Author: Garvi Gujarat

UPI યુઝર્સ માટે ગુડ ન્યૂઝ.૨૪ કલાકમાં રૂપિયા૧૦ લાખના ટ્રાન્ઝેક્શન કરી શકાશે.અગાઉ માત્ર એક લાખ રૂપિયા સુધીની લિમિટ હતી.નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPI દ્વારા અમુક ખાસ પ્રકારના વ્યવહારો માટેની ટ્રાન્ઝેક્શન મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે. ૧૫ સપ્ટેમ્બર-૨૦૨૫થી અમલમાં આવનારા નવા ફેરફાર મુજબ હવે ટેક્સ ભરવા, વીમા પ્રીમિયમ ચૂકવવા, લોનની EMI ભરવા અને શેરબજારમાં રોકાણ જેવા મોટા વ્યવહારો માટે દૈનિક ૧૦ લાખ રૂપિયા સુધીની ચૂકવણી માત્ર ૨૪ કલાકમાં કરી શકાશે. અગાઉ આવા ટ્રાન્ઝેક્શનો પર માત્ર રૂપિયા એક લાખ રૂપિયાની લિમિટ હતી, એટલે કે જાે એક લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન હોય તો તે થઈ શકતું ન હતું, જાેકે હવે નવા…

Read More

સોના-ચાંદીના વાયદામાં થાક ખાતી તેજીઃ સોનાનો વાયદો રૂ.895 અને ચાંદીનો વાયદો રૂ.1,276 ઘટ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.42ની નરમાઇઃ એલચી, મેન્થા તેલના વાયદામાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.20362.68 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.85861.74 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.17094.99 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 24894 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.106226.8 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.20362.68 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.85861.74 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24894 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1336.87 કરોડનું થયું…

Read More

હવે ડ્રાઈવિંગ ટેસ્ટમાં ‘સેટિંગ’માં કોઈ કામ નહીં થાય.ગાંધીનગરના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર AI કેમેરા લગાવાયા.આ એક ખૂબ જ સારો અને પ્રગતિશીલ ર્નિણય છે જે ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયામાં પારદર્શિતા-ચોકસાઈ લાવશે.ગાંધીનગરના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર છૈં કેમેરા લગાવવામાં આવ્યા છે. અત્યાર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટનું મૂલ્યાંકન સેન્સર અને કેમેરા-આધારિત સિસ્ટમ અને ઇન્સ્પેક્ટર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવતું હતું. પરંતુ હવે આ સમગ્ર પ્રક્રિયા AI દ્વારા સંચાલિત થશે. આ નવી સિસ્ટમ ઘણી વધુ અદ્યતન અને ચોક્કસ છે. તે ડ્રાઇવર દ્વારા નિયમોનું પાલન થયું છે કે નહીં તે બારીકાઈથી તપાસશે. આનાથી પરિણામોમાં માનવીય હસ્તક્ષેપની શક્યતા નહિવત્ થઈ જશે. નોંધનીય છે કે, હાલમાં ગાંધીનગર RTO માં…

Read More

સરકારે પરિવહન ક્ષેત્રમાં મોટો ફેરફાર કર્યો.નવા GST દરથી ટ્રકથી લઈને ઈ-રિક્ષા સુધીના વાહનો સસ્તા થશે.હેચબેક અને કોમ્પેક્ટ સેગમેન્ટમાં કાર પર ૨૮ ટકાને બદલે ૧૮ ટકા ટેક્સ લાગશે : સ્કૂટર-મોપેડ સસ્તા થશ.નવા GST દરમાં ફેરફારની હવે સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી અસર પડશે. ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો, જેઓ રોજિંદા જરૂરિયાતો માટે વાહનો ખરીદવાનું સ્વપ્ન જુએ છે, તેમના માટે આ ફેરફાર ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, સરકારે પરિવહન ક્ષેત્રમાં મોટો ફેરફાર કર્યો છે અને ઘણા વાહનો અને ઓટો પાર્ટ્સ પર GST દર ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કર્યા છે. આ ર્નિણયનો સીધો ફાયદો સામાન્ય ગ્રાહકોથી લઈને લોજિસ્ટિક્સ…

Read More

શિખર ધવન પણ ED રડારમાં.સટ્ટાબાજી એપ કેસમાં શિખર ધવનની પણ પૂછપરછ કરાશે.સુરેશ રૈના સહિત ઘણા ક્રિકેટરોની પૂછપરછ કરાઈ છ.ગેરકાયદેસર સટ્ટાબાજી એપ વન એક્સ બેટ સંબંધિત મની લોન્ડરિંગના સંદર્ભમાં પૂછપરછ માટે પૂર્વ ભારતીય ઓપનર શિખર ધવનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમને ૪ સપ્ટેમ્બરના રોજ પૂછપરછ માટે પોતાની ઓફિસમાં આવવા કહ્યું છે. અગાઉ ભૂતપૂર્વ ભારતીય વિસ્ફોટક બેટ્સમેન સુરેશ રૈના પણ સટ્ટાબાજીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની રડારમાં આવ્યો હતો. ધવન પણ ટૂંક સમયમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) ઓફિસ પહોંચશે. જાે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ શિખર ધવનની પૂછપરછ કરશે અને વન એક્સ બેટ સટ્ટાબાજી એપ સંબંધિત તપાસમાં…

Read More

યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી જાણીતો થયો.ટીવી અભિનેતા આશિષ કપૂરની દુષ્કર્મ કેસમાં ધરપકડ કરાઈ.પીડિતાએ ઓગસ્ટમાં દિલ્હીમાં એક હાઉસ પાર્ટી દરમિયાન આશિષ કપૂર પર બાથરૂમમાં દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો.પોપ્યુલર ટીવી અભિનેતા આશિષ કપૂર પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે, જેનાથી ચાહકો ચોંકી ગયા છે. અભિનેતાની પુણે પોલીસે ધરપકડ કરી લીધી છે. પીડિતાએ ઓગસ્ટમાં દિલ્હીમાં એક હાઉસ પાર્ટી દરમિયાન આશિષ કપૂર પર બાથરૂમમાં દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં આશિષ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આશિષ કપૂર ટીવી જગતનો એક જાણીતો ચહેરો છે. ટીવી ઉપરાંત તેણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ઈન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ છે અને તેની…

Read More

શારજાહમાં રમાયેલી મેચમાં અફઘાન બોલિંગ સામે પાકિસ્તાની બેટિંગ લાચાર.ત્રિકોણીય ટી૨૦માં અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનનો પરાજય.અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને તેની ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૯ રનનો સ્કોર રજૂ કર્યો હતો.ઇબ્રાહિમ ઝાદરાન અને સેદિકુલ્લાહ અટલની આક્મક અડધી સદી અને બોલર્સની કમાલથી અફઘાનિસ્તાને મંગળવારે અહીં રમાયેલી ત્રિકોણીય ટી૨૦ સિરીઝની મેચમાં પાકિસ્તાનને ૧૮ રનથી હરાવ્યું હતું. આ સિરીઝમાં ત્રીજી ટીમ યુનાઇટેડ આરબ અમિરાતની છે. સિરીઝમાં અત્યાર સુધીમાં રમાયેલી મેચમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાને બે બે મેચ જીતી છે. બંનેએ પરસ્પર એક એક મેચ જીતવા ઉપરાંત એક એક વાર યુએઈની ટીમને હરાવી છે. હવે ગુરુવારે પાકિસ્તાનનો મુકાબલો યુએઈ સામે થનારો છે. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને તેની ૨૦…

Read More

પંજાબના તમામ જિલ્લાઓ પૂરગ્રસ્ત જાહેર.પંજાબમાં ભયાવહ પૂરનું સંકટ: ૩૭ લોકોનાં મોત.પંજાબમાં ભારે વરસાદને પગલે ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા ૧.૪૮ લાખ હેક્ટરમાં પાક નષ્ટ થયો હોવાનું જણાયું છે. પંજાબમાં અવરિત વરસાદ તથા ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીને પગલે ભયાવહ પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. પંજાબમાં ૧૯૮૮ પછીનું આ સૌથી ખતરનાક પૂર ગણવામાં આવે છે. તંત્ર દ્વારા રાજ્યના તમામ ૨૩ જિલ્લાને પૂરગ્રસ્ત જાહેર કરાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ વરસાદ અને પૂર સંલગ્ન ઘટનાઓમાં પંજાબમાં ૩૭ લોકોનાં મોત થયા છે જ્યારે ૩.૫ લાખ લોકો પ્રભાવિત થયા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે, જ્યારે દેશ પર સંકટ આવ્યું છે ત્યારે પંજાબ હંમેશા પડખે…

Read More

જાન્હવી કપૂર- વરુણ ધવન સોનુ નિગમના આઇકોનિક ગીતને પાછું લાવ્યા.સન્ની સંસ્કારી કી તુલસી કુમારીનું બિજુરિયા ગીત રિલીઝ.બિજુરિયા ગીતની મૂળ રચના રવિ પવાર દ્વારા કરવામાં આવી હતી, અને તેના શબ્દો સોનુ અને અજય ઝિંગરાણે લખ્યા હતા.બોલિવૂડમાં ફરી એકવાર ભૂતકાળનો સમયની યાદ અપાવે છે. અને આ વખતે ફિલ્મ સન્ની સંસ્કારી કી તુલસી કુમારી ના નિર્માતાઓએ સોનુ નિગમના ૧૯૯૯ ના આલ્બમ ‘મૌસમ’ માંથી જૂનું ટ્રેક ‘બિજુરિયા’પાછું લાવ્યું છે. ફિલ્મના મ્યુઝિક પાર્ટનર સોની મ્યુઝિક ઇન્ડિયાએ તેનો મ્યુઝિક વિડિયો રિલીઝ કર્યાે છે.બિજુરિયા ગીતમાં વરુણ ધવન અને જાન્હવી કપૂર છે તે મ્યુઝિક તનિષ્ક બાગચી દ્વારા ફરીથી તૈયાર કરાયેલ ટ્રેકના નવા વરઝ્ન પર ડાન્સ કરતા જાેવા મળ્યા…

Read More

ઘોઘા તાલુકાના સ્માર્ટ વિલેજ વાવડી ગામના સરપંચ શ્રી મહેન્દ્રસિંહ પી ગોહિલ તથા તલાટી કમ મંત્રી શ્રી શૈલેષભાઈ ડી સોલંકી દિલ્હી ખાતે રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના ડેલીગેશન તરીકે આમંત્રણ. ભાવનગર જિલ્લાના પાંચ ગામ તથા તેમના એલ ઓ તરીકે તલાટી કમ મંત્રી શ્રી શૈલેશભાઈ ડી સોલંકી દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સ્તરની ત્રણ દિવસની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની તાલીમ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ પ્રાપ્ત કર્યું છે આ કાર્યક્રમ પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ મજબૂત અને ગ્રામીણ વિકાસને વધુ સારી રીતે વેગ મળે તે માટે ખાસ આયોજિત કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરાયેલા સરપંચો માંથી વાવડી ગામના સરપંચ શ્રી તથા તલાટી કમ મંત્રીશ્રી…

Read More