- NEET મુદ્દે ઈસુદાન ગઢવીની અપીલ, ગુજરાતના યુવાનોને કાળી પટ્ટી સાથે વિરોધ દર્શાવવા આહ્વાન
- મધ્યપ્રદેશ વિધાનસભામાં UCC બિલ પસાર, લિવ-ઇન નોંધણી અને બહુપત્નીત્વ અંગે નવી જોગવાઈઓ
- દિલજીત દોસાંઝ સહિત કલાકારો વિદ્યાર્થીઓના સમર્થનમાં, પોલીસ કાર્યવાહી સામે ઉઠ્યો વિરોધનો સૂર
- NEET પેપર લીક મુદ્દે સંસદમાં ચર્ચા, મોદી સરકારનો દાવો: ભવિષ્ય માટે ફૂલ-પ્રૂફ પરીક્ષા સિસ્ટમ બનાવાશે
- વાહન માલિકી તબદીલી અને NOC માટે આધાર લિંક ફરજિયાત, પરિવહન પોર્ટલ પર નવી વ્યવસ્થા લાગુ
- વૈજ્ઞાનિક અભ્યાસનો ખુલાસો: મોબાઇલ ફોનથી બ્રેઇન કેન્સર થવાના કોઈ પુરાવા મળ્યા નથી
- સરકારનો સંસદમાં જવાબ: E20 પેટ્રોલથી એન્જિન નુકસાનના પુરાવા નથી, શુદ્ધ પેટ્રોલ નહીં મળે
- મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો, ઈરાન-અમેરિકા અથડામણથી ક્રૂડ ઓઈલ 88 ડોલરને પાર
Author: garvigujrat
હવામાન વિભાગની આગાહી.બંગાળની ખાડી બાદ હવે હિન્દ મહાસાગરમાં તોફાનના ભણકારા.તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં મોટા પાયે વરસાદ અને ભારે હવાઓનું અનુમાન લગાવતા એલર્ટ જાહેર.હવામાન વિભાગે જણાવ્યું કે, મધ્ય હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીની ઉપર બનેલા એક એટમોસ્ફેરિક સર્કુલેશનના કારણે ૫ જાન્યુઆરીની સાંજે ૫.૩૦ વાગ્યે દક્ષિણ-પૂર્વી બંગાળની ખાડી અને ભૂમધ્ય રેખીય હિન્દ મહાસાગરની ઉપર લો પ્રેશરનું ક્ષેત્ર બની ગયું છે. ૬ જાન્યુઆરીની સવાર ૫.૩૦ વાગ્યા સુધી આ સિસ્ટમ ગાઢ ડિપ્રેશનમાં બદલાઈ ગયું અને તે વિસ્તારમાં બનેલું છે. આશા છે કે આ સિસ્ટમ ૭ જાન્યુઆરીના રોજ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર વધારે મજબૂત થઈને લો પ્રેશરનું ક્ષેત્ર બની જશે.…
સરકારનો અંદાજ RBI ના અંદાજ કરતા વધારે.નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં GDP વૃદ્ધિ દર ૭.૪% રહેવાની ધારણા.સરકારનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ભારતનો GDP વૃદ્ધિ દર વધીને ૭.૪ ટકા થઈ શકે છે. આ મુખ્યત્વે ઉત્પાદન અને સેવા ક્ષેત્રોના સુધારેલા પ્રદર્શનને કારણે છે. આ GDP વૃદ્ધિ અંદાજ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને અટકેલા ભારત-અમેરિકા વેપાર કરાર છતાં ભારતીય અર્થતંત્રની મજબૂતાઈને પ્રતિબિંબિત કરે છે. આ નવીનતમ સરકારી અંદાજ પાછલા નાણાકીય વર્ષ કરતા ૦.૯ ટકા વધારે છે. એ નોંધવું જાેઈએ કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં દેશનો GDP વૃદ્ધિ દર ૬.૫ ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષ માટે દેશના GDP વૃદ્ધિ દરનો આ…
ધ રાજા સાહેબ ફિલ્મમાં ઝરીના જાેવા મળશે.હિન્દી ફિલ્મોમાં પરિવાર ખતમ થઈ ગયા : ઝરીના વહાબ.પ્રભાસ અભિનીત ફિલ્મ ધ રાજા સાહેબની રિલીઝ તારીખ ભૂતકાળમાં ઘણી વખત બદલાઈ ગઈ છે.એક સમય હતો જ્યારે દક્ષિણ ભારતીય કલાકારો હિન્દી સિનેમા તરફ વળતા હતા. પરંતુ સમય બદલાઈ ગયો છે, અને હવે વધુ બોલિવૂડ સેલિબ્રિટીઓ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરતી જાેવા મળે છે. આ ચર્ચામાં તાજેતરનો ઉમેરો અભિનેત્રી ઝરીના વહાબ છે, જે દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસની ખૂબ જ અપેક્ષિત હોરર કોમેડી ફિલ્મ “ધ રાજા સાબ” માં જાેવા મળશે.તાજેતરના એક કાર્યક્રમ દરમિયાન, ઝરીના વહાબ હિન્દી ફિલ્મો ટાળીને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરવાનું કેમ ટાળી રહી છે તે અંગે…
ફરહાન પણ સંજય લીલા, કરણના માર્ગે.ફરહાન અખ્તરે પણ પોતાની કંપનીનો ૩૦ ટકા હિસ્સો વેચ્યો.યુનિવર્સલની ભારતીય કંપનીના પદાધિકારીને એક્સેલના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં પણ એન્ટ્રી મળશે.બોલિવુડમાં એકલા હાથે કામ કરતા પ્રોડયૂસરોનો જમાન ખત્મ થઈ રહ્યો હોય તેમ હવે ફરહાન અખ્તરે પણ તેની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટનો ૩૦ ટકા હિસ્સો હોલિવુડની કંપની યુનિવર્સલ સ્ટુડિયોની ભારતીય પેટા કંપનીને વેચી દીધો છે. આ સોદામાં એક્સેલની વેલ્યૂ ૨૪૦૦ કરોડ આંકવામાં આવી છે. ૩૦ ટકા ભાગીદારીના બદલામાં યુનિવર્સલ એક્સેલના તમામ પ્રોજેક્ટસના મ્યુઝિક રાઈટ્સ હસ્તગત કરશે, યુનિવર્સલ નામનું મ્યુઝિક લેબલ પણ શરુ કરશે અને તે ઉપરાંત એક્સેલના તમામ પ્રોજેક્ટમાં નફામાં ભાગીદારી પણ ધરાવશે. યુનિવર્સલની ભારતીય કંપનીના પદાધિકારીને એક્સેલના…
બોલીવુડમાં પાછી ફરી અભિનેત્રી.કંગના રનૌત ભારત ભાગ્ય વિધાતા ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું.કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે મનોજ ટાપરિયા સાથે જાેવા મળ્યા હતી.બોલીવુડ અભિનેત્રી અને મંડી સાંસદ કંગના રનૌત ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે અને રાજકારણમાં વધુ સક્રિય છે. અભિનેત્રીએ શિયાળુ સત્ર દરમિયાન કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું, પરંતુ હવે, લાંબા સમય પછી, કંગના ફિલ્મ સેટ પર પાછી ફરી છે. તેણીએ શૂટિંગનો પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યાે છે. સેટ પર પાછા ફરવાનો અનુભવ અભિનેત્રી માટે આનંદદાયક રહ્યો છે.કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યાે છે, જેમાં તે મનોજ ટાપરિયા સાથે જાેવા મળે…
નેહા ધુપિયાએ કામ ન મળવાથી વધતી એંક્ઝાઇટી વિશે વાત કરી.આપણે પણ અક્ષય ખન્નાની જેમ ૬ વર્ષ સુધી ઘરે બેસવું જાેઈએ.ઇન્ડસ્ટ્રીમાંથી તમને હંમેશા મજબુત રહેવાની સલાહ મળે છે, પરંતુ વારંવાર કામ ન મળે તો તમે અકળાઈ જાઓ છા.નેહા ધુપિયાને તેની પરફેક્ટ ફેમિલી અને સિંગલ પાપા સિરીઝને કારણે તાજેતરમાં ઘણી પ્રશંસા મળી રહી છે. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે ફિલ્મી દુનિયાની અનિશ્ચતતાઓ અંગે વાત કરી હતી, તેણે કહ્યું કે સારું કામ કરવાથી પણ સતત કામ મળતું રહેશે, તેની કોઈ ગેરંટી હોતી નથી. તેણે કહ્યું કે ત્રણથી ચાર વર્ષ કામ વિના બેસી રહેવાથી તેને પણ એંક્ઝાઇટી વધી જાય છે.નેહાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું, “હું…
સુપ્રીમ કોર્ટે ૧૭ ડિસેમ્બરે ર્નિદેશ જારી કર્યા હતા.દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા બાબતે તંત્ર ગંભીર નથી: સુપ્રીમ કોર્ટ.દિલ્હીમાં કામચલાઉ ટોલ પ્લાઝા બંધ કરવામાં આનાકાની બદલ સર્વોચ્ચ અદાલતે CAQM ની ઝાટકણી કાઢી. પ્રદૂષણ પર નિયમન કરનારી કેન્દ્રીય સંસ્થા પોતાની ફરજ બાબતે ગંભીર ન હોવાની ટિપ્પણી કરી હતી. દિલ્હીમાં ટોલ પ્લાઝાને કામચલાઉ બંધ કરવા અથવા ખસેડવા માટે સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું હતું. આ બાબતે ર્નિણય લેવા માટે કમિશન ઓફ એર ક્વોલિટી મેનેજમન્ટ (CAQM) દ્વારા બે અઠવાડિયાનો સમય માગવામાં આવ્યો હતો.સુપ્રીમ કોર્ટે આ વલણ પ્રત્યે નારાજગી દર્શાવી હતી. CAQM ને હવાની ગુણવત્તા બગાડી રહેલા પરિબળો જાણવામાં અને દિલ્હીમાં એર કવોલિટી ઈન્ડેક્સ સુધારવામાં કોઈ રસ હોય…
આ કેસની સુઓમોટો સુનાવણી ગત વર્ષે ૨૮ જુલાઈથી શરૂ કરી હતી.શ્વાન જેટલી અરજીઓ કોઈ માણસના કેસમાં નથી આવતી: સુપ્રીમ કોર્ટ.વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળે કૂતરાં કરડી જવાની ઘટનાઓ વધવા બાબતે સુપ્રીમ કોર્ટે ૭ નવેમ્બરે હુકમ કર્યો હતા.શેરીમાં રખડતા શ્વાન માટે સુપ્રીમ કોર્ટમાં સંખ્યાબંધ અરજીઓ આવી છે અને સતત નવી અરજીઓ થઈ રહી છે. આ બાબતની નોંધ લેતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યુ હતું કે, શ્વાન માટે જેટલી અરજીઓ આવે છે, તેટલી અરજીઓ માણસના કિસ્સામાં આવતી નથી. બે વકીલે રખડતા શ્વાનની મેટર મેન્શન કરી ત્યારે જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મેહતાની બેન્ચે આ ટકોર કરી હતી. તેમણે નોંધ્યુ હતું…
વેપાર કરાર, ઓપરેશન સિંદૂરના મીડિયા કવરેજ સહિતના મુદ્દે સહાય મેળવી હતી.ભારતે USમાં પોતાનાં હિતોને આગળ ધપાવવા લોબિંગ કંપનીની મદદ લીધી હતી.ભારતીય દૂતાવાસ ૧૯૫૦ના દાયકાથી વિવિધ સરકારો હેઠળ સ્થાનિક પ્રથા અને જરૂરિયાતો અનુસાર આવી કંપનીઓની સહાય લેતું આવ્યું છ.વોશિંગ્ટન ખાતેના ભારતના દૂતાવાસે સૂચિત વેપાર કરાર અને ઓપરેશન સિંદૂરના મીડિયા કવરેજ સહિતના મુદ્દા પર દેશના હિતોને આગળ ધપાવવા માટે અમેરિકાની એક લોબિંગ કંપનીની સહાય લીધી હતી. SHW પાર્ટનર્સ નામની કંપનીએ ફોરેન એજન્ટ રજિસ્ટ્રેશન એક્ટ (FARA) હેઠળ અમેરિકાના ન્યાય વિભાગને (DoJ)ને સુપરત કરેલી માહિતીમાં આ બાબતનો ખુલાસો થયો હતો. આ અંગે પ્રતિક્રિયા આપતાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે અમેરિકામાં વિદેશી મિશન અને બિઝનેસ…
PR મેળવવું બ્રિટન કરતાં સરળ.ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા!.નવા નિયમો મુજબ ૨૦૨૬-૨૭થી વર્ક વિઝાનો સમયગાળો ઘટાડીને માત્ર ૧૮ મહિના સુધી મર્યાદિત કરી દેવામાં આવ્યો છે.વિદેશમાં ભણીને ત્યાં જ સ્થાયી થવાનું સપનું જાેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે યુનાઇટેડ કિંગડમ (UK) કરતા કેનેડા વધુ આકર્ષક અને સરળ વિકલ્પ બનીને ઉભરી આવ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, ‘સ્ટડી-ટુ-ઈમિગ્રેટ’ એટલે કે ભણ્યા પછી ત્યાંનું કાયમી નાગરિકત્વ મેળવવાની બાબતમાં કેનેડાએ યુકેને પાછળ છોડી દીધું છે. જાેકે બંને દેશોએ આવાસ અને વસ્તીના દબાણને કારણે ઈમિગ્રેશનના નિયમો સખત કર્યા છે, તેમ છતાં કેનેડાની સિસ્ટમ આજે પણ વધુ સ્પષ્ટ અને ઝડપી માનવામાં આવે છે.કેનેડામાં ઉચ્ચ શિક્ષણ પૂર્ણ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



