- બાબીલ ખાન ફરી ટ્રેક પર: ડિપ્રેશન બાદ કેરિયરમાં વળાંક, મલયાલમ ફિલ્મ ‘ગાંધી બજાર’ મળ્યો
- મીરા નાયરની ‘અમરી’ બાયોપિકમાં અમૃતા શેરગિલ તરીકે અંજલી શિવરામનની પસંદગી, 100થી વધુ ઓડિશન બાદ નિર્ણય
- વિદ્યા બાલન ભાવુક: 25 વર્ષ બાદ ‘ધ લાસ્ટ ટેનન્ટ’ જાેઈ, ઇરફાન ખાન સાથેની યાદો તાજી
- ‘વીવાન’ ફિલ્મ માટે અનોખી સ્ટ્રેટેજી: રિલીઝ પહેલાં જ કોમિક બુક ‘ધ લેજન્ડ ઑફ વીવાન’ લોન્ચ
- પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાના સંકેત: ચાર વર્ષથી સ્થિર દર, હવે વધારો શક્ય
- શુભેન્દુ અધિકારીના સરહદી વાડ નિર્ણયથી બાંગ્લાદેશ આક્રોશિત, કાંટાળા તાર પર વિવાદ ગરમાયો
- શ્રીલંકામાં સાયબર ક્રાઈમ મામલે 173 ભારતીયોની ધરપકડ, આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે જોડાણની આશંકા
- સાબરમતી જેલમાંથી કુખ્યાત કેદી મેઈન ગેટથી ફરાર, સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા ગંભીર સવાલો
Author: Garvi Gujarat
સ્વદેશી જાગરણ અભિયાન; નવરાત્રિ, દુર્ગાપૂજા ને ઓનમ જેવા તહેવારોમાં વિદેશી ખાણીપીણીના સ્ટોલ પંડાળોમાં નહિ રખાય વિદેશી ઓન લાઇન પ્લેટફોર્મ નો બહિષ્કાર ; CAIT ગુજરાત અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા સ્વદેશી જાગરણ અભિયાનનો પ્રારંભ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વારા શરૂ કરયેલા સ્વદેશી જાગરણ અભિયાન આંદોલન હવે વેગ પકડતું જાય છે. વડોદરામાં વેપારી સંગઠનો ધ્વારા આમૂહિક રીતે નિર્ણય કરીને નાણા વેપારીઓ આગામી તહેવારો દરમિયાન સરળતાથી વેપાર કરી શકે તે માટે આગામી દિવસોમાં નવરાત્રી, દુર્ગા પૂજા અને ઓનમ જેવા તહેવારોમાં પંડાલોમાં ગુજરાત અને દેશભરમાં માત્ર અને માત્ર સ્વદેશી કંપનીઓ અને સ્વદેશી ઉત્પાદનના વેપારીઓ ધ્વારા જ સ્ટોર રાકવામાં આવશે અન્ય વિદેશી કંપનીઓને તેમાં કોઈ…
નેપાળના PM સુશીલા કાર્કી બનતાં મોદીએ કહ્યું ભારત નેપાળના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ સુશીલા કાર્કીને વડાપ્રધાન મોદીએ શુભકામના પાઠવી. નેપાળમાં પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીએ ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ના દિવસે વચગાળાની સરકારમાં કાર્યકારી વડાપ્રધાનના રૂપે શપથ લીધા. ત્યાર બાદ નેપાળને નવા વડાપ્રધાન મળતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશીલા કાર્કીને શુભકામના આપતાં નેપાળમાં શાંતિ અને સ્થિરતાની આશા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ એક્સ પર પોસ્ટ કરી સુશીલા કાર્કીને શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે, ભારત નેપાળના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે. સોશિયલ મીડિયા પર લગાવેલા પ્રતિબંધના વિરોધમાં…
ઉદ્ધવ ઠાકરેએ માર્ગો પર ઊતરી દેખાવની જાહેરાત કરી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ સૈનિકોનું અપમાન ભાજપે પોતાની વિચારધાર બદલી નાખી છે: આદિત્ય ઠાકરે. એશિયા કપમાં ૧૪ સપ્ટેમ્બરે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને લઈને શિવસેના (ેંમ્) ના વડા ઉદ્ધવ ઠાકરેએ રસ્તા પર ઉતરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, એક આતંકવાદી દેશ સાથે મેચ રમવી એ રાષ્ટ્રીય ભાવનાનું અપમાન છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શિવસેનાના કાર્યકરો સમગ્ર મહારાષ્ટ્રમાં રસ્તા પર ઉતરશે અને મેચનો વિરોધ કરશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, આપણા સૈનિકો સરહદ પર પોતાના જીવનું બલિદાન આપી રહ્યા છે, શું આ સ્થિતિમાં આપણે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું જાેઈએ? મારા પિતા (બાળાસાહેબ ઠાકરે)…
અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચૂકાદો પ્રેમ સંબંધમાં શારીરિક સંબંધને બળાત્કાર ન ગણી શકાય : કોર્ટહાઈકોર્ટે સુનાવણી બાદ પીડિતાની અરજી ફગાવી. એક મહત્વપૂર્ણ ર્નિણયમાં, અલ્હાબાદ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લાંબા ગાળાના સંમતિથી પ્રેમ સંબંધમાં શારીરિક સંબંધોને બળાત્કાર ગણી શકાય નહીં. મહોબા જિલ્લાની એક મહિલા દ્વારા તેના સાથી લેખપાલ સામે દાખલ કરાયેલી અરજીને ફગાવી દેતી વખતે જસ્ટિસ અરુણ કુમાર સિંહ દેશવાલની બેન્ચે આ ટિપ્પણી કરી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ લગ્નનું ખોટું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધો બનાવ્યા હતા અને બાદમાં લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે પોતાના ર્નિણયમાં કહ્યું હતું કે જાે કોઈ મહિલા જાણે છે કે સામાજિક…
અનુરાગ ઠાકુરનું મોટું નિવેદન ભારત પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય ટુર્નામેન્ટ રમતું નથી બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન થાય છે, ત્યારે દેશો માટે તેમાં ભાગ લેવો એક મજબૂરી અને આવશ્યકતા બની જાય છે. એશિયા કપ ૨૦૨૫માં ભારતે ૧૪ સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે પોતાની આગામી મેચ રમવાની છે, પરંતુ તે પહેલાં ઘણો હોબાળો મચી ગયો છે. આનું કારણ એ છે કે ભારતીય ચાહકો આતંકવાદને સમર્થન આપતા દેશ સાથે કોઈપણ ક્રિકેટ મેચ રમવાના સમર્થનમાં નથી. એશિયા કપ ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ભારતીય લોકોમાં રોષ છે. ત્યારે આ અંગે મેચના એક દિવસ પહેલા ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે મોટું નિવેદન આપ્યું…
રેસમાં ૪ મંત્રીઓના નામ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે ગમે ત્યારે થઈ શકે એલાન ભારતીય જનતા પાર્ટી અનેક મહિનાથી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ટાળી રહી છે. તેનું સૌથી મોટું કારણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી) સાથે ભાજપના ટોચના નેતૃત્વના સંબંધમાં તણાવને માનવામાં આવી રહ્યો છે. જાે કે છેલ્લા કેટલાક મહિનાથી બંને તરફથી સંબંધોને સામાન્ય કરવાની અને દેખાડવાની કોશિશ થઈ રહી છે. આરએસએસ અને ભાજપના ટોચના નેતૃત્વએ જ તેની જવાબદારી સંભાળી છે. ત્યારબાદ હવે એ વાતની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત પાર્ટી ગમે ત્યારે કરી શકે છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલા જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે આરએસએસની જરૂરિયાતને…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદઘાટન મિઝોરમમાં કુતુબ મિનાર કરતાં પણ ઊંચો રેલવે બ્રિજ તૈયાર વડાપ્રધાને આઈઝોલમાં ૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ-ઉદઘાટન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે છે. તેઓ મિઝોરમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાજ્યને રેલવેની ભેટ આપી છે. વડાપ્રધાને મિઝોરમના આઈઝોલમાં ૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું છે. તેમાં મુખ્ય છે વિશ્વ કક્ષાની માળખાગત સુવિધાઓ અને મિઝોરમમાં રેલ કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે રૂ. ૮,૦૭૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર બૈરાબી-સૈરાંગ રેલ લાઈન પ્રોજેક્ટ જે મિઝોરમની રાજધાનીને પ્રથમ વખત ભારતીય રેલ નેટવર્ક સાથે જાેડશે. રેલવે મંત્રી…
મણિપુરમાં વડાપ્રધાન મોદીનું મોટું એલાન વિસ્થાપિતો માટે ૭૦૦૦ મકાન બનાવીશું, ૩૫૦૦ કરોડનું પેકેજ મંજૂર ભારત સરકાર મણિપુરના લોકોની સાથે છે : અહીં લોકોના જીવનને ફરી વિકાસના માર્ગે લાવવા માટે સરકાર દરેક સંભવ પ્રયાસ કરી રહી છે : મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર પહોંચ્યા હતા. લગભગ હિંસાના બે વર્ષ બાદ તેઓ અહીં પહોંચ્યા હતા. જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે ભારત સરકાર મણિપુરના લોકોની સાથે છે. અહીં લોકોના જીવનને ફરી વિકાસના માર્ગે લાવવા માટે સરકાર દરેક સંભવ પ્રયાસ કરી રહી છે. હિંસામાં પોતાનું આશ્રય ગુમાવનારા લોકો માટે સરકાર નવા ૭ હજાર મકાન બનાવશે. આ ઉપરાંત ખાસ મણિપુર માટે કેન્દ્ર સરકાર દ્વારા…
અમેરિસિયમ-૨૪૧ આઇસોટોપ લાંબા ગાળાના સ્પેસ મિશનોમાં ક્રાંતિ લાવશે અવકાશયાનને ૪૩૩ વર્ષ પરમાણુ બળતણ પુરૂ પાડે તેવી ન્યુક્લિયર બેટરીનું નાસાએ પરીક્ષણ કર્યું.પૃથ્વી પરથી અંતરિક્ષમાં દૂર જતાં સ્પેસક્રાફટને ચલાવવા સૌર ઉર્જા ઉપરાંત બળતણના અન્ય સ્રોતની જરૂર પડે છે. નાસાના ગ્લેન રિસર્ચ સેન્ટર અને યુકેની લેસ્ટર યુનિવર્સિટી દ્વારા અમેરિસિયમ ૨૪૧ નામના આઇસોટોપને પરમાણુ બળતણ તરીકે વાપરવાનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ બળતણને નવી ટેકનોલોજી ધરાવતાં સ્ટર્લિંગ એન્જિનમાં વાપરવાના અખતરાંઓ કરવામાં આવી રહ્યા છે. જાે આ ટેકનોલોજી સફળ થશે તો નાસાના વિજ્ઞાાનીઓ અવકાશમાં લાંબા અંતરે જતાં અવકાશયાનોમાં ન્યુક્લિયર બેટરીઝ બેસાડી તેને ૪૩૩ વર્ષ સુધી કાર્યરત રાખી શકશે. પૃથ્વી પરથી અંતરિક્ષમાં દૂર સુધી જતાં…
અરજીઓના નિકાલમાં વધુ વિલંબ ન્યાયના ઇનકાર સમાન ગણાય હાઇકોર્ટ્સ નિયમિત અને આગોતરા જામીનનો નિકાલ બે મહિનામાં કરે: સુપ્રીમ પીટિશનમાં રજૂઆત કરાઈ હતી કે, બોગસ રાજકીય પક્ષો લોકશાહી માટે ગંભીર જાેખમ હોવાની સાથે સમાજ માટે પણ જાેખમી છે. નિયમિત અને આગોતરા જામીન અરજીના નિકાલમાં લાંબો વિલંબ એ ન્યાયને નકારવા જેવો છે તેમ ઠરાવતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે આવી અરજીઓનો નિકાલ કેસ ફાઇલ થયાના બે મહિનામાં જ કરી દેવાનો તમામ હાઇકોર્ટ્સને આદેશ આપ્યો છે. આ મામલે અનેક દિર્શાનિદેશો જારી કરતાં જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે જણાવ્યું હતું કે અરજદારો ‘અનિશ્ચિતતા’ હેઠળ હોય ત્યારે તેમની વ્યક્તિગત સ્વતંત્રતાને લગતી અરજીઓ વર્ષાે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



