Author: Garvi Gujarat

વાઈસ ચેરમેન ભાવાભાઈ ચૌધરી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન બન્યા શંકર ચૌધરી શંકર ચૌધરી સતત ત્રીજી વખત બનાસ ડેરીના ચેરમેન બન્યા : શંકરભાઈ ચૌધરીની સર્વાનુમતે થઈ વરણી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની વરણી થઈ છે. તો વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીની વરણી કરાઈ છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં આ વરણી કરાઈ છે. ત્યારે શંકર ચૌધરી સતત ત્રીજી ટર્મમાં બનાસ ડેરીના ચેરમેન બન્યા છે. આ સાથે જ શંકર ચૌધરીનો બનાસ ડેરી પર દબદબો જાેવા મળ્યો છે . એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં ચેરમેનની આજે વરણી કરાઈ હતી. બનાસ ડેરીની બોર્ડ મિટિંગ બાદ ડેરીના નવા ચેરમેનની વરણી…

Read More

પાક.ની ISIS મોડ્યૂલથી હુમલાની ફિરાકમાં દિલ્હીમાં આઇએસનું હુમલાનું કાવતરું, બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા. ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવી ભારતીય યુવકોનું બ્રેઇનવોશ કરી કટ્ટરવાદી બનાવવાની જાળ. દિલ્હી પોલીસે દિવાળીની ઉજવણી વચ્ચે આતંકી સંગઠન આઇએસના મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે અને બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. દિલ્હીના સાદિક નગર અને ભોપાલમાં ઓપરેશન દરમિયાન આ બન્ને આરોપીઓ ઝડપાયા હતા. સોશિયલ મીડિયા માધ્યમથી આરોપીઓ ભારતીય યુવકોમાં કટ્ટરવાદ પણ ફેલાવી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બન્ને આરોપીઓ આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલા છે. અને દિલ્હીમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા. બન્ને આરોપીઓની પાસેથી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને શંકાસ્પદ દસ્તાવેજો…

Read More

ગેંગવોર અને કરોડોની લેણદેણનો ઘટસ્ફોટ સિંગર ફાજિલપુરિયા ફાયરિંગનો માસ્ટરમાઈન્ડ સ્વિટ્ઝરલેન્ડથી ઝડપાયો આરોપી અને કથિત માસ્ટરમાઇન્ડ સુનિલ સરધાનિયાને સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચથી ભારત લાવવામાં આવી રહ્યો છે હરિયાણાના જાણીતા ગાયક રાહુલ ફાજિલપુરિયા પર થયેલા ગોળીબારની ઘટનાના મુખ્ય આરોપી અને કથિત માસ્ટરમાઇન્ડ સુનિલ સરધાનિયાને સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચથી ભારત લાવવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ઈન્ટરપોલની મદદથી સુનિલ સરધાનિયાનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું અને હવે તેને ભારતીય પોલીસને સોંપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. નોંધનીય છે કે, સુનિલને દિલ્હી એરપોર્ટ પરથી સીધો ગુરુગ્રામ લાવવામાં આવશે, જ્યાં પોલીસ તેની સઘન પૂછપરછ કરશે. અહેવાલો અનુસાર, સુનિલ સરધાનિયા પર માત્ર રાહુલ ફાજિલપુરિયાની કાર પર ગોળીબાર કરાવવાનો જ નહીં,…

Read More

મદ્રાસ હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો ક્રિપ્ટો કરન્સી હવે સંપત્તિ ગણાશે, કાયદા હેઠળ થશે કાર્યવાહી ક્રિપ્ટોકરન્સી ભૌતિક સંપત્તિ કે કરન્સી નથી પરંતુ તે એક એવી સંપત્તિ છે, જેને વ્યક્તિ પોતાની પાસે રાખી શકે છે મદ્રાસ હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું કે, ક્રિપ્ટોકરન્સી ભારતીય કાયદા હેઠળ સંપત્તિ ગણાશે. તે લીગલ ટેન્ડર ન હોવા છતાં તેમાં સંપત્તિના તમામ ગુણ ઉપલબ્ધ છે. જસ્ટિસ આનંદ વેંકટેશે કહ્યું કે, ક્રિપ્ટોકરન્સી ભૌતિક સંપત્તિ કે કરન્સી નથી. પરંતુ તે એક એવી સંપત્તિ છે, જેને વ્યક્તિ પોતાની પાસે રાખી શકે છે. અથવા ટ્રસ્ટમાં મુકી શકે છે. આ ર્નિણય એક ક્રિપ્ટો રોકાણકારની અરજી પર સંભળાવવામાં આવ્યો હતો. એક રોકાણકારનું એક્સઆરપી હોલ્ડિંગ્સ…

Read More

માર્કો રૂબિયોએ આપ્યો જવાબ ભારત સાથેની મિત્રતા બગાડવા પાકિસ્તાનને છાવરે છે અમેરિકા તેમણે કહ્યું કે, અમે અનેક દેશો સાથે સંબંધ બનાવ્યા છે અને પાકિસ્તાન સાથે અમારા વ્યૂહાત્મક સંબંધ વધારવાની તકો છે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધો પર મહત્ત્વનું નિવેદન આપી ભારત સાથેના સંબંધોમાં સુધારાની શક્યતા જણાવી છે. તેમણે પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂકવાની સાથે ભારત સાથે મિત્રતા ન બગાડવાની સલાહ પણ આપી છે. રૂબિયોએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, ભારતે આ સંદર્ભે ચિંતા વ્યક્ત કરી નથી, જાે કે ઐતિહાસિક રૂપે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ સ્વભાવિક છે. પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધ ભારતની…

Read More

જેડી મજેઠિયા સાથે સતિશ શાહે કરી હતી વાત થાક અનુભવી રહ્યા છું, હું રિટાયરમેન્ટ પર આવી ગયો છું એક્ટર સતીશ શાહનું નિધન ઇન્ડસ્ટ્રી માટે એક મોટો ઝટકો છે : પ્રોડ્યુસર અને એક્ટર જેડી મજેઠિયાનો ખુલાસો એક્ટર સતીશ શાહનું કિડની ફેલ થવાને કારણે ૨૫ ઓક્ટોબરના રોજ નિધન થયું છે. હાલ તેમના નિધનને લઈને બોલિવૂડને પણ મોટી ખોટ પડી છે. ટીવી સિરિયલોની સાથે તેમણે ઘણી બધી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જાેકે સારાભાઈ વર્સેસ સારાભાઈમાં ઇન્દ્રવદનનો રોલ કરીને ઘરે ઘરે તેમણે પોતાની અલગ ઓળખ બનાવી હતી. આ શોને જેડી મજેઠિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો. જેમાં દેવેન ભોજાણી અને આતિશ કપાડિયા દ્વારા…

Read More

IMD એ આપ્યું એલર્ટ: ભયંકર મોટું તોફાન બંગાળની ખાડીમાંથી આવશે — આઈએમડીભયંકર ચક્રવાતથી આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં આ ભયંકર ચક્રવાત આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં વિકાસ પામતું ચક્રવાત મોન્થા એક ઉષ્ણકટિબંધીય તોફાન ઉઠ્યું છે અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાની નજીક આવતાં તે ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની ધારણા છે. હવામાન વિભાગ અનુસાર, ચક્રવાત મોન્થા મંગળવાર (૨૮ ઓક્ટોબર, ૨૦૨૫) ની સાંજે અથવા રાત્રે આંધ્ર પ્રદેશના કાકીનાડા દરિયાકાંઠા નજીક લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. ભારતીય…

Read More

વડાપ્રધાને છત્તીસગઢના અંબિકાપુર મ્યુનિ. કોર્પોરેશનની પ્રશંસા કરી GSTમાં ઘટાડાના કારણે સ્વદેશી વસ્તુઓનું વેચાણ અને તહેવારોની રોનક વધી : મોદી મોદીએ ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમના ૧૨૭માં એપિસોડમાં દેશ અને વિદેશના લોકો સાથે વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે (૨૬મી ઓક્ટોબર) ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમના ૧૨૭માં એપિસોડમાં દેશ અને વિદેશના લોકો સાથે વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતા. તેમણે તહેવારોની સિઝનમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં થયેલા જંગી વધારા અને સ્વચ્છતાની પહેલની પ્રશંસા કરી હતી. મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ વર્ષે સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં…

Read More

સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.5,748 અને ચાંદીના વાયદામાં રૂ.19,151નું ગાબડું : ક્રૂડ તેલમાં રૂ.389નો ઉછાળોકોમોડિટી વાયદાઓમાં રૂ.426440.44 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1703508.16 કરોડનું સાપ્તાહિક ધોરણે ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.379273.84 કરોડનાં સાપ્તાહિક ધોરણે કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 28703 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 17થી 23 ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.2129971.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.426440.44 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1703508.16 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 28703 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.29992.56 કરોડનું થયું…

Read More

છ મહિનામાં રૂ.૧૫૦૦ કરોડનું ફ્રોડ૩૦,૦૦૦થી વધુ લોકો બન્યા ઓનલાઇન રોકાણ કૌભાંડનો શિકારઆશ્ચર્યજનક બાબત એ છે કે તેમાંથી ૬૫% કેસ બેંગલુરુ, દિલ્હી-એનસીઆર અને હૈદરાબાદમાં થયા છગૃહ મંત્રાલયની સાયબર શાખાએ ઓનલાઇન રોકાણ ફ્રોડ અંગે એક અહેવાલ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ, છેલ્લા ૬ મહિનામાં ભારતના ૩૦,૦૦૦થી વધુ લોકો સાથે રોકાણના નામે ૧૫૦૦ કરોડ રૂપિયાની નાણાકીય છેતરપિંડી થઈ છે. જે લોકો કૌભાંડનો શિકાર બન્યા છે, તેમાં સૌથી વધુ ૩૦થી ૬૦ વર્ષની વયના હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે તેમાંથી ૬૫% કેસ બેંગલુરુ, દિલ્હી-એનસીઆર અને હૈદરાબાદમાં થયા છે. ભારતીય સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર(ૈં૪ઝ્ર)ના અહેવાલ મુજબ, આ છેતરપિંડીના ૬૫ ટકા કેસ માત્ર ત્રણ મહાનગરો…

Read More