરતા લખ્યું, “ધર્મ અને કર્મના યુદ્ધમાં,…
જેક્લિને કાશીને કલ્પનાથી પણ સુંદર અને શાંત ગણાવ્યું જૅક્લિન ફનાર્ન્ડિસે વારાણસી પ્રવાસ દરમિયાન ચાટ ખાવાની ઈચ્છા પૂરી કરી સોશિયલ મીડિયા પર પોતાની આધ્યાત્મિક ઝલક શેર કરતા જૅક્લિન કારમાં બેઠેલી સેલ્ફી લેતી જાેવા મળી હતી અભિનેત્રી જૅક્લિન ફનાર્ન્ડિસે તાજેતરમાં કામમાંથી થોડો સમય કાઢીને પવિત્ર શહેર વારાણસીની મુલાકાત લીધી. આ પ્રવાસ દરમિયાન જૅક્લિને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો.સોશિયલ મીડિયા પર પોતાની આધ્યાત્મિક ઝલક શેર કરતા જૅક્લિન કારમાં બેઠેલી સેલ્ફી લેતી જાેવા મળી હતી. બ્લશ-પિંક રંગના સલવાર-સૂટ સાથે હળવા મેકઅપમાં જૅક્લિન ફોટોમાં પાઉટ કરતી જાેવા મળે છે. આ તસવીરને તેણે “વારાણસી” લખી અને તેની સાથે સફેદ દિલનું ઇમોજી મૂક્યું હતું.તેનાં કપાળ પર…




