Author: Garvi Gujarat

દેશભરમાં ડિજિટલ એરેસ્ટના ગુનામાં વધારો નોંધાયો દેશભરમાં નોંધાયેલા તમામ ડિજિટલ એરેસ્ટ કેસની તપાસ CBIને સોંપવા વિચારણા સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો પાસેથી ડિજિટલ એરેસ્ટની ઘટનાઓના મામલે એફઆઈઆરની વિગતો માગી દેશભરમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં ચિંતાજનક વધારાના પગલે સુપ્રીમ કોર્ટે આવા તમામ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની વિચારણા હાથ ધરી છે. દેશભરમાં ડિજિટલ એરેસ્ટના ગુના સંદર્ભે નોંધાયેલી એફઆઈઆરની વિગતો સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો અન કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે માગી છે. પોલીસ-સીબીઆઈ અધિકારી અથવા સરકારી અધિકારીના સ્વાંગમાં સામાન્ય નાગરિકો સાથે ઠગાઈ આચરનારા તત્ત્વોએ દેશભરમાં તરખાટ મચાવ્યો છે. ઓડિયો અથવા વીડિયો કોલ મારફતે પીડિતને ડિજિટલ એરેસ્ટ કરીને જંગી નાણાં પડાવવાના કિસ્સા વધી રહ્યા છે. જસ્ટિસ સૂર્યા…

Read More

આ ડીલનો મુખ્ય હેતુ બંને દેશોને વધુ પરમાણુ શસ્ત્રો બનાવતા અટકાવવાનો હતો રશિયાએ અમેરિકા સાથેનો પ્લૂટોનિયમ કરાર રદ કર્યાે આ ર્નિણયની સાથે જ રશિયાએ એક નવી પરમાણુ શક્તિ સંચાલિત ક્રૂઝ મિસાઈલ ‘બુરેવેસ્ટનિક’નું સફળ પરીક્ષણ પણ કર્યું રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકા સાથે થયેલો પ્લુટોનિયમ નિકાલ કરાર રદ કરી દીધો છે. તેમણે આ કરારને ઔપચારિક રીતે સમાપ્ત કરનારા કાયદા પર સહી કરી દીધી. આ ડીલનો મુખ્ય હેતુ બંને દેશોને વધુ પરમાણુ શસ્ત્રો બનાવતા અટકાવવાનો હતો. પુતિનનું આ પગલું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે લીધું છે.પ્લુટોનિયમ કરાર હેઠળ, અમેરિકા અને રશિયા બંને દેશો લશ્કરી ઉપયોગ માટે બિનજરૂરી…

Read More

BCCI એ ટીમના ડોક્ટરને દેખરેખ માટે નિયુક્ત કર્યા શ્રેયસ અય્યર ICUમાંથી બહાર આવ્યો, મોટો ખતરો ટળ્યોશ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ માટે ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ભારતીય વનડે ટીમના વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વનડે દરમિયાન ઈજા થઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. હાલમાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક હોસ્પિટલના ICUમાં છે. આંતરિક રક્તસ્ત્રાવ થતાં અય્યરને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, અય્યરને આઈસીયૂમાંથી બહાર લાવવામાં આવ્યો છે. ૩૧ વર્ષીય બેટ્સમેનની હાલતમાં સુધારો થઈ રહ્યો છે અને સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. BCCIએ ટીમના ડોક્ટરને તેની દેખરેખ માટે નિયુક્ત કર્યા છે. સિડની વનડે…

Read More

બે નવેમ્બરે સતિશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ થશે: ભારતનો સૌથી મોટો કમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ માટે તૈયાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા સૌથી મોટી કમ્યુનિકેશન સેટેલાઇટ CMS-03 હવે લોન્ચ માટે તૈયાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા ભારતની સૌથી મોટી કમ્યુનિકેશન સેટેલાઇટ CMS-03 હવે લોન્ચ માટે તૈયાર છે. આ સેટેલાઇટને ન્ફસ્૩ રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ મિશનને બે નવેમ્બરે સતિશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવશે. આ સ્પેસ સ્ટેશન શ્રીહરિકોટામાં આવેલું છે. ન્ફસ્૩ રોકેટનું આ પાંચમું ઓપરેશન છે. આ સેટેલાઇટ દ્વારા ભારતની ડિજિટલ કનેક્ટિવિટીને વધુ સારી રીતે વિકસિત કરવામાં આવી રહી છે. CMS-03 એક કમ્યુનિકેશન સેટેલાઇટ…

Read More

ચક્રવાત મોન્થાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે: ચક્રવાતને લઈ પીએમ મોદીએ સીએમ નાયડુ સાથે કરી વાત મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે ફોન પર વાત કરી અને વાવાઝોડા વિશે પૂછપરછ કરી. બંગાળની ખાડીમાં વિકસિત થઈ રહેલા ચક્રવાત મોન્થાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. IMD મુજબ, આ ચક્રવાતી વાવાઝોડું (હાલની ગતિ ૯૦-૧૦૦ કિમી પ્રતિ કલાક) આગામી ૨૪ કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાન બની શકે છે, જે ૨૮ ઑક્ટોબરની સાંજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. તેની અસરથી ચેન્નાઈમાં હળવા ઝાપટાં શરુ થઈ ગયા છે, જે ધીમે ધીમે તીવ્ર બની શકે છે.IMD અનુસાર, મોન્થા ચક્રવાતી તોફાનને કારણે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને…

Read More

આલિયા ભટ્ટ સાથે કામ કરશે ‘પઠાણ’ બાદ હવે શાહરુખ ખાનની આ સ્પાય યુનિવર્સ ફિલ્મમાં થશે એન્ટ્રી ‘આલ્ફા’ બાદ આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીની “લવ એન્ડ વોર”માં રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે જાેવા મળશે મુંબઈ: અભિનેત્રી આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ “આલ્ફા”ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેમાં નિર્માતાઓ ફિલ્મની આસપાસ હાઇપ વધારવા માટે રૂઇહ્લ સ્પાય યુનિવર્સના એક મોટા સુપરસ્ટારનો કેમિયો રોલ તૈયાર કરી રહ્યા હોવાના અહેવાલ છે.નોંધનીય છે કે “ટાઈગર ૩” અને મોટી ફ્લોપ સાબિત થયેલી “વોર ૨” જેવી પાછલી ફિલ્મો જાેઈએ તેટલી સફળ ન થતાં, નિર્માતા આદિત્ય ચોપરાએ “આલ્ફા” માં મોટા…

Read More

અભિનેતાએ સોશિયલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કરતાં કરી પોસ્ટ ‘હું ઇચ્છું છું કે, મારા કામથી લોકો મને યાદ રાખે’ : પાર્થ અભિનેતા પાર્થ સમથાન છેલ્લે ‘CID’ માં જોવા મળ્યો હતો. પાર્થે CID માં આયુષ્માનની ભૂમિકા ભજવી હતી. ટીવી એક્ટર પાર્થ સમથાન ઘણા મહિનાઓથી સોશિયલ મીડિયાથી દૂર છે. અભિનેતાએ પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી છે. પાર્થે લખ્યું, ‘ઇન્સ્ટાગ્રામ પર હું ઘણા સમયથી અનએક્ટિવ છું, કારણ કે હું મારા જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો, જેમાં મેં ઘણું સહન કર્યુ.’ પાર્થે વધુમાં આગળ કહ્યું કે, ‘આ એક એવો સમય હતો જ્યારે હું ખૂબ જ નિરાશા અનુભવી…

Read More

આ ફિલ્મને ૨૦૨૬ના મધ્યમાં રિલીઝ કરવાની યોજના છે અક્ષયકુમાર જલ્દી ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ શરૂ કરશે આ ફિલ્મમાંઅક્ષયકુમારની સાથે સંજય દત્ત, સુનીલ શેટ્ટી, અરશદ વારસી, પરેશ રાવલ વિગેરે મહત્ત્વના રોલમાં જાેવા મળશે અક્ષયકુમાર ફરી પાછો પોતાની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ જંગલ’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મ ‘વેલકમ-૩’ તરીકે પણ જાણીતી છે. એક રિપોર્ટના જણાવ્યાનુસાર અક્ષયકુમાર નવેમ્બર મહિનાથી ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ શરૂ કરવાનો છે. જે ૧૫ દિવસ સુધી ચાલશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ ફિલ્મના શૂટિંગમાં ફિલ્મની પૂરી સ્ટારકાસ્ટ જાેડાવવાની છે. આગલા વરસની શરૂઆત સુધીમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરવામાં આવશે. જેથી ફિલ્મને ૨૦૨૬ના મધ્યમાં રિલીઝ કરી શકાય.અહમદ…

Read More

સોનાના વાયદાના ભાવમાં રૂ.2020 અને ચાંદીના વાયદામાં રૂ.3,049ની નરમાઈઃ ક્રૂડ તેલમાં રૂ.9નો સુધારોકોમોડિટી વાયદાઓમાં રૂ.36930.83 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.300669.68 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 31011.47 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 28518 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સ તથા ઓપ્શન્સમાં રૂ.337618.96 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.36930.83 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.300669.68 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 28518 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2665.58 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 31011.47 કરોડનાં…

Read More

**SMSથી મળી જશે તમામ માહિતી તમારા પોલીસ કેસ માટે, વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની હવે જરૂર નથી; નાગરિકોની સુવિધા માટે SMS સિસ્ટમ શરૂ, જે ફરિયાદીને કેસને લગતા ઓટોમેટિક SMS અપડેટ મોકલે છે** ફરિયાદીને પોતાના કેસની પ્રગતિ અંગેના અપડેટ્સ ઘરે બેઠા જ SMS મારફતે આપવામાં આવી રહ્યા છે. રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે હવે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા પડતા નથી. SMS સિસ્ટમ નાગરિકોને તેમની ફરિયાદની સ્થિતિ વિશે સીધી માહિતી આપીને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારે છે. રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા…

Read More