Author: Garvi Gujarat

હાઈકોર્ટમાં કેરળ સરકારે કહ્યુંમુસ્લિમ છોકરીને હિજાબની ના પાડવી એ તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘનહિજાબ પહેરીને ક્લાસમાં જવાની પરવાનગી પડકારાઈકેરળમાં પલ્લુરુથીમાં આવેલી ચર્ચ સંચાલિત સેન્ટ રીટા પબ્લિક સ્કૂલની અરજીના જવાબમાં દાખલ કરાયેલા સોગંદનામામાં કેરળ સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે, મુસ્લિમ છોકરીને શાળામાં હિજાબ પહેરવાની પરવાનગી ન આપવી, તે તેની પ્રાઇવસી અને ગરિમા પર હુમલો ગણાશે. વધુમાં, આ કૃત્ય બિનસાંપ્રદાયિક શિક્ષણ મેળવવાના તેના અધિકારનો ઇનકાર કરવા સમાન છે. સરકારે સ્પષ્ટતા કરી કે છોકરીનો હિજાબ પહેરવાનો અધિકાર, જે તેને ઘરમાં અને ઘરની બહાર મળેલ છે, તે શાળાના દરવાજા પર સમાપ્ત થતો નથી. શાળા દ્વારા અરજીમાં સામાન્ય શિક્ષણ વિભાગના તે નિર્દેશને પડકારવામાં આવ્યો હતો, જેમાં મુસ્લિમ…

Read More

અશોક ગેહલોતે કરી જાહેરાતમહાગઠબંધનના ઝ્રસ્ ચહેરા તરીકે તેજસ્વી યાદવનું નામ જાહેરકોંગ્રેસના નેતાએ સંયુક્ત પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી : મુકેશ સાહની નાયબ મુખ્યમંત્રીનો ચહેરો બનશેબિહાર ચૂંટણી માટે તેજસ્વી યાદવ મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો હશે. અશોક ગેહલોતે આ જાહેરાત કરી છે. તેમણે દ્ગડ્ઢછને તેમના નેતા કોણ હશે તે જાહેર કરવા પણ કહ્યું. તેમણે હવે નક્કી કરવું જાેઈએ કે મુખ્યમંત્રીપદનો ચહેરો કોણ હશે. અશોક ગેહલોતે કહ્યું કે દેશભરમાં પરિસ્થિતિ ગંભીર છે. જે કોઈ ટીકા કરે છે તેને જેલમાં જવું પડે છે, પછી ભલે તે પત્રકાર હોય કે કાર્યકર્તા. દરેક વ્યક્તિ પરિવર્તન ઇચ્છે છે અને આપણે આ જાહેર ભાવનાને સમજવી જાેઈએ. મલ્લિકાર્જુન ખડગે અને…

Read More

પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ધ્વજારોહણરામ મંદિરના શિખર પર મોદી ફરકાવશે ૨૨ ફૂટનો ધર્મ ધ્વજપીએમ મોદી ૨૫ નવેમ્બરે રામ મંદિરના ૧૬૧ ફૂટ ઊંચા શિખર પર ૨૨ટ૧૧ ફૂટનો ભગવો ધ્વજ ફરકાવશેઅયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કાર્યક્રમની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હશે અને આગામી ૨૫ નવેમ્બરે રામ મંદિરના શિખર પર ૨૨ ફૂટ લાંબી અને ૧૧ ફૂટ પહોળી ધજા ફરકાવશે. આ સમારોહ પ્રાણ પ્રતિષ્ઠાની જેમ ભવ્ય હશે અને રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાનું પ્રતીક પણ હશે. અયોધ્યામાં આ આયોજન માટે ૨૫ નવેમ્બરે વરિષ્ઠ ભાજપ નેતાઓનો જમાવડો જાેવા મળશે, જે…

Read More

વિરાટ કોહલીએ મોટો રેકોર્ડ તોડ્યોકોહલી બન્યો વન ડેમાં સૌથી વધુ રન બનાવનારો બીજા નંબરનો બેટ્સમેનત્રીજી મેચમાં વિરાટ કોહલીએ વન ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાના મામલામાં સંગાકારાને પાછળ રાખી દીધોભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન વિરાટ કોહલીએ સતત બે મેચમાં ફ્લોપ રહ્યા બાદ જબરદસ્ત વાપસી કરી હતી. વર્લ્ડ ક્રિકેટમાં હવે ખાલી સચિન તેંદુલકર જ એક એવા બેટ્સમેન છે, જે રનની બાબતમાં કોહલીથી આગળ છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી મેચમાં વિરાટ કોહલીએ વન ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાના મામલામાં શ્રીલંકાના પૂર્વ કપ્તાન કુમાર સંગાકારાને પાછળ રાખી દીધા છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચોની વન ડે સિરીઝની પહેલી બે મેચમાં ખાતું ખોલાવ્યા વિના પરત…

Read More

ઈન્ટરનેટ પર સજાેડે ફોટા શેર કર્યા.સામંથાએ બોયફ્રેન્ડ રાજ નિદિમોરુ સાથે દિવાળી મનાવી નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા બાદ સામંથા અને રાજ વચ્ચે અફેર ચાલતું હોવાનું લાંબા સમયથી ચર્ચાય છેસામંથા રુથ પ્રભુએ તેના બોયફ્રેન્ડ અને પ્રોડયૂસર રાજ નિદિમોરુ સાથે દિવાળી મનાવી હતી. સામંથાએ તેના સપરિવાર દિવાળી ઉજવતા ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. તેમાં તેની અને રાજની તસવીરોએ ચાહકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા બાદ સામંથા અને રાજ વચ્ચે અફેર ચાલતું હોવાનું લાંબા સમયથી ચર્ચાય છે. જાેકે, સામંથા કે રાજ બેમાંથી કોઈએ આ અફેરની પુષ્ટિ ક્યારેય કરી નથી. જાેકે, સામંથાએ દિવાળી જેવા પર્વ ટાણે બોયળેન્ડ સાથે ઉજવણીના ફોટા…

Read More

મારી દિવાળી શાંતિ અને ઘરે બનેલાં ભોજનવાળી રહી.અમે હંમેશા પૂજા સાથે શરૂઆત કરતા હતા પછી તેમાં પરિવારની મજાક મસ્તી ચાલતી : વાણી કપૂરએક તરફ બોલિવૂડમાં દિવાળી પાર્ટીની ધૂમ મચી છે, ત્યારે બીજી તરફ કેટલાંક કલાકારો એવા પણ છે, જેમને દિવાળી પર શાંતિથી ઘરમાં રહીને ઘરે બનેલું ભોજન લેવું ગમે છે. એક્ટ્રેસ વાણી કપૂરે પણ આવી જ દિવાળીની વાત કરતા પોતાની બાળપણની દિવાળીની યાદો પણ તાજી કરી હતી. વાણીએ કહ્યું,“આ વખતે મારી ઇચ્છા ઘરમાં અને મિત્રો સાથે ઘરે બનાવેલું ભોજન ખાવાની શાંતિપૂર્વકની દિવાળી ઉજવવાની છે. આ વખતે કોઈ કાર્યક્રમો અને પાર્ટીમાં જવાનું દબાણ નથી. મને લાગે છે, ખરી દિવાળીની ઉજવણી, ઉશ્મા…

Read More

આમિર, શાહરુખ અને સલમાન ખાને એક મંચ પરથી ઐતિહાસિક મજા કરાવી.અમે ત્રણ એક ફિલ્મમાં હોઇએ એ જ એક સપનું છે : શાહરુખ“સલમાન ભાઈ અરેબિક શીખી રહ્યા છે. હું ડાન્સ શીખું છું અને આમિર હવે એક ગીત માટેનું ઓડિશન આપવાનો છે”શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સાઉદી અરેબિયાના રિઆદમાં યોજાયેલા જાેય ફોરમ ૨૦૨૫ના કાર્યક્રમમાં એકસાથે હાજર રહ્યા હતા. તેમણે એકબીજાના વખાણ કર્યા, એકબીજાને સપોર્ટ કર્યાે અને ઓડિયન્સને એવી મજા કરાવી કે લોકો માટે આ કાર્યક્રમ ઐતિહાસિક બની ગયો હતો.આ કાર્યક્રમમાં શાહરુખ ખાને કહ્યું, “સલમાન ભાઈ અરેબિક શીખી રહ્યા છે. હું ડાન્સ શીખું છું અને આમિર હવે એક ગીત માટેનું ઓડિશન…

Read More

૧૩ માર્ચ ૨૦૨૬ના રોજ આ ફિલ્મ રિલીઝ થશે.સન્ની દેઓલે નવી ફિલ્મ ‘ગબરુ’ની જાહેરાત કરી.આ પહેલાં સન્ની દેઓલ ગોપીચંદ માલીનેનીની ફિલ્મ ‘જાટ’માં જાેવા મળ્યો હતો, જેમાં તેની સાથે રણદીપ હૂડા પણ હતોએક તરફ સન્ની દેઓલની ‘બોર્ડર ૨’ની રાહ જાેવાઇ રહી છે, ત્યારે પોતાના ૬૮મા જન્મ દિવસે વધુ એક નવી ફિલ્મની જાહેરાત કરી છે, ‘ગબરુ’. આ ફિલ્મ શશાંક ઉદાપુરકરે લખી અને ડિરેક્ટ કરી છે. તેમજ ૧૩ માર્ચ ૨૦૨૬ના રોજ આ ફિલ્મ રિલીઝ થશે. સન્ની દેઓલે ફિલ્મનું મોશન પોસ્ટર શેર કરીને ફૅન્સને આ સમાચાર આપ્યા હતા. તેણે આ ફિલ્મની સ્ટોરીને ‘હિંમત, અંતરાત્મા અને કરુણાની ફિલ્મ’ ગણાવી હતી.આ ફિલ્મ ઓમ છાંગાણી અને વિશાલ રાણા…

Read More

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 24 ઓક્ટોબર, 2025ના રોજ અમદાવાદ સહિત દેશભરના 40 સ્થળોએ યોજાયેલા રોજગાર મેળામાં સરકારી વિભાગોમાં નવી નિમણૂક મેળવનાર ઉમેદવારોને 51,000 થી વધુ નિમણૂક પત્રો આપવામાં આવ્યા. આ અવસરે પ્રધાનમંત્રીએ વિશેષ વીડિયો સંદેશા મારફતે નવી નિમણૂક મેળવનાર યુવાઓને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. આ શ્રેણીમાં, અમદાવાદના સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક સભાગૃહ ખાતે પોસ્ટ વિભાગના નેજા હેઠળ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. મુખ્ય અતિથિ તરીકે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્યમંત્રી (ભારત સરકાર) શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, અને ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર…

Read More

કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વીય વિસ્તાર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયાની અધ્યક્ષતામાં એકતાનગર SRP ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલન યોજાયું. કેન્દ્રીય મંત્રીશ્રીનું એકતાનગર ખાતે આગમન થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત અરોરા, નાયબ વન સંરક્ષકશ્રી અગ્નિશ્વર વ્યાસ, જિલ્લા સંગઠનના અગ્રણીશ્રી નીલભાઈ રાવ, મદદનીશ કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર, નાયબ કલેક્ટર(પ્રોટોકોલ) શ્રી એન.એફ.વસાવા તથા પોસ્ટ વિભાગના અધિકારીશ્રીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉપસ્થિત ગ્રામિણ ડાક સેવકોને પરિવારના સભ્યો ગણાવતા જણાવ્યું કે, એકતાનગરની આ ભૂમિ જ્યાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થાપિત છે, ભારત માતાના…

Read More